Book Title: Agam Kathanuyoga Gujarati Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 296
________________ શ્રમણ કથાઓ વિચરવું કલ્પે. એવું વિચારીને આ પ્રકારનો અભિગ્રહ લીધો. અભિગ્રહ લઈને જીવનપર્યંતને માટે નિરંતર છ–છટ્ઠ ભક્ત તપોકર્મ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યારપછી તે અર્જુન અણગાર છટ્ઠ ભક્ત તપના પારણે દિવસના પ્રથમ પ્રહરે સ્વાધ્યાય કરતા, બીજા પ્રહરમાં ધ્યાન કરતા, ત્રીજા પ્રહરમાં ગૌતમસ્વામીની સમાન યાવત્ – રાજગૃહ નગરના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાને માટે ભ્રમણ કરતા જોઈને ઘણી જ સ્ત્રીઓ, પુરુષો, બાળકો, વૃદ્ધો, મોટા અને યુવાનો આ પ્રમાણે કહેતા હતા— આણે મારા પિતાને માર્યા છે, આણે મારી માતાને મારેલ છે. આણે મારી પત્ની, બહેન, પુત્ર, પુત્રી, પુત્રવધૂને મારેલ છે. આણે મારા બીજા દૂરના અને નીકટના સ્વજન, સંબંધી, પરિચિતને મારેલ છે. એમ કહીને કોઈ ક્રોધિત થતા હતા ગાળો આપતા હતા, કોઈ હીલના કરતા હતા, કોઈ નિંદા કરતા હતા, ખ્રિસા કરતા હતા, ગર્હા કરતા હતા, તર્જના કરતા હતા, તાડના કરતા હતા. ત્યારે તે અર્જુન અણગાર તે ઘણી બધી સ્ત્રીઓ, પુરુષો, બાળકો, મોટા–વૃદ્ધો, યુવકો આદિ દ્વારા તિરસ્કૃત ~ યાવત્ – તાડિત થવા છતાં પણ તેમના પર મનથી પણ દ્વેષ કરતા ન હતા, પણ સમ્યક્ પ્રકારે સહન કરતા હતા, ક્ષમા કરતા હતા, સહિષ્ણુતા રાખતા હતા, અનુભવતા હતા અને તે સમ્યક્ પ્રકારે સહન કરતા, ક્ષમા કરતા, તિતિક્ષા કરતા અને અનુભવતા રાજગૃહનગરના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ભ્રમણ કરતા હતા. ત્યારે તેમને કદાચ ક્યાંક ભોજન મળતું તો ક્યાંક પાણી ન મળતું, પાણી મળતું તો ભોજન મળતું ન હતું. ૨૯૫ ત્યારે તે અર્જુન અણગાર અદીન, ખિન્ન ન થતા, મલિન મનવાળા ન થતા, અનાવિલ–અકલુષિત, વિષાદરહિત થઈને, ખેદરહિત થઈને યોગીની માફક ભ્રમણ કરતા હતા. ભ્રમણ કરીને રાજગૃહ નગરથી નીકળતા હતા. નીકળીને જ્યાં ગુણશીલક ચૈત્ય હતું. જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવતા અને આવીને શ્રમણ ભગવંત મહાવીરથી કિંચિત્ દૂરી પર ગમનાગમનનું પ્રતિક્રમણ કરતા હતા. પ્રતિક્રમણ કરીને અષણીય અનેષણીય સંબંધિ આલોચના કરતા હતા. એ રીતે આલોચના કરીને આહાર પાણી દેખાડે છે, દેખાડીને શ્રમણ ભગવંત મહાવીરની આજ્ઞા પ્રાપ્ત કરી, મૂર્છારહિત, ગૃદ્ધિરહિત, આસક્તિરહિત અને ઉદાસીન થઈને તેમજ જે રીતે સર્પ બિલમાં સીધો પ્રવેશ કરે છે, તે રીતે જ તે આહારને વાપરતા હતા. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર અન્ય કૉઈ દિને રાજગૃહથી નીકળે છે અને નીકળીને બહાર જનપદોમાં વિહાર કરવા લાગ્યા. ૦ અર્જુન અણગારનો મોક્ષ : ત્યારપછી અર્જુન અણગારે તે ઉદાર, શ્રેષ્ઠ અને પ્રયત્નપૂર્વક ગ્રહણ કરેલ શ્રેષ્ઠ સામર્થ્ય સંપન્ન તપઃકર્મથી આત્માને ભાવિત કરતા, શુદ્ધ કરતા, કંઈક અધિક છ માસ શ્રમણ પર્યાયનું પાલન કર્યું, પાલન કરીને અર્ધ માસિક સંલેખનાથી આત્માની ઝોસણા (આરાધના) કરી, ઝોસણા કરીને અનશન દ્વારા ત્રીશ ભક્તોનું છેદન કર્યું. છેદન કરીને જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434