________________
શ્રમણ કથાઓ
૩૭૯
એકાંત સ્થળમાં વેશ્યા સાથે ઓદનનું ભોજન કરતાં પોતાના મોટા પુત્રને જોયો, તે પુત્ર પણ તેના તરફ નજર કરી. સામે આવતી માતાને જોઈને અધન્યપુત્રે ચિંતવ્યું કે, ઘણે ભાગે માતા અમારા ચોખા ઝૂંટવી લેવા આવતી જણાય છે, તો જો તે નજીક આવશે તો હું તેને મારી નાંખીશ.
એમ ચિંતવતા પુત્રે દૂર રહેલી અને નજીક આવતી માતા બ્રાહ્મણીને મોટા શબ્દથી કહ્યું કે, હે ભટ્ટીદારિકા ! જો તું અહીં આવીશ તો પછી તું એમ ન કહીશ કે મને પહેલાં ન કહ્યું. નક્કી હું તને મારી નાંખી. આવું અનિષ્ટ વચન સાંભળીને ઉલ્કાપાતથી હણાએલી હોય તેમ ધસ કરતાંક ભૂમિ ઉપર ઢળી પડી. મુચ્છવશ બ્રાહ્મણી બહાર પાછી ન આવી એટલે મહીયારીએ કેટલોક સમય રાહ જોયા પછી સુજ્ઞશ્રીને કહ્યું કે, અરે ! બાલિકા ! અમોને મોડું થાય છે. માટે તમારી માતાને જલદી કહો કે તમે, અમને ડાંગરનો પાલો આપો. જો ડાંગરનો પાલો ન મળતો હોય તો તેને બદલે મગનો પાલો આપો. ત્યારે સુજ્ઞશ્રી ધાન્ય રાખવાના કોઠારમાં પહોંચી અને જોયું તો બીજી અવસ્થા પામેલી બ્રાહ્મણીને જોઈ સુજ્ઞશ્રી હાહાકાર કરીને શોર બકોર કરવા લાગી. ૦ બ્રાહ્મણીનું આત્મજ્ઞાન :
તે સાંભળીને પરિવાર સહિત તે ગોવિંદ બ્રાહ્મણ અને મહીયારી આવી પહોંચ્યા, પવન અને જળથી આશ્વાસન પમાડીને તેઓને પૂછયું કે, હે ભટ્ટારિકા ! આ તમને એકદમ શું થઈ ગયું ? ત્યારે સાવધાન થયેલી બ્રાહ્મણીએ તેઓને પ્રત્યુત્તરમાં જણાવ્યું કે
' અરે ! રક્ષણ વગરની મને, તમે ઝેરી સર્પના ડંખ ન અપાવો. નિર્જલ નદીમાં મને ઊભી ન રાખો. દોરડા વગરના સ્નેહપાશમાં જકડાએલી મને મોહમાં ન સ્થાપો. જેમકે – આ મારા પુત્ર, પુત્રી, ભત્રીજાઓ છે, આ પુત્રવધૂ – આ જમાઈ – આ માતા – આ પિતા છે, આ મારા ભર્તાર છે, આ મને ઇષ્ટ, પ્રિય, મનગમતાં કુટુંબી વર્ગ, સ્વજનો, મિત્રો, બંધુ વર્ગ, પરિવારવર્ગ છે, તે અહીં જ પ્રત્યક્ષ, ખોટા માયાવાળા છે. તેમના તરફથી બંધુપણાની આશા મૃગતૃષ્ણા સમાન નિરર્થક છે.
આ જગત્માં દરેક પોતાના કાર્યના અર્થી–સ્વાર્થી છે. તેમાં મારાપણાનો ખોટો ભ્રમ થાય છે, પરમાર્થથી વિચારીએ તો, કોઈ સાચા સ્વજન નથી. જ્યાં સુધી સ્વાર્થ સધાય છે. ત્યાં સુધી માતા, પિતા, પુત્રી, પુત્ર, જમાઈ, ભત્રીજો, પુત્રવધૂ વગેરે સંબંધ જાળવવામાં આવે છે. ત્યાં સુધી જ દરેક ગમે છે. ઇષ્ટ, મિષ્ટ, પ્રિય, સ્નેહી, કુટુંબી, સ્વજન, વર્ગ, મિત્ર, બંધુ–પરિવાર વગેરે ત્યાં સુધી જ સંબંધ રાખે છે કે જ્યાં સુધી દરેકને પોતાનો સ્વાર્થ સધાય છે. પોતાના કાર્યની સિદ્ધિમાં વિરહમાં ન કોઈ કોઈની માતા, ન કોઈ કોઈના પિતા, ન કોઈ કોઈની પુત્રી, ન કોઈ કોઈના જમાઈ, ન કોઈ કોઈના પુત્ર, ન કોઈ કોઈની પુત્ર, ન કોઈ કોઈની પત્ની, ન કોઈ કોઈના ભર્તાર, ન કોઈ કોઈના સ્વામી. ન કોઈ કોઈના ઇષ્ટ, મિષ્ટ, પ્રિય, કાંત, કુટુંબી, સ્વજનવર્ગ, મિત્ર, બંધુ, પરિવારવર્ગ છે.
– કારણ કે જુઓને ત્યારે પ્રાપ્ત થયેલા કંઈક અધિક નવ માસ સુધી કુલિમાં ધારણ કરીને અનેક મિષ્ટ, મધુર, ઉષ્ણ, તીખા, લુખ્ખા, સ્નિગ્ધ આહાર કરાવ્યા. ખાનમર્દન કર્યા, તેના શરીર–કપડાં ધોયા, શરીર દબાવ્યા, ધન-ધાન્યાદિ આપ્યા. તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org