________________
શ્રમણ કથાઓ
૩૫૭
હે ભગવંત ! તે બિચારા તેવા પ્રકારનું અત્યંત ઘોર દારુણ તીણ દુસ્સહ દુઃખસમૂહને સહેતા આહાર-જળ વિના એક વર્ષ સુધી કેવી રીતે પ્રાણને ધારણ કરી રાખતા હશે ? હે ગૌતમ ! પોતે કરેલ કર્મના અનુભવથી. ૦ સુમતિના વિવિધ ભવ વિપાકો :
હે ભગવંત ! ત્યાંથી મરીને તે સુમતિનો જીવ કયાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ ! ત્યાં જ તે પ્રતિસંતાપદાયક નામના સ્થળમાં એ જ ક્રમથી સાત ભવ સુધી અંડગોલિક મનુષ્યપણે ઉત્પન્ન થશે. ત્યારપછી દુષ્ટ શ્વાનના ભવમાં, ત્યારપછી કાળા શ્વાનપણે, ત્યારપછી લીંબડાની વનસ્પતિમાં, ત્યારપછી મનુષ્યની સ્ત્રીપણે, ત્યાંથી છઠી નારકીમાં, પછી કષ્ઠિ મનુષ્ય, પછી વાણવ્યંતર, ત્યારપછી મહાકાયવાળો યુથાધિપતિ હાથી, ત્યાં મૈથુનમાં અતિ આસક્ત હોવાથી અનંતકાય વનસ્પતિમાં, ત્યાં અનંતકાળ જન્મ મરણનાં દુઃખ અનુભવ કરીને મનુષ્ય થશે. પછી મનુષ્યપણામાં મહાનિમિત્તક થઈને સાતમી નરકે જશે. ત્યાંથી સ્વયંભૂરમણ સમુદ્રમાં મોટો મત્સ્ય થશે. અનેક જીવોનો મસ્યાહાર કરીને સાતમી નરકે જશે.
ત્યાંથી આખલાનો ભવ લેશે. પછી મનુષ્યમાં, પછી વૃક્ષ ઉપર કોકીલા, પછી જળો, પછી મહામસ્ય, પછી તંદુલમસ્ય, પછી સાતમી નરકે, પછી ગધેડો, પછી કૂતરો, પછી કૃમિજીવ, પછી દેડકો, પછી અગ્નિકાયમાં, પછી કુંથુ, પછી મધમાખ, પછી ચકલો, પછી ઉધઈ, પછી વનસ્પતિમાં, ત્યાં અનંતકાળ રહી, મનુષ્યમાં સ્ત્રી રત્ન થઈ છઠી નરકે, પછી ઊંટ થઈ વેષામંકિત નામના પટ્ટણમાં ઉપાધ્યાયના ગૃહ નજીક લીંબડાના પત્રપણે વનસ્પતિમાં, પછી મનુષ્યમાં ઠીંગણી કુન્જા સ્ત્રી થશે.
ત્યાંથી નપુંસક મનુષ્ય થઈ, પછી દુઃખી મનુષ્ય, પછી ભીખ માંગનાર, પછી પણ પૃથ્વીકાય વગેરે કામોમાં ભવસ્થિતિ અને કાયસ્થિતિ દરેકમાં ભોગવનાર, પછી મનુષ્ય, પછી અજ્ઞાન તપસ્યા કરનાર, પછી વાણવ્યંતર, પછી પુરોહિત, પછી પણ સાતમીએ તંદલ મત્સ્ય, પછી સાતમી નરકે, પછી બળદ, પછી મનુષ્યમાં મહાસમ્યગૃષ્ટિ અવિરતિ ચક્રવર્તી, પછી પ્રથમ નારકીમાં, પછી શ્રીમંત શેઠ, પછી શ્રમણ અણગારપણામાં, ત્યાંથી અનુત્તર દેવલોકમાં, પછી પણ ચક્રવર્તી મહાસંઘયણવાળા થઈને કામભોગથી વૈરાગ્ય પામીને તીર્થકર ભગવંતે ઉપદેશેલા સંપૂર્ણ સંયમની સાધના કરીને તે નિર્વાણ પામશે. ૦ સુમતિ કથાનો નિષ્કર્ષ :
જે ભિક્ષુ કે ભિક્ષુણી પરપાખંડીઓની પ્રશંસા કરે, અથવા નિલવોની પ્રશંસા કરે, તેમને અનુકૂળ હોય તેવા વચનો બોલે, નિલવોના મંદિર–મકાનમાં પ્રવેશ કરે, નિલવોના ગ્રંથો, શાસ્ત્રો, પદો કે અક્ષરોને પ્રરૂપે, નિલવોના પ્રરૂપેલા કાયકલેશાદિક તપ કરે, સંયમ કરે, તેમના જ્ઞાનનો અભ્યાસ કરે, વિશેષ પ્રકારે જાણે, શ્રવણ કરે, પાંડિત્ય કરે, તેમની તરફેણ કરે, વિદ્વાનોની પર્ષદામાં તેની કે તેના શાસ્ત્રોની પ્રશંસા કરે. તે સુમતિની માફક પરમાધામી અસુરોમાં ઉત્પન્ન થાય.
હે ભગવંત ! તે સુમતિના જીવે તે સમયે શ્રમણપણું અંગીકાર કર્યું તો પણ આવા પ્રકારના નારક, તિર્યચ, મનુષ્ય અસુરાદિવાળી ગતિમાં જુદા જુદા ભાવોમાં આટલા કાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org