________________
શ્રમણ કથાઓ
૨૯૧
પ્રમાણે વિચારી પ્રાતઃકાળે સૂર્યોદય પૂર્વે બંધુમતી ભાર્યાને સાથે લઈને, વાંસનો કરંડીયો લીધો. લઈને પોતાના ઘરેથી નીકળ્યો. નીકળીને રાજગૃહ નગરીની વચ્ચોવચ્ચથી ચાલતો તે નીકળ્યો, નીકળીને જ્યાં પુષ્પોદ્યાન હતો, ત્યાં આવ્યો. આવીને બંધુમતી ભાર્યાની સાથે પુષ્પો ચુંટવા લાગ્યો.
ત્યારે તે લલિતા ગોષ્ઠીના છ ગોષ્ઠિક પુરુષ જ્યાં મુદ્દગરપાણિ યક્ષનું યક્ષાયતન હતું, ત્યાં આવ્યા એ હાસ–પરિહાસ ક્રીડા આદિ કરવા લાગ્યા.
ત્યારપછી બંધુમતી ભાર્યાની સાથે તે અર્જુન માલાકારે પુષ્પ ચંદ્યા, ટોકરા ભર્યા. ભરીને અગ્રણી શ્રેષ્ઠ પુષ્પ લઈને જ્યાં ભૂગરપાણિ યક્ષનું યક્ષાયતન હતું, ત્યાં આવ્યા.
ત્યારે તે છ ગોષ્ઠિક પરષોએ બંધમતી ભાર્યાની સાથે યક્ષ પ્રતિમાને જોઈને પ્રણામ કરે છે. શ્રેષ્ઠ ઉત્તમ પુષ્પોથી અર્ચના કરી અને ઘૂંટણ અને પગેથી નમીને પ્રણામ કર્યા.
ત્યારે તે છ ગૌષ્ઠિક પરષ જલ્દી-જલ્દી કમાડોની પાછળથી નીકળ્યા. નીકળીને અર્જુને માલાકારને પકડી લીધો. પકડીને અવકોટક બંધનથી બાંધ્યા. પછી બંધુમતી માલણની સાથે અનેક પ્રકારના ભોગોને ભોગવતા વિચરવા લાગ્યા. ૦ અર્જુનના શરીરમાં મુગરપાણિનો પ્રવેશ:
તે સમયે, તે અર્જુન માળીના મનમાં આવો વિચાર – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. બચપણથી હું મુગરપાણિ ભગવંત (યક્ષ)ની પ્રતિદિન – યાવત્ – પુષ્પાર્ચન કરું છું. ઘૂંટણ અને પગ વડે નમીને પ્રણામ કરું છું. ત્યારપછી રાજમાર્ગ પર આજીવિકા કરતો આવી રહ્યો છું. જો મુદ્ગરપાણિ યક્ષ અહીં હાજર હોત તો શું તે મને આવી આપત્તિમાં પડવા દેત? તેથી નિશ્ચયથી અહીં મુદ્રગરપાણિ યક્ષ નજીકમાં મોજુદ નથી. આ તો સ્પષ્ટ કેવળ કાષ્ઠ જ છે. (માત્ર પથરો છે.)
ત્યારે તે મુદગરપાણિ યક્ષ અર્જનમાળીના આવા પ્રકારના મનોગત ભાવોને – થાવત્ – જાણીને અર્જુન માળીના શરીરમાં પ્રવેશ કર્યો. પ્રવેશીને ત ત ધ્વનિની સાથે તેના બંધનોને કાપી નાંખ્યા. કાપીને હજાર પલ (ભારવાળા) લોઢાના મુદ્ગરને લીધો. લઈને છ એ પુરુષો અને સાતમી બંધુમતી સ્ત્રી એમ સાતેને મારી નાંખ્યા.
ત્યારપછી તે અર્જુનમાળી મુદગરપાણિયલથી આવિષ્ટ થઈને રાજગૃહ નગરની આસપાસ ચારે તરફ પ્રતિદિન છ પુરુષો અને સાતમીસ્ત્રી એમ સાતને મારવા લાગ્યો.
ત્યારે રાજગૃહ નગરમાં શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચતૂરો, ચતુર્મુખો, રાજમાર્ગો અને સામાન્ય માર્ગો આદિ સ્થાનોમાં ઘણાં લોકો પરસ્પર એકબીજાને કહેતા યાવત્ પ્રરૂપણા કરતા હતા – હે દેવાનુપ્રિયો ! અર્જુનમાળી મુગરપાણિ ચક્ષથી આવિષ્ટ થઈને રાજગૃહ નગની બહાર છ પુરુષો અને સાતમી સ્ત્રીને મારતો વિચરી રહ્યો છે.
ત્યારપછી શ્રેણિક રાજાએ આ વૃત્તાંત જાણીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! અર્જુન માળી – યાવત્ – સાત વ્યક્તિ મારતો ફરી રહ્યો છે. તેથી તમારામાંથી કોઈએ લાકડા લેવા, ઘાસ લેવા, પાણી લેવા અથવા ફળફૂલ આદિ લેવાને માટે એક વખત પણ બહાર જવું નહીં. અન્યથા શરીરનો નાશ થઈ જશે (મૃત્યુ થઈ જશે) આ પ્રમાણે કહીને બીજી વાર, ત્રીજી વાર પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org