________________
શ્રમણ કથાઓ
૨૪૫
જ છઠ–અઠમ આદિની તપશ્ચર્યા કરી, છેલ્લે માસિક સંખના કરી, અનશન દ્વારા સાઇઠ ભક્તોનું છેદન કરી – યાવત્ – સિદ્ધ થયા. ૦ પુંડરીકનું શ્રાવકત્વ અને કંડરીકની પ્રવજ્યા :
ત્યારપછી કોઈ સમયે તે સ્થવીરો પૂર્વાનુપૂર્વી ક્રમથી વિહાર કરતા – યાવત્ – પુનઃ પુંડરીકિણી નગરીના નલિનીવન ઉદ્યાનમાં પધાર્યા. પર્ષદા નીકળી. પુંડરીક રાજા વંદનાર્થે નીકળ્યો. કંડરીક પણ જનસમૂહના મુખેથી સ્થવરોના આગમનના સમાચાર સાંભળી મહાબલકુમારની માફક વંદના કરવા નીકળ્યો – યાવત્ - પર્યુપાસના કરવા લાગ્યો. સ્થવીરોએ ધર્મોપદેશ આપ્યો. ધર્મ શ્રવણ કરીને પંડરીકે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. તે શ્રમણોપાસક થયો – યાવત્ – તે પાછો ફર્યો.
ત્યારે કંડરીક સ્થવરમુનિની પાસેથી ધર્મ સાંભળીને અને સમજીને હર્ષિત અને સંતુષ્ટ થયો. પોતાને સ્થાનેથી ઊભો થયો. ઊભા થઈને સ્થવીરોની ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. વંદન–નમસ્કાર કર્યા. કરીને આ પ્રમાણે બોલ્યો
હે ભદંત ! નિગ્રંથ પ્રવચનની હું શ્રદ્ધા કરું છું – યાવત્ – આપે જેમ કહ્યું તેમ જ છે. વિશેષ એ કે, હે દેવાનુપ્રિય ! હું પંડરીક રાજાની અનુમતિ લઈ લઉં. ત્યારપછી મુંડિત થઈને ગૃહત્યાગ કરીને અણગાર ધ્વજ્યા અંગીકાર કરીશ.
હે દેવાનુપ્રિય ! તમને જેમ સુખ ઉપજે તેમ કરો.
ત્યારપછી કંડરીકે સ્થવરોને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને સ્થવીરો પાસેથી નીકળ્યો. નીકળીને તે જ ચાર ઘંટાવાળા અશ્વરથ પર આરૂઢ થયો અને જમાલિની માફક મોટા મોટા યોદ્ધાઓ સાથે પંડરીકિણી નગરીના ઠીક મધ્ય ભાગમાંથી થઈને જ્યાં તેનું ભવન હતું ત્યાં પહોંચ્યો, પહોંચીને ચતુર્ઘટ અશ્વરથથી નીચે ઉતર્યો, ઉતરીને જ્યાં પંડરીક રાજા હતા, ત્યાં આવ્યો. આવીને બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય! મેં સ્થવરમુનિઓ પાસેથી ધર્મ સાંભળેલ છે. હું તે ધર્મને ઇચ્છું છું, વિશેષ ઇચ્છું છું, તેની રુચિ કરું છું. તેથી હે દેવાનુપ્રિય ! આપની અનુમતિ પ્રાપ્ત કરીને સ્થવીરોની પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરીને અનગાર પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છે છું. હે દેવાનુપ્રિય ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું. જન્મ-મરણથી ભયભીત થયો છું. આપની અનુજ્ઞા પામીને વીરો પાસે પ્રવજિત થવા ઇચ્છું છું.
ત્યારે પુંડરીક રાજાએ કંડરીકને આ પ્રમાણે કહ્યું, હે ભાઈ! તું આ સમયે મુંડિત થઈને, ગૃહત્યાગ કરી અણગાર દીક્ષા ગ્રહણ ન કર. હું તને મહાનું રાજ્યાભિષેકથી અભિષિક્ત કરનાર છું.
ત્યારે કંડરીક કુમારે પુંડરીક રાજાના આ કથનનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો પણ મૌન રહ્યો.
- ત્યારે પુંડરીક રાજાએ કંડરીક કુમારને બે વખત, ત્રણ વખત આ પ્રમાણે કહ્યું, હે ભાઈ ! તું આ સમયે મુંડિત થઈને ગૃહ ત્યાગ કરીને અનગાર દીક્ષા ગ્રહણ ન કર, હું તને મહાન્ એવા રાજ્યાભિષેકથી અભિષિક્ત કરવા ઇચ્છું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org