________________
શ્રમણ કથાઓ
૫૭
હોય છે. તેથી તે મહાન ત્રસકાયની હિંસાથી ઉપરત, વિરત અને પ્રતિવિરતને માટે આપ કે અન્ય કોઈ જે આમ કહે છે, “એવો કોઈપણ પર્યાય નથી, જેમાં શ્રમણોપાસક એક પણ પ્રાણીના દંડનો ત્યાગ થઈ શકે" એ કથન ન્યાયયુક્ત નથી.
(૬) ત્યાં અન્ય દેશોમાં ઉત્પન્ન જે સ્થાવર પ્રાણી છે, જેને શ્રમણોપાસકે અર્થદંડ દેવાનો ત્યાગ કર્યો નથી, પરંતુ અનર્થદંડનો તો ત્યાગ કર્યો છે. તેઓ ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને, ત્યાં જ જે અન્ય દેશવર્તી ત્રસ–સ્થાવર પ્રાણી છે, જેનો શ્રમણોપાસકે વ્રત ગ્રહણના દિવસથી લઈને મરણપર્યંત દંડ દેવાનો ત્યાગ કર્યો છે, તેમાં ઉત્પન્ન થાય છે. તેમના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે.
તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાકાય અને ચિરસ્થિતિવાળા હોય છે. તેવા પ્રાણી વધુ છે, જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે, અને તે પ્રાણી અલ્પ છે, જેમાં શ્રમણોપાસકને અપ્રત્યાખ્યાન થાય છે. તે મહાનું ત્રસકાયની હિંસાથી ઉપરત, વિરત અને પ્રતિવિરતને માટે આપ કે અન્ય કોઈ, જે એમ કહે છે, “એવો કોઈ પર્યાય નથી, જેમાં શ્રમણોપાસકને એક પ્રાણીના દંડનો પણ ત્યાગ થઈ શકે' – એ કથન ન્યાયસંગત નથી.
(૭) ત્યાં અન્ય દેશમાં ઉત્પન્ન જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે, જેને શ્રમણોપાસકે વ્રતારંભથી લઈને મરણપર્યંત દંડ દેવો છોડી દીધો છે, તેઓ તે આયુનો ત્યાગ કરીને શ્રાવકના દ્વારા ગ્રહણ કરાયેલ દેશપરિમાણમાં રહેનારા જે ત્રસ પ્રાણી છે, જેનો શ્રાવકે વ્રતારંભથી લઈને મરણપર્યંત દંડ દેવાનો છોડી દીધો છે, તેમાં ઉત્પન્ન થાય છે. તેમનામાં શ્રાવકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે.
તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાકાય અને ચિરસ્થિતિવાળા હોય છે. તેવા પ્રાણી અધિક છે, જેનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે અને તેવા પ્રાણી અલ્પ છે, જેનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન નથી હોતું. તે મહાનું ત્રસકાયની હિંસાથી ઉપર, વિરત, પ્રતિવિરતને માટે જે આપ અથવા અન્ય કોઈ એમ કહે છે કે, “તેને એવો કોઈ પર્યાય નથી, જેમાં શ્રમણોપાસકને એક પ્રાણીના દંડ તો ત્યાગ થઈ શકે એ કથન ન્યાયસંગત નથી.
(૮) ત્યાં અન્ય દેશમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે, જેનો શ્રમણોપાસકે વ્રત ગ્રહણના સમયથી લઈને મરણપર્યત દંડ દેવાનો ત્યાગ કર્યો છે. તેઓ તે આયુને છોડીને શ્રાવક દ્વારા ગ્રહણ કરાયેલ દેશ પરિમાણમાં રહેનારા જે સ્થાવર પ્રાણી છે, જેને શ્રમણોપાસકે અર્થદંડ દેવાનો તો ત્યાગ નથી કર્યો, પરંતુ અનર્થદંડ દેવાનો ત્યાગ કર્યો છે; તેમાં ઉત્પન્ન થાય છે. તેમના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે.
તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાકાયવાળા અને ચિરસ્થિતિવાળા હોય છે. તેવા પ્રાણી અધિક છે જેનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે અને તેવા પ્રાણી ઓછા છે, જેનામાં શ્રમણોપાસકને પ્રત્યાખ્યાન થતું નથી. તે મહાનું ત્રસકાયની હિંસાથી ઉપશાંત, વિરત અને પ્રતિવિરતને માટે જે આપ અથવા અન્ય લોકો એવું કહે છે, “તેમને એવો કોઈ પર્યાય નથી, જેમાં શ્રમણોપાસકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org