Page #1
--------------------------------------------------------------------------
________________
-ળાવી ઘનચાવાણી
////
//////
7
//ll'
IJIT
L
જે
Job, ,
સંમોહક પ્રભુદાસ બેચરદાસ પારિત
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી આનન્દ-ઘનજી મહારાજ વિરચિત
શ્રી-આનન્દ-ધન-ચોવીશી.
અવતરણાઃ શીષ ક શબ્દાર્થ: ગાથા: ભાવાર્થ: ટીપ્પષુઃ સક્ષિપ્ત સૂચનઃ કવચિત્ પ્રમાણેાઃ વિગેરેથી સુગમઃ અને સક્ષિપ્તઃ
H
પ્રભુદાસ બેચરદાસ પારેખની મમાદા નામની વિવેચના યુક્ત ]
માંગરાળ નિવાસી શેઠ કેશવજીભાઇ નેમચંદભાઇ તરફથી તેમના સ્વગČસ્થ સુપુત્રનરાત્તમદાસ ભાઇના શ્રેયાર્થે વાત્સલ્ય પૂર્ણાંક શ્રી ચતુર્વિધ જૈન સંધને ભેટ.
મૂલ્ય: પારમાર્થિક જ્ઞાન પ્રાસ કરવામાં તપતાઃ
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશ:
પ્રભુદાસ બેચરદાસ પારેખ શકાય.
પ્રથમ આવૃત્તિ
પ્રત ૧૦૦૦
વીર સ ંવત ૨૪૭૬ : વિક્રમ સવત્ ૨૦૦૬ : સન ૧૯૫૦
મુદ્રક ઃ
ગાવિન્દલાલ માહનલાલ જાંની : શ્રી રીક્ષા પ્રિન્ટરીઃ રતનપાળઃ અમદાવાદઃ
Page #4
--------------------------------------------------------------------------
________________
ધર્મનિષ્ઠ શેઠશ્રી કેશવજીભાઈ નેમચંદના
સ્વર્ગસ્થ સુપુત્ર
ભાઈશ્રી નરોત્તમદાસ જન્મ: વિ. સં. ૧૯૭૮ ચૈત્ર સુદી ૫ રવીવાર સ્વર્ગવાસઃ વિ. સં. ૨ ૦ ૦ ૩ પ્રથમ શ્રાવણ વદી ૧૨ મંગળવાર
..........
...
.
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રાસકિઃ
પૂજ્યપાદ શ્રી આનન્દઘનજી મહારાજની ચાવીશી ઉપર પંડિતજીએ શબ્દાર્થ: ભાવાર્થ આદિ જે કાંઈ લખ્યું છે, તે વર્તમાન કાળે આરાધક આત્માઓ માટે નિશફકપણે અતિશય ઉપગી છે. ગીરાજના સ્તવનને નામે જુદા જુદા વિવેચનકારે જ્યારે પોતપોતાને ઈષ્ટ માન્યતાની સિદ્ધિમાં આ સ્તવનેને કેટલે દુરુપયોગ કરતા જણાઈ આવે છે, એ સંજોગોમાં આ અર્થે એક શ્રદ્ધાળુ મહાશયના હાથે સ્તવનેના મૂળ આશયને સ્પર્શીને બહાર પડે છે, એ વિશેષ ઈરછવા એગ્ય છે.
કેટલાક લેખકેનું મન્તવ્ય એવું છે, કે “શ્રી આનન્દઘનજી મહારાજ નિશ્ચય નયને જ સાચે માને છે, અને વ્યવહાર નયને સર્વથા અસત્ અને ઔપચારિક માને છે.” તે મતવ્ય મૂળ સ્તવનની કડીઓ જોતાં જ બેટી કરે છે. જેમકે –
સુ-વિધિ જિનેશ્વર પાય નમીને શુભ-કરણી એમ કીજે.”
* આજે કેટલાક અણસમજી લે કે–શુભ અને શુદ્ધ: ની ભાંજગડમાં લેકેને ઉતારી, તેને સન્માર્ગેથી ચલિત કરે છે. તેઓ કહે છે, કે– શુભથી તે માત્ર પુણ્યબંધ જ થાય. અને શુદ્ધથી ધર્મ થાય. માટે શુભનું આચરણ જરૂરનું નથી. વિગેરે.” શાસ્ત્રોમાં જુદી જુદી અપેક્ષાએ-નન્યવાદની અપેક્ષાએ ધર્મની જુદી જુદી અનેક વ્યાખ્યાઓ આવે છે. અને દરેક યથાસ્થાને સંગત પણ
Page #7
--------------------------------------------------------------------------
________________
આ આખું સ્તવન: કેવળ નિશ્ચય નયનેજ પારમાર્થિક માનનારાઓએ ખાસ ધ્યાનપૂર્વક વાંચવા જેવું છે, અને હેય છે. અંતિમપુદગલ પરાવર્તનમાં જીવ પ્રવેશ કરે ત્યારથી પણ તેને ધમ કહ્યો છે. પહેલું ગુણ સ્થાનક છતાં પહેલી દૃષ્ટિએ યોગની દષ્ટિ કહી છે. માર્ગાનુસારીને પણ અપેક્ષાએ ધમ કહ્યો છે સમકીતીને પણ અપેક્ષાએ ધમી કહ્યો છે, એ જ પ્રમાણે દેશ વિરતિધરને સર્વવિરતિધરને અપ્રમત્ત સર્વવિરતિધરને, શ્રેણિ આરુઢને, અહીને, ક્ષીણ મહીને, કેવળીને, અગીને શેલેશી કરણગતને અને છેવટે સિદ્ધ ભગવંતને જ જે જે અપેક્ષાએ ધમ કહ્યા છે, તે તે અપેક્ષાએ તેનો પૂર્વની અવસ્થાવાળા છ ધમાં નથી, પણ અધમ છે. એમ અર્થાત કહેવામાં હરત નથી.
એજ પ્રમાણે–શાસ્ત્રકાર ભગવંતે એકજ વિચાર જુદી જુદી અનેક શૈલિ અને અનેક પરિભાષાએથી એની એ વસ્તુ સમજાવે છે. કેમકે–ભિન્ન ભિન્ન રુચિ અને લાયકાતવાળા શ્રોતાઓને ઉદ્દેશીને જુદી જુદી ઉપદેશ શૈલી અને પરિભાષા મારફત રજુઆત કરવામાં આવે છે, અને તેમ હોવું જોઈએ, એ સ્વાભાવિક છે. આનું નામ નયવાદ છે તેને અનુસરીને–આત્માને વિકાસમ-૧૪ ગુણ સ્થાનક છ લેશ્યાઃ અશુભભાવઃ શુભભાવઃ શુદ્ધભાવઃ વિગેરે અનેક શૈલિથી સમજાવેલ છે, તે અશુભ. શુભ અને શુહા ને વિચાર જૈન શાસ્ત્રોમાં ચોક્કસ આવે છે.
પરંતુ, શાસ્ત્રકાર મહારાજાઓને આશય સમજવા વિના હાલમાં આ એક અપૂર્ણ સ્વરૂપમાં વિચાર પ્રવાહ કેટલાક જેનામાં ચાલુ થયે છે.
શાસ્ત્રકાર મહારાજાઓનો આશય એ છે, કે-અનાદિકાળથી ભવાંતર પસાર કરતા કરતો જે જીવ અશુભ ભાવમાંથી નીકળીને શુભભાવમાં આવેલ છે. તેને શાસ્ત્રકાર મહારાજાએ સમજાવે છે,
Page #8
--------------------------------------------------------------------------
________________
એનું ખુબ જ મનનઃ ચિંતન અને નિદિધ્યાસનઃ કરવા જેવું છે. વ્યવહાર નયને પુષ્ટ કરે એવી ઘણી કડીઓ આ કે-“બાપુ! તું અશુભમાંથી શુભ માં આવ્યા છે, તે સારી વાત છે. પરંતુ, “આત્મ વિકાસનો માર્ગ અહીં પૂરો થાય છે. અને તારે જે પ્રાપ્ત કરવાનું છે, તે તેટલાથી પ્રાપ્ત થઈ ચૂક્યું છે.” એમ રખે માનતે. તેના કરતાં પણ એક આગળની ત્રીજી ભૂમિકા છે, અને તે શુદ્ધ ભાવની છે. એ ભુમિકા ઉપર ચડ્યા પછી પણ તેની પરાકાષ્ટાએ પહોંચીશ ત્યારેજ તારે મોક્ષ થશે.”એમ કહીને શુદ્ધ ભાવની ભૂમિકાને પાત્ર છેવને તે ભૂમિકા ઉપર ચઢાવવા માટે તેનાથી ઉતરતી શુભ ભાવની ભૂમિકા કેટલી ઉતરતી છે? શુદ્ધ કરતાં કેટલી દૂષિત છે? તેનું ફળ પણ શુદ્ધ ભાવના ફળની અપેક્ષાએ કેટલું અલ્પ અને નજીવું છે તે સમજાવે છે.
ત્યારે, અશુભમાં રાચીમાચી રહેલા ને ઉદેશીને જે નયની દેશના આપવામાં આવે છે, તેમાં પાપથી મળતા વિશાળ નરકના દુઃખોનું વર્ણન કરવું પડે છે, અને તે જીવને અશુભમાંથી શુભમાં લઈ જવા માટે પુણ્યથી મળતાં સ્વર્ગને સુખોનું વર્ણન વિગત વાર કરવું પડે છે. અને શુળમાંથી શુદ્ધમાં જવાની લાયકાતવાળાની આગળ પુણ્યના ફળાની નિર્ભત્સના અને વિશુદ્ધ આત્મિક સુખના પરમ આનંદની અદ્દભૂત વાતે વર્ણવે છે. આમ દેશના ભેદ છે. તેથી જે જાતની દેશના જે જાતને જ આગળ આપવી વ્યાજબી હોય, તેને બદલે એક રીતે સાચી હોય, છતાં તે દેશના જેને જે વખતે નવા જેવી હેય, તેને તે વખતે દેવાથી એજ દેશના નયાભાસ બની જાય છે.
આજે જેઓના શુભનું ઠેકાણું નથી. માર્ગાનુસારિતાનું ઠેકાણું નથી. અને લગભગ જાણે અજાણે અશુભમાં સબડે છે. તેવા બહુ થકમી છવાની સામે શુદ્ધ ની દેશના આપીને તેમને શુદ્ધઃ તે સાંપડે તેવી હજી પરિસ્થિતિ નથી, તે સ્થિતિમાં શુભથી પણ વંચિત
Page #9
--------------------------------------------------------------------------
________________
સ્તવમાં મળે છે, છતાં, એને એકાંતે અપલાપ કરી, માત્ર નિશ્ચય નયને પુષ્ટ કરતી કડીઓ જ આગળ કરવી, એ જાણ્યે અજાણયે જેન શાસનના મૂળ-માર્ગમાં ઘા કરવા બરાબર છે. અને શ્રી આનન્દઘનજી મહારાજશ્રીને અન્યાય રાખવા, અને અશુભમાં સબડતા રહે, તેવી સ્થિતિમાં મૂકવા, એ ટલું જોખમ કારક છે? તેને કોઈ પણ વાચક સ્વયં વિચાર કરશે. વાસ્તવિક રીતે આવો ઉપદેશ એ નયાભાસ હોવાથી અનર્થ કારક છે. અને તે એકાંત દેશના છે.
આધ્યાત્મિકવાદી ભારતમાં આજે ભૌતિકવાદને પ્રચાર ખૂબ થઈ રહ્યો છે, બચપણથી શિક્ષણ પણ તેજ જાતનું અપાય છે. જાહેર જીવન અને વ્યવહારો પણ તે જાતના વિસ્તાર પામતા જાય છે. લોકેાની રહેણી કરણી, જીવન પ્રણાલીકા, વરના રીત રીવાજ, ઘરની રીતભાત, ખાન પાનઃ રૂઢિ વિગેરે એ માગે ધમધોકાર વળી રહ્યા છે. 'કે, પૂર્વના મહાન આચાર્ય મહારાજાએ તથા બીજા મહાપુરુષોના અથાગ પરિશ્રમ તપશ્ચર્યા ત્યાગ અને મહાન ચારિત્રના પ્રભાવે જે ટલાક સુરીવાજે જૈન કુળનાં ઘર કરીને બેઠા હતા. અને બીજી કોઈ સમજ ન હોય છતાં, એ રીવાજે પણ તેને ધર્મમાર્ગમાં સ્થિર રહેવામાં અને આગળ પ્રગતિ કરવામાં ઉપયોગી થતા હતા. તે આજે નાબુદ થતા જાય છે. અને તેમાં વળી, “અરે ભાઈ! પ્રદૂગલનું કામ પુદ્ગલ કરે છે, અરે ભાઈ શુધને વળગે. શુભ પણ સેનાની બેડી છે. તેથી તે માત્ર પુણ્યજ બંધાય છે. તેથી નિજર રૂપ ધર્મ થતા નથી.” આવી આવી વાતો વહેતી મૂકાય છે, અને તેમાં પણ સાપેક્ષ પણે રચાયેલા નિશ્ચયનયનું શાસ્ત્રીય પદ્ધતિથી નિરૂપણ કરનારા ગ્રંથનું એકાંતથી અને નિરપેક્ષપણે વિવેચન કરી તેને આધાર લેવામાં આવે, અને તેના વાકોની મહેર છાપ મારવામાં આવે,
Page #10
--------------------------------------------------------------------------
________________
કરવા બરાબર છે. નિશ્ચયનયની પારમાર્થિકતા જે રીતે અને જે જાતના સાધકો માટે છે, તેને અ૫લાપ કરી શકાય નહીં, કર જોઈએ નહીં. પરંતુ, જેન શાસનના વ્યવહારને ઉડાવવા માટે જ તેની પારમાર્થિક્તા એકાંતથી આગળ કરવામાં આવે, તે તે પ્રવૃત્તિ જેન દર્શનના મૂળમાં સ્પષ્ટ રીતે જ ઘા કરનાર છે. વિશેષ ખુબી તે એ છે, પછી બાકીજ શું રહે છે. એક તો વાંદરે હેય, ને દારૂ પીધે, અને પછી વીંછી કરડે, તેના કુદકામાં કાંઈ ખામી રહે ?
આવી સ્થિતિ બાળ છવાની પણ થાય, તેમાં નવાઈ શી ? અન્ય દર્શનીયની-ગીતા ગ્રન્થમાં પણ કહ્યું છે, કે–
__ अज्ञानां बुद्धि-भेदं न जनयेत. બાળ જીવની બુદ્ધિને ચુંથવી નહીં.”
એક સમાજ શાસ્ત્ર વિદ્વાને સરસ જ કહ્યું છે, કે-'નિઃસ્વાથી મહાપુરુષોએ જગતના હિતને માટે જાણેલા ઉત્તમ સિદ્ધાંત અને તેના ઉપદેશને અમલ એકા એક થઈ શકતો નથી. કેમકે-દરેક તેના રહસ્યો સમજી શકતા નથી હોતા. પરંતુ તેને આચારના રૂપમાં ગોઠવવા પડે છે, અને પછી તેને લેક જીવનમાં રૂઢ કરવા પડે છે, અને એક જ વસ્તુ જુદા જુદા આકારમાં રૂઢ થાય છે, તે રૂઢિ અનુસાર વતીને લેકા તેનો લાભ ઉઠાવે છે. અને એ રીતે પરંપરાએ મહાપુરુષોના હિત માર્ગનું જ આલંબન લે છે, અને તેના સિદ્ધાંતોને જ યથાશક અમલ કરતા હોય છે. સદ્દવિચારેને જીવનમાં ઉતારવા માટે રૂઢિ વિના બીજો ઉપાય જ નથી.”
પરંતુ, આજના જડવાદી જીવન તો આ પણ પ્રજાના જીવનમાં ઉતારવા માટે– આધ્યાત્મિક પાયા ઉપર રચાયેલી રૂઢિઓને કુરૂઢિઓ કહીને ખસેડવાનું અને જડવાદના પાયા ઉપર રચાયેલી કુરૂઢિઓને જીવનમાં ઘાલી દેવાનું કામ આજ હિંદમાં મોટા પાયા
Page #11
--------------------------------------------------------------------------
________________
.
કેન્દ્રસ્થળે સ્થળે નિશ્ચયઃ અને વ્યવહારઃ એમ ઉભય નયને યથાસ્થાને ચગ્ય રીતે નિરૂપિત થયેલા છે. તેમ છતાં આજે કેટલાક અજ્ઞ જીવાઃ
“ અહે અહે। હું... મુજને કહું: “ નમે મુજ રે, નમા મુજ રે.” શ્રી શાન્તિનાથ ભગવાનના સ્તવનમાંના સ્તવનકારના આશય સમજ્યા વીના આ કડી આગળ કરી, વ્યવહારનયના ઉપર ચાલી રહ્યું છે. રૂઢિ ચૂસ્તા તેના વિરુધ કરે છે, ત્યારે સુધારકા તેમ કરવા મક્કમણું આગળ વધે છે. આ એક ભયંકર ગૂઢ લડાઈ ભારતમાં ચાલી રહી છે. જેના મૂળ પ્રેરક વિદેશીઓ છે,
આથી, ઉપરતી શુભની વિધિ દેશના પરિણામે જડવાદને ટા આપનારી છે. એકાંત નિરાત્મવાદીના જેમ એકાંત નિશ્ચયવાદોની પણુ દેશના આરે મહામિથ્યાત્વ રૂપ બને છે. તેવી દેશના અશુભમાં વધારે સ્થિર કરે છે, શુભથી વંચિત રાખે છે. અને શુદ્ધની માત્ર વાતજ થાય છે. જીવન વધુ ને વધુ આજે ભૌતિકવાદી બનતુ જાય છે. તે તેના ધ્યાનમાં રહેતુ નથી.
એકંદર, થ્રુસ્રની દેશનાને યેાગ્ય પાત્રાને શુભથી વંચિત રાખવાની દેશના નયાભાસ છે, ખાટી છે. તેમાં વળી, જો પરપરાએ પણ અજાણતાં હાલના સંજોગામાં ભૌતિક વાદના પાષણમાં પરિણમી જાય, તેા તેના અનનીપરાકાષ્ઠાની સીમા રહે કે ?
જેઓના દિલમાં જીવન વ્યવહારગત આધ્યાત્મિક રૂઢિએ તરફ હાલના શિક્ષણથી અણગમે કેળવાયા હૈાય છે. અને હાલની ભૌતિકવાદી રૂઢિઓ તરફ શિક્ષણુથી તથા સંજાગેાથી પ્રેમ કેળવાયા છે, અથવા જાણુતાં અનણુતાં તે તરફ જીવનના ઝાક વળા રહ્યો છે, તેવા કેળવાયેલા ગણાતા વકીલાદિ તથા હાલની જરૂરીઆતાના દાસ ત્રનેત્રા કાઇ શ્રામ તેને
Page #12
--------------------------------------------------------------------------
________________
ઉચ્છેદ તાવે છે, પરંતુ પંડિતજીએ કરેલ અર્થ જે તેમની સમજમાં ઉતરી જાય, તે તે બિચારા સ્વ–પર આત્મહિત ઘાતક ગેરસમજમાંથી જરૂર બચી જાય.
સાપેક્ષ વ્યવહાર નય એ શુદ્ધ વ્યવહાર છે. અને નિરપેક્ષ વ્યવહાર એ અસતા અને સંસારવધક છે. તથા કેટલાક સામાન બાળકને એવી દેશના પસંદ પડે એ સ્વાભાવિક છે. અને એ વર્ગ એકાંત નિશ્ચય નયની વાતેના પડદા પાછળ જડવાદ તરફ ઘસડાઈ રહ્યો છે. આથી કરીને શુદ્ધ ભાવની વાત કરવા છતાં તે વર્ગ યત્કિંચિત્ પણ શુભમાં હતું. તેથી વંચિત થઈને પરિણામે અને વાસ્તવિક રીતે અશુભ ની ગર્તા તરફ ધકકેલાઈ રહ્યો છે. આટલાજ માટે એકાંત નિશ્ચય વાદીને પૂર્વ પુરુષોએ નાસિકની કોટિમાં ગણે છે.
આ જડવાદના સંજોગોમાં પણ કુટુંબગત રૂઢિથી પણ સીધે રસ્તે ચાલ્યા જતા અનેક જૈન કુટુંબેમાંની વ્યક્તિઓને બુદ્ધિભેદ થયા પછી, તેના વારસામાં એ વસ્તુ જવાથી, તેના ભાવિ સંતાનના હાથમાં શુદ્ધ ભાવ ખરેખરા રૂપમાં આ કાળે આવે નહીં, અને શુભથી પણ વંચિત રહે, એ સ્થિતિમાં તેના વારસદાર સંતાન પરંપરાનું શું?
અને કદામ અનાર્ય ધર્મોના અને તેની રૂઢિઓના અસાધારણ પ્રચારના બળથી, અહીંના ધમથી વંચિત થયેલા એ ભાવિ સંતાને કદાચ તે ધર્મોમાં પ્રવેશ કરે, કે કઈ પણ પ્રકારના ધર્મ રહિત, કે ધર્મનેજ ન માનનારા, ધર્મ તરફ અણગમ ધરાવતા, થાય, તે તે બિચાર જેના અ-કલ્યાણનીમાર્ગ ભ્રષ્ટતાની જવાબદારી કોની ?
આજે શ્રી સંધને આ બાબતથી ભાવ પ્રજાના ધર્મ સંસ્કારવિષે ચિંતા થઈ રહી છે. તેમાં સૌએ મળીને વિચાર કરીને યોગ્ય
Page #13
--------------------------------------------------------------------------
________________
એજ પ્રમાણે નિરપેક્ષ નિશ્ચયનય પણ નિશ્ચયાભાસ છે. ત્યારે સાપેક્ષ નિશ્ચયનય એજ પરમાર્થ સત્ય છે. આ માર્ગ શોધી પરસ્પર સહાનુભૂતિ અને સહકાર આપ જોઈએ. તેને બદલે તે વિષમ સ્થિતિમાં ઓર વધારો કરવા માટે પિતાની માન્યતાને કેવળ આગળ લાવવાની ટુંકી બુદ્ધિથી બહાર પડે છે. આને પણ મહામિથ્યાત્વ નહીં તો બીજું શું કહી શકાય ? કેમકે આધ્યાત્મિક માર્ગને પોષણ, તે સમક્તિ. ખામીવાળે આધ્યાત્મિક માગે, તે મિથ્યાત્વ. અને જડવાદને પોષણ તે મહા મિથાવ. એ સ્પષ્ટ છે. અને આધ્યાત્મિક વાદના પડદો આગળ ધરીને મહામિથ્યાત્વનું પિષણ થાય, તો તેને અતિ મહામિથ્યાત્વ કહેવામાં હરકત શી? - હવે, શાસ્ત્રકાર ભગવંતોને અશુભ શુભ અને શુદ્ધની પરિભાષા ઘડવામાં આશય શું છે, તે વિચારીને લઈએ. - ના પહેલા ગુણ સ્થાનકથી માંડીને બારમા ગુણ સ્થાનક સુધી અશુભને ઉદય હોય છે, અને ૧૪ મા સુધી પુણ્યને ઉદય હેય છે. પરંતુ, પાપને બંધ પહેલાથી દશમા સુધી હોય છે. તે જ પ્રકારે. પુણને બંધ પહેલાથી ૧૩ મા સુધી હેય છે. દાખલા તરીકે–
૧૦ મે ગુણ સ્થાનકે–૧૭ પ્રકૃતિને બંધ છે. તેમાં. ૧. ૧૪ પાપ પ્રકૃતિ બંધાય છે. ૫ જ્ઞાનાવરણીય ૫ અંતરાય ૪. | દર્શના વરણીય. ૨. ૩ પુણ્ય પ્રકૃતિ બંધાય છે. ૩. ૧૦૩ કર્મ પ્રકૃતિઓ બંધાતી જ નથી. એટલે તેટલે સંવર
હાય છે. જે કર્મો ઉદવમાં હોય છે, તેને ક્ષય થતું હોય છે, તેટલી
અકામ નિજા થતી હોય છે. ૫. અને માત્ર સંજવલન લેભના ઉદય સિવાય તમામ મેહનીયા
પ્રકૃતિને ઉદય નથી હોતો. તેથી સમ્યમ્ દર્શનઃ સમ્યનું જ્ઞાન
Page #14
--------------------------------------------------------------------------
________________
વાતને ખુલાસે સ્તવનકાર મહાત્માએ ૧૪ મા ભાગવાનના સ્તવનમાં–
અને સમ્યક્ ચારિત્રની જ્યોતિ જાગતી હોવાથી અનેક કર્મોની ઉદીરણ, સંક્રમ, અપવર્તન, ઉપશમના વિગેરે તીવ્ર સ્વરૂપમાં થતા હેવાથી તથા સ્થિતિ અને રસમાં પણ અનેક પ્રકારના પરિવર્તન થતા હોવાથી સકામ નિર્જરા પણ ચાલુજ હોય છે.
આ જ પ્રમાણે પહેલે ગુણઠાણે પણ આ પાંચેય વસ્તુઓ ચાલુ હોય છે. ' * પરંતુ ફરક માત્ર એટલો જ છે, કે–વત્તા ઓછા પણાને હેય છે. ૧૦ મે સકામ નિર્જરા વધુ, ત્યારે પહેલે પાપ બંધ વધુ
આથી કરીને–ગુણ સ્થાનક તથા કર્મ બંધન વિગેરેના અને અધ્યયસાયોની તરત મતાનું સુક્ષ્મજ્ઞાન જેણે ન પ્રાપ્ત કર્યું હેય, તેવા બાલ જીવોની સમજ માટે અશુભ: શુભ અને શુદ્ધ એ સંક્ષેપમાં પરિભાષા નકકી કરો.
તેથી પહેલા ત્રણ ગુણસ્થાનકમાં અશુભની મુખ્યતા. ત્યાં પણ શુભ અને શુદ્ધ હોય જ છે. - ચેથાથી પાંચમા સુધી કે સાતમા સુધી શુભની મુખ્યતા. પરંતુ તે વખતે પણ અશુભ અને શુદ્ધ હેય જ છે. “
૮માથી ૧૪મા સુધી શુધની મુખ્યતાઃ તેમાં પણ છે મા સુધી શુભ અને અશુભ પણ હેય છે ઉપરના ગુણઠાણે પણ અંશતઃ શુભ હોય છે. * આ રીતે-ગૌણ મુખ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી પહેલે ગુણઠાણે અંશતઃ શુદ્ધભાવ સંભવે છે, પરંતું, તે અપ હેવાથી, તેની ગણતરી બાનમાં લીધી નથી. તેજ પ્રકારે ૧૦મે પણ અશુભ હોય છે. પણ તે અલ્પ હોવાથી તેની ગણતરી ધ્યાનમાં લીધી નથી.
Page #15
--------------------------------------------------------------------------
________________
''
૧૨
વચન-નિરપેક્ષ વ્યવહાર ના કહ્યો.” વગેર
દ્વારા સરસ રીતે કરેલા છે.
તેજ પ્રકારે, કથાથી ૭મા સુધી પુણ્ય બંધના ગુણુઠાણા મુખ્ય છે. તેમાં તેમાં પણુ અશુભ ભાવ: અને શુદ્ધભાવ ન હેાય, એમ માનવાનું નહીં જ.
આમ છતાં શાસ્ત્રકારાના આશય સમયા વિના કેટલા અનથ ચાલી રહ્યો છે, તે હવે સ્પષ્ટ સમજાશેઃ
એ રીતે-પહેલા ગુણુ સ્થાનકે પણ શુદ્ઘની પણ જે તાતી ચિણગારી હાય છે, તે વિકસિત થતી થતી અનુક્રમે પરમ શુદ્ધભાવ રૂપે પરિણમી શકે છે
મોટે ભાગે કાઈપણુ અધ્યવસાય-ઉપર જણાવ્યા પ્રમાણે પાંચર'ગથી મિશ્રણ થયેલા ચિત્રવિચિત્ર અવસાય હેાય છે. જેને આધારે નવા ક્રમાં બધાય છે.
એકજ અધ્યયસાયથી પુણ્ય બધાય છે, પાપ બંધાય છે. તે વખતે સંવર પણુ હાય છે, તેજ વખતે અકામ અને સકામ નિરા પશુ હોય છે.
સવર અને નિર્જરાના પ્રેરક શુદ્ધભાવ ગણવામાં આવે છે. પાપ બંધાવનાર અશુભભાવ કહેવાય છે. અને પુણ્ય બંધાવનાર શુભ ભાવ કહેવાય છે. છતાં સમગ્રમ ચિત્રવિચિત્ર એકજ અધ્યવસાય હાય છેઃ
પુણ્યબંધ અને શુભની વાર્તા કરવા છતાં કમ ગ્રંથ કે જે જૈન પદાર્થો માપવા માટે માપનુ કાષ્ટક છે, તેના ઉપયેગ ન આવડે, તા ન કરવા. એ ઠીક, પરંતુ તેમાં શું પડયું છે? એમ ખેલવું ચેગ્ય નથી.
..
..
અર્થાત્ માટે ભાગે સુદ્ધ વખતે પણ શુભ અને અશુભ એ વધતે અંશે હોય છે. અને એજ પ્રમાણે—અશુભની મુખ્યતા વખતે પશુ આછે વધતે અંશે શુદ્ધ હાય છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
આ શિવાય, કર્મબંધને લગતા પ્રકૃતિ સ્થિતિ: અસર અને પ્રદેશ: આદિને લગતી કેટલીક સ્થલ વિચારણા
. આથી શુભ : અને શુદ્ધઃ ની વાત આગળ કરી તે કેટલાક જેનેને ધાર્મિક ક્રિયાઓથી વંચિત રાખવાનો પ્રયત્ન થાય છે, તે જૈનશાસન સાથે સંગત નથી. એમ સ્પષ્ટ સમજાશે. આ તત્વ “વેતાંબર-દીગંબર સ્થાનકવાસી એમ ત્રણેયને સંમત છે. કોઈપણ નવીવાત પહેલાં સારી લાગે છે, પરંતુ પછી તે નુકશાનકારક થાવ છે, ત્યારે બેજા રૂપ લાગે છે.
મૂર્તિપૂજાને અતાત્વિક વિધ સ્થાનકવાસી મા પ્રચારકોએ કર્યો, તો આજે તેના અનુયાયિઓ મૂર્તિ પૂજા કરવા તૈયાર થતા જાય છે, અને જૈન ધર્મના પ્રાણ સમાન શ્રી જિનાલમેન વિરોધ કરતા થયા છે. દીકરી લેવા જતાં દાઢીવાળો ગુમાવાય છે, મર્ભિત રીતે કે સ્પષ્ટ રીતે પણ જિન મૂર્તિ પૂજા તરફના છે અને પ્રમાણે મળે છે, તેને આધારે દેવ તત્વની આરાધનાના મહાન પ્રતીક સમાન જિન મૂતિને અને તેની પૂજાને વિરોધ ન કરતાં તેને યથા યોગ સ્વીકાર કરીને જિનાગમ તરફની શ્રદ્ધા ટકાવી રાખવી વધારે હિતાવહ છે. નહીંતર ઉડે ઉડે રહેલી મૂર્તિ પૂજાની વૃત્તિ મૂર્તિ પૂજ્યા વિના રહેવા દેશે નહીં, અને જિનામના પ્રત્યનિક બનાવશે, તે જુદું.
તેજ પ્રમાણે ન મત કાઢનાર કોઈ પણ વ્યક્તિએ એટલું તે વિચારવું જોઈએ, કે –
પરિણામે, જી ધર્મ રહિત, કે ભળતા ધર્મમાં ભળી જઈ પરમાત્મા જિનદેવના શાસનથી નિરપેક્ષ તે બની જશે નહીં ને?”
આ વિચાર કરજ જોઈએ.
આજે પ્રજાને અનેક રીતે બુદ્ધિ ભેદ થઈ રહ્યો છે, તેમાં ધર્મને નામે અને ધાર્મિક સિદ્ધાંતને નામે બુદ્ધિભેદને ઉમેરે ન
Page #17
--------------------------------------------------------------------------
________________
પણ આ સ્તવનમાં કરવામાં આવી છે.
આ સ્તવનના ભાવ જે ગુરુમુખે સમજવામાં નહી કરવું જોઈએ એ શાસનને વફાદાર પ્રત્યેક જેન વ્યકિતની ફરજ છે. અને તે વફાદારી જાળવવી જોઈએ.
આનન્દ ઘનજી મહારાજ પણ “જે શુભ કરણ કરશે, તે લેશે આનન્દઘન ધરણીરે “જે શુભ કરણી કરશે, તે મેક્ષ પામશે” એમ કહે છે. અર્થાત “જિન પુજા વિગેરે ૪થા વિ૦ ગુણ સ્થાનકની પ્રવૃત્તિ પણ જેમ શુભ ભાવનું કારણ છે, તેમ શુદ્ધ ભાવનું પણ કારણ છે. અને તેથી જ પરંપરાએ પરમ શુદ્ધ ભાવ અને મોક્ષનું પણ કારણ છે.” એમ કહેવાને તેમને આશય છે. તથા શુભ કાળે ઓછે વધતે અંશે શુદ્ધ હેય છે, કેમકે–
પૂર્વના પુર્વધર મહાશ્રુત પુરૂષોએ કહે કે-ગણધર ભાગવતેએ કહે, ત્રીજા વૈદ્યના ઔષધની ગોળી જેવી આવશ્યકાદિકની તથા બીજી જે જે ધાર્મિક વિધિઓ ગોઠવી છે, તેમાં કોઈ એ વિધિ નથી કે, જેમાં તેની સાથે સંવર તથા તપશ્ચર્યાદિક નિર્જરાની ક્રિયા ન જોડી હેય. શાસ્ત્રીય ઢબના તાત્વિક પૃથકકરણ વિના લોકે તેને વિષે ગમે તેમ બેલ્યા કરે છે, તે ઉચિત નથી.
જેન દર્શનમાં દ્રવ્યાનુગ એટલે વ્યવસ્થિત છે, અને બુદ્ધિ ગમ્ય રીતે નિરૂપિત છે, તે જ પ્રમાણે ચણાનુયોગ પણ તાત્વિક અને બુદ્ધિગમ્ય વ્યવસ્થાના આધાર ઉપર નિરૂપિત છે. અને તેજ જૈન દર્શનને આધાર સ્તંભ છે, કારણકે-મોક્ષ અપાવનાર એ છે, તેના વિશેષ નિરુપણુ માટેજ દ્રવ્યાનુયેગનું તે આનુષગિક નિરુપણ છે. અને દ્રવ્યાનુયોગથી સિદ્ધ પદાર્થોને મોક્ષ પામવાના કામમાં–સફળતા પૂર્વક એવં ભૂતનયની અપેક્ષાએ ઉપયોગ કરવાની ગેઠવગુ, તેનું જ નામ ચરણનુયોગ છે. શાસ્ત્રોમાં ચાર અનુયાગને અનુક્રમે લેઢાની, રૂપાની, સેનાની, હીરાની ખાણ કહ્યા છે.
સંપાદક.
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૫
આવે, અને પિતાની સ્વછંદબુદ્ધિ મુજબ વાંચવામાં આવે, તે અનર્થકારક થવા સંભવ છે. એ પણ સુજ્ઞ વાચકેએ. ખૂબજ ધ્યાનમાં રાખવાનું છે.
પંડિતજીએ લખેલે ઉપસંહારઃ ચરમાવર્તિ નાટકઃ અમરલેખક તથા સ્તવનના અર્થોઃ હું જોઈ ગયો છું. મારા ટુંક અભ્યાસ મુજબ મને તે શાસ્ત્ર-અવિરોધી લાગ્યા છે. તેમ છતાં, એમાં પંડિતજીના મતિદોષના કારણે કાંઈ ખલના રહી ગઈ હોય, અને તે ખલના મારા પતિદેષને કારણે જોવામાં કે જાણવામાં ન આવી હોય, તે મિચ્છામિ દુક્કડે તેવા પૂર્વક વિરમું છું.
લી. સિદ્ધાન્ત મહેદધિ-પૂજ્યપાદ-આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રેમસૂરિ સામ્રાજ્યવતઃ પૂજ્યપાદઆચાર્ય મહારાજ શ્રી-વિજય-રામ-ચન્દ્ર-સૂરિ -વિનેય મુનિ મુક્તિવિજયઃ
નરકે
Page #19
--------------------------------------------------------------------------
________________
અમર–લેખ:
શ્રી આનન્દઘનજી મહારાજ અને તેનું સાહિત્ય અને ખાસ કરીને આનન્દઘન વીશી: જૈનઃ જૈનેતર, વિદ્વાનેામાં તેમજ સામાન્ય પ્રજાજનેમાં પણ એક જાણીતી વસ્તુ છે.
- તેઓશ્રીના શબ્દોમાં જ કેઈ અજબ જાદુ ભર્યો છે. એ નિર્વિવાદ છે.
આ ચોવીશીમાં-આટલો-વિષય કર્યો છે, તેની ભાગ્યેજ આજ સુધી આપણને કલ્પના પણ હતી. આટલે સંગતઃ એક ધારા ક્રમિક અને મુદ્દાસરઃ જૈન શાસ્ત્રોક્ત આત્મવિકાસને માર્ગ આટલી વિશદ રીતે ચર્ચો છે એમ આજ સુધી કેઈનીચે તરફથી જાણવા મળ્યું નહોતું.
આનંદધન ચાવીશી બહુ સુંદર છે. તેમાંના સ્તવને ખૂબ ભાવવાહી છે. ભાષા તથા રચના સુંદર છે. તેના અર્થે ગહન છે.” આવી આવી મઘમ વાત સાંભળવામાં આવતી હતી.
જ્ઞાનસારજી મહારાજના પ્રાચીન ટમ ઉપરથી, કેજૈન ધર્મ પ્રચારક સભા-ભાવનગર તરફથી છપાયેલ ભાવાર્થ પરમાર્થ વિગેરે વાંચતાં પણ ઉપરની વિશિષ્ટતાને ખ્યાલ આપણને આવતો નહોતે.
ભગવાનની સ્તવના–કીર્તનાના ગાન સાથે વર્તમાન ચોવીશીના પ્રત્યેક તીર્થંકર પરમાત્માને નિમિત્ત બનાવી સાધકના
Page #20
--------------------------------------------------------------------------
________________
ܪ
આત્માના પરમાત્મભાવના પ્રાકટયની વ્યવસ્થિત સરણુિ ખતાવવામાં કળાને ભારે ઉપયાગ કર્યો છે. તે વસ્તુઃ આ ચાવીશીના આ પુસ્તકમાં આપેલા અ, ભાવાર્થ, તથા પાછળના ઉપસંહારઃ વિગેરે વિવિધ વિવેચનાઓમાંથી વાચકે બરાબર ખ્યાલમાં લઇ શકશે, એવી આશા છે. છતાં, આ પુસ્તકમાં આપેલા અર્ધાં દિશા-સૂચન માત્ર છે. તેના ઉપર એક એક કડી સાથે સંબંધ ધરાવતી વસ્તુઓના શાસ્ત્રીય પદ્ધતિ ઉપરના વિવેચનથી અને પ્રમાણેા તયા અન્ય પૂરાવા ઢાંકીને, તેમજ, તેની સાથે જોડાયેલા વિશ્વાસમાર્ગના પારિભાષિક શબ્દોનું સ્વરૂપ ધરાવતા તથા એક એક કડીના એક એક પદમાં અને એક એક શબ્દમાં ગર્ભિત રીતે શ્રી આનન્દઘનજી મહારાજાએ શેશ-ધ્વનિ અને ભાવ ભર્યો છે ? તથા કેવી કેવી વ્યજનાએ નિપજાવી છે ? તે સઘળું વિવેચન આ ચેાવીશીના ખીજો ભાગ લખવાની તક મળે, તાજ આ ચાવીશીના પેટ ભરીને લગભગ ખ્યાલ આપી શકાય. આ દૃષ્ટિથી જોતાં આ પુસ્તકમાં જે જે ખામીઓ દેખાય, તે સઘળી અમારે કબુલ મજુર છે. અને હાલ તુરતને માટે અમારી એ ત્રુટીઓ માટે સુજ્ઞ વાચક મહાશયા અમને ક્ષમા કરે. એવી નમ્રભાવે વિજ્ઞપ્તિ પણ છે.
આત્મા છે. તેના વિકાસ થાય છે. આત્માઃ એ અનાહિ અનંતકાળની વસ્તુ છે. તેના વિકાસના માગ જગમાં અનાદિ કાળથી છે, અને અનંતકાળ સુધી હશે. તેનું સ્વરૂપ આ ચેાવીશી સમજાવે છે. તેને વિષય એક વૈજ્ઞાનિક વિષય છે. અને એ રીતે તત્ત્વ જ્ઞાનરૂપ વિષય પણ છે. જગમાં સદા
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૮
ઢાળ આ વસ્તુઓ સંભવિત છે. તે અમર છે. માટે આ ચાવીશીના વિષય પણ સ્વયંસિદ્ધ અમર છે. અને તે હિસાબે આ ચાવીશી પણ એક અમર લેખઃ છે.
આ ચાવીશી ઉપર પૂજ્ય ઉપાધ્યાય મહારાજ શ્રી યશાવિજય મહારાજનું વિવેચન હાવાના નિર્દેશ મળે છે. પણ હજુ તે નિર્દેશ માત્ર છે. વસ્તુ પ્રાપ્ત થઈ નથી. તેમાં તેઓશ્રીએ શા થા અગમ્ય ભાવ ભર્યો હશે? તેની તા આજે આપણે કલ્પના પણ કરી શકતા નથી.
શ્રી આનન્દઘનજી મહારાજશ્રીનુ જીવન ચરિત્રઃ તેમની કૃતિએ તેમના જીવન સાથે સંબંધ ધરાવતી ખીજી અનેક ઘટનાઓઃ વિગેરેના ઉલ્લેખ કરવાનું અમેએ અહીં છેડી દીધુ છે.
તેના કારણ નીચે પ્રમાણે છેઃ
૧. તેમની ઘણી વિગતા ખીજા લેખકાએ લખી છે. તેમાંથી વાચકે મેળવી શકે તેમ છે.
૨. તેમાંની લખેલી ઘણી હકીકતા સાથે અમારે મતભેદ છે. તેથી
૧ અમારી દૃષ્ટિના સાચા ઐતિહાસિક પ્રમાણેાથી અમારે બધી વસ્તુ રજી કરવી જોઇએ.
૨. અને જેમાં મતભેદ છે, તેની તુલના માટે ચર્ચા કરવી પડે. અને પૂરાવા આપવા પડે.
તે સર્વના અત્રે અવકાશ નથી. તેમ તેટલી સ્વતઃ
Page #22
--------------------------------------------------------------------------
________________
શોધખેળ પણ હજુ અમે સ્વતંત્ર રીતે કરી પણ નથી. કદાચ અમે પણ અમારા મંતવ્યમાં ભૂલતા હોઈએ, એમ પણ બને.
હમણાંજ ગાડીમાં મુસાફરી કરતાં, અણુમી સંપ્રદાયના એક સ્વામિજી મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું, કે–“અમારા સંપ્રદાયના સ્થાપક પ્રાણલાલજી મહારાજના જીવન ચરિત્રમાં લખેલું છે કે:-“પ્રાણલાલજી મહારાજ મેડતા સંવત ૧૭૩૧માં ગયા હતા અને ત્યાં આનંદઘનજી ઉપનામ ધારી જન મુનિ લાભાનંદજીને તેમને મેળાપ થયે હતે. અને તે જ વર્ષમાં તેમને કાળ ધર્મ થયે હતો.” આ મતલબની વાત કરી લેવાનું ચાય છે.
પૂજ્ય શ્રીઉપાધ્યાયજી મહારાજ શ્રીયશોવિજયજી મહારાજને કાળ ધર્મ–
સંવત્ ૧૭૪૩ લગભગ છે. એટલે આનન્દઘનજી મહારાજ ઉપાધ્યાયજી મહારાજના પૂરગામી સમકાલીન ઠરે છે.
આ વીશીમાં તેમણે જે જે વસ્તુઓને નિર્દેશ કરે છે, તે જોતાં તેમનું જૈન શાસ્ત્રોનું મનન ઘણું જ સૂક્ષમ માલુમ પડે છે.
પૂર્વાચાર્યોના ગહન ગ્રંથને તેમને અભ્યાસ તથા મનન બહુજ ઉંડા જણાઈ આવે છે. અને વસ્તુની રજુઆત કરવાની કળા તે કઈ અજબજ છે.
દેખ રે સખિ દેખણ દે.” જેવી કવિતા ગોઠવીને પ્રભુ દર્શનની તાલાવેલી પ્રકટાવે છે તથા ઘણે સ્થળે પ્રભુ સાથે સંવાદો માં ઉતરે છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
કલિપત પાત્ર ગોઠવી. હાસ્યરસ જમાવે છે. કે મહત્વની સૂચના આપ્યા વિના છોડતા નથી તીર્થંકર પરમાત્મા મંગળમય છે. તે સાતમા સુપાર્શ્વનાથ પ્રભુ સાત મહાભયને ટાળનાશ છે. એમ કહીને તેમની જગત ઉપરની અગમ્ય વ્યાવહારિક સુઅસર કલ્યાણકારિતા પણ સૂચિત કરે છે.
ચરમાવતિ જીવના વિકાસમાંનું નિરૂપણ કરવાને વિષય હાથ ધરવા છતાં ગરમાવર્તમાં આવેલા જીવના આખા સંસારની સ્થિતિનું વર્ણન ન આપે, તે વિષયની અપૂર્ણતા રહેવા પામે. તે દેષ ટાળવા, ૮ માં સ્તવનમાં નિગોદથી માંડીને સર્વ પ્રકારની જીવરાશિનું સૂચન કરીને
આત્મા કયાં જ્યાં ભટક્યો છે?” તેનું-ચરમાવતીપુદ્ગલપરવર્તનગતઃ જીવની અનાદિની ભવ ભ્રમણની સાંકળ પણ રજુ કરી દીધી છે. અર્થાત-અનાદિથી મોક્ષ સુધીની અનંતકાળ સુધીની આત્માની સ્થિતિ સૂચિત કરી દીધી છે. ૨૨ મા સ્તવનના વિરોધાભાસ: ૨૦ મા સતવનમાં આત્મસ્વરૂપવિષેની દર્શનાંતરીય માન્યતાઓનું ખંડન છે, ને તે દર્શનોનું પાછું ૨૧ મા સ્તવનમાં જૈન દર્શનના અંગભૂત ગણાવીને મંડન અને સંગતિનું પ્રતિપાદન છે. શાંતિનાથ પ્રભુના સ્તવનમાં “શાંતિ એટલે શું?” આ પ્રશ્ન જેના મનમાં ઉપજે, તે આત્માને પણ ધન્ય છે. કેમકે-ભવ્ય અને ચરમાવતિ છવ શિવાય આ પ્રશ્ન કેઈને દિલથી ન ઉઠે. માટે તે જીવ ભવ્ય અને અવશ્ય મેક્ષ ગામી છે, માટે તેને ધન્યવાદ ઘટે છે.” આવા સૂક્ષમ ઘણા ઘણા સૂચન રૂપ અનેક ગુણ ગણાવીશીમાં ભરેલા છે. તેનું કેટલુંક વર્ણન કરી શકાય?
Page #24
--------------------------------------------------------------------------
________________
કર્મ જેવી ચીજ જગતમાં ન હોત તે, આત્માના વિકાસને વિચાર કરવાનો પ્રસંગજ ઉપસ્થિત થતું નથી. વિકાસમાં વિન ભૂત કર્મને આત્માની પરમાત્મ અવસ્થા વચ્ચે અંતર પાડનાર તરીકે જણાવીને કર્મ જન્ય સમગ્ર વિશ્વ વેચિયને ખ્યાલ આપી દીધું છે.
ગછના ભેદ નયણ નિહાળતાં” વિગેરે ગાથાએના ભાવ બીજા કેટલાક ભાઈએ જે રીતે ઘટાવે છે, તેના કરતાં અમે જુદી રીતે ઘણાવ્યા છે. અને સ્તવનેના ક્રમના સંદર્ભને તે રીતે અમને વધુ બંધબેસતા લાગે છે.
ખરી વાત તે એ છે, કે-ગચ્છના ભેદ વિગેરે શબ્દ ઉપરથી શ્રી આનંદઘનજી મહારાજ વિષે “ શાસનથી ઇને ઉભગાવે તે આ તેમને શાસન ઉપર કટાક્ષ છે.” અમારા મનમાં એક જાતને અણગમો હતો. પરંતુ તે અણુગમ જેમ સ્તવને મનન વધતું ગયું, તેમ ઉડત ગયો અને તેઓશ્રી પરમ શાસન ભક્તઃ જૈન શૈલિના જ્ઞાતા પૂર્વાચાર્યોના ગુણાનુરાગીઃ પ્રવચન વત્સલ જણાયા. શુષ્ક આધ્યાત્મિક કે માત્ર એકાંગી ન જણાયા.
કેટલાક શુષ્ક અધ્યાત્મવાદીઓ એ કે તેમના અંધારાગી ભક્તો જેવા કેટલાક લોકોએ શ્રી આનંદઘનજી મહારાજને શ્રેષ્ઠ અધ્યાત્મી જેવા ચિતર્યા છે, તેમજ તેવા કલખ્યા છે. તેમજ કેટલીક તેમના જીવનની જીવન ઘટનાઓ તે દષ્ટિથી રજુ કરી છે. એ બધું જોતાં તેઓશ્રીને અન્યાય થયો છે, એમ અમને લાગે છે. એટલું જ નહી, પરંતુ, પરમાત્માના અવિચ્છિન્ન પ્રભાવશાળી શાસનપ્રણાલીકાઓ ઉપર આક્ષેપ
Page #25
--------------------------------------------------------------------------
________________
કરી શુષ્ક આધ્યાત્મિકપણાનું પોષણ કરવા તેમના નામને ઘણાએ ઉપયોગ કર્યો હોય, એમ અમને ભાસે છે.
શ્રી આનંદઘનજી મહારાજના જીવન સાથે અનેક દંતકથાઓ વણાઈ ગઈ છે. કેઈના પ્રસંગે બનેલી હકીકત આનંદઘનજી મહારાજશ્રીને નામે ચડી જવાની એટલી જ સંભાવના છે. શ્રી નંદી સૂત્રમાંની ચાર બુદ્ધિને લગતી કથાએમાંની ઘણી કથાઓ બિરબલ અને બાદશાહને નામે પ્રચારમાં છે તેથી તેમાંથી ઘણી છાંટછુટ કર્યા વિના તેમના જીવનની શુદ્ધ ઘટનાઓ શોધી કાઢવામાં મુશ્કેલી છે. આનંદઘનજી મહારાજ પૂરા આત્માથી આધ્યાત્મિક પુરુષ હેવા ઉપરાંત ત્યાગી અને નિરપેક્ષ પુરુષ હોય, તેતે ગુણરૂપ છે. રેષરૂપ નથી. પણ તે કયારે? જે સાપેક્ષપણે શાસન. પ્રણાલીને વફાદાર હોય, તે. પહેલા મને નહેતા જણાતા, તે તેમના સ્તવનેના મનન બાદ બરાબર વફાદાર જણાયા છે. અને આજસુધી તેથી એ મહાત્મા પુરુષની મારાથી આશાતના થઈ છે, તેનું મિથ્યાદુક્ત દઉં છું.
ઉત્સવ-ભાષણ ઉપરને તેમને કટાક્ષ. શાસ્ત્રવચન અનુ સાર ક્રિયા કરનારનું સાચું ચારિત્ર. (૧૪)
પંચાંગી અને પરંપરાના અનુભવની પ્રામાણિક્તા પ્રમાણ સિદ્ધ માનવી. (૨૧)
પરમગીઓની ધ્યાન પ્રક્રિયાની ક્રિયાની આમ્નાય ન મળવાનો છે. (૨૧).
ક્રિયા-અવંચક વેગને સ્વીકાર.
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૩
એ અને એવા ઘણા ખીજા વાકયેા અવિચ્છિન્ન પ્રભાવશાળી જૈન શાસનની સાપેક્ષ પૂર્વાચાયોની સર્વ શૈલિના હાર્દિક સ્વીકાર તેએશ્રીના અંતરાત્મામાં છે. એમ સચાટ રીતે હી શકાય છે.
તેઓ શાસન નિરપેક્ષ શુષ્ક અધ્યાત્મી ન હાતા જ. વળી “આધ્યાત્મિક આનદઘનજી” એવું વિશેષણ આપવું, તે પશુ ઉચિત નથી. કેમકે–જૈન દર્શન સ્વયં આધ્યાત્મિકતામય જ છે. તેથી આધ્યાત્મિક મુનિઃ અને અનાધ્યાત્મિક મુનિઃ એવા ચાકા પાડવા, એજ જૈનશાસન માટે અસગત છે. પ્રજા જીવનમાં ધર્મના ટકાવ માટે તેના વ્યાવહારિક આચારીના પ્રચાર ધર્મના પ્રાણ રૂપ છે. તેને પ્રજાના જીવનમાંથી દૂર કરવા,કરાવવા માટે એકાંત આધ્યાત્મિક એટલે કે નિશ્ચય નયની એકાંતથી વાત આગળ કરવામાં મહાદોષ લાગેછે, કેમકે-આત્માને ન માનનાર નાસ્તિક પણ જેમ મિથ્યાત્વી કહેવાય. તેજ પ્રમાણે એકાંતથી નિશ્ચયનયના પ્રતિપાદકને પણ જૈન શાસ્ત્રકારાએ નાસ્તિકની કાઢિમાં મૂકેલા છે. કેમકે-બન્નેય માક્ષ માર્ગના ઉત્પાથક અને માળ જીવાનુ લક્ષ્ય તેના તરફથી ચૂકાવનારા હૈય છે. તથા એકાંતથી પ્રતિપાદન કરનારા હૈાવાથી તેમ હાય એ સ્વાભાવિક છે.તેથી શ્રીઆનન્દનઘનજી મહારાજ શુષ્ક આધ્યાત્મિક કે એકાંતથી નિશ્ચય નયનું પ્રતિપાદન કરનારા: નહેતા. છતાં, અરનાથ પ્રભુના સ્તવનમાં સાપેક્ષપણે શુદ્ધ નિશ્ચયનયનું પ્રતિપાદન કર્યુ. છે. તે વર્ણન પણ આપેક્ષ છે. તેના
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૪
પૂરાવા એજ કે—બાકીના સ્તવનામાં અન્ય અન્ય વિષયનું પ્રતિપાદન કરવામાં આવેલુ છે, તે છે.
શ્રી ઉપાધ્યાયજી મહારાજ જેવાને તેમના તરફ માન હાય, અને એવા સમર્થ જ્ઞાની પ્રત્યે શ્રી અાનંદઘનજી મહારાજની વાત્સલ્યતા હોય, એ બન્નેય સંભવિત છે,
છતાં, ઉપાધ્યાયજી મહારાજની અષ્ટપદી શ્રી આનંદ. ઘનજી મહારાજની સ્તુતિ રૂપે હાય, એમ હજી મારું મન કબુલ કરતું નથી. પરંતુ, આત્મા રૂપ આનંદઘનનાજ કાઈ આધ્યાત્મિક સ્વરૂપનું જ તેમાં વર્ણન મને ભાસે છે. પછી શÀષથી કદાચ આન ઘનજી મહારાજની સ્તુતિ હોય, તે કાણુ જાણે. પણ મને હજી એ ભાસ થતા નથી. મારી સમજની પણ ભૂલ હાય પરંતુ સ્તુતિનું સ્વરૂપ એ શાસ ઉસન્ન કરતું નથી. છતાં જ્ઞાની પરમાત્મા જાણું. શ્રી આનન્દધન ચાવીશી—
ગુજરાતી ભાષાનું ભાષા દષ્ટિથી પણ એક અણુમેલ રત્ન છે. ગુજરાતી ભાષામાં આધ્યાત્મિક તત્ત્વવિવેચક ઉત્તમ ગ્રન્થ રત્ન છે. કાવ્યસાહિત્યની દૃષ્ટિથી પણ એક આહ્લાદક વસ્તુ છે. સંગીતના રણુકારથી ગુ ંજતા સંગીતના ઉત્તમ નમૂના રૂપ પણ છે.
કલકત્તામાંના થોડા નિવાસ દરમીયાન ભાઈ કનૈયાલાલજી વેદના પરિચય પછી આ ચેાવીશીનું મનન કરવા તરફ મારું લક્ષ્ય વધુ ગયું. કેમકે-તે પાતે હમેશાં માત્રુજીના બગીચામાં પ્રભુની પૂજા વખતે કાયમ ઘણેભાગે આ ચાવીશીના સ્તવના તન્મય થઈને ખેલે છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૫
એકાદ બેવાર મનન કર્યું. એકાદ બે વખત તેના ઉપર કાંઇક લખ્યું. પૂજ્ય મુક્તિવિજયજી મહારાજશ્રીને તે વંચાવ્યું. તેઓશ્રીએ કેટલીક સૂચનાઓ કરી. તેના ઉપર ખ્યાલ રાખી, તેમાંથી લેવા જોઈતા સાર લઈ ફરીથી લખ્યું. તેના ઉપર સુધારા વધારા કરી ફરીથી નકલ કરી, તેમાં પણ ફરીથી સુધારા વધારા થયા, અને પ્રેસમાં છાપવા માકલી.
ત્યાર પછી પણ જુદા જુદા ચાર વિદ્વાન મુનિ મહારાજશ્રીને છાપેલા ક્રમા માલીને તેમના અભિપ્રાય મેળવીને, તેમાંથી પશુ જે કાંઈ જાણવા જેવું જણાવ્યું, તે સાર રૂપે પાછળ આપેલ છે. છતાં, કાંઈ ગેર સમજથી ઉલટુ લખાયું હોય, તે અભ્યાસી તે સુધારશે.
આ ચાવીશીમાં આવતા શાસ્રીય પારિભાષિક શબ્દ અને તેના ટુંક ખ્યાલ તથા વિશિષ્ટ શબ્દોના કેષ આપવાની ઇચ્છા છતાં પુસ્તક માટું થઇ જવાના ભયથી તે ઈચ્છાને રાકવી પડી છે. તેજ પ્રકારે ૧૬ મા સ્તવનમાં બતાવેલી સમતારૂપી શાંતિની વ્યાખ્યા વિષે ઇતર દશનાની તુલના તથા તે પાછળની જૈન દ”નની ખુબી વિષે ભાવાર્થના ભાગ લખાણ થવાથી તૈયાર છતાં આપવા બંધ રાખ્યા છે.
પ્રથમ હિંદી ભાષામાં વિવેચન છપાવવાની ધારણા રાખી હતી. પરંતુ ગુજરાતી ભાષામાં રીત સર થયા પછી હીદી કોઇ સારા ભાષાશાસ્ત્રી પાસે કરાવવું, એ વિચારથી પ્રથમ ગુજરાતી ભાષામાં આ રીતે વાચકેાના કરકમળમાં ચાવીશી રજુ થાય છે.
તેની ૧૦૦૦ નકલના કાગળા, છપામણી તથા ખાઈ. ડીગના ખચ શેઠ કેશવજી નેમચંદ્ર માંગરાળવાળા
Page #29
--------------------------------------------------------------------------
________________
કલકત્તા તરફથી મળેલ છે, અને ૨૫૦ નકલને એજ રીતે ખર્ચ શા. જીવણલાલ અમજી વઢવાણુવાળાના પુત્ર ભાઈ શ્રી રતિલાલ જીવણ તરફથી થયેલો છે. જેમ બને તેમ વેળાસર છપાવી આપવામાં ભાઈ શ્રી પંડિત મફતલાલ ઝવેરચંદની પૂરતી સહાનુભૂતિ મળી છે
અને એગ્ય દિશા સૂચન જે જે પૂજ્ય મુનિ મહારાજાઓ તરફથી મળેલ છે, તેમની કૃપાની પ્રસાદીથી મિશ્ર ચાવીશીની આવિવેચના છે. આ વિવેચનામાં ઘણા દેષો હેવાને સંભવ છતાં, સુજ્ઞ સજજનેને આનંદ આપશે, તેથી તેનું નામ પ્રમાદા રાખવામાં આવેલું છે અમદા કેટલા પ્રદ આપે છે? તે તે વાચક મહાશયે કહેશે, ત્યારેજ જણાશે.
આનન્દઘનજી મહારાજ જેવા પુરુષના ગહન આશાને પાર પામ મારા જેવા પામરને માટે અશક્ય છે. તેથી તેમાં રહેલી ખામીઓ દરગુજર કરી તે મહાત્માના મહાન આશયને લાભ આત્માથી બંધુઓ ઉઠાવશે, તે મારે પ્રવાસ સફળ માનીશ અને મને ધન્ય માનીશ.
પરમપૂજ્ય મુનિ મહારાજ શ્રી શ્રી શ્રી ધુરંધરવિજયજી મહારાજશ્રીની કૃપાથી પ્રાપ્ત થયેલ કેટલાક અર્થાન્તરે તથા કેટલાક ઉપયેગી સૂચન તથા પરમ પૂજ્ય પન્યાસજી મહારાજ શ્રીશ્રીશ્રી ૧૦૦૮ શ્રી કાંતિવિજયજી મહારાજશ્રીની કૃપાથી પ્રાપ્ત થયેલ શુદ્ધિપત્રક પાછળ આપવામાં આવેલ છે.
રાજકેટ મહાવદી ૮ ૨૦૦૬
પ્રભુદાસ બહેચરદાસ પારેખ,
Page #30
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા કમ.
સ્તવન. ૧ મગલમ ... ૨ શ્રી ઋષભદેવ જિન સ્તવન ૩ શ્રી અજિતનાથ જિન સ્તવન ૪ શ્રી સંભવનાથ જિન સ્તવન ૫ શ્રી સુમતિનાથ જિન સ્તવન ૬ શ્રી પદ્મપ્રભ જિન સ્તવન ૭ શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન ૮ શ્રી ચન્દ્રપ્રભ જિન સ્તવન ૯ શ્રી સુવિધિનાથ જિન સ્તવન ૧૦ શ્રી શીતલનાથ જિન સ્તવન ૧૧ શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન ૧૨ શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન ૧૩ શ્રી વિમળનાથ જિન સ્તવન ૧૪ શ્રી અનંતનાથ જિન સ્તવન ૧૫ શ્રી ધર્મનાથ જિન સ્તવન ૧૬ શ્રી શાન્તિનાથ જિન સ્તવન ૧૭ શ્રી કુંથુનાથ જિન સ્તવન
Page #31
--------------------------------------------------------------------------
________________
-
૧૬૮
૧૯૨
-
૨૧
•
૨૨૯
• ૨૪
૧૮ શ્રી અરનાથ જિન સ્તવન ૧૯ શ્રી મહિલનાથ જિન સ્તવન ૨૦ શ્રી મુનિસુવ્રત જિન સ્તવન ૨૧ શ્રી નેમિનાથ જિન સ્તવન ૨૨ શ્રી નેમિનાથ જિન સ્તવન ૨૩ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન ૨૪ શ્રી મહાવીર વર્ધમાન જિન સતવન ઉપસંહાર ૧ સ્તવનકારનું લય. ૨ સ્તવન બાલનારનું લક્ષ્ય, ૩ આત્મ વિકાસને ક્રમ.
૪ ચરમાવર્તિ નાટક. .... * ૫ આનન્દઘન-સોપાન.
૬ અર્થાતર અને શુદ્ધિ પત્રક
| RAS
૨૯૪
૩૨૯
૩૨
Page #32
--------------------------------------------------------------------------
________________
આનન્દઘન-ચેાવીશી-મૂળ સ્તવનાના મળ પાઠ વિષે
મૂળ સ્તવનાના પાઠા સામાન્ય રીતે હસ્ત લિખિત પ્રતા સાથે મેળવવા કેાષીશ કરી. જેમ બને તેમ કર્તાની રચના જાળવવાના પ્રયાસ કર્યો છે. પરંતુ જુદી જુદી પ્રતામાં જુદા જુદા અનેક પાઠ ભેઢા માલૂમ પડવાથી છેવટે અર્થના અનુસધાન પ્રમાણે અમને ઉચિત લાગ્યા તે પાઠ કાયમ રાખ્યા છે. છતાં હજી જુદી જુદી હસ્તલિખિત પ્રતા મેળવી ખરા પાઠા નક્કી કરી લેવાના પ્રયત્નને પૂરા અવકાશ છે. તેથી કાઈ વિદ્વાને આ પ્રયત્ન કરવાના બાકી રહે છે.
આજ સુધી છપાયેલા અથ બિકાનેરવાળા જ્ઞાનસાગરજી મહારાજના છે. છતાં તેના કરતાં જુદા અર્થાંવાળી જ્ઞાનવિમળજી સૂરિજી મહારાજના ઢખાઓની પણ હસ્તલિખિત પ્રતા મળે છે. જનસમાજને તેના પરિચય કરાવવા જેવા ખરા
તેમાં પણ, પાઠ ભેદ અને તેને અંગે અભેદ: પણ ઘણા જોવામાં આવે છે
અત્રે આપેલા સ્તવનાના મૂળ પાઠામાં અને આગળ અથ માં અપાયેલા મૂળ પાઠામાં પણ કયાંક કયાંક ફરક જણાશે, ચિન્હાના ભેદ પણ જણાશે. પરંતુ તેની એક વાયતા હવે તેા ખીજી આવૃત્તિમાં થઈ શકશે.
ચિહનાની સમજ
સ્તવનાના અથ સમજવામાં સુગમતા લાવવા માટે મૂળ સ્તવનામાં જુદા જુદા ચિહને મૂકવામાં આવેલા છે. તેની સામાન્ય સમજ નીચે પ્રમાણે છે:
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૦
જયાં વાકય પૂરું થાય છે, ત્યાં (.) પૂર્ણ વિરામ. , પટાવાક્ય, ગૌણ વાય, કે મિશ્ર વાકય હોય ત્યાં અલ્પ વિરામ.
- આવી પવિભાજક નાની લીટી સમાસમાંના શબ્દો . છુટા છુટા પાડવા માટે વપરાયેલ છે, છટા પો અને સમસ્ત પદો સમજવામાં ફેરફાર થાય, તે અર્થ પણ ફરી જાય છે.
–આવી મેટી લીટી નિર્દેશ કરવા માટે– આગળની વાતને નિર્દેશ કરવા વપરાયેલ છે.
! ઉદ્દગાર ચિન્હ સંબધન: આશ્ચર્ય : કે એવી કઈ લાગણું બતાવવા વપરાયેલ છે.
? પ્રશ્નાર્થ ચિહન તરીકે પ્રસિદ્ધ છે.
“ ” કેદની કહેલી વાત જુદી બતાવવા માટે વપરાયેલ છે.
: આ ચિન્હ તરફ ધ્યાન આપવું ખૂબ અગત્યનું છે. આવા ચિહનને સર્વત્ર વિસર્ગ તરીકે સમજવાની ભૂલ કેઈએ કરવી નહી. આ ચિ૧ ઘણા વિશેષણમાંના દરેક વિશેષણને છુટા છુટા
જણાવવા માટે વપરાયેલ છે. ૨ જુદા જુદા વિભાગે તથા જુદી જુદી વસ્તુઓ
ગણાવવા–બતાવવા વપરાયેલ છે.
જેમકે-અંગ: અગ્રઃ ભાવઃ પૂજા ૩ જે શબ્દના અર્થ સ્તવનમાં જ આપવામાં આવે હેય, તે મુખ્ય શબ્દને બતાવવા માટે વપરાયેલ છે. જેમકે-ભય: ચંચળતા હૈ પરિણામની. રે
Page #34
--------------------------------------------------------------------------
________________
(૩૧
૪ દ્વન્દ સમાસની શરૂઆતમાંનો કે છેવટને જે શબ્દ દ્વન્દ સમાસના બીજા પદે સાથે જોડતા હોય, તે દરેક બીજા પદેની બાજુમાં વપરાએલ છે. જેમકેવિશુદ્ધ: દ્રવ્યઃ ક્ષેત્રાદિ એટલે વિશુદ્ધ: વિશુદ્ધ ક્ષેત્રઃ વિશુદ્ધ કાળ: વિશુદ્ધ ભાવ: એ પ્રમાણે છેવટના
શબ્દના પણ ઉદાહરણે સમજી લેવા. ૫ વિભક્તિને એક જ પ્રત્યય જેટલા શબ્દને છેડે
આવતું હોય, તે દરેક શબ્દોની બાજુમાં કવચિત વપરાયેલ છે જેમકે દ્રવ્ય ક્ષેત્રઃ કાળઃ ભાવ:
ની સમજ, દ્રવ્યની સમજ: ક્ષેત્રના સમજઃ વિગેરે. ૬. કોઈ સ્થળે જુદા જુદા વિશેષણે બતાવવા આ ચિવું વપરાવેલ છે. અને કે થેલે પૂર્ણ વિરામ મૂકીને જુદા જુદા વાકય તરીકે પણ બતાવેલ છે દા.ત.
શ્રી સુપાસ જિન વદિયે. જે સુખ સંપત્તિને હેતુ છે. શાંત સુધારસ જળનિધિ છે. જે ભવસાગરમાં સેતુ સમાન છે. આમ પૂર્ણ વિરામ મૂકીને છુટા છુટા વાક બતાવ્યા છે
સુખ સંપત્તિને હેતુ: શાંત સુધારસ જળનિધિઃ ભવ સાગરમાંહે સેતુ શ્રી સુપાસ જિન વંદિયે.
આ રીતે વિશેષણ તરીકે બતાવવામાં આ ચિને ઉપયોગ કર્યો છે આ ચિને ઉપયોગ અમે અમારા ગુજરાતી ભાષાના લખાણે માં વધુ છૂટથી કરે છે.
આ પ્રમાણે કોઈ ઠેકાણે ચિકું ભેદ જણાય, તે ઉપર પ્રમાણે યથાયેગ્ય રીતે સમજી લેવું.
-
- -
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રી આનન્દઘન ચેાવીશી
૧ શ્રી--ષભ-દેવ-જિન-સ્તવન [ રાગ-મારઃ કરમ પરીક્ષા કરણ કુમર ચાલ્યા–એ દેશી.]. ૨ષભ-જિનેશ્વર પ્રીતમ માહેર રે ઓર ન ચાહું કંત. રીઝ-સાહિબ સંગ ન પરિહરે. રે ભાગે-
સાદ-અનંત.૦૧ પ્રીત-સગાઈરે જગમ સહ કરે. જે પ્રીત-સગાઈ ન કેય પ્રીત-સગાઈરે નિરુપાધિ કહી. રે પાધિક ધન બેય. ૦૨ કોઈ કંત-કારણ કાછ-ભક્ષણ કરે. જે “મિલશું કંતને ધાય.” એ મેળ નવિ કહીયે સંભવે. રે મેળે ઠામ ન ઠાય. આ૦ ૩ કે પતિ-રંજન અતિ-ઘણો તપ કરે. પતિ-૨જન તન-તાપ” એ પતિ-રંજન મેં નવિચિત્ત ધર્યું રે રંજન ધાતુ-મિલાપ.૦૪ કેઈ કહે “લીલારે અલખ અ-લખતણા રેલખ પુરે મન આશ, દેષ-રહિતને લીલા નવિ ઘટે. રે લોલા દેશ-વિલાસ. ૪૦ ૫ ચિત્તપ્રસને રે પૂજન-ફલ કહ્યું. રે પૂજા અખંડિત એહ. કપટ રહિત થઈ આતમ-અરપણા રે આનદ-ઘન-પદ રહ. ૬
૨ શ્રી-અજિત-નાથ-જિન-સ્તવન. (રાગ-આશાવરી: મારું મન મેહ્યુંરે શ્રી વિમલાચલેરેએ દેશી) પંથડે નિહાળું રે બીજા જિનતણે. રે
અ-જિત અજિત-ગુણ-ધામ. જે તે જીત્યા. રે તેણે હું જિતિ. રે
પુરુષ કિશ્ય મુજ નામ. પંચડે. ૧ ચરમ_નયણ કરી મારગ જેવતાં રે ભૂ સાયલ-સંસાર. ૧ ચર્મ-પાઠાન્તર.
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૩ જેણે નયણે કરી મારગ જોઈએ, રે
નયણ તે દિવ્ય વિચાર પંથડો૦ ૨ પુરુષ–પરંપર-અનુભવ જેવતાં, રે અંધે-અંધ પુલાય. વસ્તુ-વિચારે ? જે આગમેં કરી, રે
ચરણધરણ નહીં ઠાય. પંથડો ૩ તર્ક-વિચારે વાદ-પરંપરા. રે પાર ન પહોંચે કેય. અભિમત-વસ્તુ-વસ્તુ–ગતે કહે. રે
તે વિરલા જગ જેય. પથડે૪ વસ્તુ-વિચારે રે દિવ્ય-નયણતણે રે વિરહ પડ્યો નિરધાર. તરતમ–જેગે રે તર–તમ-વાસના--રે
વાસિત-બે આધાર. ' પંથડો. ૫ કાળ-લબ્ધિ લડી પંથ નિહાળશું. રે એ આશા અવલંબ. એ જન જીવે રે જિનજી! જાણજે. રે
| આનન્દઘન-મત-અંબ. પંથડો. ૬
૩. શ્રી. સંભવ-નાથ-જિન–સ્તવન , [ રાગ-રામગ્રીઃ રાતલડી રમીને કિડાંથી આવિયારે–એ દેશી ] સંભવ-દેવ તે ધુર સે સવે. ૨ લહિ પ્રભુ–સેવન-ભેદ, સેવન-કારણ પહેલી ભૂમિકા રે અભય: અષ: અખેદ.સં૧ ભયઃ ચંચલતા હૈ જે પરિણામની રે દ્વેષઃ અ-રેચક–ભાવ, ખેદઃ પ્રવૃત્તિ હે કરતાં થાકીયે. રે દેષ: અ–બોધ લખાવ સં૦ ૨. ચરમા-ગવતે હે ચરમ-કરણ તથા–રે ભવ-પરિણતિ.પરિપાક. દોષ ટળે. વળી, દષ્ટિ ખીલે ભલી રે પ્રાપ્તિ પ્રવચન–વા સં૦૩ પરિચય પતિક- ઘાતક સાધુ શું. રે અ-કુશલ–અપચય ચેત. ગ્રન્થ-અધ્યાતમ શ્રવણ-મનન કરી. રે પરિશીલન નય હેત. સં૦ ૪
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૪
કારણ-ગે હો કારજ નીપજે.”રે એમાં કેઈ ન વાદ. પણું, કારણ વિણ કારજ સાધિ રે એ નિજમ્મત-ઉન્માદ. સં૦ ૫ સુધ સુગમ” કરી સેવન આદરે રે સેવા અગમ અનૂપ. દેજે કદાચિત્ સેવક-યાચના રે
આનંદઘન-રસ-રૂપ! સંભવ. ૬
૪. શ્રી–અભિનંદનજિન સ્તવન. (રાગ-ધનાશ્રી: સિંધુઓઃ આજ નિહેજોરદીસે નાહલ–એ દેશી.] અભિનંદન-જિન! દરિસણુ તરસીએ. દરિસણ દુર્લભ દેવ. મત-મત-ભેદરે જે જઈ પૂછીએ, સહુ થાપે-“અહમેવ.”
અભિનંદન. ૧ સામાન્ય કરી દરિસણુ દેહિલું. નિર્ણય સકલ–વિશેષ. મદમેં ઘેર્યોરે અંધે કેમ કરે રવિ-શશિ-રૂપવિલેષી અભિ-૨ હેતુ-વિવાદે હે ચિત્ત ધરી જોઈએ, અતિ–દુર્ગમ-નય-વાદ. આગમ-વાદે હે ગુરુ-ગમ કો નહીં, એ સમલે વિષ-વાદ. અભિ૦૩ થાતિ-ડુંગર આડા અતિ ઘણા તુજ દરિસણ જગનાથ ! ધીકુઈ કરી મારગ સંચરું, સેંગુ કેઈ ન સાથ. અભિ૦ ૪ “હરિસણ દરિસણુ” રટતે જે ફિરું, તે રણ-રોઝ-સમાન. જેહને પીપાસા હે અમૃત-પાનની કિમ ભાંજે વિષપાન અભિ૦૫ તરસ ન આવે તે મરણ-જીવનતણે, સીઝે જે દરિણકાજ. હરિસણ દુર્લભ, સુલભ કૃપાથકી આનંદ-ધન-મહારાજ અભિ૦૬
૫. શ્રી–સુમતિનાથ-જિન-સ્તવન.
[રાગ-વસંતક તથા કેદારે ] સુમતિ ચરણ-ક-જ આતમ-અ-૨૫ણે દર ૫ણજિમ અવિકાર. મતિ-તર પણ બહુ-સમ્મત જાણિયેઃ
સુજ્ઞાની
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૫
પરિસર૫ણુ સુ-વિચારઃ સુજ્ઞા૰ સુમતિ॰ ૧ ત્રિવિધ સકલ-તતુ-ધર-ગત-આતમા મહિરાતમ રિ ભેદ. સુ બીજો અંતર આતમા.તીસરા॰ પરમા-તમ અવિચ્છેદ.સુસ્૦૨ આતમ-બુધે કાયાઽર્દિક ગ્રહ્યો. અહિરા-તુમ અધ-રૂપ. સુ ઢાયા-દિકના હૈ। સાખી-ધર રહ્યો,અંતર–આતમરૂપ સુ′૦૩ જ્ઞાનાનન્દે પૂર્ણઃ પાવનાઃ જિત-સકળ–ઉપાધ. સુ અતીન્દ્રિય:-ગુઃ ગણુ મણિ આગરુ: એમ પરમાઽતમસાધ.સુ૦૪ અહિરા-ઽતમ તજી, અંતર-આાતમા-રૂપ થઇ થિર-ભાવ, સુ॰ પરમા-ઽતામનું હૈ। આતમ ભાવવું,આતમ અરપણુ દાવ.સુષુપ આતમ-અર્પણુ-વસ્તુ વિચારતાં, ભરમ ટળે--મતિ દોષ. સુ પરમ-પુદા-થ-સંપત્તિ સંપજે, આનન્દ-ધનસ પાષ. સુ૩૦૬ ૬. શ્રી પદ્મપ્રભજિન-સ્તવન.
[ રાગ–મારું સિન્ધુિઃ ચાંદલિયા સંદેશો કહેજે માહરા કે તને?-એ દેશી ]
પદ્મપ્રભ-જિન તુઝ-મુજ-માંતરુ. રે ! કિમ ભાંજે ભગવંત! કર્મ વિપાકે કારણ જોઈને,રે કાઇ કહે મતિમત, પદ્મપ્રભ૦ ૧ પયઈ:ઈિઃ અણુભાગ: પ્રદેશથઃ ૨ મૂલ-ઉત્તર-મહુ–ભેદઃ ઘાતીઃસ્ત્ર ધાતી: હાખ ધેાદયઃ ઉદીરણાઃ રે સત્તાઃકમઃ વિચ્છેદઃ પદ્મ૦૨ કનકાપલવત્ પાર્ડ-પુરુષ તણી,રે જોડી અનાદિસ્વભાવ. અન્ય - સ જોગીજિહાં લગે આતમા,રે સ સારી કહેવાય પદ્મપ્રભ૦૩ કારણુ-જોગે હા ખાંધે બંધને રેઢારણુ મુતિ મુકાય. આશ્રવ:સ્વરઃ નામ અનુક્રમે ૨ હેયઃઉપાદેય:સુણાય. પદ્મપ્રભ૦૪ સુજ-કરણે । અંતર તુઝ પડયા. ૨ ગુણ-કરણે કરી ભંગ. ગ્રન્થ-કતે કરી પતિ જન કહ્યો રે આંતરભગ સુગ્મ ગ.
પદ્મપ્રભ૦ ૧
Page #39
--------------------------------------------------------------------------
________________
તુજ મુજ અન્તર-અન્તર ભાંજશે, રે વાજશે મંગલ-તુર. જીવ સરેવર અતિશયવાધશે, આનંદ-ઘન-રસ-પૂર.પદ્મપ્રભ૦૬
૭. શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન. " [ રાગ-સારંગઃ તથા મલ્હાર લલનાની દેશી. ]
શ્રી-સુપાસ-જિન વંદીયે. સુખ-સંપત્તિને હેતુ: લલના . શાન્ત-સુધારસ-જલનિધિ ભવ-સાગરમાંહે સેતુ લલના
-
શ્રી સુપાસ. ૧ સાત-મહા-ભય ટાલતે સપ્તમ-જિન-વર-દેવ. લ. સા-વધાન-મનસા કરી, ધારો જિન-ડપદ–સેવ.લ૦ શ્રી–સુરા ૨ શિવ શંકરઃ જગદીશ્વરઃ ચિદાનંદ ભગવાન લ૦ જિન અરિહા તીર્થ કરઃ જ્યોતિ સ્વ-રૂપઃ અસમાનઃ લ૦
શ્રી-સુ ૩ અલખ નિર-ડજનઃ વચ્છઃ સકલ-જમ્નવિશરામ: ૧૦ અભય-દાન દાતા સદાઃ પૂરણ આતમ-રામલ૦ શ્રી-સુર ૪ વીતરાગ: મદ-કલ્પના-તિ-અરતિ-ભય-રોગ-૧૦ નિદ્રા-તંદ્રા-જુદશા-રહિત અબાધિતગઃ લ૦ શ્રી-સુર ૫ પરમ-પુરુષ: પરમSSતમા પરમેશ્વરઃ પરધાન, લ૦ પરમ-પહા-ડરથઃ પરમેષ્ઠી પરમ-દેવઃ પરમાનઃ લ૦ શ્રી–સુટ ૬ વિધિ વિરંચિ વિશ્વભરુ: હૃષિકેશ જગનાથઃ લ૦ અઘ-હરઃ અમોચનઃ ધણ મુક્તિ પરમ-પદ-સાથલ શ્રી-સુ૨૭ એમ અનેક અભિધા ધરે અનુભવ-ગમ્ય-વિચાર. લ૦ જે જાણે, તેહને કરે, આનંદઘન અવતાર. લ૦ શ્રી સુવ૮
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૭
૮. શ્રી-ચન્દ્ર-પ્રભ-જિન–તવન. [રાગઃ કેદ્રારાઃ તથા ગાડી: કુમરી રોવે આક્રંદ કરે, “મુને કાષ્ટ મૂકાવે”-દેશી] દેખણુ ૩૨ ! સિખ ! મુને દેખણુ કે ચદ્ર-પ્રભ-મુખચંદ. સખિ
ઉપશમસના દ૦
ખિ
સેવે સુરનર-ઇંદ
અત–કલિ-મલ–દુઃખ-દ: સખિઃ મુ॰ સુહમ-નિગાર ન રુખિયેા. સખિ
ભાદર અતિહિ વિશેષ, સખિ મુને
પુઢવી-આઉ ન લેખિયા. સખિત તે–વાઉ ન લેશ. સખિ ! મુને વનસ્પતિ અતિ-ઘણુ–દીહા, સ૦ દીઠા નહીં" ય દીદાર. સખિ સુને॰ ત્રિ-તિ–૫રિદિ: જલ-લિહા: ૨૦ ગત-સન્નિ: પશુ-ધારઃ સખિ ! સુને સુર-તિરિ–નિય-નિવાસમાં સ૦ મનુ-જ અના-ઽજ સાથ. સખિ! મુને અપજત્તા પ્રતિભામાં સ૦ ચતુર ન ચઢયા હાથ. સખિ! મુને એમ અનેક-થલ જાલિયે સ દરિસણ–વિષ્ણુ જિન—દેવ. સખિ! સુને આગમથી મત જાણિયે. સ૰ કીજે નિમલ-સેવ. સિખ ! મુને
Page #41
--------------------------------------------------------------------------
________________
યુવ
નિર્મળ–સાધુ-ભગતિ ગ્રહી, સ ચાગ-અ-વચક હોય. સખિ ! મુને કિરિયા—અ—વંચક તિમ સહી, ૨૦ ફૂલ-અવચર્ચા જોય. સખિ! મુને પ્રેરક અવસર જિન-વરુ. ૨૦ માહનીય ક્ષય જાય. સખિ ! સુનૈ॰ કામિત–પૂરણ-સુર-તરૂ સ માન–ધન–પ્રભુ—પાય, સખિ સુને
૯. શ્રીસુ–વિધિ નાથ-જિનસ્તવન. [ રાગ-કેદારોઃ “એમ લો ધણને પરણાવે. ” એ દેશી ] સુ-વિધિ-જિજ્ઞેસર-પાય નમીને, શુભ-કરણી એમ કીજે. ૨ અતિ-ઘણા ઉલટ અંગ ધરીને, પ્રહ ઉઠીને પૂજીજે.રે સુવિધિ ૧ દ્રવ્ય-ભાવ-શુચિ-ભાવ ધરીને, હપ્તે ઢેરે જઈએ. ૨ દહ–તિગ પણ–અહિંગમ સાચવતાં એક–મના રિ થઈએ. ૨ ૨ કુસુમ: અ-ક્ષત, વર–વાસ: સુ-ગંધિ—પઃ દીપ: મન-સાખી, ૨ અંગ—પૂજા પણુ–ભેદ સુણી-શ્વમ, ગુરુઃ સુખ: આગમ-ભાખીઃ ૨૩ બેહનું કુલ દાયભેદ સુણીજે અનન્તર ને ૫૨-૫૨, ૨ આાણા-પાલણ: ચિત્ત-પ્રસન્નીઃ મુગતિઃસુ-ગતિ સુરમંદિર.રસુ૦૪ કુલ: અક્ષતઃ વર–ધૂપઃ પઈવાઃ ગંધ: નૈવેદ્યઃ કુલઃ જલ ભરી.રે, મંગ—અગ્ર—પૂજા મળી અડ-વિધભાવે ભવિક શુભ-ગતિ વરી,૨ સુ૫ સત્ત-ભેદઃ એક-વીશ-પ્રકારે અટ્ટોત્તરશત-ભેદે ૨ ભાવ–પૂજા, મહુ–વિધ નિશ્તારી. દોઢગ-દ્રુગતિ છેકે. ૨૩૦ ૬ તુણ્યિ-ભેદ: પઢિત્તિ-પૂજાઃ ઉપશમઃ ખીણ: સખ્યાગી: ૨ ઘઉં–હા-પૂજા ઈમ ઉત્તર-ઽજ્જીયણે ભાખી કેવલ-લેાગી. ૨ ૭
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૯
પ્રંમ પૂજા ખડુ-ભેદ સુણીને, સુખદાયક શુભ-કરણી, ૨ વિક–જીવ કરશે, તે લેશે આનંદ-ધન-પદ-ધરણી. રે ૩૦ ૮ ૧૦. શ્રી-શીતલ-નાથ-જિન-સ્તવન.
[ રાગ-ધન્યાશ્રી: ગૌડ: માંગલિક-માલા ગુહ વિશાલા–એ દેશો.] શીતલ-જિન-પતિ લલિત-ત્રિ-ભંગી: વિવિધ ભંગી મન માહે૨ કરુણુા-કામલતા;તીક્ષણુતા: ઉદાસીનતાઃ સાહે. ૨ શીત૦ ૧ સવ*-જંતુ-હિત-કરણી કરુણુા. કમ-વિદ્વારણ તીક્ષણુ. રે હાના-5ઽદાન રહિત-પરિણામી: ઉદાસીનતા વીક્ષણ.રે શી ૨ પર દુઃખ-છેદન-ઈચ્છા કરુણાઃ તીક્ષણુ પર-દુઃખ રીઝે, ૨ ઉદાસીનતા ઉભય-વિલક્ષણઃ એક ઠામે કેમ સીઝે? રે શી૦ ૩ અભય-દાન: મલ-ક્ષય કરુણા: તીક્ષણુતા ગુણ-ભાવે. ૨ પ્રેરક-વિષ્ણુ-કૃત ઉદાસીનતાઃ ઇમ વિાષ મતિ નાવે.રે શી૦૪ શક્તિઃ વ્યકિતઃ ત્રિ-ભુવન-પ્રભુતાઃ નિગ્રન્થતાઃ સ ંચેાગે, ૨ યાગી: લાગીઃ વક્તા: મૌનીઃ અનુપયેાગી: ઉપયેગે.૨ શીપ ઇત્યાદિક બહુ ભંગા ત્રિ-ભંગી, ચમત્કાર ચિત્ત દેતી. ૨ અરિજ-કારી: ચિત્ર-વિચિત્રાઃ આનન્દ-ધન-પ૪ લેતી, રે શી૦ ૬ ૧૧. શ્રી શ્રેયાંસનાથ-જિન-સ્તવન. રાગ-ગૌરી: અહે। મતવાલે સાજના ! એ દેશી. ] શ્રી-શ્રેયાંસ જિન અતર જામીઃ આતમ-રામી: નામીઃ ૨ અધ્યાતમ-મત પૂરણ પામીઃ સહજ-મુગતિ-ગતિ–ગામી. ૨ ૧ સયલ-સંસારી ઇન્દ્રિય-શમી મુનિ-ગણુ આતમ-રામી, ૨ મુખ્યપણે જે આતમ-રામી, તે કેવલ નિષ્કામી,રે શ્રી-શ્રે૨ નિજ-સ્વરૂપ જે કિરિયા સાથે, તે અધ્યાતમ લહીએ. રે જે કરિયા કરી ચઉ-ગતિ સાધે, તે ન અધ્યાતમ કહીએ. ૨૩
Page #43
--------------------------------------------------------------------------
________________
નામ-અધ્યાતમઃ ઠવણ-અધ્યાતમ દ્રવ્ય-અધ્યાતમ છડેરે, ભાવ-અધ્યાતમઃ નિજ ગુણ સાધે, તે તેહશું રઢ મડે રે ૪ શબ્દ-અધ્યાતમ-અરથ સુણીને, નિર્વિકલ્પ આદરજે. રે, શબ્દ-અધ્યાતમ-ભાજના જાણું, હાન-ગ્રહણ-મતિ ધરજે રે ૫ અયાતમીઃ જે વસ્તુ વિચારી. બીજા જાણ લબાસી. રે, વસ્તુ-ગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન-મત-વાસી. ૨ શ્રી-છે- ૬
૧૨. શ્રી વાસુપૂજ્ય જિન-સ્તવન. [ રાગ-ગોકી તથા પરજ તુગિયાગિરિ શિખરે સેહે એ દેશો. | વાસુ-પૂજ્ય-જિન! ત્રિભુવન-સ્વામી:ઘનનામી: પનામી: રે; નિરાપssકાર સા-SUકારઃ સચેતન કરમઃ કરમ-ફલ-કામી જેવા ૧ નિરા-કાર: અ-ભેદ-સંગ્રાહક. ભેદ-ગ્રાહક સા ડડકારે રે | દર્શનઃ જ્ઞાનઃ દુ-ભેદ-ચેતના વસ્તુ-ગ્રહણ-વ્યાપારે. વા૦ ૨ કર્તા પરિણામઃ પરિણમે. કર્મ જે જીવે કરિયે રે એક-અનેક-રૂપઃ નય-વાદે નિયતે નર અનુસરિયે. રે વા. ૩ દુઃખ-સુખ-રૂપ કરમ-ફલ જાણે નિશ્ચયઃ એક આનન્દ. રે
ચેતનતા-પરિણામ ન ચૂકે ચેતનઃ”–કહે જિન-ચંદે રે વા૦૪ પરિણમી ચેતન પરિણામે-જ્ઞાન: કરમઃ ફલ ભાવી. જ્ઞાન કરમઃ ફલઃ ચેતન કહીએ. લેજે તે મનાવી રે વા. ૫ આતમ-જ્ઞાની શ્રમણ કહાવે. બીજા તે દ્રવ્ય-લિકી. રે વસ્તુ- તે જે વસ્તુ પ્રકાશે, આનન્દઘન-મતિ-સંગી. રે વા. ૬
૧૩. શ્રી વિમલનાથ-જિન-સ્તવન. [ રાગ મહાર: ઈડર આંબા આંબલીરે એ દેશી ] દુઃખ-દેહગ દૂર કન્યાઃ રે સુખ-સંપદશું ભેટઃ ધીંગ-ધણું માથે કિયે રે કુણુ ગંજે નર–ખેટ?
Page #44
--------------------------------------------------------------------------
________________
૪૩
વિમલ-જિન! દીઠાં લેાયણ આજ. મ્હારાં સીધ્યાં તિ-કાજ.
વિમલ૦
ચરણ-કમળ-કમલા વસે રે નિમલ-થિર-પ૪ ૩ખ. સ·મલ-અ-થિર-૫૪ પરિહરીરે ૫ ક-૪ પામર પેખ.વિ॰ દ્વી૦૨ મુજ મન તુજ પદ-પંકજે રે લીના ગુણુ-મકર૬. ૨૪ ગણે મદર-ધરા રે ઇંદ્રઃ ચંદ્રઃ નાગેન્દ્ર: વિ॰ ઢી 3 સાહિબ ! સમરથ તું ધણી: ૨ પામ્યા પરમ-ઉદારઃ મન—વિશરામી: વાલહા રે આતમર્ચા આધારઃ વિ॰ દી૦ ૪ દરિસણુ દીઠે જિનતણું રે સંશય ન રહે વેજ. દિન-કર-૪ર-ભર્ પસર તા ૨ે અન્યકાર-પ્રતિષેધ, વિ॰ દીપ અમિય-ભરી મૂરતિ રચી રે ઉપમા ન ઘટે કે ય. શાન્ત-સુધારસ ઝીલતી. રૈ નિરખત તૃપ્તિ ન હેાય.વિશ્વી૦ ૬ એક-અરજ સેવક તણી રે, અવધારે જિન-દેવ ! કૃપા કરી મુજ દીજીયે રે આનંદઘન–પદ્મ–સેવ. વિ॰દી ૭ ૧૪. શ્રી અનતનાથ જિન-સ્તવન.
[ રાગ-રામગિરિઃ કડ ખા; પ્રભાતી: ]
પાર તરવારની સાહિલી. દેહિલી ચઉદ્દમા જિનતણી ચરણ-સેવા. ધાર પર નાચતાં દેખ માજીગરા.સેવના-ધારપર રહે ન દેવા. ધા૦૧ એક કહે “સેવીએ વિવિધ-કિરિયા કરી. ’
લ અનેકાંત લેાચન ન રૃખે. કુલ અનેકાંત-કિરયા કરી ખાપડા.
રડવડે ચાર-ગતિમાં લેખે, ધાર૦ ૨
ગચ્છના ભેદ બહુ નયણુ નિહાળતાં
તત્ત્વની વાત કરતાં ન લાજે,
Page #45
--------------------------------------------------------------------------
________________
ઉદર-ભરણ-ssતિ-નિજ-કાજ કરતાં થક.
મેહનડિયા કલિકાલ-રાજે. ધાર૦ ૩ વચન-નિરપેક્ષ-વ્યવહાર જૂઠે કહો.
વચન-સાપેક્ષ-વ્યવહાર સાચે. વચન-નિરપેક્ષ વ્યવહાર સંસાર-ફલ.
સાંભળી, આદરી કાંઈ ચે. ધા૨૦ ૪ દેવઃ ગુરુઃ ધર્મની શુદ્ધિ કહે કિમ રહે?
કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણે. શુદ્ધશ્રદ્ધાન-વિષ્ણુ સર્વ-કિરિયા કરે,
A. છાર પર લીંપણું તે જાણે. ધાર૦ ૫ પાપ નહીં કોઈ ઉત્સવ-ભાષણ જિ.
ધર્મ નહીં કઈ જગ-સત્ર-સરિ. સૂત્ર-અનુસાર જે ભવિક કિરિયા કરે,
તેનું શુદ્ધ-ચારિત્ર પરીખે ધા. ૬ એહ ઉપદેશને સાર સંક્ષેપથી
જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે, તે નરા દિવ્ય બહુ-કાળ સુખ અનુભવી,
નિયત આનન્દઘનશજ પાવે. ધાર ૭ ૧૫. શ્રી–ધર્મ-નાથ-જિન–સ્તવન.
[ રાગ-ગેડી: સારંગ રશીયાની દેશી. ] ધર્મ-જિનેશ્વર ! ગાઉં રંગશું. ભંગ મ પડશે હે પ્રીત. જિનેશ્વર ! બીજે મન-મંદિર આણું નહીં.
એ અમ કુલ-વટ-રીત. જિ. ધર્મ, ૧
Page #46
--------------------------------------------------------------------------
________________
હ હ હ
૪૩ “ધરમ ધરમઃકરતે જગ સહ ફિર
ધરમ ન જાણે છે મમ જિ. ધરમ-જિનેશ્વરચરણ પ્રદા પછી,
કોઈ ન બાંધે હો કર્મ. જિ. ધર્મ- ૨ પ્રવચન-અજ્જન જે સદગુરુ કરે,
દેખે પરમ નિધાન. હૃદય-નયણ નિહાલે જગ-ધણી.
મહિમા મેરુ-સમાન જિધ૩ રડત દેડિત દેહત દેડીયે,
જેતી મનની રે દેડ, જિ. પ્રેમ-પ્રતીત વિચારો ટુંકડી.
ગુરુ-ગમ લેજે રે જેડ જિ. ધ૪ એકપખી કેમ પ્રીતિ પરવડે?
ઉભય મિલ્યા હેય સંધિ. જિ. હું રાગીઃ હું માહે ફંડિયે
તું નીરાગીઃ નિરબંધ જિધ , પરમનિયાન પ્રગટ મુખ આગળ.
જગત ઉંધી હે જાય. જિ. જ્યોતિવિના જુઓ જગદીશની.
અંધેઅંધ પુલાય. જિ૫૦ ૬ નિર્મલ-ગુણ-મણિરહણ-ધંધરા
મુનિજન-માનસ-હંસ. જિ. ધન્ય તે નગરીઃ ધન્ય વેલા: ઘડીઃ
માતા પિતા: કુલ વંશ જિ. ધર્મ૭
હ હ હ હ
હ હ
Page #47
--------------------------------------------------------------------------
________________
મન-મધુ-કર–વર કર જોડી કહે,
પદ-ક-જ-નિકટ-નિવાસ, જિ. ઘન-નામી આનંદઘન સાંભળે,
એ સેવક–અરદાસ. જિ. ધર્મ, ૮ ૧૬. શ્રી-શાન્તિ–નાથ-જિન–સ્તવન, [ રાગ-મહારઃ ચતુર ચોમાસું પકિમી. એ દેશી ]. શાનિત જિન! એક મુઝ વિનતિ સુણે ત્રિ-ભુવનરાય રે શાન્તિસ્વરૂ૫ કિમ જાણિએ કહે “મન કીમ પરખાયરે? શાં. ૧ “ધન્ય તું આતમા. જેહને એડવે પ્રશ્ન-અવકાશ રે ? ધીરજ મન ધરી સાંભળ-કહું શાન્તિ-પ્રતિભાસ. રે શાં૨ ભાવ અ-વિશુદ્ધઃ સુ-વિશુદ્ધઃ જે કહ્યા જિન-વર–દેવ. રે “તે તિમ” અ-વિતથ સહે, પ્રથમ એ શાંતિ-પદ-સેવ. રેશાં ૩ આગમ-ધરઃ ગુરુ સમકિતિઃ કિરિયા સંવર સારા રે સંપ્રદાયી: અવંચક સદાઃ શુચિ–અનુભવા-ssધાર. રે શાં. ૪ શુદ્ધ-આલંબન આદરે તજી અવર-જંજાલ. રે તામસી-વૃત્તિ સવિ પરિહરે. ભજે સાત્વિક-શાલ. રે શાં. ૫ ફલ-વિસંવાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સંબંધી રે સકલ-નય-વાદ વ્યાપી રહ્યો, તે શિવ-સાધન-સંધિ. રે શાં૬ વિધિ: પ્રતિષેધ કરી આતમા–પદા–રથ અ-વિરોધ. રે ગ્રહણ-વિધિ મહા-જને પરિચોઈ આગમે બેધ. રે શાં. ૭ દુષ્ટ-જન-સંગતિ પરિહરી, ભજે સુ-ગુરુ-સંતાન. રે જોગ સામર્થ્ય ચિત્ત-ભાવ જે ધરે મુગતિ-નિદાન રે શાં૮ માન-અપમાન ચિત્ત સમ ગણે સમ ગણે કનક-પષિાણરે વ-ન્દક-નિ-ન્દક સમ ગણે. ઈશ્ય હેય તું જા રે શાં૯
Page #48
--------------------------------------------------------------------------
________________
સર્વ—જગ-જંતુને સમ ગણે સમ ગણે તૃણ-મણિ-ભાવો રે મુક્તિ સંસાર બિહુ સમ ગણે. મુણે ભવ-જલ-નિધિ-નાવ રેશાં ૧૦ આપણો આતમ-ભાવ જ એક ચેતના-SSધાર. રે અવર સવિ સાથ સગથી, એહ નિજ પરિકર સાર. રેશાં ૧૧ પ્રભુ-મુખથી એમ સાંભળી. કહે આતમ-રામ. રે “તાહરે દરિશણે નિસ્ત, મુજ સીધાં સવિ-કામ, રે શાં. ૧૨ અહો અહો હું મુજને કહ-“નમે મુજ ન મુજ. રે” અમિત-ફલ-દાન-દાતારની જેહને ભેટ થઈ તુજ. રે” શાં. ૧૩ શાન્તિ-સ-રૂપ સંક્ષેપથી. કહ્યો નિજ-પર-રૂપ. રે” આગમમાંહે વિસ્તાર ઘણે. કો શાન્તિજિન ભૂપ. રે શાં. ૧૪ શાન્તિ-સ-રૂપ એમ ભાવશે. ધરી શુદ્ધ-પ્રણિધાન. રે આનંદ-ઘન-પદ પામશે. તે લહેશે બહુમાન. રે શાં. ૧૫
૧૭. શ્રી-કુંથુ–નાથ-જિન-સ્તવન, રિાગ-મુર્જરીઃ રામ-કલિ અંબર દેહો મોરારી હમારે-એ દેશી] મનડુંકિમહિન બાજે હે! કુલ્થ-જિન મનડુંકિમહિન બાજે ! જિમજિમ જતન કરીને રાખું,તિમ તિમ અલગું ભાંજે હે.કું રજની-વાસર: વસતી-ઉજડ-ગયણ પાયાલેઃ જાય. “સાપ ખાયને મુખડું થયું.”એહ ઉખાણે ન્યાય. હા!કું.૦૨ મુગતિતણા અભિલાષી તપીયા જ્ઞાનને ધ્યાન: અભ્યાસ વયરીડું કાંઈ એહવું ચિંતે નાંખે અવળે પાસે હે ! કું. ૩ આગમ આગમ-ધરને હાથે નાગs કિણ-વિધ આકું. કિહાં કણે જે હઠ કરી હઠકું તે વ્યાલતણીપરે વાંકું હે.! કુ૪ જે “ઠગ” કહું તે ઠગ તે ન દેખું, શાહુકાર પણ નહી. સવમાંહેન સહુથી અલ. એ અચરિજ મનમાંહી. હે! કુપ
Page #49
--------------------------------------------------------------------------
________________
જે જે કર્યું, તે કાન ન ધારે. આપ-મતે રહે કાલે. સુર-નર-પડિત-જન સમજાવે ન માહરે સાલે. હે ! કું૬ મેં જાણ્યું “એ લિગ નપુંશક.સકલ-મરદને ઠેલે. બીજી વાતે સમરથ છે નર. એહને કેઈ ન જેલે. હે ! કું૦ ૭. “મન સાધ્યું, તેણે સઘળું સાધ્યું.” એ વાત નહિ ખોટી. એમ કહે, સાધ્યું નવિ માનું. એક હિ વાત છે મહટી. હે! કું- ૮ “મનડું દુરારાધ્ય તે વશ આયું. તે આગમથી મતિ અણું. આનદ વન-પ્રભુ! મારું આણે. તે સાચું કરી જાણું. હા! કં૦ ૯
- ૧૮ શ્રી–અર–નાથ-જિન સ્તવન. રિાગ-પરજ તથા ઋષભને વંશ રયણાય-એ દેશી ધરમ પરમ અર-નાથને, કિમ જાણું ભગવતરે, સ્વ-પર-સમય સમજાવીએ. મહિમાવંત મહંતરે ધર. મ. ૧ શુદ્ધા-ઉત્તમ-અનુભવ સદા. સવ-સમય એહ વિલાસ. રે પર-પડિછાંયડી જે પડે. તે પર-સમય નિવાસ રે ધ૦ ૨ તારા નક્ષત્રઃ ગ્રહ: ચંદની, તિ દિનેશ મઝાર. રે દર્શનઃ જ્ઞાનઃ ચરણ થકી. શક્તિ નિજાક-Sતમ ધાર. રે ધ૦ ૩ ભારીઃ પીળા ચીકણેક. કનક અનેકતરલ્સ. રે પર્યાય-દષ્ટિ ન દિજીએ. એક જ કનક અ-ભજ્ઞ. રે ધ૦ ૪ દરશના જ્ઞાન ચરણ થકી, અ-લખ સ-રૂપ અનેક રે નિર્વિકલ્પ-રસ પીજીએ. શુદ્ધ-નિર-જન એક રે. ધ૫ પરડમા-ડરથ-પંથ જે કહે, તે જે એક-તંત રે વ્યવહારે-લખ જે રહે, તેહના ભેદ અનન્ત, રે ધ૦ ૬ વ્યવહારે લખ દેહિલે. કાંઈ ન આવે હાથ. રે શુદ્ધ-નય-થાપના સેવતાં. નવિ રહે દુવિધા-સાથ. રે ધ૦ ૭
Page #50
--------------------------------------------------------------------------
________________
એક-પખી લખ પ્રીતિની. તુમ સાથે જગ-નાથ, રે કૃપા કરીને રાખજે, ચરણ-તળે ગ્રહી હાથ. ! રે ધ૦ ૮ ચક્રી ધરમ-તીરથતણે. તીરથ-ફલ તત્ત-સારા રે તીરથ સેવે, તે લહે. આનન્દ-ઘન નિરધાર રે ધ૯
૧૯. શ્રીમલિ-નાથ-જિન સ્તવન.
[ રાગ-કાફીઃ સેવક કિમ અવગણિયે ? ]. સેવક કિમ અવગણીયે ? હ ! મલિ-જિન ! એહ અબ શોભા સારી ? અવર જેહને આદર અતિ દીએ, તેહને મૂલે નિવારી. હે! મ. ૧ જ્ઞાન-વ-રૂપ અનાડડદિ તમારું. તે લીધું તમે તાણું. જુઓ અ-જ્ઞાન-દશા રીસાવી. જાતાં કણ ન આણી, હો! મ૦ ૨ નિદ્રાઃ સુપનઃ જાગર: ઉજાગરતાઃ તુરીય-અવસ્થા આવી. નિદ્રા સુપન દશા રીસાણી, જાણું, ન નાથ મનાવી. હે! મ૦ ૩ સમક્તિ સાથે સગાઈ કીધી. સ-પરિવાર શું ગાઢી. મિથ્યા-મતિ અપરાધણુ જાણી, ઘરથી બહિર કાઢી. હે! મ૦૪ હાસ્યઃ અરતિઃ શોક: દુગચ્છાઃ ભય પામર મકરસાલી; ને-કવાય ગજ-શ્રેણિ ચડતાં,શ્વાન તણી ગતિ ઝાલી હો મ૦ ૫ રાગદ્વેષઃ અ-વિરતિ ની પરિણતિ. એ ચરણ-મેહના દ્ધા. વીતરાગ-પરિણતિ પરિણમતાં, ઉઠી નાઠા બધા. હે! મગ ૬ વેદેાદય કામા પરિણામા, કામ્ય-કરમ સહુ ત્યાગી, નિ:કામી: કરુણા રસસાગર અનંત ચતુષ્ઠ પદ પાગી. હા! મ૦૭ બારી દાન-વિઘન વારી, સહ-જનને અ-ભય-દાન-પદ દાતા. લાભ-વિલન જગવિલન નિવારક, પરમ લાભ રસ માતા છે. મ ૮
* ઘુરસીલી પાઠાન્તર.
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૮
વીય-વિધન પડિત-વર્ષે હણી, પૂરણ-પદવી-યેગી. ભોગપભોગ દેય વિઘન નિવારી,પરણુ-ગ-સુજોગી હોઈ મ૯ એ અઢાર દૂષણ વર્જિત-તનુ મુનિ-જન-વંદે ગાયા. અવિરતિ–રૂપક દેષ નિરુપણ નિષણ મન ભાયા. હો! મ૧૦ ઈવિધ પરખી, મન-વિશરામી, જિન-વ-ગુરુ જે ગાવેઈન બધુની હેર નજરથી આનન્દઘનપદ પાવે. હે! મ. ૧૧
૨૦ શ્રી-મુનિ-સુવ્રત-જિન સ્તવન. [ રાગ-કાફી આઘા આથ પધારે પૂજ્ય-એ દેશી ] મુનિસુવ્રત જિન-રાય ! એક મુઝ વિનતિ નિ સુણે. “આતમ-તત્ત્વ કર્યું જાણું જગત-ગુરુ! એહ વિચાર મુઝ કહિયો. આતમ-તત્વ જાણ્યાવિહુ નિર્મલ-ચિત્તસમાધિ નવિ લહિયે
| મુ. ૧ એ આંકણી. કેઈ“અ-બંધ આતમ-તત્ત.” માને. કિરિયા કરતે દસે. “કિરિયાતણું ફલ કહે કુણ ભગવે?” ઈમ પૂછયું,ચિત્તરીસે. મુ જડ-ચેતન: એ આતમ એક જ સ્થાવર જંગમ: સરિસુખ-દુઃખ-સંકર-દૂષણ આવે. ચિત્ત વિચારી જે પરીખ. મુ. ૩ એક કહે “નિત્યજ આતમ-તત્ત” આતમ-દરિસણ-વીને. કૃત વિનાશઃ અકૃતાગમ-દૂષણનવિ દેખે મતિ હણે મુ૦૪ સૌગત-મત-રાગી કહે વાદી:-“ક્ષણિક એ આતમ જાણે.” બંધમાક્ષઃ સુખ દુખ નવિ ઘટે. એહ વિચાર મન આણે.મુo૫ ભૂત-ચતુષ્ક-વર્જિત-આતમ-તત્ત સત્તા અલગી ન ઘટે” અંધ શકટ જે નજરે ન દેખે, તે શું કીજે શકટે? મુ. દ. એમ અનેક-વાદિ-મત-વિભ્રમ–સંકટ પડિયા, ન લહે
Page #52
--------------------------------------------------------------------------
________________
ચિત્ત-સમાધિ. તે માટે પૂછું. તુમવિણ તન કેઈન કહે.મુ૭ “વલતું જગ-ગુરુ ઈણિપરે ભાખે-પક્ષ-પાત સબ ઈડી. રાગ--મેહ-પખ-વર્જિત આતમરું ૨૮ મંડી. મુ. ૮ આતમ-ધ્યાન કરે જે કોઉ, સે ફિર ઈમે નાss, વાગ-જાત બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત ચાલે. મુળ ૯ જિણે વિવેક ધરી એ ૫ખ ગ્રહિયે, તે તત્ત-જ્ઞાની કહિયે. શ્રી મુનિસુવ્રત કૃપા કરતે,આનંદ વન-પદ લહિયે. મુ૧
ર૧. શ્રી નમિનાથ-જિન-સ્તવન. | રાગ-આશાવરી ધન ધન સંપતિ સાચે રાજઃ એ શી ] પહ–દરિસણુ જિન-અંગ ભણજે, ન્યાસ ષડ-ડગ જે સાધે. નમિ જિન વરના ચરણ-ઉપાસક પ–દરિસન આરાધે રેષ૦૧ જિન-સુર-પાદપ-પાય વખાણું સાંખ્ય: જેગડ દેય ભેટ ૨ આતમ-સત્તા-વિવરણ કરતાં, લહા દુગ અંગ અ-ખેર. ૨ષ૦૨ ભેદઃ અ ભેદ સૌ–ગત મીમાંસક જિન-વર દેય કરી ભારી રે, લકા-ડ-ક-અવલંબન ભજીયે, ગુરુ ગમથી અવધારી રે૧૦૩ લોકાયતિકઃ કુખ જિન વરની, અંશ વિચારી જે કીજે. રે તત્ત્વ-વિચાર-સુધારસ-ધારા ગુન્ગમવિણ કમિ પીજે? ૨.૫૦ ૪ જૈન જિનેશ્વર-ઉત્તમ-અંગ, અન્તર-ડાંગ-આહિર-ગે. રે અક્ષર-ન્યાસ-ધરા-આ રાધક. આશધે ધરી સંગે, રે ૫૦ ૫ જિન-વરમાં સઘળા દરિસણુ છે. દરિસણમાં જિન-વર-ભજના.૨૦ સાગરમાં સળી-તટિની સહી, તકિનીમાં સાગર–ભજના રે પ૦૬ જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હેવે રે, ભૂહગી ઈલિકાને ચટકાવે. તે ભૂગી જગ જે, પ૦ ૭
Page #53
--------------------------------------------------------------------------
________________
૫૦
ચુર્ણિ: ભાષ્યઃ સૂત્રઃ નિયુક્તિઃ વૃત્તિ: પરંપર-અનુભવ. રે સમય પુરુષનાં અંગ કહ્યા એ. જે છે તે દુર્ભાવ. રેષ૦ ૮ મુદ્રા બીજા ધારણ અક્ષર: ન્યાસઃ અરથવિનિયોગ. રે, જે ધાવે, તે નવિ વંચિજે. કિયા-અવંચક ભેગે. રે પ૦ ૯ શ્રત-અનુસાર વિચારી બેલું. “સુ-ગુરુ તથા વિષ ન મિલે. રે કિરિયા કરી નવિ સાધી શકિયે.” એવિષ વાદચિત્ત સઘળે રેષ૦૧૦ તે માટે ઉભું કર જોડી, જિન વર આગલ કહીયે. રે “સમય-ચરણ-સેવા શુદ્ધ દેજે, જેમ આનંદઘન લહીયે રે ષ૦૧૧ - રર શ્રી-નેમિનાથ-જિન સ્તવન.
[ રાગ-માણ ઘણુરા લાએ દેશી ! અષ્ટ-ભવંતાર વાલહી. રે તું મુઝ આતમરામ. મનરા વાલા! મુગતિ-સ્ત્રીશું આપણે રે સગપણ કેઈ ન કામ. મ. ૧ ઘર આવે છે વાલમ ! ઘર આવે ! મારી આશાના વિશામાં રથ ફેરે હો! સાજન ! રથ ફેરો માહરા મને સ્થ-સાથ. મ03 “નારી-પ શો નેહલ રે, સાચ કહે જગનાથ ” ઈશ્વર અધગે ધરી રે તું મુઝ ઝાલે ન હાથ, મ૦ ૩ પશુ જનની કરુણું કરી રે આણું હૃદય-વિચાર. માણસની કરુણા નહિ. ૨ એ કણ ઘર આચાર ? મ૦ ૪. પ્રેમ-કલ્પ-તર છેદી. રે ધરિયે જોગ-ધર. ચતુરાઈ કુણ કહે રે ગુરુ મિલિયે જગ-સૂર? મ૦ ૫ મારું તે એમાં કાંઈ નહિ રે આપ વિચારે રાજ!
શજ-સભામાં બેસતારે સિડી બધસી લાજ?” મ. ૬ પ્રેમ કરે જગ-જન સહુ રે નિવડે તે એર,
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્રીત કરીને છેડી રે. રે તેહશું ન ચાલે જેર. મ૦ ૭. જે મનમાં એવું હતું. જે નિસપત કરત ન જાણું. નિસપત કરીને છાંડતાં, રે માણસ હુવે નુકસાન. મ૦ ૮ દેતાં દાન સંવત્સરી, રે સહુ લહે વંછિત પિષ. આ સેવક વંછિત નવિ લહે, રે એ સેવકનો દોષ સખી કહે-“એ શામલે..” રે હું કહું “ લક્ષણ” સેત ઈશુ-લક્ષણ સાચી સખી. જે આપ વિચાર હેત. મ૦ ૧૦
રાગી શું રાગી સહુ રે વેરાગી યે રાગ!” રાગ વિના કિમ દાખવે રે મુગતિ-સુંદરી-માગ ? મ. ૧૧ એક-ગુટ્ટા ઘટતું નથી, રે સઘલયે જાણે લેક અનેકાંતિક ભેગ રે બ્રહ્મચારી ગત-રેગ મ૦ ૧૨ જિણ જેણે તમને જોઉં, રે તિણ જેણે જુવે રાજ! એક-વાર મુઝને જુઓ. રે તે સીજે મુજ કાજ. મ. ૧૩ મેહ-દશા ધરી ભાવના. જે ચિત્ત કહે તત્ત્વ-વિચાર. વીત–રાગતા આદરી રે પ્રાણનાથ નિરધાર. મ. ૧૪ સેવક પણ તે આદરે છે તે રહે સેવક-મામ. મ. આશય સાથે ચાલીએ. જે એહી જ રૂડું કામ. મ. ૧૫ ત્રિ-વિધગ ધરી આઇ રે. નેમિનાથ ભરતાર. ધારણ પિષણ: તારણે રે નવ-રસ-મુગતા-હાર મઠ ૧૬ કારણુ-રૂપી પ્રભુ ભજ્યા રે. ગયું ન કાજ-અકાજ કૃપા કરી મુખ દીજીએ રે આનન્દઘન-પદ-આજ મ૦ ૧૭
Page #55
--------------------------------------------------------------------------
________________
પર
૨૩. શ્રી–પાશ્વ–નાથ-જિન-સ્તવન,
[ રાગ-સારંગ રસીઆની દેશી ] કુવ૫તવામીહઃ સ્વામિમાહરા નિકામી ગુણરાય સુજ્ઞની. નિજ ગુણ-કામી. છે! પામી તું ઘણી, ધ્રુવઆરામી હે! થાય. સુજ્ઞાની પુરુ સવ-વ્યાપી કહે સર્વ—જાણુગપણે. પર-પરિણમનસ રૂપસુવ પર રૂપે કરી તત્ત્વપણું નહીં સવ-સત્તા ચિ-રૂપ. સુવ ધ્રુવ ૨ ફેય અને હે ! જ્ઞાન-અનેકતા-જલ-ભાજન રવિ જેમ. સુત્ર દ્રવ્ય-એકત્રપણે ગુણ એકતા નિજ ૫૦ રમતા હે એમ સુ છુ ૩ પર-ક્ષેત્રે ગત શેયને જાણવે, પર-ક્ષેત્રે થયું જ્ઞાન. સુ
અસ્તિપણું નિજ-ક્ષેત્ર”તમે કહ્યું,નિર્મલતા ગુણમાન. સુવધુ ૪ ય-વિનાશે હે! જ્ઞાન વિનશ્વર, કાળ-પ્રમાણે રે થાય. સુત્ર
-કાળે કરી સ્વ–સત્તા સદા, તે પર રીતે ન જાય. સુ છુ. ૫ પર-ભાવે કરી પ૨તા પામતાં, સ્વ-સત્તા-થિર–ઠાણ સુત્ર આત્મ-ચતુળમયી પરમાં નતી, તે કિમ સહુને રે જાણ સુ. ધ્રુવ ૬ અ-ગુલઘુઃ નિક-ગુણને દેખતાં, દ્રવ્ય સકલ દેખત. સુ સાધારણ-ગુણની સામ્યતા, દર્પણ-જલને દષ્ટાંત, સુબુ૭ શ્રી પારસજન પારસ-રસ સમે, પણ ઈહાં પારસ નાંહિ સુત્ર પૂરણુરસિ હે! નિક-ગુરુ-પરસન્ન આનંદઘન મુજ માંહિ સુ ધo
Page #56
--------------------------------------------------------------------------
________________
ર૪. શ્રી–મહા–વીર–વર્ધમાન-જિન સ્તવન.
( રાગ-ધનાશ્રી) વીરજીને ચરણે લાગું. વીરપણું તે માગું. રે મિથ્યાતિમિર ભય લાગ્યું જિત-નગારું વાગ્યું રે વી. ૧ છઉમવીય વેશ્યા - સંગે અભિસંધિ જ મતિ-અંગે. રે સૂકમ-સ્થલ-ક્રિયાને રંગે. થેગી થયે ઉમંગે. રે વી૨ અસંખ્ય-પ્રદેશે વીય-અસંખે, એગ અ-સંખિત કં. ૨ પુદગલ-ગણુ તિલે સુ-વિશેષે યથાશકિતમતિ–લેખે રે વી૩ ઉત્કૃષ્ટ-વીર્ય-નિવશે યોગ-ક્રિયા નવી પેસે. રે
ગતણી દુવ્રતાને લેશે આતમ-શક્તિ ન બેસે. ૨ વી. ૪ કામ-વીર્ય-વશે જિમ ભોગી, તિમ આતમ થયે ભગીર શૂરપણે આતમ-ઉપયોગી થાય તેહ અ-ગી રે વી. ૫ “વીરાણું: તે આતમ-ઠાણે” જાણ્યું તેમચી વાણે રે ધ્યાનવિનાણે શક્તિ પ્રમાણે નિજધુવપદ પહિચાણે રેવી. ૬ આલંબન-સાધન જે ત્યાગે-પરિણતિને ભાગે. રે અક્ષય-દર્શન જ્ઞાન વેગે આનન્દઘન–પ્રભુ જાગે. રે વીe૭
૧ ઉત્કૃષ્ટ ક્રિયા નય દેશ પાઠાન્તર, ૨ દ્રવ્ય તણું પાઠાન્તર.
Page #57
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગસ્થ ભાઈશ્રી નરેતમદાસ કેશવજીભાઈની જીવનરેખા.
સ્વર્ગસ્થ ભાઈ નત્તમદાસને જન્મ સાચે જૈન કુળની મહત્તા સમજનાર અને શ્રીમંત કુટુંબમાં થયે હતે. પૂર્વ જન્મના પુણ્યાનુસાર પ્રાપ્ત થયેલી સામગ્રીને સદુપયેગ ધર્મચિમાં પરિણમે, સવ. ભાઈ નરોત્તમદાસ –
સુવિધિનાથ તુમ ગુણ કુલના
મેરે દીલ હે બાગ. જશ કહે–“ભ્રમર હોય રસિક, તાકે
લીજે ભક્તિ પરાગ.” મેં કીના નહિં તુમ બીન એરણું રાગ.
એ ઉક્તિ અનુસાર દેવાધિદેવ વિતરાગ પરમાત્માની ભક્તિમાં લીન બન્યા હતા. સંગીતની બક્ષીસ કુદરતી હતી. વાયોટીન ઉપર કાબુ અનુપમ હતો. સંગીતની મિજલસમાં હાજરી આપી કેટલાએ ચાંદેની પ્રાપ્તિ કરી હતી. ઉત્તમ કુળ અને ધાર્મિક વાતાવરણ સાંપડવાથી સવ- નરો તમદાસે ટુંક ઈદગીને ભકિતમાર્ગો સદુપયોગ કર્યો હતે.
વેદનીય કર્મના પરિપાક રૂપે ફીટનું દરદ પલે પડવાથી લગભગ સોળેક વર્ષની વયે શાળાજીવન છેડવું પડ્યું.
Page #58
--------------------------------------------------------------------------
________________
સહાધ્યાયીઓ પાસેથી હજુ પણ જાણવા મળે છે, કે-“વ નરોત્તમદાસ ખરેખર સરલ-સ્વભાવી: ઉદાર-ચરિત અને કળા-રસિકા હતા.
માત્ર પચીસ વર્ષની ઉગતી ઉમરમાં આપ્તજનમાં સુવાસ ફેલાવી, ભક્તિને પરાગ ખેંચતા જીવન લીલા પૂરી કરી.
*किर विहिणा लिहियं
ते चिय परिणमा सयल-लोयस्त । “વિષાતાએ જે લેખ લખ્યા હોય, તે સવ, લેકને અવશ્ય પરિણમે છે.”
સવ, ભાઇ નરોત્તમદાસના આત્માની ભાવનાઓને અનુરૂપ ભતિરય પ્રધાન આ ચોવીશીનું પ્રકાશન તેમના પિતાશ્રી શેઠ કેશવજી નેમચંદભાઈ તરફથી કરવામાં આવે છે, તે પણ યોગ્ય ઘટના ઘટી લેખાય.
સ્વ. ભાઈ નરોત્તમદાસના આત્માને શાસનદેવ ચિર શાંતિ સમપે, એવી ઇચ્છા સાથે વિરમું છું.
લી. મણિલાલ વનમાલીદાસ શેઠ.
Page #59
--------------------------------------------------------------------------
________________
થ્રી-આનન્દ-ધન-ચોવીશી.
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રી આનન્દઘનજી મહારાજ વિરચિત
શ્રી આનન્દ-ધન-ચોવીશી
[પ્રભુદાસ બેચરદાસ પારેખની
અવતરણ: શીર્ષક: શબ્દાર્થઃ ગાથાર્થ ભાવાથ' ટીપણુઃ સનિસ સૂચન: કવચિત્ પ્રમાણેા વગેરેથી સુગમ સક્ષિપ્ત વિવેચના–પ્રમાદા યુક્ત ]
સપાદકઃ પ્રભુદાસ બેચરદાસ પારેખ, રાજકોટ.
Page #61
--------------------------------------------------------------------------
________________
મલમ્
હરિ–ગીત-છન્દા સ્વાત્મમાં પ્રીતિભકિતથી
આનન્દ–ધન–પદ મેળવું. પરમ–નિમિત્ત તે માર્ગમાં
જિન–દેવને વંદના કરું. આનન્દ–ધન ચોવીશી રૂડી
ખ્યાત શ્રી સંઘે બહુ પ્રમોદા નામની વિવેચના
હું ટુંકમાં તેની ક–૧.
Page #62
--------------------------------------------------------------------------
________________
૧. શ્રી-ગષભ-દેવ-જિન–સ્તવન
પ્રીતિ-અનુષ્ઠાનઃ [આદિ-ધાર્મિક જીવને પ્રથમ દેવ-ગુરુ-ધર્મ તરફ પ્રીતિ ઉત્પન્ન થાય છે, ત્યારે તે પ્રીતિ કેની સાથે કરી હેય, તે સૌથી વધુમાં વધુ ચડીઆતી ગણાય ? તે અહીં નક્કી કરી આપવામાં આવેલ છે.] [ રાગ-માસ “કર્મ પરીક્ષા કરણ કુંવર ચાલ્ય, એ દેશી.] ઋષભ-જિનેશ્વર પ્રીતમ માહરે રે
ઓર ન ચાહું રે કંત. રીઝ સાહિબ સંગ ન પરિહરે. રે
ભાંગે સાદિ-અનંત. ઋષભ૦ ૧ [ પ્રીતમ=પ્રિયતમ, પતિ, વધુમાં વધુ વહાલે. એર=અવર; બીજે કંત કાન્ત; કંથ; પતિ. રીઝયોઃખુશી થયેલ. સાહિબ=સ્વામિ, માલિકપતિ. સંગ=સંબંધ. પરિહરેઃછોડે છેડી દે. ભાંગે=વિકલ્પ. સાદિ-અનંતર શરૂઆત સહિત અને અંત રહિત.].
સુમતિ–શ્રીષભજિનેશ્વર જ મારા પ્રિયતમ– વહાલામાં વહાલા પતિ છે. કેમકે હું તેમના શિવાય બીજાને પતિ તરીકે ચાહતી જ નથી. હું તેને એવી દઢ રીતે ચાહું છું કે-મારા એ સાહિબ–મારા એ માલિક–મારા ઉપર પૂરેપૂરા
Page #63
--------------------------------------------------------------------------
________________
એવા રાજી રહે છે, કે જેથી કરીને તેઓ મારી સાથે સાદિ– અનંત ભાગે થયેલો સંબંધ છોડતા નથી. એ તેની સાથેની પ્રીતિની ખૂબી છે. ૧
પુરુષોમાં ઋષભ સમાન પુરુષોત્તમ પુરુષ કાયમી અને ઉંચા પ્રકારની પ્રીતિ કરવાને લાયક ગણાય છે. તે રીતે ઋષભ શબ્દમાં શ્લેષ જ જણાય છે. એમ કરીને ઋષભદેવ જિનેશ્વરનો પુરુષ ભતા શ્લેષથી સાદિ અનંત ભાંગાની પ્રીતિથી સાર્થક કરી બતાવેલી જણાય છે. પ્રીત-સગાઈ રે જગમાં સહુ કરે. રે
પ્રીત-સગાઈ ને કેય. પ્રીત-સગાઈ રે નિપાધિક કહી. રે
સોપાધિક ધન ખાય. ગષભ૦ ૨ [પ્રીત-સગાઈ-૧. પ્રીતિપૂર્વકનું સગપણ ૨. પ્રીતિ અને સગપણ કેય-નજીવી, નકામી,નિપાધિક-ઉપાધિ રહિત, નિશ્ચલ. પાધિક-ક્ષણિક, નજીવા નિમિત્ત ઉપર રચાયેલી. ધન-સાચું આધ્યાત્મિક ધન. ય-ગુમાવાય.]
જોકે જગતમાં પ્રીતિપૂર્વકની સગાઈ અથવા પ્રીતિ અને સગાઈ તો બધાયે કરે છે. પરંતુ એ પ્રીત–સગાઈ કોઈ મહત્ત્વની નથી હોતી. કેમકે-તે ક્ષણિક [સોપાધિક] હોય છે. સાદિ અનંત ભાંગે નથી હોતી, પ્રીત–સગાઈ નિપાધિક કરવાની કહી છે. પાધિક-દુનિયાદારીની ક્ષણિક-પ્રીતિથી માત્ર ધન જ
૪ જ્ઞપિ-કાંઈયેય નહીં કોઈ ચીજ નહીં. નકામી.
Page #64
--------------------------------------------------------------------------
________________
[આત્મધન ] ગુમાવાય છે–ગુમાવવાનું હેાય છે. એટલે કે તેવી પ્રીતિથી કાઇ લાભ થતે। નથી. ૨
કાઇ ક‘તકારણે કાષ્ટ ભક્ષણ કરે. 'રે “ મળશ' કતને ધાય, ’ એ મેળા વિ કિહિયે સ’ભવે. રે મેળા હામ ન હાય.
ઋષભ ૩
[કાષ્ટ ભક્ષણ કરે ચિતામાં બળી મરે છે. ધાયઢાડીને. કહિયે-કાઈ દિવસે, ડ્રામ ડાય-૧. ઠામ ઠામ. ૨ કાયમી સ્થાને. ૩ કેાઈ સ્થાને કાયમ. ]
"
કાઇ પત્ની તેા “ એવી દાડુ કે ભવાંતરમાં પતિને જલ્દી મળી શકું.” એ ઇચ્છાથી પતિ તરફના પ્રેમ ખાતર પતિના શરીરની સાથે ચિતામાં બળી મરે છે. પરંતુ, એ રીતે મેળાપ થવાના કઢિયે સંભવ હોતા નથી. કેમકે-મેળાપ ઠામ ઠામ થઈ શકતા નથી. અથવા એ મેળાપ કાઇ કાયમી ઠેકાણે થતા નથી, અથવા એ મેળાપ કાઈ સ્થાને કાયમ રહેતા નથી. ૩
કાઇ પતિ-રંજન અતિ ઘણા-તપ કરે, રે પતિ-રંજન તન-તાપ.
એ પતિ-રજન મેં નવિ ચિત્ત ધર્યું. રે, ર’જન ધાતુ-મિલાપ.
*ષભ૦ ૪
[ર્જન-ખુશ કરવું, તન-તાપ-શારીરિક કષ્ટ. ચિત્ત થયું –મનમાં સ્થાન આપ્યું, ગણુકાયું. ધાતુ-મિલાપ-શારીરિક ધાતુએનું મિશ્રણ. ]
Page #65
--------------------------------------------------------------------------
________________
ૐ
સારા પતિ મેળવવા ઇચ્છતી કાઈ પત્ની, ખુશી કરી પતિને આકર્ષવા માટે અતિધણું તપ કરે છે. એવી રીતે કરેલું પતિરંજન માત્ર શારીરિક કષ્ટરૂપ જ થાય છે. હું એને પતિનું સાચુ ર્જન માનતી જ નથી. ર ંજન કરવાનેા એ પ્રયાસ તા માત્ર પેાતાની ધાતુ સાથે પતિની ધાતુએની મેળવણીરૂપ પિરણામ લાવવાના ઉદ્દેશથી જ હોય છે—બીજો કાઈ સુંદર ઉદ્દેશ હોતા નથી. ૪
એ રીતે ત્રણ ગાથામાં ખરા સાર નથી.” એમ જણાવ્યું.
કાઈ કહે—“ લીલા રે અ-લખ અ-લખ તણી, રે લખ પૂરે મન આશ.
દેાષ-રહિતને લીલા નવ ઘટે, રે લીલા દાષ-વિલાસ.
ઋષભ ૫ [લીલા–માયા, રમત. અલખ–અલક્ષ્ય, ધ્યાનમાં ન આવે તેવી. અલખ અલક્ષ્ય, બ્રહ્મ, લખ-લાખા. આશ-આશા. પૂરે-પૂરી કરે, સફળ કરે. દોષ-વિલાસ-ઢાષના પ્રભાવ. ]
દુન્યવી પ્રીતિમાં કાંઈ પણ
17
કાઈ કહે છે, કે—“ પરમબ્રહ્મ-પરમેશ્વર-અલક્ષ્યરૂપે પતિ છે. તેની અલક્ષ્ય લીલા હોય છે. તેથી, તે મનની લાખા આશા પૂરી કરે છે. માટે તેની સાથે પ્રીતિ કરવી જોઇએ.” પરંતુ, વિચાર કરી જોતાં નિર્દોષ એવા પરમાત્માને લીલા ઘટી શકે જ નહીં, કેમકે–લીલા એ જ દેષરૂપ છે, દાષાને
Page #66
--------------------------------------------------------------------------
________________
વિલાસ-વિસ્તાર જ લીલા રૂપે છે. માટે એવા લીલાધારી સàાષી પરમાત્મારૂપ પતિ સાથે સાઢિ અનંત ભાંગાની પ્રીતિ સભવતી નથી.
માટે દુન્યવી પ્રીતિઃ અને લીલાધારી અલક્ષ્ય બ્રહ્મ સાથેની પ્રીતિઃ નિર્દોષ નથી—સદોષ છે, તેથી શ્રી ઋષભદેવ પરમાત્મા રૂપી નિર્દોષ પતિ સાથેનીજ મારી પ્રીતિ સર્વથા ઉચિત છે. ૫
ઉપસંહાર :
-
ચિત્ત-પ્રસન્ગે રે પૂજન-ફલ કહ્યું, રે પૂજા અ-ખડિત એહ.
કપટ-રહિત થઈ આતમ-અર૫ણા. રે આનંદ-ધન-પદ-રેષ્ઠ.
ઋષભ ૬
[અખંડિત-આખી, પૂરી. કપટરહિત-ત્રણ શલ્ય રહિત. આતમ અર્પણા-આત્મ સમર્પણ, આનંદઘનઆનદના ભંડાર. આનંદઘન-પદ-માક્ષ, રેહ–રૂખા, નિશાની. ]
“ પ્રસન્ન ચિત્તથી—પતિ તરફના અનન્ય ભાવે—પતિની પૂજા કરવામાં આવે, તેા જ તેનું તિર ંજન રૂપ ફળ મળી શકે છે. ” એમ કહ્યું છે, અરે એજ ચિત્તની પ્રસન્નતા જ ખરી અખડ–સંપૂર્ણ-પૂજા છે, કપટ રહિત થઇને અથવા માયાઃ મિથ્યાત્વઃ અને નિદાનઃ એ ત્રણ શલ્ય રહિત થઇને રવામીને સંપૂર્ણ સમર્પિત થઈ જ્યું, તે જ આનંદધન પદ્મની—મેાક્ષ
Page #67
--------------------------------------------------------------------------
________________
મેળવવાની-રેખા–નિશાની છે. તેની સંપૂર્ણ પ્રીતિ મેળવવાથી જ આનંદને ઘન-આનંદનો ભંડાર–મોક્ષ સાદિ અનંત ભાગે મળી શકે છે. ૬
ભાવાર્થ—ભવ્ય જીવ અનાદિ કાળમાં અનંત પુદુગલ પરાવર્તન કાળ સુધી રખડતો રખડતે જ્યારે છેલ્લા પુદગલ પરાવર્તનમાં આવે છે, ત્યારે તે શુકૂલપાક્ષિક જીવ કહેવાય છે. કેમકે–તેને મોક્ષમાં જવાને વખત હવે એક પુદગલ પરાવર્તન જેટલો જ બાકી રહ્યા હોય છે.
- શુલપાક્ષિક જીવ ધીમે ધીમે દેવઃ ગુરુઃ ધર્મ તરફ પ્રીતિ–ભક્તિવાળે થવા લાગે છે. તેને ધર્મ અને ધમીઓ તરફ પણ સહજ પ્રીતિ ઉત્પન્ન થવા લાગે છે. આ જાતના શુકૂલપાક્ષિક જીવન મેક્ષ તરફના તદ્દન પ્રાથમિક વલણને સુમતિ સદ્દબુદ્ધિ-આત્મગુણરૂપ એક સુંદર અને સદ્ગુણી સ્ત્રી તરીકે અહીં કલ્પવામાં આવેલી છે.
આવી જાતની સુમતિ પ્રગટ થાય છે, ત્યારે જીવને દેવઃ ગુરુઃ ધર્મ: તરફ પ્રીતિ થવા લાગે છે. તેવા સંજોગોમાં સુમતિ બેલે છે કે-“જે પતિદેવ–પરમાત્મા સાથે મારે પ્રીતિ કરવી જ છે, તે એવા પતિદેવ–પરમાત્મા સાથે મારે પ્રીતિ કરવી જોઈએ, કે જે પતિદેવ સર્વથી ઉંચામાં ઉંચી લાયકાત ધરાવતા હેય. કેમકે તેજ પ્રીતિ નિર્દોષ અને સ્થાયી હોઈ શકે.
તે, એવા પતિદેવ તે સર્વગુણ વીતરાગ શ્રી ઋષભદેવ પરમાત્મા છે. તેને રીઝવવાથી તેઓની સાથે એવી
Page #68
--------------------------------------------------------------------------
________________
૯
પ્રીતિ ખંધાય છે, કે-જે એક વખત ખંધાયા પછી તે અનંતકાળ સુધી ટકે છે. ક્ષાયિક સમકિત ઉત્પન્ન થવાથી જે પ્રીતિ આંધવામાં આવે છે, તે ખરેખરી પૂરી પ્રીતિ અંધાય છે. ક્ષાયિક સક્તિ ઉત્પન્ન થયા પછી અને ત કાળ સુધી તે જતું જ નથી. કેમકે-સાદિ-સાંતઃ અનાદિ સાંત: અનાદિ અનંતઃ અને સાદિ અનતઃ એ ચાર ભાંગામાંથી સાદિ અનંત: ભાંગે તે સમકિત હાય છે. તેથી તેમની સાથેની પ્રીતિ પણ સાદિ અનંત ભાંગે હાય છે.
આ સ્થિતિમાં-દુનિયામાં જે પ્રેમ સગાઇએ થાય છે, પતિ પાછળ સતી થવાય છે, પતિ માટે મેટામાં મેટા તપ કરવામાં આવે છે. તે બધું ક્ષણિક છે, તેમજ કાયાકષ્ટરૂપ પણ છે. પારમાર્થિક નથી.
વળી, લીલાધારી અલખ પરમાત્મા સાથેની પ્રીતિ પણ બહુ વખાણવા લાયક નથી. કેમકે-તેથી એ જાતના પરમાત્મા નિર્દોષ પતિ નથી કરતા.
માટે, નિર્દોષમાં નિર્દોષ પરમાત્મા પતિ શ્રી ઋષભદેવ જિનેશ્વર છે, અને તેમની અનન્ય ભાવે પ્રસન્નતા મેળવવામાં જ-દુન્યવી ક્ષણિક આનંદ કરતાં અનંતગુણા આનંદના ઘન રૂપી-મેાક્ષરૂપ-પરમ સુખ મેળવવાની-ચાવી રહેલી છે.
શુલપાક્ષિક જીવને પ્રથમ પ્રીતિ થાય છે-પછી ભક્તિ ઉપજે છે, પછી શાસ્ત્રોક્ત વચન પ્રમાણે ધાર્મિક જીવન જીવવાની ભૂમિકા પ્રાપ્ત થાય છે. અને છેવટે, અસગ અનુષ્ઠાન પ્રાપ્ત કરી તે જીવ મેાક્ષમાં જાય છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રીતિઃ ભક્તિઃ વચનઃ અને અસંગ એ ચાર અનુષ્ઠાનમાં શરૂઆતમાં પ્રીતિ અનુષ્ઠાન પ્રાપ્ત થાય છે. પ્રથમ તે કોઈ પણ પ્રકારના દેવઃ ગુરુ: ધર્મ: તરફ થાય છે—તે પછી વીતરાગ દેવ તરફ પ્રીતિ કરવી, એ વધુ શ્રેષ્ઠ છે. એ ખતાવવાના આ સ્તવનના આશય છે.
પ્રીતિ અનુષ્ઠાન અને ભક્તિ અનુષ્ઠાનના ફરક બતાવવા માટે શાસ્ત્રમાં પત્ની અને માતાનું દૃષ્ટાંત આપેલું છે પતિની પત્ની તરફ પ્રીતિ હોય છે, અને પત્નીની પતિ તરફ પ્રીતિ હાય છે. પુત્રની માતા તરફ ભક્તિ હાય છે અને માતાનું પુત્ર તરફ વાત્સલ્ય હોય છે. પત્ની અને માતા તરફની લાગણીમાં આ જાતના ક્રક હેાય છે. આથી શુલપાક્ષિક જીવની સમુદ્ધિરૂપી ગુણને સુમતિરૂપી સ્ત્રીનું રૂપક આપીને વીતરાગ પરમાત્મા રૂપી પતિ સાથે ઉંચા પ્રકારની પ્રીતિ કેળવવાની ઘટના બતાવીને પ્રીતિ–અનુષ્ઠાનના સ્વરૂપની પરાકાષ્ઠા–ઉંચી હઃ-મતાવી છે. એમ કરીને સ્તવનકારે ભારે ઉચિત કલ્પના કરવામાં પેાતાની કવિત્વ
શક્તિને સુંદર પરિચય આપ્યા છે. પ્રીતિ અનુષ્ઠાનના અંતિમ આદર્શ હિરાત્મભાવ છેડીને પેાતાના આત્માને સંપૂર્ણ પરમાત્મારૂપ બનવા માટે સમર્પિત કરી દેવામાં આવે છે. નિ: શલ્યપણું અને આત્મસમર્પણાઃ એ જ મેાક્ષ મેળવવાની મહત્ત્વની પ્રાથમિક ભૂમિકા છે, મુખ્ય ચાવી છે કપટ રહિતપણું આદિ ધાર્મિક માટે ખાસ જરૂરી સૂચવ્યું છે. મિથ્યાત્વ શલ્ય તા સમક્તિ થાય ત્યારે જાય છે, અને નિયાણારૂપ શલ્ય તે સમક્તિ હોય તે પણ ચારિત્રાવરણીય કષાયના ઉદયથી સંભવે છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
લોક વ્યવહારમાં જેમ ખરી ચિદ્રી ઉપર તેના ખરાપણાની નિશાનીરૂપે યોગ્ય અધિકારી તરફથી લીંટી મારવામાં આવે છે. એ લીંટી મારેલી-રેખા કરેલી-ચિઠ્ઠી ખરી હોય છે તે સીકરાય છે, સ્વીકારાય છે. અને તેમાં લખેલી ચીજ મળે છે. તે પ્રમાણે નિષ્કપટ ભાવે આત્મસમર્પણ તે મોક્ષની રેખા લીટી-નિશાની બની રહે છે.
પ્રીતિ અનુષ્ઠાનની ભૂમિકામાંથી પસાર થતા ભક્ત પ્રભુના શરીરઃ શોભાઃ અંગ રચનાઃ વેશઃ સત્તાઃ શણગાર: અધિકારઃ રાજય વૈભવઃ મીઠીવાણીઃ ને લગતા બાહા વર્ણને કરે, તેના ઉપર રાગ બતાવેઃ પ્રીતિભર્યો ઠપકો આપે રીસામણા-મનામણાંના ભાવે વ્યક્ત કરેઃ રાગ કે અમર્ષ જન્ય વચનેલ્ગારો કાઢે માલિક તરફ સેવકની ભાવનાઓ વ્યક્ત કરે વિગેરે-પ્રીતિ અનુષ્ઠાન સાથે સંગત જાણવા.
૨. શ્રી-અજિત-નાથ-જિન–સ્તવન
મહા-માર્ગનું સંશોધન-માર્ગીનસરિતા:
[ વીતરાગ પરમાત્મા સાથે પ્રીતિ જોડવા ઈચ્છનાર આત્મા “પરમાત્મા મેળવવા માટે કયે રસ્તે થઈને તેમની પાસે જવું ?” તેનો માર્ગ શોધવા પ્રયત્ન કરે, એ ગ્ય જ છે. તે આ સ્તવનમાં પ્રભુને મેળવવાને પ્રભુએજ બતાવેલે સાચો માર્ગ પહેલાં તે ખોળવા નીકળે છે. પરંતુ તેને જલ્દી તે માર્ગ મળતો નથી છતાં તે નિરાશ થતું નથી. ]
Page #71
--------------------------------------------------------------------------
________________
રાગ-આશાવરી “મારું મન મોહ્યું રે શ્રી વિમળાચળે રે.”—એ દેશી] પંથડો નિહાળું રે બીજા જિન તણો રે
- અજિત અજિત-ગુણ-ધામ.. જે તે જીત્યા રે, તેણે હું જીતિ. રે
“પુષ" કિયું મુજ નામ? પંથડે ૧ [ પંથડે-માર્ગ. નિહાળું જોઉં, શેવું, બળું. અજિત-અજિતનાથ પ્રભુ. અજિત-ન જીતાયેલા. ધામ–સ્થાન, છતિ-જીતાઈ ગયો છું. કિસ્યું-શી રીતે? મુજ-મારું. ]
કોઈથી ન જીતી શકાય એવા-અજિત–ગુણના ભંડાર બીજા તીર્થંકર શ્રી અજિતનાથ ભગવાનને માર્ગ હું ખોળી રહ્યો છું. પરંતુ, હે અજિતનાથ પ્રભે ! આપ નામે તેમ ગુણે પણ અજિત છે. હું તો, તમે જેને જીત્યા છે, તેનાથી જીતાઈ ગયો છું, તેથી મારું “પુરુષ” નામ શી રીતે ટકી શકે? છતાઈ ગયો છે, માટે હું પુરુષ શાને ? પુરુષ તો હારે નહીં. પુરુષ તો વિજયી થાય. હું તો કષાયો વિગેરેથી હારી ગયો છું. ત્યારે આપ તો વિજયી થયા છે. માટે હવે, અજિત થવા માટેનો તો આપનો એ પંથ-રસ્તો હું ખળું છું. ૧
પ્રભુનું નામ અજિતનાથ છે. તે તેમના અજિત એવા ગુણોને લીધે શ્લેષથી સાર્થક કરી બતાવ્યું છે. ચર્મ-નયણ કરિ મારગ જેવતાં. રે
ભૂલ્યો સયલ-સંસાર.
Page #72
--------------------------------------------------------------------------
________________
૧૩
“ જેણે નયણે કરી મારગ જોઇએ, રે
નયણ તે દિવ્ય. ’” વિચાર, 'થા૦ ૨
(ચશ્મ-ચમ, ચામડું. નયણુ-આંખ. ચર્મ -નયણે કરી-ચામડાની આંખે કરીને. સયલ-સકલ, આખા. દિવ્ય-મહુજ તેજસ્વી, ]
પરંતુ, માના જ પત્તો લગાડવામાં જ્યારે પારાવાર મુશ્કેલીઓ છે, તેા પછી મા હાથ કરી તે માર્ગે ચાલવામાં કેટલી મુશ્કેલીઆ હાય ! માર્ગ મળવાની મુશ્કેલીએ ગણાવેછે– ૧. ચામડાની આ માનવી આંખેાથી એ માર્ગ ખાળતાં તા આખાયે સંસાર ભૂલા પડી ગયા છે. એટલે એ માર્ગ ખાળવામાં એ આંખા તા નકામી છે. તેથી “જે આંખોથી માર્ગ શેાધી શકાય તેમ છે, તે દિવ્ય નયને—સમ્યક્ દષ્ટિ છે.” એમ મનમાં વિચારી-સમજી રાખેા.
“માર્યાં શેાધી કાઢવા માટે તેા સમ્યગ્દષ્ટિરૂપી દિવ્ય નયન જોઇએ. તે તેા મળેલ નથી. અને માનવની આ ચામડાની આંખે . ત્યાં કામમાં ન આવી શકે. ” એ વાત ખરાખર વિચાર।-સમજી રાખેા. ૨
પુરુષ-પરંપર-અનુભવ જેવતાં, રે
અધાઅધ પુલાય. વસ્તુ-વિચારે રે જો આગમે' કરી, રે ચરણ-ધરણ નહીં હાય.
પાક
Page #73
--------------------------------------------------------------------------
________________
- ૧૪ [પરંપર-પરંપરા, એક પછી એક, અનુભવજ્ઞાન. અધોઅંધ.-આંધળાની પાછળ આંધળે. પુલાય-પળે, ચાલે, જાય. આગમ-શાસ્ત્ર. ચરણ-પગ ધરણુ-ધરવાનું ઠામ-ઠેકાણું]
૨ કઈ પણ પ્રસિદ્ધ પ્રથમના મુખ્ય પુરુષની પછી આવેલા તેના અનુયાયીઓ રૂપ પાછળના પુરુષો હોય, તેના અનુભવને આધારે માર્ગની શોધ કરવા જઈએ, તો “એક આંધળાની પાછળ બીજો આંધળો ચાલ્યો જતો હોય. એના જેવું પણ થાય. તેથી, એ સર્વે પણ જે ભૂલાવામાં પડ્યા પડ્યા ચાલ્યા આવતા હોય, તો સાચો માર્ગ શી રીતે મળી શકે ? ન પણ મળે.
'अंधो अंधं पहं नित्ता पुरमद्धा न गच्छइ ।'
અર્થ:–આંધળાને રસ્તે ચાલતે આંધળા શહેરમાં પહોંચી શકે નહીં.
૩ દુનિયાનાં બધાં આગમ એટલે કે શાસ્ત્રો એકઠાં કરીને જે તેની મદદથી વસ્તુની-માર્ગની શોધ કરવા માંડીએ, તો ત્યાં તો પગ મૂકવાની જગ્યા મળે તેમ નથી. કેમકે–શાસ્ત્રની અનેકવિધ ગહન તથા કડક આજ્ઞાઓના વિસ્તારમાં, “કયાં પગ મૂકવો ? કઈ વાત પકડીને આગળ ચાલવું ? તેની જ મુશ્કેલી પડે તેમ છે.
અબુધ જીવને શાસ્ત્રો સમજવાં જ ઘણા મુકેલ છે. અને શાસ્ત્રજ્ઞને એકલા શાસ્ત્રોથી જ માર્ગ મળી જેવોયે મુશ્કેલ છે. શાસ્ત્ર ઉપરાંત બીજા સાધનની જરૂર પડે છે. ૩
Page #74
--------------------------------------------------------------------------
________________
તર્ક.વિચારે રે વાદપરંપરા. રે
પાર ન પહોંચે કેય. અભિમત-વસ્તુ રે વસ્તુગતે કહે. રે
તે વિરલા જગ જેય. પંથડે. ૪ [ત—તર્ક-વિતર્ક, વાદ-ચર્ચા. પાર–છેડે. અભિમત-મનધારી-સાચી. વસ્તુ-ગોં-સાચી રીતે. વિરલાકઈક જ. જય-જેવામાં આવે.
૪. તર્ક-વિચારને આધારે માર્ગ શોધવાનો પ્રયત્ન કરતાં વાદની પરંપરાઓ ચાલવા લાગે છે, ને તેનો છેડો ન આવવાથી માર્ગનો પત્તો લાગે તેમ નથી. કેમકે–ઘાણીના બળદની માફક વાદનો કોઈ દિવસ કોઈ પણ પાર પામી શકતું જ નથી.
૫ સાચી વસ્તુને સાચી રીતે ઉપદેશનારાની મદદથી માર્ગ મેળવવાની ધારણા રાખવામાં અસફળતાનો સંભવ છે.કેમકેસત્યના ઉપદેશક જ જગતમાં વિરલા કઈકજ હોય છે. ૪ વસ્તુ-વિચારે રે દિવ્ય-નયણ તણે રે
વિરહ પડ્યો નિરધાર. તર-તમ-જોગે રે તર-તમ-વાસના–રે
વાસિત-ધ આધાર. પંથડો. ૫ [ વસ્તુવિચારે–સત્ય વાતની શોધ કરવામાં કે વિચાર કરવામાં. દિવ્ય-નયન-કેવળજ્ઞાની. વિરહ-અભાવ. પડયો-થ. નિરધાર-ચક્કસ. તર તમ-ગે-ઓછા
Page #75
--------------------------------------------------------------------------
________________
૩૬
વધતા દરજ્જાને લીધે. તરતમ-એવધતા. વાસના –જ્ઞાનના ક્ષયાપશમ. વાસિત–સુવાસિત-સંસ્કાન્તિ, એધજ્ઞાન, સમજ.તરતમ-વાસના-વાસિત બાધ-ઓછા વધતા ક્ષાપશમને લીધે સંસ્કારિત થયેલા ઉંચા ખાધ, યથા શક્તિ ગીતા પણું, આધાર-આધારરૂપ છે. ]
૬. કાઈ પણ વસ્તુ સમજવામાં દિવ્યનયનવાળા શ્રી કેવળજ્ઞાની સર્વજ્ઞ ભગવાનનેા તા ચાક્કસ વત માનકાળે અભાવ છે. એટલે એ રીતે પણ તેની મદદથી માર્ગ મળી શકે તેમ નથી. તેા હવે કરવું શું ?
તેના ત્રણ ઉપાય છેઃ
–
૧. જગત્માં જેકાળે જે બુદ્ધિમાન અને સદાચારીપુરુષા હોય, તેઆમાંના આછા વધતા ક્ષયાપશમવાળાઓમાંથી જેને ઉંચા ક્ષયાપશમ હોય, તેવા યથાશક્તિ ગીતા તરીકે ખેંચાઈ આવીને તેએ જે જે ચડતા ક્રમે ચઢીઆતામાં ચઢીઆતે બાધ ધરાવતા હોય, તેજ બાધ–ગીતાથ પણુ –એક આધારરૂપ છે. તેવા પુરુષની નિશ્રાત્ર એક આધારરૂપ બને છે. બીજો એક ય ઉપાય નથી. પરંતુ,ગીતા પુરુષને પણ મેળાપ ઘણા જ મુશ્કેલ છે, કાઇક ભાગ્યવાનને જ થાય છે. ૫
“ કાળ-લબ્ધિ લહી પંથ નિહાળશે, રે ’ એ આશા અવલ’અ.
એ જન જીવે રે જિન ! જાણજો, રે આનદ-ધન-મત-અબ.
પથી ૬
Page #76
--------------------------------------------------------------------------
________________
કિાળ લબ્ધિ-કાળના પરિપાકરૂપી લબ્ધિ લહી–મેળવી. અવલંબ-આધાર, ટેકો આનંદઘન-આત્મા મત-વિચાર. આનંદઘન મત-આત્મલક્ષી વિચાર, શુલપાક્ષિકપણું, અંબ-અવલંબ, આધાર, ટેકે. [ આંબવું, પકડવું, ટેકે લે.] ]
ર. તેવા ગીતાર્થ ગુરુ ન મળે, તો “મારી કાળલબ્ધિ પાછી હશે, ત્યારે હું રસ્તો શોધવા નીકળીશ, ત્યારે મને રસ્તા અવશ્ય મળશે.”એવી આશા-કાળલબ્ધિ પાકવાની આશાબીજો આધાર છે.
૩. એ બન્નેય રીતે નાસીપાસ થયેલાને છેવટે આધ્યાત્મિક પ્રગતિમાર્ગમાં જીવવાનો છેવટને આધાર–આત્મલક્ષિ દય-શુક્લપાક્ષિકપણુંજ ત્રીજા આધારરૂપ છે. ૬.
ભાવાર્થ –શુકૂલપાક્ષિક જીવને જ્યાં સુધી સમ્યમ્ દર્શન પ્રાપ્ત થયું નથી હોતું, ત્યાં સુધી તેને સાચો માર્ગ મળતું નથી. છતાં સમ્યગદર્શન પામ્યા પહેલાં પણ માગની જિજ્ઞાસા અને શોધખોળ શરૂ થાય છે, અને તેને જે જે હાથ લાગે છે, તેને માર્ગ માનીને તેની સેવા કરવા લાગી જાય છે. પરંતુ, તેમાં તેને પૂરેપૂરી સફળતા મળતી નથી અને થોડી ઘણી નાસીપાસી મળવા છતાં, છેવટે પિતાના પ્રયાસમાં જુદી જુદી ત્રણ આશાએ તે સ્થિર રહે છે. માર્ગની શેધ કરવા જતાં જુદા જુદા પાંચ-છ ઉપાયને તે આશ્રય લે છે. પરંતુ, તેથી માર્ગ મળી જ જાય.” એમ બનતું નથી; કેમકે–પોતાની કાળલબ્ધિ પાકી નથી
Page #77
--------------------------------------------------------------------------
________________
હતી, એટલે કેવળજ્ઞાની ભગવંતના અભાવમાં સ્વકાળના વર્તમાન ગીતાને પરિચય પણ થતું નથી હોતું. ત્યાં સુધી માત્ર પિતાની આધ્યાત્મિક જિજ્ઞાસાના બળે જ તે આત્મા જીવતે રહે છે, આનંદમાં–ભાવનામાં ટકી રહે છે. શુક્લ પક્ષ પણ કાળલબ્ધિઃ ગીતાર્થને યોગર મળે તે પંથ મળી શકે છે. પરંતુ પંથ મળ પણ સાવ સહેલું નથી. કાળલબ્ધિ પાકી ન હોય ત્યાં સુધી પુરુષ પરંપરા, શાસ્ત્રાભ્યાસ, તર્કવાદ, ઉપદેશકને ઉપદેશ અને કેવળજ્ઞાનને ઉપદેશ વિગેરે પણ માર્ગ મેળવવામાં જોઈએ તેવાં સહાયક થઈ શકતા નથી.
વાસના શબ્દનો અર્થ ક્ષપશમ થાય છે. ૧ અધિયુતિ ૨ વાસના ૩ સ્મૃતિ-એ ત્રણ ધારણાના ભેદ છે. ત્યાં વાસના શબ્દને ક્ષપશમ અર્થ કરેલો છે.
કેવળ જ્ઞાનીઓના અભાવમાં ગીતાર્થ પુરુષ જ માર્ગ મેળવી આપવામાં આધાર રૂપ બને છે. કેમકે–સર્વજ્ઞ તીર્થંકર પ્રભુની પરંપરામાં ગુરુકમે ચાલ્યા આવતા ગુરુકુળ વાસમાં, આર્યદેશઃ આર્ય પ્રજા અને ઉત્તમ કુળજાતિમાં સદા ચારી અને વિશિષ્ટ જ્ઞાનશક્તિધારી પુરુષ હોય, તે તેમાંથી ખેંચાઈને આવે છે. અને તેમાંથી પણ જે ઉંચામાં ઉંચી લાયકાત ધરાવતા હોય છે, તેઓ આચાર્યાદિક સંઘમાન્ય ઉંચા પદ ઉપર આવી શકે છે.
વળી, એક જીવ કરતાં બીજા કેઈ જીવમાં જ્ઞાન વધારે હોય છે. તેના કરતાં ત્રીજા કેઈમાં વધારે હોય છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
એમ ઠેઠ ગીતાર્થ ગુરુનું જ્ઞાન તે કાળના જગતના બીજા છ કરતાં વધારેમાં વધારે કલ્યાણકારક હિતોપદેશક હોય છે. એ રીતે તરતમ જેગે-તરતમ વાસનાથી વાસિત-બોધવાળા ગીતાર્થ ગુરુઓ જ શરણરૂપ હોઈ શકે છે.
શાસ્ત્રમાં પાંચ પ્રકારની લબ્ધિ કહી છે-કાળલબ્ધિ ભાવલબ્ધિઃ કરણ લબ્ધિઃ ક્ષાયિકલબ્ધિ: ઉપશમલબ્ધિ
૩. શ્રી સંભવનાથ-જિન–સ્તવન
આત્મવિકાસની પ્રાથમિક ભૂમિકાઓ:
[ આનંદધન મતને આધારે જીવત શુલપાક્ષિક–સસ્પંથને જિજ્ઞાસુ જીવ પહેલી મિત્રાદષ્ટિમાં આવે છે, ત્યારે તેને પહેલી ભૂમિકા મળે છે. તે સમયે તેનામાં અભયઃ અષ: અને અખેદ પ્રાપ્ત થાય છે. ત્યારપછી તે આગળ વધે છે. આ પ્રકારનો ક્રમ બતાવવામાં આવે છે.] { રાગ-રામથી “રાતલડી રમીને કિહાંથી આવિયા રે ?” એ દેશી.] સંભવ-દેવાતે ધુર સે સ. રે
લહી પ્રભુસેવન ભેદ, સેવન-કારણ પહેલી ભૂમિકા. રે
અભયઃ અષઃ અ-ખેદ સંભવ ૧ [ સંભવદેવ-૧ સંભવનાથ ભગવાન, ૨ સંભવથી ગણાતા દેવ. ધુર-પહેલવહેલા, પ્રથમ. સ-૧ સર્વે-બધા, ૨ સર્વને, બધાને. લહી-જાણી. પ્રભુ સેવન-ભેદ-પ્રભુની
Page #79
--------------------------------------------------------------------------
________________
२०
સેવા કરવાના ભેદો-ચડતા ઉતરતા પ્રકાર. સેવન-કારણસેવા કરવા માટેના કારણરૂપ. ભૂમિકા-પીઠિકા, પાયેા. અભય-નિર્ભયતા. અદ્વેષ-રુચિ, પ્રેમ, અ-ખેદ-થાક કે *ટાળા વિના.
સભવથી પણ જે દેવ હોય, તે સની-અથવા સ’ભવનાથ પ્રભુની-સેવા કરવાના ચડતા ઉતરતાક્રમના ભેદ જાણીને તમે સર્વે પહેલાં તેા તેની સેવા કરા.
સેવા કરવા માટેના કારણરૂપ પહેલા પાયામાં અભયઃ અદ્વેષઃ અને અખેદઃ એ ત્રણ ગુણ તેા ખાસ જોઇએ. ૧
સભવ માત્રથી દેવ હાય, તે સર્વેની સેવા બતાવીને ક્ષેષથી સભવનાથ નામની પણ સાકતા કરી બતાવી છે.
ભયઃ ચંચળતા હૈ। જે પરિણામની. રે દ્વેષઃ અરોચક-ભાવ.
ખેદઃ પ્રવૃત્તિ હા કરતાં થાકીએ. રે દાષઃ અ-મેધ લખાવ.
સભવ૦ ૨ [ચ’ચળતા—અસ્થિરતા, પરિણામ-મનના-આત્માના સારા ભાવ. આરાચક–ભાવ–અપ્રીતિ, અણુગમા પ્રવૃત્તિ-ક્રિયા, કામ, પ્રયત્ન. થાકીએ-કટાળીએ. આ માધ-અજ્ઞાન-મિથ્યાત્વ, લખાવ-જાણેા. ધ્યાનમાં લ્યા.]
૧ ભય: એટલે મનના-આત્માના સારા ભાવમાં અસ્થિરતા. ૨ દ્વેષઃ એટલે ધર્મ ઉપર રેચક ભાવ-અણગમે. ૩
Page #80
--------------------------------------------------------------------------
________________
ખેદ એટલે ધાર્મિક પ્રવૃત્તિ કરતાં કંટાળો અને થાક લાગે. ૪ દોષ એટલે અજ્ઞાનતા-મિથ્યાત્વ. આ ચાર શબ્દના ચાર અર્થ સમજો ધ્યાનમાં લ્યો.
ભૂમિકા રૂપ અભય પ્રાથમિક અષઃ અખેદ પ્રાપ્ત થવા જોઈએ. અને પછી દોષનો મિથ્યાત્વને નાશ થવો જોઈએ. અથવા પ્રથમની ચાર દષ્ટિ સુધીમાં અનુક્રમે ભય દ્વેષ ખેદ અને દોષ એ ચાર દોષ જવા જોઈએ, ત્યારપછી જ મિથ્યાત્વ જાય ત્યારે સમ્યક્ત્વ થાય. ૨ ચરમા હે ચરમ-કરણે તથા રે,
ભવ–પરિણતિ-પરિપાક, દોષ ટલે, વલી દષ્ટિ ખુલે ભલી રે,
પ્રાપ્તિ પ્રવચન-વા. સંભવ. ૩ ચિરમાવ7–છેલ્લું પુદગલ પરાવર્તન. ચરમ-કરણછેલ્લું યથાપ્રવૃત્તિકરણ કે જેના પછી અપૂર્વકરણ થાય જ તે. ભવ–પરિણતિ-પરિપાક–તથા ભવ્યત્વનું પાકી જવું.
લે-નાશ પામે દષ્ટિ-આધ્યાત્મિક વૃત્તિ. ખુલ-પ્રગટ થાય. ભલી–સારી. ભલી-દષ્ટિ-સ્થિરાદષ્ટિ, સમ્યગદર્શન. પ્રાપ્તિ-મળવું તે, પ્રવચન-વાજિનવાણું.)
૪ ત્રણ ભૂમિકા પ્રાપ્ત થયા પછી છેલ્લા પુદગલ પરાવર્તનમાં વધુમાં વધુ અધું પુગલ પરાવર્તન બાકી રહે ત્યારે છેલ્લામાં છેલ્લું યથાપ્રવૃત્તિકરણ કર્યા પછી, અને ભવસ્થિતિ પાકી ગઈ
Page #81
--------------------------------------------------------------------------
________________
૨૨
ઢાય ત્યારે, દાષ–મિથ્યાત્વ-અજ્ઞાન ટળે છે. સ્થિરા નામની પાંચમી ભલી—સમ્યગ્-દષ્ટિ—સમ્યગ્દર્શન–પ્રગટ થાય છે, અને ત્યાર પછી, ૫ જિન પ્રવચનની વાણી સાંભળવાની મળે છે. જિન પ્રવચન—જિનવાણી અતિશ્રદ્દા અને ઉમંગપૂર્વક ત્યારે સભળાય છે. ૩
પરિચય પાતક-ધાતક-સાધુ શું રે, અ-કુશલ અપચય ચેત.
ગ્રન્થ અધ્યાતમ શ્રવણ-મનન કરી રે, પરિશીલન નય–હેત.
સભવ. ૪
[પરિચય-સંબંધ, યોગ. પાતક ઘાતક સાધુ શુંપાપના નાશ કરનારા સાધુ ગુરુ મહારાજની સાથે. અ-કુશલ-પાપ. અપચય-ઘટાડા, નાશ. ચેત-ચેતનામાં, આત્મામાં. ગ્રન્થ-શાસ. અધ્યાત્મ-આધ્યાત્મિક વિકાસ કરાવે તેવી આધ્યાત્મિક વિજ્ઞાનના, ધર્મના, ધાર્મિક બેાધના. શ્રવણ-સાંભળવું તે. મનન-ચિંતવન, વિચારણા, પરિશીલન-ઊંડું મનન. નય–નયવાદની અપેક્ષાએ. હેત હેતુવાદ. નય-હેત-નયવાદની અપેક્ષાએ હેતુવાદની મદદથી.]
એટલું જ નહીં, પણ પછી આગળ વધતાં, ૬ પાપને નાશ કરનારા સદ્ગુરુ-સાધુ મહારાજને પરિચય–સુયેાગ– મેળાપ પ્રાપ્ત કરાય છે. ૭ પાપાનુબંધિ અકુશલ કર્યાં આત્મામાંથી ધટવા લાગે છે. ૮ આધ્યાત્મિક ગ્રન્થનું શ્રવણ, મનન, તથા ૯ નયવાદની અપેક્ષાએ હેતુવાદની મદદથી રિશીલન
Page #82
--------------------------------------------------------------------------
________________
૨૩
નિદિધ્યાસન-ચિંતન પણ તે જીવ કરે છે. આ રીતે ક્રમિક આધ્યાત્મિક વિકાસ થાય છે. ૪ કારણજોગે હી કારજ નીપજે રે."
એમાં કઈ ન વાદ પણ, “કારણ–વિણ કારજ સાધિ રે."
એ નિજ-ભત–ઉન્માદ, સંભવ, ૫ [ કારણmગે-કારણને લીધે. વાદ-વિવાદ વધે. કારણવિણ–વગર કારણે. સાથે-સધાય, સફળ થાય. નિજ-મન-ઉમાદ–પિતાના મતની ગાંડાઈ ઘેલછા.]
આત્માના વિકાસની આમ પૂર્વ પૂવની ભૂમિકા કારણરૂપે બનીને પછી પછીની આત્માની ઉચ્ચ ભૂમિકારૂપી કાર્યને ઉત્પન્ન કર્યો જાય છે. આ રીતે કારણને જોગે કારજ નિપજવાનું માનવામાં તો કોઈનેય કોઈ પણ જાતનો વિવાદ–વાધે-હોતો નથી. પરંતુ, જે લોકો કારણ વિના કાર્ય સાધવાની વાત કરવા જેવી પોતાના ધર્મમાર્ગની વ્યવસ્થા બતાવે છે, તે એક જાતનો પોતાના મતને આગ્રહરૂપ ઉમાદ જ સમજઘેલછી જ સમજવી. તેને ધર્મમાર્ગની તાત્ત્વિક સુવ્યવસ્થા ગણી શકાય નહીં. ૫ મુગ્ધ "સુગમ કરી સેવન આદરે રે,
સેવન અગમ અનૂપ, દેજે કદાચિત સેવક-યાચના રે,
આનંદઘન–રસરૂપ ! સંભવ. ૬
Page #83
--------------------------------------------------------------------------
________________
૨૪
[મુગ્ધ-ભેળા, અણસમજુ. સુગમ-સરળ, સહેલી. આદરે-કરે. અગમ-અગમ્ય, ગૂઢ રહસ્યવાળી, ન સમજાય તેવી, ગંભીર. અનુપ-અનુપમ, સુંદર, કદાચિત્ - કઈક દિવસ. આનંદઘનરસ-રૂપ –હે આનંદથી ભરેલા રસ રૂપ! જિનેશ્વર દેવ
ભેળા અણસમજુ માણસે “પ્રભુની સેવા કરવી તે તો તદ્દન સહેલી છે. એમ માનીને તે કરવા લાગી ગયા હોય છે. પરંતુ, પ્રભુની ખરી સેવા તો અગમ્ય-ગૂઢ રહસ્યવાળી અને અનુપમ–સુંદર છે. તે “હે આનંદથી ભરપુર રસરૂપ ! જિનેશ્વર દેવ ! આપ આ સેવકની (આપની ખરી સેવા કરવાની) યાચના કોઈક દિવસ તો પૂરી કરશે જ. ૬
ભાવાર્થ –આ સ્તવનમાં આત્માને વિકાસ કેવા અનુ કમથી થાય છે? તેની ટુંકામાં સૂચના મળે છે, જગતમાં અનાદિ કાળથી અનંતકાળ સુધી અનંત આત્માઓ વિદ્યમાન હોય છે. તેમાં કોઈ કાળે એકને યે ઘટાડે થતું નથી કે વધારે થતું નથી, અનંત પુદ્ગલ પરાવર્તન ભૂતકાળમાં...આઠમાં શ્રી ચંદ્રપ્રભુ સ્વામિના સ્તવનમાં બતાવ્યા પ્રમાણે સૂમનિગદ વિગેરેમાં પસાર કરીને જે આત્મા મોક્ષમાં જવાને હેય, તે જીવ જ્યારે પિતાના છેલ્લા પુગલ પરાવર્તનમાં આવે, ત્યારે તેને ધર્મ અને ધર્મના અંગો તરફ પ્રીતિ થવા લાગે છે, તે સમયથી તે શુલપાક્ષિક જીવ કહેવાય છે. અરધું પુદગલ પરાવર્તન સંસાર બાકી રહે ત્યારે તેને સમતિ-સમ્યગુદર્શન-ભલી – સ્થિરા નામની ઉત્તમ પાંચમી દષ્ટિ પ્રાપ્ત થાય છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
પરંતુ ભવ્ય જીવને છેલ્લા એટલે ચરમ પુદ્ગલ પરાવર્તનમાં પ્રવેશતાં જ શરૂઆતમાં પહેલી મિત્રાદષ્ટિમાં અભય–અદ્વેષ અને અખેદ પ્રાપ્ત થાય છે તે જીવનનું નામ આદિધાર્મિક પણ કહેવાય છે. તે સ્થિતિના જીવમાંના જે જે દેવઃ ગુરુ અને ધર્મ ગણાતા હોય તે સર્વ પ્રકારમાંથી જેની તરફ જેના મનનું આકર્ષણ થાય, તેની તે જીવ ઉપાસના કરવા લાગે છે, અને તે જીવને માટે કાળાંતરે પછી પ્રાથમિક ભૂમિકામાં એ ઉચિત પણ છે. એમ કરતાં કરતાં તેનું મન જ પરીક્ષા કરીને શુદ્ધ દેવ; શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મની સેવા કરવા તરફ દોરાય છે. આથી તેનું મન એ સિવાયના બીજા સર્વ પ્રકારના દેવ, ગુરુ, ધર્મ તરફ વળતું નથી. જે કદાચ કેઈનું વળે તો તેના સમ્યગદર્શનમાં એટલે દોષ ગણાય છે. આવા દોષે ટાળીને સભ્ય દર્શનનું રક્ષણ કરવાનું હોય છે.
સમકિત પામતાં પહેલાં આદિ-ધાર્મિક અપુનબંધક અને... માર્ગાનુસારી પણ અનુક્રમે બને છે. આદિ-ધામિક જીવ ચારીસંજીવની ન્યાયથી સર્વ પ્રકારના ગણાતા દેવ ગુરુ ધર્મમાંથી કેઈપણની સેવા કરે તે તેને માટે તે ગુણરૂપ થાય છે. ચારી સંજીવની ન્યાયની કથા
એક બ્રાહ્મણીએ કોઈ ભેગીએ વશ કરવા આપેલી બુટ્ટી પિતાના પતિને ખવડાવી. પતિ બળદ થઈ છે અને પત્નીને પરવશ પડે બાઈ મનમાં ઘણી દુઃખી થઈ; પરંતુ પતિને ફરીથી પુરુષ બનાવવાનો ઉપાય છે બિચારી જાણતી નહોતી.
Page #85
--------------------------------------------------------------------------
________________
૨૬
એક વખત તે ખાઇ પેાતાના બળદરૂપી પતિને એક વડ નીચે ચરાવતી હતી, તેવામાં ત્યાંથી આકાશ માર્ગે એક વિદ્યાધર ચુગલ પસાર થતું હતું, વિદ્યાધરીએ બાઇનું દુઃખ દૂર કરવા બળદમાંથી પુરુષ થવાનો ઉપાય પાતાના પતિને પૂછ્યા, વિદ્યાધરે જણાવ્યુ` કે, આ વડ નીચે સંજીવની બુટ્ટી છે. તે બળદના ખાવામાં આવે તે તે તરત પુરુષ થઇ જાય. ” એટલું કહેતાં કહેતાં વિમાન આગળ
*
ચાલ્યું ગયું.
માઇએ વિચાર કર્યો કે- સજીવની તા અહીં છે, પણ હું તેને ઓળખતી નથી. તેા વડ નીચેનું તમામ પ્રકારનું ઘાસ કાપીને બળદને નાખું” તેણે તેમ કર્યું. તે ચારી-ચાર-ઘાસ સાથે સજીવિની બુટ્ટી પણ તેને નાંખવામાં આવી. તે ખાવાથી તે અળદ પાછા પુરુષ થઈ ગયેા.
33
અનાદિકાળથી દેવ: ગુરુઃ ધર્મને ન પામેલા આદિપ્રાથમિક-ધાર્મિ ક માટે જિનેશ્વરદેવ તથા સવ દેવની પૂજા ભકિત કરવામાં દોષ નથી. આમ કરતાં કરતાં તેને જિનેશ્વર દેવ રૂપી સંજીવની બુટ્ટી હાથ લાગી જાય, ને તેનું કામ થઈ જાય
શુદ્ધ દેવઃ ગુરુઃ ધર્મઃ પ્રાપ્ત થયા પછી સર્વ દેવની પૂજા કરવાની નથી હેાતી. તેવા જીવને આ ચારી સંજીવની ન્યાય લાગુ કરવાનું શ્રી હરિભદ્રસૂરીશ્વરજી વિગેરે કાઇ પણ જૈનાચાર્યોએ કહેલું નથી. આજે કેટલાક સ ધમ સમન્વયની વિદેશી પ્રચારકેાની ખેાટી ધુનમાં આવીને આ ન્યાય જૈને માટે પણ લાગુ કરવાની ખેાટી રીતે ભલા મણ કરે છે. તે ખરાખર ન્યાયસર નથી.
સ્તવનમાં સંભવદેવ, ધુર અને સર્વે એ ત્રણ શબ્દો ખમ્બે અર્થમાં વાપરેલા જણાય છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
સંભવદેવ. એટલે સંભવનાથ પ્રભુ અને સંભવથી જે દેવ હેય તે ધુર. એટલે સૌથી પહેલાં અને પ્રાથમિક ધાર્મિક અવસ્થામાં સવે એટલે સંભવથી સર્વ દેવને અથવા સંભવ જિનેશ્વર દેવને સર્વે લેકે.
ભયાદિક ત્રણ શબ્દનો અર્થ આપ્યા પછી બીજી ગાથાના ચેથા પાદમાં, ત્રીજી ગાથમાં આવતા દેષ શબ્દને અર્થ કર્યો છે.
ચરમકરણ એટલે છેલ્લું યથાપ્રવૃત્તિકરણ લેવું. યથાપ્રવૃત્તિકરણ તે જીવ અનંતવાર કરે છે, પણ છેલ્લા યથાપ્રવૃત્તિકરણ પછી અપૂર્વકરણ થાયજ છે. ત્યારપછી અનિવૃત્તિકરણ થઈને જીવ પહેલ વહેલું ઉપશમ સમકિત પામે છે. વળી જે જીવની તેવા પ્રકારની ભવ સ્થિતિ પાકી હોય તેજ જીવ સમ્યક્ત્વ પામે છે.
આ રીતે જૈન દર્શનમાં કહેલ આત્મવિકાસને માર્ગકાર્યકારણભાવના સ્વાભાવિક કમથી પ્રમાણભૂત રીતે બતાવવામાં આવેલો છે આ વ્યવસ્થિત કમ બીજા દશામાં જોવામાં આવતું નથી.
જૈનધર્મ પાળનારી આયે હિન્દુ જાતિઓનાં કુળમાં જન્મ પામવા છતાં જેઓને ખરી રીતે ચેણું ગુણસ્થાનક પ્રાપ્ત થવા રૂ૫ ખાત્રીપૂર્વક સમકિત ગુણ પ્રાપ્ત થવાનું નકકી ન કરી શકાતું હોય, અથવા સમકિત પ્રાપ્ત થયું ન હોય, છતાં સર્વ દે, સર્વ ગુરુઓ, અને સર્વ ધર્મોની સેવાને બદલે તેઓની મનોવૃત્તિ શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની સેવાની ટકી રહે ત્યાં સુધી તેમને ભાવ નિક્ષેપે વ્યવહાર સમકિત
Page #87
--------------------------------------------------------------------------
________________
૨૮ કહેવા માં હરકત નથી જણાતી. અને ચોથા ગુણસ્થાનકની પ્રાપ્તિની ખાત્રી હોય તે તેને સામાન્ય રીતે ભાવ નિક્ષેપે નિશ્ચય સમકિત કહી શકાય.
તેવીજ રીતે જૈનેતર ધર્મ પાળતી કુલ-જાતિમાં જન્મેલા કોઈ જીવને પૂર્વભવના કોઈ સં જેને લીધે શુદ્ધ દેવ, ગુરુ, ધર્મની સેવાની મનેત્તિ ખેંચાતી હોય તે, તેને દ્રવ્ય નિક્ષેપે વ્યવહાર સમકિત કહેવામાં હરકત નથી જણાતી, ચોથા ગુણઠાણાની પ્રાપ્તિની પૂરી ખાત્રી થઈ શકતી હેય, તો તેને સામાન્ય રીતે દ્રવ્યથી નિશ્ચય સમ્યક્ત્વ કહી શકાય. આમ સમજાય છે.
શ્રી અભિનન્દન-જિન સ્તવન. સમ્યગ્ દર્શનની પ્રાપ્તિની અતિ દુર્લભતા:
[ભલી દષ્ટિ જ્યારે ખીલે છે, એટલે કે સમ્યગદર્શન જીવને થાય છે. ત્યારે તેને જૈન દર્શનની અથવા વીતરાગ દેવના સાચા દર્શનની પ્રાપ્તિ થાય છે. પરંતુ એ થતાં પહેલાંની મુશ્કેલીઓ અને તાલાવેલી આ સ્તવનમાંથી જાણવા મળે છે. ] (રાગ-ધનાશ્રી સિંધુડા, આજ નિહેજેરે દીસે નાહલે-એ દેશી) અભિનન્દન-જિન ! દરિસણતરસિય,
દરિસણ દુર્લભ દેવ ! મત-મત-ભેદે રે જે જઈ પછિયે.
સહુ થાપે “અહમેવ અભિ. ૧
Page #88
--------------------------------------------------------------------------
________________
[તરસિયે= તલસવું, ઇચ્છવું. દુર્લભ=મુશ્કેલ. થાપે= સાબિત કરે. “અહમેવ”=હું જ છું.]
હે અભિનંદન જિનદેવ ! હું આપનું દર્શન તલનું છું–ઈચ્છું છું. મને તેની ખૂબ પ્યાસ લાગી છે. પરંતુ હે દેવ ! આપનું દર્શન પ્રાપ્ત થવું, તે અતિ દુર્લભ છે.
૧. જુદા જુદા મતવાળાઓ પાસે જઈને આપનું દર્શન કરવાની વાત પૂછું છું કે તરત તે સી બેલી ઊઠીને–“અમે જ વીતરાગ દેવ છીએ.” એમ સાબિત કરશે, હવે કરવું શું? ૧
આપના દર્શનની તૃષા રાખું છું અને તેની પ્રાપ્તિને મનથી અભિનન્દુ છું. એમ બતાવીને શ્વેષથી અભિનંદન નામની સાર્થકતા સૂચવી જણાય છે. સામાન્ય કરી દરિસણ દેહિલું,
નિર્ણય સકલ વિશેષ; મદમેં ઘેર્યો રે અંધ કેમ કરે,
રવિ-શશિ-રૂપ વિલેષ? અભિ ૨. [[નિર્ણય ચક્કસપણું. સક્લ નિર્ણય સકળ નિર્ણ તે વિશેષે દુર્લભ, રવિ-સૂર્ય, શશિચંદ્ર, વિલેષ વિશ્લેષ વિવેક વિભાગ, પૃથક્કરણ ] '
૨. મદથી ઘેરાયેલે ને આંધળો માણસ સામાન્ય વસ્તુ ન જોઈ શકે. તે પછી તે જુદું જુદું પૃથક્કરણ કેવી રીતે કરી શકે? જેમ તે વિલેષ પૃથકકરણ ન કરી શકે, તેવી રીતે–સામાન્ય રીતે જ્યાં દર્શન દુર્લભ છે, તે પછી
Page #89
--------------------------------------------------------------------------
________________
૩૦
તત્ત્વના સકળ સાચા નિણૅયે। તા વિશેષ દુર્લભ હૈાય તેમાં તા પૂછવું જ શું ?--સકળ નિણુંચાતા વિશેષે દાહિલા હાય જ,
હેતુ–વિવાદે હો ચિત્ત ધરી જોઇએ, અતિ-દુ મ—નય-વાદ, આગમ-વાદે હા ગુરુ-ગમ કા નહી', એ સ-અલા વિષવાદ.
અભિ, ૩ [હેતુ-વિવાદે-હેતુવાદ-કાર્ય કારણુવાદ, અનુમાન પ્રમાણુ દુ મ = મુશ્કેલીથો સમજાય તેવા, કઠણુ, નયવાદ=સાત નયને લગતી ચર્ચા, આગમવાદે શાસ્ત્ર પ્રમાણુમાં, ગુરુગમ-ગુરુના ઉપદેશ, ગુરુ તરફનું મા દન, સખલે= બળવાન, વિષવાદ=વિખવાદ, મુશ્કેલી]
૩ હેતુવાદઅનુમાન પ્રમાણમાં મન પરોવીને દર્શન પામવા જતાં અત્યન્ત કઠણ નયવાદ સમજાતા નથી,
૪ આગમવાદથી જ દર્શનના પત્તો મેળવવા જતાં તેમાં ગુરુ તરફના માર્ગદર્શનની સંપૂર્ણ મદદ મળતી નથી. એમ એવા બળવાન વિખવાદેા-મુશ્કેલીએ–દર્શન પ્રાપ્ત કરવામાં ઊભી છે. કુ
:
ज्ञायेरम्हेतु वादेन पदाऽथ यद्यतीन्द्रियाः । काले नैतावता प्राज्ञैः कृतः स्यात्तेषु निश्चयः ॥ १ ॥ અથઃ—જો હેતુવાદથી જ બધા અગેાચર પદાર્થો પણ જાણી શકાતા હાત, તે આજ સુધીમાં વિદ્વાનાએ દરેક પદાર્થીના સ્વરૂપે નક્કી કરીજ નાખ્યા હત.
Page #90
--------------------------------------------------------------------------
________________
ઘાતિ-ડુંગર આડા અતિ–ઘણા,
તુજ દરિસણ જગ-નાથ ! ધિઈ કરી મારગ સંચરું,
સેંગુ કેઈ ન સાથ. અભિ. ૪ [ વાત=ભયંકર, ધિઈ=ઉદ્ધતાઈ સંચરું ચાલું, આગળ વધું, સેંગુ વળાવે.]
૫ તેથી હે જગન્નાથ ! તમારા દર્શન આડે બીજી પણ અનેક મુશ્કેલીરૂપી અતિ–ઘણા જ ભયંકર પર્વતો ઊભા છે.
૬ હવે, જે એ કેઈપણ મુશ્કેલીની પરવા કર્યા વિના ધિઈ કરીને આગળ માર્ગ કાપવાનું સાહસ કરું, તોપણ કઈ વાળા સાથે થતો –હોતો નથી, એટલે એકલો શી રીતે આગળ વધી શકું? ૪ દર્શન” “દર્શન.” તે શિરે,
તો રણ–રેઝ-સમાન; છે. જેને પિપાસા હી અમૃત–પાનની,
કિમ ભાંજે વિષપાન? અભિ. ૫
“દર્શન “દર્શન” એમ રટતો રટતો-બૂમ પાડતો પાડતો-જે દિનરાત ફર્યા કરે તો લેકે મને “આ તો રણવગડાનું રોઝ છે.” એમ માની લે. એ પણ મુશ્કેલ છે કે ભલે તેમ માની લે. પણ બીજો ઉપાય શો ?
Page #91
--------------------------------------------------------------------------
________________
૩૨
તેથી, હે પ્રભો! કઈ રીતે દર્શન પ્રાપ્ત થવા રૂપ સંતોષ થતો નથી, કેમકે, જેને અમૃત પીવાની તરસ લાગી હોય તેને કેાઈ ઝેરનો પ્યાલો પાય તો તેથી તેની તે તરસ કેમ છીપે ?
એટલે કે મારી દર્શનરૂપી અમૃત પીવાની તીવ્ર ઈચ્છા છે, ત્યારે સામેથી ઉપર જણાવેલા વિઘોરૂપી ઝેરના પ્યાલા સામે આવી ખડા છે. તેથી મને સંતોષ કેમ થાય? તેથી મારી વ્યાકુળતામાં વધારે થાય છે. ૫ તરસ ન આવે હો મરણજીવન તણે,
સીઝે જે દરિસણ–કાજ, દરિસણ દુર્લભ, સુલભ કૃપા થકી,
આનંદ-ધન ! મહારાજ ! અભિo
[ તરસ તૃષા. સીઝે સિદ્ધ થાય, સફળ થાય. દરિસણુકાજ= દર્શનરૂપી કામ ધ્યેય, સુલભ =સહેલું આનંદ-ઘન=આનંદના ભંડાર! મહારાજ !–મેટા રાજા, પૂજ્ય.]
હે પ્રભો ? જે આપનું દર્શન મેળવવાનું મારું કાર્ય–ોય સિદ્ધ થાય સફળ થાય, તો મરણ અને જીવનની તરસ મટી જાય ને ફરી ફરી ઊભી ન થાય–સંસારમાં ભમવાનું અટકી જાય, મોક્ષ મળી જાય; ટુંકમાં જન્મમરણના ફેરા ટળી જાય.
તો હે! આનંદ ઘન-આત્માના આનંદથી ભરપૂર–મહારાજ ! જેક આપનું દર્શન દુર્લભ છે, પણ જો આપની કૃપા
Page #92
--------------------------------------------------------------------------
________________
૩૩
થાય. તે તે ઘણું સરળ-સુલભ છે, તે પ્રાપ્ત થવામાં કશીયે મુશ્કેલી નડે તેમ નથી. માટે આપ એ કૃપા કરે. ૫
ભાવાર્થ:- દર્શન શબ્દના સામાન્ય રીતે છ અર્થ જોવામાં આવે છે, ૧ આંખથી જોવું. ૨ વસ્તુમાં રહેલા સામાન્ય ધમ જાણવાની સામાન્ય જ્ઞાન શક્તિ-નિરાકાર ૪ પ્રકારનો ઉપયેગ, ૩ સભ્યમ્ દર્શન-વિશ્વના પદાર્થોનું વિવેકપૂર્વકનું યથાર્થ જ્ઞાન, ૪ મત–પંથ, વિશ્વનિરૂપણની દષ્ટિ, જેમકે-વેદાંતદર્શન-જૈન દર્શન. ૫ પ્રભુને કે પ્રભુની પ્રતિમાને નિહાળવાને પણ “દર્શન કર્યાનું કહેવાય છે. ૬ પ્રભુને બરાબર સમજવા.
તેમાંથી અહીં ત્રીજે, ચોથે, પાંચમે, અને છઠ્ઠો એ એ ચારેય અર્થ સંભવે છે. કવિએ આર્થિક કલેષથી એ જેલા હોય, તેમ જોઈ શકાય છે,
સમ્યગદર્શન પ્રાપ્ત કરવું કેટલું મુશ્કેલ છે?” તેથી આ રીતે, બાધિ દુર્લભ ભાવના આ સ્તવનમાં બતાવેલી છે.
આગમવાદ શબ્દને અર્થ અહીં જૈન આગમ નહીં કરતાં, કઈ પણ શાસ-શબ્દ પ્રમાણુ–એવો અર્થ લે. એજ પ્રમાણે અનુમાન પ્રમાણ રૂપ હેતુવાદમાં પણ અનેક નો-અનેક દષ્ટિ બિન્દુએથી વિચારણા કરતાં રવાભાવિક રીતે જ તવ વિચારમાં અનેક દષ્ટિઓ ઉભી થાય છે. એટલે દુનિયામાંથી છૂટીને નયવાદને પાર પામ્યા વિના કેવળ હેતુવાદથી બરાબર દર્શન થવું મુશ્કેલ બને છે,
Page #93
--------------------------------------------------------------------------
________________
૫. શ્રી સુમતિનાથ-જિન-સ્તવન આત્મ સમર્પણનું સ્વરૂપ ત્રણ પ્રકારના આત્મા
બહિરાત્મા અંતરાત્મા પરમાત્મા
(પહેલા સ્તવનમાં કપટ-રહિત થઈ આત્મ-સમર્પણને મોક્ષની નિશાની કહી છે. આત્મ-સમર્પણ એટલે શું? અને તે કેમ કરવું ? તે આ સ્તવનમાં સમજાવેલ છે.)
[રાગ વસંતઃ કેદારો:]. સુમતિ-ચરણ-ક-જ આતમ-અરપણું
દરપણ જિમ અ-વિકાર–સુજ્ઞાની ! મતિ-તરપણ બહુ સમ્મત જાણિયે
પરિસર૫ણ સુવિચાર સુ-જ્ઞાની! સુ. ૧ [સુમતિ-ચરણ-સુમતિનાથ પ્રભુના પગ, ક-જ=કમળ આતમ-અરપણુ=આત્મ સમર્પણ, આત્મા સેંપી દે તે. દરપણુ=આરી, અ-વિકાર-નિર્દોષ, સાફ, મતિ-તરપણુ બુદ્ધિને સંતોષદાયક, બહુ-સમ્મત=ઘણાને માન્ય. પરિસરપણુ શુભ પ્રયાણ. સુ-વિચારસવિચારમાં.]
શ્રી સુમતિનાથ પ્રભુના સાફ આરીસા જેવા નિર્દોષ ચરણ રૂપી કમળમાં આત્માનું સમર્પણ કરવું, તેવાત બુદ્ધિને સંતોષજનક-આનંદ આપનાર છે. બહુ શિષ્યોને તે માન્ય છે. અને તે વિચારમાં પરિસર્ષણ એટલે પ્રવેશરૂપ છે. ” એમ જાણવું. ૧
Page #94
--------------------------------------------------------------------------
________________
૩૫
ભ્રમરૂપી મતિને દોષ ટાળવાથી સુમતિ સદ્દબુદ્ધિ પ્રાપ્ત અપાય છે. એમ બતાવીને શ્લેષથી સુમતિનામની સાર્થકતાં બતાવી છે. ત્રિવિધ સકલ-તન-ધગત આતમા.
બહિરા-ડડતમ પુરિભેદ સ-જ્ઞાની ! બીજે અંતર-આતમ, તીસરે
પરમાતમ અવિચ્છેદ, સુજ્ઞાની ! સુત્ર ૨ [ત્રિવિધ ત્રણ પ્રકારે. સકલ=બધા તનુ-ધર=શરીરધારી. ગત=રહેલા. આતમા-આત્માઓ. બહિરા-ડcતમ= બાહ્ય આત્મા. બહિરાભા. યુરિપહેલ. અંતર-અંદરને. પરમાડડતમ=મહાઆત્મા, શ્રેષ્ઠ આત્મા, પરમાત્મા. અ-વિચ્છેદ-અખંડ, નિત્ય અ-વિનાશી.]
| સર્વ શરીરધારી જેમાં રહેલા આત્માઓ ત્રણ પ્રકારના હેાય છે.–૧ પહેલો ભેદ-બહિરાત્મા ૨ બીજે ભેદ–અંતરાત્મા;૩ત્રીજે ભેદ અખંડ અવિનાશી પરમાત્મા.૨
આતમ-બુદ્ધે કાયાજ્ઞદિક ગ્રહો;
બહિરા-ડકતમ અઘરૂ૫. સુજ્ઞાની ! કાયા sદિકને હે સાખી-ધ-રહ્યા,
'અંતર-આતમ-રૂપ-સુજ્ઞાની ! સુ૩ - [આતમ-બુધે=આત્માની બુદ્ધિથી, પિતે છે.” અને : “પિતાના છે.” એ બુદ્ધિથી. કાયા–ssદિક=શરીર વિશે
ને. ચહ્યો જાણીએ, જાણે. અઘરૂપ પાપરૂપ, દેથી
Page #95
--------------------------------------------------------------------------
________________
ભરપૂર. સાખી ધર=સાક્ષિ રૂપે, તટસ્થ. અંતર-આ તમ-રૂપ અંતર આત્માનું સ્વરૂપ.]
શરીર વિગેરેને આત્માની બુદ્ધિથી “તે પોતે જ છે, કે તે સર્વે પિતાના જ છે.” એમ મનાય છે, ત્યાં સુધી તે પાપરૂપ આત્મા–અજ્ઞાનરૂપ બહિરાત્મા છે.
પરંતુ, “શરીર વિગેરેમાં તટસ્થ-સાક્ષીરૂપે આત્મા જુદો જ રહ્યો છે.” એમ મનાવા લાગે ત્યારે તે અંતરાભાનું સ્વરૂપ છે. આત્મા જ ત્યારે અંતરાત્મા બને છે. ૩
જ્ઞાના-ડડનંદે હે પુરણ પાવને
વર્જિત-સકલ-ઉપાધ સુ-જ્ઞાની! અતીન્દ્રિય ગુણ-ગણ-મણિ-આગર
એમ પરમા-ડcતમ સાધ, સુ-જ્ઞાની! સુહ૪ [ જ્ઞાના-ડડન દે-જ્ઞાનમય-આનંદથી. પૂરણ=પૂર્ણ ભરેલો. પાંવ=પવિત્ર. અતીન્દ્રિય=ઈન્દ્રિથી ન સમજાય તે, માત્ર સ્વસંવેદ્ય, ગુણ-ગણ-મણિ-આગર=ગુણોના સમૂહરૂપી મણિઓ-રત્નની ખાણમાન. આગ =આકર, ખાણ સાધસાધે, સમજે, ઓળખે. ]
જ્ઞાનમય આનંદથી પરિપૂર્ણ ભરેલે પવિત્ર સર્વ ઉપાધિઓથી રહિત ઈન્દ્રિયોને અગોચરઃ ગુણેના સમૂહરૂપી રત્નોની ખાણ સમાનઃ પરમાત્માને સાધસમજો–ઓળખો અથવા પ્રાપ્ત કરો ૪.
Page #96
--------------------------------------------------------------------------
________________
૩૭
બહિરા-ડતમ તજી, અંતર-આતમા
રૂપ થઈ સ્થિર-ભાવઃ સુ-જ્ઞાની ! પરમા-ડતમનું હી આતમ ભાવવું
આતમ-અર્પણ-દાવ. સુ-જ્ઞાની! સુપ [સ્થિર ભાવ એકાગ્રતા, ધ્યાનમાં સ્થિર ભાવે. દાવ ખેલ, યુકિત, રીત.]
બહિરાત્મભાવને ત્યાગ કરી સ્થિરભાવે એકાગ્રતાએ -અંતરાત્મ-સ્વરૂપમાં નિષ્ટ થઈને પોતાના આત્માને પરમાત્મ સ્વરૂપે વિચારો, તે જ આત્મ–સમર્પણને દાવ-યુક્તિસાચી રીત–છે.
જૈન દષ્ટિએ આ જ પરમાત્મ સમર્પણ છે. પિતાના જ આત્માને પરમાત્મા રૂપ બનાવવો, તે જ આત્મ સમર્પણ છે.૫
વૈદિક શાસકારેની પ્રસિદ્ધ ભગવદ્દગીતામાં પણ એ ધ્વનિ છે –
जिता-ऽऽत्मनः प्रशान्तस्य परमाऽऽस्मा समाहितः। शीतोष्ण सुख-दुःखेषु तथा माना-उपमानयोः ॥ ६. ७॥
ડીમાં કે ગરમીમાં, સુખમાં કે દુઃખમાં, માન-સન્માનમાં કે અપમાનમાં, સંયમી અને શાંત આત્માને પરમ-આત્મા-પરમાત્મા– સમાહિત હોય છે. સ્થિર, શાંત-સમભાવમાં રહે છે.”૬ અ૦ ૭૭
આતમ અર્પણ વસ્તુ વિચારતાં
ભરમ ટળે મતિષ. સુજ્ઞાની !
Page #97
--------------------------------------------------------------------------
________________
૩૮
પરમ-પદારથ-સંપત્તિ સપ, આન’-ધન-રસ–પેાષ. સુ-જ્ઞાની! સુ૦૬
[ વસ્તુ=રહસ્ય. ભરમ=ભ્રમ, અજ્ઞાન.મતિ-દોષષુદ્ધિની ખામી. પરમ-પદા-ઽર્થ-સપત્તિ=આત્મારૂપી ઉત્તમ પદાર્થીમાં વિકાસરૂપી સપત્તિ-મેાક્ષ. સપજે=પ્રાપ્ત થાય. આનંદ-ધન-રસ-પાષ=આનદથી ભરપુર રસનું પોષણ કરનાર. ]
આત્મસમર્પણના રહસ્યના વિચાર કરતાં, શ્રમણા રૂપી બુદ્ધિના દાષ નાશ પામે છે, પરંપરાએ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને આનંદથી ભરપૂર રસનું પેાષણકરનાર પરમ પદાર્થ રૂપી સંપત્તિ—મેાક્ષ–પ્રાપ્ત થાય છે. ૬
ભાવાર્થ :—મારીસા જેવા સ્વચ્છ અને નિર્દોષ પર માત્માના ચરણુકજ એટલે ચરણુકમળમાં આત્મા પ્રથમ અપવા. ત્યાર પછી પેાતાના મહિરાત્મ ભાવને છોડીને પેાતાના અંતરાત્મ ભાવ પ્રાપ્ત કરવા અને તેમ કરીને પછી પોતાના જ પરમાત્મ સ્વરૂપને પેાતાના અતરાત્મા સમર્પણુ કરવા, તે આત્મસમર્પણ છે. આત્મસમર્પણની આ વાત કાઇપણુની બુદ્ધિને સ ંતેષીને તૃપ્ત કરી દે તેવી છે, તેમજ તેની સામે કોઈના ય વિસવાદ આવી શકતા નથી-ખકે ઘણા શિષ્ટ પુરુષા તેમાં સમ્મત છે. કોઈનાય પ્રાયઃ તેમાં સાચા મતભેદ ઊભા રહે તેા નથી જ, એ કામ સવિચારમાં પરિસપણુ એટલે પ્રવેશ-પ્રગતિ-આગળ ધપવા રૂપ જ છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
ત્રણ પ્રકારના આત્માનું ટુંકામાં સ્વરૂપ સમજાવ્યું છે. પરંતુ, તે સમજવાની જરૂર શા માટે છે? તે તે વળી, બહુજ સુંદર રીતે સમજાવ્યું છે. “ત્રણ પ્રકારના આત્માનું જ્ઞાન પરમાત્મ-સમર્પણ માટે કરવું જરૂરી છે.” એમ સમજાવ્યું છે. “હું” અને “
માની મમતાથી જ્યાં સુધી આત્મા ઘેરાયેલું હોય છે, ત્યાં સુધી તે જીવ આત્મા ખરે, પણ તે અહિ ડિડસ્મા ગણાય છે જ્યારે આત્મા શાંત, સંયમી અને ત્યાગી બને છે, ત્યારે તે અંતરાઆત્મા બને છે. અને જ્યારે તે પૂર્ણ થેગી થઈને પિતાના આત્મામાં જ લીન થઈ જાય છે, અને તેના સઘળા ગુણો પ્રકાશી ઊઠે છે, ત્યારે તેજ આત્મા અઢાર દેષ રહિત પરમા પડમા બની જાય છે અઢાર દેવ શ્રી મલ્લીનાથ ભગવાનના સ્તવનમાં આગળ બતાવેલા છે.
જ્યાં સુધી આત્મા બહિરાત્મ ભાવથી ઘેરાયેલું હોય છે, ત્યાં સુધી તેને આગળ વધવા માટે નિર્દોષ વીતરાગ પ્રભુનું આલંબન લેવું જ પડે છે. અને જ્યારે પોતે જ અંતરાત્મભાવમાં સ્થિર થઈને પોતે જ પરમાત્મા બનવા માંડે છે, ત્યારે એ આલંબનની બહુ જરૂર પડતી નથી આ રીતે પ્રથમ વીતરાગદેવને આત્મસમર્પણ કરવાથી છેવટે પોતે પિતાનેજ સમર્પિત થાય છે–પોતે જ વીતરાગ-પરમાત્મારૂપ બને છે. આમ આતમ-અર્પણાનું સુંદર રહસ્ય સમજવાથી એ વિષેનું અજ્ઞાન, આ સ્તવનથી દૂર થાય છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
૬. શ્રી પ–પ્રભ-જિન-સ્તવન બહિરાત્મા અને પરમાત્મા વચ્ચેના અંતરનું કારણ.
[એકજ આત્મા પ્રથમ બહિરાત્મરૂપ છતાં, પોતે જ અંતરાત્મારૂપ થઈને, છેવટે પરમાત્મા બને છે. આમ એક જ આત્માની ત્રણ અવસ્થા થવાનું સાચું કારણ બતાવવામાં આવેલ છે. ] (રાગ-માસ-સિંધુડો “ચાંદલિયા ! સદશે કહેજે મારા કંથને” એદશી]
પદ્મપ્રભ ! જિન ! તુજ મુજ આંતર રે !
કિમ ભાંજે ભગવંત ! ? કર્મ-વિપાકે કારણ જોઈને, રે
કોઈ કહે મતિમંત. પદ્મ ૧ આંતરુ=અંતર. ભાંજે=ભાંગે. કર્મ–વિપાકે કર્મના ફળ ઉપરથી મતિમંતકબુદ્ધિશાળી પુરુષ.]
હે પહાપ્રભ ! જિનેશ્વરદેવ ! મારી અને આપની વચ્ચે જે આંતરું છે-જે છેટું છે, તે હે ભગવંત! કેમ કરીને ભાગે ? તે આંતરડાનું કારણ બતાવે છે –બુદ્ધિમાન કેટલાક પુરુષો અન્વય-વ્યતિરેકથી કારણેની તપાસ કરીને એ આંતરું કર્મના વિપાકથી પડયું છે. એમ કહે છે. ૧
૧ મારામાંથી કર્મરૂપી મેલ જવાથી, મારી અને આપની વચ્ચેનું અંતર ભાંગી જશે. ત્યારે હું આપના જે -પદ્મની કમળની પ્રભા જે, સ્વચ્છ–નિર્દોષ થઈશ.
Page #100
--------------------------------------------------------------------------
________________
૪૧
૨. જ્યારે જીવરૂપી સરોવર ભરપૂર આનંદરસથી છછલ ભરાયું હશે, ત્યારે તેમાં પદ્મની પ્રભા જેવો મારો આત્મા આપના જેવો થઈને મ્હાલત હશે, આમ બતાવીને શ્લેષથી પદ્મપ્રભ નામની સાર્થકતા સૂચવી જણાય છે. પયઈ-ઠિઈ-અણુભાગ–પ્રદેશથી, રે
મૂળઃ ઉત્તરઃ બહુ-ભેદ. ઘાત અને ઘાતી હૈ બંધદય ઉદીરણું રે સત્તાઃ કર્મ-
વિદઃ પદ્મ. ૨ [ પયઈ=પ્રકૃતિ ઠિઇ=સ્થિતિ. આણુભાગ રસ મૂલ મુખ્ય. ઉત્તર પેટા. ઘાતી મૂળ ગુણે ઢાંકનાર. અઘાતી=અપ ઘાતી, ઉત્તર ગુણે ઢાંકનાર. બંધ નવાં કર્મોને જૂનાં કર્મો સાથે મેળવી આત્મ પ્રદેશ સાથે મિશ્રિત કરવા તે ઉદય કમનું ફળ ભેગવવું તે. ઉદીરણુ-કમને ઉદયમાં આવવાનો વખત આવી પહોંચતાં પહેલાં જ પરાણે ઉદયમાં લાવવાં, તે. સત્તા-કર્મ બંધાયાં પછીથી તે ઉદયમાં આવી જાય, ત્યાં સુધીની-પિતાના કર્મ સ્વરૂપમાં કમની વિદ્યમાનતા. કમ-વિચછેદકર્મનાં બંધ-ઉદય-ઉદીરણા અને સત્તાને અભાવ ].
પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ-રસ અને પ્રદેશથી તથા આઠ મૂળ ભેદ તથા ઘણા ઉત્તર ભેદથી કર્મના ભેદ ઘણા છે. ઘાતીઃ અઘાતીઃ એવા બે ભેદ છે. કર્મનાં બંધઃ ઉદય ઉદીરણા સત્તા હોય છે. અને વિચ્છેદ એટલે ગુણસ્થાનકના કામે ચડતાં ચડતાં
Page #101
--------------------------------------------------------------------------
________________
૪૨
ખધના વિચ્છેદ, ઉદયના વિચ્છેદ, ઉદીરણાના વિચ્છેદ અને સત્તાના વિચ્છેદ્ય થાય છે. ૨
કનકાપલવત્ પયડી-પુરુષતણી રે જોડી અનાઽદ સ્વ-ભાવ, અન્ય-સ’જોગી જિહાં લગે આતમા, રે “ સંસારી ” કહેવાય. પદ્મ ૩
[ કન=સાનું. ઉપલ=પત્થર. પયડી=પ્રકૃતિ, માયા ક, પુરુષ=આત્મા. જોડી=જોડ, જોડલુ, યુગલ. અથવા જોડાયેલ=એકમેકમાં ગુંથાયેલ. અનાદિ=આદિ વગરના. સ્વ-ભાવ=સ્વભાવે કરીને. ]
પ્રકૃતિઃ અને પુરુષઃ એ બેની જોડી સ્વભાવે કરીને અનાદિકાળથી સેાના અને પત્થરની માફક મિશ્રિત રહેલ છે. આ રીતે જ્યાં સુધી પુરુષ એટલ આત્માઃ ક રૂપ બીજા પદાર્થની સાથે સંચાગ ધરાવે છે, ત્યાં સુધી, તે “ સંસારી ” કહેવાય છે. અને જ્યારે એ કર્મના સજોગથી મુક્ત થાય છે, ત્યારે તે જ આત્મા મુક્ત કહેવાય છે. ૩.
''
19
કારણ–જોગે હા બધે બંધને રે. કારણ મુગતિ મૂકાય, ‘આશ્રવ’ ‘સવર' નામ અનુક્રમે, રે, હૈયઃ ઉપાદેયઃ સુણીય, પદ્મ ૦ ૪
Page #102
--------------------------------------------------------------------------
________________
[બંધને બંધનને, મુગતિ મુકિત મૂકાયમુકત થાય. આશ્રવ કર્મના બંધનું કારણું સંવર-કર્મના બંધને રોકનાર હેય ત્યાગવા યોગ્ય ઉપાદેયઃગ્રહણ કરવા યોગ્ય. સુણયશાસ્ત્રમાં સંભળાય છે.]
બંધ થવાના કારણે મળવાનાં વેગે જ આત્મા કર્મો બાંધે છે. અને મુકિત મળવાના કારણે મળવાથી આત્મા કર્મોથી મુકત થાય છે. એ બનેયના કારણોના નામ અનુક્રમે શાસ્ત્રમાં “આશ્રવ” અને “સંવર સંભળાય છે. એ બેમાંના અનુક્રમે એક હેય-ત્યાગ કરવા યોગ્ય, અને બીજે ઉપાદેય–આદરવા યોગ્ય છે.
૧ કર્મના બંધનું કારણ આશ્રવ છે. તે છોડવા યોગ્ય છે. ૨ કર્મનો ને બંધ થતો અટકાવનાર સંવર છે. તે આદરવા યોગ્ય છે. આશ્રવ સંસારમાં રઝળાવનાર છે, અને સંવર મોક્ષમાં લઈ જવામાં મદદગાર છે. ૪. યુન્જન-કરણે હે અંતર તુજ પડ્યો. રે
ગુણ-કરણે કરી ભંગ. ગ્રંથ-ઉકતે કરી પંડિત-જન કલ્યો. રે
અંતર–ભંગ-સુસંગ, પદ્મ પ [ચજન-કરણે જોડનારા પ્રયત્ન, ગુણ-કરણુ ગુણના વિકાસરૂપ પ્રયાસથી. ગ્રન્થ-પુસ્તકો. ઉક્ત ઉક્તિઓથી, ગાથાઓથી. પંડિત-જન વિદ્વાન્ પુરુષોએ, અંતર ભંગ
Page #103
--------------------------------------------------------------------------
________________
૪૪
સુઅંગ=આંતરાં ભાંગવાના સુંદર 'ગા, અથવા સુઅંગ=શ્રુત જ્ઞાનના અંગરૂપ સુઅ-અંગ]
ટુકામાં, મારું હિરાત્માનું તમારી સાથે-પરમાત્મ ભાવ સાથે–આંતરું યુન્જન-કરણે કરીને પડયું છે. તેના ભગ ગુણ–કરણે કરીને થઇ શકે છે. એટલે કે–કમ સાથે ચેાાવાથી-જોડાવાથી-મારી અને આપની વચ્ચે અંતર પડયુ છે, અને મારા આત્મામાં ગુણેના વિકાસ થવાથી કર્મા દૂર થતાં, તે આંતરું ભાંગી જાય છે. આથી હું આપના જેવા પરમાત્મા બની શકું છું.
આમ, આંતરું ભાંગવાના ગુણકરણરૂપ ઉપાયની વાત મેટામેટા વિદ્વાન પુરુષોએ માટા મેટા ગ્રંથેની અનેક કિત-ગાથાઓમાં ખુબ વર્ણવેલ છે. ૨. શ્રુતના-આગમોના અંગરૂપ અંદર-અંદરના એનેક ભાંગાએથી ભરપૂર કમ ગ્રંથાર્દિક-ગ્રંથામાં અનેક ગાથાઓ વડે વર્ણવેલ છે. ૫ તુજ-મુજ અંતર-અંતર ભાંજશે,
વાજશે મગલ–તર વ-સરાવર અતિશય-વાધશે રે આનંદ-ધન-રસ-પૂર. પદ્મ ૬ [ અંતર=અંદરનું, અંતર=આંતરું, ભાંજશે-ભાંગશે. વાજશે-વાગશે. ત=વાજા', અતિશય=ખૂબ, વાધશે-વધી જશે. આનંદ-ધન-રસ-પૂરું=આનંદના ભંડારરૂપ રસપાણીના પૂરથી. ]
Page #104
--------------------------------------------------------------------------
________________
૪૫
મારી અને આપની વચ્ચેનું અંદરનું આંતરું ગુણકરણે કરીને ભાંગી જશે, ત્યારે મંગળ વાજા વાગી રહેશે. કેમકે—આપણે બન્નેય સપૂર્ણપણે સરખા થશું–એકાકાર થઇશું-એક બીજાને મળશું. એ સમયે આનદ્રથી ઉછળતા રસના--પાણીના-પૂર આવવાથી જીવરૂપી સરાવર ખૂબ ખૂબ વૃદ્ધિ પામો-હેલે ચડશે. ૬
ભાવાર્થ:—અહિરાભસાવ અને પરમાત્મભાવ વચ્ચે આંતરું પાડનારા કર્મનું સ્વરૂપ આ સ્તવનમાં ખતવેલ છે. કોઇપણુ આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનમાં કમનું જ્ઞાન અનિવાય રીતે કરવું જ પડે છે. આત્મા અને કર્મના સબધના જ્ઞાન વિના કોઈપણ તત્ત્વજ્ઞાન અપૂણુ જ રહે છે. ક-વિપાક=પૂર્વ આંધેલાં કમ'નાં કળાને ભોગવવાં પડે છે, તે ક-વિપાક કહેવાય છે. કાં પેાતાના વિપાક ચાર રીતે બતાવે છે.
પ્રકૃતિરૂપે: સ્થિતિરૂપે: રસરૂપે: અને પ્રદેશરૂપે પ્રકૃતિ=જુદા જુદા ફળો બતાવવારૂપ કના સ્વભાવાનુ નિયમન.
સ્થિતિ=આત્મા સાથે કર્મને અંધાઇ રહેવાના કાળનુ નિયમન.
અનુભાગ=પ્રકૃતિ અનુસાર કમનું તીવ્ર, મંદ, તીવ્ર-મંદ તીવ્રતર, મંદતર અનુભવ કરાવવાનું નિયમન, તેના રસ વિગેરે ીજા નામેા પણ છે.
પ્રદેશ-મૂળ અને ઉત્તર પ્રકૃતિવાર કની વણા [જત્થા] ના પ્રદેશેાના ભાગે નુ' આત્માની સાથેના મિશ્રણનું નિયમન,
Page #105
--------------------------------------------------------------------------
________________
મુળભેદ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, આયુષ્ય, મેહનીય, નામ, ગેત્ર અને અંતરાય કમ, એ કર્મના આઠ મૂળભેદ છે. ઉત્તરભેદએના અનુક્રમે ૧, ૯, ૨, ૪, ૨૮, ૧૦૩, ૨, ૫, એમ કુલ ૧૫૮ ઉત્તર ભેદ છે. ઘાતકર્મ=આત્માના મૂળગુણેને ઘાત કરે, તે ઘાતી કર્મ. અઘાતી કર્મ=આત્માના ઉત્તર ગુણેને ઘાત કરે, તે અઘાતી કર્મ. બંધ=આત્મા અને કામણ વર્ગણ-ના બનેલા-નવા કર્મોને-દૂધ અને પાણીની માફક લોઢાને ગોળ અને અગ્નિની માફક તેલ અને તેલની માફક-સંબંધ. ઉદયકર્મનાં ફળ ભેગવવાં, તે ઉદય. ઉદીરણ=ઉદયમાં આવવાને વખત પાયા પહેલાં પ્રયત્ન વિશેષ-કરણ વિશેષે કરી, ખેંચીને કર્મોને ઉદયમાં લાવવા તે ઉદીરણું. સત્તા=બંધ સમયથી માંડીને કર્મ ઉદયમાં આવી જાય, ત્યાં સુધીના વખત સુધી કમનું પિતાના સ્વરૂપે આત્મા સાથે વિદ્યમાન રહેવું, તે સત્તા. વિચ્છેદ=જેમ જેમ ઉપર ઉપરના ઉચ્ચ ગુણ સ્થાનકે જવ ચડતે જાય, તેમ તેમ બંધ, ઉદય, ઉદીરણા અને સત્તામાંથી કમેને વિચ્છેદ થાય છે, તે.
જેમ સોનું અને માટી જોડીને સંબંધ અનાદિ કાળથી છે, જેમ પ્રકૃતિ અને પુરુષને સંબંધ અનાદિ કાળથી છે સાંખેની માન્યતા], તેમ આત્મા અને કર્મોને સંબંધ પણ અનાદિ કાળથી છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
ક૭
સંસારી આત્મા જ્યાં સુધી કર્મ પુદ્દગલરૂપી અન્ય-પર પદાર્થને સંબંધ રાખે, પરપદાર્થથી મિશ્રિત રહે, ત્યાંસુધી, તે સંસારી જીવ કહેવાય છે.
આત્માને કર્મ બાંધવાના પણ કારણે મળે છે, અને કમથી મૂકાવાના પણ કારણે મળે છે. આ કારણેનું નામ અનુક્રમે-આશ્રવ છે, અને જે હેય છે. અને સંવર છે, ને જે ઉપાદેય છે.
આશ્રવ કર્મ બાંધવાના કારણે. હેય=ત્યાગ કરવા યોગ્ય. સાવરકકર્મના બંધને રોકવાના કારણે. ઉપાદેય સ્વીકારવા ગ્ય–આદરવા ગ્ય.
આશ્રવનું પણ મૂળ કારણ તે આત્મામાં રહેલ યુજનકરણ છે. અને સંવરનું મૂળ કારણ આત્મામાં રહેલ ગુણ-કરણ છે.
કરણ આત્માને ખાસ પ્રયત્ન.
યુ જન કર=આત્મા સાથે કર્મને જોડનાર આત્માને પ્રયત્ન–અવળો પુરુષાર્થ
ગુણ-કરણ આત્માથી કર્મને છૂટા પાડનારા આત્માના અનેક ગુણ જગાડનારા આત્માના પ્રયતને-સવળા પુરુષાર્થ. તે ગુણ-કરણ,
ઉપર જણાવેલી એ વાતે વિષે મહામહા વિદ્વાન પુરુષએ કર્મગ્રન્થ, પંચસંગ્રહ, કમપ્રકૃતિ વિગેરે મોટા ગ્રન્થની રચનાથી ઘણું ઘણું કહ્યું છે. તથા આંતરું ભાંગવાના પણ ઘણા સુંદર અંગો-મૃતાંગોમાં જણાવ્યા છે અથવા શ્રુતજ્ઞાનના અંગરૂપ કર્મન્થાદિકમાં બતાવ્યા છે,” એ અથે પણ થશે.
Page #107
--------------------------------------------------------------------------
________________
४८
અસ, કર્મરૂપી અંદરનું -બહાર ન જણાતું—આંતરું ભાંગતાની સાથે જ, આત્મા કર્મોથી મુક્ત થઈ, પેાતાના સમગ્ર ગુણી પ્રગટ કરીને આનંદમય બની જાય છે.
કમના ચેાગે જ અ'ત્મા અને પરમાત્મામાં ભેદ પડે છે.” એ વાત આ સ્તવન ઉપરથી સ્પષ્ટ સિદ્ધ થાય છે. તેથી શ્રી આનંદઘનજી મહારાજના સ્તવન ટાંકીને કાનજી સ્વામિનામના એક જૈન વિદ્વાન લેાકેાને સમજાવતા સ’ભળાય છે, કે કર્મથી સંસાર છે. એ વાત મિથ્યાત્વ છે. ” એ તેમની વાત એકાંતથી હાય, તેા આ સ્તવનથી ખેાટી ઠરે છે. આત્માને પરમાત્મા બનતા રોકવામાં ક્રમ કારણુ ન હાત, તેા કાનજી સ્વામિ આજે મેક્ષ સ્વરૂપમાં હેત. પશુ સંસારમાં છે, તેજ સાબિત કરે છે, કે-કમ છે, અને તે મેાક્ષ પ્રાપ્તિમાં રાકવટ કરે છે.” એક આત્માની અહિરાત્મ ભાવઃ અને પરમાત્મભાવ; એ એ અવસ્થા વચ્ચેના ભેદનું કારણુ અન્વય: અને વ્યતિરેક: એમ અનૈય રીતે વિચારી જોતાં કમ કારણ ઠરેછે. કર્મના એક પણ કહ્યુ હાય, ત્યાં સુધી આત્મા સપૂર્ણ મુક્ત નહી. અને એક પણ કણ ન હોય, તેા લેશ માત્ર પણ સંસારી નહી.
અન્યદશનામાં જમરાજાના ચિત્ર અને વિચિત્ર નામના બે મુનિમા પાસે મેટામેટા ચાપડા છે, તેમાં દરેક જીવના સુકૃત્યો અને દુષ્કૃત્યાની નોંધ રહે છે. એમ કહેવાય છે. પરંતુ કમ ગ્રંથ 'પ'ચસ'ગ્રહ કેમ પ્રકૃતિઃ વિગેરૂપે એ વિગતવાર ચાપડા કેમ જાણે જૈનાચાર્યો પાસે આવેલા હાય, તે રીતે આજે પણ કમની અતિ વિસ્તૃત વિગતવાર માહિતી આપનારા એ મહાન ગ્રંથા વિદ્યમાનછે.
Page #108
--------------------------------------------------------------------------
________________
૭. શ્રી-સુપાર્શ્વજન-સ્તવન પરમાત્માના વિવિધ સ્વરૂપ–સુચક અનેક નામો.
[ એ રીતે કર્મથી મુક્ત થયેલા પરમાત્મારૂપ આત્માના જુદા જુદા ગુણસાપેક્ષ પણે જુદા જુદા અનેક નામે જગતમાં પ્રસિદ્ધ છે. તે પરમાત્માની ભક્તિ કરી પરમાત્મા થવા ઇરછતા ભક્તને આરાધનામાં અનુકુળતા માટે સ્તવનમાં તે બતાવ્યાં છે. ]
[ રાગ-સારંગ: મહાર-લલનાની દેશી ] શ્રી સુપાર્વ-જિન વંદિએ.
સુખ-સંપત્તિને હેતુ. લલના. શાંત-સુધા–ર–જલ-નિધિ.
ભવ–સાગરમાં સેતુ. લલના, શ્રી સુ. ૧ સાત–મહા–ભય ટાળતે,
. સપ્તમ-જિન-વર–દેવ. લલના. સાવધાન–મનસા કરી,
ધારે જિનપદ-સેવ લલના. શ્રી સુ૨ શિવઃ શંકર: જગદીશ્વરઃ
ચિદા-ડડનંદા ભગવાન લલના. જિન અરિહા તીર્થક
જ્યોતિ સ્વરૂપ અસમાન લલના શ્રી સુરૂ
Page #109
--------------------------------------------------------------------------
________________
૫૦
અ-લખઃ નિરજનઃ વર્લેઃ સકલ-જંતુ-વિશરામઃ લલના.
અભય–દાન દાતાઃ સદા,
પૂરણ—આતમ-રામ, લલના, શ્રીસુ ૪ વીતરાગ મદ–કલ્પના
રતિ–અરતિ–ભયસેગલલના.
નિદ્રા-ત’દ્રા દુર’દશા
રહિત અ-માધિત-યોગ લલના, શ્રીસુ ૫
પરમ-પુરુષઃ પરમા-તમા
પરમેશ્વર પરવાના લલના
પરમ-પન્ના-રથઃ પરમેષ્ઠી
પરમ-દેવઃ પરમાનઃ લલના. શ્રી સુ૦ ૬ વિધિ વિરચિઃ વિશ્વ ભરુ
હૃષિકેશ જગ-નાથઃ લલના, અધ-હરઃ અધ-મેચના ધણી:
મુક્તિઃ પરમ-પદઃ સાથઃ લલના, શ્રી સુ॰ ૭ એમ અનેક-અભિધા ધરે.
અનુભવ–ગમ્ય વિચાર. લલના, તે, જાણે, તેહને, કરે
આનંદ-ધન-અવતાર, લલના, શ્રીસુ ૮ [સુખ-સંપત્તિનો હેતુ=સુખ અને સંપત્તિનું કારણ, સુખ અને સ'પત્તિ આપનાર. શાંત-સુધા-રસ-જળ નિધિ=
Page #110
--------------------------------------------------------------------------
________________
અમૃત જેવા શાંત રસના સમુદ્ર. ભવસાગરમાં=સંસાર સમુદ્રમાં. સેતુ=પુલ. ૧
મહાભય=સાત મેટા ભલે. સપ્તમ=સાતમ. જિન-વર-દેવ=જિનેશ્વરદેવ સાવધાન એકાગ્ર. મનસા કરી =મન વડે કરીને. ધારણ કરે. જિન-પદ-એવરજિને શ્વરદેવનાં ચરણ કમળની સેવા. ૨
શિવકકલ્યાણકારી. શંકર શાંતિ કરનાર. જગદીશ્વ= જગતના ઇશ્વર ચિદાssનંદ જ્ઞાનાનંદમય. ભગવાન-જ્ઞાનએશ્વર્ય વિગેરેથી યુક્ત જિન=રાગ દ્વેષ જિતનાર. અરિહા= ૧ પૂજાયેગ્ય, ૨ અંદરના કામક્રોધાદિક અરિ-શત્રુને હણનાર, અસહા ફરીથી ન ઉગનાર, સંસારમાં ન આવનાર. તીથ - કર=ધાર્મિક સંસ્થારૂપી મહા તીર્થની સ્થાપના કરનાર,
જ્યોતિ-સ્વરૂપનુંતેજોમય. અસ્માન-૧ આસ્માન [ફારસી ભાષામાં ], આકાશ, ૨ આકાશ માફક સર્વ વ્યાપક, આકાશ માફક અદશ્ય, અથવા ૩ અસમાન અનન્ય, જેની તેલ બીજું કઈ ન હોય. ૩
અલખઅલક્ષ્ય, અગેચર, લક્ષ્યમાં ન આવે તે નિરંજન=મૂલરહિત. નિર્મળ વછલુ-વત્સલ, દયાળુ સકલ-જતુ-વિશરામ સર્વ પ્રાણીઓના વિસામારૂપ, આશ્વાસન આપી દુઃખમાંથી છોડાવનાર. અભયદાન-દાતા =નિર્ભય વૃત્તિનું દાન દેનાર પૂરણ–આતમરામ=સંપૂર્ણ આત્મસુખમાં મગ્ન. ૪
વીતરાગ-રાગ દ્વેષ વગરના. મદદ કપનાઃ રતિઃ અરતિઃ ભય રોગ તંદ્રા દુરંદશા રહિતમદ રહિત,
Page #111
--------------------------------------------------------------------------
________________
પર
કલ્પના રહિત. રતિ રહિત. અરતિ રહિત. ભયરહિત. શોક રહિત. નિદ્રા રહિત. તંદ્રા રહિત. દુરદશા રહિત. મદ=અભિમાન. કલ્પનાવિચારણા, ચિતા. રતિ=આનદ અતિ=ષ્ટ. ભય=ખીક. નિદ્રા=ંઘ. તંદ્રા=આળસ. દુરદશા દુશા. અમાધિત—યાગ=જાગતા ચાગવાળા, સ્થિર સમાધિવાળા. ચેાગ=સમાધિ. માષિત ક્રમાયેલા. અબાધિત=જાગત, સ્થિર. પ
પરમ પુરુષ=શ્રેષ્ઠ પુરુષ. પરમા ડડતમા=શ્રેષ્ઠ આત્મા, શ્રેષ્ઠ આત્માવાળા. પરમેશ્વર-ઉચ્ચ પ્રકારની શકિત ધરાવતા, મોટા ઈશ્વર. પધાન=પ્રધાન, મુખ્ય. પરમ-પદા–ડરથ =શ્રેષ્ઠ વસ્તુ. પરમેષ્ઠિ=ઊંચામાં ઊંચી પદવી—સ્થાન ઉપર રહેલા–બિરાજમાન. પરમદેવ=મેાટામાં મોટા દેવ.પમાન =પ્રમા, પ્રમાણભૂત. અથવા પરમાન=ઊંચામાં ઊંચા સન્માનને પાત્ર. ૬
વિધિ=મેાક્ષ માગ નું વિધાન કરનાર. વિરચિ= બ્રહ્મા. વિશ્વભરુવિશ્વને ભરનાર, વિશ્વવ્યાપક, કેવળી સમુદ્દાત વખતે આત્મ-પ્રદેશાથી વિશ્વને ભરો દેનાર, અથવા વિશ્વના સકળ જ્ઞેય પદાર્થો ઉપર પ્રકાશ નાંખી જ્ઞાન ગુણુથી વિશ્વને ભરી દેનારા. હૃષિકેશ-ઈન્દ્રિચાના સ્વામિ. ઈન્દ્રિયા ઉપર કાબૂ કરી ચૂકેલ. હૃષિક-ઈન્દ્રિય. ઇશરવામી. જગન્નાથ-જગના નાથ, સ્વામિ. અઘ-હર=પાપહર. પાપના નાશ કરનારા. અઘ-મેાચન-પાપથી છૂટેલા અથવા પાપથી છેડાવનારા ધણી=માલિક, સ્વામિ. મુક્તિ=મુકિત
Page #112
--------------------------------------------------------------------------
________________
૫૩ મય. પરમ-પદ=ઊંચામાં ઊંચું પદ-એક્ષ-મય. સાથ= દરેકને મુશ્કેલીમાં સાથ આપનાર. ૭.
અભિધા=નામ. અનુભવ-ગમ્ય=અનુભવથી સમજી શકાય તેમ છે. કરે= હાથમાં. ૨ કરે. આનંદ-ઘનઅવતાર=આનંદ ઘનમય મોક્ષમાં ઉત્પત્તિ. ૮. ]
સુખ અને સંપત્તિના આપનારા શાંત રસ રૂપી અમૃતના સમુદ્રઃ સંસારરૂપી સમુદ્રમાં પૂલ સમાનઃ સાત મહા ભયને નાશ કરનારા એવા સાતમા જિનેશ્વર દેવ શ્રી સુપાર્શ્વનાથ પ્રભુને વંદન કરે, અને જાગતું એકાગ્ર મન કરીને તે જિનેશ્વર પ્રભુનાં ચરણ કમળની સેવા કરવાનું ધારણ કરે – તેમની સેવા કરી. ૧. ૨.
શિવઃ શંકરઃ જગદીશ્વરઃ ચિદાનંદ ભગવાન જિનઃ અરિહા તીર્થકર તિરવરૂપઃ અસ્માન–અસમાનઃ ૩. અલખ નિરંજનઃ વાલઃ સકલ-જતુ-વિશ્રામ અભય –દાન-દાતા પૂરણ–આતમ-રામઃ ૪. વીતરાગઃ મદરહિત -નિર્મળ કપનારહિત-નિર્વિકલ્પ રતિ રહિતગતરતિ અરતિ રહિત–અનરતિઃ ભયરહિત-નિર્ભયઃ શોક રહિતવિતશોકઃ નિદ્રારહિત-અનિદ્રઃ તંદ્રારહિત-અતંદ્ર દુર્દશા રહિત-અદુર્દશઃ અબાધિત–ગઃ ૫. પરમ પુરુષ પરમાત્મા પરમેશ્વરઃ પ્રધાનઃ પરમ પદાર્થ: પરમેષિઃ પરમદેવ પ્રમાણપરમાન: ૬. વિધિઃ વિરંચિ વિશ્વભરઃ હૃષિકેશ જગન્નાથ અઘહરઃ અધમોચનઃ ધણી મુકિત પરમપદ સાથ. ૭,
Page #113
--------------------------------------------------------------------------
________________
૫૪
એ રીતે પરમાત્મા અનેક નામા ધારણ કરે છે, એ નામાના અર્થ અનુભવથીજ સમજી શકાય તેવો છે. આ નામાના વિચાર જે જાણી શકે તેના હાથમાંજ આનં ધનમાં—માક્ષમાં—અવતાર છે. અથવા, તે મેાક્ષમાં અવતાર કરી શકે છે.
આ નામેાને તત્ત્વસંવેદન જ્ઞાન—જેનું બીજું નામ અનુઅવ જ્ઞાન છે. તે જ્ઞાન વડે એટલે જાતે અનુભવ કરીને સાક્ષાત્ પરમાત્માપણાને જાણે છે તે જીવ જરૂર મેાક્ષમાં પેાતાને અવતાર કરે છે. ૮
સેતુ એટલે પુલની બન્નેય આજુ સુરક્ષિત હાય, તે જ તેના ઉપર ચાલી શકાય. આમ બતાવીને સુ-પા= અન્ધેય તરફ સારી આજુએ જણાવીને શ્લેષથી સુપાર્શ્વ નામ સાચક જણાવ્યું છે. તથા “તે પ્રભુ સાત મહાલયને નાશ કરનારા હાવાથી સાતમા છે.” એમ કહીને સપ્તમ શબ્દની સાર્થકતા જણાવી છે.
ભાવા- —આ સ્તવનમાં પરમાત્માના લેાક પ્રસિદ્ધ નામા ગાળ્યાં છે. તે દરેક નામના આપેલા અર્ધાં અનુસાર તથા શાસ્ત્રોની મદદ લઈ, દરેક નામની પાછળ રહેલા અનુભવગમ્ય વિચારને જાતે સાક્ષાત્ અનુભવ કરીને પેાતાના આત્માને પરમાત્મા બનાવી દરેક નામ પ્રમાણેના ગુણા ધારણ કરે, તે જીવ જરુર મેક્ષ પ્રાપ્ત કરે જ.
અનુભવગમ્ય વિચારઃ શબ્દથી તત્ત્વસ ંવેદન જ્ઞાનની સુચના કરી છે. તત્ત્વ સવેદન જ્ઞાન એટલે જાતે અનુભવ કરીને વસ્તુના ખરા સ્વરૂપને સાક્ષાત્કાર કરવા, તે.
Page #114
--------------------------------------------------------------------------
________________
૫૫
દા. ત. મીઠાઈ એટલે મીઠાં પકવાન્ન, એ વિષય પ્રતિભાસ જ્ઞાન. જુદી જુદી મિઠાઈ જાતે જેવી અને ઓળખવી તથા તે દરેકની વિગતવાર હકીકત જાણવી, તે સ્વરૂપજ્ઞાન. અને મીઠાઈ ખાઈને તેના સ્વાદને અનુભવ કરે, તે તરવસંવેદન જ્ઞાન.
આ પ્રમાણે આત્માની સામાન્ય ઓળખ કરવી, તે વિષયપ્રતિભાસ જ્ઞાન. તેનું સ્વરૂપ શાસ્ત્રથી જાણવું, તે સવરૂપજ્ઞાન. અને વિગતવાર આત્માના જ્ઞાનાદિગુણેના સાક્ષાતકાર કરીને જાતે અનુભવ કર. તે તરવસંવેદન જ્ઞાન. સાધકને આ નામ મારફત પરમાત્માનું સ્વરૂપ જાણી તેની સેવા કરીને છેવટે તત્વસંવેદન જ્ઞાન પ્રાપ્ત કરવાને ઉદ્દેશ હોય છે.
પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ તે હજુ દુર છે પરંતુ, “તે પહેલાં દયેય તરીકે–આદર્શ તરીકે–પરમાત્માને કાયમ પિતાની સામે રાખવા. તેની ભક્તિ કરવાથી, તેની સેવા કરવાથી, નિરંતર તેના સાન્નિધ્યથી પિતે પણ ભવિષ્યમાં તે-પરમાત્મા સ્વરૂપ થઈ શકશે. એમ સમજીને સાધક પરમાત્માને પોતાની સામે રાખે છે.
તત્વ સંવેદનરૂપ પરમાત્મ સ્વરૂપ આત્મ સ્વરૂપની શરૂઆત કેવી રીતે થાય તે ૧૮માં શ્રી અરનાથ પ્રભુના સ્તવનમાં બતાવેલ છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
૮, શ્રી ચન્દ્ર-પ્રભ-જિન–સ્તવન. પરમાત્મ દર્શનની તાલાવેલી. સમ્યગદર્શનની પ્રાપ્તિ
[ પરમાત્માના જુદા જુદા નામોની વિચારણા અનુભવગમ્ય કરવાની ભલામણથી આત્માથી જીવને પરમાત્માનું દર્શન કરવાની તથા પરમાત્મસ્વરૂપ બનવાની જાગતી પ્રાથમિક તાલાવેલીનું સમ્યગદર્શનની પ્રાપ્તિરૂપે ખડુ થતું ચિત્ર આ સ્તવનમાં છે. ] [રાગ-કેદારો-ગૌડ “કુમારી ડેલે, આક્રંદ કરે, અને કોઈ
મુકાવે.—એ દેશી. ] દેખણ દે રે ! સખિ! મુને દેખણ દે
ચંદ્ર-પ્રભ-મુખ–ચંદ, સખિ૦ ઉપશમ–૨નો કંદર સખિ૦
ગત-કલિ-મલ-દુઃખ-દંદ સખિક ચંદ્ર ૧ [ મુખ-ચંદ મુખરૂપી ચંદ્ર, ઉપશમ–રસરશાંત રસ. કંદમૂળગત-કલિમલ-દૂ:ખ-દંદ જેમાંથી કલહ અને મેલ, દુઃખ અને બીજાં દ્વન્દ્રો ચાલ્યા ગયા છે. એટલે રાગ દ્વેષ, ક્રોધ માન, મદ માયા, વિગેરે જેડકાં.]
સુમતિ-સખિને સમ્યગદ્દષ્ટિ કહે છે, કે-“શાંત રસના મૂળ કારણ સમા અને કલહ અને મેલ, દુઃખ અને દ્વન્દ્ર વગરના ચન્દ્ર-પ્રભ-જિનેશ્વરનું મુખરૂપી ચંદ્રમા, અલી સખિ ! મને હવે જેવા દે! રે! જેવા દે !! પંચેન્દ્રિય
Page #116
--------------------------------------------------------------------------
________________
પર્યાપ્ત અવસ્થા, મનુષ્યગતિ, આય ક્ષેત્ર, આ કુળને જાતિ વિગેરે ઉત્તમ સામગ્રી મળી છે, તેા હવે મને જોવા દે.૧ ચંદ્રની પ્રભા જેવી પ્રભાવાળું મુખ રૂપ ચંદ્ર ધરાવતા પ્રભુનું મુખ જોવાની તાલાવેલી બતાવીનેશ્વેષથી ચંદ્ર-પ્રભ નામની સાકતા બતાવી છે.
હુમ-નિગોદે ન દેખિયા. સખિ
માદર અતિહિ વિશેષ સખિ॰ યુઢવી–આઉ ન લેખિયા, સખિ
તેઉ-વાઉ ન લેશ. સંખ॰ ચંદ્ર ગ્
[ સૂક્ષ્મ=ખારીક, ઘણા ભેગા થવાથીચે ન દેખાય તેવા શરીરવાળા જીવા. નિગેાદ=સાધારણ વનસ્પતિકાય જીવરાશિ. ખાદર્=સ્થૂલ, ઘણા ભેગા થવાથી દેખાય તેવા શરીરવાળા જીવા. અતિ અત્યંત. વિશેષ-વધારે. પુદ્ધથી =પૃથ્વીકાય. આઉ=અકાય. લેબિયા=જોયા. તેઉતે ઉકાય, અગ્નિકાય. વાઉ=વાયુકાય, લેશજરાય. ]
સવા કરતાં અત્યંત વિશેષ એટલે અનન્ત ગુણા એવા સૂક્ષ્મ તથા ખાદર નિાદમાં મે તે પ્રભુને દેખ્યા જ નથી. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, અને વાયુકાયમાં પણ મેં લેશમાત્ર તેને જોયા નથી. માટે હું સખી ! હવે મને જોવા દે રે ! જોવા દે !! ૨.
વનસ્પતિ અતિ-ધણુ-દિહા. સખિ દીઠેા નહીં દેદાર. સખિ
Page #117
--------------------------------------------------------------------------
________________
૫૮
બિ-તિ-ચઉરિદિય જલ-લીહા, સખિ૦
ગત-સક્તિ પણ ધાર. સખિ૦. ચંદ્ર ૩ . ( ઘણુ ઘણા. દીહાદિવસે. દેદાર=સુંદર ચહેરે. રૂપાળું મુખ. બિગબેઈન્દ્રિય તિગતેન્દ્રિય. ચઉચઉરિદ્રિય. જળ-લીહા–પાણી પીનારા, પાણી ચાટનારાજળચર પ્રાણીઓ. ગતસન્ની=અસંજ્ઞિ. પણ=પંચેન્દ્રિય. ધાર ધારણ કરનાર. પાંચ ઇંદ્રિવાળા. ]
પ્રત્યેક વનસ્પતિકાયમાં ઘણા દિવસ રહેતી વખતે પણ ત્યાંયે એ પ્રભુના મનમોહક દેદાર હું જોઈ શક નથી, બે ઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિયો વિગેરેમાં સમુર્ણિમ ગભેજ જળચર વિગેરેમાં પણ જોઈ શકાયેલ નથી. માટે સખિ! હવે મને જેવા દે રે, જોવા દે ! 3. સુરતિરિનિરયનનિવાસમાં સખિ૦
મનુજ અના-ડડરજ સાથ. સ. અ–પજત્તા પ્રાતભાસમાં સખિત
ચતુર ન ચઢિો હાથ. સખિ૦ ચં૦૪ [ સુર=દેવ,તિરિ=તિર્યંચ. નિરય નારક નિવાસમાં =રહેઠાણમાં અના-ડરજ-સાથGજગલી અનાર્યના ટેળામાં અ-૫જજત્તા=અપર્યાપ્ત અવસ્થામાં પ્રતિભાસમાં=અસ્પષ્ટ સમજવાળી પર્યાપ્ત અવસ્થામાં. ચતુર=લલચામણી ચતુરાઈ વાળો. ન ચઢિયો હાથ હાથમાં ન આવ્યું, નજરમાં ન ચડ, જેવામાં ન આવ્યો.]
Page #118
--------------------------------------------------------------------------
________________
પ૦
દેવઃ તિર્યંચ અને નારકોના નિવાસમાં અને અનાર્ય મનુષ્યના ટોળામાં હતા, ત્યારે પણ, વળી અપર્યાપ્ત અવસ્થામાં તથા પ્રતિભાસરૂપ–પર્યાપ્ત અવસ્થામાં પણ એ ચતુર મારે હાથ આવેલ નથી–હું તેને જોઈ શકેલ નથી. માટે હે સખિ! હવે મને જોવા દે રે ! જેવા દે !! કેમકે હવે મને ખરી તક મળી છે. ૫૪. ઇમ અનેક–થળ જાણીએ, સખિ૦
દર્શન–વિણું જિનદેવ. સખિ૦ આગમથી મત જાણીએ. સખિ૦
કીજે નિર્મલ-વસે સખિક ચં૫ [થળ=થળ. દર્શન-વીણ=દર્શન વિના. કીજેકરવી. મત=વિચાર.] - એમ, શ્રી જિનેશ્વરદેવના દર્શન વગરના અનેક સ્થળે પસાર થવાનું જાણી લે, તો હવે આગમમાંથી આ વિચાર જાણવા મળે છે એટલે હવે તો તેમની નિર્મળ સેવા કરીએ. માટે સખિ ! હવે મને જેવા દે રે ! જોવા દે !!
આર્યક્ષેત્રમાં પણ દેવઃ ગુરુ અને ધર્મ ની સામગ્રીવાળા ક્ષેત્રમાં જન્મે છું. તે અહીં સમ્યગદર્શનની પ્રાપ્તિરૂપ શ્રી જિનેશ્વરદેવનું દર્શન મને થવું જ જોઈએ. કેમકે -તેને માટે હું આજ સુધી તલસતે હતે. [૪ થા ભગવાનનું સ્તવન જુઓ.] ૫. નિર્મળ-સાધુ-ભક્તિ લહી, સખિ૦
ગઅવંચક હોય, સખિ૦
Page #119
--------------------------------------------------------------------------
________________
ૐ
સખિ ૦૬
ક્રિયા-અવંચક તિમ સહી, સિખ૰ ફલ-અવચક જોય. [લહી=મેળવી. ચાગ-અ-વ ચ=ગુરુના યોગ પ્રાપ્તિથી રહિત ન હેાય, તે. ક્રિયા-અ-વંચક-શાસ્ત્રોક્ત ધાર્મિક અનુષ્ઠાન કરનાર. સહીની. ફળ-અવચકક્રિયા પ્રમાણે ફળ પામનાર, જોય=જોવા. 1 સમ્યગ દર્શન પ્રાપ્ત થયું છે, એટલે—
એમ, અનુક્રમે પવિત્ર સાધુ અને તેનીકિત મળે, એટલે ચેાગાવચક થવાય તથા ક્રિયા અવચ પણ થાય, તેથી ચોકકસ તેજ પ્રકારે ફળાવચકપણુ પણ જોઈ શકાશે—પ્રાપ્ત થશે. પ્રેરક અવસર જિન-વરુ સખિ મેાહનીય ક્ષય જાય. સખિ કામિત-પૂરણ-સુર-તરુ ખિ॰
આનદ-ધન-પ્રભુ-પાય. સખિ॰ ચં॰ ૭
[ પ્રેર=પ્રેરણા કરનાર. અવસરે=ખરે વખતે. માહનીય=મેાહનીય કમ ક્ષય જાય=ક્ષય પામે. કામિત=ઇચ્છિત. પૂરણુ=પૂરવામાં. સુર તરુ=કલ્પવૃક્ષ. કામિત પૂરણ–સુર -તરુ=મનધાર્યો મનારથ પૂરવામાં કલ્પવૃક્ષ સમાન. આનંદ -ઘન પ્રભુ-પાય=આનંદના ભંડારરૂપ પ્રભુના ચરણુ. ]
અને એવામાં ખરે અવસરે જો જિનેશ્વરદેવની સખળ પ્રેરણા મળી જશે, તા મેાહનીય કને તે ક્ષય થઇ જ જવાના છે, કેમકે આનંદના ભંડાર એવા પ્રભુજીના ચરણ
Page #120
--------------------------------------------------------------------------
________________
કમળ તે ઈછિત પૂરવામાં કલ્પવૃક્ષ સમાન છે જ, તેમની નિર્મળ સેવા પ્રાપ્ત થાય, તો ત્રણ ગાવંચકાદિકગ પણ પ્રાપ્ત થાય જ. અને પ્રભુની પ્રબળ પ્રેરણા મળી જાય, એટલે મોહનીય કમને ક્ષય થવાથી પરિણામે કેવળજ્ઞાન અને મોક્ષ મળવાના જ. કેમકે–પ્રભુજીના ચરણ કમળ ઈચ્છિત મનેરથ પુરવામાં કલ્પવૃક્ષ સમાન છે જ.
ભાવાર્થ–મેઈપણ વર્તમાન જીવ પૂર્વની અનંત અનંત જીવરાશિમાં ભમતે ભમતે મનુષ્ય થયેલ હોય છે. ત્યાં કાઈપણ ઠેકાણે તેને ધર્મ-સામગ્રીના મૂળ કારણ અને શ્રી જિનેશ્વરદેવ મન્યા જ નથી હોતા, પણ મનુષ્યપણું પામ્યા પછી આગમમાંથી તેમની સેવાના-પૂજાના પ્રકારો જાણીને નિર્મળભાવે પૂજા કરવી જોઈએ. એમ સમજી તીર્થંકરદેવ તરફથી મળેલી પ્રેરણ-સમ્યગદર્શનને આધારે સત સાધુનો સમાગમ થાય છે. તે ગુરુને વેગ પામી ચગાવંચક થવાય છે. ધમનું આરાધન કરીને કિયા-~વંચક થવાય છે, અને છેવટે મેહનીય કમને ક્ષય કરીને મેક્ષરૂપી ફળ પ્રાપ્ત કરીને ફળા-ન્ડ-વંચક થવાય છે. જિનેશ્વર પ્રભુ તે માત્ર તેમાં પ્રેરક નિમિત્ત બને છે.
ગ–અવંચક–પવિત્ર મુનિ મહારાજને યોગ જેને થાય તે ચગાવંચક–ગ નામના ધર્મને પાપે ગણાય.
ક્રિયા-અવંચક–ગુરુના ઉપદેશ પ્રમાણે બરાબર વિધિપૂર્વક ક્રિયા અને અનુષ્ઠાન કરે, તે ક્રિયા-અવંચક
ગ નામને ધર્મ પામ્ય ગણાય.
Page #121
--------------------------------------------------------------------------
________________
ફળ-અવ ચક—એવ ભૂત નય અનુસાર જેવા શબ્દ તે પ્રમાણે જ બરાબર ક્રિયા કરવાથી તેનું પૂરેપૂરૂં ફળ ખરાખર પામે, તે ળાવ ચક ચેાગ નામના ધર્મ પામ્યા ગણાય. પ્રભુનું દર્શન થવાથી આ ત્રણેય પ્રકારના ચેગ પામી શકાય છે.
શ્રી સુવિધિનાથ જિન-સ્તવન. પરમાત્માની પ્રતિમાની પૂજાના વિધિ. [ પરમાત્મા પ્રભુનું દર્શન પામેલેા-તેના વિરહથી પીડાતા વિરહ કાતર સમ્યગ્દર્શની જીવ પરમાત્મા સાથે પેાતાનું રાતદિવસના સતત સાન્નિધ્ય રાખવાના પ્રતીક તરીકે આગમની મદદથી પરમાત્માની પ્રતિમાનીદ્રવ્ય તથા ભાવ પૂજાના અનેક પ્રકાર જાણીને દ્રવ્યઃ ભાવઃ તેની અનેક પ્રકારે નિમળ પૂજા સેવા કર્યા વિના રહી શકે નહી—તેથી પરમામાની પૂજાની પ્રતિપત્તિ સહિત જુદા જુદા પ્રકાશ અતાવેલા છે. ]
( રાગ-કેદારા “ એમ ધન્ના ધણને પર ચાલે ”–એ દેશી. ) સુવિધિ-જિણેસર-પાય નમીને, શુભ-કરણી એમ છીએ રે. અતિધણા ઉલટ અંગ ધરીને,
પ્રહ ઊઠી, પૂજી જે રે. સુવિધિ, ૧ [પાય-ચરણુકમળ. કરણી-ક્રિયા. ઉલટ=હ,ઉમળકા. અંગ ધરીને-હૃદયમાં ધારણ કરીને, પ્રહ=સવારમાં. ]
Page #122
--------------------------------------------------------------------------
________________
સુવિધિ જિનેશ્વર પ્રભુને ચરણે નમન કરીને સારા વિધિપૂર્વક પ્રાતઃ દર્શન કરીને નીચે બતાવ્યા પ્રમાણે શુભ કરણી કરવી જોઈએ. સવારમાં ઊઠી અંગમાં અતિ ઘણે ઉમંગભેર ઉમળકે ધારણ કરીને પ્રભુની પ્રતિમાની વિવિધ પ્રકારે પૂજા કરવી. ૧
આત્મ સાધનાના એક અંગભૂત પ્રભુની પૂજાને સુવિધિ બતાવીને, શ્લેષથી સુવિધિ નામ સાર્થક કરી બતાવ્યું છે. દ્રવ્ય-ભાવ-શુચિ-ભાવ-ધરીને,
હરખે દેહરે જઈએ રે. દહતિગઃ પણ અહિમમઃ સાચવતાં,
એકમના ધરિ થઈએ રે. સુવિધિ. ૨ [દ્રવ્ય=બહારથી, બહારના પદાર્થરૂપ. ભાવ=અંદરથી ચિત્રપવિત્ર. ભાવ=સંજોગે. પરિસ્થિતિ. ધરીને ઉત્પન્ન કરીને, ધારણ કરીને. દહ=દશ, દહતિગ-દશત્રિક. પણ= પાંચ. અહિગમ અધિગમ. સાચવતાં=સાચવતી વખતે. એકમના=એકાગ મનવાળા. યુરિ=પહેલાં.)
દ્રવ્યથી અને ભાવથી પવિત્ર ભાવ પવિત્ર સંજોગો-સામગ્રી ધારણ કરી, હર્ષ પૂર્વક દહેરાસર જવું. અને દશત્રિક તથા પાંચ અધિગમ સાચવવાં. પરંતુ તે પહેલાં મન તે એકાગ્ર કરી જ દેવું. એટલે કે દ્રવ્યથી અને ભાવથી પવિત્ર થઇ હર્ષપૂર્વક દહેરાશરજી જઈ, પ્રથમ મન વચન કાયાની એકાગ્રતા કરી. દશત્રિક અને પાંચ અધિગમ સાચવવા. ૨
Page #123
--------------------------------------------------------------------------
________________
દશત્રિક-૧ ત્રણ નિસિહી. ૨ ત્રણ પ્રણામ, ૩ ત્રણ પ્રદ
ક્ષિણા, ૪ ત્રિદિશિ.નિરીક્ષણ વજન ૫ ત્રણ પ્રમાજના, દમન વચન અને કાયા. એ ત્રણ ગણું પ્રણિધાન–એકાગ્રતા. ૭ અંગ, અગ્ર અને ભાવ એ ત્રણ પ્રકારની પૂજા. ૮ ત્રણ અવસ્થાની ભાવના. ૯ ત્રણ પ્રકારની મુદ્રા. ૧૦ અક્ષર, અર્થ અને પ્રતિમા એ
ત્રણ ધ્યાનનાં અવલંબન. પાંચ અભિગમ –૧ સચિત્ત વસ્તુને ત્યાગ. ૨ અચિત્ત
વસ્તુને સ્વીકાર. ૩ મનની એકાગ્રતા. ૪ એક ઉત્તરાસંગ ૫ જિનદર્શન થતાં જ મસ્તકે અંજલિ જોડવી. અથવા રાજાએ ૧ તલવાર. ૨ છત્ર. ૩ મેજડી. ૪ - મુગટ. ૫ ચામર. એ પાંચ રાજ્યચિહ્ન બહાર મૂકવાં. કુસુમ અક્ષતઃ વર-વાસઃ સુગંધિ
ધુપ દીપઃ મનઃ સાખી રે; અંગ-પૂજા પણ ભેદ સુણું ઈમ,
ગુર મુખ આગમ-ભાખી રે. સુવિધિ. ૩ | કુસુમ પુષ્પ, ફૂલ, અક્ષત=ચોખા. વર-વાસ= સુંદર વાસ ચૂર્ણ, વાસક્ષેપ. દીપ–દીવે. મન સાખી= મનની સાHિએ. અંગપૂજા=પ્રભુના અંગને સ્પશીને અથવા અંગને અનુલક્ષીને કરવાની પૂજા પણ ભેદઃપાંચ ભેદવાળી. ગુરુમુખ ગુરૂના મુખથી. આગમ-ભાખી= આગમમાં કહેલી, ].
પુષ્પ, અક્ષત, સુંદર વાસ ચૂર્ણ, સુગંધી ધુપ અને, દી. એ પ્રમાણે આગમમાં કહેલી પાંચ ભેદવાળી અંગપૂજા
Page #124
--------------------------------------------------------------------------
________________
ગુરુ મહારાજના મુખેથી સાંભળીને મનની સાક્ષિાએ પ્રભુ– પ્રતિમાના અંગને સ્પર્શીને તથા અનુલક્ષીને કરવી. 3 એહનું ફલ ટોય-ભેદ સુણી જે,
અનંતર ને પરંપરઃ રે. આણ-પાલણઃ ચિત્ત-પ્રસન્નીઃ
મુગતિ સુગતિ સુરમંદિર રે. સુવિધિ.૪ [અનંતર=નજીકનું. પરંપર=ારનું. આણુ પાલણ =આજ્ઞા પાળવી, આજ્ઞાનું પાલન. ચિત્ત પ્રસનની=મન પ્રસન્ન–શાંત સ્વચ્છ પવિત્ર થવું. મનમાં પ્રસન્નતા થવી. મુગતિ મોક્ષ. સુગતિ-આર્ય ક્ષેત્રાદિમાં માનવ જન્મ. સદ્દગતિ. સુર-મંદિર-દેવ વિમાન. ] - તે [ અંગ] પૂજાના ફળના અનંતર અને પરંપર એ બે ભેદ પણ સાથે સાથે (ગુરુ મુખથી ) સાંભળી લેવા૧ પ્રભુની આજ્ઞાનું પાલનઃ અને ચિત્તની પ્રસન્નતાઃ
એ બે અનંતર ફળ છે. ૨ -અને-મોક્ષ –ઉત્તમ સામગ્રીયુક્ત મનુષ્ય જન્મ, રૂ૫ સુગતિ અને દેવવિમાન એ પરંપરાએ ફળ છે. ૪ કુલ અક્ષતઃ વર-ધં૫: પાઈઃ
ગધઃ નૈવેદ્ય: ફલઃ જલ-ભરી રે. અંગ -અચ-પૂજા મળી અડ-વિધ,
ભાવે ભવિક શુભ-ગતિ વરી રે. સુવિધિ. ૫ [ વર=સુંદર. ૫ =પ્રદીપ, દીવે. જળભરી જળ
Page #125
--------------------------------------------------------------------------
________________
૬૬
ભર્યો કળશ, અંગ અગ્ર પૂજા=અંગ પૂજા અને અગ્ર પૂજા અડવિધ=આઠ પ્રકારની. લવિક-ભવ્ય જીવ. શુભ-ગતિ વરી શુભ ગતિ પામે. ]
ફૂલઃ અક્ષતઃ સુંદર પઃ દીપકઃ સુધિ ચંદન કૈસરાઢિ દ્રવ્યેા નૈવેદ્ય કુલઃ અને જળભર્યાં કળશાદિઃ એમ અંગપૂજા અને અત્રપૂજા મળીને અષ્ટ પ્રકારી પૂજા છે, તે જો ભવ્ય જીવ ભાવપૂર્વક કરે છે તેા તે અવશ્ય શુભતિ પામે છે અને પરંપરાએ મેાક્ષ પણ પામે છે. પ સત્તર-ભેદ: એકવીસ--પ્રકારે અઠ્ઠીતર શત-ભેદે રે. ભાવ-પૂજા બહુ-વિધ નિરધારી, દાહગ્ન-દુર્ગતિ છેદે રે. સુવિધ. ૬
[ અઠ્ઠોત્તર-શતએકસે આઠે. ભાવ-પૂજા=માત્ર હૃદયના ભાવથી કરવાની પૂજા. બહુ-વિધઘણા પ્રકારની નિરધારી=નક્કી કરી આપેલી છે. દાહગ્ન દૌોંગ્ય, કમનસીબી, ક્લિષ્ટ પાપકમ. દુર્ગતિ-ખરામ ગતિ છે.= તાડે છે. ]
સત્તર ભેદીઃ એકવીશ પ્રકારીઃ એકસા આઠ ભેઢી એમ દ્રશ્ય પૂજા અનેક પ્રકારની છે. દુર્ભાગ્ય અને દુર્ગાતને નાશ કરનારી ભાવપૂજા પણ ઘણા પ્રકારની શાસ્ત્રમાં નિશ્ચિત રૂપે સમજાવી છે. ૬
તુરિય-ભેદ પડિવત્તિ-પૂજા, ઉપશમઃ ખીણ: સયાગી રે.
Page #126
--------------------------------------------------------------------------
________________
૬૭
ચ-હા-પૂજા ઇમ ઉત્તરઝયણે, ભાખી કેવળ યાગી રે. સુવિવિધ. ૭
[ તુરિય-ભેદ-ચેાથા ભેદ. પર્ડિ-વત્તિ=પ્રતિપત્તિ, સ્વયં પાલન ઉપશમ-ઉપશાંત માહ (૧૧ મેં ગુણ સ્થાનક) ખીણ-ક્ષીણ માહ (૧૨ મું ગુણસ્થાનક ) સયાગીસયાગી અવસ્થા ( ૧૩ મું ગુણુસ્થાનક) ચઉહા=ચાર પ્રકારે, ઉત્તરજઝયણે=ઉત્તરાધ્યયન સૂત્રમાં. ભાખી=કહી છે, કેવળભાગી=કેવળજ્ઞાનભેાક્તા-સજ્ઞ પ્રભુએ. ]
પૂજાના ચાથે ભેદ પ્રતિપત્તિ પત્ન છે, તે-ઉપશમ શ્રેણિ, ક્ષપકણિએ ચડી મેાહનીય કને ઉપશમ કરવા અને ક્ષય કરવારૂપ તથા સ–યાગિ ગુણસ્થાનકના ભાવ સ્વયં જાતે પામવા રૂપ છે.
એ પ્રમાણે–અંગઃ અત્રઃ ભાવઃ અને પ્રતિપત્તિઃ એ ચાર પ્રકારની પૂજા શ્રી કેવળજ્ઞાની ભગવતે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહી છે. ૭
ઈમ પૂજા બહુ ભેદ સુણીને
સુખ દાયક શુભ-કરણી રે; ભવિક-જીવ કરશે, તે લેશે
આનદ-ધન-પદ ધરણી રે. વિવિધ. ૮ [ સુખદાય=સુખ આપનારી. આનંદઘન-પદ= મેાક્ષ. ધરણી=પૃથ્વી, આનંદ-ઘન-પદ-ધરણી સિદ્ધ શિલા. ]
એ પ્રકારે, ધણા ભેદે સાંભળીને, સુખ આપનારી શુભ
Page #127
--------------------------------------------------------------------------
________________
કરણી–પ્રભુની પૂજા જે ભવિક જીવ કરશે, તે આનંદ-ધન -પદ-મોક્ષપદની, ધરણી–પૃથવી–સિદ્ધ શિલા પ્રાપ્ત કરશે. ૮
ભાવાર્થ—અહીં સુધીના સ્તવનેમાં મોટે ભાગે, પ્રીતિધારી, આદિ ધાર્મિક, માર્ગાનુસારી, સમકિતધારી તથા દેશવિરતિ શ્રાવકને લગતી વિચારણા સુધી આવી પહોંચે છે. આમાંથી આ સ્તવનમાં સર્વ જેને કરવાની ઉત્તરાધ્યયન સૂત્રમાં કેવળજ્ઞાની ભગવંતે કહેલી ચાર પ્રકારની પૂજા બતાવવામાં આવી છે. તેમાંની અંગ અને અપૂજા દેશ વિરતિ શ્રાવક સુધીના જીવને જ મુખ્યપણે કરવાની છે.
બાકીની બે સર્વવિરતિને યે ખાસ કરવાની છે. એકંદર શ્રાવકને પણ ચારેય પ્રકારની પૂજાને સંભવ છે, અહીં મુનિવેશ ન ધારણ કરેલ હોય તેવા ગૃહસ્થલિંગમાં રહેલા સમ્યકત્વ મૂળ બાર વતાદિક ધારણ કરેલા જૈન ગૃહસ્થને શ્રાવક માનીએ તે તેને પ્રતિપત્તિ પૂજા પણ સંભવે.
આ પૂજાઓને બે ઠેકાણે સુખદાયક: શુભ કરણઃ કહી છે, અને તેનું ફળ એક ઠેકાણે શુભ ગતિ પણ બતાવેલ છે. એટલા ઉપરથી પૂજા કેવળ “શુભ કારણ એટલે માત્ર પુણ્ય બંધાવનારી શુભ આશ્રવ રૂ૫ કિયા છે.” આમ ન સમજવું. અલબત્ત, એકંદર બાળ જીવે માટે તે શુભ કરણરૂપ ઘણે અંશે છે. પરંતુ એમ એકાંત નથી. કેમકે તેનું પરંપરાએ મુક્તિરૂપે ફળ આ સ્તવનમાં જ બતાવ્યું છે, અને છેલ્લી ગાથામાં તેનું પુનરાવર્તન પણ બતાવ્યું છે. “સિદ્ધશિલા પ્રાપ્ત કરશે,” એમ કહી પણ કહ્યું છે, તેથી જિન-પૂજા સંવરરૂપ અને નિર્જરારૂપ કિયા
Page #128
--------------------------------------------------------------------------
________________
૬૯ પણ છે. પ્રતિપત્તિ પૂજા તે બહુ જ ઉંચા પ્રકારની છે. ભાવપૂજા પણ અનેક પ્રકારની કહી છે. તે પણ સંવર અને નિર્જરાને હેતુ બને છે.
એટલે પ્રભુની પૂજાથી પુણ્ય બંધાય છે. સંવર થાય છે. નિર્જરા પણ થાય છે અને અંતે મોક્ષ પણ મળે છે. કેમકે–દેવઃ ગુરૂઃ અને ધર્મ એ ત્રણ તત્ત્વમાં દેવ એ પ્રધાન તત્વ છે. બીજા બેને સંભવ અને આધાર પણ એ તત્ત્વ ઉપર જ છે. હરપ્રકારે દેવતની આરાધના એ પણ ધમને એક ઉરચ પ્રકાર છે. પ્રતિમા–પૂજા વિરૂદ્ધ પ્રચાર કે ભાષા બોલવી તે દેવ તત્ત્વની મહા આશાતના ' છે.-મહા વિરાધના છે. આ વાત સૂફમબુદ્ધિગમ્ય છે.
સંઘ (શ્વેતામ્બર મૂ)નું માન્ય શાસ્ત્રોક્ત જિન પૂજાને વિધિ જે તત્વજ્ઞાનના મહત્વના સિદ્ધાંતને આધારે સાંગોપાંગ છે. તીર્થંકર પરમાત્માના ત્રણ કાળના સર્વ ક્ષેત્રોના ચાર નિક્ષેપા. તેમને લકત્તર વિશ્વોપકાર, તેમની ત્રિભુવન પૂજ્યતાઃ પ્રીતિ અનુષ્ઠાનને યોગ્ય જીવોથી માંડીને ઠેઠ, અસંગ અનુષ્ઠાન સુધીના છાની પાત્રતા અનુસાર પૂજા ભક્તિના વિવિધ પ્રકારઃ તીર્થંકર પરમાત્માના પાંચ કલ્યાણકોની અપેક્ષાએ સર્વ અવસ્થાઓની પૂજ્યતા. ભક્તિ ભર ચિત્તથી ત્રણ ભુવનની સિદ્ધિના સમર્પણની પણ ન્યૂનતા પ્રભુ ભક્તિના સેંકડે પ્રકારો અને તેની વિધિઓ સર્વ દ્રવ્ય ક્ષેત્ર, કાળ ભાવ અને પાત્રની અપેક્ષાએ સંગત અને વ્યવસ્થિત છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
૭૦.
૧૦, શ્રી-શીતલનાથ-જિન-સ્તવન
સ્યાદવાદની ખુબી. [ અહીંથી વિરતિને લગતા આત્મગુણોનું વર્ણન શરુ થતું જાય છે. તેમાં પ્રથમ તીર્થંકર પરમાત્મા અને પરમાત્મ ભાવમાં ઘટતા વિરુદ્ધ ધર્મો સ્યાદવાદથી સમજ વાની ધીરતા પ્રાપ્ત થાય છે. શ્રત સામાયિક–જૈનશાસ્ત્રની ખુબી સમજાવે છે.] (રાગ-ધનાશ્રી–ગૌડઃ “મંલીક માલા ગુણહિ વિસાલા.”
એ દેશી.) શીતલ-જિન-પતિ-લલિત-ત્રિભંગી,
વિવિધ–ભંગી મન મોહે રે, કરણ–કેમલતા તીક્ષણતા;
ઉદાસીનતા સે રે. શીતલ. ૧ લલિતકમનેહરત્રિભંગી= ત્રણ ભાંગાવાળી. વિવિધભંગી=જુદા જુદા ભાંગાઓ વાળી. ભંગ=ભાંગા, ભેદ, વિકલ્પ. કણું=દયા. કેમલતા-નરમાશ, સુંવાળાપણું, દયાળુપણું તીક્ષણતા=આકરાપણું, તીખાપણું, તીવ્રતા. ઉદાસીનતા=બેપરવાઇ, તટસ્થતા. સાહે=ભે છે. ]
લલિતસુંદર વિવિધ ભાંગાઓવાળી શ્રી શીતલનાથ જિનેશ્વર પ્રભુ સંબંધી મનોહર-ત્રિભંગી મનને મોહ પમાડે છે–આશ્ચર્ય ઉત્પન્ન કરે છે.
૧, કરુણા, કોમળતા. ૨ તિક્ષણતા અને ૩ ઉદાસીનતા,
Page #130
--------------------------------------------------------------------------
________________
એ પરસ્પર વિરૂદ્ધ ગુણવાળી છતાં ત્રિભંગી પ્રભુમાં બહુ જ શેભે છે.
પરસ્પરના વિરોધમાં પણ સમતા-શીતળતા,-શાંતિ બતાવીને “લેષથી શીતળનાથ નામની સાર્થકતા બતાવી છે. સર્વ-જંતુ-હિતકરણું કરુણાઃ
કર્મ-વિદારણ તીક્ષણ રે, હાના-siદાન-રહિત–પરિણામી,
ઉદાસીનતા વિક્ષણ રે. શીતલ. ૨. [સર્વ-જંતુ-હિત-કરણી=સર્વ પ્રાણીઓનું હિત કરનારી. વિદારણુ નાશ કરે, તેડવા. કર્મ-વિદા રણુ-કર્મોને નાશ કર. હાનત્યાગ. આદાન લેવું, સ્વીકાર. હાના-ડદાન-રહિત-છોડવાં કે લેવા રહિત. પરિણમી પરિણામ પામનાર આત્મા. હાના-wદાનરહિત-પરિણમી ત્યાગ અને સ્વીકાર રહિત પરિણામે પરિણમેલા આત્મા. વીક્ષણ નિરીક્ષણ, જેવું ] (૧) સર્વ જંતુઓનું હિત કરનારી કરણા પ્રભુજીમાં છે. (૨) કમનો નાશ કરનારી તીક્ષ્ણતા પણ પ્રભુજીમાં છે.
(૩) ન તો કોઈ વસ્તુને ત્યાગ કરવાની પ્રવૃત્તિ કે ઈચ્છા ન તો કોઈ વસ્તુનો સ્વીકાર કરવાની પ્રવૃતિ કે ઈછા; આ આ પ્રકારના પરિણામવાળી તટસ્થ નજર, તે ઉદાસીનતા તે પણ પ્રભુજીમાં છે.
આ આત્માની ત્રિભંગીની એક પ્રકારે ઘટન કરી બતાવી.
Page #131
--------------------------------------------------------------------------
________________
હર
પર-દુઃખ-છેદન-ઈચ્છા કરણઃ
તીક્ષણ પર-દુખ રીઝે રે, ઉદાસીનતા ઉભય-વિલક્ષણ
એક ઠામે કેમ સીઝે? રે. શીતલ. ૩. [ છેદન=નાશ કરવાની. રીઝેરરાજી થવું ઉભય-વિલ ક્ષણ=બનેયથી જુદી. સીઝે સિદ્ધ થાય. સાબિત થાય. ] બીજી રીતે એજ ત્રિભંગી ઘટાવી બતાવે છે –
માં-(૧) બીજાનાં દુઃખો દૂર કરવાની ઇચ્છાને કરુણા કહેવાય છે. (૨) બીજાનાં દુઃખો જોઈ રાજી થવાને તીણતા કહેવાય છે.
* (૩) કરુણા અને તીક્ષ્ણતા એ ઉભય–બન્નેય કરતાં જુદી મને વૃત્તિને તે ઉદાસીનતા કહેવાય છે.
પરંતુ, “તે ત્રણેય એક ઠેકાણે કેમ સિદ્ધ થઈ શકે ?” આ પ્રશ્ન અહીં થાય છે, કેમકે-પરસ્પર વિરુદ્ધ ગુણ એક જ વસ્તુમાં એકી સાથે રહી કેવી રીતે શકે ? 3. અ-ભય-દાન તે મલક્ષયઃ કરૂણા
તિક્ષણતા ગુણ ભાવે રે; પ્રેરક વિણ કૃતિ ઉદાસીનતા,
ઈમ વિરેાધ મતિ નાવે રે. શીતલ. ૪. [અ-ભય-દાનઃનિર્ભયતાનું દાન. મલ=અનાદિ કાળને કર્મ રૂપી મેલ. મલ-ક્ષય= અનાદિ કાળનાં કર્મરૂપી મેલને
Page #132
--------------------------------------------------------------------------
________________
૭૩ નાશ. ગુણભાવે ગૌણ રીતે, ગર્ભિત રીતે. ૨-જ્ઞાનાદિક ભાવ ગુણોની અપેક્ષાએ. પ્રેરકવિણતિકપ્રેરણા વગરની સહજ પ્રવૃત્તિ. મતિ-બુદ્ધિમાં. ન=ન આવે, આવે નહીં.]
ઉપરના પ્રશ્નના જવાબ રૂપે-ત્રીજી રીતે એજ ત્રિભંગી ઘટાવી બતાવે છે
૨. (૧) કર્મરૂપી અનાદિ કાળનો મળ જીવને સેટેલો છે, તેને નાશ થવાથી ઉત્પન્ન થયેલી સંસારના ભયથી બચાવવાની અભયદાનની વૃત્તિઃ તે પોતાના આત્માની ભાવ કરૂણું પરમાત્મામાં હોય છે.
(૨) ત્યારે, મળને ક્ષય કરવાની વૃત્તિ-તીક્ષણતા પણ ગૌણભાવે તેમાં સમાયેલી છે. અથવા ગુણ પ્રાપ્ત કરવાની ઉગ્રતા લાવેલી રૂપી તીક્ષ્ણતા હોય છે.
(૩) અને એ બન્નેય કામ કોઈ પણ જાતના પ્રેરકભાવ વિના સિદ્ધ સાધકદશામાં સહેજ રીતે થવા દેવાથી, ઉદાસીનતા પણ તેમાં સાબિત થાય છે.
એ રીતે વિચારતાં, વિચારમાં બુદ્ધિમાં કોઈ પણ જાતને પરસ્પર વિરોધ આવે તેમ નથી. શકિતઃ વ્યકિત: ત્રિભુવન-પ્રભુતા;
નિર્ગથતા સંગે રે, યોગી ભેગી વકતા મૌની: . અનુપયોગી ઉપયોગે રે. શીતલ. ૫
Page #133
--------------------------------------------------------------------------
________________
७४
[ શક્તિ=ાવ સામાન્ય સ્વ સ્વભાવે તે શક્તિઓ. વ્યકિત=પ્રત્યેક આત્મદ્રવ્યના સ્વ સ્વભાવા જુદા જુદા છે. ત્રિ-ભુવન-પૂજ્યતા=ત્રિલેાકનાં સર્વ પ્રાણીઓને પૂછ્યપણું, નિગ્ર થતા=કશીયે ગાંઠ વગરનાં, પેાતાની ગાંઠમાં–પેાતાના કબજામાં પેાતાની માલીકીની ૩।ઇપણ ચીજ રાખવાની નહીં, તદ્દન નિઃસ્પૃહી, સર્વથા પરિગ્રત રહિત, નિઃશૂલ્ય સાધુપણું', સચેાગે=મન્નેયના સચૈાગે ત્રીજો ભંગ જાણવા ચાગી= મેાક્ષની સાથે જોડવાના સાધનાવાળા. ભાગી=આત્મગુણાના જાતે અનુભવ કરનારા. વકતા=ઉપદેશ આપવા વાણીના વ્યાપાર કરનારા. મૌની=મુનિભાવમાં રહેલા. અનુપયોગી= ઉપયાગ રહિત, ઉપયોગ ન મૂકનારા, ઉપયેગે=દનના ઉપયેાગમાં વર્તતા, ઉપયેગ દેનારા.
બીજી પણ, નીચે પ્રમાણે, બે ભાંગાના સોગને ત્રીજો ભાંગો બનવાથી ઘણા ભાંગાઓવાળી ત્રિભગીઓ થાય છે. જેમ કેઃ——
૨. ૧ શક્તિઃ ૨ વ્યકિતઃ ૩ શક્તિવ્યક્તિ રહિત. ૩. ૧ ત્રિભુવન પ્રભુઃ ૨નિન્ય ૩ ત્રિભુવનપ્રભુતા અને નિત્ર ન્યતા રહિતઃ ૪. ૧ત્યાગીઃ ભાગી ૩ ત્યાગ-ભોગ રહિતઃ ૫. ૧ વકતાઃ ૨ મૌનીઃ ૩ વક્તૃત્વઅને મૌન રહેત. ૬. ૧ અનુપા ગવતઃ ૨ ઉપયેાગવતઃ ૨ ઉપયાગ અને અનુપયેાગ રહિતઃ–
સયેાગી ભાંગાની સમજ નીચે પ્રમાણેઃ—
રશક્તિ પણ આત્મપદાના ગુણ છે. જ્ઞાનાદિક ગુણો
Page #134
--------------------------------------------------------------------------
________________
હ૫ ગુણ આત્મા કરતાં જુદા રહેતા નથી. તેથી આત્મા કરતાં શકિત પદાર્થ જુદો નથી.
પ્રત્યેક આત્મા વ્યક્તિ રૂપે છે છતાં એકાંત એમ જ નથી. સઘળા પદાર્થોની સાથે સામાન્યતા પણ આત્મામાં છે. એટલે “વ્યક્તિ રૂપે જ છે.” એમ પણ નથી.
આત્માના સઘળા ગુણો સંપૂર્ણ ખીલવેલા હોવાથી ત્રણ ભુવનના જીવોને પૂજ્ય છે. છતાં અભવ્ય તથા મિથ્યાત્વિ જીવો પૂજ્ય માનતા નથી. સિદ્ધના જીવો પણ સૌ પરસ્પર સમાન છે. તેમની વચ્ચે પૂજ્ય પૂજક ભાવ નથી. માટે ત્રિભુવનપ્રભુતા રહિત. નિર્ચથતા રહિત એટલે સાધુને વેશ ધારણ કરીને કાયમ ફરતા નથી અથવા રમુણેમાં રમતા રૂપી ગાંઠ તો પ્રભુને પણ છે. માટે નિર્ગથતા રહિત છે.
મન વચન કાયાના યોગ રહિત થએલા હોવાથી યોગ રહિત અને દુનિયાદારીના બાહ્ય ભોગોને ત્યાગ કરેલ હોવાથી ભોગ રહિત.
જગતમાં જે છે તેના કરતાં કાંઈપણ નવી વાત કહેનારા ન હોવાથી વક્તાપણા રહિત છે, અને તીર્થકર નામકર્મના યોગે દેશના આપતા હોવાથી મૌન રહિત પણ છે.
જ્ઞાન અને દર્શન એ બેના ઉપયોગ મૂકવાની શકિત. હેવાથી અનુપયોગ રહિત એટલે કે ઉપગ શકિત સહિત ઉપગ મૂકવાની શકિત છતાં ઉપયોગમય પરમાત્મા છે. તેમને
Page #135
--------------------------------------------------------------------------
________________
ઉપયોગ વખતો વખત જુદો જુદો મૂક પડતો નથી, એટલે ઉપયોગ રહિત.
આ પ્રમાણે દરેક ત્રિભંગીના છેલ્લા સંગી ભાંગા સમજાવ્યા છે. આ સિવાય ઘણી રીતે ઘટાવી શકાય છે. અને આવી સુંદર ઘણી ત્રિભંગીઓ પણ થાય છે. ૫ ઇત્યાદિક-બહુ–મંગ ત્રિ-ભંગા,
ચમત્કાર ચિત્ત-દેતી રે. અચરિજ-કારી ચિત્ર-વિચિત્રા,
આનંદઘન–પદ લેતી રે. શી. ૬ [ બહુ-ભંગ બહુ-ઘણાભાંગાવાળી. ત્રિ-ભંગા= ત્રણ ભાંગા-ત્રણ વિક૯૫વાળી. ચિત્ત-ચિત્તમાં, મનમાં. અચરિજ-કારી આશ્ચર્યકારક ચિત્ર-વિચિત્રા=અનેક જુદા જુદા પ્રકારની. આનંદ-ઘન-પદ-મેક્ષ સ્થાન લેતી= લઈ લેતી. ]
એવા એવા ઘણી જાતના ભાંગાવાળી ત્રિભંગીઓ મનમાં ચમત્કાર ઉત્પન્ન કરે છે. કેમકે–તે એક આશ્ચર્યકારક વસ્તુ છે, જુદા જુદા પ્રકારવાળી છે, એટલું જ નહીં, પરંતુ તે આનંદઘનનું પદ–મોક્ષપદ લે છે–ખેંચી લાવીને આત્માને અર્પણ કરવા સમર્થ છે. પરંપરાએ સ્યાદવાદશૈલિનું જ્ઞાન મોક્ષ પ્રાપ્તિમાં કારણભૂત થાય છે. માટે શોભારૂપ છે. ૬
ભાવાર્થ–આ સ્તવનમાં વિરોધી જણાતા વિવિધ ભાંગાઓ તરફ લક્ષ્ય ખેંચીને સ્યાદવાદની મદદથી તેના
Page #136
--------------------------------------------------------------------------
________________
Ge
વિરેધા દૂર કરી બતાવી સ્યાદ્વાદની ખુષી જણાવી છે. સ્યાાદી સર્વત્ર વિરાધના પરિહાર કરીને યથાતથ્ય વસ્તુ સમજીને સ્થિર સ્વભાવમાં રહી શકે છે. માટે સ્યાદ્વાદના ચમત્કાર બતાવીને આ સ્તવનમાં સાધકને તેમાં સ્થિર કરવાના પ્રયત્ન કરવામાં આવ્યે છે
પ્રથમ કરુન્નુા, તીક્ષ્ણતા અને ઉદાસીનતા, એ ત્રણ ત્રિભંગીની ત્રણ રીતે સમજુતી આપીને તેના ત્રણ ત્રણ વિકલ્પે સમજાવ્યા છે.
જિનેશ્વર પ્રભુમાં એ ત્રણ ભાંગા કેવી રીતે ઘટે છે, તે ઘટાવી બતાવ્યા છે
ત્રીજી ગાથામાં–લેાકમાં એ ત્રણ શબ્દના શા શા અથ થાય છે ? તે બતાવીને પરસ્પર વિરાધ બતાવી, એક ઠેકાણે કેવી રીતે એ ત્રણેય ઘટી શકે ?” એ પ્રશ્ન ઉઠાવ્યેા છે. ચેાથી ગાથામાં એ વિરાધ મટાડી દીધા છે.
તેમાં મલ ક્ષય એટલે અનાદિકાળના કમરૂપી મેલના ક્ષય કરવા, એ પેાતાના આત્માને અભયદાન–સંસારના ષ્ટામાંથી છેાડાવવાનું થાય છે. આમ મલા ક્ષય ર વામાં ગૌજી ભાવે તીક્ષ્ણતા રહેલી જ છે. એ બન્નેય કામે કાઇની પ્રેરણા વિના યા તે આત્મા પાતે પણ કશી પ્રેરણા વિના સહજ સ્વભાવે તેને થવા ૐ તે ઉદાસીનતા. એ રીતે એક આત્મામાં પણ એ ત્રણેય રહેવા છતાં વિરાધ નથી આવતા, ઉદાસીનતા જેમ જેમ વધતી જાય તેમ તેમ મલ ક્ષય તિક્ષ્ણ રીતે થતા જાય અને આત્મા અભયદાન પામતા જાય.
Page #137
--------------------------------------------------------------------------
________________
૭૮ પાંચમી ગાથામાં બીજી કેટલીક એવી ત્રિભંગીઓ બતાવી છે. આ રીતે આવા વિધિ વિકલપિના વિરોધ યથાર્થ રીતે દૂર કરતાં આવડવાથી સ્યાદવાદના જ્ઞાનની તાલીમ મળે છે અને જ્ઞાન વિશાળ થાય છે. અને પરંપરાયે મોક્ષ મળે છે.
શક્તિ=પરમાત્મા વિશ્વની એક પ્રકારની અનંત શક્તિરૂપ છે. તેના સામર્થ્યથી અનેક જીવ મેક્ષ મેળવે છે, અથવા આત્મા પોતે એક શક્તિના ભંડારરૂપ છે.
વ્યકિત–પરમાત્મા અથવા તે કોઈપણ આત્મા એક એક સ્વતંત્ર વ્યક્તિત્વવાળા સ્વતંત્ર વ્યક્તિરૂપ પણ હોય છે. - ત્રિભુવન-પ્રભુતા=એક એક સ્વતંત્ર વ્યક્તિ હેવા છતાં અનંત ગુણે અને અનંત વીર્યને લીધે ત્રણેય ભુવનની પ્રભુતા પણ તેમાં હોય છે.
નિર્ગસ્થતા=સકળ પરિગ્રહ અને સંગના ત્યાગી હોવાથી તેમાં નિર્ચન્થતા હોય છે.
સંગ એ ઉપરના તથા પછીના બન્ને ભાંગાના સાગરૂપ ત્રીજો ભાંગે થવાથી વિસંગીએ થશે.
યેગી મેક્ષ સાથે જોડાવાથી અથવા સામર્થ્ય વેગથી યેગી હોય છે. અથવા આત્મા મન વચન કાયાના યોગેવાળ હોય છે.
ભેગી=આત્મગુણને આનંદ ભાગ લેતે હેવાથી ભેગી કહેવાય છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
૭૯
વક્તા દેશના આપે છે ત્યારે વક્તા હોય છે.
મૌની દેશના નથી આપતા હતા ત્યારે મૌની કહેવાય છે. અથવા વચન ગ રુંધાય ત્યારે અથવા નિરવદ્ય ભાષાધારા હિતકારી ઉપદેશ આપવા છતાં મૌની કહેવાય છે.
અનુપયેગવંત=અન્ય ક્ષણે દર્શને પગ સમયે જ્ઞાને પગ રહિત અને જ્ઞાનપગ સમયે દર્શને પગ હિત એમ અનુપયેગવંત પણ પરમાત્મા હોય છે. અથવા આત્મા બાર ઉપયોગમાંના એક ઉપયોગ સમયે બીજા ઉપયોગ રહિત હોય છે.
ઉપગવંતરજ્ઞાન કે દર્શન એમાંથી એક ઉપયોગ તે સદા હોય જ છે.
આમ જુદી જુદી રીતે શાસ્ત્રને આધારે વિક-ભાંગા ઘરાવી શકાય છે. આવા અનેક ભાંગાઓવાળી ત્રિભંગીઓ, હોઈ શકે છે. અહીં તે માત્ર સંક્ષેપમાં સૂચન કરવામાં આવેલ છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
૨૦
૧૧ શ્રીશ્રેયાંસ-નાથ-જિન—સ્તવન. અધ્યાત્મનું સ્વરૂપઃ દેશિવેતિ-સવિરતિરૂપ ભાવ અધ્યાત્મની અભિલાષા:
| સ્યાદ્વાદમાં શ્રદ્ધાળુ અથવા નિપુણુ આત્મલક્ષ્મી દેશ્વરત–શ્રાવક કે જૈનમુનિ અધ્યાત્મના જુદા જુદા ભેદો સમજીને આધ્યાત્મિક પ્રતિમાં આગળ વધી શકે છે. તેથી સૌથી પહેલાં ચાર પ્રકારના અધ્યાત્મનું સ્વરૂપ મતાવેલ છે. ત્યાગાત્મક ભાવઅધ્યાત્મની દેશવિરતિથી શરૂઆત થાય છે. અને સમ્યક્ત્વરૂપ અધ્યાત્મની તેા ચાથે ગુણુસ્યાનકેથી શરૂઆત થાય છે. ]
[ રાગ–મૌડ “અહેમતવાલે સાજના એ દેશી. ] શ્રી–શ્રેયાંસ–જિન ! અંતર–જામી, આતમ-રામી નામી રે, અધ્યાતમ-મત–પૂરણ પામી, સહજ-મુગતિ–ગતિ-ગામી રે. શ્રી, શ્ર. ૧
93
[ અંતરજામી=અંદરની વાત જાણનાર, સ આતમ-રામી=આત્મામાં રમણુતા કરનિરા. નામી=પ્રસિદ્ધ, જગજાહેર અધ્યાત્મ-મત=આત્મવિકાસનું જ્ઞાન. સહજ=સરળતાથી. મુકિત-ગતિ-ગામી=માક્ષગતિ તરફ જઇ ચૂકેલા.]
હું શ્રેયાંસ નાથ ! જિનેશ્વર દેવ!આપ તેા અંદરનીચે વાતના જાણનારા—સર્વજ્ઞ છેઃ આપ પેાતાના આત્માના આરામમાં
Page #140
--------------------------------------------------------------------------
________________
૮૧
આનંદમાં મશગુલ છેઃ આપ જગમાં પ્રસિદ્ધ નામવાળા છેઃ આપ પૂર્ણ આધ્યાત્મિક જ્ઞાનને પૂર્ણપણે પામેલા છેઃ અને આપ સહજ રીતે જ મુકિતગતમાં જઇ પહેાંચેલા છે।. ૧ શ્રેય:=એટલે કલ્યાણુ–મેાક્ષ. તેથી સહજ-સુગતિગતિ–ગામી પદ આપીને શ્ર્લેષથી શ્રેયાંસ નામ સાક કરી બતાવ્યું છે.
સયલ-સ’સારી ઇંદ્રિય-રામી. મુનિ-ગણ આતમ-રામી. રે મુખ્યપણે જે આતમરામી, તે કૈવલ નિષ્કામી. રે શ્રી શ્રે॰ ૨ સયલ=સવ. ઇન્દ્રિય-રામીઇન્દ્રિયાના વિષયામાં લુબ્ધ, તેના લાલચુ. ગણ્=સમૂહ. આતમરામી=આત્મધ્યાનમાં રમણતા કરનારા. કેવળ=કત. નિઃકામી=નિષ્કામી, નિષ્કામ ચેાગી. ]
સધળાયે સ ંસારી જીવા ઈન્દ્રિયાના વિષયામાં લુબ્ધ હોવાથી ઇન્દ્રિયેાના આરામ શેાધનારા છે; માટે તેઓ ઇન્દ્રિચરામી કહેવાય છે. માત્ર મુનિગણ–મુનિયાના સમુદાયઆત્મામાં રમણતા કરનારા છે, મુખ્યપણે જેએ આત્મામાં રમણતા કરનારા હાય છે, તે જ ફકત ખરેખરા નિષ્કામી– નિષ્કામયાગી હોઈ શકે છે. ૨
નિજ-સ્વ-રૂપ જે કિરિયા સાથે, તે અધ્યાતમ લહિયે. રે
Page #141
--------------------------------------------------------------------------
________________
૮૨
જે કિરિયા કરી ચઉ–ગતિ સાથે,
તે ન અધ્યાતમ કહિયે. રે શ્રી શ્રે૦ ૩ [નિજસ્વરૂપ=પેાતાનું-આત્માનું સ્વરૂપ.-લહિયે=
જાણવું. ]
પેાતાના આત્મસ્વરૂપને લક્ષ્યમાં રાખીને જે ક્રિયા સાધવામાં આવે છે. તેનું નામ અધ્યાત્મ કહેવાય છે. અને તે ભાવ નિક્ષેપે—ભાવ અધ્યાત્મ છે.
आत्मानमधिकृत्य या शुद्धा क्रिया प्रवर्तते, तदध्यात्मम् । અઆત્મવિકાસને ઉદ્દેશીને જે જે શુદ્ધ પ્રવૃત્તિ કરવામાં આવે, તે અધ્યાત્મ.
કેટલાકની ધાર્મિક ગણાતી કેટલીક વિષઃ ગરલઃ અને અનુષ્ઠાન:રૂપ ક્રિયા એવી હોય છે, કે જે કરવાથી ઉલટાના ચાર ગતિમાં ભમવું પડે છે. તેવી ક્રિયાનું નામ અધ્યાત્મ ન કહી શકાય. ૩
નામ-અધ્યાતમઃ ઠવણુ-અધ્યાતમઃ દ્રવ્ય-અધ્યાતમઃ ઇંડા, રે ભાવ-અધ્યાતમ નિજ-ગુણુ સાથે,
તા. તેશુ રઢ મ`ડા, રે શ્રી શ્રે ૪ [ નામ=નામ માત્રથી. ડવણ=સ્થાપનાથી. દ્રવ્યઅધ્યાતમ=ભાવ-અધ્યાત્મનું કારણ કે કાય. ર=દૃઢતાથી. મડા=મચા ]
માટે, નામ-અધ્યાત્મ સ્થાપના અધ્યાત્મઃ અને દ્રવ્યઅધ્યાત્મઃને છેડી દો, અને જે ભાવ-અધ્યાત્મ પેાતાના આત્માના ગુણને વધારનારું હોય, તેની જ પાછળ દૃઢ રીતે
Page #142
--------------------------------------------------------------------------
________________
૮૩
મંડી પડો–મચી પડે. ભાવ-અધ્યાત્માભાસની પાછળ પડવાનું નથી. પરંતુ આત્માના ગુણોને વધારે, તે સાચું ભાવ અધ્યાત્મ છે. તેની પાછળ જરૂર પડો.
નામ–અધ્યાત્મ સ્થાપના-અધ્યાત્મ અને દ્રવ્ય અધ્યાત્મઃ એ ત્રણેય ભાવ-અધ્યાત્મના કારણ છે-તેમાં મદદગાર છે. પણ તે સર્વની મદદ લઈને સાધવાનું તો છેવટે ભાવ-અધ્યાત્મ જ હોય છે. ભાવ-અધ્યાત્મના લક્ષ્ય વિના એકલા નામાદિકને વળગી રહેવાથી ખાસ ફાયદો થતો જ નથી. આખર તો તે છેડી દેવાના જ હોય છે. માટે, ભાવ-અધ્યાત્મના લક્ષ્યને ધ્યાનમાં રાખીને તેને પ્રાપ્ત કરવા માટે તેની સાધના પાછળ લાગી પડવું જોઈએ.
ભાવ-અધ્યાત્મના પણ ચડતા ઉતરતા ઘણા દરજજા હોય છે. ઉચ્ચ ઉચ્ચ દરજજા પર ગયા પછી નીચે નીચેના દરજજા છોડી દેવાના હોય છે. ઉંચે ઉંચે દરજજો પ્રાપ્ત ન થયો હોય, ત્યાં સુધી તેની પહેલાના દરજજાને ઉો દરજજો પ્રાપ્ત કરવા દઢ રીતે આરાધવાને-સાધવાનો હોય છે. ભાવ અધ્યાત્મની ભ્રમણામાં ન પડી જવાય, તેની સાવચેતી માટે “નિજ ગુણ સાધે, તો.” એ શબ્દો ખાસ મૂક્યા છે. ૪ શબ્દ-અધ્યાતમ અર્થ સુણીને,
નિર્વિકલ્પ આદરજે રે શબ્દ-અધ્યાતમ ભજના જાણી,
હાન-ગ્રહણ–મતિ ધરજે. રે શ્રી શ્રેય
Page #143
--------------------------------------------------------------------------
________________
શિબ્દ-અધ્યાતમ-અધ્યાત્મ શાસ. નિર્વિકલપકમન. વચન: કાયાની ગુપ્તિ અને કષાય રે. ભજના=હોય કે ન હોય. હાનજ્યાગ. ગ્રહણ સ્વીકાર. મતિ=વિચાર, હાનગ્રહણ-અતિ ત્યાગ અને સ્વીકારની બુદ્ધિ. ધરજો=રાખજે. કેળવજો.] .
આધ્યાત્મિક શાસ્ત્રો રૂપ શબ્દ–અધ્યાત્મ મારફત ચારનિપેક્ષા રૂપ અર્થ બરાબર સાંભળીને પણ છેવટે, તે નિર્વિકલ્પ દશાનો આદર કરજો.
પરંતુ, શબ્દ અધ્યાત્મમાં પણ દુનિયામાં રહેલા દરેક અધ્યાત્મનાં ગણાતાં શાસ્ત્રોમાં તે અધ્યાત્મની ભજના હોય છે, એટલે કે “ અધ્યાત્મનાં ગણાતાં દરેક શાસ્ત્રોમાં અધ્યાત્મ નક્કી હોય જ એમ માની ન લેવું. તેથી નાની મદદથી બરાબર સમજ મેળવીને તેમાંથી છોડવા જેવું છોડી દેવાને, અને લેવા જેવું લેવાને, સાવધ–વિચાર રાખજો. એ શાસ્ત્રોમાં બધુય છોડવા જેવું કે બધુય લેવા જેવું નથી હોતું. પરંતુ નયની મદદથી એ સમજવાની–તારવવાની–જે તમારામાં તાકાત નહીં હોય, તો, તમે ભૂલાવામાં પડી જશો. સાચા અધ્યાત્મી તો લેવા જેવું હોય, તે લઈ જ લે છે. ૫ અધ્યાતમી: જે વસ્તુ વિચારી,
બીજા જાણ લબાસી, રે વસ્તુ–ગતે જે વસ્તુ પ્રકાશે,
આનંદઘન-મત-વાસી. ૨ શ્રી શ્રે. ૬
Page #144
--------------------------------------------------------------------------
________________
લિબાસી =લબાસી–લેબાસી, માત્ર અધ્યાત્મને-આધ્યાત્મિક જીવનને-મુનિજીવનને-લેબાસ–વેશ-દેખાવ ધારણ કરનારા. આનંદ-ઘન-મત=અધ્યાત્મના. મોક્ષના. વાસીમોક્ષના વાસી. ]
જે વસ્તુ સ્થિતિને ખરેખર વિચાર કરનારા હોય, તે ખરા અધ્યાત્મીઓ છે. બીજા તો લેબાસી–વેશધારી અધ્યાભીઓ જાણવા. કેમકે વસ્તુગતે. વસ્તુ જેમ હોય તેમજ જેઓ વસ્તુનો યથાર્થ પ્રકાશ કરે, તેજ આનંદઘન–મત, અધ્યાત્મમતમાં અથવા મોક્ષમાં વાસ કરી શકે છે. બીજાની તાકાત નથી. ૬
ભાવાર્થ– આધ્યાત્મિકએ પણ પોતાને માર્ગદર્શક આદર્શ તરીકે શ્રી જિનેશ્વર ભગવંતને રાખવા જોઈએ. કેમકે–તેઓ જ અધ્યાત્મના ઉત્પાદક છે અને જાતે અધ્યાભની છેવટની હદે પહોંચીને મેક્ષમાં પહોંચી ગયેલા હોય છે. તેમનું આલંબન છેડવું ન જોઈએ. તેઓ પૂરેપૂરા અધ્યાતમમત પામ્યા હોય છે.
મુનિઓને મુખ્યપણે આત્મરામી અને અધ્યાત્મી કહ્યા છે અને તેને જ ખરેખરા નિષ્કામ ચગી કહ્યા છે. સ્તવનકાર કહે છે, કે –“ ખરા નિષ્કામ ભેગી તે છે, કે “જેઓ અધ્યાત્મને પામીને આત્મરમણતા કરે છે.”
આત્માને લક્ષ્મીને જે જે પાંચ આચારરૂપ ઉચિત ધાર્મિક ક્રિયા પ્રવર્તાવાય, તેનું નામ અધ્યાત્મ છે.” અને તે ભાવ અધ્યાત્મ છે. એકલું આત્માનું લક્ષ્ય પણુ દ્રવ્યઅધ્યાત્મ છે, અને તે વિનાની એકલી ક્રિયા પણ દ્રવ્ય અધ્યાત્મ છે, બનેય સાથે જોઈએ જ. ઉચિત કિયા સાપેક્ષ
Page #145
--------------------------------------------------------------------------
________________
૮૬
આત્મલક્ષ્યની મુખ્યતા અથવા આત્મલક્ષ્ય સાપેક્ષ ક્રિયાની મુખ્યતા ભાવ અધ્યાત્મ છે. એક બીજાને નિરપેક્ષ રહીને એક બીજાના વિરોધ કરનાર દ્રવ્ય અઘ્યાત્મી છે.
શુષ્ક અધ્યાત્મીએ અને શુષ્ક ક્રિયાવાદીએ ભાવ અધ્યાત્મીઓ નથી. પરંતુ, ક્રિયા સાપેક્ષ એકલું આત્મજ્ઞાનઃ અને આત્મજ્ઞાન સાપેક્ષ એકલી ક્રિયાઃ એ બન્નેય મુખ્ય હાય, તાપણુ ભાવ-અધ્યાત્મ હાઈ શકે છે.
એટલે–કેટલીક ક્રિયા
તા એવી છે, કે-જે કરવાથી ઉલટા સંસારમાં ભમવાનું થાય છે. તેમાં તા દ્રવ્ય-અધ્યાત્મ પણ નથી. તે તે ભવાભિન’દીપણું કહી શકાય. વળી કેટલીક ક્રિયાએ મહારથી અધ્યાત્મની ક્રિયા સાથે મળતી આવતી હાય, પરંતુ વાસ્તવિક રીતે તે અધ્યાત્મના માર્ગને જ હણનારી ડાય, તેા તેને પણ દ્રવ્ય-અધ્યાત્માભાસ માત્ર કહી શકાય. પરંતુ દ્રવ્ય અધ્યાત્મ પણ ન કહેવાય.
જેમ એકાંત શુષ્ક ક્રિયાવાદી એ હાય છે, તેજ પ્રમાણે એકાંત શુષ્ક ભાવ અધ્યાત્મીએ પણ હાય છે. તે બન્નેય આદરપાત્ર નથી. પણ ત્યાજ્ય છે
જેની લાયકાત ઊંચા પ્રકારની થઈ હોય છે, તેવા સાધકે મુખ્યપણે તેા ભાવ-અધ્યાત્મના જ આશ્રય લઈ -આદશ રાખી તેમાં જ મચી પડવાનું હોય છે. બાકીના બધા ઉપાયાને છેડતાં જવું જોઈએ.
અધ્યાત્મને લગતા શાસ્ત્રો ઉપરથી અનુભવ લઈને— શબ્દ-બ્રહ્મમાં શબ્દ અધ્યાત્મમાં નિષ્ણાત થઈને-છેવટે, નિવિ -
Page #146
--------------------------------------------------------------------------
________________
૮૭
ક૯પ દશારૂપ પરમબ્રહ્મ-પરમાત્મભાવને-પરમ ભાવ અધ્યાત્મને આદર કરવાનું છે. શાબ્દિક ચુંથણા અને ચર્ચામાં ત્યાં ને ત્યાં કાયમ પડયા રહેવું, તે આધ્યાત્મિકને પાલવે નહીં.
ક્ષપક શ્રેણિમાં જે નિર્વિકલ્પ દશાનો આરંભ થાય છે. તેને સ્વાદ પ્રાપ્ત કરવા જ અધ્યાત્મને આશ્રય લેવાની જરૂર છે. તેનું એ દયેય છે.
અહીં એક ખાસ ભલામણ કર્યા વિના સ્તવનકાર રહી શકતા નથી. “આધ્યાત્મિક વિચારનું વર્ણન કરનારા ઘણાં શાસ્ત્રો અને ગ્રન્થ જગમાંથી તમને મળશે, પરંતુ તે દરેકમાંથી “સાચું અધ્યાત્મ મળે જ.” એમ માની ન લેવું. તેમાં પણ અધ્યાત્મની ભજન જાણવી. એટલે કેકેઈકમાં સાચું અધ્યાત્મ હશે, અને કેઈકમાં નહિ પણ હાય. તમે જેમાં સાચું અધ્યાત્મ ન હોય, તેને છોડવાની, અને સાચું અધ્યાત્મ હોય, તે શાસ્ત્ર લેવાની બુદ્ધિ કેળવજે.
ઉપરના ગુણ સ્થાનકમાં ધર્મધ્યાન તથા શુકલ ધ્યાન રૂપક્યિા હોય છે. પ્રથમ પ્રથમની આધ્યાત્મિક અવસ્થા કારણએટલે કે દ્રવ્ય અધ્યાત્મ, અને પછી પછીની આધ્યાત્મિક અવસ્થા તે કાર્ય એટલે ભાવ અધ્યાત્મ. ભાવ અાત્મમાં તથા દ્રવ્ય અમાત્માં પણ અનુક્રમે દ્રવ્યપણું અને ભાવ પણું નની અપેક્ષાએ ઘટે છે.
આખર તે આત્મવસ્તુને સમજનાર અધ્યાત્મી છે. આત્માને ખ્યાલ પણ ન રાખનારા બીજા બધા લેબાસી-વેશધારી-અધ્યાત્મીઓ છે. એ રીતે આત્મ-વસ્તુને ખરેખર પ્રકાશ કરનાર જ મેક્ષમાં વાસ કરી શકે છે, બીજા ત્યાં પહોંચી શકતા નથી.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨ શ્રી વાસુપૂજ્ય-જિન-સ્તવન આત્મના સ્વરૂપનું જ્ઞાન - આત્માની વિવિધ
- ચેતના : આત્મજ્ઞાની :
[ આત્માના ગુણેના વિકાસ કરવાના ઉદ્દેશથી જે જે યોગ્ય પ્રયત્ન કરવામાં આવે, તે અધ્યાત્મ કહેવાય છે. એટલે આત્મા વિના અધ્યાત્મને સંભવ જ નથી. તેથી આધ્યાત્મિક પ્રગતિના ઈચ્છકે આત્મ સ્વરૂપને ધ્યાનમાં રાખીને ક્રિયા કરવાની છે. “નિજ સ્વરૂપ જે કિરિયા સાથે તે અધ્યાતમી કહિયે” તેમાં નિજ એટલે આત્માનું સ્વરૂપ લક્ષ્યમાં રાખવાનું કહ્યું છે. તે આત્માનું સ્વરૂપ કેવું છે?” તેને વિચાર અહીં આપેલ છે. સર્વ વિરતિ મુનિરૂપ આધ્યાત્મિકેએ આત્માનું-સ્વ-સ્વરૂપનું-જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તેથી સામાન્ય આત્મ સ્વરૂપ બતાવ્યું છે ] રાગ-ગોડી તથા પરજ “તુંગીયા ગિરિ શિખર સહે.” એ દેશી વાસુપૂજ્ય-જિન! ત્રિભુવન–સ્વામી,
ઘન–નામી : પનામી કરે. નિરા-ડકાર સા-ડડકારઃ સ-ચેતના
કરમ કરમ-ફલ-કામી: રે. વાસુ૧ [ ત્રિભુવન સ્વામી ત્રણ લોકને પૂજય હેવાથી ત્રણ લેકનાં-સુર, અસુર અને માનનાં-સ્વામિઓને-ષિ મુનિને પણ પૂજય હેવાથી–ત્રણ લોકનાં સ્વામી છે. ઘન-નામીeતેનું ખરૂં નામ “આત્મા” ઘનનામી-નિત્ય છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
પરનામી પરિણામી છે. અથવા પર એટલે પુદ્ગલ. શરીરના સંબંધથી પડેલું નામ વાસુપૂજય હોવાથી પરનામી છે. નિરાશકાર=આકાર રહિત. સાડડકાર=આકાર સહિત. સચેતન=ચેતના સહિત. કરમકર્મ કરનાર હોવાથી કમરૂપ. કરમફલકામી કર્મનાં ફળો ભેગવવા ઈચ્છનાર. કતા. ]
ત્રણ ભુવનના સ્વામી શ્રી વાસુ–પૂજ્ય-સ્વામિ ! આપ નિશ્ચયથી ઘનનામી–પરમ આત્મા–એવું નામ ધારણ કરનારા અને વ્યવહારથી–પર-નામી શરીરરૂપ પુદગલ સંબંધથી વાસુપૂજ્ય–એવું નામ ધારણ કરનારા છે. અથવા આત્મા ઇંદ્રોને પૂજાય છે, જિન છે, ત્રણ ભુવનનો સ્વામી છે, ધનનામી-નિત્ય છે, પર નામી પરિણમી છે. “નિરાકાર છે, સાકાર છે, સચેતન છે, કમરૂપ છે, પોતાનાં કર્મોનાં ફળ પિતાને ભેગવવાનાં હેય છે, તેથી કર્મના ફળરૂપ પણ છે. અને તેથી જ નારક, દેવ, સ્ત્રી, પુરુષ વિગેરે આત્માનાં નામ વ્યવહારમાં લેવાય છે. કેમકે–વાસ્તવિક રીતે તો તે કમનાં ફળ છે. ૧
વાસુપૂજય એટલે ઈન્દ્રોને પૂજય. ત્રણ જગતને પૂજય હાય, તે વાસને-ઈન્દ્રોને પૂજ્ય હોયજ, એમ, વાસુપૂજ્ય નામ અને ઈન્દ્રોની પૂજ્યતા બતાવીને, વાસુપૂજ્ય શબ્દની શ્લેષથી સાર્થકતા બતાવી છે. નિરા-ડડકાર અભેદ–સંગ્રાહક
ભેદ-ગ્રાહક સા-Scકારે રે.
Page #149
--------------------------------------------------------------------------
________________
૯૦
દર્શન: જ્ઞાન: ૬-ભેદ–ચેતના.
વસ્તુ–ગ્રહણ–વ્યાપારા રે. વાસુ ૨
[ અભેદ=પદાના સામાન્ય ધર્મ, સગ્રાહકે=જાણુ નાર, ભેદુ=પદાર્થના વિશેષ ધમ, ભેદ-ગ્રાહ=વિશેષ ધમ જાણનાર. દુ-ભેદ=બે ભેદવાળી. વસ્તુ-ગ્રહણવ્યાપાર= વસ્તુનું જ્ઞાન કરવાના પ્રયત્ન-ઉપયાગ. ]
૧ દરેક પદાર્થમાં સામાન્ય અને વિશેષ એમ બે ધમ હાય છે, તેમાંથી “આ કાઈ માસ છે.” એવી રીતના સામાન્ય ધર્મને અભેદથી-નામવાર ભેદવેના–જાણનાર જ્ઞાનશક્તિ, તે નિરાકાર આત્મા. ૨. ભેદ એટલે, આ વિમળસેન નામને માણસ છે.” એવી રીતે વિશેષ ધર્મને જાણનાર જ્ઞાનશક્તિ,તે સાકાર આત્મા. ૩. વસ્તુનું જ્ઞાન કરવાના પ્રયત્નમાં શક્તિરૂપ દનઃ અને જ્ઞાનઃ એ બે પ્રકારે ચેતનાવાળો આત્મા હેાવાથી, આત્મા સચેતન પણ કહેવાય છે. ૨ કર્તા પરિણામી. પરિણામાકર્મ જે જીવે કરિયે રે અનેક રૂપ નય વાદે નિયતે નર અનુસરિયે. રે
એક
વાસુ ૩ [ કર્તા=કરનાર. પરિણામી=પરિણમનાર, પરિણામ પામનાર, પરિણામેા=પરિણામ-રૂપાંતરો. કૅમ =જીવથી જે કરાય તે. નિયતે–ચાસ, નિયતે–નયવાદ–ચાસ નયવાદની અપેક્ષાઓને. નર=આત્મા. અનુસરિયે-પદ્ધતિસર જ્ઞાન કરીયે. 1
Page #150
--------------------------------------------------------------------------
________________
જીવ પરિણામી કર્તા છે. પરિણામી કર્તાના જ પરિણામો જીવથી કરાય છે, તે કર્મ છે. માટે જીવ કમ પણ-કર્મરૂપ પણ-કહેવાય છે. પોતાનાં પરિણામો–પર્યા પ્રમાણે પરિણામ પામતો હોવાથી, પોતાના અનેક પરિણામોને લીધેયવાદની ચોકકસ અપેક્ષાઓને અનુસરીને, એક નર ને–આત્માને અનેક રૂપે પણ કહી શકાય છે. પોતે એક છે, છતાં અનેક પરિણામોમય–અનેક ગુણમય–હોવાથી અનેક પણ કહી શકાય છે.
દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આત્મદ્રવ્ય એક જ હોય છે. તેથી તે એક કહેવાય છે. પર્યાયાર્થિક નયની અપેક્ષાએ એકજ આત્માના અનંત પર્યાયે થતાં હોવાથી, એક જ આત્મા અનેક પણ કહેવાય છે. અથવા સંગ્રહ નયની અપેક્ષાએ સઘળા આત્માઓ એક આત્મારૂપે પણ કહેવાય છે. અને વ્યવહાર નયની અપેક્ષાએ દરેક આત્મા અલગ અલગ હેવાથી અનેક પણ કહેવાય છે. પોતાના સર્વ ગુણનો ઉત્પાદક હોવાથી આત્મા–નર પણ કહેવાય છે. અને તેથી, આત્મા જ નારાયણ પણ કહેવાય છે. ૩ દુઃખ-સુખ-રૂપ–કર્મ–ફલ જાણે.
નિશ્ચય એક આનંદ. રે “ચેતનતા–પરિણામ ન ચુકે
ચેતન” કહે જિનચંદો રે વાસુ. ૪
Page #151
--------------------------------------------------------------------------
________________
[ નિશ્ચયનિશ્ચય નથી. ચેતનતા-પરિણામ= ચેતના-પરિણામ, જ્ઞાનાદિ ગુણ રૂપ. ચૂકે છેડે. ચેતન= આત્મા, જિન-ચંદ જિનેશ્વર દેવરૂપી ચંદ્રમા ]
દુઃખ અને સુખ રૂપે જ ભગવાય છે, તે સઘળાં કર્મનાં ફળો છે.” એમ સમજે. તેથી, વ્યવહાર નથી, તે ફળોને તે આત્મા ભગવનાર છે. અને નિશ્ચય નયથી તે એક અપૂર્વ જે પોતાના આત્માનો આનંદ છે, તેને જ ભોક્તા આત્મા છે. કેમકે–શ્રી જિનેશ્વર દેવોએ કહ્યું છે, કે “ચેતન-આત્મા પિતાને ચેતના–પરિણામ કદીયે છોડતો નથી. તેથી તે ચેતનારૂપ-જ્ઞાદિક ગુણના આનંદમાં ત્રણેય કાળમાં એ છે વધતે અંશે હમેશા લીન રહે છે. ૪ પરિણામી ચેતન, પરિણામે
જ્ઞાન કર્મ ફલ ભાવિક રે જ્ઞાન: કર્મ ફલ ચેતન કહીએ.
લેજો તેહ મનાવી. રે. વાસુ૫ [ભાવિ ભવિષ્યમાં થનારૂં. મનાવી=સમજી લે. ]
ચેતન–આત્મા તે દ્રવ્ય હોવાથી પરિણામ છે. જ્ઞાન કર્મ અને તેના ભાવિ ફલઃ તે સર્વ પરિણામો છે. એ પરિણામો રૂપે આત્મા પરિણામ પામે છે, માટે જ્ઞાન કર્મ અને તેનાં ફળને પણ, (ચેતન–આત્મા) કહેવામાં હરકત નથી. એમ બરાબર સમજી લેજે. ગુણ-ગુણિને અભેદ ઉપચાર કરવામાં
Page #152
--------------------------------------------------------------------------
________________
૯૩
આવે, તો એમ કહી શકાય છે. અથવા વ્યવહાર નયના ઉપચરિતાદિ ભેદોની અપેક્ષાએ પર્યાયામાં દ્રવ્યનો ઉપચાર કરીને પણ એમ કહી શકાય છે. ૫ આતમજ્ઞાની શ્રમણ કહાવે.
બીજા તે દ્રવ્ય-લિંગી. રે વસ્તુ-ગ જે વસ્તુ પ્રકાશે,
આનંદ-ધન-મત-સંગી. રે વાસુ. ૬ [ શ્રમણ મુનિ, દ્રવ્ય-લિંગી વેષધારી, આનંદઘન મત-સંગી=આત્માના સ્વરૂપની વિચારણામાં આસકતમોક્ષમાં લીન.] - આ રીતે આત્માનું જ્ઞાન ધરાવતા હોય, તે જ સાચા શ્રમણે સાધુઓ છે. બીજા તે બહારથી સાધુનો વેશ-સાધુની નિશાની ધારણ કરનારા સમજવા. આ રીતે, આત્મારૂપ વસ્તુને વસ્તુગતેં–ખરેખરી રીતે જાણે છે, તે જ આનંદઘન–મતમાં આત્મા સ્વરૂપની વિચારણામાં આસક્ત રહી શકે છે, અથવા તેઓ જ મોક્ષ માર્ગમાં લીન થઈ પ્રગતિ કરી શકે છે. અને છેવટે મોક્ષમાં જઈ શકે છે. ૬ | ભાવાર્થઃ નિશ્ચય અને વ્યવહાર નથી આત્માનું
સ્વરૂપ કહ્યું છે. આત્મા નિશ્ચય નયથી એક છતાં, વ્યવહારથી સાકાર: નિરાકારઃ સચેતનઃ કર્મરૂપઃ કર્તા પરિણામીઃ કર્મના ફળ રૂપઃ એમ અનેક રૂપે પણ છે.
શ્રમણ મુનિ મહાત્માઓ કે જેઓ ભાવ અધ્યાત્મી
Page #153
--------------------------------------------------------------------------
________________
૯૪
છે, તેઓએ આત્મ દ્રવ્યનું, તેના ગુણુ અને પર્યાયનું સ્વરૂપ ખૂબ વિસ્તારથી જુદા જુદા નયની અપેક્ષાએ દર્શાવેલ છે, તે જાણવું જોઈએ. આ વાતની મજબૂત સૂચના આ સ્તવનમાંથી મળે છે. તેા જ વસ્તુ ગતે વસ્તુના પ્રકાશ *રી શકાય–સમજી શકાય–સમજાવી શકાય અને અધ્યાત્મ મામાં પ્રગતિ કરી શકાય.
સ્યાદ્વાદની મદદ વિના, નિશ્ચય અને વ્યવહારને લગતી સમજ: અને આચરણામાં ઘટતા આશ્રયઃ એ બે લઈ શકાય નહીં. એટલા માટે શ્રી શીતળનાથ પ્રભુના સ્તવનમાં સ્યાદ્વાદથી અનેક વિધ ત્રિભંગી સમજાવી અતાવી. અધ્યાત્મનું સ્વરૂપ સમજાવ્યું. અને તે પ્રસંગને અનુસરીને આ સ્તવનમાં આત્માના કેટલાક પ્રસિદ્ધ ગુણેા અતાવીને તેનું સ્વરૂપ સમજાવ્યું છે.
૧. પાંચમા સ્તવનમાં–ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ પ્રાથ મિક જીવને સમકિત પ્રાપ્ત થતાં પહેલાં પરમાત્મા શું ? અને પરમાત્મા થવાને અંતરાત્મ-ભાવ પ્રાપ્ત કરવા જોઇએ. અને અહિરાત્મ ભાવના ત્યાગ કરવાથી અંતરાત્મા થવાય. આમ પ્રાથમિક જીજ્ઞાસા શાંત કરવા વિકાસની શકયતા સક્ષેપમાં સમજાવી.
૨. ૧૧મા સ્તવનમાં—‘ અંતરાત્મપણાના વિકાસ અધ્યાક્ર્મની મદદથી થાય છે.” તે બતાવેલ છે.
૩. ૧૨માં સ્તવનમાં-આત્મા પદાર્થ : આત્મ દ્રવ્ય : તેનું સ્વરૂપ બતાવ્યું છે. આત્મા પદાર્થનું સ્વરૂપ સામાન્ય રીતે
Page #154
--------------------------------------------------------------------------
________________
બતાવવાની શરૂઆત અહીં કરી છે. આત્મા સાકારઃ નિરકારઃ સચેતનઃ પરિણામી: કર્તા: કમને કર્તા: નિજ આનંદને કર્તા છે. એક રૂપ છે અનેક રૂપ છે. આત્માના પરિણામોજ્ઞાન દર્શન: કર્મ કર્મના ફળઃ વિગેરે આત્માના પરિણામે છે. આ રીતે જેની ઈચ્છા આત્માને કર્મોથી મેલ કરવાની હોય, તેણે પોતાને આમાં કેવું છે? તેના ગુણે કેવા કેવા છે? વિગેરે જાણવું જ જોઈએ
૪. ૧૮ મા શ્રીઅરનાથ પ્રભુના સ્તવનમાં ૧૨મા ગુણસ્થાનકવત ક્ષીણમોહ મહાત્માએ આત્માના સ્વસમયમાં લીન થાય છે. લેશ માત્ર પણ પરને લેશ માત્ર પણ પડછાયે હોય, તેને પર સમય સમજે છે. એમાં શુદ્ધ દ્રવ્યાર્થિકના આધારના શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે.
૫. ૨૦મા શ્રી મુનિસુવ્રત સ્વામિના સ્તવન માં આત્માને મોક્ષ થાય છે. તે આત્માનું કેવું સ્વરૂપ માનવામાં આવે તે મોક્ષ ઘટી શકે? આ બાબતમાં કેટલાક દર્શન કારે આત્માના સંબંધમાં અપૂર્ણ હકીકત પૂરી પાડતા હોવાથી “જેન દર્શનમાં જે રીતે આત્માનું સ્વરૂપ બતાવેલું છે તે સ્વરૂપના આત્માને જ બંધ: મેષઃ સુખ : દુઃખદ વિગેરે ઘટી શકે છે” એમ મુક્તિની સિદ્ધિ કરવાની દષ્ટિથી આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે.
માટે જુદા જુદા સ્તવમાં આત્માનું સ્વરૂપ જુદી જુદી રીતે સમજાવાયેલું હોવાથી પરસ્પર વિસંવાદ કે
Page #155
--------------------------------------------------------------------------
________________
વિરોધ આવે છે, અથવા જુદી જુદી રીતે આમ કેમ સમવે છે?” એમ શંકા ન કરવી.
આ સ્તવનમાં સામાન્ય રીતે આત્મ દ્રવ્યનું પ્રાથમિક દષ્ટિએ સમજી શકાય તેવું સ્વરૂપ બતાવ્યું છે. આત્માનું સ્વરૂપ સમજ્યા વિના, અને તેને વિકાસ કરવાની ઈચ્છા વિના અધ્યાત્મની શરૂઆત જ થતી નથી.
૧૩ શ્રી–વિમલનાથ-જિન-સ્તવન. તીર્થ કદેવરૂપ-પુષ્ટ આલંબનથી ભકિત-અનુષ્ઠાન
ભકિત-યોગ [ પરમાત્માનું સવરૂપ જાણ્યા પછી, પિતાના આત્માને અધ્યાત્મ માર્ગે દોરવવા ઈચ્છતા આત્મજ્ઞાની શ્રી શ્રમણ મુનિ ભાવ અધ્યાત્મી થતી વખતે પિતાના આત્માનું સ્વરૂપ વિચાર્યા પછી, તેઓને જે આનંદ થાય, અને તેને લીધે, પરમાત્મા વિતરાગદેવનું આલંબન તેમને તે વખતે પણ કેટલું બધું આનંદદાયક થાય છે? તે આ સ્તવનમાં બતાવેલ છે. ] [રાગ-માલહાર “ઇડર અંબા આંબલી, ઈડર દાડિમ દાખ.” એદશી] દુખ-દોહષ્ણુ દૂરે ટળ્યાં રે, સુખ-સંપદ શું ભેટ. ધીંગ–ધણી માથે કિ. રે કુણ ગાજે નર-બેટ? વિમલ-જિન! દીઠાં લેયણ આજ. મારાં સિધ્ધાં વાંછિત-કાજ. વિદી. ૧
Page #156
--------------------------------------------------------------------------
________________
وع
[ સુખ-સંપદશું સુખ અને સંપ-સંપત્તિ સાથે. ભેટ-મેળાપ થયો. ધીંગ-ધીગો, મોટે. ધણુ=માલિક, માથે માથા ઉપર, માથે વિડિલ તરીકે રાખે. ગંજેeગાંજે, તાબે થાય, નરખેટકપામર માણસને. લોયણુ= ચક્ષુ. વિમળ=૧ નિર્મળ એવા વિમળનાથ જિનેશ્વર દેવ ૨ નિર્મળ. સિધ્યાં સફળ થયાં, વાંછિત મન-ઈચ્છિત.]
આજે મેં હવે શ્રી વિમળનાથ જિનેશ્વર પ્રભુને મારી આંતર ચક્ષુથી સાક્ષાત જોયા. અને તેથી હવે હું માનું છું, કે–“મારા બધા મનોરથ સફળ થયા છે, દુઃખ અને દુર્ભાગ્ય દૂરે ટળ્યા છે. સુખ અને સંપત્તિ આવીને ભેટી પડી છે. ખરેખર ! માથે મોટો મહારથી ધણી ધાર્યા પછી, પામર માણસથી કેણ ગજે? તેની દરકાર કોણ કરે ?
પરમાત્મા બનવા ઈચ્છતા આત્માથી ભાવ અધ્યાત્મીઃ શ્રમણને આત્માના સ્વરૂપનો ભાસ થયા પછી-પરમાત્માના સ્વરૂપને તેજસ્વી પ્રતિભાસ થયા પછી-જે આનંદ થાય, તે આનંદ આ સ્તવનમાં ભક્તિ અનુષ્ઠાન રૂપે વ્યકત કરવામાં આવે છે. ૧
વિમળ શબ્દના શ્લેષથી આત્માની અને પ્રભુની નિમળતાનું પણ વર્ણન કરી, મળરૂપે-મેલ-રહિત. વિમળ નામની સાર્થકતા જણાવી છે. ચરણ-કમલ કમલા વસે. રે
નિર્મલ-સ્થિર-પદ દેખ.
Page #157
--------------------------------------------------------------------------
________________
૯૮ સ–મેલ અસ્થિર-પદ પરિહરે રે.
પંકજ પામર પેખ. વિ. દી૨ [ચરણ-કમળ ચરણરૂપી કમલમાં, કમલાલક્ષ્મીજી. સ્થિરત્રનિશ્ચળ. પદસ્થાન, નિવાસસ્થાન. દેખ=જોઈને. સ-અલ-મેલું, મેલવાળું. અ-સ્થિર=અનિશ્ચિળ, પદસ્થાન. પરિહરે-છેડી દે. પંક-જ=કાદવમાં થતું- કમળ. પંક= કાદવ, પામર=ગરીબડું, પ્રેમ જોઈને. ].
શ્રી વિમળનાથ પ્રભુનાં ચરણરૂપી કમળ રહેવા માટેનું નિર્મળ અને સ્થિર સ્થાનક નજરે ચડ્યા પછી, કાદવમાં ઉત્પન્ન થયેલું હોવાથી–પામર બિચારા કમળને-પંકજને રહેવા માટેનું મેલું અને અસ્થિર નિવાસસ્થાન ગણીને કમળા-લક્ષ્મીજી શ્રી વિમળનાથ પ્રભુનાં ચરણકમળમાં રહેવાને ચાલી આવી છે. તેથી કમળ કરતાં પણ તેમનાં ચરણની શોભા વધી ગઈ છે. કારણ એ કે-કમળાદેવી પંકજ-કમળ છોડીને વિમળનાથ પ્રભુનાં ચરણરૂપી કમળમાં કાયમી વાસ કરવા માટે આવી ગયા છે.
વિમળનાથ પ્રભુ ગુણે કરીને નિર્મળ છે પિતાના આત્મામાં કેવળ જ્ઞાનરૂપી લક્ષ્મીનો કાયમી વાસ પામ્યા છે. તેથી તેમનાં ચરણકમળ પણ નિર્મળ છે, અને તેના આશયથી દુઃખ અને દુર્ભાગ્ય દૂર ટળી જાય, અને સુખ તેમ જ સંપત્તિની ભેટ મળે, તેમાં શી નવાઈ છે? ૨
Page #158
--------------------------------------------------------------------------
________________
આ કડીમાં શ્રી આનંદઘનજી મહારાજશ્રીએ કવિ તરીકે બહુજ સુંદર કલ્પના કરીને કાવ્ય-ચમત્કારથી ભરપૂર ઉત્તમ પ્રકારની કવિતાને સુંદર નમૂને પૂરો પાડે છે. કમળ, કમલા; પામર, પંકજ; નિમળ, સમળ, સ્થિરપદ, અસ્થિરપદ-વિગેરે ની પસંદગી પણ બહુજ રસ ઉમેરે છે.
મુજ મન તુજ પદ-પંકજે રે
લીને ગુણ-મકરંદ. રંક ગણે મંદર-ધરા રે
ઈન્દ્રઃ ચંદ્ર: નાગેન્દ્ર વિ. દી. ૩ [ પદ-પંકજે ચરણ કમળમાં. લીને આસકત. ગુણુ-મકરંદ ગુણરૂપી, સુગંધી, પરાગ. રંક રાંકડા, મંદા=શેરુપર્વત. ધરા પૃથ્વી, નાગુંસવનપતિના ઈન્દ્ર, ધરણેન્દ્ર. ]
આવા તમારાં ચરણરૂપી કમળમાં ગુણરૂપી મકરન્દપુષ્પને રસ–પીવા માટે મારા મનરૂપી ભમરો લીન– તલ્લીન–આસકત થઇ ગયો છે. તેથી કરીને તમારાં ચરણ મળવાથી મારું મન મેરુ પર્વતઃ પૃથ્વી અથવા મેરુ પર્વતની સુવર્ણમય પૃથ્વીઃ ઈન્દ્રઃ ચંદ્ર અને ધરણેન્દ્ર દેવને પણ પિતાની આગળ એક રાંદડા જેવા-તુચ્છ માને છે. હે પ્રભો ! આવો તમારા ચરણનો મહિમા છે. ૩
Page #159
--------------------------------------------------------------------------
________________
ભક્તિરસમાં લીન આત્મજ્ઞાની શ્રમણ હજુ આગળ વધે છે – સાહિબ! સમરથ તું ધણી રે
પામ્યો પરમ–ઉદાર મન-વિશરામી: વાલો રે
આતમ આધાર વિ. દી. ૪
પરમ-ઉદાર બહુજ ઉદાર, મેટા મનવાળે ત્રિભુવન પૂજ્ય ઘણીજ મોટાઈ વાળો. મન-વિશરામી=મનના વિસામા રૂપ. વાલ વહાલે, આતમ આત્માને, મારે આધાર આશરે.] . હે સ્વામિ ! તારા જેવો સમર્થઃ પરમ ઉદાર મનના વિસામારૂપ આત્માના આધારરૂપઃ અને વહાલામાં વહાલેઃ ધણું: હું પામ્યો છું, હવે મારે બીજું શું જોઈએ ? મને જગતમાં જે કાંઈ મેળવવા જેવું હોય, કે છે, તે બધું, તું મને, મળી ગયું છે, નાથ ! ૪ દરિસણ દીઠે જિનતણું રે
- સંશય ન રહે વેધ. દિન-કર-કર–ભર પસરતાં રે -
અંધકાર–પ્રતિષેધ. વિ. દી. ૫ " [ વેધ-આડ, આંતરું, વિદન. દિન-કર-કેરભર= દિવસને કર્તા સૂર્ય, તેના કિરણેને સમૂહ, પસદંતા=
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૦૧ ફેલાતાં. અંધકાર-પ્રતિષેધ=અંધકારને રહેવાની મનાઈ, અંધકારને નાશ. ]
આવા જિનેશ્વર દેવનાં સાક્ષાત–આત્મભાવનાથી– દર્શન–પરમાત્માના સાચા સ્વરૂપનો સાક્ષાત્કાર થાય, ત્યાર પછી, સંશય-શંકારૂપી વિદન–સાલ મનમાં જરા પણ ન રહી શકે. જેમ સૂર્યનાં જથાબંધ કિરણે ફેલાતાં જ અંધકાર નાસી જાય છે, તેમ બધાયે સંશયે નાશ પામી જાય છે. વિદ્ગો ઉપર વિજય મેળવાય છે. અને નિર્મળ સમ્યક્ત્વ તથા વિચિકિત્સા રહિત ધર્મ માર્ગમાં પ્રવૃત્તિ થાય છે – અમિય–ભરી મુરતિ રચી રે
ઉપમા ન ઘટે કેય. શાંત-સુધારસ ઝીલતી રે
નિરખત તૃપ્તિ ન હોય. વિ. દી. ૬
[ અમિય–ભરી અમૃતથી ભરેલી, શાંત-સુધા-રસ ઝીલતી-શાંત રસ રૂપી અમૃત રસમાં ન્હાતી, નિરખત=. જતાં. તૃપ્તિ=સંતેષ.].
હે પ્રભો ! તારી મૂર્તિ અમૃત રસથી ભરપૂર, એકદમ શાંતરસમાં ન્હાતી એવીતો રચી છે, કે–જેની સાથે જગતની કોઈપણ વસ્તુની ઉપમા જ ઘટાવી શકાતી નથી. અહાહા! તેને નિરખતાં નિરખતાં સતિષ જ થતો નથી. ધરપત જ થતી નથી.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૦૨
આ કડીમાં ગોઠવાયેલા એકેએક શબ્દ ભકત હૃદયને હચમચાવવાને પૂરેપૂરો સમર્થ છે. તેમાંયે નિરખતઃ અને તૃપ્તિ એ બે શબ્દો બોલતાં તો હૃદય ઉછળ્યા વિના રહે જ નહીં. એવી ખુબીથી શબ્દો વાપર્યા છે, અને શબ્દો પણ બરાબર કવિને મળી ગયા છે !! એ જ ખુબી છે. ૬
એક-અરજ સેવકતણી રે, અવઘારો જિન-દેવી કૃપા કરી મુજ દીજિયે રે, આનંદઘન-પદ સેવવિ. ૭
[ અરજ=વિજ્ઞપ્તિ અવધારો સાંભળો, સ્વીકારો. આનંદ-ઘન-પદ-સેવ=આપ પરમાત્માપદની સેવા, એક્ષ- . પદની સેવા, પ્રાપ્તિ. ]
પરંતુ, હે જિનેશ્વરદેવ! આ સેવકની અરજ આપ જરા વીકારેને ! કે–“કૃપા કરીને મને આનંદઘન એવા આપ પરમાત્માના ચરણની-મોક્ષપદની સેવા આપો....૭ | ભાવાર્થ –સમ્યગ શિન પ્રાપ્ત થયું. પ્રભુની દ્રવ્ય પૂજા કરવાની તક પ્રાપ્ત થઈ, શ્રત સામાચિકની મદદથી સ્યાદવાદ સિદ્ધાંતને રસ ચાખવા મળે, દેશ-વિરતિ અને સર્વ વિરતિ રૂપ ત્યાગમય ભાવ અધ્યાત્મમાં પ્રગતિ થઈ, અને શ્રમણભાવ માં –આત્મ પદાર્થનું પણ સવરૂપજ્ઞાન થયું. ૭ માં સ્તવનમાં પરમાત્માને અનેક નામે ભજ્યા હતા, તે પરમાત્મ-ભાવની નજીક આવતાં આ સ્તવનમાં, પરમાત્મા પ્રત્યે પૂરતો ઉમળકે વ્યકત થાય છે. બીજી ગાથામાં– લક્ષ્મીજી કમળમાંથી કેમ ચાલી ગઈ? અને પ્રભુના ચ
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૦૩
જીમાં કેમ જઈને વસી ? તેનું કાવ્યની દૃષ્ટિથી બહુજ મના રંજ વર્ણન કર્યું છે. અને ત્રીજી ગાથામાં—આવા ચરણમાં પોતાને લીન થવાનું મળ્યું છે. આ કારણે-પેાતે જગતની સર્વ ઉત્તમ વસ્તુઓને પણ તુચ્છ માને છે. બહારથી ભિક્ષુક જેવા જણાતા છતાં પરમાત્માની ભકિતમાં લીન થઈને મસ્ત બનેલા ભકતા એપરવાઈ અને જગતથી નિરાળાપણે આત્માનંદની ખાદશાહી ભાગવતા જે આનંદ અનુ જાવી શકે, તે બીજાને શી રીતે મળી શકે ? આમ થવાનું કારણ–ભગવાનનું સ્વરસથી-સાચી સમજણથી-પેાતાને દેશન થાય છે, જેથી શાંતરસ ઝીલતી પ્રભુની અનુપમ મૂતિ જોઈને ધરવ થતા નથી. તેથી તે વિવશ થઈને ભવિષ્યને માટે પણ પ્રભુના ચરણની સેવા માંગી લે છે.
આ સ્તવનમાં શમિના અજમ ઉછાળા છે.
ભકતની ભકિતના ઉદ્રેકની ભરતીના ઉછાળા જણાઈ આવે છે.
૧. પ્રભુની મદદથી મુનિ ભાવની પ્રાપ્તિનેા આન. આ સ્તવનમાં પ્રગટ થાય છે.
૨..નવમાં ધર્મનાથ પ્રભુના સ્તવનમાં અપ્રમત્ત મુનિના ભાવ ધર્મની પ્રાપ્તિના આનંદ વર્ણવાય છે.
૩. ૧૬ મા સ્તવનમાં શ્રેણિનું આરહણુ વખતના આત્મ ભાવના સાક્ષાત્ અનુભવથી જે આન ંદ થાય, તેનું વણ્ન છે. ૪. ૧૭મા સ્તવનમાં ઉપશમ શ્રેણિથી પતનના કારણનું વણુ ન છે.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૦૪
૫, ૧૮ મા સ્તવનમાં-ક્ષપક શ્રેણિ પૂરી કરી ક્ષીણુ મેહ નામના ૧૨ ગુરુ સ્થાનકની દશાનું વર્ણન છે.
૬. ૧૯ મા સ્તનમાં- ક્ષેપક શ્રેણિના ક્રમના વર્ણન સાથે ૧૩ મા ગુરુસ્થાકનું, સચેત્ર વીતરાગ સર્વજ્ઞ તી. કર ભાવનું વર્ણન છે.
૭. પછીના સ્તવનામાં મેાક્ષને મુખ્યપણે લક્ષ્યમાં રાખીને ચર્ચવા જેવા વિષયે ચર્ચવામાં આવેલા છે.
૧૪.--શ્રી અનંતનાથ જિન સ્તવન. આત્મ વિકાસની પ્રગતિમાં પ્રમત્તભાવને લીધે પડતી વિવિધ મુશ્કેલીઃ તેમાંથી બચવા વચનાનુષ્ઠાન તેના આશ્રય લેવાની ભલામણ
[ પરમાત્માનું અંતરšગ દર્શન થવા છતાં પણુ, ૧૧ મે ગુણસ્થાનકે પહેાંચેલા મેાહના ઉપશામક અપ્રમત્ત આત્માએ ત્યાંથી પડીને ઠેઠ ચેાથા અને બીજે થઈને પહેલા ગુણુઠાણા સુધી ૫૩ પહેાચી જાયછે. એટલે પરમાત્માની સેવા જેમ તેમ કરી શકાય એવી સહેલી નથી. ભલભલા તે કરવાના માર્ગ ચૂકી જાય છે, અને અનેક મુશ્કેલીઓમાં અટવાઈ જાય છે. તેા પછી અધ્યાત્મના સાધક: આત્મજ્ઞાની: ત્યાગીઃ પ્રમત્તઃ અપ્રમત્તઃ ભાવમાં પરાવર્તન પામતા શ્રમણ મુનિનું તા પૂછવું જ શું? તેની આ સ્તવનમાં ચેતવણી સૂચવે છે. પછી, આગળ વધવાને માર્ગ બતાવશે. વચમાં
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૦૫
જરા મુશ્કેલીએ ખતાવીને ચેતવણી આપવા થાલી જાય
મુશ્કેલીએ બતાવી છે, અને આગમના
છે, ૫રમાત્માની સેવામાં આવી પડતી સેવાની દુર્લભતા તરફ્ લક્ષ્ય ખે ંચે વચન અનુસાર વર્તવાની ભલામણ કરી વચનાનુષ્ઠાન ઉપર ભાર મૂકે છે. ]
[ રાગ-રાગિરિઃ કડખાઃ પ્રભાતી:]
ધાર તરવારની સાહિલી, દાહિલી
ચઉદમા જિનતણી ચરણ-સેવા. ધાર-પર નાચતાં દેખ બાજીગરા. સેવના-ધાર-પર રહે ન દેવા.
ધા ૧ [ ધાર=અણી, ધાર. સાહિલી=સહેલી. દાહિલ!= ફુલ'શ, કઠણ, માજીગરા=નટલેાકેા, જાદુગર લેાકે, સેવના ધાર-પર્=સેવા રૂપી ધાર ઉપર ]
તલવારની ધારસહેવી સહેલી છે. પરંતુ ચૌદમા તીર્થં કર દેવનાં ચરણની સેવા કરવી દાહિલી-બહુજ આકારી છે, જુઓને, તલવારની ધાર ઉપર તેા બાજીગર લાંકા પણ નાચતા દેખાય છે. પણ સેવા રૂપી ધાર ઉપર ભલભલા ધ્રુવે પણ
ટકી શકતા નથી. ૧
એક કહેઃ “પ્રવિયે વિવિધ કિરિયા કરી." ફલ અનેકતાં લાચન ન દેખે.
ફલ અનેકાંત કિરિયા કરી આપડા રડવડે ચાર ગતિમાંહુ લેખે,
ધાર્
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૦૬
[ અનેકાત અચેકકસ, વિસંવાદી, ફળ=પરિણામ. ફલ-અનેકાન્ત-કિયિા=સંદિગ્ધ ફળવાળી કિયા, વિપરીતજુદું જ ફળ આપનારી કિયા. બાપડા=બિચારા. રડવડે= અથડાય છે. લેખે હિસાબ માં )
૧ એકાન્ત ક્રિયાવાદી એક કહે છે, કે – “અમે વિવિધ ક્રિયાઓ કરીને પરમાત્માની સેવા કરીશું. પરંતુ, બિચારા, એવી ક્રિયાનું અનેકાન્ત-વ્યભિચારીઅનિશ્ચિત– વિપરીત ફળ મળે છે, તે જોઈ શકતા નથી.
તેથી અનેકાન્ત-અનિશ્ચિત-ફળવાળી વિષ: ગરલ અને અનનુષ્ઠાનરૂપક્રિયા કરીને, તે બાપડા નારકારિક ચાર ગતિના લેખામાં–હિસાબમાં રખડે છે. પરંતુ, તેને મોક્ષ તરફના હિસાબનું ફળ મળી શકતું નથી. ૨ ગછના ભેદ બહુ નયણ નિહાળતાં.
તની વાત કરતાં ન લાજે. ઉદરભરણ-sદિ નિજ કાજ કરતાં થકાં,
મેહ-નડિયા કલિકાલ રાજે. ધા. ૩
[ગચ્છના ભેદ=ઘણા સંપ્રદાય. ઉદરભરણssદિક પેટ ભરવું વિગેરે. મેહ-નડિયા=મેહને વશ પડેલા. કલિ. કાલ-રાજે કલિયુગના રાજ્યમાં ] કલિકાળના રાજ્યમાં મોહના નડતરને લીધે – ૨. વિશ્વના એક મહાન ધર્મના મુખ્ય પ્રવાહથી જુદા
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૦૭
પડેલા ગચ્છે! જોતાં ૩. જુદા જુદા તત્ત્વાની વાત કરતાં ન શરમાતા કેટલાક લોકોને જોતાં, ૪ પેટ ભરવા રૂપ પેાતાના ધર્મના કામેા કરનારાઆને જોતાં,ચૌ દમા જિનેશ્વર દેવની સેવા કેટલી મુશ્કેલ છે? તે સમજાશે,
જો ચૌદમા જિનેશ્વર દેવની સેવા કરવી મુશ્કેલીથી ભરેલી ન હેાત, તા મતિભ્રમના ઢાષથી જુદા જુદા ગચ્છે। નીકળવાના પ્રસગજ જગતમાં ઉભા ન થાત, તથા જુદા જુદા દર્શનકારી જુદી જુદી તત્ત્વની વ્યત્રસ્થા જણાવે છે, તે પણ ન જણાવત. કાઇ એક તત્ત્વ કહે છે, કાઈ ખેતત્ત્વ કહે છે, કાઇ સાત કહે છે, અને કાઇ સાળ કહે છે. એ વિગેરે ન હેાત.
કેટલાક સંસાર વ્યવહાર છેાડીને ત્યાગી થઇ જવા છતાં, છેવટે પેટ ભરવામાં અને માનપાન મેળવવામાં ફસાઇ જાય છે, દુન્યવી રંગરાગ તરફ ખેંચાઈ જાય છે. આ બધું સાબિત કરે છે, કે—પરમાત્માની સેવા ધણી કઠણ છે. નહીંતર, પરમાત્માની સેવા કરવાના ઉદ્દેશથી સંસાર-વ્યવહારમાંથી કુટુબ કખીલો છેડીને નીકળી જનારાએ તરફથી આવા પરિણામ ·મ આવે ? ખરી વાત એ છે, કે સેવાના-આત્મ-વિકાસ તરફના રસ્તા ઘણા કઠણ છે. કાઈક વિરલા જ તેને પાર પામી શકે છે. પ્રમત્તભાવમાં રહેલાઆને મેાહ પછાડે છે. ૩
“વચન-નિરપેક્ષ-વ્યવહાર નુડા” કહ્યો.
વચન--સાપેક્ષ વ્યવહાર સાથેા.”
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૦૮ “વચન-નિરપેક્ષ-વ્યવહાર સંસાર-ફલ” ,
સાંભળી, આદરી કાંઈ રાચો. ઘા. ૪ T વચન-નિરપેક્ષ આગમની આજ્ઞાને ન અનુસરતે. વ્યવહાર=વ્યવહાર ધર્મ, વચન-સાપેક્ષ આગમની આને અનુસરત. સંસાર-ફી=સંસારફળવાળો. રાચે= આનંદમાં આવે, ખુશી થાઓ. આત્મ વિકાસ પ્રાપ્ત કરી આનંદ પામે. ].
૫. આગમની આજ્ઞા સાથે સંબંધ ન ધરાવતા હોય, તેવો વ્યવહાર ધર્મમાર્ગ ગમે તે ઉંચો દેખાતો હોય તો પણ તે જુઠે છે. અને આગમનાં વચન સાથે સંબંધ ધરાવતો વ્યવહાર થોડો હોય, તો પણ તે સાચે છે. આગમનાં વચનો સાથે સંબંધ ન ધરાવતો વ્યવહાર સંસારમાં રખડવા રૂપસંસાર રૂ૫–ફળ આપે છે. પરંતુ મોક્ષરૂપ ફળ ન આપતાં, ઉલટ તેનાથી આત્માને દૂર લઈ જાય છે. માટે આગમ-વચન સાંભળી તેનો આદર કરે, તે પ્રમાણે જીવનમાં–આચારમાં વર્તવું, અને પછી આત્મવિકાસમાં પ્રગતિ કરી આનંદ પામે. એકાંત વ્યવહારમાં કે એકાંત નિશ્ચયમાં, અથવા વચન નિરપેક્ષએ બનેયમાં જેમને આગ્રહ બંધાયો હોય છે, તેઓ પણ આ રીતે સેવાનો માર્ગ ચૂકી જાય છે. માટે જિનવચન વિધિપૂર્વક સાંભળવા સમજવા અને તેને આદર કરવામાં ખાસ ભાર મૂક્યો છે. કેમકે–પ્રમાદશામાં તેના તરફને આદરજ આધારરૂપ બની શકે છે. ૪
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૦૯ દેવ-ગુરુ-ધર્મની શુદ્ધિ કહો કેમ રહે?
કેમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણે? શુદ્ધ-શ્રદ્ધાન-વિણ સર્વ-કિરિયા કરી, છાર પર લીંપણું તે જાણે.
ધા. ૫ [ શુદ્ધ-શ્રદ્ધાનશુદ્ધ શ્રદ્ધા, શુદ્ધ સમકિત. આણે= આ. લવાયેલ, છારઃખાર રાખ. ]
જો તે પ્રમાણે જિનવચનને સાપેક્ષ વ્યવહારને આશ્રય કરવામાં નહીં આવે, તો ૬ દેવ ગુરુ અને ધર્મની શુદ્ધિશુદ્ધ આરાધના કઈ રીતે ટકી શકે? તથા આણેલી શુદ્ધ શ્રદ્ધા શી રીતે ટકી શકે ? તે કહો.
જો તે ટકે નહિ, તો પછી ૮. શુદ્ધ-શ્રદ્ધાન-વિનાની સર્વ ક્રિયા કરી હોય, તો તે ખાર રાખ ઉપર કરેલા લીંપણ જેવી થાય છે. તે લીંપણને તુરત ઉખડી જતાં શી વાર લાગે છે ? તે ટકી શકતું જ નથી. તે પ્રમાણે તે ક્રિયા પણ સફળ થશે નહી. બાણાવળી લક્ષ્યવેધી બાણ ફેકે કે બરાબર તે લક્ષ્ય વધેજ. તે પ્રમાણે આગમમાં બતાવેલી દરેક ક્રિયાઓ તો લક્ષ્યવેધી. બાણ જેવી સફળ હોય છે. પરંતુ તે સમ્યકત્વ પૂર્વક આગમની આજ્ઞા અનુસાર તીર્થકર દેવોને આદર્શ પુરૂષો તરીકે સામે રાખીને ગીતાર્થ ગુના માર્ગ દર્શન અનુસાર કરવામાં આવે, તો બરાબર લક્ષ્યવેધી–સફળ–જે ક્રિયાનું જે આત્મવિકાસની ઉચ્ચ ભૂમિકા રૂ૫ ફળ બતાવ્યું હોય છે, તે મળે જ
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૧૦
છે. નહીંતર નથી મળતું, અને મહેનત નકામી જાય છે, ખાર ઉપર લીંપણ જેવી થાય છે. લાંબે કાળે આત્મવિકાસની ભૂમિકામાં ઉપયોગી થાય છે. પણ તેનું જે મુખ્ય ફળ હોય, તે તો તુરત મળતું નથી. તેથી તે ફળની મુખ્યતાની અપેક્ષાએ તેને નિષ્ફળ કહી છે. તે ઋજુસુત્રાદિક નયથી બરાબર છે. ૫
પાપ નહીં કાઈ ઉત્સુત્ર ભાષણ જિલ્ચ, ધર્મ નહી કોઈ જગ સુત્ર સરિખે. સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેનું શુદ્ધ-ચારિત્ર પરીખે. ધા. ૬
[ ઉસૂત્ર ભાષણ વીતરાગ દેવ ભાષિત પવિત્ર આગમ શાસ્ત્રથી વિરુદ્ધ બોલવું જિસ્યા જેવું જગસૂત્ર વિશ્વ પૂજ્ય સૂત્ર, આગમ વાકય. ભવિક ભવ્ય જીવ. સરખે=જેવો. પરીખા=પરીક્ષા કરીને માને.]
૯ માન્ય એવા જૈન સાથી-સૂત્રથી-વિરુદ્ધ બોલવું, તે ઉસૂત્ર ભાષણ. તે બોલવામાં આવે, તો તેના જેવું બીજું કોઈ માપ જમતમાં નથી. જગત્સત્ર-પ્રવચન-વીતરાગ પ્રભુનાં ઉપદેશ આજ્ઞામાન જગતમાં બીજો કોઈ ધર્મ નથી. માટે જે ભવ્ય પ્રાણી સૂત્ર પ્રભુની આજ્ઞા-વચન–અનુસાર ક્રિયા કરે, “ તેનું ચારિત્ર શુદ્ધ છે” એમ નકકી જાણો. શુદ્ધ ચારિત્રની એ પરીક્ષા છે.
આ કડી વચનાનુષ્ઠાનનો રપષ્ટ નિર્દેશ કરે છે. વચના.
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૧૧
ના
નુષ્ઠાન એટલે પ્રભુની આજ્ઞા પ્રમાણે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ચારિત્રનું અનુષ્ઠાનનું પાલન કરવું, તે. ૬
એહ ઉપદેશને સાર સંક્ષેપથી જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે, તે નરા દિવ્ય બહુ-કાલ સુખ અનુભવી, નયત આનંદ-ધન-રાજ પાવે. ધા. ૭ [ સંક્ષેપથી ટુંકામાં. ધ્યાવે યાદ રાખે. દિવ્ય સુખ દેવનાં સુખ. અનુભવી ભેગવી. નિયતકકસ. આનંદઘનરાજ=આત્માના આનંદના ભંડાર–એક્ષતું રાજ્ય. પાવે પામે ]
“જગસૂત્ર અનુસાર ક્રિયા કરવી” ટુંકામાં જણાવેલો શાસ્ત્રના ઉપદેશનો સાર જે માણસ હમેશાં મનમાં યાદ રાખશે, મરણમાં રાખશે. અને અનુસરશે, તે મનુષ્યો ઘણા કાળ સુધી દિવ્ય સુખને અનુભવ કરી આનંદઘનનું રાજ્યમેક્ષકકસ પામશે જ. ૭ | ભાવાર્થ –સામાન્ય અને તે શું? પરંતુ આગળ વધેલા આત્માર્થ ને પણ મેહનીય કર્મ નવાથી જિનેશ્વર દેવની સેવામાં ધર્મ માર્ગમાંશુદ્ધ માર્ગમાં સ્થિર રહેવું મુશ્કેલ થઈ પડે છે.
કેટલાક લે કે માત્ર ક્રિયા વાદીઓ ભિન્ન ભિન્ન મિશે વિષઃ ગરલ: અને અનનુષ્ઠાન રૂપઃ ક્રિયાએથી જ પરમાત્માની સેવા કરવાની ધારણા રાખે છે. પણ તેથી પરમાત્મા
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૧ર મળવાને બદલે ચાર ગતિમાં રખડવું પડે છે. એટલે કે – માયાઃ મિથ્યાત્વઃ તથા નિયાણા ને વિષ ગરલ: અને અનુષ્ઠાન રૂપ ક્રિયા કરવાથી તેઓને પણ રખડવું પડે છે. સંસારમાં ભમવા રૂપ વિપરીત ફળ મળે છે.
વિશેષે-સવદર્શનમાં પણ જૈન શાસનના મૂળ પ્રવાહની બાજુમાં જુદા જુદા ગચ્છ જોવામાં આવે છે, કેટલાક વિદ્વાનો તે વળી સ્વતંત્ર રીતે તત્ત્વની વ્યવસ્થાઓ જાહેર કરે છે, કેટ લાક તે ધર્મના ન્હાના નીચે પેટ ભરવાના તથા બીજા માજશેખ પૂરા કરવાના પિતાના અંગત કામમાં પડી જાય છે, આ બધી મેહે ઉભી કરેલી મુશ્કેલીઓ છે. કળિ કાળમાં-પાંચમા આરામાં તે વળી મેહની વધુ પ્રબળ અસર છે. વ્યવહાર ધર્મ પણ ખોટ નથી. શાસ્ત્રાજ્ઞા મુજબ તે પણ સાચા છે. પણ શાઆજ્ઞાથી વિરુદ્ધ આચરવામાં આવે, તે તે મોક્ષના માગથી દુર લઈ જઈને ઉલટાનો સંસાર તરફ લઈ જાય છે. માટે પિતાની મતિ લડાવીને ઉભા કરેલા ખોટા વ્યવહારથી-માત્ર બાહ્ય વ્યવહારથી દેવગુરુ ધર્મની શુદ્ધિ સાચા વ્યવહાર વિના શુદ્ધ આરાધના: અથવા આરાધના જન્ય સમકિતઃ વિગેરે ગુણે ટકી શકે નહીં. આ રીતના આચાર વિનાની અન્ય કોઈ પણ ક્રિયા કે પ્રવૃત્તિ બરાબર સફળ ન થાય. એ સ્વાભાવિક છે. આ ઉપરથી ચારિત્રના સાચા ખપી જીએ ઉસૂત્ર પ્રરૂપણાથી બચી શુદ્ધ પ્રરૂપણ કરવી, અને આગમની આજ્ઞા અનુસાર ચારિત્ર-વચનાનુષ્ઠાન પાવું-અને તેજ પુરુષ શુદ્ધ ચારિત્રપાત્ર ગણાય.
ઉપર જણાવ્યા તે બધાં વિદને છે. તેથી ચેતવું. માટે
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૧૩
ટુકમાં આ ઉપદેશ આપવામાં આવેલો છે. તે અનુસાર વનાર અનુક્રમે દેવલોકના સુખ ભેગવી મેાક્ષ પામશેજ.
૧ નિષ્ફળ અથવા વિપરીત ફળ આપનારી વિવિધ ક્રિયા કરવાના આગ્રહ, ૨ ગચ્છના ભેઢા પાડવાની પ્રવૃત્તિ, ૩ મનમાની રીતે તત્ત્વ નિરૂપણુ કરવું, ૪ ઉદરભરશુાર્દિક કરવા ધર્મના અગાના ઉપયાગ, ૫ આજ્ઞા નિરપેક્ષ વ્યવહાર કે નિશ્ચયનું પ્રતિપાદન, અને પાલન, ૬ દેવઃ ગુરુઃ ધર્મની શુદ્ધિ ન રાખવી, છ શુદ્ધ સમકિત ન ટકાવવું, ૮ ધર્મ ક્રિયા સાથે સમક્તિ લાવવા કે ટકાવવા પ્રયત્ન ન કરવા. ૯ ઉત્સૂત્ર ભાષણુ કરવુ.
"
આવી આવી બધી ઘણી મુશ્કેલીએ સેવામાં આવી પડતી હૈાય છે. કારણ કે એ માત્ર ઘણાજ ગહન છે. જેમ જેમ સાધક આગળ વધતા જાય છે, તેમ તેમ મુશ્કેલી ઘેરાતી જાય છે, અને તેમાંથી માર્ગ કાઢવા મુશ્કેલ થઇ પડે છે. ત્યારે જ આગમના ઉપદેશ માર્ગદર્શક થાય છે તેમાં બતાવેલો અનુભવ, બતાવેલા માત્ર, દર્શાવેલા ઉપાસે, એજ શરણુ રૂપ બને છે. ઉત્સર્ગઃ અપવાદઃ વિધિઃ નિષેધઃ ને અનુસરવુ પડે છે. એ ગભરામણની પરિસ્થિતિમાં ખીજું કાઇ ઔષધજ નથી. સત્ત પ્રભુના શાસ્ત્રોજ માદક થાય છે. પણ તેના ઉપર વિશ્વાસ ટકાવવા અથવા તેની સાચી સમજ દુલ ભ છે, અથવા વચ્ચે માહનીય કમ પણ પેાતાનેા પ્રભાવ મતાવવા લાગી જાય છે. અનેક રીતે નચાવી દે છે. આથો પ્રભુની સેવા ઘણી મુશ્કેલીઓથી ભરેલી છે. આત્મવિકા
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૧૪. સને માર્ગ કંટક-બહલ છે. મુશ્કેલીઓથી ભરેલો છે. માટે ચેતીને આગળ વધવું. આથી કરીને છે અને સંપ્રદાયના ભેદો અયોગ્ય રીતે ભાંગવાની આજે જરૂર નથી. પરંતુ આજે તે સૌ વચ્ચે એક સંપી સ્થાપવા અને તેને ટકાવવાની જરૂર છે.
આજે એક સંપીને બદલે એકતા સ્થાપવાની વાત ચાલી છે, તે તે સંપ્રદાયનું એક એકમ ને ધર્મોનું એકમ કરવું તે છે. અને ધર્મનું એકમ કરીને, ખ્રીસ્તી ધર્મ જેવા કેઈ નવા ચેગઠામાં દરેકને સામેલ કરવાની વિશ્વવ્યાપક પ્રચારવામાં આવેલી સંક્રમણ ક્રિયાનું એક અંગ છે. જે માનવજાતને હાનિકારક છે. તે જ પ્રમાણે માનવ જાતને એક શેરી પ્રજાની છાયામાં સમાવી દેવા માટે એક એકમ કરવાની પ્રાથમિક ભૂમિકા રૂપે પેટા સંપ્રદાયે અને ધર્મોના ભેદે ભાંગીને એકમ કરવાની વાત આગળ આવી છે. પરંતુ સમગ્ર માનવ જાતનું એકમ કરીને પછી તેમાંથી ગરી માનવ જાતને જુદી પાડવાના ધ્યેયની સિદ્ધિની પ્રાથમિક તૈયારીઓ છે. એક સંપી સાધીને વિશ્વ વ્યવસ્થા ચલાવી શકાય છે. પણ આજે કુસંપ વધારાય છે. અને એકમની તૈયારી આ રીતે કરાય છે. જે પરિણામે ખુબ અનિષ્ટ છે. આજની વિશ્વ શાંતિ પણ આજ ધાર્મિક સંક્રમણ ઉથલપાથલ સાથે સંકળાયેલ છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૧૫ ૧૫ શ્રી ધર્મનાથ જિન સ્તવન. પ્રીતિ જોડવાનું અનન્ય સ્થાન શ્રી વીતરાગદેવ : વચનાનુષ્ઠાની--અપ્રમત મુનિના ઉચ્ચ ધર્મનું સ્વરૂપ
[ પ્રભુના પંથઃ તથા દર્શનઃ વિગેરે બીજા તથા ચોથા, વિગેરે જિનેશ્વર પ્રભુએના સ્તવનમાં બતાવ્યા છે. પરંતુ
ધમ એટલે શું ? તેની વ્યાખ્યા કેઈપણ સ્તવનમાં કરી નથી. તેનું કારણ એ છે, કે ધર્મનાથ પ્રભુના સ્તવન પ્રસંગે શબ્દની સમાનતાથી તેને વિચાર કરવાને તેમના સ્તવનમાં મુનિના–ઉચ્ચ ધર્મનું સ્વરૂપ બતાવવા માટે બાકી રાખેલ હતું. તે હવે વર્ણવે છે, અને ક્ષીમહીના નિશ્ચય ધર્મનું વર્ણન ૧૮મા અરનાથ પ્રભુના સ્તવનમાં કરશે.
[રાગ-ગેડીઃ સાગઃ રસિયાની દશી ] ધર્મ જિનેશ્વર ! ગાઉ રંગશું. ભંગ મ પડશે હો પ્રીત જિનેશ્વર! બીજે મન મંદિર આણું નહી. એ અમ કુલવટ રીત. જિનેશ્વર! ધર્મ. ૧
[ રંગશુંરસ પૂર્વક પ્રીત પ્રીતિમાં. મન મંદિર= મનરૂપી મંદિરમાં. કુલવટ-રીતકુળની ખાનદાની વાળી મર્યાદા-ટેક–જાળવવાની રીત. }
હે ધર્મનાથ જિનેશ્વર દેવ ! હું આપના ગુણ હવે તો રસપૂર્વક ગાવા તૈયાર થયો છું, અથવા હૈ જિનેશ્વરદેવી
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૧૬
હું ધર્મ વિષેનું ગાન સ્પષ્ટીકરણ-રસ—પૂર્વક કરું છું, તે કે જિનેશ્વર દેવ ! આપની સાથેની પ્રીતિમાં હવે કઢી ભગ ન પડે, તેમ કરશેા. કેમકે હવે હું બહુજ આપની નજીક આવી પહેાંચી રથા છું, તેથી આપના ધમ સિવાય બીજો કાઈ ધર્મ મનરૂપી ઘરમાં હૅવે લાવતા જ નથી, એટલા માટે કે એ અમારા ખાનદાન કુળની ખાનદાની ભરી રીત છે. ટેક જાળવવાની રીત છે, ૧
ધમ અને ધર્મનાથ પ્રભુના નામની લેષથી સ્પષ્ટ રીતેજ સાથકતા બતાવી છે.
し
66 ધરમાં ધરમાં ધરમ ન જાણે હો મમ ધરમ જિનેશ્વર-ચરણ ગ્રહ્યા પછી, ફાઇ ન બધે હો ક
કરતા જગ સહુ ફિ, જિનેશ્વર!
જિનેશ્વર! ધર્મ ૨
[ મમ=રહસ્ય. ગ્રહ્મા-પકડયા, સેવ્યા. ] ધર્મ એટલે શું ? “ ધર્મ ” “ ધર્મ” એમ બેલતું આપ્યુ જગત ફર્યાં કરે છે. પરંતુ ધર્મનું રહસ્ય તેા કાઇ જાણતું નથી. ધમ જિનેશ્વર પ્રભુના ચરણ સેવારૂપ ધર્મને આશ્રય લીધા પછી (૧) કાઈપણ જીવ આકરાં નવાં કર્મ બાંધી. શંકેજ નહી'.
જે ગુણાને આશ્રય લેવાયા પછી પાપકારી આકરાં કમ્ અધાય નહીં, પણ જેમ બને તેમ નવાં કર્યાં બધાતાં રોકાય,
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૧૭
જુનાં કર્મો નબળાં પડીને દૂર થાય અને કદાચ કર્મે છેડા ઘણા બંધાય, તો પુણ્યાનુબંધિ પુણ્યના બંધાય; અને પરિ ણામે મોક્ષ મળે, તેવી મનની, વચનની અને કાયાની પ્રવૃત્તિ થાય. આત્માનું સતત જાગ્રત ભાન, તેનું નામ ધમ. તેનું પાલન, તેજ શ્રી ધર્મનાથ પ્રભુના ચરણની સેવા. ધર્મ અને ધર્મનાથ પ્રભુનાં ચરણની સેવા એક જ વસ્તુ છે.
ધર્મની આ વ્યાખ્યાનો વિરોધ જગતમાં કઈપણ કરી શકે તેમ નથી. ૨ પ્રવચન-અંજન જે સદગુરુ કરે.
દેખે પરમનિધાન. જિનેશ્વર ! હૃદય-નયણ નિહાલે જગ–ધણી
મહિમા મેર–સમાન. જિનેવર ! ધર્મ ૩ [મવચનશુદ્ધ ધ, વીતરાગ પ્રભુની વાણી. અંજલ આંજણ પરમનિધાન મોટા ભંડાર. આત્મિક ધનતા ખજાના હૃદય-નયણદય રૂપી ચક્ષુથી. સહિમામેટાઈ મેર-સમાવ=મેરુ પર્વતની જેમ.].
(૨) ઉપરાંત, જો સદગુરુ જૈન પ્રવચનના પારમાર્થિક ઉપદેશ રૂ૫ આંજણ આંજે, તે આત્મધનના મોટા મોટા ભંડાર દેખવામાં આવે છે, અને (૩) તે વખતે જ હૃદયરૂપી આંખથી મેર સમાન મહિમાવાળા જગતના ધણું આપ ખરેખરી રીતે જોવામાં આવે છે. ધર્મરૂપ આપના ચરણની સેવાના એ ફાયદા મળે છે. ૩
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૧૮ દોડતા દોડતા દોડતા દોડિયા,
જેતી મનનીરે દોડ. જિનેશ્વર ! પ્રેમ-પ્રતીત વિચારે ટુકડી,
ગુરુ–ગમ લેજે રે જોડ. જિનેશ્વર ! ધર્મ૪
[દેડિદોડ-દોડ્યા કરજે. જેતી=જેટલી પ્રેમપ્રતીત પ્રેમની ખાત્રી. ટૂકડી નજીક. ગુગમ-ગુરુનું માર્ગ દર્શન. જેડ જોડે, સાથે. |
(૪) પ્રવચન-અંજન પ્રાપ્ત થયા પછી, પરમ નિધાન દેખ્યા પછી, અને મે જેવા મહિમાવાળા જગધણીને નિહાળ્યા પછી, એટલે મનને વેગ હોય, જેટલી મનની દોડ હોય, જેટલી આત્મશકિત હોય, તેટલું દોડ્યા જ કરજે. ખૂબ આગળ વધવા પ્રયત્ન કરજો. એમ કરવા સાથે;(૫) સદગુરુ મહારાજનું માર્ગદર્શન હશે તો સમજી લ્યો કે-“પ્રભુ સાથેનો પ્રેમ થવાની ખાત્રીબંધ નિશાનીઓઢુંકડી જ છે. દૂર નથી જ. ૬
એક પખી કિમ પ્રીતિ પરવડે? ઉભય મિલ્યા હોય સંધિ,! જિનેશ્વર, હું રાગી, હું માહે ફંદિયે, તું નીરાગી, નિરબંધ. જિનેશ્વર ! ધર્મ ૫
[ એક પખી=એક તરફી પરવડે=નભી શકે. ઉભય =અનેય સંધિ સાંધ, મેળ, સંબંધ, નીરાગી=રાગ રહિત નિરબંધ બંધન રહિત, સ્વતંત્ર.]
પરંતુ, તેમાં એક વાંધો તો એ દેખાય છે, કે, ગમે
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૧૯ તેટલી પ્રીતિ કરવા જવા છતાં એક પક્ષી-એક તરફી પ્રીતિ શી રીતે નભી શકે? કેમકે ખરેખરો સંબંધ તો બેઉ મળે, તો જ બંધાઈ શકે છે.
ત્યારે રાગી છું, અને મેહમાં ફસેલે શું ? અને આપ તો વીતરાગ તથા નિબંધકર્મના બંધ રહિત-હોવાથી તેના કારણભૂત મોહ તો આપમાં હોય જ કયાંથી ? એટલે આપ તદ્દન સ્વતંત્ર છે. તેથી બન્નેયની પ્રીતિ શી રીતે બંધાય ? આ વાંધો ઉભો થાય છે.
આનું સમાધાન એમ થાય છે, કે–કાં તો આપે રાગી મેહી બનવું જોઈએ અગર તો મારે તે છોડવા જોઈએ, આપને તો એમ કરવાનું સેવકથી કેમ કહેવાય ? માટે, મારે જ આપના જેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. રાગ અને મેહની આસકિત ધર્મ સાથે પ્રીતિ થવા જ ન દે. તેથી રાગ અને મેહ જાય તો જ ધર્મ સાથે પ્રીતિ થાય, અને તો જ ભગવાન જેવા નિરાગી અને નિબંધ સાથે સંબંધ બાંધી સ્વતંત્ર થવાય. આ રીતે જ બન્નેયનો ખરેખર સાચો સાંધો-સંબંધ બંધાય. આ ભાવનું સૂચન પ્રભુ સાથેના ભકિત રસથી આ કડીમાં વર્ણવ્યું છે. ૫ પરમનિધાન પ્રગટ મુખ આગલે.
જગત ઉલ્લંધી હો જાય. જિનેશ્વર ! જ્યોતિ વિના જુઓ જગદીશની અધે અંધ પુલાય. જિનેશ્વર ! ધર્મ ૬
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૨૦
r પરમ-નિધાન=ઊંચામાં ઊંચા આત્મ ગુણના ભંડાર. પ્રગટ પ્રત્યક્ષ ખુલા, જ્યોતિ=પ્રકાશ. સાચું જ્ઞાન. પુલાય પાછળ-પાછળ ચાલે ]
પિતાની સામે જ મોટા મોટા આત્મ ધનથી ભરેલા આત્મધર્મ રૂપી ખુલ્લા સ્પષ્ટ દેખાય–તેવા-ભંડારો હોં આગબજ હોવા છતાં, મોહમાં ફસેલા–મોહાંધ જગતના લોકો તેને છેડીને–ઓળંગીને–પાસે થઈને–આગળ ચાલ્યા જાય છે. ખરેખર ! આપ જગદીશની દિવ્ય જતિરૂપ સમ્ય દર્શન વિના પ્રભો! જુઓ તો આંધળાની પાછળ આંધળો જાય, તેમ સૌ એકમેકની પાછળ પરમ નિધાને છોડીને ચાલ્યા જાય છે. આથી તેઓના હાથમાં ખરા ઘર્મ આવી શકતો જ નથી. કેમકે–તેઓ પાસે શુદ્ધ પ્રકાશ નથી, તેમજ મેહ રૂપી અંધકારમાં ફસેલા હોય છે.
ધર્મ મેળવવાની ઈચ્છાવાળા જિજ્ઞાસુ લોકોની સામે સાચો ધર્મ મહા ભંડાર પડ્યો છે. પણ અજ્ઞાન અને મિહાન્ડ લેકે સાચા પ્રકાશ વિના તે ધર્મ ભંડાર જોઈ થતા નથી. અને “ધર્મ, ધર્મ” કરતાં બધેય ફર્યા કરે છે. ૬ નિર્મલ-ગુણ-મણિરાહણભૂ-ધરા
મુનિ-જન માનસ-હંસ. જિનેવર ! ધન્યતે નગરી, ધન્ય વેલા: ઘડીઃ
માતા પિતાઃ કુલઃ વંશઃ જિનેશ્વર! ધર્મ૭ [નિમંળ-ગુણુ-મણિ-રહણુ-ભૂધરાનિર્મળ ગુણે રૂપી મણિએ પાકવાના રોહણાચળ નામના પર્વત જેવા.
Page #180
--------------------------------------------------------------------------
________________
૧ર૧
સુનિ-જન-મુનિઓને વર્ગ. માનસહંસ=માનસ સવરના હંસ જેવા. રેહણુચળ પર્વતમાં રત્ન પાકે છે. માન સરોવરમાં હંસે વિકસે છે. ]
નિર્મળ ગુણરૂપી રત્નોના રેહણાચળ પર્વત જેવા અને માનસ સરોવરના હંસ જેવા મુનિગણ છે. તેઓની સાથે સંબંધ ધરાવતી નગરીઃ વેળા ઘડી: માતા પિતા: કુળ અને વંશએ સર્વને ધન્યવાદ છે. જેઓ આત્માના પરમ નિધાનરૂપ સાચા ધર્મને વરેલા છે, એટલી હદ સુધીની પવિત્રતાને પણ વરેલા છે, અને આપના ચરણકમળની સેવાને પામેલા છે. તથા આપની સાથે એક તાન પ્રીતિ જોડી રહ્યા હોય છે. તેઓ ખરા ધાર્મિક છે, તેઓ જ ધર્મ રૂપી રત્નના ખરા ઝવેરી અને વેપારી છે. તે ઉત્તમ ખજાના સમાન છે, માટે તેઓને ધન્ય! ધન્ય !! ૭ મન-મધુ-કરકવર કરજેડી કહે –
પદ-ક-જનિકટ નિવાસઃ જિનેશ્વર ! ઘનનામિ આનંદઘન ! સાંભળો
એ સેવક અરદાસ. જિનેશ્વરે! ધર્મ૮ | મન-મધુ-કરવર શ્રેષ્ઠ મનરૂપી ભમરે પદકજ-ચરણરૂપી કમળ. કન્નપાણી. જsઉત્પન્ન થાય ક-જs પાણીમાં ઉત્પન્ન થતું કમળ નિકટ-પાસે, નિવાસઃવસવાટ ઘનનામિ પરમાત્મરૂપ નામધારી, અરદાસ અરજીવિનંતિ.]
હે ઘનનામી ! આનંદઘન !—આનંદના ભંડારરૂપી
Page #181
--------------------------------------------------------------------------
________________
ર
પરમાત્મા નામે જાહેર ! હે પ્રભો ! હું હાથ જોડીને કહું છું, કે—“ હું હજી અપ્રમત્ત મુનિ હંસ નથી, કેમકે હું રાગમાં અને માહમાં સેલા છું. તેથી મારી સેવકની વિન ંતિ સાંભળીને, આપ આપનાં ચરણકમળની પાસેજ મારા સુંદર મનરૂપી ભમરાને રહેવાની જગ્યા આપે।, મને આપમાં તન્મય બનાવેા, બસ, એટલીજ વિજ્ઞપ્તિ છે.
મારા મનરૂપી ભમરા આપના ચરણકમળની સેવામાં લીન થશે, તેા પછી મારે માટે આપ સાથેની એકરંગી પ્રીતિ મુશ્કેલ નથી. ૮
ભાવા —આ સ્તવનના ભાવા કંઈક અટપટા જણાય છે. ધર્માં અને ધનાથ પ્રભુ; એ બન્નેયના વણુનનું મિશ્રણ એવું કરવામાં આવેલું છે, કે જરા વધુ ઊંડા ઉતયા વિના તેના ભેદ સમજવામાં આવશે નહી. ધમ અને ધર્મનાથ ભગવાનના અભેદ કરીને બધુ વર્ણન કરવામાં આવેલું છે. ગાથાઓના અથ ઉપરથી ઘણા ખરા ભાવાથ સમજાય તેમ છે. સદ્ગુરુની મદદથી ધર્મનાથ પ્રભુનું સ્વ રૂપ સમજાય–સાચા ધર્મનું સ્વરૂપ સમજાય—તેમ છે. સાચા ધી જવા ગુણાલ કૃત અપ્રમત્ત મુનિ-મહાત્માએ જગમાં છેઃ એટલે, આ રીતે ધમ પ્રાપ્ત થયા પછી નવા પાપ ક્રમ ન બંધાય, આત્મગુણના ભંડારી સામે દેખાય, અને પરમાત્માના મહાન્ સ્વરૂપનું પણ ભાન થાય છે.
છેવટે, ધર્મનાથ પ્રભુનાં ચરણ કમળ પાસે મન રૂપી ભ્રમરાનું રહેઠાણુ માગવામાં “ ધનાથમાં-મારૂ મન સ્થિર
st
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૨૩
રહે તેવી માગણી કરવામાં આવી છે. આ રીતે બાકી રહેલું ધર્મનું સ્વરૂપ પ્રસંગ આવ્યું એટલે સમજાવ્યું છે. અહીં ઉચ્ચ અપ્રમત્ત મુનિધર્મનું સ્વરૂપ મુખ્ય પણે ધર્મ તરીકે સમજાવ્યું.
વિપરીત રીતે–જેઓ ખરા રંગથી પ્રભુનું ગાન કરતા નથી અને મન મંદિરમાં બીજાને સ્થાન આપે છે. સમકિતવંત જીવની કુલવટની રીતે સાચવતા નથી પ્રવચન અંજન સદ્ગુરુ તરફથી મેળવતા નથી. તેથી તેઓ ગુરુ તરફના માર્ગ દર્શન વિના ગમે તેટલી દેડાદોડી કરી મૂકે, ગમે તેટલા મતના ઘોડા દેડાવે, છતાં પ્રભુ સાથે પ્રીતિ એકતા સાધી શકતા નથી. પરમ નિધાન–આત્મ ગુણને ભંડાર–તેના જોવામાં આવતું નથી. એટલું જ નહીં, પરંતુ પિતાની સામેજ ભય હોય છતાં તેને ઓળંગીને ચાલ્યા જાય છે અને મેરુ પર્વત જેવા મહિમાવાળા જગન્નાથને હદયથી નિહાળી શક્તા નથી. ગુરુ ગમ વિના પ્રેમની પ્રતીત કરી શકતા નથી. જીવ રાગ તથા મેહમાં ફસાઈ રહે છે. અને જેમ એક આંધળાની પાછળ બીજો આંધળો જાય, તેમ “ધમ ધમ” કરતા ભટકયા કરે છે. અને ધર્મને મમ-રહસ્ય પામી શકતા નથી. જેથી નવા નવા કર્મ અને પાપ કર્મ પણ બિચારા બાંધ્યા કરે છે. આ મતે ધર્મને અપ્રામ-છ ધન્યવાદને પાત્ર તે નહીં. પરંતુ દયા પાત્ર બને છે. છેવટે, બીજુ તે કાંઈ નહીં, પરંતુ એવા પિતાના મન રૂપી ભમરાને પ્રભુના ચરણરૂપી કમળમાં પૂરી રાખેને, તેયે ઘણું છે. તે પણ તેને આત્મવિકાસ જરૂર આગળ વધેજ.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ફરીથી અહીં ઘનનામી વિશેષણ વાપરવામાં આવ્યું છે. પરંતુ પરિણામી વિશેષણની અહીં ગૌણુતા છે.
કદી ઉત્પન્ન ન થયેલ અને કદી નાશ ન પામતે, એટલે કે અનાદિ અનંત કાળને અત્મા નામને નિત્ય પદાર્થ–ઘન નામી–છે. છતાં પરિણામી છે. એટલે કે આત્મા સ્વસ્વરૂપમાં રહીને જુદા જુદા અનેક રૂપાંતર-પરિણામો પામે છે. માટે પરિણામી છે અનિત્ય પણ છે.
તેથી જૈન દર્શનની માન્યતા પ્રમાણે-ઘન આત્મા નિત્ય અને પરિણામી એટલે અનિત્ય પણ છે.
જે એકાંતથી નિત્યજ માનવામાં આવે, તે નિત્યમાં કશોયે ફેરફાર ન થઈ શકે, માટે તેમાં બંધ અને મોક્ષ રૂપ જુદી જુદી અવસ્થાએ ન ઘટે. અને જે એકાંતથી પરિણામીજ માનવામાં આવે તે બંધ અવસ્થાને અને મોક્ષ અવસથાને આત્મા જુદે જુદે હોવાથી એકમાં એ બને ભાવે ન ઘટી શકે. માટે ઘનનામી અને પરિણામીઃ એમ બનેય રીતે છે.
અહીં અપ્રમત્ત ભાવના મુનિ જીવનમાં ધ્યાનની પ્રબળતા હોવાથી આત્મા સ્થિરધન-બનતે જતે હોવાથી મુખ્ય પણે ઘનનામી વિશેષણ સાર્થક છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૨૫
૧૬ શ્રી શાંતિનાથ જિન સ્તવન. શ્રેણિ-આરોહણની પૂર્વ તૈયારીઃ પરમ-આત્મ શાંતિ અસંગાનુષ્ઠાનઃ સમતા યોગની પરાકાષ્ઠા
[જેમ ધર્મનાથ પ્રભુના સ્તવનમાં ધર્મનાથ પ્રભુના નામમાં રહેલા ધર્મ શબ્દના વર્ણન પ્રસંગે સર્વ વિરતિ અને અપ્રમત્ત મુનિ મહારાજાઓના ધર્મનું વર્ણન કર્યું છે. તે જ પ્રમાણે શ્રી શાંતિનાથ પ્રભુના આ સ્તવન પ્રસંગે આત્મ-શાંતિ નામની પરમ-શાંતિનું વર્ણન કરવામાં આવેલું છે. ઉત્તરોત્તર આધ્યાત્મિક વિકાસ: એ ઉત્તરોત્તર આત્મ શાંતિના મુખ્ય સ્થાનકે છે. આ સ્તવનમાં સાતમા અપ્રમત્ત ગુણુ સ્થાનક પછી આઠમા અપૂર્વ કરણ ગુણસ્થાનકથી ઉપશમ અને ક્ષેપક એ બેમાંથી કેઈ પણ એક શ્રેણિનું આરોહણ કરવાની ભૂમિકાની શરૂઆત કરાય છે. અને તેની પૂરી સફળતા અનુક્રમે ૧૧ મા અથવા ૧૨: માં ગુણ સ્થાનક સુધીમાં થાય છે. તે વખતના આત્મ ભાવનું શાંતિ વરૂપે વર્ણન કરવામાં આવેલું છે. મેહનીય કમને સર્વથા ઉપશમ થવાથી અથવા ક્ષય થવાથી પરમ સમતા રૂપી શાંતિની પ્રાપ્તિ થાય છે. શાંતરસમાં ઝીલવા ઈચ્છતા ધન્યવાદ પાત્ર અપ્રમત્ત મહામુનિ મહાત્માએ આગળ પરમ સમભાવ રૂપી પરમ શાંતિમાં મગ્ન થવાના હોય છે. તે પરમ આત્મ શાંતિનું સ્વરૂપ આ સ્તવનમાં બતાવવામાં આવેલું છે. ]
Page #185
--------------------------------------------------------------------------
________________
[ રોગ-મલ્હાર “ચતુર ચેમાસું પડિકમી ” એ દેશી ] શાંતિ જિન! એક મુજ વિનતિ
સુણે ત્રિભુવન–રાય ! રે શાંતિ-સ્વ-રૂપ કેમ જાણીએ?” કહે-“મન કેમ પરખાય? ” રે શાંતિ૧
[ ત્રિભુવન-રાય ત્રણ ભુવનના રાજા, વિશ્વશાંતિના પ્રચારક, દાતા, માલિક, સ્વામી. મન=મનમાં, મનથી. { પરખાય એાળખાય.]
- આતમરામ કહે છે: ત્રણ લોકોના સ્વામિ ! હે શ્રી શાંતિનાથ જિનેશ્વર દેવ ! આપ મારી એકવિજ્ઞપ્તિ સાંભળો (૧)શાંતિનું સ્વરૂપ કેવી રીતે સમજી શકાય ? અને શાંતિનું સ્વરૂપ શું? (૨) અને મનમાં શાંતિ પ્રાપ્ત થઈ છે, તેની પરીક્ષા પોતાના મનથી શી રીતે કરી શકાય? ” એ બે વાત કહો. ૧ - શાંતિનાથ નામમાને શાંતિ શબ્દ અને શાંતિના સ્વરૂપમાને શાંતિ શબ્દ એ બનેયની વેષથી સાર્થકતા સ્પષ્ટ શબ્દોથી જ કરી બતાવી છે. ધન્ય તું આતમ! જેહને,
એહવે પ્રશ્ન અવકાશ, રે ધીરજ મન ધરી સાંભળે.
કહું શાંતિ પ્રતિભાસ. રે શાંતિ. ૨ [ પ્રશ્ન-અવકાશ=પ્રશ્ન પૂછવાને વખત મળે,
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૨૭
ઇચ્છા થઇ શાંતિ-પ્રતિભાસ-શાંતિની ઝાંખી, શાંતિના સ્વરૂપના ખ્યાલ. ]
શાંતિનાથ પ્રભુ કહે છે : હે આતમરામ ! જેને આવે પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઈ છે, એવા તને પણ ધન્યવાદ છે. જે તે જીવને આવા પ્રશ્ન પૂછવાની ઈચ્છા થતીજ નથી. જેના આત્મવિકાસ આગળ વધ્યા હૈાય, તે જ આવે પ્રશ્ન પૂછી શકે છે, તા હવે તમે મનમાં ધીરજ રાખીને હું શાંતિનું સ્વરૂપ કહું છું તે, બરાબર સાંભળેા.
આવી રીતે, ધમ જાણવાની અને આદરવાની ઇચ્છા ચવી, તે પણ એક જાતના આત્મવિકાસ સૂચવનાર યાગ છે. અને તેનું નામ ઈચ્છાયાગ કહેવાય છે, ઈચ્છાયાગ પણ માક્ષનુ અવસ્થ્ય બીજ છે.
૨
ભાવ અ-વિશુદ્ધ સુ-વિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવ. ૨
તે તેમ અ-વિતર્ત્ય સહે,
પ્રથમ એ શાંતિ-પદ-સેવ, ૨ શાંતિ॰ ૩
[ અવિશુદ્ધ-વૈભાવિક, આત્માના વિભાવ પરિણામે સુવિશુદ્=સ્વાભાવિક, આત્માના સ્વભાવ પરિણામેા. અ-વિતર્ત્ય માચે સાચાં છે. સહે=સ્વીકારે, સાચાં માની તેની ઉપર શ્રદ્ધા રાખે. શાંતિ પદસેવ-શાંતિના સ્થાનકની સે, શાંતિના સ્થાનકની આરાધના-પ્રાપ્તિ. ]
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૨૮
“શ્રી જિનેશ્વર દેવોએ આત્માના વૈભાવિક અને સ્વાભાવિક જે જે પરિણામો કહ્યાં છે, તે, તે પ્રકારે જ હોય છે. અવિતસ્થ–સાચે સાચાં–હોય છે. એ પ્રકારની જે શ્રદ્ધા કરવી, તે શાંતિના પહેલા સ્થાનકની સેવા-આરાધના સમજવી. આત્મ નિશ્ચયાત્મક-સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ થતાં જ શાંતિની પાકી પ્રાથમિક શરૂઆત થઈ જાય છે.
અહીં આત્માના સ્વાભાવિક અને વૈભાવિકઃ પરિણામેની શ્રદ્ધા વિષેને નિર્દેશ છે. કેમકે-રપષ્ટ સમજપૂર્વક
અવિશુદ્ધ અને સુવિશુદ્ધ શબ્દ એ અર્થ કરવાની ફરજ પાડે છે. ૩
સમ્યગદર્શનની પ્રાપ્તિ પછી ચોગાડવંચકઃ ક્રિયાવંચક અને ફળા-ડવંચક એ ત્રણ ગની પ્રાપ્તિ હવે પછીની ત્રણ ગાથાથી જણાવે છે. [જુએ સ્તવન ૮ મું ગાથા છઠ્ઠી] ત્યાં નામ માત્ર જણાવેલ છે. અહીં તેનું સ્વરૂપ બતાવે છે. આગમ-ધરઃ ગુરુ સમકિતી:
કિરિયા-સંવર સારા રે સંપ્રદાયી અ-વંચક સદા
શુચિ–અનુભવાડધાર રે- શાંતિ૪ [ આગમ-ધર=આગમના સારા અભ્યાસી. સંવરસાર-ઉત્તમ પ્રકારનો સંવર કરાવે, તેવી ક્રિયાના કરનાર
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૨૯
સંપ્રદાયી=ગુરુ પર'પરા મુજબ અધિકાર ઉપર આવેલ. અ-વંચક=નિભી, સરળ સ્વભાવી, સાચા આત્માથી. શુચિ-અનુભવા–ધાર=પવિત્ર અનુભવના—શાસ્ત્ર જ્ઞાનના રહસ્યના આધાર ભૂત, ગીતા: ]
આગમના જ્ઞાની નિર્જરા ઉત્પન્ન કરી શકે, તે સાથે છેવટે સંવર તેા ઉત્પન્ન થાયજ, તે રીતે ધાર્મિક અનુષ્ઠાનેાનુ આચરણ કરનારા શુદ્ઘ ગુરુપરંપરાના સ ંપ્રઢાયને અનુસારે અધિકાર પર આવેલા, નિભી-સરળ સાચા આત્માથી અને પવિત્ર અનુભવના આધારભૂત-ગીતા : એવા ગુરુ : એ પણ શાંતિનું સ્થાનક છે. એવા ગુરુની પ્રાપ્તિ એ ચાગા— ક્વ ચક્રયાગ કહેવાય છે,
૪
શુદ્ધ-આલમન આદરે,
તજી અવર-જજાળ. રે તામસી-વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્વિક સાલ. ૨
શાંતિ પ [ શુદ્-આલંબન=આત્મ વિકાસમાં મદદ કરે, તેવા શુદ્ધ અનુષ્ઠાના-ધમ અને શુલ ધ્યાન અને તેના પ્રેરક અનુષ્ઠાન વિગેરે, અવર=મીજી. જ’જાળ=ખટપટ, તામસી-વૃત્તિ=કલુષિત-પાપકારી રીત ભાત અને મનવૃત્તિ. પરિહરી=છેાડી દઇને સાત્ત્વિક સાત=સાત્ત્વિક, પવિત્ર મનેવૃત્તિ રૂપી કિલ્લો. શબ્જે=આશ્રય લે. ]
લપ.
શુદ્ધ ગુરુ મહારાજના ચૈત્ર પામીને તેમના માગ
૯
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૩૦
દર્શન અનુસાર શુદ્ધ ધાર્મિક અનુષ્ઠાનના પુરેપૂરા આદર કરે,આચરણ કરે, અને તન્મય મનોવૃત્તિ ધારણ કરે. તે વખતે બાકીની બધી જ જાળ-ખટપટ-પછેડી છે, તામસી વૃત્તિના પણ ત્યાગ કરી વે. અને સાત્ત્વિક વૃત્તિરૂપ કિલ્લાને આશ્રય લે. એ ક્રિયા-ડ-વચક-યાગ નામની શાંતિ છે. શુદ્ધઆલંબનશબ્દ ઃ । ક્રિયા અવહેંચક અર્થ કરવામાં અહીં મદદગાર છે. ૫
ફલ-વિસંવાદ જેહમાં નહીં, શબ્દઃ તે અ-સંબંધિ રે, સ-કલ-નય-વાદ વ્યાપી રહ્યો તે શિવ–સાધન–સંધિ રે શાંતિ ૬ [ વિસ'વાદ=વ્યભિચાર, મળવાની શકા. ફલ-વિસવાદળના વિસ વાદ=ળ મળવાની શંકા.નય-વાદ=નયાના સાત અને સાતસે ભેદાના પ્રયેાજનને લગતી વ્યવસ્થા. શિવ=મેાક્ષ. શિવ સાધન-સધિ=મેાક્ષ મેળવવાના ઉપાચેાના સંબધા; તે ]
જેમ, એવ’ભુત નયને મતે—જેવા શબ્દ, તેવાજ અથ હોય છે. તે પ્રમાણે જે ક્રિયા-અનુષ્ઠાને સાથે તેના ફળને વ્યભિચાર હોતા નથી, એટલે કે–જેવી ક્રિયા, તેવુંજ ખરાખર ફળ મળેજ, તે સફળ ક્રિયાનું આચરણ કરવાથી, આત્મવિકાસમાં પ્રગતિરૂપ તરતનું ફળ અને મેાક્ષરૂપી છેલ્લુ ફળ મળ્યા વિના રહેજ નહીં.
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૩૧ આ રીતે, શુદ્ધ ક્રિયા અને તેનાં તેવાજ અવિસંવાદી ફળો મળે, એટલે કે–પ્રથમની શુદ્ધ ક્રિયાનું જે ફળ મળે, તેને તેને આધારે આગળની શુદ્ધ ક્રિયા થાય, તેનું ફળ મળે, તેને આધારે નવી શુદ્ધ ક્રિયા થાય, એમ ઠેઠ સુધીનું ફળ મળી જ જાય. ૬
આ પ્રથમની ક્રિયા અને તેનું ફળ પછીની ક્રિયા અને ફળઃ આમ કાર્ય-કારણ સંબંધનો વિચાર નયવાદની મદદ સિવાય કરી શકાય તેમ નથી. | નયવાદની વ્યવસ્થાની ખરી જરૂર આ સ્થળે જ પડે છે. ચોથા ગુણઠાણાથી કે આદિ ધાર્મિકથી માંડીને ઠેઠ મેક્ષ સુધીના અનેક અનુષ્ઠાન અને વિકાસ માર્ગે જુદા જુદી પાત્ર છોરૂપી જુદા જુદા તથા પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાળઃ અને ભાવ ને ઉદ્દેશીને અસંખ્ય છે, તેની સ્પષ્ટ સમજુતી નથવાદની મદદ સિવાય આપી શકાય તેમ નથી. એટલે આ પ્રસંગ ગમાં જ જૈન શાસ્ત્રોકત સઘળા નયવાદનો ખરેખર ઉપયોગ થાય છે. નયવાદનું મુખ્ય પ્રયોજન પણ તે જ–આત્મવિકાસની વિવિધતાની સમજ–છે. કેમકે–મોક્ષની સાધના કરવાના વિવિધ સંબંધની સમજુતિ તે વિના થઈ શકે તેમ નથી. આ ફળાવંચક યોગ મોક્ષનું મોટામાં મોટું સાધન છે. અથવા મોક્ષ રૂપજ છે. જેમ જેમ ઉત્તરોત્તર ફળ મળતું જાય, તેમ તેમ ઉત્તરોત્તર આગળના પ્રયત્નો ઠેઠ મક્ષ રૂપ ફળ મળતાં સુધી વિકસતા જાય.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૩ર બીજા દર્શનવાળાઓએ જુદી જુદી પરિભાષાથી કહેલા મેક્ષના સાચા ઉપાયોને સમન્વય પણ આ નયવાદની મદદથી જ કરી શકાય છે. જેમ- ગબિન્દુ અને યોગ દષ્ટિ સમુચ્ચય વિગેરે ગ્રામાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કરેલ છે.
આ ફલા-ડ-વંચાગ રૂપ શાંતિ છે. વિધિ પ્રતિષેધઃ કરી આતમા
પદારથ અ-વિરાધ, રે ગ્રહણવિધિ મહાજને પરિચો.
ઈ આગમે બેધ. રે શાંતિ- ૭ -
[વિધિ=વિધાન કરવું, અન્વય. પ્રતિષેધન કારવું, નિષેધ કર, વ્યતિરેક આત્મા–પદારથ આત્મા રૂપી પદાર્થ. અ-
વિધ: વિરોધ વિના, ગ્રહણુ-વિધિ=જાણવાની રીત મહાજનેમોટા જ્ઞાની પુરુષએ. પરિગ્રહ્યોસ્વીકાર્યો. ઈસ્યાએ. આગામે આગમમાં, આગમ સંબંધી. બધ=જ્ઞાન.]
વિશ્વવંદ્ય મહાપુરુષોએ અન્વય અને વ્યતિરેકે કરીને અનુમાનથી નિર્ણય કરવાની સાચી રીતને આધારે જે રીતે આત્મા પદાર્થ જાણે છે, તે બરાબર છે, તેમાં કોઇપણ જાતને વિરોધ નથી.” એ આગમમાંથી આત્મા વિષેને નિર્ણયાત્મક બોધ મેળવે. તે પણ શાંતિનું સ્થાનક છે. આનું નામ શાસ્ત્રોગ કહેવાય છે. શાસ્ત્રનું જ્ઞાન આત્મવિકાસ માટે
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૩૩
જરૂરી છે. એટલે શાસ્ત્રમાંથી આત્માનું સાચું સ્વરૂપ જાણવું, એ પણ એક જાતને ચાગ છે, અને તેનુ નામ શાસ્ત્રયાગ કહેવાય છે.
,,
શાસ્ત્રાની મદદથી આત્માનું યથા જ્ઞાન મેળવી લેવું જોઇએ, શાસ્ત્રમાં “ આત્મા કેવેલ છે ? તેનું સ્વરૂપ કેવું છે ? તે અન્વય-વ્યતિરેકથી નક્કી કરીને બતાવેલું છે. તેમજ તેનું જ્ઞાન બીજી પણ જે જે રીતે કરી શકાય, તે તે રીતે કરીને તેનું વર્ણન શાસ્ત્રામાં આપ્યું છે. અને પેાતાના અનુભવથી પણ બરાબર સ્વસ વેદન પ્રત્યક્ષ પ્રમાણાદિક જ્ઞાન કરવાના ઉપાયાથી-અનુભવ કરી જોતાં પણ વિરાધ આવતા નથી. × એમ નક્કી કરી લેવું જોઇએ
વિધિ=અન્વયઃ—અમુક અમુક નિશાનીએ-ચિહના દેખાય છે, માટે આત્મામાં અમુક જ્ઞાનાદિક ગુણા હોવાન જોઇએ.
પ્રતિષેધવ્યતિરેક –અમુક અમુક નિશાનીએ આત્મામાંદેખાતી નથી, માટે આત્મામાં વણું ઃ ગંધ વિગેરે પુદ્ગલના ગુણા નથી હોતાજ, એમ અમુક નિશાનીએ હોવા ઉપરથી અમુક ગુણો હોવાનું નક્કી કરવું, તે વિધિ: અન્વય. અને અમુક નિશાનીઓ ન હેાવા ઉપરથી, અમુક ગુણો ન હોવાનું નક્કી કરવું, તે વ્યતિરેકઃ પ્રતિષેધ,
આત્માથી જીવને શાસ્ત્રાનું જ્ઞાન કરવાનું મુખ્ય પ્રયેાજન એ છે, કે—પેાતાના આત્માના સ્વરૂપને નિશ્ચય કરીને તેના વિકાસના ઉપાયે જાણવા, તેનું નામ શાસ્ત્રયોગ કહેવાય છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૩૪ अन्वय-व्यतिरेकाम्यामात्म-तत्व-विनिश्चयम् । नवभ्यो ऽपि हि तत्वेभ्यो कुर्यादेवं विचक्षणः॥
उ० श्रीय० म० ना अध्यात्म-सार. ११-११०
અર્થ: “નવતત્વની વિશ્વ વ્યવસ્થાની પદ્ધતિને આધારે વિચ ક્ષણ પુરુષે અન્વયઃ અને વ્યતિરેકઃ વડે કરીને આત્મતત્વને નિર્ણય કરવો જોઈએ. ” દુષ્ટ-જન-સંગતિ પરિહરી,
ભજે સુ-ગુ–સંતાન રે જોગ સામર્થ્ય ચિત્ત-ભાવ જે,
ધરે મુગતિ નિદાન. રે શાંતિ. ૮.
[દુષ્ટ-જન-સંગતિ આત્મ શાંતિથી વિપરીત આચાર વિચાર રૂપ દેવાળા માણસની સેબત. સુ-ગુરુ સંતાન =ઉત્તમ ગુરુ–પરંપરામાં આવેલા ગુરુ. જોગસામર્થ= સામર્થ્ય વેગ નામને યોગ. ચિત્ત-ભાવ આત્માને પરમ ભાવ. મુગતિ-નિદાન=મોક્ષનું ખાસ કારણ ]
શાસ્ત્રયોગની મદદથી જ આત્માથી જીવે આત્માનો નિશ્ચય કર્યો હોય છે, તે આગળ વધીને મોક્ષના ખાસ કારણભૂત સામર્થ્ય નામના આત્માના પરમ ભાવરૂપ શાંતિને આશ્રય લે છે, તે પહેલાં, ઉત્તમ ગુરુની મદદ તે લઈ ચૂકેલ હોય છે, અને તેમના સિવાય બીજા સર્વ દોષ યુત લેકેની સેબતને તેણે ત્યાગ કર્યો હોય છે, આ સામર્થ્ય યોગ મોક્ષનું ખાસ નિદાન કારણભૂત છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૩૫
સામર્થ્ય યોગ ૮મા અપૂર્વકરણ ગુણસ્થાનકથી પ્રાપ્ત થાય છે, તેના બે ભેદ છે – ધર્મસન્યાસ સામર્થ્યાગઃ અને ચગસન્યાસ સામર્થ્યાગ પહેલો ભેદઃ આઠમા ગુણ સ્થાનકથી શરૂ થાય છે. અને બીજોઃ ૧૩માં ગુણસ્થાનકના અંતથી ચૌદમાના અંત સુધી હોય છે.
ધર્મ સન્યાસ એટલે ૭ મા ગુણઠાણા સુધી કરવાના ધાર્મિક ક્રિયા-અનુષ્ઠાનનો ત્યાગ. કેમકે પછી આઠમે ગુણસ્થાનકે ઉપશમ કે ક્ષપક એ બેમાંથી કોઈપણ એક શ્રેણિ માંડવાની પૂર્વ તૈયારી કરવાની હોય છે. તેથી બીજા અનુઠાને કરવાના નથી હોતા.
યોગસન્યાસ-ગનિરોધ-મન વચન કાયાના યોગોને ત્યાગ કરવાની શરૂઆત, ૧૩માં ગુણસ્થાનકના અંતથી થાય છે.
૧ ગાવંચક વેગ ૧ ઈચ્છા વેગ ૨ ક્રિયા અવંચક ગ ર શાસ્ત્રી મેગ ૩ ફળ અવંચક વેગ ૩ સામર્થ્ય યોગ
આ બનેય રીતે આત્માનો વિકાસ થાય છે. જુદા જુદા જીવોની અપેક્ષાએ આ બન્નેય માર્ગની મુખ્યતાએ આત્મવિકાસ થાય છે. એક રીતમાં બીજીને અને બીજીમાં પહેલી રીતનો સમાવેશ થાય છે.
કઈ જીવ ગુરુ મહારાજની મદદથી સફળ ધર્માનુષ્ઠાને
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૩૬
કરીને મેાક્ષ પ્રાપ્ત કરે છે. તેનું વર્ણન પહેલી રીતે ભેઢ પાડીને કરવામાં આવ્યું છે. ત્યારે બીજી રીતની વ્યત્રસ્થામાં પેાતાની આત્મવિકાસની તાલાવેલી શાસ્ત્રાની મદદ: અને ઉત્કટ તૈયારી માટેના પ્રયત્નાઃ તે અપેક્ષાએ ખીજી રીતે વિકાસની વ્યવસ્થા બતાવી છે.
૪થી ગાથામાં ગુરુની મદદ લેવાનું બતાવ્યું છે, અને વળી પાછુ, આ આઠમી ગાથામાં પણ તેજ બતાવવામાં આવેલ છે, તે પુનરુકિત નથી, પરંતુ એક ઠેકાણે અવ ચક્રયાગના ક્રમથી આત્મવિકાસરૂપ શાંતિનું સ્વરૂપ બતાવતાં યોગાવચક્રયાને પ્રસંગે બતાવેલ છે, અને બીજે ઠેકાણે, ઈચ્છાયાગાદિ રીતે શાંતિનું સ્વરૂપ બતાવતાં સામર્થ્ય યાગ સુધી પઢાંચતાં પહેલાં ગુરુની મદદ લેવાની ભલામણ કરવામાં આવી છે. તે ત્રણ ઇચ્છાદિયાગામાં પણ ગુરુની મદદ–યેાગાવચકઃ ક્રિયા અવચકઃ અને લાવચકઃ ની જરૂર પડે જ છે. તેજ પ્રમાણે ઇચ્છાદિ યાગની સાધના પણ ગર્ભિત રીતે ત્રણ અવંચક ચાગમાં આવી જાય છે.
એમ એ બન્નેય પ્રકારના ચેાગા, પાત્ર ભેદની અપેક્ષાએ પિરભાષાના ભેદ પામેલા છે. પરંતુ વસ્તુતાએ પરસ્પર મળેલા છે. એકબીજાના એકબીજામાં સમાવેશ પામે છે તે આ ઉપરથી સમજાય છે.*
* મેઈલ ગાડીથી કે શીઘ્રગામી ફાસ્ટ ગાડીથી અમદાવાદથી દીલ્હી જતાં એજ રસ્તા પસાર કરવા પડે છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૩૭
[ફળાવ ચક્રતાની પ્રાપ્તિ વખતે અને સામર્થ્ય ચાગની પ્રાપ્તિ વખતે, આત્મા શુશુાતીત હાય છે-તમાશુશુ: રજો ગુણુ: અને સત્ત્વગુણુ: એ ત્રણેય ગુણેાથી રહિત હાય છે. પાપાનુ ધ પાપઃ તથા પાપાનુબંધિત પુણ્યઃ એ એના બંધ તથા ઉદયઃઢાળને તમેા ગુણની અવસ્થા કહી શકાય, પુણ્યાનુબંધિ–પાપના અધઃ તથા ઉદ્દયઃકાળે આત્માની જે તેમાં તન્મયતા, તે રજોગુણ કહી શકાય. અને પુણ્યાનુખશ્રી પુણ્યના ખંધ તથા ઉદ્દયકાળની અવસ્થાને સત્ત્વગુણની અવસ્થા કહી શકાય. ત્યાર પછી સમભાવ અવસ્થાગુણાતીત અવસ્થા-વીતરાગ અવસ્થા-પ્રાપ્ત થાય છે. તે નીચેની એ ગાથાએામાં બતાવે છે. ]
માન અપમાન : ચિત્ત સમ ગણે. સમ ગણે કનક : પાષાણુ : રે વદક : નિ ંદૅક : સમ ગણે,
ઇસ્યા હોય, તુ જાણુ. રે શાંતિ ૯ [કન=સાનું પાષાણુ=પત્થર. વદક–નમસ્કાર કરનાર. નિંદક=નિંદા કરનાર. ]
હું આતમરામ! સામર્થ્યચાગને ભજનારા આત્મા જ્યારે ત્રિગુણાતીત થાય છે. ઉપશામકઃ કે ક્ષપકઃ છદ્મસ્થ વીતરાગઃ સમભાવસ્થઃ થાય છે, ત્યારે માનઃ તથા અપમાનઃ ને સરખાં ગણે છે, સેાનું અને પત્થરને સરખાં માને છે, વદક અને નિ ંદકને સરખાં માને છે. આવે પૂર્ણ સમભાવી હોય છે,' એમ હું સમજી લે. ૯
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૩૮ સર્વ-જગ-જંતુને સમ ગણે.
ગણે તૃણમણિ-ભાવ. રે મુકિતઃ સંસાર: બેહ સમ ગણે.
મુણે ભવ-જલનિધિ નાવ.રે શાતિ. ૧૦
તૃણ તણખલા, ઘાસ મણિરત્ન, ઝવેરાત. મુણેજાણે, માને. ભજ-જલ નિધિનાવ=સંસાર રૂપી સમુદ્રમાં હેડી સમાન.]
સમભાવને સંસાર રૂપી સમુદ્રથી તરવાને માટે હેડી સમાન માનીને આત્માથી જીવ ઉપર પ્રમાણે જગતના સર્વ પ્રાણીઓ તરફ સમભાવ રાખે, ઘાસ તેમજ રત્ન-ઝવેરાત તરફ સમભાવ રાખે. અને સંસાર તથા મોક્ષ? એ બનેય તરફ પણ સમભાવ રાખે.
૧૦ આપણે આતમ-ભાવ જે
એક-ચેતના-sધાર રે, અવર સવિ સાથે સંયેગથી.
એહ નિજ-પરિકર સાર.”રે શાંતિ. ૧૧ [ આપણે પિતાને. આતમ ભાવ આત્મારવભાવ ચેતના જ્ઞાન-દર્શન ધારે= સમજવો. ચેતના-ssધાર= ચેતનાના આધાર ભૂત છે અવર બીજું સાવ બધું સર્વ સાથ-સંગથી સાથે પહેલાં કર્મના સંગથી. અવરસધિ-સાથ બીજે સર્વ સાથ–પરિવાર. એહચેતના. નિજ પરિકર=પિતાને આત્માને પરિવાર. સાર ઉત્તમ.]
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૩૯ પ્રભુએ કરેલાં શાંતિના સ્વરૂપને ઉપસંહાર –
મારા પિતાના આત્માનો સ્વભાવ કેવળ એક ચેતનામય જ્ઞાનાદિક ચેતનાના–આધાર રૂપ છે. બાકી બીજા બધા મારી સાથે જોડાયેલા પદાર્થો કર્માદિકના સાગથી આવીને મારી આજુબાજુ વીંટળાઈને મારા પરિવારરૂપે બની ગયા છે. પણ મારો ખરો ઉત્તમ પરિવાર તો એ ચેતના-જ્ઞાનાદિક જ છે, અથવા કેવળ એક ચેતનાના આધારભૂત જે પદાર્થ છે, તે જ મારે આત્મા છે. તે જ હું છું, એ જ મારો ઉત્તમ પરિવાર છે. બાકીના બધાય મારી સાથે જોડાયેલા પદાર્થો કર્માદિકના સગથી મને ઘેરી વળ્યા છે. પરંતુ વાસ્તવિક રીતે તે મારા નથી જ.” - સામર્થ્ય યોગની પ્રાપ્તિ વખતે આત્માને પિતાને પરિ વાર બધે આવીને મળે છે, અને બીજા બધા ત હટવા માંડે છે. અહીં શાંતિનાથ પ્રભુ શાતિનું સ્વરૂપ પૂરું કરે છે. ૧૧ પ્રભુ મુખથી એમ સાંભલી,
કહે આતમ-રામ રે“તાહરે દરિશ નિસ્તર્યો.
મુજ સિધ્ધાં સંવિ-કામ. રે– શાંતિ. ૧૨
[ આતમ રામ=આત્મા રૂપી રામ આત્મામાં રમણ કરનાર સાધક નિસ્તર્યો પાર ઉતર્યો. ]
શાંતિનાથ પ્રભુના મુખથી એ પ્રમાણે શાંતિનું વરૂપ
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૪૦
સાંભળીને આત્મા ડઽનામ કહે છે કે ઃ હે પ્રભો ! મને શાંતિનું સ્વરૂપ સાંભળવા મળ્યું, તેથી માનું છું કે (૧) તમારા દર્શન માત્રથી ભવરૂપ સમુદ્રથી મારે। નિસ્તાર થઇ. ચુકયા છે. ભત્ર સમુદ્રના પાર પામવાની મારી હવે તૈયારી છે, એવા ભાસ થાય છે. અને(૨) મારાં બધાં કામ હવે સફળ થઇ ગયાં. ” એમ માનું છું.
શાંતિના સ્વરૂપની વાત સાંભળવાની ચિત્ર સંસારસમુદ્રથી તરવાનું અજબ સામર્થ્ય આપે છે. અહો ! અહો! હું મુજને કહ્યું:– “ તમેા મુજ નમા મુજ ” રે અ-મીત-ફલ-દાન-દાતારની
જેહને ભેટ થઇ તુજ, રૈ શાંતિ॰ ૧૩
[ અમિત-લ-દાન-દાતારની=અગણિત ફળનું દાન આપનાર દાનેશ્વરી દેવની, ]
પ્રભુ પ્રત્યેની કૃતજ્ઞતા અને પ્રશ્નકાર આત્મરામના ઉપસ’હારઃ
*t
(૩) અને તેથી શાંતિના સ્વરૂપના જ્ઞાનના શ્રવણથી થયેલા આનંદના ઉછાળાથી “ અટ્ઠા ! અઢા! હું મારી જાતને માટે જ કહું છું કે–મને નમસ્કાર કહે!!મને નમસ્કાર હા ! ” કેમકે—મારા જેવા ભાગ્યશાળી આ જગમાં કાણુ ! કે જેને આપના જેવા અમાપ ફળનું દાન આપનાર દાતાર
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૪૬
પ્રભુને મેળાપ થ. “જેહને અમીત-ફળ-દાન-દાતારતુજની ભેટ થઈ” અહીં અસાધારણ ભક્તિનો ઉમળકો વ્યક્ત થાય છે.
૧૩. શાંતિ-સ્વ-રૂપ સંક્ષેપથી
કહ્યો નિજ-પર-રૂપ. રે આગમમાં વિસ્તાર ઘણે કહ્યો શાંતિ-જિન-ભૂપ. રે શાંતિ૧૪
[ નિજ-પર-રૂપ-સ્વ અને પર સ્વરૂપે, ]
સંવાદને ઉપસંહાર:–આ પ્રમાણે સ્વ અને પર રૂપે–સ્વ અને પરની ઓળખાણ કરાવીને શાંતિનું સ્વરૂપ ટુંકામાં કહ્યું. પરંતુ શ્રી શાંતિનાથ પ્રભુના આગમમાં તો ઘણે વિસ્તાર શ્રી શાંતિનાથ પ્રભુએ કહ્યું છે.
' આગમ સર્વ તીર્થકર ભગવતેના અર્થથી સમાન જ હોય છે. સમાન જ હોય તેથી એ અપેક્ષાએ સર્વ તીર્થકર ભગવંતોના તીર્થમાંના આગમ સર્વ તીર્થકર ભગવંતનાં કહેવામાં હરકત નથી.
અહીં સાધક આતમરામ અને શાંતિનાથ પ્રભુને શાંતિ વિષેનો સ્તવનકારે યોજેલો સંવાદ પૂરો થાય છે. શાંતિ એટલે શમ-ઉપશમ એટલે કષાયે મેહ વિગેરેનો નાશ કે ઉપશમઃ સમજવાનો છે. તેથી આત્માનો ગુણ સમતા પ્રગટે છે. ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજના અષ્ટકેમાંનું શમાષ્ટક ૬ઠું આ પ્રસંગે જોવું.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૪૧
આત્મગુણ સમતા પ્રગટે, એટલે કષાયેાના નાશઃ કે ઉપશમ રૂપ શમ થાય છે, અને જેમ જેમ શમ થાય, તેમ તેમ સમતા પ્રગટે. પૂર્વના શમ ઉત્તર સમતાનું કારણ થાય, તે શમ તેની પછીની સમતાનું કારણ, એમ છેલ્લી પણ સમતા પ્રાપ્ત થાય છે. ૧૪
શાંતિ-સ્વરૂપ એમ ભાવો ધરી શુદ્ધ પ્રણિધાન. રે, આનદ-ધન-પદ પામો. તે લહેશે બહુ-માન. રે [ શુદ્ધ-પ્રણિધાન-શુદ્ધ મન વચન કાયાની શુદ્ધ
શાંતિ ૧૫
એકાગ્રતા ]
ઉપસ’હારઃ એ પ્રમાણેશુદ્ધ્રીતની મન વચન કાયાની એકાગ્રતા કરીને જેઓ શાંતિનું સ્વરૂપ વિચારશે—એટલે કે ઉપલક્ષણથી—અમલમાં પણ મુકશે, તે આનધન પ–માક્ષ પામશે. અને જગતમાં ત્રિજગપૂજ્યતા તી કરતા રૂપ બહુમાન-સન્માન—માન પણ પામશે.
૧૫
ભાવાઃ સમ્યક્ત્વ રત્નની પ્રાપ્તિઃ ગુરુના યાગઃ સત્ત્વગુણુ ભાવના આશ્રય: વિવિધ નયની અપેક્ષાએ વિવિધ ધાર્મિક અનુષ્ઠાન અને તેનાં ફળાની અચૂક પ્રાપ્તિઃ એ રીતે ચેાગાવચક ક્રિયાવ ચક અને ફળાવહેંચક યાગની પ્રાપ્તિ. તથા શાંતિ સ્વરૂપ જાણવાના પ્રશ્નથી ઇચ્છા ચાગ શરૂ થાય છે. શાસ્ર યોગથી આગમમાંથી આત્મ સ્વરૂપનું ભાન થાય છે પછી, સામર્થ્ય ચાગનીપ્રાપ્તિ
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૪૩ સમભાવ આત્માના જ્ઞાનાદિક પરિવાર અને કર્મના સંગથી ઘેરાઈ વળેલા શારીરાદિ બીજે પર પરિવારઃ એ બને- થના ભેદનું સ્પષ્ટ ભાન રૂપ અનુભવજ્ઞાન-પ્રાતિજ જ્ઞાન, શ્રેણિની પ્રાપ્તિ પરિણામે ક્ષીણ મોહ: સયાગી અને અગી પણું અને પિતાના આત્મામાં પરમ રમણતાઃ એ સાચી શાંતિ છે.
આ સ્તવનમાં પરમ શાંતિના બીજ રૂપ શાંતિનું સ્વરૂપ જાણવાની ઈચ્છા શરૂઆત કરીને સમ્યકત્વની પ્રાપ્તિથી માંડીને સામર્થ્ય યોગની પ્રાપ્તિ સુધી ઉત્તરોત્તર વધતી જતી શાંતિનું સ્વરૂપ ટુંકામાં બતાવ્યું છે. આગમમાં તેને વિસ્તાર ઘણે છે. જિનેશ્વરદેવે એ વિરતાર કહ્યો છે. સર્વ તીર્થકર ભગવંતના આગમમાં અર્થથી પદાર્થ નિરૂપણ એક જાતનું હોય છે. માટે દરેક આગમ-પ્રવાહથી દરેક તીર્થંકર પરમાત્માના કહેવાય છે. - શ્રી શાંતિનાથ પ્રભુના સમકાલીન શાંતિના જિજ્ઞાસુ કેઈ આત્મ વિકાસના ઈચ્છુક આતમ રામ સાધકના અને પરમાત્મા શ્રી શાંતિનાથ પ્રભુના સંવાદને પ્રસંગ આ સ્તવનમાં યોજે છે. “એમ પ્રભુ-સુખથી એમ સાંભળી, કહે આતમ-રામ રે (૧૨)” એ વાકયથી સમજાય છે. ત્યાર પછી ૧૨-૧૩ ગાથામાં આત્મા-SSામ શાંતિનું સ્વરૂપ સાંભળીને-તેમજ મેક્ષ મેળવવાને સુંદર માર્ગ પ્રભુ પાસેથી સાંભળીને પિતાની જાતને ધન્ય માનીને પોતાને જ નમસ્કાર કરે છે. અને પ્રભુ તરફ ઉછળતી ભક્તિથી કૃતજ્ઞતા બતાવે છે. ૧૪ ગાથામાં સંવાદને ઉપ સંહાર છે. ૧૫મી ગાથામાં સ્તવનકાર પ્રભુની સ્તવનને ત્રિકરણ શુદ્ધિથી શાંતિ પ્રાપ્ત કિરવાની ભલામણ રૂપે ઉપસંહાર કરે છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૪૪ ૧૭. શ્રી કુંથુનાથ-જિન-સ્તવન મનને વશ કરવું મુશ્કેલ આત્મ વિકાસમાં વેગથી દોડવામાં એક મોટું ભયસ્થાન ઉપશમ શ્રેણિથી
પતનનું મુખ્ય કારણ? [ શાંતિનું સ્વરૂપ જાણવા છતાં અને શાંતિની પ્રાપ્તિ કરવાને માગ લેવા છતાં, વચ્ચે એક વિક્ત એટલું બધું મોટામાં મોટું આવે છે, કે તે દૂર કરવા તરફ આ સ્તવનમાં ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. જ્ઞાન અને પ્યાનને અભ્યાસ કરી મેક્ષના અભિલાષી ઘણાયે મહાત્મા એને પણ એ વિદ્ધ નડ્યા વિના રહેતું નથી. તે વિક્તઃ તે મનની ચંચળતાઃ સત્તામાં રહેલા અવિરતિ મિથ્યાત્વકષાયો વિગેરે નિમિત્ત મળતાં જ કયારે ઉભરાઈ આવી મનને ચંચળ બનાવી અશાંતિ ઊભી કરતે કહી શકાય નહીં. કેમકે ઉપશમ શ્રેણિ ઉપર ચડેલા ઠેઠ અગિયાએ ગુણ સ્થાનકે વર્તતાઃ મેહનીય કમને સર્વથા ઉપશમ કરી ચૂકેલા મહાત્માઓઃ પણ ઠેઠ કથા અને બીજે થઈને પહેલા ગુણ સ્થાનક સુધી આવી પહોંચે છે. માટે મન વશ કરવાની મજબૂત ભલામણ આ સ્વતનમાં છે.] ( રાગ ગુર્જરીઃ રામકલીઃ અંબર દેદે ! મુરારિ! હમારે એદેશી) કંથ-જિન ! મનડુ કિમ હિ
ન બાઝે? હે ! કુંથુ જિન ! જિમ જિમ જતન કરીને રાખું,
તિમ તિમ અલગુ ભાજે. હા! કુ. ૧
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૪:૫
[ મનડુતુચ્છ-હલકટ એવું મન. કિમહુ=કેાઇ પણુ રીતે. માઝે આદય થાય. હાથમાં આવે, દખાણમાં આવે, વશમાં આવે. જતન=પ્રયત્ન.અલગુ-દૂર દૂર. ભાજે=ભાગે.]
હે કુંથુનાથ ભગવન્ ! મારું મન કોઇ રીતે દાબમાં રહેતું નથી, શું કરું ? જેમ જેમ મહેનત કરીને તેને દાબમાં રાખવા જાઉ છું, તેમ તેમ તે નીચ તે દૂર દૂર નાસે છે.
અહીં મનને વશ કરવાની વાત કરીને-મનદ્વારા પ્રગટ થતાં કષાયાને–મેાહને-જીતવામાં મુશ્કેલીની વાત સૂચિત કરી છે. ખાલ જીવે તે સર્વને મન'થી આળખે છે. માટે મન શબ્દને ઉપાય કર્યો છે. મન એટલે મેાહ,
૧
જો કે, જૈન દર્શનમાં શરીરમાં રહેલા આત્મા સાથે ગુ ંથાયેલું શરીરમાં સવવ્યાપી મન માનેલુ છે હૃદય અને મગજ તેના મુખ્ય આશા છે. તે પણ લેાકમાં ન્યાય દશ ન વિગેરેમાં મનને અણુ-પરિમાણુ એટલે એક અણુ જેટલુ માનેલું છે. જગમાં જંતુઓમાં સામાન્ય રીતે ખારીક જીવન કુંથુ ગણાય છે. ત્યારે કુથુ જેવું ખારીક અદૃશ્ય મન આટલી બધી ઉથલ પાથલ કરે છે. અને તેને વશ કરવું ઘણું મુશ્કેલ પડે છે. આમ છતાં પણ આપે તેને વશ કરી લીધુ છે. એમ કુછુ જેવું નાનું મન અને થુ પ્રભુનું નામ: આમ ગર્ભિત રીતે દ્વેષથી
નામની સફળતાયે જણાવી જણાય છે.]
રજનીઃ વાસરઃ વસંતઃ ઉજડઃ ગયણ: પાયાલે જાય.
૧૦
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૪૬
“સાપ ખાયે ને મુખડું થાશું.”
એહ ઉખાણે ન્યાય. હો! કું૨
[ રજની=રાત્રિ. વાસર=દિવસ. વસતિ=મનુષ્યનાં રહેઠાણવાળાં સ્થળ. ઉજજડવેરાન. નિર્જન પ્રદેશ ગયણ= ગગન, આકાશ. પાયા=પાતાળમાં, અધેલકમાં થોથું= ખાલી, ફીકું ઉખાણે કહેવત, ન્યાય=ઘટના, એગ્ય તોડ.]
તે એટલે મન, ક્યાં કયાં ?કેવી કેવી રીતે? અને ક્યારે ક્યારે નાસે છે ? તે તો જુઓ–અરે ! તે રાત કે દિવસ, વસતિ કે ઉજજડ, ગગન કે પાતાળ એમ બધેય ગમે ત્યાં અને ગમે ત્યારે નકામું ભટક્યા કરે છે. “જેમ સાપ પોતાની ટેવ મુજબ ગમે તે ચીજ ગળી જઈને ખાય છે ખરો, પણ તેના મોઢામાં કેાઈ પણ જાતનો તેને સ્વાદ આવતો નથી. એટલે કે તેનું મોટું તો કાયમી ખાલી બેસ્વાદ-ફી-થો રહે છે.” તેમ એ કહેવત અહીં પણ ઘટે છે. કેમકે–ગમે તેમ ભટકવા છતાં મનને ક્યાંય સતિષ તો થતો જ નથી. * રાત કે દિવસનો વખત જોયા વગર ગમે ત્યારે નાશી જઈને ભટકે છે.
વસતિ કે ઉજ્જડ એવા કઈ પણ સ્થળની યોગ્યતા કે અયોગ્યતા જોયા વિના ગમે ત્યાં જઈને ભટકે છે.
ગગન કે પાતાળમાં પોતાની શક્તિને વિચાર કર્યા વિના ઠેઠ ગગનમાં અને ઠેઠ પાતાળ સુધી ચાલ્યું જાય છે. ૨
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૪૭ મુગતિતણા અભિલાષી: તપિયાઃ
જ્ઞાનને ધ્યાનઃ અભ્યાસે. વયરીડું કાંઈ એહવું ચિત,
નાંખે અવળે પાસે હો ! કું૦ ૩ [ મુગતિ તણું અભિલાષી–મેક્ષની ઇચ્છાવાળા. તપિયા તપસ્વીએ. જ્ઞાન ને ધ્યાન અભ્યાસે જ્ઞાનાભ્યાસમાં અને ગારુઢ થઈ ધ્યાનના અભ્યાસમાં પડેલા, વયરી હલકટ વૈરી, શત્રુ. ચિંતે વિચારે. નાંખે નાખી દે, પાડી નાંખે. લઈ જાય. અવેલે પાસે ઊંધે પડખે, અવળી બાજુએ વિરુદ્ધ દિશામાં. ]
એ નીચ વૈરીડું મન એવું કાંઈ ચિંતવે છે, કે–મોક્ષ મેળવવાની આશાએ જ્ઞાન અને ધ્યાનના અભ્યાસમાં લાગેલાઓ તથા તપસ્વી એવા મહા મુનિઓને પણ અવળે પડખે પાડી નાંખે છે-અવળે માર્ગે દોરી જાય છે. ઉપશમ શ્રેણિએ ચડેલા મહાત્માઓને પણ ઠેઠ અગિયારમે ગુણસ્થાનકેથી પણ પાડી નાંખે છે. આગમ આગમ ધરને હાથે
નાગss કિણવિધિ આં. કિહાં કણે જે હઠ કરી હટકું, તે વ્યાલતણું પરે વાં. હે ! કુ ૪
[ આગમ-શાસ્ત્ર: આગમ-ધર=આગમના જ્ઞાતા: પૂર્વધારે વિગેરે. નાss=ન આવે, આંકુ=અંકુશમાં, કિહાં
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૪૮
કણે કેઈક ઠેકાણે. હઠ=આગ્રહ, દબાણ, હટકુ=અટકાવું. વ્યાલ સર્ષ–સાપ. પરે પેઠે. વાંકુંઅવળું, વક, વિરુદ્ધ ]
આગમધર મહાજ્ઞાની પુરુષોને હાથે આગમની મદદથી પણ તે કઈ રીતે અંકુશમાં આવી શકતું નથી. અને કદાચ કેઈક ઠેકાણે આગ્રહ પૂર્વક દબાણ કરીને તેને કયાંય જતું અટકાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવે, તો ત્યાં પણ સીધું ન રહેતાં, સાપની માફક તે આમતેમ વાંધું ચુંક થઈને પિતાની મરજી પ્રમાણે વતી લે છે, પણ અંકુશમાં આવતું નથી. ઉલટું કદાચ સાપની માફક વધુ ભયંકર બની જાય છે. એટલે આગમોને અભ્યાસ માત્ર કરવાથી કે મોટા આગમન ધર થવાથી પણ મને કાબુમાં આવી જાય, એમ કાંઈ નથી. ૪ જે “ઠગ કહું, તે ઠગતે ન દેખું.
શાહુકાર પણ નાહિં. “સર્વ માંહે, ને સહુથી અલગું.”
એ અચરિજ મનમાંહિ. હે ! કંઇ ૫ [ ઠગલુચ્ચ, છેતરનાર શાહુકાર સજજન, સાધુકાર. અલગું=જુદું, અચરિજ=આચર્ય. ]
જે તેને “ઠગ” કહું છું, તો તે ઠગ પણ દેખાતું નથી. તથા તેની કેટલીક રીતભાત ઉપરથી તે શાહુકાર પણ દેખાતું નથી. ટુંકામાં–તે “બધામાં માથું મારે છે, ને બધાથી જુદું રહે છે. મનની બાબતમાં આ મોટામાં મોટું આશ્ચર્ય
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૪૯ છે. અથવા આ પણ એક આશ્ચર્ય મારા મનમાં છે, કે–તે (૧) ઠગપણ દેખાતું નથી. (૩) ને શાહુકાર પણ નથી. તથા (3) સૌમાં છે ને સૌથી અલખ્યું છે. કોઇવાર આપણને છેતરીને ઠગની માફક અવળે માર્ગે દોરવી જાય છે, અને કઈ વાર સાચું ભાન કરાવીને શાહુકારની માફક બચાવી પણ લે છે. એટલે તે કેવું છે ? તે કહી શકાતું નથી. જે જે કહું, તે કાન ન ધારે.
આપ–મતે રહે કાલે. સુરઃ નર; પંડિત-જનઃ સમજાવે.
સમજે ન માહરે સાલો. હે ! કુ ૦ ૬
[ કાન ન ધારે-સાંભળે નહીં, ‘યાનમાં ન લે, આપમતેપિતાની ઈચ્છાએ, સ્વછંદથી. કાલે મુગ્ધ, ભેળે અને ઉદ્ધત. સુર=દે, નર=મનુષ્ય. પંડિત-જન=વિદ્વાન લોકે, મારે સાલ-મારૂં સાળું.].
હું જે જે શિખામણ આપું છું, તે તો તે સાંભળતું જ નથી. અને કાલાવેડા કરીને પોતાની મરજી પ્રમાણે સ્વચ્છેદ રીતે જ વર્તે છે. દેવ, મનુષ્યો અને પંડિત લેકે ગમે તેટલું સમજાવે, તો પણ એ મારું સાળું કાંઈ સમજતું જ નથી. શું કરવું? કોઈ ઉપાય સૂજતો જ નથી. કોઈનું કહ્યું તે માનતું જ નથી. એટલું બધું તે ઉદ્ધત છે. મેં જાણ્યું “એ લિંગ ન-પુસંક.”
સકલ-મરદને ઠેલે.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ખીજી વાતે સમરથ છે તર. એહને કાઈ ન ઝેલે. હા !
૦૭
[લિ'ગ=નિશાનીએ. મરદ=પુરુષ. ટેલે-હડસેલે, ધક્કો મારે, હઠાવે. ઝેલે=જીતે, પકડી શકે. ]
મેં જાણ્યું હતુ` કે—“શબ્દકાશમાં તેને નપુ ંસકલિંગે બતાવ્યું છે. માટે તે લિ ંગે નપુ ંસક છે. ” તેથી તેના શે! ભાર છે? તેને જલ્દી દબાવી દઈશું. પણ એ વાત.ખાટીઠરી; કેમકે તે તા દરેક દરેક મરદોને પણ ધકકા મારીને હડસેલી દે છે. અલબત્ત, પુરુષ બીજી અનેક વાતે જોકે સમથ છે, પણ આ મનને કાઇ જીતી શકતા નથી-ઝીલી શકતા નથી.
G
“ મન સાધ્યું તેણે સધલુ સાધ્યુ.” એહ વાત નહીં ખાટી. એમ કહ્યું “સાધ્યુ'' તે નવિ માનું એક હિ વાત છે માટી, હા !
કું૦ ૮
[ એક હિ=એક જ ]
માટે “મન સાધ્યું, તેણે સધલું સાધ્યું” આ વાત દુનિ યામાં કહેવાય છે, તે વાત તે! હવેજરાયે ખાટી લાગતી નથી. કાઈ, “ મેં મારું મન સાધ્યું છે, ' એમ કહે, તા એ વાત માનવા હું તૈયારજ નથી. કેમકે–એ એકજ વાત જગતમાં મેાટામાં મેાટી છે. મન સાધવુ એ કામ સહેલુ નથી, બહુજ
"
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૫૧ દુર્ઘટ છે. માટે મન સાધવાની બાબતમાં કોઈના ઉપર એકાએક વિશ્વાસ આવે જ નહિ. | મનઝરું .
મન ઘણુંજ ચંચળ છે અને બહુજ મુશ્કેલીથી વશ કરી શકાય એવું છે. ”
મનડું દુરા-ખરાધ્ય તે વશ આપ્યું.”
તે આગમથી મતિ આણું. આનંદ-ઘન–પ્રભુ ! માહ આણે,
તે “સાચું” કરી જાણું. હે ! કું૯
[ દુરા-ડડરાધ્ય-આરાધી ન શકાય તેવું, સમજાવીદબાવી ન શકાય તેવું. મતિઆણું=જાણું, ]
છતાં, હે પ્રભો! કઈ રીતે વશ ન કરી શકાય એવા મનને આપે, તો તાબે કર્યું જ છે. કેમકે–આપે ઉપશમણું નહીં, પરંતુ ક્ષપકશ્રેણી આરહીને, મોહને, સર્વથા ક્ષય–નાશ કર્યો છે. એટલે મન વશ થઈ ગયું છે. તે વાત હું આગમથી તે જાણું જ શક્યો છું. પરંતુ આનંદના સાગર હે પ્રભુ! મારું મન વશ કરાવી આપો, તો એ વાત મારા અનુભવથી “સાચી છે” એમ માની શકું.
ભાવાર્થ –મહાયોગીઓને પણ મનને વિજય કરવામાં મુશ્કેલી જણાવી મનને વશ કરવાની મુખ્ય ભલામલ કરવામાં આવી છે, અને મનની વિવિધ પ્રકારની વિચિત્રતાઓનું સ્વરૂપ બહુજ સુંદર અને સચેટ શબ્દોમાં બતાવ્યું
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૫૨
છે. મનને લગતી વાત ગમત સાથે જ્ઞાન આપે એવા સારા શબ્દો ને આ સ્તવન ચેર્યું છે. આ સ્તવમાં કાંઈક હાસ્ય રસની ઝળક છે.
ઉપશમ શ્રેણિ પર ચડેલા મહાત્માઓ પણ અગિયારમે ગુણસ્થાનકેથી પડે છે તેઓ અનુક્રમે અથવા એકી સાથે પડતા પડતા ચેાથે આવે છે, અને ત્યાંથી મિથ્યાત્વને ઉદય થાય તે સાસ્વાદન નામના બીજા ગુણઠાણે આવીને મિથ્યાત્વ ગુણસ્થાનક નામના ઠેઠ છેવટને નીચે પગથિયે પણ આવી પડે છે. ઠેઠ ઉપશમશ્રેણિથી અગિઆર ગુણઠાણા સુધી ચડેલા પાછા ઠેઠ પહેલે પગથિયે આવીને તદ્દન નીચે પાટલે આવી પડે છે. તદ્દન અવળે પાસે આવી જાય છે. જ્યાં ચંદ્રની પેટના હતી ત્યાં કાળી અંધારી રાત છવાઈ જાય છે, ને જ્યાં આત્મા આકાશમાં ઉડતે હતો, ત્યાં તે ઊંડા પાતાળમાં પેસી જાય છે.
મન એટલે મેહ સમજવાનો છે. મેહનીય કને વિલાસ કરવાનું મુખ્ય વાહન મન છે. એટલે તમામ મેહ. નીય કર્મનું પ્રતીક મનને બનાવીને તેને વશ કરવાની વાત કરી છે. નહીંતર મન તે પરમાણુઓનું બનેલું જડ છે, પણ મોહને લીધે, તે નાચે છે, ને આત્માને નચાવે છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૫૩
૧૮. શ્રી અર-નાથ-જિન-સ્તવન સ્વ-સમય રૂપ-પરમધર્મ: અનુભવજ્ઞાન: તત્ત્વસંવેદન જ્ઞાનઃ નિર્વિકલ્પ દશાઃ ક્ષીણ માહ છદ્મસ્થ વીતરાગ અવસ્થા
[જેણે મનને વશ કરી તેવા આધ્યાત્મિક પ્રગતિમાં આગળની પ્રગતિરૂપે સામા હાર ધર્મના ત્યાગરૂપ ધર્મ હાય છે. અને પરમ નિશ્ચય ગુણુઠાણુથી પ્રયત્ન કરે છે, સમયમાં સ્થિર થાય છે, ધમ છેડે છે. આ રીતે ઠેઠ ક્ષીણુ માહ ગુણસ્થાનક પ્રાપ્ત વર્ચુન આ સ્તવનમાં છે. ]
[ રામ-રજઃ તથા મારુઃ ઋષભના વા યાય–એ દેશી ] ધરમ પરમ અર-નાથના,
કેમ જાણું ભગવત ! રે સ્વ–પર–સમય સમજાવીએ, મહિમાવંત મહંત, રે
૧૦ ૧
[ પરમ=શ્રેષ્ઠ. સ્વ-પર-સમય-સ્વ-સમય અને પરસમય, સ્વાત્મધમ અને સ્વ આત્મ-વિકાસમાં મદદગાર થાય, તે તે. સિવાયના પોતાના આત્માના ગુણ શિવાયના
આત્મ શાંતિ રાખી હાય, લાગેલા શ્રમણુ મહાત્માએ યેાગમાં પ્રવેશ કરી વ્યવસન્યાસ ધારણ કરી ચૂકેલા ધર્મમાં આગળ વધવા આઠમે ત્યારે શુદ્ધ આત્મધર્મ રૂપ સ્વ. અને પર-સમય રૂપ વ્યવહાર ક્ષપક શ્રેણિ ઉપર ચડીને ખારમું કરે છે. ત્યાં સુધીની અવસ્થાનું
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૫૪
જે કાઈ ધર્મ કે પદાર્થ, કે અન્ય આત્મા, તે સ પરના ધમ. તે પરધર્મ, મહિમાવ ત=મહત્ત્વવાળેા. મહત =માટે. ]
હે અરનાથ પ્રભો ! આપ ભગવંતને પરમ મહાધમ નિશ્ચય ધર્મ-હું કેવી રીતે સમજી શકે! મહત્ત્વવાળા એ મોટા ધર્મ સ્ત્ર સમય અને પર સમયની અપેક્ષાએ અમને હે પ્રભો! આપ સમજાવે. અથવા મહા પ્રભાવવાળા હે મહંત પુરુષ ! આપ સ્વ સમય અને પર સમયની અપેક્ષાએ એ પરમ ધર્મ અમને સમજાવે.
સ્વ સમય –પેાતાનાજ આત્માના ધર્માં, સ્વભાવેશ, ગુણા વિગેરે કે જે આત્માના વિકાસ થવામાંજ મદદગાર હાય. પેાતાના આત્મા સિવાયના બીજા
પર—સમય
આત્માએ તથા બીજા કાઈ પણ પદાર્થોના ધર્મ, સ્વભાવે, ગુણા વિગેરે, તથા પેાતાના આત્માના વૈભાવિ સ્વભાવે પણ
પર સમય.
૧
-
ધરમ: પરમઃ અરનાથઃ પુરઃ વિગેરે શબ્દોમાં અવતા અર શબ્દના અનુપ્રાસની મેળવણી જડ્ડાય છે.
શુદ્દા-ssતમ-અનુભવ સદા, સ્વ-સમય એહ વિલાસ. રે પર-પડિછાંયડી જે પડે,
તે પર—સમય—નિવાસ. રે
૧૦ ૨
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૫૫
[ શુદ્ધાઽતમ-અનુભવ=આત્માના શુદ્ધ સ્વરૂપના અનુભવઃ પોતાને જ પેાતાના સાક્ષાત્કાર સ્વ-સમય=સ્વાત્મ સ્વરૂપ. વિલાસ-વિસ્તાર પર=પેતાથી બીજા દેવ, ગુરુ, ધર્મ, શરીર, ક્રમ, વિભાવ વિગેરેઃ પડિ છાંયડી=પ્રતિછાયા, પઢછાયા. પર—સમય—નિવાસ=પેાતાના સ્વરૂપ સિવાયના સ્વરૂપમાં રહેઠાણુ. ]
તદ્દન શુદ્ધ સ્વ-આત્માનેા અનુભવ. તે સ્વ સમયના સ્વસ્વરૂપને વિજ્ઞાસ-વિસ્તાર છે. અને બીજાની પેાતાના શુદ્ધ આત્મા સિવાયની બીજા કાઇ પણ પદાર્થનો કે પેાતાના વૈભાવિક સ્વ ભાવની પણ આત્મા ઉપર જે કાંઇ-જરી પણ. પડછાયા--પ્રતિછાયા--પડિછાંયા--પ્રતિબિંબ–અસર-છાયા પડે, તે સ પર-સમય,પર સ્વરૂપનું નિવાસસ્થાન સમજવું.૨
સ્વ સમય અને પર સમયનું ટૂંકામાં સ્વરૂપમાત્ર પેાતાના આત્મા, અને બીજા આત્મા કે બીજા પુન્દ્ગળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય કે તેના કાઇ પણ ગુણુ યા પર્યાયાની જરા પણુ અસર કે નિમિત્ત વિના પેાતાના આત્માના જે કાઈ સ્વભાવાને કે સ્વ-પર્યાયના જે જે અનુભવ-સાક્ષાત્કાર પાતાના આત્માને થાય, તે સવ સ્વઆત્માના શુદ્ધ અનુભવ તે સ્વ-સમય. અને તે સિવાયની સવ' ખાખતા તે પસમય,
દૃષ્ટાંત તરીકે–કમજન્ય પેાતાના આત્માની વૈભાવિક પરિણતિઓઃ દેવઃ ગુરુ: ધમ વિ॰ સામગ્રી, પેાતાના શુભાશુભ્ર ક્રમો તથા માહ્ય નિમિત્તો, એ સવ એ અપેક્ષાએ
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૫૬ પરસમય સમજવા. સ્વાત્મા, તેને શુદ્ધ રવાભાવિક જ્ઞાનાદિક ગુણે, તે સર્વ સ્વસમય સમજવા. આથી આગળ વધીને આત્માને શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દષ્ટિથી અનુભવ કરે, તે સ્વ–સમય અને પિતાના આત્માને પણ પર્યાયાવિક નયની દષ્ટિથી અનુભવ કરે, તે પર સમય. અર્થાત્ પરની જરા પણ છાયા પડે, કે તેને પર-સમયને અનુભવ કહે. અને તે વિનાને શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી વ આત્માને શુદ્ધ આત્મ અનુભવ, તે સ્વસમય જાણ. તારા નક્ષત્રઃ ગ્રહ: ચંદાની
નેતિ દિનેશ મોઝાર, રે દર્શનઃ જ્ઞાનઃ ચરણ થકી
શકિત નિજા-ડતમ-ધાર. રે ધ૦ ૩
[ તારા-ધવ વિગેરેના તારાઓ નક્ષત્રો-હીણી વિગેરે નક્ષત્રો. ગ્રહ = બુધ વિ. ૨હેચંદચંદ્રમા. જાતિ પ્રકાશ. દિનેશ–મેઝાર=સૂર્યની મધ્યે, સૂર્યમાં. નિજાતમ= પિતાને આત્મા જ છે. ધાર=માન, અથવા ધારણ કરે છે.]
: તારા, નક્ષત્ર, ગ્રહ અને ચંદ્રને પ્રકાશ જેમ સૂર્યમાં સમાય છે, તે જ પ્રમાણે દર્શન, જ્ઞાન, ચારિત્ર એ સર્વ શક્તિઓનો પણ પિતે આત્મા જ ધારક છે. તે સર્વ આત્મામાં જ સમાય છે. એટલે કે એ સમય એકજ આત્મા છે. એ કોઈ જુદા નથી.
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૫૭
શુદ્ધ બ્યાર્થિ ક નયતીજ મુખ્યતાઓ, સ્વાત્માના સ્વાનુભવ તે સ્ત્ર સમય -તે અનુભવજ્ઞાન, તે અપેક્ષાએ તારા વિગેરે અને તેના પ્રકાશે સૂર્યાં છે. એવા અનુભવ, એ રીતે સ્વ આત્માના જ્ઞાનાદિક પર્યાયાને પણ પર્યાયાર્થિ ક નયની દૃષ્ટિથી અનુભવ કરવા તે પણ પરસમય સમજવા. ૩ તે વાતને નીચેની કડીમાં સાનાનુ દૃષ્ટાંત આપીને વિશેષે
સ્પષ્ટ કરી છે.
ભારી; પીળા, ચીકણા: કનક અનેક-તરંગ રે
પર્યાય-દૃષ્ટિ ન દીજીએ.
૫૦ ૪
[ ભારી=ભારે, ભારવાળા, ચીકણા ન તૂટે તેવે અને–તરંગ=અનેક સ્વરૂપ વાળુ, પર્યાય-દૃષ્ટિ-પર્યોયાર્થિક નયની આપેક્ષાા અલગ-અભેદ રૂપ ]
એક જ કનક અ-ભગ. રે
જેમ ભારે પીળું: ચીકણું એમ અનેક સ્વરૂપવાળુ સાનું જણાય છે. અને કહેવાય છે, પર ંતુ, પર્યાયાકિ નયની દૃષ્ટિ ગૌણ કરીને દૂર રાખીને કેવળ દ્રષ્યાર્થિ ક નયની દૃષ્ટિ મુખ્ય રાખીને જોઈએ, તેા સેાનુ અભેદરૂપે-એક સ્વરૂપે જણાય છે, તેને કાઈપણ ગુણ જુદે જણાશે નહીં.
જ્ઞાનઃ દર્શનઃ ચારિત્રઃ તપઃ અરૂપીપણું વીયઃવિગેરે સ્ત્ર આત્માના અનંત ગુણા જુદા નથી. પણ તે સર્વ ત્ર આત્મા જ છે. આ પ્રકારના અનુભવ કરવા, તે સ્વસમય.
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૫૮
જેમ ભાર, પીળાપણું, ચીકાશ, વિગેરે કોઈ બીજી વસ્તુઓ નથી, પણ એ સોનું જ છે. તે સમયનો અનુ ભવ, અને તે ગુણે જુદા પાડી બતાવવા, તે સેના વિષેનો પર-સમયને અનુભવ જાણો. દર્શનઃ જ્ઞાનઃ ચરણ થકી
અસંખ-સ્વરૂપ અનેક રે નિર્વિકલ્પ–સ-પીજિયે,
શુદ્ધ નિરંજન એક, રે ધ૦ ૫
[અલખ અલક્ષ્ય, આત્મા. નિવિકઃ૫. રસ=અભેદતાને આનંદ રૂપી રસ. નિરંજન સ્વચ્છ, નિર્મળ]
તે પ્રમાણે, દર્શનઃ જ્ઞાનઃ ચારિત્ર વિગેરેથી અ-લક્ષ્યઅલખ છતાં આભાના અનેક સ્વરૂપ જણાય છે. એ બધા વિક-ભેદોને જેમ જેમ ગૌણ કરતા જઈને કેવળ નિર્વિકલ્પસ્વરૂપી રસ પીવા માંડીએ, તેમ તેમ તે સ્વ-આત્મા શુદ્ધ અને-મેલ રહિત-નિરંજન અને એક સ્વરૂપે જણાશે.
જ્ઞાનાદિક પર્યાય જુદા પાડીને સ્વાત્માને અનુભવ કરીએ, તો આત્મા એક છતાં અનેક રૂપે જણાશે, તે પર સમય અનુભવ છે. પરંતુ વિકલ્પ–પર્યાય-દષ્ટિ–ભેદદષ્ટિ દૂર કરીને, નિર્વિકલ્પ દષ્ટિ રાખીને જઈએ, તો આત્મા કઈ પણ અંજન ભેદ-વિનાને એકજ સ્વરૂપે ભાસશે. તે પણ વ સમયને અનુભવ છે. શુદ્ધ આત્મા શુદ્ધ સ્વભાવ શુદ્ધ
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૫૦ પર્યા સુધી પણ અભેદ રૂપ ભાસે, ત્યારે સ્વ-સમય. ન ભાસે, ત્યાં સુધી પર–સમય.
शुद्धोपयोग-रूपस्तु निर्विकल्पस्तदेकदृक् । એક દ્રવ્યાર્થિક નયને અનુભવ કર, તે નિર્વિકલ્પ કે સમાધિ કહેવાય છે. તે નિરાલંબન યોગ પણ કહેવાય છે.”
સ્વ સમય અને પર સમયની આટલી સુક્ષ્મ વ્યાખ્યા છે.પ પરમાર્થ –પંથ જે કહે,
તે રંજે એક–તંત. રે વ્યવહારે લખ જે રહે, તેહના ભેદ અનંત. રે
ધ ૬ [પરમા-ડરથ-પંથાશુદ્ધ નિશ્ચય નયને માગ. રંજે આનંદ પામે, ખુશી થાય, સંતુષ્ટ થાય. એકતંત= એક તંત્ર, અભેદતા. વ્યવહારે વ્યવહાર નથી, લખ= લક્ષ્યમાં આવે, તે આત્મા. ]
આ રીતે જેઓ શુદ્ધ નિશ્ચય નયથી પરમાનો માર્ગ કહે છે, તેઓ આત્માના એક તારથી એક-તંત્રથી–અભેદતાથી સંતુષ્ટ રહે છે. અને જેઓ વ્યવહારના લક્ષ્યમાં રહે છે. તેઓ તેના અનંત ભેદ કહે છે.
શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ આત્મા એક રૂપ છે, ત્યારે વ્યવહારનયની અપેક્ષાએ આત્મા અનંત સ્વરૂપે છે, બન્નેય પક્ષના પ્રતિવાદકે જો એકાત પકડીને બેસી જાય, તે કદી પણ આરધના પામી શકે નહીં વાત્મવિકાસ કરી શકે નહીં. ૬
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૬૦
વ્યવહારે લખ દેહિલે.
કાંઈ ન આવે હાથે. રે શુદ-નય-થાપના સેવતાં,
નવિ રહે દુવિધા સાથ. રે ધ.
[ દેહિ દુર્લભ, મુશ્કેલ શુદ્ધ-નય–થાપના સેવતાંનિશ્ચયથી નયથી નક્કી કરેલ રીતે આગળ વધવા પ્રયત્ન કરતાં. દુવિધા વિધ્ય, દ્વિત, બેપણું સાથ-સંબંધ]
જોકે કેવળ વ્યવહારથી જ લક્ષ્ય–આત્મા–સાધઘણે જ દુર્લભ છે. તેથી કાંઇ પણ તત્ત્વ–આત્મ વિકાસની તીવ્ર પ્રગતિરૂપ મહા ફળ હાથમાં આવતું નથી. પરંતુ શુદ્ધ નય-નિશ્ચય નયની સ્થાપના પૂર્વક લક્ષ્ય કરેલ–સિદ્ધ કરેલ આત્માની તે પ્રમાણે સેવા કરવાથી લેશ પણ દૈતનો સાથ–પરનો સંબંધ. રહેતો નથી-આત્મા શુદ્ધ અદ્વૈત બની જાય છે.
આત્માનો વિકાસ ક્રમિક થાય છે. અનાદિ નિગોદમાંથી વ્યવહાર રાશિમાં અને ત્યાંથી ચરમાવતમાં અને ત્યાંથી સમકિત દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમત્ત ભાવ વિગેરે ભાવ પામે છે, ત્યાં સુધી નિશ્ચયને લક્ષ્યમાં રાખીને વ્યવહાર ધર્મોની મદદથી તેનો વિકાસ થાય છે.
પરંતુ, અપ્રમત્ત ભાવ પામ્યા પછી શ્રણિ ઉપર ચડતો જીવ જ્યારે શુદ્ધ સમયને અનુભવ કરે છે, ત્યારે તે અત બની જાય છે. તે વખતે પ્રથમ કરતાં અનંત ગુણી નિજેરા
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૬૧
કહે છે, અને ઝપાટા બંધ સ્વાત્મસ્થ બનતો જાય છે. એ રીતે તે અવસ્થામાં જેટલી સાધના કરે છે, તે હિસાબે પૂર્વની સાધનાઓ કાંઈ હિસાબમાં નથી હોતી. એ હિસાબે વ્યવહારસાધના બહુ સ્વલ્પ ગણાય છે, અને શુદ્ધ નયના અનુભવના વખતની સાધના ઘણી જ ઘણું હોય છે.
એક–ખી લખ પ્રીતની
તુમ સાથે જગ-નાથ !. રે કૃપા કરીને રાખજો
ચરણ–તલે ગ્રહી હાથ. રે ધ. ૮ [ એક પછી એક તરફી. લખ લક્ષ્ય. ]
છે કે, હે જગન્નાથ પ્રભો! હાલમાં તો તમારી સાથે પ્રીતિનું એક તરફી મારું લક્ષ્ય છે, કેમકે-આપ સ્વ-સમયમાં થિત છે. હું પર સમયમાં સ્થિત છું. જે આપ મારી સાથે પ્રીતિ જોડે, તો આપ પર સમયમાં સ્થિત થઈ જાઓ. એટલે મારી પ્રીતિ એક તરફી જ છે. પરંતુ, જ્યાં સુધી હું પરમનિશ્ચય નયને અમલ કરવાની શકિત ન પામું, ત્યાં સુધી, દયા કરીને, મારો હાથ પકડી આપના ચરણ-કમળના તળ ઉપર જ રહેવા દેજે–મને આપને તાબે જ રાખજે. કેમકે– ત્યાં સુધી મારે આપ જેવા પરને તાબે રહેવું જરૂરી છે. કારણ કે હું હજુ સાધક દશામાં છું. સિદ્ધદશામાં આવ્યો નથી. ૮
-
૧
)
૧૧
Page #221
--------------------------------------------------------------------------
________________
१६२
ચકી ધરમ-તીરથતણે.
તીરથફલ તત્ત–સાર, રે તીરથ સેવે, તે લહે
આનંદ-ધન નિરધાર. રે ધo ૯
[ચકી=ચકેવતિ. ધરમ-તીરથતણે=ધર્મ પ્રચારક તીર્થ રૂપ સંસ્થાને, જૈન શાસનને. તીરથ-ફળ=તીર્થનું ફળ. તત્ત-સારતત્ત્વરૂપ સાર. લહે=પામે. આનંદ-ઘન= મોક્ષ. નિરધાર નક્કી.]
આપ દુન્યવી રાજ્ય શાસનના ચક્રવતિ રાજા તે છે, એ તે ઠીક. પરંતુ ખાસ કરીને આપ ધર્મ-તીર્થના-ધર્મ શાસનના પણ ધર્મ ચક્રવર્તિ છો. નિશ્ચય નયને પામેલા આપે પણ ધર્મ–તીર્થની સ્થાપના કરીને તેનો આધાર લેવાની સર્વ મુમુક્ષુઓને ભલામણ કરી છે.
તીર્થનું ફળ-વિશ્વમાં ધર્મ તીર્થ હોવાને ફાયદે-જગતને તત્વ-આત્મ-તત્ત્વ પ્રાપ્ત થવું, તે છે. તેને સાર પ્રાપ્ત
-તેને પ્રચાર થે અને તેની સરલ સમાજ તથા સુલભ આચરણ ફેલાવી છે. જે આત્મા, ભાવ પૂર્વક ધર્મતીર્થીની સેવા કરે છે, તે સેક્સ આનંદ ઘનમોક્ષ મેળવેજ. એમાં શંકા નથી. ૮,
ભાવાર્થ-આ સtવનમાં શુદ્ધ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ પરમનિચય નયથી આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે. સવ સમય પિતાના જ આત્માનું સ્વાભાવિક સ્વરૂપ અને પર
Page #222
--------------------------------------------------------------------------
________________
આવા અદ્વૈત થયેલા તીર્થકર પ્રભુ પણ ધર્મતીર્થની સ્થાપના કરે છે. જે તીર્થની મદદથી સાધક છે પરંપરાએ આત્મતત્વને સ્વ-સમય સ્થિરતા રૂપ સાર પ્રાપ્ત કરી શકે છે. આ સિવાય ધર્મતીર્થ ની સ્થાપના કરવાનું બીજું કઈ પણ પ્રયોજન પ્રભુને પિતાને માટે પણ નથી. પરંતુ, એ સાર જેને તેને મળી શકતું નથી. તીર્થની સેવા કરે, તીર્થને આધીન રહે, તેને એ સાર મળે છે. અને જેને એ સાર મળે છે, તેને પછી એસ મોક્ષ મળે જ છે.
તીર્થની મહત્તા એટલી બધી છે, કે-સમવસરણમાં પધારેલા કેવળજ્ઞાની ભગવંતે પણ સમવસરણમાં તીર્થકર ભગવંતની સાથે અકેવળજ્ઞાની એવા ગણધર ભગવંતેને પણ પ્રદક્ષિણા દઈને પિતાની પર્ષદામાં બેસે છે. કેમકે-ધર્મતીર્થના-ધર્મસંસ્થાના-ચકવતિ તીર્થકર ભગવંત પછી તીર્થનું સંચાલન કરનારા મહા અધિકારીઓ ગણધર ભગવંતે છે. તીર્થની બધી લગામ તેના હાથમાં હોય છે. જેનદર્શનમાં વ્યવહારને પણ કયાં સુધી સ્થાન છે ? તે આ દાખલા ઉપરથી સમજાશે.
આ સ્તવનની છેલ્લી કડી પિતાને પંથ તીર્થથી નિરપેક્ષિત પણે ચલાવે, તેના ઉપર ફટકા રૂપ છે. તીર્થથી નિરપેક્ષપણું એ તીર્થના ઉચ્છેદનું મહા પાપ લગાડે છે. તેથી તે મિથ્યાત્વ સ્વરૂપ બની જાય છે. તીર્થસાપેક્ષ નિશ્ચય નયના જ્ઞાનીની જનશાસનને સદા જરૂર હોય છે. આજે પણ એવી જ જરૂર છે. પરંતુ તેવા મહાપુરુષો આ કાળે
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૬૪
આવા અદ્વૈત થયેલા તીર્થંકર પ્રભુ પણ ધર્મતીથની સ્થાપના કરે છે. જે તીર્થની મદદથી સાધક જીવ પરંપરાએ આત્મતત્ત્વને સ્વ-સમય સ્થિરતા રૂપ સાર પ્રાપ્ત કરી શકે છે. આ સિવાય ધર્મતીર્થની સ્થાપના કરવાનું બીજું કઈ પણુ પ્રજન પ્રભુને પિતાને માટે પણ નથી. પરંતુ, એ સાર જેને તેને મળી શકતો નથી. તીર્થની સેવા કરે, તીર્થને આધીન , તેને એ સાર મળે છે. અને જેને એ સાર મળે છે, તેને પછી ચક્કસ મેક્ષ મળે જ છે.
તીર્થની મહત્તા એટલી બધી છે, કે-સમવસરણમાં પધારેલા કેવળજ્ઞાની ભગવંતે પણ સમવસરણમાં તીર્થંકર ભગવંતની સાથે અકેવળજ્ઞાની એવા ગણધર ભગવંતેને પણ પ્રદક્ષિણા દઈને પિતાની પર્ષદામાં બેસે છે. કેમકે-ધર્મ– તીર્થના-ધર્મસંસ્થાના-ચકવતિ તીર્થકર ભગવંત પછી તીર્થનું સંચાલન કરનારા મહા અધિકારીઓ ગણધર ભગવંતે છે. તીર્થની બધી લગામ તેના હાથમાં હોય છે. જેનદર્શનમાં વ્યવહારને પણ કયાં સુધી સ્થાન છે ? તે આ દાખલા ઉપરથી સમજાશે.
આ સ્તવનની છેલી કડી પિતાને પંથ તીર્થથી નિરપેક્ષિત પણે ચલાવે, તેના ઉપર ફટકા રૂપ છે. તીર્થથી નિરપેક્ષપણું એ તીર્થના ઉચ્છેદનું મહા પાપ લગાડે છે. તેથી તે મિથ્યાત્વ સ્વરૂપ બની જાય છે. તીર્થસાપેક્ષ નિશ્ચય નયના જ્ઞાનીની જનશાસનને સદા જરૂર હોય છે. આજે પણ એવી જ જરૂર છે. પરંતુ તેવા મહાપુરુષે આ કાળે
Page #224
--------------------------------------------------------------------------
________________
મળવા દુર્લભ છે. કેમકે-સહેજે એમ જેના તેનાથી સાચા નિશ્ચયવાદી થઈ શકાતું નથી.
આજ તે નિશ્ચયવાદના વિચારે લગભગ ૫૦-૭૫ વર્ષોથી તીર્થ નિરપેક્ષણે કયાંક ક્યાંક પ્રવર્તેલા છે, તેથી તે આખી ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક આદર્શના વ્યાવહારિક પ્રતીકેનો નાશ કરી, વિશ્વની આધ્યાત્મિક દરવણીના મૂળ ઉપર ફટકો મારે છે.
૫૦-૭૫ વર્ષની પહેલાના ભૂતકાળમાં સ્વ અને પર સંપ્રદાયમાં કેટલાક શુષ્ક અધ્યાત્મ વાદીઓ થયા છે, જેના કેટલાક વિચારોનું સુવિહિત પુરુષોએ ખંડન કર્યું છે. છતાં, તેઓ તદ્દન માર્ગવિમુખ નહતા. તેને શાસ્ત્રની સમજ વિષેની કેટલીક ખોટી સમજ તથા મતિભ્રમ થયેલા, તેનું ખંડન કરવામાં આવેલું છે. જ્યારે આજના કેટલાક અધ્યાત્મવાદીઓ તીર્થ નિરપેક્ષ અધ્યાત્મને પ્રચાર કરી, ભૌતિકવાદના પ્રચારના અજાણતાં હથિયાર બની ગયેલા હેવાના દાખલા મળે છે. તીર્થનિરપેક્ષ અને માર્ગોનુસારી ન હોય, તેવા ગમે તેવા આધ્યાત્મિકે પણ ત્યાજય ગણવા જોઈએ.
મિથ્યાત્વિ હોવા છતાં ભૌતિક વાદીની સામે આધ્યાત્મિક વાદી તરીકે ખડા રહેવામાં તીર્થની સેવા છે. પરંતુ પરંપરાએ તીર્થ નિરપેક્ષ હોય, તેવા આધ્યાત્મિક વાદને વેગ આપ,એ ભૌતિકવાદને ઉત્તેજન આપવા બરાબર છે. કેમકેભૌતિકવાદીઓ તીર્થ નિરપેક્ષ આધ્યાત્મિક વાદને પ્રચાર પિતાના હથિયાર તરીકે કરીને તીર્થને ધક્કો લગાડી ભૌતિક
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૬૬
વાદના વિજય કરવા ઈચ્છે છે. તેથી તીથ નિરપેક્ષ આધ્યાત્મિક વાદના પ્રચાર, એ ભૌતિક વાદને ટેકા રૂપ હાવાથી મહા મિથ્યાત્વ રૂપ છે, એવી ખાત્રી થશે.
કે
તી : એ બાળઃ વૃદ્ધ, સ્ત્રીઃ રાગી: દ્વેષી: ભાગીઃ અશક્ત, સશક્ત, એમ દરેકને યથાશક્તિ થાડી ઘણી પેાતાના મન વચન કાયાની સુપ્રવૃત્તિ રૂપ કિંમત આપી, ધર્મની ખરીદી કરવાની વિશાળ દુકાન છે. તેની સામેના વિરાધરૂપે ગમે તેવા શુદ્ધ નિશ્ચય નયના પ્રચાર-એ જૈન દર્શનના મૂળમાં કુહાડો મારવા બરાબર છે. તે નિશ્ચય નય તે નથી, પર ંતુ શુદ્ધ કે શુભ વ્યવહાર નય પણ નથી, માર્ગાનુસારિતા પણ નથી. ઉલટામાં ઉન્માર્ગાનુસારતારૂપ બની જાય છે. પરમ-નિશ્ચય માર્ગ માં રહેલા તીર્થંકર ભગવંતે પણ બાળજીવા માટેના વ્યવહાર માર્ગોને અટકાવતા નથશે. પણ તેને સ્થાપે છે, અને ઉત્તેજે છે વતા કરતાં ચે વધુ નિશ્ચય નયનું જ્ઞાન કદાચ પ્રસિદ્ધઃ અને વિદ્વાન કોઈ પુરુષને પ્રાપ્ત થયું હાય, તા જુદી વાત છે. કેમકે-શ્રીકુ દકુંદાચાર્યના મત પશુ એકદર સર્વ તીર્થંકર ભગવતા અને સગીતાર્થ પૂર્વાચાર્યોથી જુદા પડતા નથી, પડે પણ નહી, પડવા પશુ ન જોઈએ. છતાં બીજા સવ તીર્થંકરાને, સર્વ ગીતા આચાર્યોને અને બીજા સર્વ શાસ્ત્રોને છોડીને માત્ર પેાતાના મતના ટેકારૂપે માની લઈ શ્રી સીમ ધરસ્વામી: શ્રી કુ ંદકુંદ સ્વામી: અને સમયસાર ગ્રન્થ: એ ત્રણનેજ માત્ર અવલંબનરૂપે પકડી રાખવામાં આવે છે. યદ્યપિ એત્રણેયને
તીર્થ"કર લગ -
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૬૭
અભિપ્રાય સર્વ તીર્થકરે, તેના આચાર્યો અને તેનાં શાસ્ત્રોથી પ્રાયઃજુદે નથી, જુદો હોઈ શકે નહિ. છતાં, તે ત્રણે યને બીજાઓથી, ત્રણેય કાળમાં નવા જ ઉત્પન્ન થયેલા કોઈ જુદા જ પ્રકારના નિશ્ચયવાદી પોતાને શ્રુતકેવલી ગણાવતા આ વિદ્વાન જુદા પાડી બતાવે છે. તેમાં મહામહનું વિજ ભિત સિવાય બીજું શું હોઈ શકે? બીજું કાંઈ જણાતું નથી, જે ભવભ્રમણનું પરમ નિમિત્ત છે.
આ રીતે, તીર્થની સેવાની વાત કરીને શ્રી આનંદઘનજી મહારાજાએ સુંદર વ્યવસ્થા કરી છે. તેમ કરીને નિશ્ચયનયના શુષ્ક આધ્યાત્મિકવાદીઓની નિરંકુશતાને અંકુશમાં રાખવાની ચાવી બતાવી છે, અને “તે અંકુશ વગરના અધ્યાત્મવાદીઓ બેટા છે. ” એમ આડકતરી રીતે સત્ય સિદ્ધાંતથી બતાવી આપ્યું છે, “તીરથ સેવે, તે લહે આનંદ-ઘન નિરધાર રે” એ સ્પષ્ટ શબ્દ ઉચ્ચાર્યા છે.
ખ્રીસ્તી પાદરીઓ મારફત ભારતના ધર્મો નબળા પાડવાના હેતુથી પ્રથમ તે તે ધર્મોની આચરણુઓને લેપ કરવા જ્ઞાનને નામે જે હવા ફેલાયેલી છે, તેની છાયામાં આવી ગયેલા–તેની કેળવણું લીધેલા તવના અણસમજુ કેટલાક વકીલે તથા તેમની વ્યાવહારિક વિગેરે જુદી જુદી અસર તળે આવેલા બીજા ભદ્ર સ્વભાવના–ભેળા-જી વિગેરે બાળ , તેવા પથના અનુયાયી થઈને સ્વ–પરને સાચા માર્ગેથી યુત કરી રહ્યા છે, તે ખેદની વાત છે. અંતમાં તે સવને પણ પ્રભુ શાસનની પુનઃ પ્રાપ્તિ થાઓ. અને અ
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૬૮
વિચ્છિન્ન પ્રભાવશાળી જૈનશાસનને તેમનાથી હાનિ ન પહેચો. એમ ઇચ્છીએ છીએ. વ્યક્તિગત રીતે ગમે તે વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે એ જુદી વાત છે, અને તીર્થના પ્રતીકે સામેને પ્રોટેસ્ટ તરીકે જે કાંઈ પ્રવૃત્તિ કરે, તે દેષ રૂપ છે એમ કહેવાનો આશય છે. ૮ મી ગાથાને અર્થે બરાબર બંધબેસતે લાગતું નથી. વિદ્વાનેએ સ્વયં વિચાર.
૧૯. શ્રી–મહિલ-નાથ-જિન-સ્તવન ક્ષપક શ્રેણિની પૂર્ણતાઃ અઢાર દુષણ રહિત સર્વજ્ઞ
વીતરાગ દેવપણું [પરમ નિશ્ચય નયની દ્રષ્ટિથી આત્મધર્મની સ્વસમય સ્વરૂપે સિદ્ધિ પ્રાપ્ત કરવાથી આત્મા કેવળજ્ઞાન પામી સર્વજ્ઞ બને છે, ત્યારે અઢારેય દોષ દૂર થાય છે. અને અઢાર દેશ વર્જિત વીતરાગ સર્વજ્ઞ આત્મા તીર્થંકર પણ થાય છે, તે આ સ્તવનમાં બતાવેલ છે.] [રાગ-કાફી “સેવક કિમ અવગણિયે? હે !”-એ દેશી ] સેવક કિમ અવગણિયે? હો !
મહિલ-જિન! એ અબ શોભા સારી? અવર જેહને આદર અતિ દીયે, તેહને મૂલ નિવારી. હો ! મલ્લિ૦ ૧
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૬૯ [ અવગણિએ=અપમાનિત કરીએ. ઉપેક્ષા કરીએ. અબ હવે, અવર-બીજા, મૂળ=મૂળથી, નિવારી-નાશ કરે, દૂર કરે. ]
હે મલ્લિનાથ જિનેશ્વર દેવ ! જેઓ પ્રથમ આપની શોભારૂપ હતા, તે બિચારા જુના સેવકને અપમાન કરીને આપે હવે કેમ કાઢી મૂક્યા છે તેથી હવે આપની “ શોભા વધે છે?” એમ શું આપ માને છે ? બીજા કેટલાક લોકો તો જેઓને ઘણો ઘણો આદર આપે છે, અને પોતાની પાસે બરાબર સાચવી રાખે છે, તેને જ આપે તે મૂળથી જ હડસેલીને કાઢી મૂક્યા છે.
વિરોધ પરિહાર–જુના સેવકને ગમે તેટલા જુના હય, તે જ્યારે દેષરૂપ–હરકત કરતા-થતા હોય, તે તેને કાઢી મૂકવામાંજ શોભા છે.
[મલિ શબ્દની સામે હસ્તિ-મલ શબ્દ [ જામ મૂઢને હૃતિ-મહું મસ્જિનમણુમઃ ] સકલાર્હત્ ચિત્યવંદનમાં જાયેલે જવાય છે. એટલે કે –મહિલનાથ પ્રભુ મલ્લ જેવા થઈને અઢાર દેષરૂપ પ્રતિમલ સામે યુદ્ધમાં ઝઝુમતા હોવાનું વર્ણન કરીને મહિલ-મલ અને પ્રતિમલ્લ શબ્દના થલે ગર્ભિત રીતે જી-બતાવી મલિ નામની સાર્થકતા સૂચવી જણાય છે. ] જ્ઞાન-સ્વરૂપ અના-ડડદિ તમારું
તે લીધું તમે તાણી.
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૭૦ જુઓ–અજ્ઞાનદશા રીસાવી.
જાતાં કાણ ન આણી, હી! મહિલ, ૨
[ તાણું=ખેંચીને લઈ લીધું. આ જ્ઞાનદશા=અજ્ઞાન અવસ્થા. રીસાવીeતેને રીસ ચડે એવું કર્યું, રીસ ચડાવ રાવી. કાણુ ન આણુ કાણન માંડી, પાછળ શકન કર્યો.]
૧ તમારૂં અનાદિ કાળનું જ્ઞાન સ્વરૂપ જે કર્મના ભાર નીચે દબાએલું પડયું હતું, તેને તમે નીચેથી ઉપર ખેંચી લીધું. સર્વશ થઈ ગયા, બસ. તે વખતે જુઓને અજ્ઞાન દશાને આપે રીસાવી. અને રીસાઇને ચાલી જવા લાગી અને ગઈ પણ ખરી, છતાં તમે તે તેની માંકાણ પણ માંડી નહિ તેની પાછળ એકેય કર્યો નહીં. આ કેટલી બધી બેપરવાઈ ? એક જુને સંબંધી જાય, તેનું લેશ માત્ર દુખ પણ નહીં ?
વિ૦ ૫૦ આપને કેવળજ્ઞાન થવાથી જે કાંઈ અજ્ઞાન દશા હતી, તે મૂળથી જરાએ જરા ચાલી ગઈ. તેનો અંશ પણ રહી શક્યો નથી, ૧. અજ્ઞાન દોષ ગ. ૨
નિદ્રાઃ સુપનઃ જાગરઃ ઉજાગરતાઃ * તુરિય અવસ્થા આવી. નિદ્રા સુપનઃ દશા રીસાણી.
જાણું, ને નાથ ! મનાવી. હો ! મલિ૦ ૩ [ નિદા–ઉંધ. ભવ્ય અભવ્ય જીવની મિથ્યાત્વયુક્ત અનાદિકાળની અજ્ઞાન-દશા. સુપન=મોક્ષ માટે અનુત્થાન
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૭ દશા. જાગર=મેક્ષ માટેના સતત પ્રયત્નમાં જાગ્રતી, ઉજા-- ગરતા=સાદિ અનંત ભાગે આત્માની સદા સંપૂર્ણ જાગ્રતી. તુરિયાથી. અવસ્થા=આત્માની પરિસ્થિતિ રીસાણ રીસાઈ ગઈ. મનાવી=સમજાવી. ]
૨ થી ૪. નિદ્રા સ્વપ્નઃ જાગર અને ઉજાગર એ ચારમાંથી ચેથી ઉજાગર અવસ્થા જ તમારી પાસે આવી, તેને તમે રાખી લીધી. એટલે નિદ્રા અને સ્વપ્ન દશા અને ઉપલક્ષણથી જાગર દશા પણ રીસાઈ ગઈ એ વાત તમે જાણી. છતાં હે નાથ ! તમે તેને મનાવી જ નહીં. મનાવવા પ્રયત્ન પણ કર્યો જ નહી.
ચાર શેયમાંથી એકને રાખી અને બીજી ત્રણને ભાવ ન પૂછો, એટલે જરૂર તે ત્રણને રીસ ચડે જ. એવો સ્રોરવભાવ લેક પ્રસિદ્ધ છે. છતાં તમે તેને મનાવવા પ્રયત્ન ન જ કર્યો. જનારને જવા દીધી. આ પણ તમારી જૂના સેવક માટેની કેટલી બેપરવાઈ?
વિ૦ ૫૦ આથી, જાગર દશા આવી, એટલે ત્રણ દશાઓ ચાલી ગઈ. ભલે ગઈ.
૨ નિદ્રા 3 રવપ્ન. ૪ જાગ્રત એ ત્રણ દશા રૂપ ત્રણ દોષ યા સમકિત સાથે સગાઈ કીધી,
સ-પરિવારશું ગાઢી,
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૭૨ - મિથ્યા-મતિ અપરાધણ જાણું,
ઘરથી બાહિર કાઢી. હો! મલ્લિ૦ ૪
[ સમકિત શુદ્ધ સમ્યગ દર્શન, સાચી શ્રદ્ધા. સપરિવાર=પરિવાર સાથે. અપરાધણુeગુન્હેગાર. ગાઢી= દ, મજબૂત. મિથ્યા-મતિ=જૂઠી શ્રદ્ધા, અવળી બુદ્ધિ. ]
૫. વળી, અધૂરામાં પૂરું કુટુંબ કબિલાના પરિવાર સહિત એવા શુદ્ધ સમક્તિ ગુણ સાથે આપે ગાઢી સાદિ અનંતકાલ સુધીની સગાઈ બાંધી લીધી. એટલે પછી તે મિથ્યા બુદ્ધિને ગુન્હેગાર માનીને, તમે તેને ઘરથી બહાર જ કાઢી મૂકી, અરર ! કેટલો બધો જુલમ ગુજાર્યો ? આ ઉપશમ, સંવેગ, નિર્વેદ, આસ્તિકર્યો, અને અનુકંપા તથા બીજી રીતે ૬૩ ભેદો, એ સઘળા સમક્તિ અને પરિવાર છે. તે બધા સાથે તમે ગાઢ સગપણ બાધ્યું.
વિ૦ ૫૦ ક્ષાયિક સમ્યક્ત્વ ગુણ પ્રાપ્ત થયે, એટલે મિથ્યાત્વને ચાલ્યા જવું પડયું.
મિથ્યાત્વ દોષ ગ. હાસ્ય: અ-રતિ રતિઃ શોકઃ
દુાંછા ભય પામર કરાવી, ન-કષાય શ્રેણિગજ ચઢતાં,
શ્વાન તણું ગતિ ઝાલી. હો ! મહિલ. ૫ [ હાસ્ય હસવું. અરતિ=નાખુશી. રતિ-આનંદ. શોકકચિંતા. દુગંછા-અણગમે. ભય બીક. પામર=
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૯૩
બિચારા, ગરીબડા. કરસાવી શેષવી-સુકવી નાંખી, કૃશ કરી. ને-કષાય=એ હાસ્યાદિ છે, ક્રોધાદિક મુખ્ય કલાને મદદ કરનારા હોવાથી નેકષાય કહેવાય છે. શ્રેણિ=ગુણશ્રેણિ, ઉપશમ અને ક્ષપક શ્રેણિ. ક્રમસર ચરિત્ર મેહનીય કર્મ ખપાવવાને કાર્યક્રમ શરૂ કરે, તે ક્ષેપક શ્રેણિ અને ઉપશમાવવાનો કાર્યક્રમ શરૂ કરે, તે ઉપશમ શ્રેણિ ગજs. હાથી. ચઢતાં=શ્રેણિ શરૂ કરતાં, શ્રેણિરૂપી હાથી ઉપર ચડતા. શ્વાનતણું ગતિ કુતરાની ગતિ, કુતરાની પેઠે પૂછડી નમાવીને નાસવા માંડવું. ઝાલી=પકડી.] - ૬ થી ૧૧. હાસ્યઃ રતિઃ અરતિઃ શોક દુર્ગચ્છા અને ભય એ બાપડા છ ને-કષા–ને કૃષાવી નાંખ્યાબળા તેલ કરી નાંખ્યા, તેથી જ્યારે વળી આપ ક્ષપક શ્રેણિરૂપ હાથી, ઉપર ચડયા, એટલે તે તેઓને કુતરાની પેઠે પગ વચ્ચે પૂછડી ઘાલીને નાસવાની રીત પકડી લેવી પડી. જરાયે એકેય ઉભો રહેવા ન પામ્યો. બિચારા દુબળા થઈ ગયા અને છેવટે તેઓને ભૂંડે હાલે નાસવું પડયું. આમ જૂના સેવકે ઉપર હે ભગવંત! ગજબ તે ગુજરાય ?
- ૬. વિ. ૫૦ હાથી ઉપર ચડવાનું ભાગ્ય પ્રાપ્ત થાય પછી કુતરા કેણ રમાડે ?
૬ થી ૧૧ હાસ્ય: રતિઃ અરતિઃ શોક ભય અને દુગચ્છા: એ છ દોષ ગયા.
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૭૮
રાગ દ્વેષ અવિરતિની પરિણતિઃ
એ ચરણ-મેહના ધા. વીતરાગ-પરિણતિ પરિણમતાં,
ઊઠી નાઠા બેધા. હે! મલિ. ૬ [ રાગ=પ્રેમ દ્વેષ ક્રોધ અવિરતિ અસંયમ-પરિસુતિ=આત્માના પરિણામ. ચરણમેહના-ચારિત્ર મહનીય કર્મન. ચોધાલડવૈયા સુભટે. વીતરામ-પરિણતિક રાગદ્વેષ રહિત પણે આત્માનું રૂપાંતર થવું તે. પરિણમતાં-રૂપાન્તર થતાં. બધા=જાતે જ ચેતી ગયેલા.]
વીતરાગ પરિણતિ આપમાં પરિણમવા લાગી કે–રાગ ષા અને અવિરતિ પરિતિક રૂપે ચારિત્રમેહનીય કર્મના મોટા મોટા યોદ્ધાઓ ચેતી ગયા કે “હવે આપણે અહીં કાંઈ ચાલશે નહીં.”એમબધા સમજી ગયેલા–ઉઠીને પોતાની મેળે જ નાસી ગયા. સઘળા ક્રોધાદિક કષાયે નાશ પામ્યા. વિ. ૫૦ ઘરના સાચા દ્ધાઓ જગ્યા, એટલે શત્રુના દ્ધાઓએ અગાઉથી ચેતીને રફુચક થઈ જવું જોઈએ. ૧૨ અવિરતિ પરિણામને દોષ ગયો. વેદોદય-કામા–પરિણામા,
કામ્ય-કર્મ સહુ ત્યાગી, નિકામા કસણા-રસસાગર !
અનંત-ચતુષ્ક-પદ પાગી. હા! મલ્લિક
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૫
[વેદેદય પુરુષ સ્ત્રી અને નપુસંક: એ ત્રણ વેદનોકષાય ચારિત્ર મેહનીય કમને ઉદય, કામાપરિ. ણમા=કામવાસનાનું પરિણામ જગાડનારા. કામ્યકર્મ= કામનાથી કરવાનાં કામે નિકામાર્ગનિષ્કામી, નિરીહ. કરુણરસસાગર=દયા રૂપી રસ–પાણીના સમુદ્ર! અનંત -ચતુષ્ક-પદ-અનંત ચારનું સ્થાન-અનંત જ્ઞાન અનંત દર્શન: અનંત ચારિત્ર: અનંત વીર્ય એ ચારનું સ્થાન સગી ગુણસ્થાનક. પાગી=પગમાં આવીને પડ્યા. (સ પાવર પ્રા. શાળા મુ. પાગી, પગમાં આવીને પડનાર. ]
૧૩. પુરુષ સ્ત્રી અને નપુંસક એ ત્રણ વેદનો સુંદર ઉદય મન ગમતી સુંદર કામ વાસના સ્વરૂપે પરિણમનાર છે. પણ વાસનાને આધીન થવારૂપ દરેકેદરેક કામ્ય-કામ આપે છોડી દીધું, અને નિષ્કામી બની ગયા. એટલે હે કરુણારસના સાગર ! અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીયે, એ ચાર અનંત ચતુષ્કના ખજાના ઉલટતા આપના પગની પાસે આવીને પડયા.
વિ. ૫૦ નવમે ગુણસ્થાનકે ક્ષપક શ્રેણિમાં ત્રણેય વેદના ઉદય, બંધ અને સત્તાને ક્ષય કર્યો હોય છે. એ રીતે, સર્વકામ્ય કર્મનો ત્યાગ કર્યો, છતએ ત્રણ ગયા એવામાં વગર ઇચ્છાએ અનંત ચતુષ્કની સમૃદ્ધિ આવીને આપના પગમાં પડી. અને પ્રભુ ભાવ કરુણાના સાગર બની ગયા. જેને લીધે તીર્થ પ્રવર્તાવ્યું અને ભવ્ય જીવોને બોધ આપ્યો.
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૭૬
૧૪ વેદોદય દોષ નાશ પામ્યો. દાન-વિઘવારી, સહુ-જનને
અ-ભય-દાન-પદ-દાતા. લાભ-વિઘન જગ-વિઘન-નિવારક !
પરમ-લાભ-રસ-માતા. હે ! મલ્લિ૦ ૮ [ દાન-વિઘન દાનાન્તરાય કવિ.ઘન અંતરાય કર્મ. વારી દૂર કરી. અ-ભય-દાન-પદ-દાતા=અભયદાનનું પદ પદના-સ્થાનકના દાતા, દયાના પ્રચાર કરનારા લાભવિઘન લાભાન્તરાય કર્મ જગ-વિઘન જગતમાં વિના સમાન. નિવારક દૂર કરનાર, પરમ-લાભ-રસ-માતાઉંચામાં ઉંચા આત્મગુણનિધાનના લાભના આનંદમાં મસ્ત]
૧૫–૧૬. દાનાન્તરાય કર્મને ક્ષય કરીને આપ સર્વ પ્રાણીઓને અભયદાન પદના આપનારા થયા. જગતમાં વિઘ્ન રૂપ લાભાન્તરાય કર્મના નિવારક ! હે પ્રભો ! આ૫ આત્મગુણેના સંપૂર્ણ વિકાસરૂપ પરમ લાભના આનંદમાં મસ્ત થઈને હાલી રહ્યા છે.
૧૫ દાનાન્તરાયા અને ૧૬ લાભાન્તરાયાદે ગયા.૮ વીર્ય-વિધાન પંડિત-વીવે હણું,
પૂરણ–પદવી–ગી. ભેગે પગ દેય-વિઘન નિવારી,
પૂરણ-બેગ-સુખભેગી. હા! મલ્લિ. ૯
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૭૭
વીય વિઘન–વીર્યાન્તરાય કમ'. ૫'ડિત-વીયે =ઉત્તમ આત્મિક વીય વડે. હણીનાશ કરી. પૂરણ-પદવી-ચેાગી= પૂર્ણ ખળથી મળતી મેાક્ષ પદવી સાથે જોડાયા. ભાગાપભાગલાગાન્તરાય કમ; અને ઉપલે ગાન્તરાય કમ: એક વાર ભાગવાય તે ભાગ, અને વારવાર લેગવાય તે ઉપભાગ. નિવારી=અટકાવી. પૂરણ-ભાગ-સુ-ભાગી=પૂછુ ભાગ અને ઉપલેાગના સારી રીતે ભાગવનારા. ]
૧૭–૧૮-૧૯ પંડિત વીયૅ –ઊંચી કાટિના આત્મિકવીય વડે–વીર્યાન્તરાય કનેા ક્ષય કરીને આપ પૂર્ણ પદવીવાળા યાગી થયા. ભાગાન્તરાયઃ અને ઉપભોગાન્તરાયઃ એ બેય અન્તરાય કર્માંના ક્ષય કરી, આપ પૂર્ણ આત્મિક સુખરૂપી ઉત્તમ ભોગના સુંદર ભોગી બન્યા છે.
૧૭ વીર્યાન્તરાયઃ ૧૮ ભોગાન્તરાય અને ૧૯ (!) ઉપ ભોગાંતરાયઃ કર્યું ઢાષ ગયાઃ ૯
એ અઢાર–દૂષણ-વજિત–તનુ. મુનિ-જન-વૃંદે ગાયા. અવિરતિ–રૂપક દાષ-નિરૂપણ, નિર્દેષણ-મન—ભાયા.
હા! મલ્લિ ૧૦ [અઢાર-દૂષણ-વરજિત-તનુ=અઢાર દોષથી રહિત શરીર વાળા. મુનિજન-વૃન્દુ=મુનિઓના સમૂહે. ગાયા= ગવાયેલા, સ્તવાયેલા. રૂપક=અલ'કાર. અવિરતિ-અસંયમ.
ર
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૭૮
દોષ-નિરૂપણુ દોષોનું વણુન. નિષણું=નર્દોષ. મનભાયા=મનમાં ગમ્યા.
એ અઢાર દોષ વગરના આત્મા યુક્ત-શરીર ધારી ઢાવાથી દેવળજ્ઞાની આપ તીથ કર ભગવાનના ગુણત્રાન મુનિએના સમૂહ કરવા લાગ્યા હતા.
રૂપક અલંકાર વડે અસયમ વિગેરે ઢાષાનું નિરૂપણ— વર્ણન કરવામાં આવ્યુ છે. અઢાર દેષ રહિત થવાથી ખરી રીતે–નિર્દોષ-ગુણના ભંડાર–એવા આપ સૌનાં મનમાં ખૂબ ગમી ગયા છે—ત્રિલેાકને પૂજ્ય લાગ્યા છે-ત્રિલેાક પુજ્ય થયા છે.
१०
ઇ-વિધ પરખી, મન-વિસરામી-જિન-વર–ગુણ જે ગાવે, દીન-મધુની મહેર-નજરથી
આનન-ધન-પદ પાવે. હો! મલ્લિ ૧૧
[ઇ-વિધ=એ રીતે. પરખી પરીક્ષા કરી. મન– વિસરામી=મનના વિસામારૂપ. દીન-અ-ધુ-દીનાનાગરીબાના ખંધુ. મહેર-નજર=કૃપા ભરી દૃષ્ટિથી. આનંદ ઘન-પ=મેાક્ષ. પાવે=પામે છે. ]
મનમાં શાંતિઃ સાષઃ અને આન ંદઃ થાય, તેવા સવ ગુણથી જિનેશ્વર દેવના ગુણાની,એ:પ્રમાણે અઢાર દેષ રહિત દેવપણાના જેઓ તેમના ગુણ ગાય છે, તે દીન-બંધુ
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૭૯ શ્રી જિનેશ્વર પ્રભુની કૃપા દૃષ્ટિથી આનંદઘન-પદ-મેક્ષપ્રાપ્ત કરે છે.
૧૧ | ભાવાર્થ – અજ્ઞાન, ૨, નિદ્રા, ૩ તંદ્રા, ૪ જાગ રહશા, ૫ મિયાત્વ, ૬ હાસ્ય, ૭ રતિ ૮ અતિ, ૯ શેક ૧૦ ભય, ૧૧ દુર્ગચ્છા, ૧૨ સ્ત્રીવેદ, પુરુષવેદ નપુંસકવેદ એ ત્રણ વેદને ઉદય. ૧૩. રાગ દ્વેષ અને અવિરતિની પરિકૃતિ, ૧૪ દાનાંતરાય, ૧૫ લાભાંતરાય ૧૬ ભેગાંતરાય, ૧૭ ઉપભેગાન્તરાય ૧૮ વર્યાન્તરાય.
આ અઢાર દૂષણે જવાથી કેવલજ્ઞાનઃ ઉજાગર દશાઃ સમકિતઃ સમભાવ: એવદીપણું યથાખ્યાત ચારિત્રરૂપ સર્વ વિરતિઃ અનંત દાન: અનંત લાભ અનંત ભેગર અનંત ઉપભોગ અનંત વીર્ય: એ પાંચ લબ્ધિઓઃ એ ગુણે પ્રગટ થાય છે.
દેશે સાથે, રીસાઈ જનારી નઠારી સ્ત્રી, ગુન્હેગારણ, કુતરા, ચાધા વિગેરે રૂપક ઘટાવ્યા છે.
“અઢાર દોષ રહિત દેવ સ્વીકારવા જોઈએ.”જેમાં એ દે હેય, તે સાચે દેવ કેમ ગણી શકાય ? એ અઢાર દેષ રહિત, તે સાચા દેવ સમજવા. પછી, ગમે તે વ્યક્તિ અને ગમે તેવી વ્યક્તિ હોય.
એ અઢાર દેષ ચાલ્યા જવાથી તીર્થકર થવાય છે. જે આત્માએ સર્વજ્ઞ, તીર્થકર કે સ્વરૂપસ્થ થવું હોય, તેમણે એ અઢાર દોષને નાશ કરવો જોઈએ. આ સ્તવનમાં પણ રહેજ હાસ્ય રસની છાયા જણાયા વિના રહેતી નથી.
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૮૦
૨૦. શ્રી-મુનિ–સુવત-જિન–સ્તવન. જુદા જુદા દર્શનકરોની આત્માની માન્યતા પ્રમાણે મક્ષ અને બંધક ઘટી શકે નહીં. તે આત્મ-દ્રવ્ય કેવું માન્યું હોય, તો તેને મેક્ષ ઘટી શકે?
તે અને પરમાર્થિક આત્મતત્ત્વ " [ સવાસવદર્શિ થયા પછી નિર્મળ આત્માની મોક્ષ દશા કેવી રીતે ઘટી શકે? તે જુદા જુદા દર્શનની માન્યતા રજુ કરીને સમજાવેલ છે. કેમકે આત્માના સ્વરૂપ ઉપર જ બંધ અને મોક્ષ ઘટવાને આધાર છે. ] [રોગ-કાફી-“આઘા આમ પધારે પૂજ્ય” એ દેશી]
શ્રી–મુનિ–સુ-વત-જિન-રાજ!
એક મુજ વિનતિ નિસુણે. શ્રી મુ. “આતમ-
તત્વ કયું જાણું? જગત–ગુએ એહ વિચાર મુજ કહિયે. આતમ-તત્ત્વ જાણ્યા વિણ નિર્મળ
ચિત્ત-સમાધિ ન વિ લહિયે. શ્રી મુ. ૧ નિસુણે સાંભળો આતમ તત્ત્વ આત્મતત્વનું શુદ્ધ સ્વરૂપ. ચિત્ત-સમાધિ=મનમાં શાંતિ અથવા મનની શાંતિ. મોક્ષ અવસ્થા પણ સમાધિ કહેવાય છે. ]
હે મુનિ સુત્રતા જિનરાજ ! મારી એક વિજ્ઞપ્તિ આપ સાંભળે. હે જગદ્ગુરુ ! શુદ્ધ આત્મા તત્ત્વરૂપે કેવો છે ? અને
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૮૧
તે શી રીતે સમજી શકાય ? એના વિચાર મને-સાધકને કહેા. કેમકે—આત્મ તત્ત્વ જાણ્યા વિના ચિત્તની નિળ સમાધિ મળી શકે નહીં.”
૧
સુતિ અને સુન્નત, શબ્દમાંથી રાગ દ્વેષ: માહઃ વિના કેવળ આત્મતત્ત્વજ્ઞાનમાં લીન થઈને મુનિપણાના, અને સારો સારા વ્રતાના ધ્વનિ ઉઠે છે. તેથી આ સ્તવનમાં આત્માને મુનિ અને સુવ્રતધારી બનાવવાના મુનિસુવ્રત નામમાં શ્લેષથી ધ્વનિ છે.
કાઇ “અ-મધ આતમ-તત્ત્વ ” માને. કિરિયા કરતા દીસે. “કિરિયાતણું ફલ કહા કુણુ ભાગવે? ” ઈમ પૂછ્યું, ચિત્ત રીસે.
શ્રી મુ॰ ૨
અ-મધ-બંધ રહિત, કમના બંધ રહિત. દીસે રુખાય. ચિત્તમાં=મનમાં રીસે=ખીજાય. ]
કાઇ વાદી આત્માને “કમ અંધ રહિત-નિલે પ છે, ” એમ એકાંતે માને છે.
विगुणो न बध्यते, न मुच्यते ।
અર્થ:—સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણથી રહિત આત્મા બધાતેાયે નથી, અને મુક્ત પણ થતા નથી. આમ માનવા છતાં, પેાતાના સંપ્રાય અનુસાર તે ધાર્મિક ક્રિયા કરતાં દેખાય છે, તેને એમ પૂછીએ, કે—“ કહો ભાઈ ! તમે કરી છે. તે ક્રિયાનું ફળ કાણુ ભેગવશે ? કેમકે
ܕ
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૮૨ .
',
આત્મા ઉપર કર્મના બંધન રૂપ કાઈ જાતની અસર તેા થતી નથી. તે। પછી તે કર્મના બંધન તાડનારી ક્રિયાનું ફળ તેને કેવી રીતે લાગુ પડશે ? ” પણ એમ પૂછ્યાથી તેના ચાગ્ય ખુલાસા તે કરી શકશે નહીં: પણ ઊલટામાં, મનમાં રીસ ચડાવશે.કેમકે—તેની પાસે તેના ખરા જવાબનથી. એ મૂંઝવણ તે રીસ રૂપે પૂછનાર ઉપર કાઢશે. ત્રણગુણરહિત સિદ્ધ પરમાત્યાના જીવ બંધાતા નથી. તેમજ તેને મુક્ત થવાપણુ પણ નથી. એમ એક અપેક્ષાએ એ વાત ખરી છે. પણ એકાંતથી પકડી બેસવાથી આ રીતે તેને રીસ કરવાનો વખત આવેછે.ર “જડ ચેતના એ આતમ એક જ. સ્થાવરઃ જંગમઃ સરિખા.” સુખ-દુઃખ-સંકર-દૂષણ આવે. ચિત્ત વિચારી, જો પરીખા, શ્રી મુ॰ ૩ [ સ્થાવર=સ્થિર. જગમ=ગતિશીલ, ચર. સરિખા= જેવા. સર્=સ કર નામના ઢોષ, અવ્યવસ્થા, ખોટી રીતનું મિશ્રણ. પરીખા=પરીક્ષા કરીને.]
કાઇ કહે છે, કે—' જડ અને ચેતનઃ એ સૌ ખાત્માએ જ છે. સ્થિર પદાર્થો અને ગતિશીલ પદાર્થાઃ સૌ એક સરખા જ છે. જડઃ અને ચેતનઃ જુદા નથી જ,”
જો મનમાં ખરાખર વિચાર કરીને એ મતની પરીક્ષા કરશે!, તા તમને તેમાં સુખ અને દુઃખને સકર થઈ જવાના રાષ આવતા જણાશે.
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૮૩ સંકર દેષ તે કહેવાય છે, કે–જુદા જુદા પદાર્થોનાં જુદા જુદા લક્ષણ-તેને ઓળખવાની નિશાનીઓ–હેાય છે. તે નિશાનીઓ–લક્ષણે-તે જુદા જુદા પદાર્થો સિવાય કોઈ બીજી વસ્તુમાં ભેગા જોવામાં આવે, તો તે સંકર દેષ ગણાય છે. આત્માનું લક્ષણ અને પુલનું લક્ષણ, એ બન્નેયના જુદા જુદા લક્ષણ કર્યા પછી કેઈ ત્રીજા પદાર્થમાં બન્નેયના એ લક્ષણ ઘટતાં દેખાય, તો તે લક્ષણ સંકર દુષવાળા ગણાય છે. કેમકે–એ લક્ષણથી એ પદાર્થને બેમાંથી કયા સ્વરૂપે ઓળખવો ? તેને ગોટાળો થાય છે. એ જ પ્રમાણે ચેતન આનંદમય છે. જડ આનંદ રહિત છે. સુખનું કારણ ચેતનાદિ ગુણ છે. દુઃખનું કારણ જડનો સંબંધ છે. જે જડ અને ચેતનને જુદા જુદા માનવામાં ન આવે, તે સુખ અને દુઃખનું ખરું કારણ કોણ છે ? તેની સ્પષ્ટતા થતી નથી. તેથી સુખી થવા ઇચ્છનારે શું કરવું? તે માટે કોઈ સ્પષ્ટ ઉપાય બતાવી શકાશે નહીં. માટે ગોટાળ-સંકર દોષ આવશે. ૩
એક કહે, “નિત્ય જ આતમ તત્ત.”
આતમ-દરિશણ—લીને. કૃત-વિનાશ અકૃતા-ડcગમ દૂષણ
નવિ દેખે મતિ-હીણે. શ્રી મુ. ૪ [ નિત્ય કાયમી, ફેરફાર વગરનું, નાશ વગરનું. આતમ-દરિશણુલીને=આત્મ દર્શનમાં લીન, બ્રહ્મતત્વદર્શનમાં–વેરાતમાં લીન, તે દર્શનના અભ્યાસી, કૃત
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૮૪
વિનાશકરેલી પ્રવૃત્તિને નિષ્ફળ નાશ. અ-મૃતા-ડગમ= ન કરેલા કાર્યના ફળની પ્રાપ્તિ. મતિ-હીણેા અલ્પ બુદ્ધિવાળા. ]
એકાન્તથી આત્મદર્શનમાં લીન થયેલા કેવલાદ્વૈતવાદીએકવાદી—કહે છે,કે—આતમ-તત્ત્વ ફટસ્થ નિત્ય પદાર્થ છે,” પર ંતુ કૃત-નાશઃ અને અમૃતા-ઽગમઃ એ બે દોષ એ અલ્પ તત્ત્વચિ તક-એકાન્તવાઢી હૈાવાથી જોઈ શકતા નથી.
પદાર્થ વિષે એકાંત નિત્યતા માનવામાં કાર્ય-કારણ—માત્ર સભવી શકે જ નહીં, નિત્ય પદાર્થ ન કા રૂપ હાઇ શકે, ન કારણરૂપ બની શકે, તેા પછી, રાજ-બરાજ જગમાં જે જે ધટનાએ બને છે, તે કારણ વિના જ બનવી જોઈએ, અને તેમાંથી પણ કાંઇ નવું ફળ ઉપજવું ન જોઇએ, બીજ વિના ફળ મળવું જોઇએ, અને ફળમાંથી નવું ફળ ન થવું જોઈએ. પરંતુ જગમાં એમ બનતું નથી જોવાતું, માટે એમની એ વાત ખાટી છે. નિત્ય આત્માને બંધઃ અને મેાક્ષઃ તથા તેના કારણેા ઘટી શકે નહી. સૌગત–મત–રાગી કહે વાદી:“ક્ષણિક એ આતમ જાણેા. ” અધઃ મેક્ષ સુખ દુઃખ નવ ઘટે. એહ વિચાર મન આણે. [સૌગત–મત-રાગી=મૌદ્ધ મતના અનુયાયી. વાદી= વાદ નિપુ, પક્ષકાર. ક્ષણિક-ક્ષણમાત્ર ટકનારા ]
૪
-
શ્રી મુ॰ ૫
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૮૫
બૌદ્ધ મતના રાગીએવા કેઈ એકાન્ત વાદી કહે છે, કે “આત્મા ક્ષણિક છે, એમ જાણો” તે “તેથી પણ આત્માને બંધઃ મોક્ષ સુખ દુઃખ ઘટી શકશે નહીં.” એ વિચાર મનમાં કરી જુઓ.
ક્ષણિક પદાર્થમાં પણ કાર્ય–કારણ ભાવ ઘટી શકતા નથી. તેથી બંધ અને મોક્ષ વિગેરે ઘટી શકતા નથી. કેમકે–બાંધનાર આત્મા જે ક્ષણે હતો, તે બીજી ક્ષણે નથી. પછી કર્મોથી મુક્ત થનાર કોણ? બાંધનાર જે કાયમ રહે, તે જ તેને મુક્ત થવાનો વારો આવે. ૫ “ભૂત-ચતુષ્ક-વતિ –આતમ-તત્ત
સત્તા અલગી ન ઘટે.” - અંધ શકટ જે નજરે ન દેખે,
તે શું કીજે શકટે? શ્રી મુ. ૬
[ભૂત-ચતુષ્ક વજિત-આતમ-તત્ત-સત્તા=ચાર ભૂત વિના આતમ તત્વ કઈ જુદો પદાર્થ નથી-પૃથ્વી પાણ વાયુ અને તેજ ગતિએ ચાર ભૂત, શકટ ગાડું ]
પૃથ્વી, પાણી, વાયુ અને અગ્નિ, એ ચાર ભૂત સિવાય આત્મા નામનો કોઈ પણ પાંચમો પદાર્થ તેનાથી જુદો વિદ્યમાન જગતમાં નથી જ. પરંતુ, ચાર્વાકનું આ કહેવું તદ્દન ખોટું છે. કેમકે એક આંધળો માણસ પોતાની સામે પડેલા ગાડાને દેખી જ શકે નહીં, તે પછી તે ગાડું જગતમાં વિદ્ય
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૮૬
ભાન હોવા છતાં તેને તે આંધળો માણસ ઉપયોગ કરી શકતો નથી. એને માટે એ ગાડું હોવા છતાં, પણ નકામું જ છેન હોવા બરાબર છે.
ચૈતન્ય જન્ય લાગણી પૂર્વકની પ્રવૃત્તિ અને નિવૃત્તિ થતી હોવાથી આત્મા જગતમાં સાબિત હોવા છતાં, તે ન માનનાર એ બાપડે આત્મ વિકાસને લાભ મેળવી શકો જ નથી. ગીઓને જે આનંદ પ્રાપ્ત થાય છે, તે તેને માટે નામે છે. તેને માટે વિશેષે શું કહેવું? છતી વસ્તુ ન દેખે, તે એની કમનસીબી જ છે. અથવા આત્મા અરૂપી છે. ચાર ભૂત તેના કરતાં જુદા ન હોવાથી તે પણ અરૂપી હોવા જોઈએ. તેથી શરીર આદિ ભૂત ચતુષ્ટયનું બનેલું ગાડું પણ અરૂપી થયું. તો પછી તે બિચારો તેનો શી રીતે ઉપગ કરી શકે ? ૬ એમ અનેકવાદિ-મત-વિભ્રમ--
સંકટ–પડિયે, ન લહે ચિત્ત-સમાધિ. તે માટે પૂછું,
તુમ વિણ તત્ત કેઈ ન કહે.” શ્રી મુ૭
[અનેક-વાદિ–મતવિભ્રમ-સંકટ-ચડિયેા=અનેક વાદીઓના મતેથી ઊભી થયેલી મતિ ભ્રમણા રૂપી જાળના કષ્ટમાં ફસાયેલ. લહે=જાણી શકે. ચિત્ત-સમાધિ=મનમાં શાંતિ. તરતવ.]
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૮૭ એ પ્રમાણે અનેક વાદીઓનાના જુદા જુદા મત ભેદેથી ઉભી થયેલી મતિ ભ્રમણા રૂપી જાળના કણમાં ફસાએલ સીધક મનમાં સમાધાન-સમાધિ એટલે શાંતિ પામી શકતો નથીતેનું મન સંશયમાં પડે છે. તેથી “નિશ્ચિત કર્તવ્ય શું કરવું અને શું ન કરવું ? તે નક્કી કરી, તેને માર્ગ લઈ શકતા નથી. તે માટે હું આપને જ આત્મ તત્વ વિષે પ્રશ્ન કરું છું. કેમકેઆપ વિના સાચું તત્વ કોઈ કહી શકતું નથી. ૭ વળતું જગ-ગુરુ એણું પરે ભાખે,
પક્ષપાત સબ ઈડી. “રાગ-દ્વેષ–મેહ-પખ-વર્જિત
આતશું રેઢ મંડી, શ્રી મુ. ૮ L[ વળતું પછી. પક્ષપાત=એકતરફીન્યાય ૫ખ પક્ષ વર્જિત રહિત ર=દઢતા પૂર્વક મંડીકલીન થઈ ]
ત્યાર પછી, રાગ દ્વેષ મહા અને પક્ષા વગરના આભામાં લયલીન થયેલા જગ ગુરુ કે જેણે દરેક પ્રકારને પક્ષપાત છોડી દીધું છે, તે આ રીતે બોલ્યા, કે-રાગ દ્વેષ મહાર અને પક્ષ રહિત આત્મા સાથે એકતાન થઈ–૮ આતમ-ધ્યાન કરે છે કેઉ,
સો ફિર ઈણમેં ના-ss, વાગજાળ બીજું સહુ જાણે.
એહ તત્વ ચિત્ત ચાવે.” શ્રી મુ. ૯
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૮૮ [ વાગજી શબ્દ જાળ. ચિત્ત-ચા=ચિત્તમાં ચાહે, -ચિંતવે, મનન કરે. ]
જે કઈ મોક્ષાર્થી જીવ આત્માનું ધ્યાન કરે, તે ફરીથી આ સંસારમાં અથવા પક્ષપાતમાં અથવા વાદીઓના મતરૂપી વિશ્વમના ચક્રમાં પડશે નહીં. બસ. એ સિવાય સઘળુંયે માત્ર શબ્દ જાળ છે. એમ જાણીને એ આત્મ તત્વમાં જ ચિત્તને એકાગ્ર કરવું. આત્મા છે, તેનો વિકાસ થાય છે, અને તેના પ્રયત્નો કરવામાં લાગી જવું, એજ માર્ગ છે. તેમાં બધા સમાધાને આવી જ્ય છે. ૯ જેણે વિવેક ધરી, એ પખ ગ્રહિયે,
તે તત્વ-જ્ઞાની કહિયે !” શ્રી–મુનિ–સુવ્રત ! કૃપા કરે છે,
આનંદ-ઘન-પદ લહિયે. શ્રી મુ. ૧૦ [ ગ્રહિયે લીધે, ગ્રહણ કર્યો. તત્ત્વજ્ઞાનીક્તત્વ જાણનાર. લહિયે મેળવીએ. ]
આ રીતે સત્ય અને અસત્ય સ્વર અને પરાકનો વિવેકવહેંચણ-કરીને જે પુરુષ આ આત્મજ્ઞાનને પક્ષપાતી બનશે, તેને જ તત્ત્વજ્ઞાની-સત્ય તત્વ જાણનાર–કહેવો જોઈએ. તે હે મુનિ સુત્રત પ્રભુ ! જો આપ કૃપા કરો, તો એવો તત્વ જ્ઞાની થઈને હું આનંદઘન-પદ-મોક્ષ-પ્રાપ્ત કરું.
ભાવાર્થ:–આત્મા દોષ વાળો થઈ શકે છે. તેથી કર્મને બંધ તેને થાય છે. અને દોષોથી રહિત–મુક્ત પણ
૧૦
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૮૯
થઈ શકે છે. એક જ આત્મામાં આ બે ખાખત કેવી રીતે ઘટી શકે ? એ સમજવાને આત્મ દ્રવ્યના સ્વભાવ: તથા ગુજીઃ કેવા છે? તેને વિચાર કરી જોવાથી તેનુ સમાધાન મળી શકે છે.
જ્યારે આત્માના વિચાર કરવા બેસીએ છીએ, ત્યારે જગમાં અનેક વિચારકા આત્માનું જુદું જુદું રવરૂપ કહે છે. પરંતુ એ એકેય ઘટતુ નથી તે સાચું સ્વરૂપ કેવું છે ? તે નક્કી કરી લેવું જોઈએ.
77
કાઈ આત્માને નિલેપ બંધનરહિત માને છે, તા, તેને બંધનથી છોડાવવા કોઇ પણ પ્રકારની પ્રવૃત્તિ-ક્રિયા કરવાની જરૂર રહેતી નથી. છતાં પેાતાના આત્માના મેક્ષ કરવા માટે પેાતાના ધર્મના અને તેના આચારાના પ્રચાર કરે છે, અને પાતે કરે છે-આચરે પણ છે. એ રીતે તેની વાતમાં પરસ્પર વિષ આવે છે. મધ રહિત આત્માને છેડાવવા ધર્માનુષ્ઠાના કરવાની જરૂર નથી. કેમકે-તે પ્રયત્ન નકામો છે
કેટલાક, જગતમાં સ્થાવર રૂપ--જડ પદાર્થો અને ચેતનાવાળા જીવા રૂપ--જંગમ પદાર્થોને એક સરખા માને છે. તા પછી જડની જેમ ચેતન પદાર્થોનેય સુખ દુઃખ ન થવાં જોઈએ, અથવા જડને પણ સુખ દુઃખ થવાં જોઇએ. આ રીતે સકર દોષ લાગે છે.
કેટલ!ક કહે છે, કે “ પરમ બ્રહ્મરૂપ નિત્યજ આત્મા છે.” તેા, તે નિત્ય પદાર્થોમાં કઈ ફેરફાર થાય જ નહીં.
Page #249
--------------------------------------------------------------------------
________________
છતાં, તેઓ જે ધાર્મિક અનુષ્ઠને કરે છે, તે નકામા જવા જોઈએ, અને તે કરવાથી તેને જે આત્માનંદ વિગેરે મળે છે, તે કયાંકથી એમને એમ આવી પડેલે હવે જોઈએ ? એવા બે મોટા દે લાગે છે. તેથી, તેના મતે પણ આત્માને બંધ અને મોક્ષ ઘટી શકે નહીં.
બૌદ્ધ દર્શનના ક્ષણિકમતથી પણ આત્મામાં બંધ અને મોક્ષ ઘટી શક્તા નથી. કેમકે બાંધનાર આત્મા નષ્ટ પામે, પછી નવા આત્માનો મોક્ષ કોનાથી ? એક આત્માવિના બનેય ઘટી શકશે નહીં. તે પછી ધર્મોપદેશ અને તેના આચારેને પ્રચાર શા માટે ? તથા તે આચરવાથી ફાયદે પણ શો ? બાંધનાર તેજ ક્ષણે નષ્ટ થયેલ છે. અને મોક્ષ પામવાના ક્ષણે વિદ્યમાન આમા કર્મ બાંધતી વખતે વિદ્યમાન ન હતે. માટે બંધ મોક્ષઃ દુઃખ સુખ ઘટી શક્તા નથી.
ચાર ભૂત સિવાય પાંચ આત્મા પદાર્થ જ નથી” એમ નાસ્તિક ચાર્વાક દર્શન માને છે. પણ જે આંધળે ગાડું જ જોઈ શકતું નથી, તેનાથી ગાડાને ઉપયોગ શું થાય? એટલે કે-જે આત્મા માનતું નથી, તેને આનંદ ખાતર ભેગો ભોગવવાના શા માટે હોય છે? કેના આનંદ ખાતર ? આત્મા તે નથી. પછી, ભેગો કોને માટે? છેવટે, મુનિ સુવ્રત સ્વામી કહે છે, કે-વાસુપૂજ્ય સ્વામીના સ્તવનમાં આત્માના સ્વરૂપને નિર્દેશ કરવામાં આવેલો છે. તે પ્રમાણેચેતનામય પરિણામિ નિત્ય આત્મામાં જ બધું ઘટી શકે છે. માટે બધી વાપૂજાળ છેડીને રાગદ્વેષ રહિત થવાની પ્રવૃત્તિ
Page #250
--------------------------------------------------------------------------
________________
૧૯ી
કરવી. એટલે આપો આપ ખરું આત્મ તત્વ જણાશે-અનુભવાશે. અને તત્ત્વજ્ઞાની થવાશે. પરિણામે જે યોગ્ય હશે. તે આપ આપ પરિણામમાં આવી જશે. અને મોક્ષ મળશે
આત્મા મોક્ષ પામે છે. પરંતુ જે આત્મા બંધાય, તેને મક્ષ હેય. માટે આત્માનું કેવું સ્વરૂપ હેય તે બંધ અને મેક્ષ ઘટી શકે? ધર્મ છે? અને અધર્મ શ? તેથી મોક્ષનું સ્વરૂપ ઘટાવવા આત્માના સ્વરૂપની ચર્ચા કરી છે કેમકેઅઢાર દેષ રહિત કેવળજ્ઞાની આત્મા છેવટે તે મુક્ત થઈને સિદ્ધ પરમાત્મા બને છે.
આત્મા છે. આત્મા નિત્ય છે. આત્મા પરિણમી છે આત્માને કર્મોના બંધન વળગે છે. આત્મામાંથી કર્મોના બંધન દૂર થાય છે. આત્મામાં કર્મ બંધવાના કારણે હોય છે. આત્મામાં તેનાથી મુક્ત થવાના કારણ સંજોગે હેય છે. આત્મા પિતાના કર્મોને ઉદય ભેગવે છે આત્મા વિષ્ણુ છે. આત્મા દેહ પરિમાણ પણ છેઆત્મા ગતિશીળ છે. અરૂપી છે. અસંખ્યપ્રદેશમય છું. દીવાના પ્રકાશની માફક સંકેચ. ' વિકાસ પામે છે. અનંત જ્ઞનઃ અનંત દર્શનઃ અનંત ચરિત્રઃ અનંત વીર્ય મય છે. બીજા પણ અનંતગુણમય છે. આત્માના અનંતગુણે તિરહિત અને અનંતગણે આવિર્ભત હોય છે. આત્મામાં સંસાર ગ્યતા અને મોક્ષ મેગ્યતા ગુણ છે. છેદ્ય અભેદ્ય છે. વર્ણગંધા રસ અને સ્પર્શ રહિત છે. અનાદિકાળથી અને અનંતકાળ સુધી રહેશે પોતપોતાની તથા—ભવ્યતાના પરિપાક પ્રમાણે તે જીવે છે. સ્વગુણથી ભિન્ન ભિન્ન સ્વભાવ વિભાવઃ પરિણામે કરી પરિણામિ વિગેરે
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૯૨
આત્માનું સ્વરૂપ માનવામાં આવે, તેજ આ જગતમાં બનતી ઘટનાઓ ઘટી શકે છે. નહીંતર, ઘટી શકે જ નહીં.
આત્મ પદાર્થ વિષેની જૈન ધર્મની માન્યતા સાંગપાગ વિજ્ઞાન-શુદ્ધ અને વ્યવસ્થિત છે.
જુદા જુદા વિષયના જ્ઞાતા વૈજ્ઞાનિક ગણાય. સર્વ વિજ્ઞાનના સરવાળા રૂપ વિશ્વની સમગ્ર ઘટનાઓને જ્ઞાતા, વિશ્વ વૈજ્ઞાનિક ગણાય. અને આત્માના જીવન વિકાસમાં તે સર્વને ઉપગ કરવાની ચાવીઓ જાણું ઉપયોગ કરે, તે તરવજ્ઞાની કહેવાય.
૨૧, શ્રી–નમિ-નાથ-જિન સ્તવન મોક્ષ અપાવવામાં ખાસ સમર્થ જૈનદર્શનની વિશાળતા
[અઢાર દેષ રહિત થઈ, કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, શ્રી તીર્થંકર પરમાત્મા મોક્ષમાં જતાં પહેલાં જગતના જીવે ઉપર લકત્તર-ભાવ-ઉપકાર કરવા માટે ધમતીર્થની સ્થાપના કરે છે. માટે ધર્મને ઉપદેશ આપે છે. સર્વોપદિષ્ટઃ અબાધિત તત્ત વ્યવસ્થાથી ભરપૂર છે જેને દર્શનરૂપ ધર્મ-તીર્થ કેટલું વિશાળ સાંગોપાંગ: સાધનસંપત્તિથી વ્યવસ્થિતઃ સત્ય અને પરમાર્થ રૂપ છે? તે આ સ્તવનમાં બતાવેલ છે. એ ધર્મ-તીર્થની મદદથીજ ભૂતકાળમાં અનંત તીર્થકરે અને બીજા અનંત જીવે મોક્ષમાં ગયા છે. વર્તમાનમાં જાય છે. અને ભવિષ્યમાં અનંતગુણા
Page #252
--------------------------------------------------------------------------
________________
૧૯૩
તીથંકરા અને જીવા મેાક્ષમાં જશે. તે મહાતી: મહા દનની વિશાળતા બતાવે છે. ૨૦ મા સ્તવનમાં મધ અને માક્ષ ઘટી શકે, તેવું આત્માનું પરવરૂપ કેવું હાવું જોઇએ ? તે વિષે જુદા જુદા દશ નકારાના મતાની એકાંત માન્યતાના દોષો મતાન્યા છે, છતાં સ્યાદવાદ દૃષ્ટિથી જૈન દર્શનમાં સર્વનું સ્થાન ધ્રુવી રીતે સ ંગત છે ? તે આ સ્તવનમાં છે. ]
"(
( યાગ—આશાવરી “ ધનધન સ`પ્રતિ સાચા રાજા.” એ દેશી) ષડ્-દરિશણ જિન--અંગ ભણીજે, ન્યાસ ષડંગ એ સાથે, રે મિજિન-વરના ચરણુ–ઉપાસક ષ–દરશણુ આરાધે રે
પડ૦ ૧
[ ષ=૭, દશિણુ–દષ્ટિ, મત, દશન, જિન-અ*ગ= જિનેશ્વર દેવનાં આગામાં ભણીજે=કહી શકાય. ન્યાસ= ગોઠવણ, ષડ ગ=છ અંગે. સાથે-સાધવા. ઉપાસક સેવ કરનારા. આરાધે સેવે, પૂજે. ]
છ અંગેામાં છ દર્શનની સ્થાપના કરીને શ્રી જિનેશ્વરપ્રભુનાં અંગ રૂપે છયેય દર્શન કરી શકાશે. અને એ રીતે છં અંગમાં મંત્રાક્ષરાદિકના ન્યાસ સાધીને શ્રી નમિ જિનેશ્વર પ્રભુના ચરણાની ઉપાસના કરનાર છેવટે ધ્યેય દર્શનને આરાધક--ઉપાસક બની જાય છે.
૧
નમ એટલે નમનારા, ચરણ ઉપાસક. એમ મિ
૧૩
Page #253
--------------------------------------------------------------------------
________________
નાથમાંના નમિ શબ્દની શ્લેષથી સાર્થકતા સૂચવી છે. તથા પતંગન્યાસની ધ્યાનની રીત પણ સૂચવી જણાય છે.
એમ કરીને આખા સ્તવનના ભાવનું પહેલી જ ગાથામાં બીજ રૂપ ટૂંકામાં સૂચન પણ કરી દીધેલું જણાય છે. જિન-સુર–પાદ-૫-પાય વખાણું .
સાંખ્યા જેગ; દોય ભેદે રે આતમ-સત્તા-વિવરણ કરતાં
લહા દુગ–અંગ અ–ખેદે. રે ષડૂ૦ ૨
[જિન-સુરપાદ-૫–પાય જિનેશ્વરરૂપી કલ્પવૃક્ષના પગ. વખાણું વર્ણવું, સાંખ્ય સાંખ્ય દર્શન, જેગોગ દર્શન. આતમ-સત્તા-વિવરણ–આત્મા હવા ન હોવાનું વિવેચન. દગ–અંગ-બે અંગે અથવા બીજા સૂત્રકૃતાંગમાં લહે=જાણી શકશે. અમે કંટાળા વિના, સરળતાથી.]
આભાની વિદ્યમાનતા વિષે વિવરણ કરનારા, સાંખ્ય દર્શન અને વેગ દર્શનઃ દર્શનના એ બે ભેદને જિનેશ્વર રૂપી કલ્પ વૃક્ષના બે પગ તરીકે વર્ણવાય છે. માટે, એ બે અંગો ખેદ વિના સરળતાથી જિનેશ્વર પ્રભુને ઊભા રહેવાના મજબૂત પગ-ઝાડનાં મૂળિયાંની જેમ સમજી લે. અથવા બીજા સત્રકતાંગ અંગમાં આત્મ સત્તા વિષે વિવેચન કરાયેલ છે. તે સાંખ્ય અને યોગ સાથે મળતું છે. તે ખેદ વિના સહેલાઈથી સમજી શકશો.
Page #254
--------------------------------------------------------------------------
________________
૧૯૫
ઋષભદેવ પ્રભુના પૌત્ર મરીચિ મુનિના શિષ કપિલમુનિ પ્રણિત સાંખ્ય દર્શન આત્મા–પુરુષ માને છે. અને તેનું ખુબ વિસ્તારથી વર્ણન કરે છે. કર્મ-પ્રકૃતિ–તેની સાથે જોડાયેલી છે. જેથી, તે પુરુષ સાંસારિક ભાવમાં રાચે છે, કનકપલવત પયડી–પુરુષ તણી રે જડી અનાદિ સ્વભાવ
સ્તવન છે એજ રીતે પંતજલિ મુનિ પ્રણિત યોગ દર્શન આત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવી મુકત કરો મેક્ષમાં પહોંચાડવામાં મદદ કરવા
ગની અનેક પ્રક્રિયાઓ બતાવે છે. યમઃ નિયમઃ આસનઃ પ્રાણાયામઃ પત્યાહાર: ધારણાઃ ધ્યાન અને સમાધિ એ આઠ અંગોનું વિવેચન કરે છે. ભેદ અ-ભેદા સુગર મિમાંસક
જિન વર-ય-કર-ભારી. રે લેકાર્ડ-લેક અવલંબન ભજિયે
ગુ–ગમથી અવધારી. રે પડુત્ર ૩
ભેિદનાશ. જુદાપણું અભેદએકતા. સુગત=બૌદ્ધ દશન. મિમાંસક= જૈમિનીય દર્શન-પૂર્વ મિમાંસા. વેદાંત દર્શન–ઉત્તર મિમાંસા ભારી=મોટા લેક-ડ-લો= લેક અને અલેક અવલંબન.કે. ભજિયે સેવીએ. ગુરુગમથીeગુરુ પાસેથી મળેલી સમજણપૂર્વક અવધારી સમજીને. ]
ભેદવાદી બૌદ્ધા અને અભેદવાદી મીમાંસક-ઉત્તર મીમાંસક વેદાન્ત એ બેના મત ગુરુ ગમથી સમજશે, તે
Page #255
--------------------------------------------------------------------------
________________
લોક અને અલોકના આધાર ભૂત હોવાથી તે બન્નેય દર્શનો શ્રી જિનેશ્વર દેવના મોટામાં મોટા બે હાથ છે, માટે તેને પણ તે રીતે સમજીને ભજવા જોઈએ જ. ૩
- બૌદ્ધો દરેકે દરેક વસ્તુને વિશેષ માને છે. અને ક્ષણિક માને છે. અને વેદાંત એક રૂપ: અભેદરૂપ: અને સદા નિત્ય જગત માને છે. એ બનેય માન્યતાઓ એકાન્ત રૂપ હેવાથી ખેતી કરે છે, પરંતુ શ્રી જિનેશ્વર પ્રભુના અંગ તરીકે ગણવાથી તે બન્નેય વાત બરાબર વિશ્વમાં ઘટે છે. જગતમાં એ કોઈ પણ પદાર્થ નથી, કે જેમાં ઉત્પત્તિ વ્યય: અને સ્થિરતા એ ત્રણ તત્વ ન હોય દીવાથી માંડીને આકાશ સુધીના લેકાલેકના તમામ પદાર્થોમાં એ ત્રણ તત્ત્વ છે. દીવે થાય છે, અને ઠરી જાય છે, છતાં પરમાણુ રૂપે સ્થિર છે. આકાશ નિત્ય છે પણ તેમાં અવકાશ દાન પર્યાય દરેક વસ્તુ પાર ઉપજે છે, અને મટે છે. માટે, ઉત્પતિ અને નાશ એ બૌદ્ધોને મતઃ તથા નિત્યપણું એ વેદાંતને મતઃ એ બન્નેય જિન દર્શનમાં બરાબર ઘટે છે આખી વિશ્વ વ્યવસ્થા તેને આધારે જ રહેલી છે. લોકાયતિક કૂખ જિનવરની.
અંશ વિચારી ને કીજે રે તત્ત્વ-વિચાર-સુધારસ–ધારા
ગુરુ–ગમ–વિણ કિમ પીજે? રે ૫૦ ૪ [[લોકાતિક ચાર્વાક દર્શન કૂખ-પેટ. અંશ= વિભાગ. વિચારી=વિચાર કરીને. તત્વવિચાર-સુધા
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૯૭
રસધારાતત્વ વિચાર રૂપ અમૃત રસની ધારા, મુરુગમવિણ=ગુરુએ કરાવેલા માર્ગ દર્શન વિના.]
અંશની-નયની દષ્ટિથી વિચાર કરીએ, તો લેકાયતિકચાર્વાકદર્શન પણ શ્રી જિનેશ્વર દેવનું કૂખ-પેટ ગણવું પડશે. ગુરુ મહારાજા એ કરાવેલા માર્ગ દર્શન વિના, તત્વ વિચાર કરવાથી પ્રાપ્ત થતી અમૃત રસની ધારાને પ્રવાહ કઈ રીતે પી શકાય ? “નાસ્તિક દર્શન પણ શ્રી જૈન દર્શનનું અંગ છે. એ વાત ગુચ્ચમ વિના શી રીતે સમજી શકાય? ૪
ચાર્વાક દર્શન તદ્દન સામાન્ય બુદ્ધિના જીવને “ચાર ભૂત છે” એટલા પૂરતા પ્રાથમિક કોટિના તત્વજ્ઞાનના વિચાર તરફ પણ સાધકને દેરવવામાં મદદ કરે છે. તત્વજ્ઞાનનું સ્થલ કલેવર તે દર્શન જિજ્ઞાસુ સામે રજુ કરે છે. પછી જેમ જેમ જિજ્ઞાસુ સાધકની જિજ્ઞાસાવૃત્તિ આગળ આગળ વધતી જાય, તેમ તેમ વધુ ઊડે તત્ત્વજ્ઞાનમાં ઉતરીને છયેય દર્શનનું સ્વરૂપ અને તેથી ઉત્પન્ન થતું તત્વજ્ઞાન સમજે. અને છેવટે, અતિ સૂક્ષ્મતર જૈનદર્શન સમજીને પાક તત્વજ્ઞાની થઈ શકે છે. એમ તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની પૂર્વ ભૂમિકા રૂપે પ્રાથમિક પગથિયારૂપ-સ્થૂલ-ખારૂ–પેટફળ --કઠારૂપ ચાર્વાક દર્શન પણ જેન તત્વજ્ઞાનનું અંગ બને છે. પરંતુ આ સમજ ગુરુ-ગમની મદદથી નયવાનું જ્ઞાન કરીને મેળવી શકાશે. તે વિના નહીં મળી શકે. જેનઃ જિનેશ્વર-વર-ઉત્તમ-અંગ
અંતરંગઃ બહિરંગે રે
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૯૮
અક્ષર-ન્યાસ–ધરા આરાધક
આરાધે ધરી સંગે. રે ષડૂ ૫
[ જૈન જૈનદર્શન. ઉત્તમ-અંગ=માથું, અંતરંગ= અંદરનું. બહિરંગ બહારનું, અક્ષર-ન્યાસ ધરા=અક્ષરોની સ્થાપના ધારણ કરનારા. આરાધક=આરાધના-ભકિત કરનારા ]
પ્રસિદ્ધ જૈન દર્શન તે શ્રી જિનેશ્વર પ્રભુનું બહારથી અને અંદરથી ઉત્તમાંગ છે. એટલે કે બહારથી મસ્તક છે. અને અંદરથી ઉત્તમ શ્રેષ્ઠ અંગ છે. એ દર્શનને સંગ કરીને આરાધક એવા અક્ષર ન્યાસ ધરા-શરીરના જુદા જુદા અંગો ઉપર અક્ષરના ન્યાસ કરીને ધ્યાન કરનારા ચૌદ પૂર્વધર અને ગણધર ભગવત જેવા ગી પુરુષો એ મહા યાનની સાધના કરી શકે છે. એ મહાધ્યાન જૈન દર્શન વિના ક્યાંય નથી. ૫
જૈન દર્શન વિના-ચૌદ પૂર્વેના જ્ઞાન વિના-એ મહા તત્વનું જ્ઞાન જગતમાં સંભવિત નથી, અને ધ્યાન એટલે આત્માની ધ્રુવતા સંભવિત નથી. કેમકે–એ વાત બીજા કે પણ ઠેકાણે નથી. માટે, તે જેમ બહારથી બુદ્ધિગ્રાહ્યા વિશાળ તથા જ્ઞાનમય દર્શન છે. તેમજ અંદરથી તેના બાળ
જીવથી માંડીને પરમ યોગી સુધીના આચારો-અનુષ્કાનેવિગેરે આત્મ વિકાસના સંખ્યાતીત ઉપાયના ખજાના રૂપ એ દર્શન છે. તેથી તેના સંબંધથી મહાઆરાધકે મહા ધ્યાન કરી શકે છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
૧૯૯
જિન–વરમાં સઘળાં દર્શન છે. દર્શોને જિન-વર ભજના, રે સાગરમાં સધળી તટની સહી.
ટિનીમાં સાગર–ભજના, રે
૧૦૬ [ ભજના=હાય કે ન હાય સાગર=સમુદ્ર સહી= નક્કી, જ. તર્ટિની=નદી. ]
એ રીતે, જેમ સમુદ્રમાં બધી નટ્ટીએ સમાય જ છે, પણ નદીમાં સમુદ્ર હેાય કે ન પણ àાય. તે પ્રમાણે શ્રી જિનવર [ભાષિત દર્શન]માં સધળાંયે દર્શના આવી જાય છે, અને ખીજાં દર્શનામાં જિનવર-જૈન દર્શન હૈાય, કે ન પણ ઢાય.૬
કેમકે–બીજા દેશના એક એક વાતની મુખ્યતાએ રચાયેલા છે. ત્યારે જૈનદર્શન વિશ્વની તમામ વસ્તુઓનું સ્યાદ્વાદ દષ્ટિથી અવલેાકન કરીને નિરુપણુ કરનાર હોવાથી અનેક દૃષ્ટિ બિન્દુએથી સિદ્ધ થતી અનેક પ્રકારની વ્યવસ્થિતત-ત્વ દષ્ટિ બતાવનાર હોવાથી તેમાં સઘળાંચે દર્શન સમાય છે. પરંતુ, તે જૈનદર્શન બાકીના દાનામાં અંશત: દેખાય છે, પણ સ ંપુર્ણ ન દેખાય, એ સ્વાભાવિક છે. જ્યાંસુધી સમ્યક્ત્વ પ્રાપ્તન થયું હોય, ત્યાંસુધી કાઇપણ સંપ્રદાય કે દર્શન મારફત જીવ અંશથી જૈન ધર્મની આરા થના કરે છે. ત્યાર પછી સર્વીશે જૈન દર્શનની આરાધના પ્રાપ્ત થાય છે.
જિન-સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિન-વર હાવે. રે
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૦૦ ભેગી ઈલિકાને ચટકાવે,
તે ભંગી જગ જોવે. રે - ૫૦ ૭
[ગી=ભમરી. સહી=ોક્કસ. ઈલિકા=ઈયળ. ચટકોવેન્કરડે. ]
જેમ પ્રાથમિક દશાના ભમરીના ઈયળ રૂ૫ બચ્ચાને ભમરી પોતાના ડંખથી ડંખ મારે છે, ત્યારે તે ઈયળ તે ભમરીના ધ્યાનમાં લીન થઇને જેમ કાળાંતરે ભમરીરૂપે બહાર નીકળે છે, એટલે પછી ઈયળ રૂપાંતર પામીને એકવીશદિવસે ભમરી થઈ જાય છે.” એવું લેકમાં કહેવામાં આવે છે, તે પ્રમાણે જે જિન સ્વરૂપ થઈને-તન્મય થઈને જિનેશ્વર દેવની આરાધના કરે, તે ચેકસ જિનેશ્વર થાય જ.
સર્વ દર્શનમય જિનેશ્વર થવા માટે જિનરૂપ થઈને જિનેશ્વરનું ધ્યાન કરવું જોઈએ. શ્રેયઃ ધ્યાનઃ અને ધ્યાતા એકરૂપે-અભેદ રૂપે થાય, ત્યારે તે ધ્યાતા આત્મા પણ જિનેશ્વર બની જાય છે. પિતાના આત્માને જે જે રૂપે ભજશે, તે તરૂપે થશે. અહીં સમાપત્તિ નામના વેગના પ્રકારની સૂચના છે. ચૂર્ણિઃ ભાષ્ય સૂત્રઃ નિર્યુકિતઃ
વૃત્તિ: પરંપર–અનુભવઃ રે સમય-પુરુષનાં અંગ કહ્યાં એ. જે છે, તે દુર્ભવ. રે
ષ૦ ૮ ચૂિર્ણિ=પ્રાકૃત ભાષામાં ટીકા. ભાષ્ય સંક્ષેપમાં સૂત્રને
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૦૧ અર્થ. સૂત્ર=મૂળ સત્ર, નિર્યુક્તિ પદોના અક્ષરે છુટા પાડી અર્થ કરનારી વિવેચના વૃત્તિ સંસ્કૃતમાં ટીકા. પરંપરઅનુભવ ગુરુ-શિષ્યની પરંપરાથી ચા આવતે અનુભવ. સમય–પુરુષ-શાસ્ત્ર રૂપી પુરુષ. છેદે=નાશ કરે, વિપરીત પ્રતિપાદન કરે, તેને અપલાપક. દુર્ભાવ દુર્ભવ્ય, પાપી.
ચૂર્ણિક ભાષ્યઃ સૂત્ર: નિયુક્તિઃ વૃત્તિ અને ગુરુ-શિષ્યની પરંપરાથી ચાલ્યો આવતો અનુભવ ઃ એ છયેય જૈન શાસ્ત્રપ્રવચન–સમયરૂપી પુરુષનાં છ અંગો છે. તેમાંનાં એકનો પણ ઉચ્છેદ કરે, એકને પણ ન માને, તે દુર્ભ મહાદેષિતથાય છે, અથવા જે છેદે, તેનું ખંડન કરે, તેનું ન માને, તે દુર્ભાગ્ય જેવો માને.
૧ પ્રભુ મુખથી અર્થ ગંભીર વાણી સાંભળી ગણધર ભગવંતે જે શાસ્ત્રો ગુંથે, તે, અને બીજા સુવિહિત સંપૂર્ણ દશ પૂર્વધર સુધીના પુરુષો જે જે જિનાગમાનુસાર ગુંથે, તે સત્ર કહેવાય આગમ કહેવાય એવા આજે ૪૫ આગમે વિદ્યમાન છે. પૂર્વે ૮૪ હતાં.
૨ સૂત્રોના ભાવ અને રહસ્યનું વિશાળતાથી પૃથકકરણ કરનારી વિવેચન પદ્ધતિને નિયુક્તિ કહેવામાં આવે છે. તેવી ભદ્રબાહુ સ્વામિની કરેલી આવશ્યક સૂત્ર વિગેરે સૂત્રો ઉપરની દશાનિર્યુક્તિ મળે છે
૨ સૂત્ર અને નિર્યુક્તિના ભાવ સમજાવનાર વિવેચન પદ્ધતિને ભાષ્ય કહેવામાં આવે છે. તેવા ભાગે ઘણું છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૦૨
૪ સૂત્રઃ નિયુક્તિ; અને ભાષ્યઃ એ ત્રણેયને પ્રાકૃત ભાષામાં ટુકામાં સમજાવનાર ચૂણ કહેવાય છે. આવશ્યક ચૂર્ણ : નદિચૂર્ણિઃ વિગેરે ઘણી ચૂર્ણિ આ છે.
૫ ઉપર જણાવેલા પાંચેયને વિસ્તારપૂર્વક સરળતાથી સમજાવનાર, વિવેચનાને વૃત્તિ-ટીકા કહેવાય છે. તેવી વૃત્તિએ અનેક છે.
૬ જૈનદર્શનને લગતી ઘણી ખરી નાખતા ઉપર જણાવેલા પાંચેય પ્રકારના ગ્રંથામાં આવે છે, તે ઉપરાંત, ગુરુપર પરાથી કર્ણોપકણુ ચાલી આવતી વાતો, અનુભવ, વૃદ્ધોને અનુભવઃ અને તેને લાગતું વાડ્મય એ સઘળા જૈન ઇનજૈન શાસ્ત્રાના મુખ્ય વિભાગેા છે. તે સઘળાને યથાયાગ્ય માન આપવું જ જોઈ એ
જગમાં એવું કેાઇ પણ-જ્ઞાન-વિજ્ઞાન વિજ્ઞાન નથી, કે જેના વિચાર એ છ અંગામાં ન આવતા હોય. મુદ્રાઃ બીજ: ધારણા: અક્ષરઃ ન્યાસઃ અર્થ-વિનિયેાગે રે જે ધ્યાવે, તે નવ વંચીજે ક્રિયા-અવચક-ભોગે રે
૧૦ ૯ [ સુદ્રાઃ=આકૃતિ. બીજ=મત્ર બીજ, ધારણા=એક જાતનું ધ્યાન અક્ષર-ન્યાસ=અક્ષરાની સ્થાપના અથવા અક્ષર=અક્ષરો ન્યાસસ્થાપના. વિનિયેગે=જોડાણુકરીને ધ્યાવેધ્યાન ધરે. નવિ વહેંચીજેન છેતરાય ક્રિયા-અવ ચક ક્રિયા-ડ-વચક નામના ચેગ. ભાગે=ભાગવટા.
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૦૩
હસ્તાદિકની મુદ્રા, ખીજ રૂપ ૐ વિગેરે મંત્રાક્ષર : તેની ધારણા-તેના ઉપર ચિત્તની એકાગ્રતા મંત્રની સાથે ખીજા કેટલાક અક્ષરા : તે સર્વની પણ હૃદયાદિકમાં ચેાગ્ય ઠેકાણું ધ્યાન વખતે ન્યાસ-સ્થાપના, અને તેના અર્થના વિનિચાણ-સ ંબંધ કરીને, એ છ રીતે જે ધ્યાન ધરે, તે કદી સ ંસાર વર્ધક કષાયાદિકથી ઠગાય નહીં. અને ક્રિયા–ડ–વચક નામના ચાગના ભાક્તા થાય,
૧૦ મી કડીમાં જણાવ્યા પ્રમાણે ગુરુગમ વિના મુદ્રાદિકથી ધ્યાનની પ્રક્રિયા કરી શકાય તેમ નથી. માટે, ક્રિયાઅવચક અવશ્ય યાગાવ'ચક ગુરુ સમાગમી àાય જ. અને ક્રિયા-ડ-વ′ચક ચેાગની સિદ્ધિ પામેલ જીવ અવશ્ય ફળાવ ચક ચેગ પામે જ.
શ્રુત-અનુસાર વિચારી બોલું, “સુ-ગુરુ તથા-વિધ ન મિલે, રે કિરિયા કરી નવિ સાથી શિકચે.”
એ વિષ-વાદ ચિત્ત સધલે. રે
૫૦ ૧૦
[ શ્રુત=શાસ્ત્ર તથા વિધ=તેવા પ્રકારના વિષવાદ= ખેદ ચિત્ત=મતમાં સઘલે-દરેક ઠેકાણે. ]
આ બધી વાત હું શ્રુત–આગમ—શાસ્રોને અનુસારે કહું છું “મને પેાતાને એ ધ્યાન ધરવાનેા તેવા પ્રકારના ગુરુગમ મળ્યો નથી; તેથી ક્રિયા કરીને એ ધ્યાનથી સાધવા ચાગ્ય
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૦૪
સાધના અને સાધી શકતા નથી.” એ સધળી બાબતના અમારા મનમાં ધણા વિખવાદ–ખેદ છે. અમારા સંસાર હજી કેટલા બધા ખાકી હશે ? કે જેથી અમને હજુએ સામગ્રી પ્રાપ્ત થઈ નથી. તેથી અમારા મનમાં ભારે ચિંતા છે." ૧૦
પંચમ કાળમાં શ્રુત થે!ડું, તેના જ્ઞાતા થેાડા, તેના ચાગ પણ કવચિત થાય. કેટલીક આમ્નાયા ઢાળ દાખે લાય પામી ગઈ છે. તેના ગુરુ–ગમ મળવા જ મુશ્કેલ છે. કે જેના અનુભવને સીધે લાભ મળે. એવા વિષમ કાળમાં અમા આવી પડયા છીએ. આપના કાળે કયાં રખડતા હાઈશું ? નહીંતર તેા, આપની પાસેથી મધુ જાણીને સાધના કરત. પરંતુ કમનસીબે વિષમ કાળમાં અમે આવી પડયા છીએ. છતાં, શાસ્ત્રોના કાંઇક ટેકા છે. તથા ખીજા ઘણાં સાધના હુજી મળે છે. એટલેા સ ંતાષ છે. બાકી તુરત મેક્ષ નથી મેળવી શકતા કેમકે તથા પ્રારની સામગ્રી મળતી નથી. તેમજ લાયકાત પણ હજી તેવી પ્રાપ્ત થઈ નથી, એ વિગે રૈના ખેદ થાય છે. કેમકે-ઉંચા પ્રકારના ત્રણેય અવ ચક યોગેની યથાવિધિ–સંપૂર્ણ પ્રાપ્તિ થઈ શકી નથી તે માટે ઉમા કર જોડી, જિન–વર આગળ કહિયે. રે સમય-ચરણ–સેવા શુદ્ધ દેશે
૧૦ ૧૧
જિમ આનંદ-ધન લહિયે. રે [સમયશાસ્ત્ર અથવા તે મારફત પરમાત્મા. આનંદ -ઘન=મેાક્ષ, લહિયે=મેળવીએ. ]
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૦૫
તે માટે નિરાશ ન થતાં, નામ: સ્થાના અને દ્રજિનપર પ્રભુને ગ પૂર્વના પુણ્યના બળથી પામીને શ્રી જિનેપર આગળ હાથ જોડીને ઉભા રહીને કહીએ છીએ, કે – હે જિનેશ્વર દેવ! જે રીતે અમને આનંદ ઘન-મોક્ષ મળે, તે પ્રમાણે આપનાં દર્શન, શાસ્ત્ર, આગમ-પ્રવચનની શુદ્ધ સેવા કરી શકીએ, તેવી સામગ્રી આપજે.”
ફલાવંચક યુગની માંગણી કરવામાં યોગાવંચક અને ક્રિયાવંચક એ બે ની માંગણે આવી જ ગઈ. ૧૧
૬ ગાથા સુધીમાં છ દર્શનની જૈન દર્શનમાં ઘટના કરી, પછી છ–૮–૯–૧૦ગાથામાં જૈનદર્શનની પ્રાપ્તિથી કેવી રીતે આત્મ વિકાસ થાય? તે બતાવેલ છે. એટલે આ સ્તવનમાં, માત્ર જૈનદર્શનમાં છ દર્શનજ ઘટાવ્યાં છે, એટલું જ નથી. પરંતુ ૭ મી ગાથાથી જૈન દર્શન મોક્ષ પ્રાપ્ત થવામાં કેવી રીતે ઉપયોગી થાય છે ? અથવા તે પ્રબળ નિમિત્ત કેવી રીતે છે? તે બતાવેલ છે. શાસ્ત્રાભ્યાસ, તેની વફાદારી, આજ્ઞાનું પાલન, કૃતધરપણું ધર્મ અને શુકૂલ, ધ્યાના ભેદ ધ્યાન અભેદ ધ્યાન અને છેલ્લે મોક્ષ પ્રાપ્તિઃ તેમાં જૈનદર્શન કેટલે ભાગ ભજવે છે ? તે બતાવેલ છે. . ભાવાર્થ – જૈન દર્શન છયેય દર્શનના સમૂહ રૂપ છે. અને એ વાત તેનાં-સૂત્રઃ નિર્યુક્તિઃ ભાષ્યર્ણિ વૃત્તિ અને ગુરુ–પરંપરાથી ચાલ્યા આવતા અનુભવ: રૂપ છે અંગવાળા તેના શાસ્ત્રો જેવાથી બરાબર સમજાય તેમ છે. જૈનશાસ્ત્રોમાં નિપુણું અક્ષર મંભિન્ન લબ્ધવાળા પુરુષ
Page #265
--------------------------------------------------------------------------
________________
૦૬
બીજઃ મુદ્રાઃ ધારણઃ અક્ષરઃ તેના ન્યાસ-યેાગ્ય સ્થાને ધ્યાન વખતે સ્થાપના તથા અંનુ જોડાણુઃ એ છ રીતે શ્રતની મદદથી શુક્લ ધ્યાનના પ્રથમ બે પાયાનું ધ્યાન કરીને પુરા ક્રિયાઅવ'ચક ચેાગી બને છે. જૈન દન વિના પૂરા યેગી ન બની શકાય. જો કે, આ ધ્યાન કેવી રીતે થાય છે? તેની માહિતી સ્તવનકારને નથી. પણ તે ન હાવાની ખામી તેમને ભારે ખટકે છે. તેની તેના હૃદયમાં મળતરા થાય છે
સાંખ્યઃ ચેાગ: નયાયિક વૈશેષિકઃ પૂર્વમીમાંસા-જૈમિની દર્શનઃ અને ઉત્તર મીમાંસા-વેદાન્ત દનઃ એ છે દેશના વેદને અનુસરનારા હોવાથી વેદિક દશના કહેવાય છે.
બૌદ્ધઃ અને જૈન એ એ પણ સ્વત ંત્ર આસ્તિક દર્શના છે. અને તે બન્નેયના શાસ્ત્રો પણ જુદા છે. લેકાયતિક-ચાર્વાક દન નાસ્તિક દન ગણાય છે, અને તે પ્રત્યક્ષ પ્રમાણને જ તથા બહાર દેખાતી વસ્તુઓને જ માને છે.
આસ્તિક દર્શનની વ્યાખ્યા એ છે, કે—આત્મા અને તેને પલાક તથા મેક્ષ છે.” એમ માનીને આધ્યાત્મિક વિકાસને જીવનના આદર્શ માનીને માનવી જીવન માટે આધ્યાત્મિક સ ંસ્કૃતિ રચે, તેને ટેકા આપે, અને તેનું રક્ષણ કરે, તે આસ્તિક માર્ગાનુસારી અને માસ્થ્ય કહેવાય. આધ્યાત્મિક-જીવન—સંસ્કૃતિને ન માને, ન ટકાવે, ને તેને ધક્કો લગાડે, તે નાસ્તિક, મહામિથ્યાત્વી, જડવાદી કહેવાય.
પરંતુ, આ સ્તવનમાં છ દર્શન ખીજી રીતે માપેલાં છે. સાંખ્ય, ચેાગ, મીમાંસક, બૌદ્ધ, જૈન અને લેાકાયતિક,
Page #266
--------------------------------------------------------------------------
________________
२०७
નૈયાયિક અને વૈશેષિકને સાંખ્ય કે યાગમાં, અને વેદાંતને મીમાંસકમાં લઇ લીધા છે. અથવા ચેાગ દર્શનને સાંખ્યમાં ગણીને, યાગ એટલે નૈયાયિક એવા પણ અર્થ ટખામાં કરેલ છે.
જૈન દર્શન બધી રીતે ઉત્તમ અંગ રૂપ છે. તથા શુક્લ યાનના પહેલા એ પાયાનું ધ્યાન: એ જૈન દ્વાદશાંગીના ધારક હાય, તે જ કરી શકે છે--ત્રીજા કરી શકતા નથી.
બીજા દના જુદા જુદા એક એક વિજ્ઞાન રૂપ છે, ત્યારે જૈન દર્શન સફળ વિજ્ઞાનાના સરવાળા રૂપ તત્ત્વજ્ઞાનમય દર્શન છે ત્રણ કાળમાં તેવું કોઇ પણ દર્શન ઉત્પન્ન થયું નથી. વિદ્યમાન નથી ઉત્પન્ન થઇ શકશે પણ નહીં. જૈન દર્શન જગતનું અનેક દષ્ટિથી નિરુપણ કરે છે. તેથી તેમાં છ કરતાં પણ સંખ્યાબંધ-દર્શના દષ્ટિએ સમાતી હાવાથી સેંકડા બલ્કે સંખ્યાબંધ દશનાના સમૂહ રૂપ છે. જૈન દર્શનના અભ્યાસીઓને આ વાત સ્પષ્ટ થયા વિના રહેતી નથી.
આ સ્તવનમાં:—(૧) શ્રી જિનેશ્વર દેવના ઉપદેશમાં છ દર્શન ઘટાવ્યાં છે. (૨) જૈન શાસ્ત્રો રૂપ સમય પુરુષશાસ્રરૂપ-પુરુષનાં ચૂર્ણિ વિગેરે છ અંગા બતાવીને, તેની પ્રામાણિકતાનો ખ્યાલ આપ્યા છે . (૩) છ રીતે ધ્યાન પ્રક્રિયા બતાવી છે. અને (૪) એ છ ધ્યાન પ્રક્રિયા કરતી વખતે શરીરનાં કયા કયા અંગામાં કયા કયા મત્રાક્ષા અને તેની સાથેના ખીજા અક્ષરા નિયુક્ત કરવા ? તેનું વણુન
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૦૮
કર્યું નથી, પણું સૂચના કરી છે. (૫) સર્વ માં “જિનવર ધ્યેય તરીકે ખૂબ ઉત્તમ છે” એમ સૂચના કરી છે.
આ સ્તવનમાં નીચે પ્રમાણે છ છ બાબતે આવેલી છે. છ અંગે બે પગ બે હાથઃ એક પેટ એક માથું.
છ દશને –સાંખ્ય યોગ: બૌદ્ધ મીમાંસક ચાવક અને જેનઃ
છ ધ્યાનના અંગે-મુદ્રાઃ બીજ મંત્ર: ધારણા મંત્રાક્ષર શિવાયના બીજા અક્ષરે તેના ન્યાસ, અર્થ.
પ્રવચનના છ અંગે –સૂત્રઃ નિર્યુક્તિ: ભાગ્ય ચૂર્ણિ વૃત્તિ અને પરંપરાને અનુભવ:
કેઈપણ સાધક આત્મા કઈ પણ દર્શનને અશ્રય લઈને પોતાના આત્માની પ્રગતિ ધીમે ધીમે સધત સાધતે આગળ વધે. તેમાં પણ અંશથી જૈન દર્શનોકત વિકાસ માગની સેવા આવી જાય છે. એ રીતે આગળ વધતાં વધતાં
ચેય દશને કે બીજા જે જે સંપ્રદાય હેય. તેમાંથી પસાર થત થતો જૈન દર્શનમાં પ્રવેશ કરે. ત્યાં સમ્યફવ: નવતરવને બધઃ દેશ વિરતિઃ સર્વ વિરતિઃ પ્રાપ્ત કરે. સૂત્ર નિર્યુકિત: ભાષ્યઃ ચૂર્ણિ: વૃત્તિ અને પરંપરાના અનુભવને અનુસરીને જિનાજ્ઞાનું પાલન કરી. તીર્થંકર પ્રભુની આજ્ઞાને આધીન રહી, આગળ વધતાં પૂર્વધર અને દ્વાદશાંગી ધારક થઈ, જિનસ્વરૂપ થવા માટે મુદ્રાઃ બીજઃ ધારણા અક્ષર ન્યાસ અને અર્થ: એ સર્વને વિનિયોગ કરી યાન કરે અને એ રીતે જૈન શાસ્ત્રો મારફત જિનેશ્વર દેવનું ધ્યાન કરે. જિનેશ્વર પ્રભુના
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૦૦
ધ્યાન ઉપરથી તેમની સાથે પિતાના આત્માની અભેદતા ગાવે, તે પછી પિતાના આત્માનું દ્રવ્યઃ ગુણઃ પર્યાયના ભેદથી પાન કરે. પછી ગુણ અને પર્યાયનો દ્રવ્યમાં અભેદ કરીને ધ્યાન કરે. જ્ઞાનઃ દર્શન: ચારિત્રઃ વીર્ય વિગેરે આત્માના અનંત ગુણેના જુદા જુદા યાનની જરૂર રહેતી નથી. એમ અમે ધ્યાનથી-નિર્વિકલ્પ યાનથી આત્મામાં સ્થિરતા પ્રાપ્ત થઈ જાય છે. એ રીતે પરંપરાએ જે આત્મા એક વખત કેઈપણ સંપ્રદાય કે ધર્મની ક્રિયા અનુષ્ઠાન કરીને પ્રગતિ કરતે હતે. તે આત્મા બીજા બધા આલંબને છેડીને પિતે જ દયેયઃ ધ્યાતા અને ધ્યાનઃ સ્વરૂપ બની જાય છે. એટલે પરમાત્મા રૂપ-જિનેશ્વર રૂપ બની જાય છે. પછી તેને કઈ પણ વસ્તુની અપેક્ષા રહેતી નથી. પિતાના જ્ઞાનાદિક ગુણેથી પણ અભેદસ્વરૂપમાં આવી જાય છે. આ રીતે શાસ્ત્રજ્ઞાન અને તેની આજ્ઞા અનુસાર આચરણરૂપ વચનાનુષ્ઠાનને આધારે પરંપરાએ નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થતાં આત્મા પરમાત્મ રૂપ-જિન સ્વરૂપ બને છે. સમાપત્તિ યોગ પ્રાપ્ત થાય છે. આ રીતે છ દર્શનઃ તેને જૈન દર્શનમાં સમાવેશઃ જન દર્શનના મહા પ્રવચનના છ અંગે. તેમાં બતાવેલા યાનનાં છ અંગે તેની મદદથી આત્મા પરમાત્માના ધ્યાનથી પરમાત્મા રૂપ બની જાય જેમ ભમરીના ચટકાથી ઈયળમાંથી તેનું ધ્યાન ધરતાં ધરતાં ભમરી બની જાય, તેમ. અને એ રીતે ક્રિયા અવંચક ચાગ સિદ્ધ થતાં મોક્ષરૂપ ફળાવંચક યોગ સિદ્ધ થાય છે, સિદ્ધ સમાપત્તિ યોગ પ્રાપ્ત થાય. આ સ્તવનમાં આટલું
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૨૦
બધું રહસ્ય સૂચિત કરેલું' જોઈ શકાય છે. ઉપર જણાવેલા ચાર પ્રકારના છ છે અચાની એવી વિવેચના ગુથી છે, તે ઉપરથી આ રહેસ્ય ધ્વનિત થાય છે.
૨૨. શ્રી-નેમિ-નાથ-જિન-સ્તવન ધ્યાતા અને ધ્યેયનો એકતાઃ સાચી પ્રેમિકાના વિરોધાભાસથી પ્રાથમિક ઠપકા
[ ધ્યેય અને ધ્યાતાની લગભગ એકતાનું વર્જુન આ સ્તવનમાં છે. તીથ કરરૂપી ધ્યેય માત્ર નિમિત્ત રૂપ જ જણાય છે. છેવટે તે પોતાના આાત્માજ પોતાના ધ્યેયરૂપ છે. તેથી ધ્યાતા રાજીમતી ધ્યેયરૂપ નેમિનાથ પ્રભુની પહેલાં જ માક્ષમાં પહેાંચી જઈ શકયો છે. ન્યાતા પણ
ધ્યેયની પહેલાં જ ધ્યેયરૂપ બની જાય છે. માહ્ય ધ્યેય પણ
નિમિત્ત માત્ર હોય છે. ખાસ ધ્યેય તે ધ્યાતા પાતે જ છે. સ્વાત્મ શિવાયના સર્વ ધ્યેચે પર—સમયરૂપ છે. પરિણામે –પરની લેશ પણ છાયા વિના કેવળ સ્ત્રશકિતથીજ આત્મા સ્વસ્વરૂપસ્થ થાય છે. 1
61
[ રાગ: મારૂણી: “ ધણુરા ઢાલા ” એ દેશી. ] અષ્ટ-ભવાંતર વાલહી. ૨
તુ મુજ આતમ-રામ. મનના વ્હાલા ! મુગતિ–સ્રીશું આપણે રે સગપણ કાઇ ન કામ,
સન ૧
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૧૧
[ અબ્ઝભ્ભા. ભવાંતરણવામાં, વાલહી= હાથી આતમ-રામ=આત્મામાં રમનારા. હૃદયથી પ્રીય. અનરા= મનમાંના વ્હાલા વ્હાલા, પ્રિય, કામૠામનું, પ્રયેાજન. ]
મુકિત સ્ત્રી સાથે તમારે સગપણ બાંધવાનું કાંઈ પણ પ્રત્યેાજન મને જણાતુ નથી. કેમકે-પાછળના આઠ ભા સુધીમાં દરેક ભવમાં હું તારી વ્હાલામાં વ્હાલી પત્ની હતી; અને તું મારા વ્હાલાનાં વ્હાલા પ્રાણ—આતરામ હતા. આ ભવમાં પણ તમે મારા વ્હાલા છે, તે હવે, મુકિત સ્ત્રી સાથે સગપણ ખંધવાનું શું કામ છે ? બસ, કશુંયે કામ નથી જ.
વિરાધના પરિહાર! મારા જેવી આઠ ભવથી વ્હાલી પ્રેમિકા કરતાં તમારું મન હવે મેક્ષ તરફ ગયું છે. તેથી આપ ખરેખર મેાક્ષગામી પરમાત્મા છે.
૧
મિ એટલે ચક્રની ધરી પણ થાય છે. તેથી શ્રી નેમિનાથ ભગવાનનું નામ અને ધ્યાનમાં તે ધ્યેય તરીકે–નેમિ તરીકે–કેન્દ્ર તરીકે હાવાથી અનેચ રીતે શ્ર્લેષથી સાર્થકતા બતાવી છે.
ઘર આવા હેા વાલિમ ! ઘર આવો. મારી આશાના વિશરામ !
રથ ફેરા, હો સાજન ! રથ ફ્રેશ સાજન ! મારા મનારથ સાથ
મને
મન ૨
[ વાણિવાલમ, વ્હાલા, આક્ષાના વિશ્રામ= આશાના વિસામા, આશા પૂરી કરનારા, સાજન=સજ્જન
Page #271
--------------------------------------------------------------------------
________________
૧૨
સાજન, સ્વજન, મારા અંગતજન, મનારથ=આશા, મનના થ, અભિલાષા, ઈચ્છા. ]
માટે, હું મારા સાજન ! મારા મનારથની સાથે તમારા રચ પાછે ફેરવેશ, પાછા ફેરવા. અને વ્હાલા ! હું મારી આશાના વિસામા! ઘેર આવે! રે ! ઘેર આવેા, જેથી આપની પત્ની થવાના ભાંગી પડેલા મારા મનેરથા ફરીને પાછા સધાઇ જાય, ચાલ્યા ગયેલા મારા મનેારયા તમારા રથના પાછા ફરવા સાથે ફરીથી પાછા કે, અને સફળ થાય-મારી આશા સફળ થાય અને મને વિસામા મળે, તમા મારા સાજન—વજન છે. આટલું કરે. આટલું જરૂર કરશ. આમ રાજુલના હૃદયના ચિત્કાર કવિ પાકારે છે.
વિરાધના પરિહારઃ મારી આશા પૂરવાને બદલે તમે માક્ષ મેળવવાના તમારી પેાતાની અભિલાષા પૂરી કરવા અહીંથી રથ વાળીને ચાલ્યા જાઓ છે. મારા એકલાના કુટુંબી જન મટીને વિશ્વના સાજન બનવા જામે છે. અહે। તમારાં વ્હાલ કેટલા બધા વિશાળ છે ?
ર
નારી પખો શ્યા નેહલી રે ? ”
સાચ કહે જગનાથ !.
મન
મન ૩
ઇશ્વર અરધાંગે ધરી. રે તું મુજ ઝાલે ન હાથ. [ નેહલેા=પ્રેમ. સાચ=સાચુ, ઇશ્વર=મહાદેવ અરમાંગે=અરધે શરીરે. ]
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૧૩
હે જગન્નાથ! સાચું કહે! શું તારા ક્લિમાં એમજ છેને? કે—“ માત્ર બૈરીના એક તરફી પ્રેમની શી કિંમત છે ? પરંતુ વ્હાલા ! તને માલૂમ છે, કે નહીં? ઇશ્વરે—મહાદેવે—તા આખું અરધું શરીર સ્ત્રીનું ધારણ કરેલું છે. તેથીજ તાતેનું નામ અર્ધનારીશ્વર કહેવાય છે. ત્યારે તુ તા મારા હાથ પણ પકડતા નથી. તેા શરીરે લગાડવાની તા વાત શી તારાઅગને અરધા ભાગ આપીને મને અરધી ભાગીદાર અર્ધાંગના નાવવાની તે। આશા જ મારે કયાંથી રાખવી? તમારા દિલની કેટલી કઠારતા છે ? અરેરે ! અને તારે કહેવાનું છેજગન્નાથ. તારે મને શાકમાં ડુબતી નથી ખચાવવી. તેમજ મારા હાથ પણ નથી પકડવા. તે જો તું મારા નાથ થઈ શકતા નથી, તે। પછી જગન્નાથ શાના થવાના ?
વિરાધના પરિહારઃ મહાદેવ જેવા મહાદેવ ગણાતા દેવને પેાતાનું અરધું શરીર સ્ત્રીને વશ કરવું પડયું છે. ત્યારે તમે તેા સ્રીના હાથ પણ ઝાલતા નથી. તેથી તમે જ ખરેખરા વીતરાગ જગન્નાથ મહાદેવ છે. ૩
પશુ—જનની કરુણા કરી રે, આણી હૃદય વિચાર, મન
માણસની કરુણા નહીં. રે એ કુણુ ધર—આચાર ? [ આણી=લાવી. કુણુ=કયા ]
મન૦ ૪
Page #273
--------------------------------------------------------------------------
________________
२१४
પણ તમારા આવા આસાર કાના થરના છે ? તેની સમજણ જ પડતી નથી. હૃદયમાં ખૂબ વિચાર લાવીને પડાઓ જેવાં હલકાં પ્રણીઓ ઉપર પણ તમે દયા વર્ષાવી નાંખી. ત્યારે માણસ જેવા માણસ તરફ ધ્યાન પણ આપતા નથી. કયાને તો તમારામાં છાંટોયે નથી. હાય રે ! હાય
વિરોધને પરિહારક પશુઓ ઉપર પણ દયા છે, અને માનવ ઉપર પણ દયા છે. પણ તેમાંના કેઈની તરફ રાગનું આકર્ષણ નથી. સર્વ જીવો ઉપર ભાવ દયા ધરા છો. રાગમાં આસકત ન હોવાથી આ૫ ખરેખરા દયાળુ વીતરાગ દેવ છે. પ્રેમ-કલ્પ-તરૂ છેદિયે. રે
ધરિા જેગ–ધતુર, મન, ચતુરાઈ કુણ કહા રે
ગુરુ મી લિયે જગ-સૂર? મન પ
[ પ્રેમ-કપ-તરૂ–પ્રેમરૂપી ક૯૫વૃક્ષ. ગ=ોગ, ત્યાગ. ધતૂર=ધતુરો, ચતુરાઇ=ચતુરાઈને [ રે-છીને વિભક્તિ મારવાડી ભાષાને પ્રત્યય ) જગ-ર જગતમાં સૂર્ય સમાન, અથવા શુર.]
તમે પ્રેમરૂપી કલ્પવૃક્ષ કાપી નાખ્યું. અને મેગ-ત્યાગ રૂપી ધતૂરો પકડી લીધે. આવી ચતુરાઈ કરવાનું શીખ
Page #274
--------------------------------------------------------------------------
________________
વનાર કહે। તા ખરા, દુનિયામાંથી તમને એ કાણુ શ્રેય અથવા જગમાં સૂર્ય સમાન ગુરૂ મળી આવ્યા ? કે આવી અવળી શિખામણ તમને આપી!!
વિધના પરિહારઃ દુન્યવી પ્રેમ રૂપી ધતૂરા તમે કાપી નાંખ્યા અને ચેાગરૂપી કલ્પવૃક્ષને તમે આશ્રય લીધા. તેથી ખરેખર, તમને જગતમાં સૂર્ય સમાન મહા ચતુર કોઇ ગુરુ દુનિયામાંથી મળી ગયેલા લાગે છે. ગ્રેગ તા સહુ કરે છે, પણ જોગ ધરી જ જ્ગમાં કઠણ છે, તે ક્રામ તમે ઉપાડયું છે. તે પાર પાડવુ છે, જાતમારી શૂરવીરતા જેટલી વખાણીએ તેટલી ઓછી છે. તે બતાવનાર કાઇ ગુરૂ તમને મળેલ હોય, તો તેને પણ ધન્યવાદ છે.
મારું તો એમાં કાંઇ નહી. આપ વિચારો રાજ ! મન
રાસભામાં બેસતાં રે કિડી ધસી લાજ ?
46
મન ફ્
[ કિસડી=કેટલી, કેવીક. ખયસીધશે. લાજ=
ખાખરું ]
પરંતુ, હૈ મહારાજ ! મારું તે એમાં કાંઇચે ગયું નથી કે જવાનુંચે નથી. મારા પ્રેમ તે એમ પણ અખંડ જ રહેવાના છે, પણ તમેા પાતે જ તમારા તા વિચાર કરો
Page #275
--------------------------------------------------------------------------
________________
૧૬
કે રાજસભામાં બેસતાં આપની પાતાની આબરુ કેવી રીતે વધશે ? રાજસભામાં વાંઢા માણસની આબરુ શી ?
વિરાધના પરિહાર! ખરેખર, રાજસભામાં વાંઢા મામાણસની આખરું ગણાતી નથી. પરંતુ દેવાદિકની બનેલી ખાર વર્ષાઢામાં સમવસરણ વચ્ચે જ્યારે આપ બિરાજશે, ત્યારે એક બ્રહ્મચારી તરીકેનીઆપની આબરુ ત્રણ લેાકમાં અને ત્રણ ભુવનમાં પ્રસરશે. આપ ખરેખરા ત્રિભુવન પૂજ્ય ત્રિભુવનરાજ બનશે.
૬
પ્રેમ કરે જગજન સહુ. રે નિરવડે તે આર. મન
પ્રીત કરીને છેાડી છે, રે
મન ૭
તેહ શું ન ચાલે જોર. [ નિર્વહે નિભાવે, એરકાઇક ખીજા, વિરક્ષા. જોર=મળ. ]
પ્રેમ કરનારા તેા જગમાં ઘણાયે માણસા પડયા છે. પણ તેને નભાવનાર કાઈ એર–વિરલાજ હૈાય છે. પ્રીત કરીને છેાડી દિયે, તેની સાથે કાંઇ જોર ચાલી શકતું નથી. ક્રમ કે–તે તે। મનેામનની વાત છે. તેને કાંઇ બહારની વસ્તુ સાથે સબંધ નથી હાતા. એટલે તેમાં બહારના નિમિત્તનું જોર શું ચાલે ?
•
વિરાધના પરિહારઃ આપે મારી સાથે આઠ ભવ સુધી
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૧૭ પ્રીતિ કરીને હવે છોડી દીધી હોય એમ દેખાય છે. કેમકે–તેને નિર્વાહ તમે કરતા દેખાતા નથી. તેથી તમારી સાથે મારું કોઈ દુન્યવી જોર ચાલી શકતું નથી. મારું–ભાવબળ તમારી સાથેની કાયમી પ્રીતિ સંબંધ જોડી રાખવાનું બળ-માણમાં બતાવીશ. બીજી રીતે, મુક્તિ સ્ત્રી સાથે પ્રીતિ કરીને અનંત કાળ તક તમે નભાવવાના છો. માટે તમારી એ પ્રીતિ પણ વિરલ જ છે. કેમકે–તમે પ્રીતિ કરીને છેડી દેવાના નથી. પરંતુ અનંતકાળ સુધી નભાવવાના જ છો. જે મનમાં એહવું હતું. રે
નિસપતિ કરત ન, જાણ, મન નિસપતિ કરીને છાંડતાં, રે
માણસ હુવે નુકસાણ - મન, ૮ [ નિસપતિનિતિ, પ્રેમ. નુકસાણ હાનિ.]
જે તમારા મનમાં આવું જ હતું, તે જો મેં પહેલાથી જ જાણી લીધું હોત. તો તમારી સાથે નિબત–પ્રેમ કરતા જ નહીં. “પણ કેઇની સાથે આમ નિબત–પ્રમ કર્યા પછી તેને છોડી દેવામાં તે તે માણસને નુકશાન જ થાય.” એ વાત તમારા ધ્યાનમાં કેમ આવતી નથી ? - વિધિને પરિહાર: “તમો પણ દુન્યવી પ્રેમ કરનારા જ છે.” એવો મારો ભ્રમ હવે ભાંગી ગયા છે. તમારૂં વિશ્વવાત્સલ્ય હવે હું સમજી શકી છું. તેથી જો કે-દુન્યવી
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૧૮
દષ્ટિથી મને નુકશાન થયું છે, પણ પારમાર્થિક દૃષ્ટિએ મોટામાં મોટો ફાયદો એ થયે છે, કે મારા અંતર ચક્ષુઓ ખુલવાનો પ્રસંગ મને આવી મળે છે. દેતાં દાન સંવત્સરી, રે
સહ લહે વંછિત–પોષ, મન સેવક વંછિત નવિ લહે. રે તે સેવકનો દોષ.
મન. ૯ [ વંછિત-ઈચ્છિતમાં વધારે ]
અરે ! પ્રભો ! આપે સાંવત્સરિક–એક વર્ષ સુધી-વાર્ષિક દાન આપ્યું, ત્યારે દરેક લેકે મનમાની વસ્તુઓ પૂરતી રીતે પામ્યા છે. ત્યારે, હું તો તમારે સેવિકા છતાં, મનના માન્યા એવા તમને હું મેળવી શકતી જ નથી. તો શું મારે સેવકને જ તેમાં કાંઈ દેષ હશે કે કે આપની ઉદારતાને દોષ હશે?
વિરેધને પરિહાર વાર્ષિક દાન વખતે હું આપની પાસેથી મન માન્યું-દુન્યવી ધન મેળવી શકી નથી. પરંતુ આત્મિક ધન-મનમાન્યા પ્રમાણે ઠેઠ મેક્ષમાં લઈ જઈ શકે તેટલી હદ સુધીનું આપની તરફથી પામી શકી છું. અને તેથી મને આપની સેવાને અપૂર્વ લાભ મળે છે. માટે હું સાચી સેવિકા–પ્રેમિકા છું. આપ સાચા દાનેશ્વરી માલિક છો.૯ સખી કહે-“એ શામળા” રે
હું કહું-“લક્ષણ–સેત.” મન.
Page #278
--------------------------------------------------------------------------
________________
ર૧૯ ઈણ લક્ષણ સાચી સખી. રે” આપ વિચારે હેત.
મન. ૧૦ [ લક્ષણ–સેત=લક્ષણ સહિત, સુલક્ષણે, લક્ષણ વંત, હેત હેતુપૂર્વક.]
મને યાદ છે કે આપ જાન જોડીને પધાર્યા, ત્યારે મારી સખી કહેતી હતી, કે-પરણવા આવતો આ તારો વર તે શામળ-કાળો છે. માટે કલખણું છે, તો સંભાળજે ચેતજે.*
ત્યારે મેં કહ્યું હતું, કે “નહીં, નહી ! શામળે છે, માટે સુલક્ષણે છે, સખિ! પરંતુ પૂરણવા આવીને અધવચ્ચે ભાગી જવાનાં તમારા આવાં લખણોથી તે મારી સખી જ સાચી ઠરે છે.” હે પ્રભો ! આપ પોતે જ આ વાત હેતુપૂર્વક બરાબર વિચારી જુઓને! આપને પણ મારી સખી સાચી જ જણાશે.
વિરાધને પરિહારઃ સખી જુઠી હતી. હું સાચી ઠરી છું. આપ ખરેખર મહા પુરુષનાં એક હાર ને આક લક્ષણોએ કરીને શોભો છે. જેથી જગતપૂજ્ય મહા પુરુષ થઈ ચૂક્યા છે. કાર્ય કારણને હેતુવાદથી વિચાર કરતાં એજ વાત બરાબર ઘટે છે. જેવાં આપનાં લક્ષણ હતાં, તેવી જ સફળતા બરાબર આપને મળી છે. રાગી શું રાગી સહુ. રે 'વૈરાગીશ્યો રાગ ? મન,
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૨૦
રાગ વિના કિમ દાખવે રે
મુગતિ-સુંદરી-માગ ? મન. ૧૧ રિાગી=પ્રેમી. દાખા=બતાવે. માગ માગ ]
તમે કહેશે, કે“રાગીની સાથે તે દુનિયામાં દરેક માણસ રાગ–પ્રેમ કરે છે, પણ હું વૈરાગીની સાથે તારા રાગ શી રીતે થાય છે એ વાત તમારી સાચી છે. પણ તમો તે વળી વૈરાગી શાના ? " કેમકે જે તમારા મનમાં રાગ ન હોત, તે મુક્તિ-સુંદરીની પાસે જવાને માર્ગ તો શા માટે દુનિયાને દાખવીબતાવી રહ્યા છે ? માટે જરૂર તમે રાગી તો છે જ, માત્ર, મારા ઉપર તમારે રાગ કરવો નથી. માટે ખોટા ખોટા વૈરાગી બની બેઠા છે, ને ન્હાના કાઢે છે. - વિરોધને પરિહાર હું દુન્યવી રાગવાળી છું, તેથી વૈરાગી સાથે દુન્યવી મારો પ્રેમ હવે સંભવશે નહીં, એ તો ખરું. પણ તમારા આત્માની મુક્તિ તરફ આત્મ ગુણોના સહજ વિકાસ તરફ સહજ વૃત્તિ છે. તેને ઉપચારથી સાચે રાગ કહીએ, તે તે સાચી રાગિણું તરફ જ તમારો સાચો રાગ બંધાય તે સહજ છે. મુકિતનો રાગી, તેજ દુનિયાને વૈરાગી. અને દુનિયાની સ્ત્રીને રાગી, તે મુકિત સુંદરીને વૈરાગી, દુનિમાંથી વૈરાગી, તે મુકિત સ્ત્રીને રાગી.
Page #280
--------------------------------------------------------------------------
________________
રા એક-ગુહ્ય ઘટતું નથી. રે
સઘળે છે જાણે લોક. મન “અનેકાન્તિક ભોગવો. રે
બ્રહ્મચારી ગત-રોમ.” | ગુહ્ય ગુમવાત અનેકનિકઃ(૧) અનેકનિક, અવસ્થા, (૨) અનેકનિક–વ્યભિચાર નામને હેત્વાભાસ. ગત-રોગ=નીરોગી ]
સઘળાયે લેકે એ જાણે છે, કે-તમે અનેકાન્તિકને ભોગવો છે. એટલે કે–તમે વ્યભિચારી છે, અને વળી નીરોગી એવા આ જન્મ—મરણ બાળ બ્રહ્મચારી ગણો છો. આ શંક તમારી આ ગુપ્ત વાત સમજાતી જ નથી. - વિરોધનો પરિહાર તમો આચારથી આ જન્મ-મરણ શુદ્ધ અખંડ બ્રહ્મચારી છે અને સર્વથા નિરોગી છે. એ વાત ખરી છે, અને વિશ્વ પ્રસિદ્ધ છે. લેકે તમને અનેકન્તિક ભેગવનારા તરીકે ઓળખે છે. પરંતુ તેથી વ્યભિચારી તરીકે તમને ઓળખવાની જરૂર નથી, પરંતુ, એક પદાર્થમાં સંભવતા ધર્મોનું પ્રતિપાદન કરનાર સિદ્ધાંતરૂપસ્યાદવાદ સિદ્ધાંતમય આપ છો, અને તેનું પ્રતિપાદન કરો છો. ગુણ રૂપ છે. લેક વ્યવહારમાં માણસ બહારથી બ્રહ્મચારી ગણાતે હોય, અને શરીરથી નિરોગી દેખાતો હોય, છતાં તે ખાનગી રીતે પરસ્ત્રી ગામી-વ્યભિચારી હોય, તો તે તેની ગુહ્ય વાત ગુપ્ત વાત ગણાય છે, અંગત ગુપ્ત વાત ગણાય છે. એટલે કે “તમે અનેકનિક
Page #281
--------------------------------------------------------------------------
________________
२२२ હેવાથી વ્યભિચારી છે, એવી તમારી ગુપ્ત વાત જણાય છે. અને તમને અનેકાંતિક તરીકે વળી આખું જગત જણે છે.” એમ ગુમ વાત સહુ જાણે છે, પછી તે ગુપ્ત શાની? - આમ અનેકાંતિક શબ્દના બે પ્રસિદ્ધ અર્થ ઉપરથી વિરોધ ઉભો કર્યો છે, અને ઠપકે આપવામાં શબ્દછળનો રાજીમતીજી ઉપયોગ કરે છે. અનેકાતિક ભેગવનારી
એટલે ૧ સ્યાવાદી ૨ બીજો અર્થ—વ્યભિચાર નામના હેત્વાભાસવાળા-વ્યભિચારી. જિણ જેણે તમને જોઉં, રે
તિણ જેણે જુવો રાજ ! મન એકવાર મુજને જુવો. રે
તે સીજે મુજ કાજ. મન. ૧૩ જિણજે. જેણે જણે, દષ્ટિએ સીજે સફળ થાય.]
દુન્યવી પ્રેમ ભરી જે દૃષ્ટિથી હું તમને જોઈ રહી છું, તેજ દૃષ્ટિથી હે મહારાજ ! આપ મને જુવો ! બસ! એક વાર મને એ દૃષ્ટિથી જુઓ! તો, તમને મેળવવાના મારું બધાયે કામ-અભિલાષ-મહેનત સફળ થઈ જાય. તેટલાથી જ સારા મારથ પૂરા થયાનું માની લઈશ. હવે, બધુ જવા દઈને માત્ર આટલી છેલ્લી એકજ માગણી કરું છું. તે સ્વીકારો તે પણ બસ છે, વહાલા પ્રાણ!
વિરોધને પરિહાર પણ તમે મને એ દષ્ટિથી એક
Page #282
--------------------------------------------------------------------------
________________
રર૩ વાર પણ હવે જુઓ જ શાના જે એમ એક વાર પણ કરો તે તમારા વીતરાગ પણામાં મોટામાં મોટી ખામી આવે, તેમાં મોટું ગાબડું પડી જાય. તે તમે કરો જ નહીં, તેની મને ખાતરી છે. આપ પૂરેપૂરા વીતરાગ દેવ છે, એ વાત નકકી છે. એમાં જ તમારી સફળતા છે, અને તમારા જેવા સાથેના સંબંધમાં મારી પણ પુરેપુરી સફળતા છે. ૧૩ મેહ-દશા ધરી ભાવના. રે
ચિત્ત લહે તત્વવિચાર. મન “વીતરાગતા આદરી રે
પ્રાણ-નાથ! નિરધાર.” મન. ૧૪
[ ભાવના વિચારણા, લહે સ્વીકારે. યે, વીતરાગતા=વીતરાગપણું પ્રાણનાથઃપ્રાણના નાથ સંપૂર્ણ માલિક નિરધાર ચોક્કસ.]
અત્યાર સુધી જે બધું મેં કહ્યું, તે મેં આજ સુધી મેહ દશાની ભાવનાને પકડી રાખી હતી, તેને આધારે કહ્યું છે. પરંતુ, હવે મારું મન તત્વવિચાર કરે છે, તે, હવે તેને જણાય છે, કે “હે પ્રાણનાથ ! આપે ખરેખરી વીતરાગતા ધારણ કરી લીધી છે. આપ સાચા વીતરાગ છે.
સર્વ વિઘાને એક જ પરિવાર આપની બધી વાત મને વિપરીત જ લાગતી હતી. મારો આત્મા મોહદશાથી ઘેરાયેલો હતો. પરંતુ આપની બધી વાત હવે આપની વત
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૪
૧૪
રાગતા સાથે સંગતઢાવાથી બધીયે મને સંગત લાગે છે, અને મારી વાત વિપરીત હતી. હવે મને કાંઇ પણ વિરાધ જણાતા નથી જ. એમ ચિત્તથી કબૂલ કરું છું. કેમકે હવે મારા ચિત્તમાં તત્ત્વ વિચાર જાગ્યા છે. સેવક પણ તે આદરે, રે તા રહે સેવક—મામ, મન “આશય સાથે ચાલિયે. રે એ હિં જ રૂડું કામ, ” [ મામ=મર્યાદા. આખરું, આશય ગત ભાવ. ]
ܕ
મન૦ ૧૫ સ્વામિના મના
હવે, જવાબદારી મારી ઉપર આવી પડે છે, કે–મારા આત્મા આપના સેવક છે. તેથી આપ માલિક જે કરે, તે મારે પણ કરવું જ જોઇએ. અને તેમ કરવામાં આવે, તાજ સેવકની સેવક તરીકેની આબરુ—મર્યાદા સચવાય.કેમકે-જગત્માંકહ્યું છે, કે-“ સેવકે માલિકના આશયમનેાવૃત્તિ પ્રમાણે અરાબર ચાલવુ જોઇએ. તેા જ તેણે સારામાં સારું કામ કર્યું ગણાય. ” માટે નારી ફરજ છે, કે મારે પણ આપની જેમ વે વીતરાગતા સિદ્ધ કરવી જોઇએ.
૧૫
ત્રિ-વિધ-ચાગ ધરી આદર્યાં રે, તેમનાથ-ભરતાર. મન॰ ધારણ: પાષણ; તારણા: રે નવ-રસ સુગતા-હાર.
સન ૧૬
Page #284
--------------------------------------------------------------------------
________________
- ત્રિવિધ રોગ (૧) મનઃ વચન: કાયાની પ્રવૃત્તિ. (૨) યેગાવંચકઃ ક્રિયાવંચકઃ કળાવંચક એ ત્રણ પ્રકારના એ." અથવા ઇરછાયોગઃ શાયગઃ અને સામર્થયેગઃ ધારણુજ ધારણ કરવું, આશ્રય આપો. પિષણનભાવવું, પોષણ કરવું, સહાયક થવું, તારણે પાર પહોંચાડવું, સંસાર સમુદ્ર તરાવે. નવ-રસ-શંગાર વિગેરે નવ રસ. શૃંગાર હાસ્ય કરુણ રૌદ્ર: વિર: ભયાનક અદ્દભુત બીભત્સ શાંત એમ નવ રસ છે મુગતા-હાર=મતીને હાર. ]
હું આપની સાચી સેવિકા છું. તેની ખાત્રી એ છે, કેમેં આપ નેમિનાથ પ્રભુને મનઃવચન કાયાઃ એમ ત્રણેયગથી ભરતાર તરીકે –માલિક તરીકે સ્વીકાર્યો છે, મારા મન વચન: કાયાના આપ માલિક છે, આપની માલિકીમાંથી મારું કાંઇ પણ બચતું નથી. આપ મારા સર્વથા માલિક છે. મને આશ્રય આપે, મારે નિભાવ કરી મારું પિષણ કરવું અને મારે ઠેઠ સુધી નિસ્તાર કર, એ બધું આપનું જ કામ છે. કાંગાર વિગેરે નવેય રસોનું મારામાં ધારણ કરાવવામાં પોષણ કરાવવામાં અને તેમને પાર પહોંચી જવામાં પણ આપનોજ આશરે છે. આ જ મારા હૈયાના મોતીના હાર છો.
આપ મારા માલિક છો. મારી ફરજ આપના આશય સાથે ચાલવાની છે. માટે હવે યોગાવંચકર દિયાવંચક ફલાવંચકા એ ત્રણેય પ્રકારના યોગના વિકાસ માટે પણ મેં આ નેમિનાથ પ્રભુને જ મારા માલિક બનાવ્યા છે. આપ
Page #285
--------------------------------------------------------------------------
________________
२२९
રીક્ષા આપીને આશ્રયે રાખી, મને ધારણ કરેા, સંયમમાં માર્ગ દર્શન કરાવી મારા સંયમનું પાષણ કરી, અને છેવટે સ ંસાર સમુદ્રથી તારીને મારે। નિસ્તાર કરે,
ઢીક્ષા આપવાથી અને આપ સદ્ગુરુને ચેગ મળવાથી અને ચાગાવચક ચેાગની સિદ્ધિ થાય છે. સંયમમાં પાણ આપવાથી મારામાં ક્રિયાવ ચક યાગની સિદ્ધિ થાય છે. અને સંસાર સમુદ્રથી તારવાથી મોક્ષરૂપ ફળ મળવાથી મારે। ફળાવ ચક ચાગ સિદ્ધ થાય છે.
૧૬
જે એક વખત મારા શૃંગાર આદિરસના પાષકહતા, તે હવે શાંત રસના પેાષક બનેા, અને મેાતીના હારની માફક સદા ધ્યેય તરીકે મારા દિલમાં વસે. કારણ–રૂપી પ્રભુ ભજ્યેા, રે ગણ્યો ન કાજકાજ, મન॰ કૃપા કરી મુજ દીજીએ રે આન–ધન પદ્મ–રાજ,
મન૦ ૧૭ [ કારણ-રૂપી=નિમિત્ત રૂપે. આનંદ-ઘન-પદ-રાજ =માક્ષનું રાજ્ય. ]
માત્ર નિમિત્ત તરીકે, ગણીને જેમ રાજીમતીએ અનન્ય ભાવે આત્મ સમર્પણ કરીને શ્રી નેમિનાથ પ્રભુની સેવા કરી, ત્યારે કોઇપણ કાર્ય કે અકાયના વિચાર કર્યાં નથી-કરવાના પણ ન હેાય. માત્ર પ્રભુમાં જ તન્મયતા રાખવાની હોય, તે
Page #286
--------------------------------------------------------------------------
________________
ર૭
રાખી છે, ને મોક્ષ પ્રાપ્ત કરેલ છે. હું પણ કાર્યકાર્યને વિચાર કર્યા વિના માત્ર અનન્ય ભાવે આપને ભજવા ઈચ્છું છું, તો કૃપા કરીને સ્તવનકાર કે સ્તવનાકાર કહે છે, કેમને પણ છે પ્રભો! આનંદઘન-પદ-રાજ–મોક્ષનું રાજ્ય આપશો.
જે નેમિનાથજીને મન વચન કાયાથી પિતાના ભરતાર માનીને પોતાના નવેય રસના ધારક પોષકઃ અને તેની પરાકાષ્ઠાએ પહોંચાડનાર હૈયાના હાર તરીકે માન્યા હતા. તેને જ પિતાના આત્મ વિકાસમાં માત્ર નિમિત્ત તરીકે સ્વીકારીને શ્રી રામતીજી જેમ નેમિનાથ પ્રભુની પહેલાં જ મોક્ષ પામ્યા, તેમ મને પણ કૃપા કરીને મોક્ષ આપજો. ૧૭ | ભાવાર્થ_શ્રી નેમિનાથ પ્રભુના જીવન રૂપી આકાશમાં રાજીમતી રૂપી વિજળી ખૂબ ચમકે છે. આઠ ભવ સુધીને તેમની સાથેને પત્ની તરીકેનો સંબંધ અને એક મહા પવિત્ર સમર્થ આર્ય સ્ત્રી તરીકેની તેની બાદાશ્વેતર લાયકાત: જોતાં, તેના આત્માની પણ ભવ્યતા ઘણું જ વિશાળ છે, તેની પવિત્રતા અને સામર્થ્ય પણ અગાધ છે. આઠ ભવની પ્રીતિ છેલ્લા ભાવમાં પણ ખૂબ સરસ નભાવવામાં આવે છે, અને તે ઠેઠ સુધી પણ તે જુદીજ રીતે. તેમના જ હાથે દીક્ષા લેવાં છતાં તેમનાથીયે પહેલાં મોક્ષમાં ચાલ્યા જવા સુધીની તૈયારી કરવામાં તેમના આત્માના અગાધ-સામની તૈયારી જણાઈ આવે છે. એટલે એ સુંદર પરિણામને દષ્ટિ સામે રાખીને ભકતના–તેમાં એક વખતની પત્ની-પ્રેમિકાનારીના
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રભુને પ્રેમમય ઠપકારૂપે આ સ્તવન ભારે રસ ઉત્પન્ન કરીને આખરે શાંત રસમાં પરિણામ પામેછે. રાજીમતીના હૃદયની પ્રેમભરી ચીસેા, વિનવણીએ, આરજી, ઠપકા રજુ કરીને સ્તવનકારે હદ કરી છે. આખું સ્તવન લગભગ વિરોધાભાસથી ભરપૂર છે. દુન્યવી પ્રેમમાંથી પલટાઈ જઈને પારમાર્થિક પ્રેમથી-સમાપત્તિથી પરમાત્મભાવ સાથે અભેદવૃત્તિના પ્રકાર આ સ્તવનમાં સ્પષ્ટ કર્યો છે.
શ્રી નેમિનાથ પ્રભુ ધ્યેય છે. શ્રી રાજીમતીજી ધ્યાતા છે, છતાં શ્રી નેમિનાથ પ્રભુની પહેલાં જ શ્રી રાજીમતીજી મેાક્ષમાં ચાલ્યા ગયા. આ એમ સૂચવે છે, કે“દરેક આત્મા સ્વતંત્ર છે, તે દરેકની
તથાલભ્યતા પણુ અલગ અલગ હોય છે. અને પેાતાના સ્વતંત્ર પ્રયાસથી સ્ત્ર—સમય—નિષ્ઠાથી જ મેક્ષ પ્રાપ્ત કરે છે. પ્રભુ-દેવ: ગુરુ: ધ વિગેરે ખાદી નિમિત્તો હાય છે, તેનું ખળ અમુક હદ સુધી જ અસર કરે છે. પછી તે કારણ-સામગ્રી કારણ તરીકે રહેતી નથી. “ આત્મા આત્માવર્ડ આત્મભાવ પ્રાપ્ત કરે છે. ” એ રહસ્યાત્મક સિદ્ધાંત તરી આવે છે. કારણ રૂપી પ્રભુ ભજ્ગ્યા. આ શબ્દોમાં ઉપરના સિદ્ધાંતને ધ્વનિ ગુંજતા સંભળાય છે.
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૨૯ ૨૩. શ્રી–પાર્શ્વનાથ-જિન–સ્તવન. શરીર–પ્રમાણ–આત્માની વિભુતા–લોકાડ-લોકસવ દ્રવ્ય ક્ષેત્ર કાળઃ ભાવમાં વ્યાપકતા.
આત્માના સર્વજ્ઞપણની શકિતઃ [ તીર્થંકર ભગવાન કેવળજ્ઞાન પામી સર્વજ્ઞ બન્યા હોય છે. પરંતું શરીર પ્રમાણુ જેટલા એક ક્ષેત્રમાં રહેલે સર્વજ્ઞ આત્મા ત્રણ કાળના અને લેકા લેકનાં સઘળાંયે દ્રવ્ય અને પર્યાય રૂ૫ ગ્રેને કઈ રીતે જાણી શકે? એ પ્રશ્ન ઉભો થાય છે. માટે આત્મ-દ્રવ્યને નૈયાયિકની જેમ “સર્વ વ્યાપક માનવું જોઈએ.” અથવા “બીજા દ્રવ્ય સાથે પરસ્પર પરિણમન પામે છે.” એમ માનવું જોઈએ. તે સુક્ષ્મ પ્રશ્ન: અને તેનું સૂક્ષ્મ સમાધાનઃ આ સ્તવનમાં કરવામાં આવેલું છે. ]
(રાગ સારંગ રસિયાની દેશી.] પ્રવ-પદ-રામી ! હે સ્વામિ ! માહરા.
નિકામી ! ગુણરાય ! સુ-જ્ઞાની ! નિજ ગુણકામી હા પામી તું ધણી,
પ્રવ-આરામી હે થાય. સુ-જ્ઞાની! ૧
ધ્રુવ-પદ-આત્મ-પ્રદેશમાં કશીયે ચંચળતા વગરના આત્માની તદ્દન સ્થિર અવસ્થા. ધવ-પદ-રામી શેલેશીકરણ કરી, નિશ્ચળ થઈ રહેલે આત્મા મોક્ષમાં એકજ ઠેકાણે રહે છે. તેથી ધ્રુવ-પદ-સ્થિર–સ્થાનમાં રમણુતા કરતા સ્વામિક
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૩૦
ીજા આત્માને સ્થિરધ્રુવ અનાવવામાં નિમિત્તભૂત થતાં હાવાથી, તેવા આત્માઓના સ્વામી. નિઃકામી=કશીયે ઇચ્છા વગરના, નિષ્કામી. ગુણ-રાયગુણોના ભંડાર નિજ-ગુણકામી=પેાતાના જ આત્મિક ગુણા મેળવવાની–સ'પૂર્ણ વિકસિત કરવાની ઈચ્છાવાળા પામી=પાસ કરી, મેળવી ધ્રુવ-આરામી ધ્રુવ પદમાં આરામ લેનારા, આનંદ લેનારા. લીન.]
પેાતાના નિત્ય અને એક સ્થાને રહેલા નિશ્ચલ આત્મ સ્વરૂપમાં રમણુ કરનારા ધ્રુવપદરામી હે મારા સ્વામિ પાનાથ પ્રભા! આપ તદ્દન નિષ્કામી અને ગુણાના ખજાના રૂપ છે, તેથી જે આત્માની ઈચ્છા પેાતાના આત્મના સધળાયે ગુણામાં રમણતા કરવાની થાય, તે જો આપની પાસે આવે, અને આપને મળે, તેા તેપણુ ધ્રુવ-આરામી ધ્રુવપદમાં આરામી થઈ જાય છે. આપ પાતે ધ્રુવ પદ્મમાં રમણ કરનારા છે, અને બીજાને પણ ધ્રુવપદમાં રમણુ કરાવી શંકા છે,
૧
પાર્શ્વનાથ પ્રભુનું પ્રાકૃત ભાષામાં નામ પારસનાથથાય છે. પારસના અથ પારસમણિ પણ થાય છે. જો તે લેાઢાને અડકે, તા તુરત લાઢાનુ સાનુ થઈ જાય છે. તે પ્રમાણે ઈતર સંસારી જીવા રૂપી જે જે લેાઢાના કટકાને સેાનું થવાની ઈચ્છા થાય, તેા પારસમણિ જેવા આપને પ્રાપ્ત કરે, આપને સ્પર્શ કરે,તા તે પણ સુવણુ થઈ જાય છે, એટલે કે—એ આત્મા પણ આપની જેમ ગુણ્ણાના રાજા મની જાય છે.
Page #290
--------------------------------------------------------------------------
________________
૩૧
આ રીતે, પારસમણિ અને પારસનાથ એ અનૈય શબ્દોની સાર્થકતા પારસ શબ્દમાં રહેલા દ્વેષથી કરવામાં આવેલી છે.
અને તે વાત, આત્માના જ્ઞાનગુણુ માત્ર અમુક ક્ષેત્રમાં રહેલા આત્મામાં જ ડાય છે, છતાં તે ગુણુ, સકળ સૈંયાને સ્પશી ને દરેક વિષયે ને આત્માને જાણવા લાયક બનાવી દે છે, તેથી જ તે જાણી શકાય છે—જાણી લેવામાં આવે છે, આત્માના જ્ઞાનગુણના સ્પર્શ થતાંની સાથેજ વિશ્વ સમસ્ત જ્ઞેય બની જાય છે. નહીંતર, કાઇ પણ જ્ઞેયજ બની શકે નહીં. ઢાંઈ પણ જાણી શકાય નહીં, જગમાં અ ંધકાર જ રહે. પારસમણિ પત્થરના કોઇ પણ ગુણ બીજા પદાર્થોને પેાતાના જ્ઞેય તરીકે મનાવી શકતા નથી. ત્યારે, આત્મા પેાતાના જ્ઞાન ગુણુના સંપર્કથી જગના સઘળા પદાર્થોને સૈંય તરીકે બનાવી મૂકે છે. અને તેથી દરેક પદાર્થનું સ્વરૂપ જણાવા માંડે છે. એટલે જ્ઞાન ગુણુને, અને તેની મારફત આત્માને પણ, પારસમણિ સાથે ઘટાવ્યા છે. ઉપરાંત, છેલ્લી ગાથામાં પારસમણિ કરતાં યે તેની વિશેષ વિશેષતા પશુ બતાવી છે.
સ-વ્યાપી કહે સવ–જાગપણે, પર-પરિણમન–સ્વરૂપ પર–રૂપે કરી તત્ત્વપણું નહીં, સ્વસત્તા ચિટ્ઠ–રૂપ સુજ્ઞાની !
સુશાની !
[ સવ–વ્યાપીàાક અને અલાક તથા ત્રણેય કાળમાં વ્યાપેલા, સ-જાગ-પણ=સને જાણનાર હોવા તરીકે. પર-પરિણમનસ્વ–રૂપ=બીજા રૂપે પરિણામ પામવાને
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૩૨
સ્વરૂપે, થયા. પરરૂપે પરિણામ પામવાના ગુણવાળા થયા. પર-રૂપે કરી=પ્રીજા રૂપે થવામાં તત્ત્વ પશુ –સ્વતત્ત્વપણું, પોતાપણું, સ્વ-સત્તા પેાતાની સ્વરૂપે સત્તા. ચિદ્ર-રૂપ= ચેતના રૂપ છે. ]
સર્વ વ્યાપકતા વિષેના પ્રશ્નના ઉપક્રમ
આત્મા સર્વ જ્ઞેય પદાને જાણનારા હોવાથી, આત્માને વિભુ તરીકે–સવ વ્યાપી લેાકાલેાક અને ત્રિકાળ વ્યાપી કહ્યો છે, સ કાળ અને સત્ર ક્ષેત્ર વ્યાપીઁ કહ્યોં છે. પરંતુ આત્મા સ્વદ્રવ્યથીતા લેાકાલાક વ્યાપી નથી, તથા ત્રણ કાળમાં પણ્ સર્વવ્યાપી નથી, શરીર પ્રમાણ પ્રાય જ હોય છે. ઠીક, સને જાણનાર તરીકે, આત્માને સર્વ વ્યાપી માનવા છતાં, ગુણુ અને ગુણીને અભેદ્ર માનવાથી‘જ્ઞાનઃ તેજ આત્મા. ” એમ માનવું પડશે. એમ માનીએ, તેા જ આત્માના જ્ઞાન ગુણ વિભુ હાવાથી આત્મા પણ વિન્નુ થાય. પરંતુ, એમ કરવા જતાં, જેમ તે પેાતાના આત્માને જાણે, તે પ્રમાણે પેાતાના સિવાયના પર-બીજ-જ્ઞેયાને પણ તેણે જાણવા પડશે. અને જાણે પણ છે. તેથી તે દરેક જ્ઞેય રૂપે જ્ઞાનને-આત્માને પણ થવુ પડશે. તેથી આત્માનું પર રૂપે પરિણમન થયું; એમ થવાથી—પર—સ્વરૂપે પિરમન થવાથી—પર રૂપે આત્મા બનશે. અને એમ, પર -રૂપે થશે, તેા સ્વતત્ત્વપશુ તે રહેશે નહીં.
અને (6 આત્મા તે। સ્વચેતના ગુણની સત્તાએ જ સ્વ
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૩૩
સ્વરૂપેજ સત્ છે. અને પરરૂપે અસત્ છે” એટલે કેવદ્રવ્યઃ સ્વક્ષેત્ર સ્વકાળઃ અને સ્વભાવઃની અપેક્ષા એ આત્મા સ્વસ્વરૂપે છે. પરદ્રવ્યઃ પર ક્ષેત્રઃ પરકાળઃ અને પર સ્વભાવની અપેક્ષાએ તેને સ્વપણુ નથી, પર ંતુ, તે તે। બધુ પરપણું છે, તા એ એ વાત કેમ ઘટશે ? પરપણું પામ્યા વિના સર્વજ્ઞપણુ કેમ ધટે ? સર્વજ્ઞપણુ ઢાય તે પરપશુ પામ્યા વિના કેમ રહે ? આ વાંધા આવશે, તેનું કેમ? ૨ જ્ઞેય અનેકે હા જ્ઞાન-અનેકતા, જલ–ભાજન-રવિ જેમ, સુજ્ઞાની ! દ્રવ્ય–એકત્વ પણે ગુણ-એકતા,
નિજપદ રમતા હૈ। પ્રેમ સુજ્ઞાની! ૩ [નિય=જાણવા યોગ્ય પદાર્થો. જ્ઞાન-અનેકતા જ્ઞાનનું અનેકપણું. ભાજન=વાસણ, રવિ-સૂર્ય`. જલ-ભાજનરવિ=પાણીના વાસણમાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ દ્રવ્ય-એકત્વપણે દ્રવ્ય એક હાય તેાજ. નિજ-પદ-પેાતાના સ્વરૂપમાં. ખેમકુશળતા, સ્વ સ્વરૂપમાં ટકી શકે. ]
એજ પ્રશ્ન દ્રવ્ય: ક્ષેત્ર: કાળ અને ભાવથી જુદી જુદી રીતે સ્પષ્ટતાથી સમજાવે છેઃતેમાં પ્રથમઃ દ્રથી સ્વ-પરપણું સમજાવે છેઃ
-
જેમ સૂર્ય એક છતાં પાણીના ભરેલા જુદા જુદા વાસઊામાં જુદા જુદા પ્રતિબિંબરૂપે દેખાય છે, તેથી સૂર્ય ધણા ઢાવાના ભાસ થાય છે, તે જ પ્રમાણે જુદા જુદા તૈયાને
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૩૪ જાણતી વખતે એકજ જ્ઞાન ગુણ જુદા જુદા અનેક શેરૂપે પરિણમે છે, તેથી જ્ઞાન પણ અનેક થશે. અને તેથી આત્મા પણ અનેક થશે. . કેમકે–દ્રવ્ય એક રહે, તો જ ગુણોની એકતા ટકી શકે, અને ત્યારે જ તે આત્મા સ્વસ્વરૂપમાં રમણતા ક્ષેમકુશળતાથી કરી શકે. નહીતર, પર સ્વરૂપમાં રમતા આવી પડે, તો સ્વરમણતાની ક્ષેમકુશળતા રહી શકે નહીં. માટે, અનેક શેયપણે આત્મા પરિણમેવો ન જોઈએ. નહીંતર એક રવદ્રવ્ય, વરૂપ આત્મા રહેશે નહીં.
અનંત શેયોને જાણવાથીતે શેયરૂપે પરિણમન પામનાર જ્ઞાન ગુણ પણ અનંત-અનેક થઈ જાય એ રીતે, એક આત્મા પણ એકજ રહે.” એમ કહી શકાય નહીં. અને એ રીતે આત્માને પરદ્રવ્ય સ્વરૂપે પરિણમવું પણ પડેજ. તો પણ તેની સ્વરમણતાની ક્ષેમકુશળતા શી રીતે ગણાય ? એક આત્મા અનેક થાય. અને સ્વરવરૂપમાં રહેલો આત્મા પરરૂપે થાય. આ બે વાંધા ઉભા થાય. - પર–ક્ષેત્રે ગત-શેયને જાણવે,
પર-ક્ષેત્રે થયું જ્ઞાન. સુજ્ઞાની “અસ્તિપણું નિજ ક્ષેત્રે તમે કહે,
નિર્મલતા ગુમાન ? સુજ્ઞાની! ૪ ( [ પરક્ષેત્રે–ગતય= પિતાના ક્ષેત્ર સિવાયના બીજા ક્ષેત્રમાં રહેલ યપદાર્થ. ૫ર ક્ષેત્રે બીજાના ક્ષેત્રનું અસ્તિ
Page #294
--------------------------------------------------------------------------
________________
૩૫
પણ =વિદ્યમાનપણુ, હોવાપણું, નિમળતા–ગુમાન=નિમ ળતાનું અભિમાન. નિમળ હોવાની માન્યતા. ]
ક્ષેત્રથી:
સ્વક્ષેત્રમાં રહેલા આત્મા પરક્ષેત્રમાં રહેલા જ્ઞેયને જાણવા જાય, તે। આત્માનું જ્ઞાન પરક્ષેત્રી થઇ ગયું.
અને આપ તા “સ્વક્ષેત્રે દ્રવ્યનું અસ્તિપણું” કહો છેા, અને “પરક્ષેત્રે તા નાસ્તિપણુ” કહેા છે. છતાં, આત્મા આ રીતે ખીજાના ક્ષેત્રમાં જાય, તા સ્વરમણતારૂપ નિર્મળતાનું અભિમાન–બડાઇ—તે શી રીતે રાખી શકશે ? પરક્ષેત્રમાં જવાથી સ્વક્ષેત્ર સાથે વ્યભિચાર થયા. તેા પછી નિમ ળતાનું અભિમાન કેમ રાખી શકાય ? જ્ઞેયેાના ક્ષેત્રો અનેક પરજ્ઞા રૂપે આત્મા પરિણામ પામે, આમ એક આત્મા અનેક ક્ષેત્રપ થાય અને તેને પર રૂપે પરિણમવુ પડે. જ્ઞેય—વિનાશે હા જ્ઞાન વિનશ્વરુ, કાળ પ્રમાણે રે થાય સુજ્ઞાની ! સ્વ-કાળે કરી સ્વ-સત્તા સદા,
૪
તે પર-રીતે ન જાય સુજ્ઞાની! ૫ [વિનશ્વરુનાશ પામે. કાળ-પ્રમાણે-સમયરૂપ વર્તમાન કાળની પેઠે. સ્વ-સત્તા=પેાતાની વિદ્યમાનતા. પરરીતે=પરઢાળે. ] કાળથી
=
જેમ જેમ સમયે સમયે વર્તમાન પર્યાય ચાલ્યેા જાય, અને નવા નવા સમય આવે,તેમ તેમ નવા નવા અને ત
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૩૬ શેયપર્યાયે આવે, આ પ્રમાણે અમુક એક સમયનો જે પદાર્થ તે કાળે છે. બીજા સમયના કાળની એપેક્ષાએ એ પદાર્થ પર છે. એમ વિચાર કરતાં, સ્વકાળ નાશ થયે, કે તે શેય પણ તેની સાથે જ નાશ પામે. અને શેય નાશ પામે, એટલે જ્ઞાન પણ નાશ પામેજ. અને જ્ઞાન નષ્ટ થયે દ્રવ્યનું સ્વરૂપ પણ નષ્ટ થાય.
કેમકે–પદાર્થની કાળથી સ્વ–સત્તા તો સ્વકાળે જ છે. તે પરકાળમાં કેમ જઈ શકે ? ન જ જાય. આત્માની નાશવંતતાઃ અનેકતા અને પ–સ્વરૂપતા એમ ત્રણ દોષ લાગુ પડે છે. પર-ભાવે કરી પરતા પામતાં,
સ્વ–સત્તા-થિર–ઠાણુ સુપની! આત્મ-ચતુષ્કમયી પરમાં નહીં,
તે કિમ સહુને રે જાણ સુઝાની ૬
[પર ભાવે કી=પરના-બીજા દ્રવ્યના ભાવ, પરતા પામતા બીજા પણે થઈ જવાથી, સ્વ-સત્તા થિર-ઠાણુ= સ્વસત્તામાં સ્થિર સ્થાન, પોતાની સત્તામાં-પોતાના ભાવમાં જ બરાબર સ્થિરતા. ચતુરુકમણી દ્રવ્યઃ ક્ષેત્ર કાળ: ભાવ: રૂપી ચેકડી. પરમાં-બીજામાં. ] ભાવથી
એજ પ્રમાણે પરવાનું–બીજા પદાર્થના ગુણનું પર્યાનું જ્ઞાન કરતી વખતે આત્મા પરરવભાવપણું
Page #296
--------------------------------------------------------------------------
________________
ર૩૭ પામી જાય. ખરી રીતે તો, સ્વસ્વભાવમાં પોતાની સત્તા સ્થિર, હોઈ શકે, તેજ સ્વભાવે સ્વસત્તા છે. પર-સ્વભાવે તો પોતે નથી જ, નર હોઈ શકે પોતે પરસ્વભાવે પણ હોય, તો પોતે પર બની જાય, સ્વભાવમાં ન રહે. ચારેય પ્રશ્નોનો ઉપસંહાર–
આ રીતે પિતાના આત્માના જ સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળઃ અને સ્વભાવ એ આત્મ-ચતુક, પિતા સિવાયના બીજા આત્મા અને પરમાવાદિક પદાર્થોમાં સંભવે નહીં તે પછી, તમે એક આત્માને સર્વજ્ઞેયને જાણકાર તરીકે કહો છે, તો તે શી રીતે ઘટી શકે છે? એ પ્રશ્ન ઉભો રહે છે.
કે તે “આત્મા પર રૂપે પણ બને.” અથવા “સર્વને. જાણ ન બની શકે.” બેમાંથી એક રસ્તો છે. બીજો રસ્તો નથી. ૧. આત્માદિ દ્રવ્ય સ્વસ્વરૂપમાં જ રહે, અને પરરૂપે ન થાય, તથા ૨. સ્વ અને પર એવા સર્વ શેયના જાણકાર થવું, એ બે એકસાથે બની શકે જ નહીં. કેમ બની શકે?
તો કેમ સહન રે! જાણ?? આ પ્રશ્નનું બીજ શ્રી વિશ–વીશી પ્રકરણમાં કેવળજ્ઞાન વીશીમાં સંક્ષેપથી જણાય છે –
जीवो य ण सव्व-गओ तो तद्धम्मो कहं भवइ बाही । વા વાડો (૪) ધામ –ss વિર (હિ) શાન્ત ૨૮. ૨૮
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૩૮
અઃ જીવ જ્યારે સવ ગત–સવ વ્યાપક નથી, તા તેને ધર્મ [ જે જ્ઞાન ] તે બહાર [ તે આત્માથી પણું બહાર ] ક્રમ હોઇ શકે ? અથવા, ધર્માસ્તિકાયાદિકથી રહિત અનત અલેકમાં પણ તે કેમ જઈ શકે ? કેમકે-એક આત્માનું કેવળજ્ઞાન લેાક અને અનંત અલકને પણ જાણે તે છે. તે એ નિયત સ્થળમાં રહેલા એક આત્માને જ્ઞાનગુણુ લેાકની બહાર, ધર્માસ્તિકાયાદિક ગતિમાં સહાયક જ્યાં નથી, એવા અનત અલાકમાં તે શી રીતે જઇ શકે ? શી રીતે ગતિ કરી શકે ?”
એ રીતે પ્રશ્ન છે.
!
અગુરૂ-લધુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકલ દેખત સુજ્ઞાની ! સાધારણ ગુણની સાધતા, દણ-જલને-દૃષ્ટાંત સુજ્ઞાની !
७
[ અગુરુલઘુ=દરેક દ્રવ્યમાં અશુરુ-લઘુ નામના અગમ્ય ગુણુ હાય છે. દેખ ત=દેખે છે. સાધારણ ગુણ= સવ' દ્રવ્યેામાં જે રહે, તે. સાધમ્યતા એક સરખાપણુ, દૃ ણુ-જલ-દૃષ્ટાંત=આરિસા: અને પાણી ના દાખલેા. ]
પ્રશ્નનું સમાધાનઃ—જેમ દર્પણમાં પ્રતિબિંબ ઝીલવાના ગુણ છે, તે પ્રમાણે પાણીમાં પણ પ્રતિબિંબ ઝીલવાના ગુણ છે. તેથી પેાતાનામાં રહેલા ગુણુ ખીજામાં છે. એટલે પાણીમાં અને પણમાં પ્રતિબિંબ ખેંચવાનો ગુણ એક સરખા થયા. એક પદાર્થનું પ્રતિબિંબ દર્પણમાં પડે છે, તે। તેજ પઢાનુ પ્રતિબિંબ પાણીમાં પણ તેવીજ રીતે પડે
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૩૯ છે. એ દષ્ટાંત મુજબ સરખાપણાને લીધે એકમાં પડતા પ્રતિબિંબની રીત ઉપરથી બીજામાં પડતા પ્રતિબિંબનો ખ્યાલ આવી શકે છે. જેમ જળમાં પ્રતિબિંબ પડે, તેમજ દર્પણમાં પણ પડે છે. એમ સમજી શકાય છે.
એ પ્રમાણે, આત્મ-દ્રવ્યમાં પોતાના પશુણ હાનિ અને પડૂગુણ વૃદ્ધિ પામતા અને પડુ ભાગ હાનિ અને ભાગવૃદ્ધિ પામતા પિતાના-અનંત સ્વ-અગુરુલઘુ-પર્યા છે. તેવા બીજા શેને પણ અ-ગુરુ-લ-પર્યાય હોય છે. માટે જેમ પિતાના અનંત અ-ગુરુ લઘુ-પર્યાને પિને જાણે છે તે પ્રમાણે સમાનતાને ઘેર–બીજાના અ-ગુરુ લઘુ અનંત પર્યાચાને પણ તે ઉપરથી તે જાણી શકે છે. માટે સર્વનો જાણસર્વજ્ઞ તરીકે જ્ઞાન-ગુણની અપેક્ષાએ આત્મા સ્વાદ્રવ્યઃ ક્ષેત્રઃ કાળઃ અને ભાવની જેમ, પર: દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવઃ જાણી શકે છે. અને એ અપેક્ષાએ સર્વજ્ઞ તથા સર્વ-વ્યાપક બની શકે છે.
આત્માના જ્ઞાન ગુણની શકિત જ લેકાલેકના ત્રણેય કાળના સર્વભાવને જાણવાના પરિણામ સ્વરૂપે છે. તે ગુણની લાયકાત જ એવી છે, તેથી કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર: કાળ અને ભાવમાં રહેલા સર્વ શેયને કેવળજ્ઞાની આત્મા જાણી શકે છે, સ્વરૂપ નિયત તે આત્માનું જ્ઞાન એ તદ્દગ્રહણ પરિણામ રૂપઃ ધર્મ છે. પરંતુ ઉપરના પ્રશ્નનો આ મેઘમ જવાબ
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૪૦
થાય છે. જિજ્ઞાસુને વિશેષ વિસ્તૃત જવાબ જાણવાની ઈચ્છા રહે છે. તે વિના જિજ્ઞાસુઓને પૂરો સંતોષ થશે નહીં.
સ્વ-અગુરુલઘુ-પર્યાય પ્રમાણે વેતર દ્રવ્યોનાં અગુરુ લધુ પર્યાને કેવળજ્ઞાની પ્રભુ સાધારણ ગુણની સાધ. તાથી જાણે” એમ કહીએ, તે વચ્ચે અનુમાન પ્રમાણ આવી જાય છે. અનુમાન પ્રમાણ તો પરોક્ષ જ્ઞાન છે ત્યારે કેવળ જ્ઞાન તે પ્રત્યક્ષ પ્રમાણ રૂપ છે એ કેવી રીતે બંધ બેસતું થાય? કેવળ જ્ઞાનની શકિત જ એ એવી છે કે વને અનુમાન વિના જાણે છે. તેમ પરને પણ અનુમાન વિના સાધમ્યતાના સ્વભાવે જાણી શકે છે. એ સમાધાન સંભવે છે..
શ્રી–પારસ-જિન પારસ-રસ–સમે, 'પણ ઈહાં પારસ નહી. સુજ્ઞાની ! પૂરણ–રસીયો હો નિજ-ગણુ-પરસન,
આનંદ–ઘન મુજમાંહી સુઝાની! ૮
[પારસ-રસ–સમે પારસ મણિના રસ-ગુણ જે સિરસ યુક્ત રસિક. નિજ-ગુણ-પરસન્ન-પિતાના ગુણેમાં મન, આત્મ સ્વરૂપમાં સ્થિત સ્વસ્થ. સંભવે છે.]
જેમ પારસમણિના રસને-પારસમણિનો-પર્શ થતાં જ બીજાને પારસમાણ રૂપે કરી નાખે છે. તેમ શ્રી પાર્શ્વનાથ પ્રભુ પારસમણિના રસ જેવા છે, છતાં તે પારસમણિ નથી. અહીં, તેના પાસ–પર્શરૂપે વિચાર કરવામાં આવ્યું નથી
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૪૧
કેમકે–પારસનાથપ્રભુ તેના કરતાં કયાંયે વિશેષ છે. પિતાના આત્મગુણમાં સદા પ્રસન્ન રહેતા હોવાથી તે પૂરેપૂરા રસિક છે, એટલે આનંદઘન–આત્માને આનંદ મારામાં જ છે.
વ-દ્રવ્યઃ ક્ષેત્ર કાળઃ અને ભાવમાં છે. પર-દ્રવ્યઃ ક્ષેત્ર કાળ અને ભાવમાં નથી. આત્મા આત્મનિષ્ઠ સ્વ-નિષ્ઠ છતાં સર્વજ્ઞ છે. એ આત્મદ્રવ્યની વિશિષ્ટતા છે, અને લેકસિદ્ધ છે.
ભાવાર્થ –સંખ્યાત ગુણ વૃદ્ધિ, અસંખ્યાત ગુણ વૃદ્ધિ, અનંત ગુણ વૃદ્ધિ: સંખ્યાત ભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ, અનંત ભાગ વૃદ્ધિએ પ્રમાણે સંખ્યાતગુણ હાનિ, અસંખ્યાતગુણ હાનિ, અનંત ગુણ હાનિક સંખ્યાત ભાગ હાનિ, અસંખ્યાત ભાગ હાનિ, અનંત ભાગ હાનિએ પ્રમાણે છ વૃદ્ધિ અને છ હાનિ પામતા દરેકે દરેક આત્મામાં અનંત અનંત અગુરુલઘુ નામના વાણુને અગેચર એવા પર્યાયે દરેક ક્ષણે થયા જ કરે છે. તેમાં આત્મરમણતા થવાથી તેને પિતાની અંદરના અનંત શેનું જ્ઞાન થાય છે, તેવા બીજા દ્રવ્યમાં પણ અનંત અનંત અ-ગુરુ લઘુ પર્યાયે હોય છે. તેથી તેનું પણ સામ્યતાથી જ્ઞાન થતું હોવાથી આત્મા સર્વજ્ઞ બની શકે છે.
સારાંશ એ છે, કે–અપેક્ષાએ આત્મા ધુવ છતાં અપેક્ષાએ અધુવ પણ છે. અપેક્ષાએ સ્વ દ્રવ્યઃ ક્ષેત્ર કાળ; અને ભાવ મય છતાં, અપેક્ષાએ પર દ્રવ્યઃ ક્ષેત્રમાં કાળઃ અને ભાવ: મય પણ છે. તેથી સિદ્ધશિલામાંજ રહા રહ્યા કશીયે પ્રદે
૧૬
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૪ર
શોની ચંચળતા કર્યા વિના ધ્રુવ રૂપ અને પ્રદેશ ક્ષેત્રવ્યાપી હોવા છતાં, અનંત શેના જ્ઞાન રૂ૫ અ-ગુરુ લઘુ પર્યાની ઉથલ પાથલને હિસાબે આત્મા અgવ પણ છે. અને સર્વ વ્યાપી પણ છે. એમ માનવાથી આત્મ દ્રવ્યને સર્વ વ્યાપી માનવામાં જે જે દેશે બતાવ્યા, તે તે દેશે લાગતા નથી. અને જ્ઞાન ગુણથી આત્મા સર્વ વ્યાપી દેવામાં હરકત આવતી નથી. સ્યાદવાદ વિના આ વાત ઘટી શકે નહીં. આ તત્ત્વ આ સ્તવનમાં સુંદર રીતે સમજાવ્યું છે.
આ રવ પર દ્રવ્યનું જ્ઞાન કેમ થાય છે? તે દષ્ટાંતથી વિશેષ ઘટાવી શકાશે.
એક માણસને શત્રુંજય તીર્થની યાત્રા કરવા જવું છે. પરંતુ તે ભૂલથી શત્રુંજય તરફ જતા વાહનને બદલે ગીરનારજી તીર્થ તરફ જતા વાહનમાં બેસી જાય, તે તે શત્રુંજય તીર્થો વખતસર પહોંચી શકે નહીં. કેમકે-વાહન દ્રવ્ય જુદું હતું. શત્રુંજય તીર્થે જવાનું સ્વદ્રવ્ય નહીં, પણ તેના કરતાં ગીરનારજી તીર્થે જવાનું પર દ્રવ્યઃ હાથ લાગી ગયું. જેથી શત્રુંજય તીર્થો વખતસર ન પહોંચાયું.
બીજે માણસ તે વાહન શત્રુંજય તીર્થની પાસે જ્યાં સ્થિર રહે તે જગ્યાએ ન જતાં ભૂલથી એકાદ ગાઉ આગળ કે પાછળ શત્રુંજય તીર્થ જનારા વાહનની પાસેથી પસાર થાય, તે પણ તે શત્રુંજય તીર્થે જઈ શકે નહિં. કેમકેવાહનમાં બેસવાનું ક્ષેત્ર નહેાતું, બેસનારની બેસવાની ઈચછા છે. પાસે ભાડાના પૈસા છે, વાહન પણ એ જ છે. છતાં બેસ વાની જગ્યાએ બરાબર ન પહોંચવાથી બેસાયું નહીં, તે
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૪૩ જગ્યાથી દૂર એક ગાઉ વહેલામાં વહેલા જઇને તેને આવવાને વખત સાચવીને આવવાના જ રસ્તામાં આગળના ભાગમાં કોઈ જઈને બેસે, તે પણ તે વાહનમાં તેને બેસવા ન મળે, કેમકે ત્યાં ગ્ય ક્ષેત્ર નથી હોતું ત્યાં તેને વાહનમાં ચડવા દેવામાં આવતું નથી.
એજ પ્રમાણે વાહન ઉપડી જતાં જ એક પળનાજ વિલંબે બેસવાની તેજ જગ્યા ઉપર માણસ આવે, છતાં એક પળને પણ વિલંબ કરેલો હોવાથી, શત્રુંજય તીર્થે જવાના વાહનમાં બેસી શકાય નહીં. કેમકે તે વાહનમાં બેસવાને પરકાળ થઈ ગયે. શત્રુંજય તીર્થે જવાનું તે વાહન કાળથી રહ્યું નહીં. બરાબર વખતસર યોગ્ય જગ્યાએ આવી પહોંચ્યા વાહન પણ શત્રુંજય તીર્થ તરફ જવાનું નકકી છે. જલ્દી પહોંચાડે તેમ છે. પણ ભાડાના પૈસા અગાઉથી રેકડા આપવા પડે છે. ભાડાના રૂપિયા પાંચ થાય છે. પણ બેસનારની પાસે રૂા. ૪-૧૫-૧૧ છે. એક પાઈ જ માત્ર ઓછી છે. બસ, તે માણસ તે વાહનમાં બેસી શકશે નહીં. કેમકે બેસવાની સામગ્રી–ભાવ-નથી. પિતાની તબિયત નરમ ગરમ થઈ આવી-ચકરી આવી, કોઈને કાંઈ અયોગ્ય સંજોગો-ભાવ-આવી પડયા, તે પર ભાવ થયા કાર્ય બનશે નહીં.
દરેક પદાર્થના અનંત ધમ હોય છે. તે દરેકનાં દ્રવ્ય ક્ષેત્ર કાળ: ભાવ: હોય છે. તેને પણ અનંત ભેદ પડે છે. નાના મોટા ચડતા ઉતરતા દરજજા ઓછાંશ વધતાંશ વિગેરે અનંત પ્રકારે પડે છે. તે ગણી શકાતા નથી. તે
Page #303
--------------------------------------------------------------------------
________________
પણ આ ગુલઘુ પર્યાય નામે પણ હાનિ વૃદ્ધિથી સમજાવી શકાય છે. અગુરુ લઘુ પથબુદ્ધિગમ કરતાં શાસ્ત્રાણાગમ્ય ખાસ છે. તેની વિશેષ સમજ કર્મ પ્રકૃતિ પંચસં* હમાંથી શાસ્ત્રીય પદ્ધતિથી મેળવવી.
૨૪. શ્રી-મહાવીર-વર્ધમાન-જિન-સ્તવન. ક્ષાયિક વીર્યવત હોય, તે આત્મા વીર-મહાવીર
નિરાવલંબન યોગઃ શૈલીશીકરણ:
[ નિયત–સ્થાનસ્થ કેવળજ્ઞાની પરમાત્માનું સર્વ. રેની સાથેના કયા સંબંધે સર્વજ્ઞાપણું અને સર્વવ્યાપી પણું હોય છે? તે બતાવ્યા પછી, અગી ભગવાનનું સાયિકવીર્ય કેવી રીતે સંપૂર્ણ પ્રગટ થાય છે? તે આત્મિક વીર્યનું સુંદર સ્વરૂપ આ સ્તવનમાં બતાવવામાં આવેલું છે. આત્મ ધમની પ્રીતિથી માંડીને ઠેઠ મેક્ષાવસ્થા સુધીનું જરૂરી જરૂરી વર્ણન ૨૪ સ્તવનેમાં પૂરું કરવામાં આવ્યું છે.
આત્માના અંતિમ વિકાસ સુધીનું વર્ણન પૂરું થાય છે. એટલે આ સ્તવનમાં વિકાસની છેલ્લી ભૂમિકાનું વર્ણન છે વિરજીને ચરણે લાગું,
વીર પણું તે માગું રે, મિથ્યા–મેહ-તિમિર–ભય ભાગુ,
જિત–નગારુ વાગ્યું રે. વીર. ૧
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૪૫
[ વીરપણું=શૂરવીરપણુ, સરને લાગુ=પાયે લાગું, પ્રણામ કરું મિથ્યા-મિથ્યાત્વ, માહષાયા. તિમિર= અંધારું' અંધકાર. ભાડુ =ભાગી ગયું. જિતનગારું વિજય લેરી, વિજય ૐકા, ]
શ્રી મહાવીર વર્ધમાન પરમાત્માને ચરણે લાગીને પડીને, તેમણે બતાવેલી શૂરવીરતા હું તેમની પાસે માગુ છુ. તેઓશ્રીએ શૂરાતનપણું બતાવીને મિથ્યાત્વ અને કાચારૂપી ભયંકર અંધકારના હુમલાને ભગાડેલ છે, અને જગમાં વિજય ડંકા વગાડયો છે,
[મને પણ આપશ્રીના ચરણે વળગવાથી આપશ્રીની મદદથી—શૂરપણું માગવાની મેળવવાની ઇચ્છા થઇ, તેથી મારા મિથ્યાત્વ અને કષાય વિગેરેના ભયંકર હુમલા ભાગવા લાગ્યા છે. અને વિજય નમારું વાગવુ શરૂ થયું છે. તે ભા સંપૂર્ણ ભાગી જશે,એટલે બરાબર વિજયનગારું ગાજી ઉઠશે.]?
વીવંત હાય, તે વીર. અને વીરોમાં પણ શ્રેષ્ઠ, તે મહાવીર. વીશ્તામાં વીની મુખ્યતા છે-વીય ઉપર વીર તાના ભાષાર હોય છે. તેથી ની પ્રેરિત વીવાની અમે મહાવીર: નામની સાથેતા દ્વેષથી સ્પષ્ટ રીતે જ કરી અાવી છે.
ઉમ-થ-વીય લેફ્યાસંગે, અભિસંધિજ મતિ અંગે રે.
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૪૬
સુક્ષ્મ-સ્કૂલ-ક્રિયાને રંગે,
યેગી થયા ઉમંગે રે. વીર. ૨
ઈ છઉમલ્થ-વાય-છસ્થ-અસર્વજ્ઞદશામાં–મેહથી ઘેરાયેલી અવસ્થામાં રહેલા જીવનું વીર્ય–બળ. શ્યા-સગે= કૃષ્ણાદિક દ્રવ્ય લેશ્યાને સંબંધ હોય, ત્યાં સુધી અભિસંધિ.જ=અભિસંધિ-નિમિત્ત-ખાસ પ્રયત્નથી ઉત્પન્ન થયેલ. મતિ-અંગે વિચાર પૂર્વક, ઈરાદા પૂર્વક. સૂક્ષ્મ-સ્કૂલક્રિયાને બારીકમાં બારીક અને સારી રીતે જણાઈ આવે તેવી વધુ પડતી સ્થૂલ મન વચન અને કાયાની પ્રવૃત્તિના. રંગે રંગમાં, લહેજતમાં. ગી=મન વચન કાયાના યેગવાળો. ઉમંગેત્રમોહજન્ય આનંદથી–ઉત્સાહથી–સ્વેચ્છાથીઉમળકાથી-ઉલ્લાસથી. ]
લેશ્યાયુક્ત છદ્મસ્થ જીવનું મતિ અંગે–એટલે ઈરાદાપૂર વકના પ્રયત્નને લીધે–જે બળ–વીર્ય પ્રવર્તે, તેનું નામ અભિસંધિ-જ વેગ કહેવાય છે.
અને ખાસ પ્રકારના પ્રયત્ન વિના સ્થલ કે સુક્ષ્મ મન વચન કાયાની પ્રવૃિત્તના રંગે જીવના પ્રયત્ન ચાલે, તે અનભિસંધિજ વીર્ય કહેવાય. એ રીતે લેશ્યાના બળથી રંગમાં આવીને આત્મા મોહજન્ય ઉલ્લાસથી ગી–મન વચન કાયા મારફત પ્રવર્તતા બળવાળો બન્યા હોય છે, મન, વચનઃ કાયાનીસ્થલ અને સૂક્ષ્મ પ્રવૃત્તિઓનારંગથી રંગાય છે, અને મોહના ઉત્સાહમાને ઉત્સાહમાં વેગોને આધીન થઈ યોગી
Page #306
--------------------------------------------------------------------------
________________
ર૪૭
મન વચન કાયાની પ્રવૃત્તિવાળો બને છે. અથવા કર્મો સાથેના સંબંધવાળો થાય છે.
અસંખ્ય–પ્રદેશે વીર્ય-અસંખ્ય,
યોગ–અસંખિત કંખે રે, પુદગલ–ગણ તેણે તે સુ-વિશેષે,
યથા-શકિત-મતિ લેખે. રે વીર. ૩ [ ગ=મન વચન કાયા મારફત પ્રવર્તતું-જણાતું આત્માનું બળ. કંખે કાંક્ષિત છે. શાસ્ત્રમાં ગણાવેલ છે. પુગલ-ગણ-કમ પરમાણુઓની બનેલી કામણ વર્ગણાઓના જસ્થા. સુવિશેષે ખૂબ ખૂબ વધારે વધારે. યથાશક્તિમતિ લેખે શક્તિ=પ્રયત્ન અને મતિ ઇરાદે.. અધ્યવસાયસ્થાના પ્રમાણમાં, તેને હિસાબે ]
કોઈ પણ એક આત્માને અસંખ્ય આત્મ પ્રદેશો હેાય છે. દરેક આત્મ પ્રદેશમાં અસંખ્ય આત્મિક વીર્યના અંશે હાથ છે. તે આત્મિક વીર્યના અસંખ્ય અસંખ્ય અંશોનું ચાગસ્થાનક હોય છે. એવા વેગ સ્થાનકો શાસ્ત્રમાં અસંખ્ય બતાવેલા છે.
જીવના પ્રયત્ન અને અધ્યવસાય સ્થાનક પ્રમાણે-અભિસંધિને બળે તે તે ગ સ્થાનક વડે જીવ વધારે વધારે કામણ વગણું રૂપ પુદગલોના જથા પોતાના આત્મામાં ખેંચે છે–પિતાનામાં મિશ્રિત બનાવે છે. આ ગ સ્થાનકે
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૪૮
જીવને નવાં નવાં કર્મો બંધાવે છે, અને જેમ યોગ્ય સ્થાનક વધારે વધારે તીવ્ર, તેમ તેમ કર્મના જથા પણ વધુને વધુ જીવ લે છે. ઉત્કૃષ્ટ વીર્ય–નિવેશે.
યોગ-કિયા નવિ પેસે રે યોગ તણું ધ્રુવતાને લેશે
આતમ-શકિત ન ખસે રે. વીર. ૪ - [ ઉત્કૃષ્ટ=વધારેમાં વધારે. વીર્ય-નિવેશે વીર્યના પ્રદેશમાં. ગક્રિયા મન: વચનઃ કાયા:નાગની પ્રવૃત્તિ પ્રવતા નિશ્ચળતા લેશેલેશ માત્ર. આતમ-શકિત–આ. '
ત્માની શક્તિ, આત્માનું વીય. ખેસવે ખસે. ] . જેમ જેમ આત્મા સ્વતંત્ર રીતે સ્વવીર્ય હસ્તગત કરતો જાય છે, અને છેવટે વધારેમાં વધારે સ્વવીર્ય તેને પ્રાપ્ત થાય છે, ત્યારે તેના પ્રદેશમાં મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ પ્રવેશ કરી શકતી નથી. એટલે કે જેમ જેમ આત્મા ગુણસ્થાનકે ઉપર ચઢતો જાય છે, તેમ તેમ તેનું વીર્ય વધતું જાય છે, અને છેવટે જ્યારે, વીર્ય વધીને ઉત્કૃષ્ટ હદે પહોંચી જાય છે, ત્યારે મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ તદ્દન મંદ પડી જાય છે, ને છેવટે નાબુદ પણ થઈ જાય છે. આ એક વિચિત્ર ઘટના બને છે. અર્થાત તે બળ મન વચન અને કાયા મારફત વેરાતું–વેડફાતું હોય છે, તે બંધ પડીને આત્મસ્થ-સ્થિર થતું જાય છે.
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૪૯ વળી જેમ જેમ મનઃ વચન કાયાના યોગો સ્થિર થતા જાય છે, અને છેવટે તદન સ્થિર થઈ જાય છે, ત્યારે તેને આત્માની વીર્ય શક્તિ-બળ જરા પણ ખસેડી શકતી નથી. ડગાવી શકતી નથી. આત્મા યોગોને પકડી રાખી શક્તો નથી.
પરિણામે, આત્મા અને મન: વચનકાયાના પરમાણુના જસ્થાઓ સદાને માટે છુટા પડી જાય છે, મન વચન કાયાના પુદગલો પુરાળ રૂપે સ્થિર રહે છે, તેને આત્માનું વીર્ય કાંઈઅસર કરી શકતું નથી. એટલે કે-છેવટે, તે ત્રણની મારફત કોઈ પણ પ્રવૃત્તિ કરતું નથી. આ બીજી વિચિત્ર ઘટના બને છે. અર્થાત્, આત્મા પુશળથી તદ્દન છુટ પડી જતો હોવાથી તેને મન વચન કાયા રૂપે બનાવી ઉપયોગ કરી શકતો નથી.
ઉત્કૃષ્ટ વીર્યને યોગો અસર કરી શકે નહી, અને યોગની ઉત્કૃષ્ટ સ્થિરતાને ઉત્કૃષ્ટ વીર્ય પણ ડગાવી શકે નહીં. નેય સદાને માટે છુટા પડી જાય છે, એ ગાથાને સાર છે. ૪ કામ-વીર્ય–વશે જિમ ભેગી,
તિમ આતમ થયે, ભેગી રે. શૂરપણે આતમ-ઉપગી,
થાય તેહ અ-ગી રે વી. ૫ T કામ-વીર્ય-વશે-મથુનપૂર્વક વિષય સુખ ભગવ
Page #309
--------------------------------------------------------------------------
________________
ર૫૦ વામાં ઉપયોગી વીર્યને લીધે. ભેગી=ભેગે ભેગવનાર આતમ ઉપગી=આત્મામાં ઉપયેગવંત આત્માના વિકાસના પ્રયત્નમાં લીન. અ-ગી=મનઃ વચન કાયાના રોગો રહિત. ચૌદમે ગુણ સ્થાનકે રહેલા છે. અને સિદ્ધ પરમાત્મા. ]
મૈથુનપૂર્વક વિષયસુખ ભોગવવામાં ઉપયોગી વયને લીધે જેમ કોઈ પણ જીવ ભોગો ભેગવનાર–ભેગી–બને છે, તે જ પ્રમાણે મનઃ વચનઃ કાયાઃ મારફત પ્રવર્તતા આત્માના બળ-વીર્યને લીધે આત્મા ભગી એટલે સંસારી થયો છે. સંસારમાં ભ્રમણ કરે છે, અને સંસારમાં સંસારના સુખ દુખોને ભોગવનાર ભોકતા થયો છે. છે પરંતુ જ્યારે એ જ આત્મા શૂરાતન લાવીને, પિતાના આત્માના ઉપગમાં તલ્લીન થાય છે, ત્યારે તે અગી થઈ જાય છે. શૈલેશીકરણરથ બની સિદ્ધ પરમાત્મા બને છે. વિરોધનું સ્પષ્ટીકરણ
આત્મા ઉપયોગી હોય તો યોગી થાય, પણ અ-ગી શી રીતે થાય ? એ વિરોધ આવે છે. અયોગી થાય છે, એટલે મન વચન કાયાના યોગો રહિત થાય છે.
તથા અગી થતાં પહેલાં આત્મા યોગી હતું, તે ભેગી કેમ થાય ? એ પણ બીજો વિરોધ છે. પરંતુ, ગીઅનઃ વચન કાયાની પ્રવૃત્તિ રૂ૫ ભેગોને લીધે યેગી થાય
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૫૧ છે. અને એ રીતને વેગી થવાથી કર્મો બાંધીને–સાંસારિક ભાવો પામીને–આત્માને પિતાના કરેલાં તે સર્વ કર્મો ભેગવવાં પડે છે તેથી તેને ભોકતા–મેગી થાય છે. આ રીતે બન્નેય વિરોધના પરિહારો–ઉકેલો થાય છે.
અહીં ત્રણ પ્રકારનાં વીર્ય બતાવ્યાં છે.—૧ મૈથુનપૂર્વક વિષયસુખ ભોગવવામાં ઉપયોગી થાય, તે સાતમી ધાતુરૂપ શારીરિક વીર્ય જેને લીધે પ્રાણુ કામ-વાસનાથી વાસિત થઈ મિથુન સુખ ભોગવે છે. ભોગી થાય છે. (૨) મન વચન કાયાના યોગ મારફત ભેગવાતું આત્માનું બળ. તેને લીધે કમેં બાંધીને આત્માને સાંસારિક અવસ્થા ભોગવવી પડે છે. અનાદિ કાળથી મેક્ષમાં ન જવાય, ત્યાં સુધી દેવ નારક તિર્યંચ મનુષ્ય સ્ત્રી પુરુષ નપુંસક વિગેરે રૂપે થવું પડે છે, અને વિવિધ રીતે સંસારમાં રખડવાનું થાય છે. સંસાર ભોગવવો પડે છે, ને એ રીતે આત્મા ભેગી થાય છે. (૩) ત્રણેય ભેગો નબળા પડવાથી અને રત્નત્રયોની આરાધનાથી વીર્યાન્તરાય કર્મને સર્વથા ક્ષય થવાથી મેરૂ પર્વત–વિશ્વોને ઉથલાવી પાડવા જેવું છે સાયિક ભાવે અક્ષય આત્મિક વીર્ય પ્રગટ થાય છે, તે. જેને લીધે આત્મા શૈલેશી-મેરુપર્વત જેવો સ્થિર અને નાકર બની જાય છે. અયોગી–મન વચન કાયાના યોગો વગરનો થઇ સ્થિરે વીર્યવંત બને છે,
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૫૨
1 એક વીર્ય કામભોગી બનાવે છે, જે બીજું વીર્ય સંસાર ભેગાવે છે. ૩ જું વીર્ય આત્માને અમેગી બનાવી મુક્ત અને સ્થિર–નકર બનાવે છે.
વીર પણું તે આતમ-ઠાણે.”
જાણ્યું તુમચી વાયે રે. ધ્યાન-વિનાણે શક્તિ-પ્રમાણે નિજ ધ્રુવ–પદ પહિચાણે. રે વી. ૬
[ વીરપણું વીરતા, શૌર્ય. આતમ-ઠાણે આત્મામાં છે, આત્મ-સ્થાનની વસ્તુ છે. તુમચી તમારી. વાગ્યે વાણુ વડે, ઉપદેશ વડે. ધ્યાન-વિજ્ઞાણે ધ્યાનના વિજ્ઞાન વડે, ધ્યાનના શાસ્ત્રીય જ્ઞાનવડે શકિત-પ્રમાણે=પતાની જેવી શક્તિ, પિતાની શક્તિને જેટલો વિકાસ. તે પ્રમાણે નિજ-ધ્રુવપદ-પેતાની સ્થિરતા, ધ્રુવતા, સ્થિર૫૮, વીર્યનું માળ. પહિચાણે જાણી શકે છે. ઓળખી શકે છે.]
વીરપણાનું પ્રયોજક પ્રેરક-વીર્યનું ખરૂં મૂળ સ્થાન તો આત્મા જ છે.” આ વાતની ખબર આપના શિવાય કઈ પણ વિદ્વાને જગતને આપી નથી. આ વાત જગત આપની વાણીથી–ઉપદેશથી–જ જાણી શકેલ છે. જેમ જેમ ધ્યાનમાં શાસ્ત્રીય વિજ્ઞાનનો આધાર લઈને, પોતાની શકિત પ્રમાણે આત્મા આગળ વધે છે, તેમ તેમ પોતાના આત્મામાં કેટલી ધ્રુવતાસ્થિરતા–વીય–સામર્થ–પ્રાપ્ત થયેલ છે તે પોતાના સ્થાનના જ્ઞાનથી જીવ ઓળખી શકે છે.
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૫૩ ધ્યાન-વિજ્ઞાન એટલે કેગના આઠ અંગે છે. તેના નામ:-- યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. આ પ્રમાણે પતંજલિ યોગસૂત્રમાં આપેલા છે. અને તેની વ્યાખ્યાઓ પણ આપેલો છે –
યમ એટલે વ્રત. નિયમ એટલે તેને સહકારી જીવનચર્યા આસન એટલે પવાસનાદિક યુગાસને. મુદ્રા વિગેરે. પ્રાણાયામ એટલે રેચક: પૂરક અને કુંભક કરીને પવનની ગતિ ઉપર કાબ મેળવે. પ્રત્યાહાર એટલે ઈન્દ્રિો ઉપર કાબુ મેળવે. ધારણા એટલે કોઈપણ વસ્તુ ઉપર એકાગ્ર થવાની ટેવ કેળવવી. ધ્યાન એટલે કેઈપણ વસ્તુનું એકાગ્રતાથી અમુક વખત સુધી ધ્યાન કરવું. અને સમાધિ એટલે દુનિયાના બાહ્ય વ્યવહારોથી પર થઈને ધ્યાન સૃષ્ટિમાં સ્વરછાથી રમણતા કરવાની શક્તિ પ્રાપ્ત થવી, તે.
દરનમાં પણ આજ આઠ અંગો બતાવ્યા છે. પરંતુ તેની વ્યાખ્યા તદન જુદી છે. તે આ પ્રમાણે છે:-- - યમ-અહિંસા અને સત્ય વિગેરે તેને યથા શક્તિ અમલમાં મૂકવા અને ત્રણ ઇચ્છાયમાદિક યમને અમલ કરવાની ઈચ્છા રાખવી. નિયમઃ પાંચ પ્રકારનાં છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને પરમાત્મ પ્રણિધાન. આસનઃ આત્મ કલ્યાણના પ્રયત્નોમાં વધારે સ્થિરતા. પ્રાણાયામઃ પ્રાણ કરતાં પણ દેવઃ ગુરુઃ ધર્મ ને વધુ વહાલા ગણે, ધર્મ માટે પ્રાણ ત્યાગ કરે. પણ પ્રાણુ ખાતર દેવઃ ગુરુ ધર્મને ત્યાગ ન કરે, એવી વૃત્તિ. પ્રત્યાહાર ઈન્દ્રિયે ઉપર કાબુ , ઉપરાંત, ધર્મ ઉપર આવી પડતાં વિદને હઠાવવમાં તત્પરતા. ધારણુઃ ચિત્તની સ્થિરતામાં સારે વધારે.ચપળતાને ત્યાગ થાય. ધ્યાન પરમાત્મા વિગેરે ધ્યેયની મદદથી જેમ બને તેમ મન વચન અને કાયારૂપ યોગના વ્યાપાર રોકીને આત્મા સ્થિર થતું જાય, તેથી પોતાનું બળ-વીર્યપ્રાપ્ત થતું જાય. તે પ્રયત્ન કરવો. સમાધિ સ્વસ્વરૂપમાં સ્થિતિ જેમ
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૫૪
અને તેમ આત્મ પ્રદેશોની સ્ફૂરણામાં એકદમ ઘટાડાથી માંડીને તદ્ન -ઘટાડા સુધીની સ્થિતિ-અયોગી અને સિદ્ધાવસ્થા સુધી પડ઼ોંચી, સ પૂર્ણ આત્મ-વીર્યને આત્મસ્થ કરવું, તે. એકદમ આત્માએ મેરુ પતની માફક સ્થિર થઇ જવું, તે.
આ રીતે વિચાર કરતાં, જેમ જેમ આત્મા ધ્યાન અને શુક્લ યાનના પગિથયા ચડતા જાય તેમ તેમ તેને આત્મા સ્થિર થતા જાય, મનઃ વચનઃ કાયાઃ મારફત વેરતું આત્માનું બળ–વીય – આત્મ-ષ્ટિ થતું જાય આત્માનો સ્થિરતા તે ધ્યાન. આ પ્રમાણે જૈન ધ્યાન પ્રક્રિયાથો ધ્યાન કરતા આત્મા ધ્યાનના ખળ પ્રમાણે પોતાની નિજ–ધ્રુવતા–ધ્રુવપદ–સ્થિરતા પોતાને કેટલી પ્રાપ્ત થયેલ છે ? તે પેાતે સમજી શકે છે.
"f
વૈશ્વિક દનમાં પતંજલિના ચાગસૂત્ર વિગેરેમાં તથા બૌદ્ધમન્થામાં ધ્યાનના પ્રકારો વિસ્તારથી બતાવ્યા છે; પરંતુ, આ રીતે સ્થિરતા અને વીય શક્તિ મન : વચનઃ કાયાઃ દ્વારા જે બહાર દેખાય છે, તે આત્માની વસ્તુ છે.'' એ કાઇએ બતાવેલ નથી. તે કેવળ જૈન દર્શનમાંથીજ જાણવા મળેછે. આ પણ જૈનદર્શનની વિશિષ્ટતા છે. તેમાં શ્રી આન ઘનજી મહારાજ પેાતાની સમ્મતિ બતાવે છે, અને “ એ વાત જૈન દર્શન સિવાય ખીજે નથી. ” એ સત્યન્ત એટલી જ મક્કમતાથી ઉચ્ચાર કરે છે.
આલમન—સાધન જે ત્યાગે, પર-પરિણતિને ભાગે રે અક્ષય-દર્શન-જ્ઞાન-વૈરાગ્યે
આનંદ-ધન પ્રભુ જાગે રે
વી. ૭
[ આલમન-સાધન=ટકા લેવામાં મદદગાર અથવા
ત્રણ ચેાગ. તે રૂપ સાધનનુ` આલખન કે ટકા. પર-પરિ
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૫૫
કૃતિ પર રૂપે પરિણમવાનું તે. વૈભાવિક ભાવે પરિણમવું. ભાગે=ભગાડે છે. અક્ષય સાદિ અનંત ભાગે ઉત્પન્ન થયા પછી, કદિ નાશ ન પામે તેવા-અનંતકાળ સુધી ટકે તેવા. વૈરાગ્ય=ચારિત્ર. આનંદઘન પ્રભુ=અન ત વયના આનંદના સમૂહરૂપ પ્રભુ જાગે=સદા જાગ્રત્ રહે છે. સર્વજ્ઞ સર્વદશ: અને શેલેશી અવસ્થા રૂપ ચારિત્રમયપણે સદા જાગતા રહે છે ?
બાહ્ય જીવન જીવવામાં ટેકારૂપ થતા મદદગાર થતા-મનવચન અને કાયારૂપ બહારનાં આલંબનોનો જે આત્મા અને ક્ષય દર્શનઃ જ્ઞાના ચારિત્રની મદદથી ત્યાગ કરે છે. તેની પર પરિણતિ–વૈભાવિક ભાવ-ભાગી જાય છે-નાશ પામે છે. અને તે આનંદઘન પ્રભુ આનંદમય પરમાત્મા આદિ અનંત દર્શનઃ જ્ઞાન અને ચારિત્ર: વડે સદા જાગતા જ રહે છે. સિદ્ધ પરમાત્મા રૂપે અરૂપી-દિવ્ય આત્મ તિર્મય સદા દિપતા રહે છે.
ભાવાર્થ_શ્રી વીર ભગવાન વીર હતા.
વીર્યવાન હોય, તે વર કહેવાય. જગતમાં તે શરીરે બળવાન-વીર રસ યુકત-હેાય તે વીર કહેવાય છે. શત્રુઓ ઉપર વિજય મેળવે, અને વિજય મહોત્સવ ઉજવે, તે વીર કહેવાય છે.
ત્યારે પરમાત્મા શ્રી મહાવીર દેવે કઈપણ શત્રુ રાજા સાથે લડાઈ કરી જ નથી. કેઈ પણ દેશ જીતીને કઈ પણ
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૫૬
જાતને વિજ્ય મેળવ્યું નથી, છતાં તેમનું નામ એકલું વીર જ નહીં, પરંતુ મહાવીર શા ઉપરથી પાડવામાં આવ્યું હશે? વળી, કેટલાક માણસેનું નામ તેની ફૈબાએ મહાવીર પાડયું હોય છે, છતાં તેઓમાંના ઘણા નામ સિવાય મહાવીર નથી હોતા. વળી પ્રભુનું નામ તે વર્ધમાન કુમાર છે. પરંતુ ઈન્દ્ર સહિત દેએ વીરતા ગુણની પરીક્ષા કરીને આપેલી મહાવીર એવી તેઓની પદવી છે, પણ નામ નથી. તે આવી પદવી પ્રાપ્ત કરવામાં તેમણે શી મહાવીરતા કરી બતાવી હતી?
તે પ્રશ્નના જવાબરૂપે “વીરતા-મહાવીરતા દુનીયાની વીરતા અને મહાવીરતા કરતાં જુદી જ જાતની છે.” એમ જૈનશાસ્ત્રને આધાર લઈને આ સ્તવનમાં સાબિત કરી આપ્યું છે.
માનવી વિગેરે પ્રાણીઓના શરીરના બળનું મુખ્ય પ્રેરક જો કે સુંદર આરોગ્ય અને શરીરનાં બીજાં સુતો . યથાગ્ય રીતે સપ્ત ધાતુનું પોષણ-વ્યવસ્થા વિગેરે હોય છે. પરંતુ, તેની પાછળ જે અપૂર્વ ઉત્સાહ, માનસિક શૌર્ય વિગેરે જણાય છે, તેમાં શારીરિક બળ પાછળ આત્માનું બળ પણ હોય છે. તે આત્મિક વિય છે. શારીરિક બળના વેગને આધાર તેના ઉપર પણ હોય છે. સમદષ્ટિથી વિચાર કરતાં કોઈ પણ વિચારક કે સંશોધકને આ વાત સાચી લાગ્યા વિના રહેશે નહિં.
આત્માના ઉત્સાહમાં શરીરમાંના જ્ઞાનતંતુઓ, મગજ, મન, હૃદય, રોમાંચ, લેહીની સ્મૃર્તિ વિગેરે જરૂર મદદ કરે
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૫૦
છે, પરંતુ, એ બધાયને પ્રેરણાનો પ્રવાહ તે ઠેઠ આત્મામાંથી જ મળે છે. માટે વીર્યને મૂળ ઝરે તે આત્મા જ છે.
શારીરિક અલ્પશક્તિવાળા છતાં કેટલાક માણસે મહાન કામો કરી નાંખે છે. ત્યારે કેટલાક શારી િબળના પૂરવઠાવાળા માણસો હતાશ થઈ નાના કામમાં પણ પાછા પડીને હઠી જાય છે. માટે “શરીરની પાછળ પણ કઈ જુદું જ બળ કામ કરે છે.” એમ કબૂલ કર્યા વિના ચાલશે જ નહીં. અને તે આત્મિક બળ છે, આત્મિક વીર્ય છે. લોકો સપ્ત ધાતુગત શુક્ર ધાતુને વીર્ય કહે છે. પરંતુ, તે તે આત્મિક વયનું બાહ્યા વાહન છે. તેથી વાસ્તવિક આત્મિક વીર્યના અર્થમાં વીર્ય શબ્દ પ્રવૃત્ત છે. છતાં બાહ્ય દષ્ટિથી–ઉપચારથી શુક્ર ધાતુ વીર્ય ગણાય છે. લેક પ્રસિદ્ધ વ્યવહારમાં ભૂલથી વીર્ય શરુદનો મુખ્ય અર્થ તે મનાઈ ગયે છે. આત્માનું વીર્ય પ્રગટ થવાનું વ્યવહારુબાહ્ય મુખ્ય કેન્દ્ર શુક્ર ધાતુ છે. એટલે તેમાં ઉપચાર થાય, તે યોગ્ય છે. અને આત્મજ્ઞાન વગરનારજીને બહારથી બળના પ્રતીક તરીકે એજ પદાર્થને ઓળખાવવામાં વધારે ઔચિત્ય છે. કેમકે–આત્મિક વયને બહાર પ્રગટ થવા માટે તેની સાથે મુખ્ય સંબંધ છે. તેથી ઉપચાર સંગત છે. પરંતુ, તે ઉપચાર છે. વાસ્તવિક અર્થ નથી.
તે આત્મિક વીય સમગ્ર વિશ્વને ઉથલાવી નાંખી શકાય તેના કરતાંયે વધારે સામર્થ્યશીલ હોય છે. પરંતુ, તે કર્મોથી ઢંકાયું હોય છે. અને જેટલું અંકાયું નથી હતું, તેટલું મન વચન કાયાઃ મારફત વેર વિખેર રીતે ખાવા પીવા
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૫૮
જવા આવવા વિગેરે કામોમાં આત્મા વાપરે છે. અને જયારે તે સમગ્ર આત્મનિષ્ટ થઈને-કર્મોના આવરણ રહિત થઈને આત્મામાં સમગ્રપણે છલછલી ઉઠે છે, ત્યારે તે આત્માને તેવી કેઈપણ પ્રવૃત્તિ કરવાનું પ્રજન નથી હતું અને તેને ઉપયોગ કરવા શરીર વિગેરે બાહ્ય સામગ્રીની પણ જરૂર હોતી નથી. જેમ જેમ વીર્યન્તરાદિક કર્મોને ક્ષયપશમ વધે છે, તેમ તેમ પહેલાં તે અનુક્રમે વધતું જાય છે, અને જ્યારે સમગ્ર વીર્યાન્તરાય કર્મોને ક્ષય થાય છે, ત્યારે સાયિક ભાવે અક્ષય વીર્ય પ્રગટે છે. અને આત્મા સ્થિરસ્થિર થતા થતા તદ્દન સ્થિર થઈ જાય છે. શૈલેશ-મેરુપર્વત જે સ્થિર નકકર બની જાય છે.
આવી શૂરવીરતા પરમાત્મા મહાવીરદેવ વિગેરેએ મેળવી હોય છે, તેથી તેઓ મેહઃ મિથ્યાત્વઃ અજ્ઞાન સંસારમાં ભ્રમણ જન્મઃ જરા: મરણઃ રેગઃ શોકઃ વિગેરેને ભગાડે છે. અને આત્માના સંપૂર્ણ વિજય ડંકા વગાડે છે. આવી શૂરવીરતા પત્નત્રયી-શુદ્ધ દર્શનઃ જ્ઞાન: અને ચારિ. ત્રની રસાયણ માત્રા રૂપ ઓષધનું પાન કરીને, કેઈ પણ આત્મા જગાડી શકે છે.
સંસારસ્થ અને વીર્ય બે રીતે પ્રવર્સ છેઃ (૧) એક તે આપણા આત્મપ્રદેશે રાત દિવસ પ્રતિક્ષણે ઉથલપાથલ થયા જ કરતા હોય છે, જેને અંગે શરીરના જ્ઞાનતંતુઓમાં અને તેથીજ લોહીના ફરવામાં કાંઈક સ્કૂલરૂપે જણાય છે, અને છાતીમાં હૃદયમાં, તથા નાડીમાં તેના ધબકારા સારી રીતે જણાય છે. આ રણને લીધે જ બારાકમાંથી
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૫૯ રસ, તથા લેહીથી માંડીને ઠેઠ શુક્ર અને એજન્ સુધીની ધાતુઓ બને છે. એકમાંથી બીજીમાં સંક્રમણ થયાજ કરે છે, એક બીજા ધાતુના રંગે એક બીજ ધાતુમાં સંક્રમણ પામ્યા કરે છે. એક બીજાના વિકારો અનુલમ અને પ્રતિ લેમપણે સંક્રખ્યા જ કરે છે.
ઉંઘતી વખતે શાંત-મૌન બેઠા હોઈએ, તે પણ આ બધી પ્રવૃત્તિઓમાં સહજ પ્રવર્તતા મેચને અનસિંધિજ યેગ કહેવાય છે. અને ઈરાદાપૂર્વક કઈ પણ પ્રકારને ખાસ પ્રયતન કરવામાં આવે, કાંઈ ઉપાડવામાં આવે, દેડવામાં આવે, કાંઇ ખેંચવામાં આવે, બોલવામાં આવે, મનન કર, વિચારવા, સમરણ કરવા કે ચિંતા કરવામાં મનને ખૂબ અથવા પરાણે લગાડવામાં આવે, તે તે ત્રણેય પ્રકારને અભિસંધિજગ કહેવાય છે. એ બન્ને પ્રકારના રોગથી નિરંતર ઓચ્છા વધતા પ્રમાણમાં આત્મા સાથે કર્મ બંધાયા જ કરે છે. સહજ પ્રવર્તતે યોગ તે અનલિસંધિજડ અને ખાસ પ્રયત્નથી પ્રવર્તે, તે અભિસંધિજ ગઃ કઈ પણ ઠેકાણે અભિસંધિ યોગ ઉત્પન્ન થાય, ત્યારે તે આખા આત્મામાં તેની થેડી ઘણું અસર થાય છે. કેમકે આત્માના તમામ પ્રદેશે સાંકળની જેમ પરસ્પર જોડાયેલા છે. એટલે હાથવતી ભાર ઊંચકતી વખતે પણ પગમાં તેનું જેર જાય છે. તેમજ પગમાં કાંટે વાગે છે, ત્યારે મોઢામાંથી અરેરાટી નીકળી જાય છે.
પંચમ કર્મગ્રન્થ વિગેરેમાં પહેલા ગુણસ્થાનકથી ચૌદમા ગુણસ્થાનક સુધીમાં થતા અસંખ્ય વેગ સ્થાનક
Page #319
--------------------------------------------------------------------------
________________
બતાવ્યા છે. ગ સ્થાનકમાં પણ જઘન્યઃ મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ભેદે બતાવ્યા છે. અને કોના ચલી જીપમાં એ પદથી એમ સમજાવ્યું છે, કે –
ગ સ્થાનકના બળથી આત્મામાં કર્મના પ્રદેશ અને પ્રકૃતિ બંધાય છે, અને તે ન હોય ત્યારે એક પણ કર્મ આત્માને ચેટી શકતું નથી.
આ રીતે મન: વચન, કાયાના પેગોને લીધે આત્મા ગી–અગી કહેવાય છે.
મક્ષ સાથે જોડે, તેવા રત્નત્રયીના સાધનને આત્મા ઉપયોગ કરે છે, ત્યારે પણ તે યોગી-જોગી મહારાજ-કહે વાય છે. અને છેવટે, અગી–ત્રણ યોગ રહિત થઈ મોક્ષમાં જાય છે.
એટલે, જેનશાસ્ત્રમાં વેગ શબ્દ ખાસ કરીને બે અર્થમાં વપરાયેલું છે. મન વચન અને કાયાના રોગથી આત્મા સંસાર ઉભું કરે છે, તેથી પણ તે ભેગી કહેવાય છે. અને રત્નત્રયીના સહકારથી યમાદિ અષ્ટાંગયેાગ તથા બીજા આત્મવિકાસના સંવરઃ નિર્જરા ના પ્રેરક પ્રયત્ન પણ વેગ કહેવાય છે, અને તેથી પણ ચગી કહેવાય છે. તેથી આ બે શબ્દોની ભ્રાન્તિ ન થાય, માટે આ સ્પષ્ટી કરણ કરવામાં આવેલું છે. | મન વિગેરે ત્રણ વેગને સંબંધ ઘટતું જાય, તેમ તેમ આત્મ સંબંધ-વિકાસરૂપગ વધતું જાય, અને જેમ તે ત્રણને ગ-વધ-ઘટતું જાય, તેમ તેમ મનાદિક થોડા વધતા ઘટતા જાય.
Page #320
--------------------------------------------------------------------------
________________
જેમ જેમ મનાદિકના યોગનું બળ ઘટે, તેમ તેમ આત્મિક વય વધતું જાય. એ સમજ્યા પછી, ૪ થી ગાથા બરાબર સમજાશે. પાંચમી ગાથા પણ આગળ બરાબર સમજાવી છે. આ રીતે આ સ્તવનમાં આત્મિક વીર્ય અને વીરતાની સુંદર ચર્ચા કરી છે.
વીર્ય વિષેની આવી તાત્વિક વાત જૈન દર્શન સિવાય જગતના બીજા કોઈ પણ સાહિત્યમાં સીધી કે આડકતરી રીતે તથા સ્પષ્ટ અને વ્યવસ્થિત રીતે જણાતી નથી.” એમ શ્રી આનંદ ઘનજી મહારાજ કહે છે. આ નવીનતા છે. તે તેમણે “વીરપણું તે આતમ ઠાણે, જાયું તુમચી વાગ્યે. રે” આ પદોથી જણાવેલ છે.
જૈન ધર્મ ઉપર શ્રદ્ધા કરીને તેને આશ્રય લેનારાઓને “કાંઈ પણ ગુમાવવાનું નથી હોતું. પરંતુ, “તેમના ભલાને માટે તેને ઉત્તમવિશિષ્ટતમ સચોગોની પ્રાપ્તિ થાય છે.” એમ સમજવું. - જ્યારે, આત્મા ખૂબ શક્તિશાળી–સંપૂર્ણ વિકસિત. વીર્યવાળે–બને છે, ત્યારે તેને કાયાદિક ગની ક્રિયા અસર કરી શકતી નથી. અને આઠ ચક પ્રદેશે તે અયોગી હેવાથી, સદાય કર્મના આવરણ રહિત જ રહે છે.
શ્રી કેવળી ભગવંતો પણ કાયાદિકની પ્રવૃત્તિ વિહાર વિગેરેમાં કરતા હોય છે. દેશના વખતે વચનગની પ્રવૃત્તિ કરતા હોય છે, તથા અનુતર વિમાનવાસી દેવેને દ્રવ્ય. મનથી ઉત્તર દેવામાં મનની પ્રવૃત્તિ કરતા હોય છે. પરંતુ
Page #321
--------------------------------------------------------------------------
________________
ર૬ર તે વખતે તે રોગો તદન નિબળી સ્થિતિમાં હોય છે. આત્મબળ જ વધી ગયું હોય છે. અને છેવટે, તે નિર્બળ પણ સર્વથા ચાલ્યા જાય છે, અને સંપૂર્ણ આત્મ વીર્ય ખીલી ઉઠે છે. આ પ્રદેશોને ચંચળ બનાવનારા કાયાદિકના ત્રણ ગો ચાલ્યા જવાથી આત્મ પ્રદેશ મેરુપર્વતની માફક થિર થઈ જાય છે. તે પ્રમાણે સ્થિર ટકી રહેવામાં આત્માનું શુદ્ધ અનંત વીર્ય જ કારણભૂત છે. તે ન હોય, તે આત્મા અનંતકાળ સુધી સ્થિર રહી શકે જ નહીં.
આ રીતે જ્યારે આત્મા સ્વવીય બળથી બળવાન બને છે, ત્યારે તેને શુભ ગની મદદથી પ્રવૃત્તિ-સંવર અને નિજાની પ્રવૃત્તિ રૂ૫ બાહા આલંબનરૂપ સાધનની મદદ લેવાની જરૂર પડતી નથી. આઠમે ગુણકાણેથી ધર્મસંન્યાસ એટલે કે-ધાર્મિક અનુષ્ઠાનેને ત્યાગ કરવાને હેય છે. અને ૧૩મા ગુણ સ્થાનકના છેલા અંતમુહૂર્તમાં ઉત્પન્ન થતા આ જીકરણથી ત્રણ વેગને ત્યાગ કરવા રૂપ
ગ સંન્યાસ કરવાને હેય છે. આ રીતે તે આલંબન રૂપ સાધનને શુકલ ધ્યાનના બળથી ત્યાગ કરતા જાય, તેમ તેમ એક રીતની સ્વપરિણતિ છતાં વૈભાવિક દશા ભાગવા માંડે છે. એટલે આત્મા અચળ-સ્થિર–ધ્રુવ બની જાય છે. આત્મ-પ્રદેશે બધા સ્થિર થઈ જાય છે. પણ આત્મ-પ્રદેશ ચળવિચળ બિલકુલ થતા નથી લેતા.
આમ થવા છતાં મુકત આત્મા બીજા દર્શનકારની માન્યતા મુજબ પત્થર રૂપ-જ્ઞાન હિત–બની જતે નથી
Page #322
--------------------------------------------------------------------------
________________
શૂન્યરૂપ બની જતો નથી. પાણીમાં પાણી લાગે અને પિતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ગુમાવી દે, તેમ પરમાત્મામાં ભળી જઈને પિતાનું વ્યક્તિત્વ સર્વથા ગુમાવી દેતા નથી. પરંતુ સિદ્ધ શિલા ઉપર બીજા સિદ્ધ આત્માઓ સાથે ભળી જવા છતાં પિતાના આત્મ પ્રદેશરૂપ સ્વતંત્ર દ્રવ્ય સાદિ અનંતકાળ સુધી ઓછી વધતી પિતાની 3 અવગાહના રૂપ ક્ષેત્રમાં અને તથાભવ્યતાદિકને વેગે પ્રગટ કરેલા પિતાનાજ જ્ઞાનાદિ અનંત ગુણે રૂપી ભાવથી પિતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ જાળવી રાખે છે. અને અક્ષય દર્શનઃ જ્ઞાનઃ તથા ચારિત્ર વિગેરે ગુણોથી સદા જાગ્રતઃ સર્વજ્ઞ ભાવે-મુક્તક સ્વરૂપે જાગ્રત રહે છે. જરાક પ્રમાદ કે એવું કાંઈ આવી પડે તે પાછો તે આત્મા સંસારમાં આવી પડે. પણ તેમ બનવાનું કાંઈ કાણુ જ નથી હોતું.
એ રીતની સદાકાળની જાગૃતીમાં પણ તે આત્માને રવ આત્મિક બળનો સહજ રીતે ઉપયોગ કરવાનું હોય છે.
સિદ્ધની શોભા શી કહું ? સિદ્ધ જગત શિર શેલતા, રમતાં આતમરામલક્ષમી.લીલાની શહેરમાં સુખિયા શિવાય સિદ્ધ
[ વીરવિજય મહારાજ ] સ્તવનકારના આશયથી વિરુદ્ધ જૈનશાસ્ત્રના આશયથી વિરુદ્ધ, ગેર સમજથી, અજ્ઞાનથી, જાતિથી, કોઈ પૂર્વ ગ્રહથી, અલ્પ બુદ્ધિથી, કે કોઈ બીજી રીતે જે કાંઈઅયથાર્થ સવરૂપે લખાયું હોય, તે તે નિમિત્તે થયેલા દુષ્કૃત્યો મિથ્યા
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૪
થા, મિથ્યા થાઓ. આવી ભાવના સાથે વિજ્ઞપ્તિ કં છું, કે તે અને ઔંજી જે જે ખામીઓ હોય, તે સર્વે સુજ્ઞો સુધારી લેશે. અને હવે પછીની આવૃત્તિમાં રહેવા ન પામે, માટે, મારું ધ્યાન ખેંચશે, એવી અભ્યર્થના સાથે વિરમું છું.
પ્રભુદાસ બેચરદાસ પારેખના સ્વાભ્યાસના પરિણામ સ્વરૂપ: શબ્દાર્થ; ગાથાથ', ખાસ સમજ, ભાષા અને ખાસ વિશેષ ભાવાય સાથે શ્રી આનધન ચાવીશીની પ્રમાદા નામની સંક્ષિપ્ત વિવેચના સંપૂર્ણ.
“આશય આનંદઘન તણા, અતિ ગંભીર હાર. માલક માહુ પસારી, જિમ કહે ઉધિ વિસ્તાર.
[ ટબાકાર-જ્ઞાન-સારજી મહારાજ. ]
અ ભાવાર્થ સહિત
આનંદધન ચોવીશી
સમાસ.
Page #324
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર ૧, સ્તવનકારનું લક્ષ્યઃ
૧. બહિરાત્મભાવથી પર થઈ ચૂકેલા સ્તવનકાર શ્રી આનંદઘનજી મહારાજાએ પરમાત્મ સવરૂપ તીર્થકર પરમાત્માઓના વિશુદ્ધ આત્માનું આદર્શ તરીકે અવલંબન લઈ, પિતાના અંતરાત્મરૂપ આત્માને તે પરમાત્મા બનાવવા, તેમની સાથે તદાકારતા અનુભવવાને માર્ગે પ્રયાણ કરવા પ્રયત્ન આ સ્તવનેની રચના દ્વારા કર્યો છે.
૨. દરેક સ્તવનની લગભગ પહેલી અને કેઈ ઠેકાણે પહેલી બે કડી દ્વારા તીર્થંકર પરમાત્માના પરમાત્મવરૂપઆત્માના ગુણે સાથે, તેના લેક પ્રસિદ્ધ નામની વિશિષ્ટતા સાંકળી લઈ આત્માના યાને તીર્થંકર પરમાત્માના વિશિષ્ટ આત્મ–ગુણેની વર્ણના કરી, અભિમુખતા ઉત્પન્ન કરે છે. પ્રાયઃ કરીને નામ ભેદ છતાં દરેક તીર્થંકર પરમાત્માની સ્તવના તેમના સર્વાભિન–પરમાત્મ ભાવને લક્ષ્મીને જ કરવામાં આવી છે. શ્રી નેમિનાથ પ્રભુના સ્તવનમાં વ્યક્તિગત જીવનની વિસ્તૃત ઝાંખી થાય છે, પરંતુ તે તે વિરોધનું ઉત્પાદન કરી પરિવારમાં તે છેવટે પરમાત્મ સ્વરૂપની જ સ્તવના પરમાર્થથી છે.
અંતતઃ તે સર્વત્ર નિશ્ચય નયથી સ્વાત્મભાવની જ સ્તવના કરી છે. સત્ય વાત એ છે કે-સાધક પણ પોતે જ પિતાના આત્માને સ્તવી શકે, અને “સ્તવ, સ્તુત્ય ને તેના
Page #325
--------------------------------------------------------------------------
________________
એકજ રૂપ છે, તે અનુભવ ઉપજાવી શકે” તે જ તીર્થકર પ્રભુની સ્તવના પણ સાર્થક થાય છે.
૩. પ્રાયઃ કરીને છેલ્લી કડીમાં આત્માની વિકાસ ભૂમિકાને અનુરૂપ આત્માના જુદા જુદા ગુરાની પ્રાપ્તિ અને છેવટે આનંદઘન રૂપ મોક્ષની પ્રાપ્તિને લગતી પ્રાર્થના હોય છે. આનંદઘન પતે મોક્ષ: પરમાત્મભાવઃ શિવેશીસ્થર આત્મા વાત્મા તીર્થંકર પરમાત્માઃ નૈગમનયે આનંદઘન મય સર્વ આત્માઓઃ આધ્યાત્મિક વિકાસક ભૂમિકાએક સિંદ્ધાત્માઓઃ વિગેરે આનંદઘન પદથી સૂચિત કરેલાં છે.
૪. વચ્ચેની ગાથાઓમાં આત્માના વિકાસને લગતા જે ગુણની વર્ણન કરવાની હોય છે, તેનું સ્વરૂપ બતાવવામાં આવેલું હોય છે.
૫. પિતાના બનાવેલા સ્તવને પ્રભુની સ્તવના કરવોમાં ઉપયોગ કરનાર અન્ય સાધક આત્માના હૃદયમાં પણ ભાવના જાગ્રત થાય, ને તેની સાથે સાથે, પ્રત્યેક સ્તવનો માત સમજાવવાના આમવિકાસના દરવાજાઓ-ભૂમિકાએને પણ ભાસ થતે જાય, અને રાગ: શબ્દ રચનાઃ વિગેરે પણ તેમાં પૂરતે સહકાર આપી શકે તેવી ખૂબી રાખવામાં સ્તવનકારે સુંદર કુશળતા બતાવી છે.
૬. સાથે સાથે જ, જૈન દર્શનના શાસ્ત્રોમાં વર્ણવાચેલા આત્મવિકાસના જુદા જુદા દરજજાઓ-ભૂમિકાઓનું ક્રમશઃ સ્વરૂપ સમજાવવાન–અને તે સંક્ષેપમાં છતાં વિશિષ્ટ રૂપમાં સમજાવવાને સ્તવનકારનો ઉદેશ છે. તે પણ બરાકર સિદ્ધ કરવામાં આવેલો છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૮૩ ૭. માને કે લગભગ ૨૦૦ કડીને એક વિકાસકમને વ્યવસ્થિત ગ્રંથ હેય, તેવી આ સ્તવનની વિશિષ્ટતા છે. માત્ર, સ્તવનાઓ જે નથી (૧) સ્તવનાઓ કરવાની કારશુતા પણ સ્તુત્ય આત્મા તે તે દરજજે ચડીને ઠેઠ વિકાસ ભૂમિની પરાકાષ્ઠા–મક્ષ–સુધી પહોંચેલા હોય છે, તે પણ બતાવી છે. એ રીતે (૨) સ્તવના કરતાં કરતાં જે આત્મા તે તે ભૂમિકાને સ્પર્શ કરીને ઠેઠ સુધી પહોંચી શકે, તે જ ઉદ્દેશ તેનું સ્તવન કરવાનું હોય છે, અને (૩) સતવનકાર અને સ્તવનાર આત્મા પણ સ્તવન ચોગ્ય બની શકે છે. તે (૮) તથા તે વિષયની સમજાવટ માત્ર–વિષયનું નિરુપણ માત્ર-કરનાર ગ્રંથ તરીકે નહીં, પરંતુ સ્તવન રૂપ આરાધનાના પ્રકારના અવલંબન સાથે, તે સર્વ તરફ સાધકનાં પિત્તને આકર્ષિત કરવાની વિશિષ્ટ સયાજના પણ છે.
એ સવ આ સ્તવનમાં સ્તવનકારે અનુલક્ષિત કરેલા જણાઈ આવે છે.
૮ સ્તવનકાર માત્ર ગ્રંથ રચના જ કરે છે. કેવળ વિષય નિરુપણુ જ કરે છે. પરમાત્માના ગુણ ગાવાની અન્ય સાધકને સગવડ જ આપે છે. એ રીતે નહીં, પરંતુ પિતે પણ એક તન્મય હાર્દિક સાધક છે પિતાના આત્માને વિકાસ કરવાની તાલાવેલી અનુભવતે આત્મા છે. એ રીતે સ્વાત્મ કલ્યાણની ભાવનાના એક વિશિષ્ટ સાધન તરીકે પરમાત્માના ભાવ પૂર્વકના સ્તવનને માનીને તેવી મનોવૃત્તી સાથે તવનની રચના કરી હોય, એમ સ્પષ્ટ જણાઈ આવે છે.
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૮૪
માં એ
ભાન અ
સ વિર
૯. સ્તવનકારને આત્મા કઇ ભૂમિકા ઉપર હશે ? તેની કલ્પના કરવી બહુજ મુશ્કેલ કામ છે. છતાં, તે અચક આત્માથી જીવ તે છે જ. ધર્મનાથ સ્વામિના સ્તવન સુધીમાં અપ્રમત્ત ભાવના મુનિ મહાત્માઓના સ્વરૂપ સુધીનું આત્મ વિકાસનું ભાન કરાવ્યું છે. આ પાંચમા આરામાં વધુમાં વધુ ૭ મા અપ્રમત્ત સર્વ વિરતિ સંયમ ગુણ
સ્થાનક સુધી ચડી શકાય છે. હવે, એ મર્યાદામાં પણ કઈ ભૂમિકા સુધીમાં નિશ્ચયથી આનંદઘનજી મહારાજશ્રીને આત્મા હશે? તે ચોક્કસ કહેવું મુશ્કેલ છે, છતાં સમ્ય
–ચતુર્થ ગુણ સ્થાનકની નિશ્ચયથી પ્રાપ્તિ હેવામાં શંકા જણાતી નથી. - દેશ વિરતિઃ પ્રમત્ત સર્વવિરતિક અને અપ્રમત્ત સર્વવિરતિ એ ત્રણ ગુણસ્થાનકેમાંની કઈ ભૂમિકાને નિશ્ચયથી તેમને આત્મા પશી શકયો હશે? તે ચોક્કસ કહી શકાતું નથી.
છતાં, સંસારભાવથી તેમની ઉદાસીનતા: આત્મ રામતાઃ તત્પરતા: સંયમમાં પ્રીતિ: તલ્લીનતાઃ તન્મયતા: પરમાત્મભાવ પામવાની નિરંતર તમન્ના: તેમને વ્યવહારથી તે સર્વ વિરતિની સ્પર્શના પામેલા આત્મા: કહેવામાં હરકત જણાતી નથી. ૨. સ્તવન બેલનારનું લક્ષ્યઃ
૧. બહિરાત્મ ભાવથી પર થઈ, અંતરાત્મ ભાવમાં સ્થિર થઈ, પરમાત્મ સ્વરૂપ થવાની ઈચ્છાવાળો આત્મા
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૮૫
પરમાત્મ સ્વરૂપ તીર્થંકર પરમાત્માઓનું આલંબન લઈ પતે કઈ વિકાસ ભૂમિકાઓ ઉપર ચડીને પરમાત્માભાવ પામી શકે ? ”
૨. આવી જિજ્ઞાસાવાળો આત્મા આ સ્તવનેના પ્રભુ સન્મુખના પાઠથી જે અનન્યલાભ ઉઠાવી શકે, તે લાભ બીજા ઉતરતી કક્ષાના જીવ ન ઉઠાવી શકે, એ સ્વાભાવિક છે. [ આ પ્રભુની સ્તવન કરનારની વિશિષ્ટ યોગ્યતા વિષે શ્રીમદ હરિભસૂરિ વિરચિત લલિત વિસ્તરને પ્રાથમિક ભાગ-પ્રસ્તાવના–જેવી.]
૩. છતાં, જૈન શાસ્ત્રોક્ત વિશાળ આત્મ વિકાસને કમ પદ્ધતિસર સમજાવવાને આ બસો કડી એટલે સમુદ્રને વાટકીમાં સમાવવા બરાબર થાય. વિશેષમાં, પ્રત્યેક વિકાસ ભૂમિકાના વિશિષ્ટ ખાસ મુદ્દાઓને એવી ખૂબીથી સમાવ્યા છે, કે-પ્રથમના પ્રીતિગ નામના પગથિયાથી માંડીને કેક છેવટના શિલેશીકરણ સુધીના પગથિયા સુધી સાધકની નજર ફરી વળે, અને તેમાંના મુખ્ય મુખ્ય પ્રતીકો પકડી પાડી, પોતે ઈછે, તે ઉપર ઉપરના પગથિયાને આદર્શ રાખીને શક્તિ પ્રમાણે કઈ પણ આત્મા પિતાને આ કાળે પણ યથાયોગ્ય વિશિષ્ટ પગથિયા સુધી આ ભવમાં પણ લઈ જઈ શકે, તેવી મનેદશા જાગૃત્ કરવા સુધી આ સ્તવનેને પાઠ સાધકને લઈ જવાને સમર્થ થઈ શકે તે છે.
સાધકને માટે આ સ્તવન ગાવંચકા કિયાવંચકઃ અને અવાંતર તથા પરંપરાએ ફલાવંચકોગઃ રૂ૫ બની શકે, તેવી ગોઠવણવાળા છે. વળી, ઈચ્છાગઃ
હશીકરણ, માતા અને વિધાનસભા
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૮૬ શાસ્ત્રી એગ: અને અંશતઃ સામર્થ્યોગની પ્રાપ્તિ થઈ શકે, તેવા સ્વરૂપે પરિણમે, તેવા છે. પછી, સ્તવન બેલનારની જેવી વિકાસ ભૂમિકા.
૪. સામાન્ય જનસમાજને આ સ્તવમાં મતિ પ્રવેશ ઘણે દુર્લભ જણાય છે. ખાસ અલયાસીની મદદથી અભ્યાસ કર્યા વિના, આ સ્તવનેના ભાવ સમજવા ઘણા મુશ્કેલ છે–અલકે સમજી શકાય તેવા નથી, છતાં લલકારીને સ્તવન બોલનારના મોંમાંથી કેટલાક એવા શબ્દો જ એવી પૂબીથી નીકળે, કે કેમ જાણે, તેના આત્માને સ્પર્શ કરતા હાય, તે બોલનારને અને સાંળળનારને ભાસ થાય તેવી રચના તવનેની હોવાથી, કેઈ પણ ભૂમિકાના સાધકને બોલવા ગમે, યાતે કઈ પણ બેલે, તે તે સાંભળનાર તને સાંભળવા પણ ગમે, તેવાં છે.
૫. આનંદઘનજી મહારાજ અને સાધક આત્મા જાણે કે–પરમાત્મા સાથે મન મોકળું મૂકીને વાત કરતે હેય, કાલાવાલા કરતે હોય, પ્રીતિના ઠપકો આપતે હેય,
રૂપે, પુત્રરૂપે, સેવક, મિત્ર રૂપે, ગરજા રૂપે, અભેદ રૂપે-એકાકાર રૂપે, પતિને માલિકને શોધનાર રૂપે એમ અનેક રીતે આ સ્તવમાં ખાવા દે છે. ૩. આત્મવિકાસને ક્રમ
૧. જો કે, અવ્યવહાર રાશિ રૂપ નિગોદમાં અનાદિ કાળથી રહેલા ભવ્ય આત્મા ક્રમે ક્રમે તથાભવ્યતાને ચાગે વિકાસ સાધતે જ હોય છે. તે આત્માના પતન અને
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૮૭
વિકાસના અનેક નાના મોટા ઉથલા ચાલતા હોય છે, છતાં એકંદર તે વિકાસ તરફ જ આગળ વધતું હોય છે.
૨. જ્યારે તે, સર્વવિરતિ સંયમ સ્વીકારી ક્ષેપક શ્રેણિ ઉપર આરહી કેવીજ્ઞાન પામે છે, ત્યારે તે વિકાસ ક્રમની ઊંચામાં ઊંચી કેટિ સુધી પહોંચી ગયું હોય છે. તે તીથર કર રૂપે કે સામાન્ય કેવળ રૂપે વિચરી, અને શીલેશીકરણ કરી, અનંત વીર્યશાળી વીર બની મોક્ષમાં જાય છે,
૩. જે આત્માને, ભૂમિકાની મજબૂત પૂર્વ ભૂમિકા, વધુમાં વધુ અધપુદગલ પરવતન કાળ બાકી હોય તે આત્મા સમ્યગ દર્શન સમકિત-સમ્યહત્વ પામે છે, ત્યારથી તે જીવ માર્ગસ્થ ગણાય છે તે માર્ગમાં આવી પહોંચે ગણાય છે. સમ્યકત્વ એ મેક્ષ નગરમાં જવાના ઘેરી માર્ગને પહેલે દરવાજે છે. તે જીવ માર્ગસ્થ માગ પ્રાપ્ત ગણાય છે.
૪. તેની પહેલાની ભૂમિકા ઉપર રહેલા જીવ-માનસાવી-માગ તરફ જવાને પ્રયાણ કરી ચૂકેલા જીવ ગણાય છે. તેને માર્ગ મળે નથી હેતે, પરંતુ માર્ગ તરફ જવાને તે પ્રયાણ કરી ચૂકયો હોય છે. થોડાક જ ભવોમાં તેને માર્ગની પ્રાપ્તિ થવાની હોય છે. માગનુસારી માં બે પ્રકારના છ હોય છે.
૧. સમ્યફવા કદી પામ્યા ન હૈય, પરંતુ હવે ભવિમાં સમ્યકત્વ રૂપ માર્ગ અવશ્ય પામવાના છે તે. ૨. અને તે ઉપશમ કે શપશમ સમ્યકત્વ પામ્યા
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૮૮ પછી પણ પડીને મિખ્યાત્વિ થયેલા હોય, છતાં આધ્યાત્મિક જીવનને હદયથી ચાહતા હેય, તેવા પણ સમફત્વથી પતિત છતાં માર્ગાનુસારી જ હેય, તે.
સમ્યક્ત્વથી પતિત છવ માર્ગોનુસાર તે હેય જ. તે જીવ કદી ભવાભિનંદી તે ન જ હેય. કેમકે તેને સંસાર અર્ધ પુદગલ પરાવર્તનથી અધિક નથી હેતે. જે જીવને સંસાર એક પુદગલ પરાવર્તનથી અધિક હોય, તેજ જીવ ભવાનિંદીની ગણનામાં ગણાય છે. માટે સમતિથી પતિત જીવ અવશ્ય માર્ગાનુસારી ગણાય જ છે.
[૧] દસ કોકાકડી સાગરોપમે એક ઉત્સપિણ: અને તેવો જ એક અવસર્પિણી કાળ થાય છે, અને મળીને વીશ કોડા કડી સાગરોપમે એક કાળચક થાય છે. અનંત કાળચકે એક પુદ્ગલ પરાવર્તન થાય છે.
] અનાદિ કાળથી સંસારમાં રખડતે જીવ અનંત ગુગલ પરાવતને પસાર કરે છે. પરંતુ તથાભવ્યતાને ચગે કે જીવને સંસાર માત્ર એકજ પુગલ પરાવર્તન એટલે બાકી રહે છે, તે જીવ ચરમાવતિ ગણાય છે.
ચરમાવતમાં-છેલલા પુદગલપરાવર્તનમાં આવેલ છવ ધમને ગણાય છે. ત્યાંથી તેને આત્મા સહેજ સહેજ સ્થૂલ ધમને ચગ્ય વિકાસ ભૂમિકા સુધી આવી પહોંચે હોય છે. આ પહેલાં તેણે અનંત પુદ્ગલ પરાવતને ભવાભિનંદીપણે પસાર કર્યો હોય છે.
Page #332
--------------------------------------------------------------------------
________________
૨૮૯
છેલ્લા પુદ્દગલપરાવર્તનમાં આવેલે જન્ય જીવ અપુનબંધક થાય છે, અને માર્ગાનુસારી પણ બને છે.
અભવ્ય જીવ તે અનંત કાળ રખડે છે, તેને છેલ્લુ પુદ્દગલ પરાવર્તન હોતું જ નથી. એટલે, અહીં દરેક વાત ભવ્ય જીવને ઉદ્દેશીને જ થાય છે, એમ સમજવું.
અનપુબંધક એટલે, હવે પછી કોઇ પણ વખત મિથ્યાત્વમેાહનીય કર્મ વિગેરેની ઉત્કૃષ્ટ સ્થિતિ તથા ઉત્કૃષ્ટ રસ બાંધશે જ નહી, તેવી આત્મશુદ્ધિવાળા જીવ.
માર્ગાનુસારી એટલે ધમને–માત્મ વિકાસને-ચાહનારા જીવ: આધ્યાત્મિક જીવન પ્રણાલિકાને પસંદ કરનારા જીવા કાઇને કાઇ ધ્રુવઃ ગુરુઃ ધને ભાવથી માનનારા જીવઃ આધ્યાત્મિક વિકાસને ઉદ્દેશીને ઘડાયલી વ્યાવહારિક જીવન પ્રણાલિકા-આાર્ય સંસ્કૃતિને ચાહનારા તથા પાળનારા જીવઃ મુખ્યતયા ભારતીય આધ્યાત્મિક માય સ્કૂ તિને અનુરૂપ–તેના અંઞ રૂપ—તેનાથી ફલિત થતા-તેને સાધક તમામ પ્રકારના રાજકીય, સામાજિક, આર્થિક, કૌટુંબિક, નૈતિક, ધંધાદારી વિગેરે જે જે નાના મોટા જીવન વ્યવહારા હોય, તે સર્વ માર્ગાનુસારી-પણાના પ્રતીકો સમજવાં. જીવનમાં માર્ગોનુસાŕરતા ઉતારવાનું સાધન તે ભારતની વિશુદ્ આય' સંસ્કૃતિઃ આચ્ચે વધતે અંગે આધ્યાત્મિક આદર્શોને આધારે રચાયેલા જગમાં જે તે વખતે જે કાઈ નામે, જે કોઈ ધર્મ, ચાલતા હોય, તેમાં માનનારા હૃદયથી તેનું પાલન કરવા ઈચ્છનારા કોઇ પણ ભવ્ય જીવ ચર્માવતી ઃ
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૯૦
અપુનર્ણધાર અને માર્ગનુસારી હોય એમ માનવાને કશી હરકત નથી.
માનુસારીતાના પાંત્રીશ બોલ-૩૫ અધિષ્ઠાનેબતાવ્યા છે, તે ઉપલક્ષણ માત્ર છે. આધ્યાત્મિક સંસ્કૃતિને અનુકૂળઃ પ્રાય: કરીને પ્રાથમિક ભૂમિકા રૂપ: વ્યાવહારિક જીવનના મુખ્ય મુખ્ય પ્રતીક રૂપ તેને સમજવાના છે.
ભૌતિકવાદની સંસ્કૃતિને અનુકૂળ વ્યાવહારિક જીવન, માર્ગ, તે ઉન્માર્ગાનુસારિતા હોય, એ સ્વાભાવિક છે.
આજનું વિદેશી પદ્ધતિનું શિક્ષણ જીવન વ્યવહાર ભાવનાઓ, વાદ: બંધાઃ સમાજ સુધારા: વિજ્ઞાન: યંત્રવાદ: વિગેરે ઉન્માર્ગાનુસારી પ્રવૃત્તિ છે, એમ સ્પષ્ટ કરવાની વિશેષ જરૂર રહેતી નથી. આનું પરિણામ એ આવે, કેતેનાથી માનવ જાતની અને ખાસ કરીને ભારતની મહાઆર્ય પ્રજાની અવનતિ થાય જ. તેમાં કશુંયે આશ્ચર્ય નથી જ. આજે ગમે તેટલી ભૌતિક સાધન સામગ્રી ભારતમાં વધતી જતી હોવા છતાં, આર્ય પ્રજા અંદરથી અવ્યવસ્થિતઃ અનારોગ્યવતીઃ અશાંતઃ અસંતુષ્ટ: અપાયુષીઃ રોગી માનસિક દુખી: થતી જાય છે. ઉત્તરોત્તર એવી પરિસ્થિતિમાં વધારે થતું જાય છે, તેને પ્રગતિ માની આજે સર્વ પ્રકારના બળોનો ટેકો મેળવી તેને ખૂબ વેગ અપાઈ રહ્યો છે તેથી દુઃખમાં વધારે થતે રહો છે અને હજુ થયે જ જશે. તેવા સંજોગે છે.
આજના ભૌતિકવાદના પ્રચાર પહેલાં, દરેક સાંસ્કારિક
ભારતની માતા
જ તેમાં
જે ગમે તેટલા
Page #334
--------------------------------------------------------------------------
________________
ર૯૧
પ્રજાએ ભારતની આગેવાની નીચે આધ્યાત્મિક આદર્શોના પાયા ઉપર છે વધતે અંશે રચાયેલા વ્યાવહારિક જીવન જીવતી હતી. ઈસ્લામ અને ખ્રીસ્તીધર્મ પણ એક રીતે આધ્યાત્મિક ભૂમિકા ઉપર રચાયેલ છે. છતાં આજના ભૌતિવાદીઓ તેને પિતાના ઉત્કર્ષમાં ઉપયોગ કરી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ ભારતના આધ્યાત્મિક ઉચ્ચ કક્ષાના મહાન ધર્મોને પણ જમાનાને અનુરૂપ રૂપાંતર આપવાની
જનાઓને પ્રચાર કરીને જાણતા અજાણતાં જમાનાને અનુસરવાની વાતને પ્રચાર કરી, તે સ્વરૂપે રૂપાંતર કરી કરાવી ભૌતિકવાદનું અંગ બનાવી રહેલા છે.*
૬. છેલ્લા પાગલ પરાવર્તનમાં આવેલ છવ કોઈ પણ દેવ ગુરુ ધર્મ તરફ ભાવથી-પ્રીતિથી જેતે થાય છે
૭. કઈ પણ જીવ એકાએક ભગવાન મળવાથી કે શાસ્ત્રો જાણવાથી કે તપનુષ્ઠાન કરવાથી કે ચાગી થઇ જવાથી મોક્ષ પામીજ જાય છે.” એવું નથી. દરેક જીવને વિકાસ તે તે જીવની તથાભવ્યતા પ્રમાણે કૃમિક થાય છે. એમને એમ કુકે મારીને મેક્ષમાં પહોંચી જવાતું નથી. જન શાસનમાં વિકાસકમ બહુ જ વ્યવસ્થિત રીતે ઝીણવટથી બતાવ્યો છે. જેની સૂચના ત્રીજા પ્રભુના સ્તવનમાં સ્પષ્ટ રીતે કરવામાં આવી છે. દરેક જીવને આધ્યાત્મિક વિકાસના પગથિયાં ક્રમસર ચડવા પડે છે તે તે
કોઇ
+ વિશેષ સમજવા માટે શ્રી વિશ્વનાથ નું ઇંટર નેશનલ હૈ ઈન ઈન્સેન્ટ ઈંડયા જુઓ.
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૯૨
જીવન તથા ભવ્યતાને ચેાગે તે તે પગથિયાં ઉપર ટકવાના વખત આછે. વધતા જરૂર લાગે છે, દરેકને સરખાજ વખત લાગે, એમ નથી બનતું. બીજા દર્શનામાં પણ સામાન્ય રીતે વિકાસક્રમ બતાવેલા જોવામાં આવે છે. પરંતુ જૈન શાસનમાં વ્યવસ્થિતઃ સ્વષ્ટા તે તે ભૂમિકામાં રહેલા વિવિધ જીવાને લગતા કતવ્યાઃ તથા ઉચ્ચ ભૂમિકાની અત્યન્ત વિશિષ્ટ સ્પષ્ટતા અને પ્રાપ્તિ કરાવી આપતા સચાટ ઉપાયઃ લાવ′ચતા એ જૈનશાસ્ત્રની વિશિષ્ટતા છે.
-
૮. કોઈ વખત કાઈ દુરાચારી જીવ એકદમ આત્માભિમુખ થઇ–યાગી—ત્યાગી-સંયમી-સાધુ-થ!-મહાત્મા બની જાય છે. તેનું કાણુ, તે જીવ પૂર્વ ભવમાં સાધના કરતા કરતા આટલે સુધી આવ્યા તે હાય છે. વચમાં કઇ ભૂલ થવાથી કે કાઈ પાછળની ભૂલનું પરિણામ ભાગવવાનું બાકી હાવાથી તેટલા પૂરતા તે દુરાચારી બને છે. તે વિઘ્નો હઠી જતાં તરત જ તે પેાતાની પૂર્વ'થી વિકાસ ભૂમિકાથી પાછે આગળ વધવા લાગે છે. એટા જ માટે, જૈન શાસ્ત્રકારા જૈન ઉપદેષ્ટાઓને પ્રથમઃ સવ શ્રોતાઓને સર્વ વિરતિના ઉપદેશ આપવા ફરમાવે છે. ત્યાર પછી, તેને દેશ વિરતિઃ સમ્યકત્વ: માર્ગાનુસારિતાઃ અભવાભિનંદિતા ના ઉપદેશ આપવાનું ફરમાવે છે.
૯. આ કારણે, આ સ્તવનામાં છેલ્લા પુદ્ગલ પરાતમાં પ્રવેશેલા જીવના વિકાસ કેવા ક્રમે થઇને મેક્ષ સુધી પહોંચે છે,તે ક્રમસર બતાવેલ છે. તેના સામાન્ય ક્રમ નીચે પ્રમાણે છે. ૨૪ સ્તવનામાં સામાન્ય રીતે આ સાથેના
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૯૩
ચિત્ર પ્રમાણે આત્મ વિકાસના ક્રમ બતાવેલ છે. તેનું સક્ષિસ ગિર્દેશન અત્રે કરવામાં આવે છે. વિશેષ સમજ સ્તવનાના ભાવાથ તથા અથથી સમજાશે. વિશેષ જિજ્ઞાસુઓએ તે તે વિષયને લગતા શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના ચેાબિન્દુ, ચેગદષ્ટિ સમુચ્ચય, ષોડશક, વીશીશી વિગેરે તથા શ્રીઉપાસ્થાથજી મહારાજ શ્રી યોવિજયજી મહારાજની અન્રીશ બત્રીશી: આઠ દૃષ્ટિની સજ્ઝાયઃ ૩૫૦ ગાથાનું સ્તવન તથા ચાવિશીની ટીકા: મેડશક વૃત્તિ; વૈરાગ્ય કલ્પલતા: શ્રીપાળ રાસ ચોથા ખડક વિગેરે ગ્રંથાના અભ્યાસ શ્રવણુ—મનન પૂર્વક કરવા જોઈએ.
Page #337
--------------------------------------------------------------------------
________________
ચરમા-ગ્ટવર્તિી નાટક
[એક સૂચક કલ્પના ] [અનાદિ કાળથી અ-વ્યવહાર રાશિમાં રહેલે જીવ વ્યવહાર રાશિમાં આવ્યા બાદ પણ પ્રાયઃ અનંતકાળ સુધી અનેક ભવમાં 'ભટકતે ભટકતો રુમ-નિગોદ પૃથ્વીકાયાદિક એન્દ્રિમાં-બાદર, નિગદ તથા પૃથ્વીકાયાદિમાં ભટકતે ભટકતે બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચઉરિન્દ્રિયમાં પસાર થઈ, અગ્નિ, તથા છેવટે પર્યાપ્ત સંસિ પંચેન્દ્રિય પણું પામતો પામતો આખરે કઈ ભવ્ય જીવ પિતાની તથાભવ્યતાને વેગે ચરમ પુદ્ગલ પરાવતમાં પ્રવેશ કરે છે. ચરમ પુદ્ગલ પરાવર્ત એટલે-જે જીવને મેક્ષ થવાને એકજ છેલું પગલ પરાવર્તન કાળ બાકી હેય, તેમાં પ્રવેશ કરી આ વિશાળ જગતના ચોકમાં વિકાસ માની રંગભૂમિમાં સૌથી પહેલો પ્રવેશ કરે છે
ત્યારે તેની સામે અનેક ધર્મો તેના ઉપદેષ્ટા ગુરુઓ અને તે ધમની મૂળ પ્રચારકેઃ સંતઃ મહતિ: કે દે: નજરે ચડે છે. વાસ્તવિકરીતે ધર્મ એકજ હોવા છતાં, તથા પ્રકારના સંજોગોને લીધે તથાબુદ્ધિની તરતમતાને લીધે, પિત પિતાની સગવા અનુસાર જુદા જુદા નામે તેજ મૂળ ધર્મના આચ્છા વધતા ગુણેને આધારે અનેક પ્રકારે પ્રચલિત ધર્મના હેય છે. તે સર્વે તેની નજરે ચડે છે. એટલું જ નહીં, પરંતુ તે તરફ તે જીવનું મન પણ આકર્ષાય છે. તે સઘળામાંના કઈને કઈ તરફ અગમ્ય રીતે તેના હૃદયમાં પ્રીતિ જાગવા લાગે છે. આવી પ્રીતિ જગતમાંના સર્વ જીવોને જાગેજ એમ નથી. પરંતુ જે જીવ ચરમાવર્ત માં પ્રવેશ કરી ચૂકે હેય, તેને જ એવી હાર્દિક પ્રિતિ જાગે છે–જાગવાની શરૂઆત થાય છે,
Page #338
--------------------------------------------------------------------------
________________
૨૯ આ પ્રીતિ થવી તેજ મેક્ષમાગની પહેલી રેખા છે. આનંદ ઘન પદ હિ આનંદ-મક્ષ હિ-રેખાં પહેલી કક્ષા: પહેલું પગથિયું
સ્થળ–તિર્યંચ: નારકા દેવા મનુષ્યઃ ગતિ. પરંતુ મુખ્યપણે મનુષ્યગતિઃ
કાળ–અનંત ઉત્સર્પિણી અવસર્પિણીમય- છેલ્લે પાગલ પરાવર્તન
મુખ્ય પાત્રો—શરમાવતિ ભવ્ય જીવ. સહકારી પાત્ર—વિવિધ પ્રકારના બીજા છો.
અંક ૧ લો :
| દશ્ય ૧ લું થરમાવતમાં પ્રવિણ એક કે અનેક ઈવેને માર્ગમાં શ્રી આનંદઘનજી મહારાજ કે તેવા કેઈ ગુરુમહારાજ મળે છે. અને ઉપદેશ આપે છે, કે
“હે ભવ્ય જીવ! દેવ ગુરુ અને ધમ ઉપર તને પ્રીતિ થવા લાગી છે, તે તે બહુ જ સારી વાત છે. પરંતુ જે તારે પ્રીતિ જ કરવી હોય, તે-અવહારનયથીઃ શ્રી રાષભદેવ પ્રભુના ઉપલક્ષાણથી તેના જેવા કે વીતસર સર્વજ્ઞ તીર્થંકર પ્રભુની સાથે. કર, અને છેવટે નિશ્ચયનયથી તારા પિતાના વીતરાગ પરમાત્મા સ્વરૂપ આત્મભાવને જાગ્રત કરવા માટે, તારા પિતાના આત્મગુણે ઉપર-આત્મા ઉપર પ્રીતિ કર. વાલ્મમાં પ્રીતિમય બની જા.
દુનિયામાં, સગાઈ સગપણની પ્રીતિના અનેક રંગરાગ દેખાય છે, પતિ-પત્ની પિતા-પુત્ર તથા અનેક પ્રકારના
Page #339
--------------------------------------------------------------------------
________________
૨૯૬
સગપણની પ્રીતિ પ્રસિદ્ધ છે. પત્ની મૃત પતિ સાથે ચિતામાં પ્રવેશ કરે છે. આકરા આકરા તપ કરે છે. માતા પુત્ર ખાતર મૃત્યુને ભેટે છે. એવા એવા દુન્યવી પ્રીતિના અનેક ખેલ જગતમાં ચાલે છે. છતાં, તે સર્વ પ્રકારની પ્રીતિ ક્ષણિક અને માત્ર વાર્થ પૂરતી-કામ ચલાઉ જ આખરે સાબિત થઈ છે. લીલામય પરમબ્રહ્મ સાથેની પ્રીતિ પણ તાવિક ઠરતી નથી. એ પણ પરમાર્થિક દૃષ્ટિથી વિચારતાં ભ્રમણાત્મક જ કરે છે. કેમકે-દરેક જીવ સત્તાએ પરમ બ્રહ્મમય, છે. પરમબ્રહ્મ કેઈ જુદી વસ્તુ નથી.
તેને અર્થ એ નથી કે “વાસ્તવિક પ્રીતિ જગતમાં સંભવી શકતી જ નથી.” જગતમાં વાસ્તવિક પ્રીતિને પણ અવશ્ય સંભવ છે. તેથી શ્રી વીતરાગ તીર્થકર પરમાત્મા સાથે વાસ્તવિક પ્રીતિ જેડીશ, તે તારે વિસ્તાર જલ્દી થશે, અને તને પરમપદ જદી પ્રાપ્ત થશે.”
એમ કહી,
આય-મહામાનવપ્રજાના આદિ પિતાના વિશ્વ સ્મારક સમાન અનન્ય પવિત્ર ભૂમિ શ્રી શત્રુંજય ગિરિવરના ભૂષણભૂત શ્રીષભદેવ પ્રભુ તરફ આંગળી ચિંધે છે. અને પારમા ર્થિક પ્રીતિ કરવા લલચાવે છે.
દશ્ય ૨ : પ્રીતિ કરવાની ઈચ્છાવાળે જીવ વધુ આગળ વધી પરમાત્માની પાસે જવા ઝંખે છે. પરંતુ, પહેલાં તે તેમની પાસે જવાને માર્ગ જ હજુ તેને માન્ય નથી. તેથી પ્રથમ
Page #340
--------------------------------------------------------------------------
________________
૨૯૭
જવાના માર્ગની શોધમાં નીકળે છે. સાચો માર્ગ સુતે નથી. અને જુદા જુદા ભાગો તરફ લટકે છે.
તેને માત્ર પુરુષ પરંપરાને માર્ગ માનનારા મળે છે. માત્ર શાસ્ત્રોને જ પ્રમાણ માનનારા મળે છે, માત્ર તવાદથી તને નિશ્ચય કરનારા મળે છે. માત્ર વાગધારાથી ઉપદેશ દેનારા મળે છે, એમ અનેક માર્ગદર્શકે મળે છે. તે દરેકને માર્ગ પૂછે છે, તેમના કહ્યા પ્રમાણે અનેક ભવ સુધી વર્ત છે. છતાં સાચે માર્ગ ન મળવાથી આમથી તેમ ભટકતે જીવ આ દર૩યાં નજરે પડે છે. છેવટે નિરાશ થતા જીવને ગીતાર્થ ગુરુ પાસે જઈને માર્ગ પૂછવાની ભલામણ કરી, તેવા તરતમ વાસનાથી વિશિષ્ટ ક્ષપશમથી વાસિત જ્ઞાની ગીતાર્થ ગુરુ તરફ આંગળી ચિંધે છે. કાળલબ્ધિ પ્રાપ્ત થવાની આશામાં જીવ પોતાની માર્ગ પામવાની ઈચ્છાથી આશ્વાસન પામી, તે ઈચછાને ટેકે લઈ તેને આધારે આગળ વધે છે.
| દશ્ય ૩ જુ - માર્ગ શોધવાની તાલાવેલીમાં પડેલો જીવ ભટકતાં ભટકતાં કોઈક આકર્ષક સ્થળમાં લલચાઈ જાય છે. અને એમ માની બેસે છે, કે “વાહ! હવે તે મને સાચો માર્ગ મળી ગયે. જેથી હવે હું ઝટ પરમાત્મા પાસે પહોંચી જઈશ.”
ત્યારે તેને વચમાં શ્રીઆનંદઘનજી મહારાજ મળે. છે. અને સમજાવે છે, કે “હે બંધ! પરમાત્મા બનવું સહેલું નથી. તે સ્થિતિ, પગથિયાં ચડતાં ચડતાં અનુક્રમે પ્રાપ્ત
२०
Page #341
--------------------------------------------------------------------------
________________
૧૯
થાય છે, કાળ લબ્ધિઃ તથાભવ્યતાના પરિપાક: સમ્યકત્વ, આગમનું શ્રવણ, સદ્ગુરુના પરિચય: આધ્યાત્મિક ગ્રંથનું શ્રવણ-મનન, નયવાદ સાપેક્ષ સૂક્ષ્મ પરિશીલનઃ વિગેરે ઘણા પગથિયાં ચડવાં પડે છે. પહેલું પગથિયું બીજા પગથિયે ચઢવાનું કારણ બને છે. અને ખીજું પગથિયું પહેલાનું કાય અને છે. એજ પ્રમાણે બીજી ત્રીજાનું કારણુ અને ત્રીજું બીજાનુ' કાય મને છે. આમ ચડતાં હતાં ઉપર જવાય છે. કઈ કહે, કે લે આ માળા જાપ કરવા લાગી જા, લે આ ભભૂત શરીર ચાળીને તડકામાં બેસી જા, લે આ ભગવાનની સ્તુતિ. હાંમે રામે ગાવા લાગી જા એટલે તારી આ ભવમાં જ માણ થઈ જશે.” તે તું એવી એવી વાતા ઉપર બહુ વિશ્વાસ મુકતા ના,
પરંતુ વિષયાથી મનની ચંચળતા ન થવા દેતાં, મક્કમતા લાવીને પહેલાં તા તારે નિર્ભય થવું પડશે, ધર્મ અને તેના અગા તરફ તારે હાર્દિક પ્રેમ ભાવ રાખતા થવું પઢશે. એટલું જ નહીં, પરંતુ ધર્મને લગતી પ્રવૃત્તિમાં સતત લાગ્યા રહેવું પડશે, તેથી તને કદી ક્રેટાળા ન આવવે જોઈ એ. એટલું થાય, ત્યારે તારે સમજવું, કે “હવે મારામાં ધમની લાયકાતની શરૂઆત થઈ.
97
ભલે, કદાચ તું તે વખતે વિષયામાં આસક્ત હા, શકે તને સાચા માર્ગ ન મળ્યા હોય, છતાં તે મેળવવાની તારી તાલાવેલી ચાલુ હાય, અને વિષયેમાં આસક્તિઃ એ ખરાબ વસ્તુ છે.” એમ તને લાગે, તેા જ તું ભગવાનના ભગત ખની શકીશ વિષયાની આસક્તિ ખરાબ ન લાગતી હાય, અને ગમે
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૯૯ તેટલી માળા ફેરવીશ, ત્યાં સુધી ભગત ગણાવાની શરૂઆત પણ થશે નહીં. માટે, ભગત બનવું પણ સહેલું નથી. વિષયે તરફની તારી આસક્તિ ભયંકર ભાસશે, ત્યારે જ ભક્ત તરીકેનું તારું પહેલું પગથિયું શરૂ થશે. માટે શ્રીસંભવનાથ પ્રભુની સેવા કર. અને કદાચ તેને તે પ્રભુ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી કોઈ પણ દેવઃ ગુરુ અને ધર્મની સેવા કરે, પરંતુ તે વિના ન રહે.
દશ્ય ૪ ચોથું એ રીતે, ગમે તે દેવર ગુરુ અને ધર્મની સેવા કરતાં ઘણે કાળે જવના મનમાં પરમાત્માના દર્શન કરવાની, સાચા પરમાત્મ ભાવના દર્શન કરવાની તાલાવેલી જાગે છે. અને “પ્રભુ દર્શન! પ્રભુ દર્શન!!” કરતે ચારેય તરફ ભટકે છે. પરંતુ તેની સામે એવા એવા વિચિત્ર સજેને આવે છે, કે તેને કયાંય સંતેષ થતું નથી.
કોઈ કહે છે, કે-“આવ, અમારી પાસે તને પ્રભુના દર્શન કરાવીશું.” જેની જેની પાસે જાય, તે સઘળાયે આમ જ કહેવા લાગે છે. કોઈ તર્કવાદથી પ્રભુનું દર્શન કરાવવાની હામ ભીડે છે. કોઈ તે પૂરી આંખો ખોલાવ્યા વિના જ દર્શન કરાવવાની માશા આપે છે.
પરંતુ, દરેક તરફથી એમ નિરાશા મળ્યા છતાં નાસીપાસ થતું નથી. અને દર્શનની અભિલાષા દિવસે ને દિવસે વધતી જાય છે. છતાં શાસ્ત્રજ્ઞાન ઉપદેશકેની સારી સેબત વિગેરે માટેના પ્રયાસ ચાલુ રાખે છે. પરમાત્માનું દર્શન થવું કેટલું
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૦૭, મુશ્કેલ છે તેની તેને ઝાંખી થાય છે. છતાં તે સુલભ થાય, તે માટે તેની કૃપાના પાત્ર થવાના પ્રયાસો ચાલુ રાખે છે. -
દશ્ય ૫ મું પરમાત્માનું દર્શન શી રીતે થાય? તે ઇચ્છામાંથી પરમાત્મા કેશુ? કયાં હશે? તેવી જિજ્ઞાસાવૃત્તિ થાય છે. પિતાના શરીરમાં આત્મા હોવાની તેને ખાત્રી થાય છે. પરંતુ તે પરમાત્મા છે? કે નહીં? તેને તેને સંશય થાય છે. પરમાત્માના દર્શનની ભૂખ મારા શરીરને લાગે છે કે મારા દેહમાં રહેલા આત્માને લાગે છે? દરેક પ્રાણીના દેહમાં આત્મા હોવાનું નકકી થવા છતાં દરેકના આત્મા સરખા જણાતા નથી. - કેટલાક વિષય-કષામાં રચ્યાપચા દેખાય છે. ત્યારે કેટલાક તે છેડીને તેના ઉપર ઘણા કરી કેઈ જુદી જ જાતનું જીવન ગાળતા નજરે પડે છે. ત્યારે કેટલાક મહા પુરુષે તરીકે જીવન જીવતા જોવામાં આવે છે. જુદા જુદા આત્માએની આ તરતમતા જોવામાં આવવાથી, “પોતે કઈ ભૂમિકા ઉપર છે?” તેનું તેને ભાન શરૂ થાય છે. અને “ઉપરની ભૂમિકાઓ ઉપર ચડવા માટે શું કરવું?” તેની જિજ્ઞાસા થવા લાગે છે. આત્માની જુદી જુદી અવસ્થાઓ તરફ તેને ખ્યાલ જાય છે.
મારા દેહમાં આત્મા છે. હું આત્મા છું. દેહ જ આત્મા હોય, તે મડદું પણ આત્મા હોઈ શકે. દેહની
Page #344
--------------------------------------------------------------------------
________________
મદદ વિના મારો આત્મા કાંઈ પણ બાહ્ય પ્રવૃત્તિ કરી શકતો નથી. માટે દેહમાં આત્મા છે. પરંતુ, તે દેહ કરતાં જુદે છે.”
હું પણ આત્મા છું. અને પરમાત્મા પણ આત્મા છે. તે મારી અને તેની વચ્ચે ફરવાનું કારણ શું? તેની શોધ ચલાવવાની શક્તિ આવેલી હેવાથી, તે શોધ પાછળ પડે છે.
પ્રથમ તો શરીરની ચેષ્ટાઓનું પૃથકકરણ કરે છે, તેમ કરતાં, શરીરની ચેષ્ટા શિવાયની પણ ચેષ્ટાઓ તેને માલુમ પડે છે. એક થાંભલા કે પત્થરની જેમ તેને શરીરની ચેષ્ટાઓ માલુમ પડે છે.
પછી લાભાલાભના વિચારથી પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરવાની સમજમાં ઇન્દ્રિયની પ્રવૃત્તિ થતી તેને ભાસે છે. શરીર રસ્તામાં ચાલ્યું જતું હોય છે. પરંતુ, સામે મોટી આગના ભડકા જોઈ ત્યાંથી શરીર પાછું વળે છે.
તેનું પૃથક્કરણ કરતાં-ઈદ્રિયો સાથે સૂમ જ્ઞાનના વાહક શરીરના તંતુઓનું કામ સમજવામાં આવે છે. અને તેનું મથક મગજમાં જણાય છે. મગજ મન સાથે જોડાઈને ઉચિત-અનુચિત સમજીને હુકમ છોડે છે.
' તેમ છતાં, બધુ મનનું ધાર્યું થતું નથી. આત્માની ઇચ્છા મનનું ધાર્યું કરવાની હોય છે. છતાં થતું નથી. તેનું પૃથક્કરણ કરતાં આત્મા અને મનની વચ્ચે કેઈ વિચિત્ર તત્વને ભાસ થાય છે. તેનું નામ કમ. '
આત્માને લાગેલા ક-મન, ઈદ્રિય, શરીર વિગેરેની ચેષ્ટાઓ ઉપર અસર કરે છે. એટલું જ નહી, પરંતુ, તે
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૦૨
સર્વની ઉત્પત્તિમાં પણ એજ મદદગાર હોવાનું લાગે છે. તેના વિના કાંઈ ન થતું હોય, એ ભાસ થાય છે. કર્મ રહિત આત્માઓની પ્રવૃત્તિઓ અને કર્મ સહિત આત્માઓની પ્રવૃત્તિઓમાં ઘણું જ અંતર દેખાય છે. સકર્મક જીવ કેમ જાથે વિવિધ પ્રકારની રંગભૂમિ ઉપર વિવિધ પ્રકારના નાચ નાચી રહ્યો હોય. પિતાની અને કર્મરહિત પરમાત્માની વચ્ચેનો ભેદ જેવા લાગે છે અને તે ભેદ ભાંગવાની તેયારી કરવા ઈચ્છે છે.
દય ૭ મું આ દ૨યામાં–જેમ સિંહનું બચ્ચું સિંહ તરીકે જાહેર થવા માટે સિંહની સોબત શેતું હેય, સિંહના ટોળામાં જવા માટે મહેનત કરતું હોય, તેમ જણાય છે.
એટલે જુદા જુલ ના જા જુદા સ્વરૂપે પરમાત્માને શોધી કાઢવાની મહેનત શરૂ કરે છે અને માર્ગની નજીક આવા સુધી પહોંચી જાય છે. છતાં, હજી તે ધારી માગને મળનારી બાજુની કેડી ઉપર જ ચાલી રહી છે. ધારી માર્ગ ઉપર આવી પહોંચ્યો નથી. માર્ગને મળનારી દર દરની કેડીઓ ઉપર હજુ ભટકતો માલુમ પડે છે અને પરમાત્માના જુદા જુદા નામ ઉપસ્થી પરમાત્માના સવરૂપની ઝાંખી કરવાના પ્રયત્ન કરે છે.
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૦૩
અંક ૨ :
દશ્ય ૮ મું માર્ગની નજીક આવી પહોંચતાં જ ઝપાટા બંધ મેક્ષ માગની ઉચી ધારી સડકમાર્ગ ઉપર ચડી જાય છે. ને તેને ખુલ્લી હવા, સ્વચ્છ પાણી, તાબે ખેરાટ વિ. મળવાની શરૂઆત થાય છે. તેની આંખમાં દિવ્ય અંજન અંજાવાથી સામે દૂર દૂર પરમાત્માને ભવ્ય રાજમહેલ દેખાવા લાગે છે. તેનાથી આપણને તે તરફ જવાની જોર તાલાવેલી જાગે છે.
પિતે “કયાં કયાં ભટકશે?” તેનું સિંહાવલોકન કરતાં, એ દુગછનીય અવસ્થાઓમાં પોતે પસાર થયે, છતાં તેની છા આટલી ન આવી, તેનું તેને હવે આશ્ચર્ય થવા લાગ્યું, કે-“અહે! હું બાટલે કાળ આટલા આટલા સ્થળોમાં ભટા, છતાં મને સાથે માર્ગ ત્યાં સુધી મજ નહી, પરંતુ, હવે જ માર્ગ મળે. તેમાં હવે પૂબ રંગથી આગળ વધું, તે ઠીક.”
પરંતુ, એ ભાગમાં આગળ વધવું કયાં સહેલું છે? ભોમીયા વિના, યોગ્ય વાહન વિના આગળ કેમ વણાય? તેથી ભેમીયા તરીકે સાગુરુ અને વાહન તરીકે સદનુષ્ઠાને અને મેક્ષમાં જવાની પાકી ચીઠી મૂલ્ય પત્રિકા તરીકે ફળાવંચકપણે તેને મળી ગયેલ છે, તેની મદદથી રાજમહેલ તરફ જમાને રસ્તેજ આગળ વધી રહે છે.
રાજમાર્ગને અનેક રીતે શણગારતે શણગારતે આગળ વધે છે અનેક પ્રકારની શાસન પ્રભાવનાઓ કરતો કરતે માલુમ
Page #347
--------------------------------------------------------------------------
________________
30
પડે છે જિનમંદિર બંધાવે છે, તેમાં પ્રતિષ્ઠા કરાવે છે. સાધાર્મિક વાત્સલ્ય પ્રવર્તાવે છે, સાધર્મિકમાં અનેક પ્રકારની હાણીઓ કરે છે, ગુરુઓના સામૈયા, દેવના ઉત્સવો વિગેરેમાં ઉત્સાહપૂર્વક ધસમસીને ભાગ લેતે, તન, મન, ધન, વચનને તેમ સારામાં સારો ઉપયોગ કરતે જોવામાં આવે છે.
દશ્ય ૯ મું: અહિથી, પરમાત્માના દર્શન, તેમના વચનામૃતેનું શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવાની, ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એક્તાનતાથી પરમાત્મા સાથે તન્મય થવાની ઈચ્છા જાગ્રત થાય છે.. - પતિના વિરહથી ગભરાઈને બેહાલ થઈ ગયેલી કાયર પની જેમ વિરહ સહન કરી શકતી નથી, ત્યારે પતિના વસ્ત્રાભૂષણ, રાચરચીલા, વિ. પ્રિય વસ્તુઓને જુવે છે, તેને પંપાળે છે, ભેટે છે, તેના મિત્રને, તેની પ્રતિમાને જુવે છે. તેની સામે પતિની સાથે વાતચિત કરે, તેમ વાતચિત કરે છે ઠપકો આપે છે. બેલાવે છે, હસાવવા પ્રયત્ન કરે છે, મશ્કરી કરે છે તે પ્રમાણે પરમાત્માના વિરહથી કાયર ભક્ત તેની પ્રતિમા મારફત પરમાત્મભાવ સાથે સંબંધ જોડવાની તાલાવેલીમાં પડે છે પરમાત્માની પાછળ સાચો પાગલ બની તેની પ્રતિમા મારફત તેની ભક્તિમાં લીન થાય છે. પોતાના મનેભાવ વ્યક્ત કરે છે, પરમાત્માની પાછળનું એ પાગલપણું સાક્ષાત પરમાત્મા સાથેના વિયોગની અસહ્ય અવસ્થા વ્યક્ત કરે છે.
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૦૫
પિતાના આત્માને પરમાત્મા બનાવવા માટે પોતે પરમાત્મભાવને અનુભવ કરવા અનેક જિનમંદિરે અનેક મહાતીર્થ યાત્રાએ, ઉત્સ, વિગેરેની ભૂમિકામાંથી પસાર થઈ પરમાત્મભાવ તરફની તાલાવેલી જગાડવાની તક લેતે જેવામાં આવે છે,
દૃશ્ય ૧૦ મું: - સામાન્ય રીતે આત્મા અન્તરાત્મા અને પરમાત્માની તે તેને સમજ પડી ગઈ છે. પરંતુ પિતાને આત્મા પદાર્થ કેવું છે? તેને શા શા ગુણે છે? તેનું કેવું સ્વરૂપ છે? તેની વિશેષ સમજ મેળવવાના પ્રયાસોમાં પડેલો જીવ આ દશ્યમાં જોવામાં આવે છે. - સત્ શાસ્ત્રોને આધાર લે છે. સતુ શાસ્ત્રોનો અભ્યાસ કરે રે, સાંભળે છે, ગુરુઓના હિતોપદેશ સાંભળવા જ્યાં સગવડ મળે, ત્યાં દોડી જાય છે. “ માત્ર કાનની ખરજ મટાડવા કંઈક સાંભળવું એવી ઇચ્છાથી નથી દડી જતો.” પરંતુ, પરમાત્મ ભાવ પ્રાપ્તિની ઈચ્છા, અને તેના સ્વરૂપની જિજ્ઞાસા શાંત કરવા દેડી જાય છે.
- આત્માનું સ્વરૂપ સમજે છે, પરસ્પર વિરુદ્ધ જણાતા તેના ગુણે સાંભળે છે. અને તેને સાપેક્ષ પરિવાર સમજીને વધારે વ્યવસ્થિત રીતે સમજે છે. પ્રત્યક્ષ અનુમાન: અને ગુરુ વાકય તથા સ્વાનુભવ: ઉપરથી તેનું મનન કરે છે, તેમાં તેને મુંજવણ થતી નથી. કેમકે-વિવિધ ભંગીથી સ્વાદ વાદનું જ્ઞાન મેળવવાની શરૂઆત તેણે કરી હોય છે.
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૦૬
એકજ વસ્તુ અનેક સ્વરૂપે કેવી રીતે હોઈ શકે છે ? તથા અનેક વસ્તુઓ પણ એક સ્વરૂપે કેવી રીતે હોય છે? તેનુ' લક્ષ્ય વેધી આણાવળી ક્ષત્રિયની અદાથી ગુરુ ચરણુ પાસે બેસીને તે જ્ઞાન મેળવતો, અને આનંદ તા જોવામાં આવેછે. દશ્ય ૧૧ મુ
“ કાઇ પણ
એક વિષયને લગતુ વ્યવસ્થિત જ્ઞાન, તૈ વિજ્ઞાન: તેવા અને અનંત વિજ્ઞાનાના સમૂહપ વિશ્વનુંજગતનું જ્ઞાન, તે વિશ્વજ્ઞાનઃ વિશ્વમાંના જુદા જુદા વિજ્ઞાન, અને વિશ્વ સાથે પેાતાના આત્માના અધઃ પોતાના આત્માનું સ્વરૂપ: વિજ્ઞાનામાંના અનેક વિજ્ઞાના તથા વિશ્વ પેાતાના આત્મવિકાસ માટે કયા કયા અને કેવી રીતે તૈયઃ ઉપાયઃ અને ઉપેક્ષ્ય છે! તે જ્ઞાન, તે તત્ત્વજ્ઞાન,
વિજ્ઞાન અને વિશ્વજ્ઞાન પ્રત્યક્ષાદિક પ્રમાણેાથી જુદા જુદા નયાની મદદથી થઇ શકે, પરંતુ તત્ત્વજ્ઞાન સ્યાદ્વાદની મદદ વિના નજ થઇ શકે. સ્યાદ્વાદ એ તત્ત્વજ્ઞાન કરવાની અનન્ય ચાવી છે. સ્યાદ્વાદની મદદ વિના તત્ત્વજ્ઞાન નજ થાય. અને તત્ત્વજ્ઞાનના અનન્ય પ્રાણ સ્યાદ્વાદ છે. સ્યાદ્વાદનું જ્ઞાન વાદવિવાદ કરવા, કે કાઇને વાદમાં હરાવવા કે પેાતાની ડંફાશ ઢાંકવા માટે જગમાં અસ્તિત્વ ધરાવતું નથી, તે માટે તે મેળવવવાનું પણ નથી હતું, પરં'તુ પેાતાના પરમાત્મ સ્વરૂપ ભાવ અધ્યાત્મ પ્રાપ્ત કરવા માટે સ્યાદ્વાદનું જ્ઞાન જરૂરનું છે.” એમ સમજીને તેનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. તત્ત્વજ્ઞાન સમજવાની અનન્ય ચાવીરૂપ સ્વાાઇજ્ઞાનના રંગ જેમ જેમ ચડતા જાય છે તેમ તેમ
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૦૭
અનેક સ્વરૂપ અને ચિત્રોથી સુશોભિત અધ્યાત્મના વિશાળ અને ભવ્ય રાજમહેલે, તેમાં પ્રવેશવાના વિવિધ માગો, તેના સુંદર બાગ બગીચાઓ, સુંદર સુંદર મહેફીલે, આનંદ પ્રમોદના ઉછળતા ફુવારાઓ તેની નજરે ચડે છે. કેમકે તેની વચ્ચે દૂર દૂર પરમાત્માને શજમહેલ દેખાય છે, અને તે તરફ જતાં એક સામાન્ય મુસાફરની જેમ દેશવિરતિ આરાધક થઈને તેની મજા માણવા લલચાય છે. તેથી તેને લગતી અનેક પ્રવૃત્તિઓ બીજા સહકારી પાત્રો સાથે મળીને કરતે જોવામાં આવે છે.
દશ્ય ૧૨ મું: જેમ જેમ તે પરમાત્મ-ભાવની નજીક જતું જાય છે, તેમ તેમ તેને પિતાના આત્મા વિષેની અનેક જાતની માહિતીએ મળવા લાગે છે. “પિતાને આપા કર્તા છે. સચેતન છે. જ્ઞાનમય છે. દર્શનમય છે. ચારિત્રમય છે. નિત્ય છે. અનિત્ય છે. એકરૂપે છે. અનેક પ્રદેશરૂપે અનેક છે. પરિણામી છે, સરૂપ છે. અરૂપ છે. સકમ છે. અકર્મ છે.”વિગેરે વિગેરે, અનેક સ્વરૂપે આત્માની ચેતનાએ ભાસવા લાગે છે, અને તેથી જ તેમાં જણાતા દોષો દૂર થઈ શકવાની અને ગુણે પ્રાપ્ત કરવામાં આગળ વધવાની ખાત્રી થાય છે. અને અનેક પ્રપાસમાં પડે છે. બાર વતે ધારણ કરે છે. ૧૧ પ્રતિમાઓ વહન કરે છે. જંગલમાં ધ્યાનમાં સ્થિર રહે છે. મહા શ્રાવકના વિવિધ કત
જીવનવાં અમલ કરે છે. શાસનની પ્રભાવનાઓ કરે છે. ગુરુ ભક્તિ, ત્યાગ, સંયમ, નાના મેટા અભિગ્રહો વિગેરેની
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૦૮
વિવિધ રંગભૂમિ ઉપર છુટથી મ્હાલે છે. અનેક ભવમાં તેને લગતાં અનેક સ્વરૂપ ધારણ કરીને આનંદ માને છે.
ગંભીરતા, સ્થિરતા, પરમાત્મ સમર્પણતા વિગેરે તરફ વિજયી દ્ધાની માફક આગળને આગળ વધતે તે આત્મા જેવામાં આવે છે.
અંક ત્રીજો દશ્ય ૧૩ મું
: બસ, હવે તે પરમાત્માને-પરમાત્મ–ભાવને રાજમહેલ નજીક આવી જતા તેને દેખાય છે. તેમ છતાં, હજુ તે તેના બહારના કિલ્લામાં આવે છે. અંદરને કિલ્લો હજુ દૂર છે. બહારના કિલ્લામાં દાખલ થઈને એકલા અટુલે પણ બહાદુર આત્મા સિંહની ગતિ સમાન ગતિથી નિર્ભય પણે શૌર્યભય દિલથી બહારના કિલ્લામાં પ્રવેશ કરે છે. પરમાત્માને રાજમહેલ નજીક જોઈ તેમાં પ્રવેશવા પૂરતે લલચાય છે અને આનંદસાગરમાં ગરકાવ થાય છે. પૂર્ણ ભક્તિભાવથી પરમાત્માના ગુણગાન કરવામાં તલ્લીન થાય છે. આટલે સુધી આવી પહોંચવાની પિતાની બહાદુરીથી અત્યન્ત ખુશ થઈ પિતાને ધન્ય માને છે. પિતે આગળને આગળ ચાલ્યા જાય છે. છતાં અનેક વિદને નડવાની ભીતિ અને શંકા તેને થયા કર્યા છે. તેથી બચાવવા તેમના મહેલ તરફ નજર રાખીને કાલાવાલા કરે છે. સાચી ભક્તિ બતાવે છે. તેને વિનવે છે કે, “હે પરમાત્મા! હું સાચે રૂપિયા છે. બેટા
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૦૯
નથી. મારી ઉપેક્ષા ન કરશે.” એમ ભક્તિમાં વિશેષ તલ્લીન થાય છે.
- દશ્ય ૧૪ મું - સાચે હોવા છતાં, ભયની શંકાથી આગળને આગળ
હીતે હીતે ચાલ્યા જાય છે. તેવામાં પરમાત્માનાં મહેલ તરફ દેડે છે. પણ ત્યાં પહોંચવું છેક સહેલું છે? તેવામાં કાંઈક પ્રમાદ, ભૂલ, ગફલતમાં રહેવાથી ચારેય તરફથી “હે ! હે !” કરતાં જુદા જુદા પ્રમાદ રાક્ષસે તેની સામે હથિયાર લઈને દેડી આવે છે. -
આમ પાક સાધક હોવાની પરીક્ષા આપવા માટે વચ્ચે અખાડો આવે છે.
સાધક પૂરે જાગ્રત્ હોવા છતાં, નિકા, વિષય વાસના એ સર્વના ચાર કષાય, આઠ મહ, અને ચાર વિકથા તથા સગાંસંબંધિએ, બાલબચ્ચાં વિગેરે પરિવાર સાથે નાના મોટા મલો. સામે આવીને ખડા થાય છે. અને માર્ગમાં રૂકાવટ કરે છે. તેઓને જીત્યા વિના આગળ વધવું અશકય બને છે. એ લડાઈ પણ ઘણા ભ સુધી ચાલે છે, તેમાં કંઈક પડે છે. આપડે છે. મુંઝાય છે. થાપ ખાય છે. વળી જાગે છે. પાછા પડે છે. કે તે બિચાશ ત્યાંથી પાછા વળી જાય છે. અસુવિહિત નવા ગચ્છ, નવા મતે, નવા દર્શને કાઢે છે. ને એ છીડેથી પાછા ભાગતા દેખાય છે. કેઈ કેઈ તે ખાવાપીવાની લાલચમાં કે માત્ર આજીવિકા ચલાવવા માટે તાબેદાર ગુલામ થઈ બેસે છે. કેઈ કેઈ તે માન પાનથી ભાઈને
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૧૦
પાછલે બારણેથી આ માર્ગમાંથી નીકળી જાય છે. કેઈ કઈ તે શાસ્ત્રના જુઠા અર્થ કરીને બારી-બારામાંથી નીકળીને ભાગી છુટે છે. આમ અનેક પ્રકારની હેરાન ગતિએથી ભાગી છુટે છે. કદાચ, એ બહારના કિલ્લાની બહાર પણ કોઈ કઈ તે ભયના માર્યા ભાગીને નીકળી આવે છે. બેલવામાં સમજવામાં અનેક ભૂલે કરે છે. કેઈ કઈ તે એવા લાગે છે, કે-માર્ગ પણ કી જઈને પાછા કેડીના માર્ગોમાં આવી જાય છે. અને કેટલાક તે કંઈક કાળ સુધી ગાઢ જંગલમાં અટવાઈ જાય છે. છતાં, તેઓના મનમાંથી એકવાર જે સુંદર દશ્ય જોયું છે, તેની ઝંખના જતી નથી. ઉંડે ઉંડે, તેની ઝંખના તે રહ્યા કરે છે, તેથી પાછા ત્યાંને ત્યાં આવી લાગે છે. આખરે રસ્તામાં આનંદઘનજી મહારાજ મળે છે. તેની આગળ પેતાની સ્થિતિનું રોતાં રેતાં વર્ણન કરતા દેખાય છે. આનંદઘનજી મહારાજ તેને સ્વસામાન ખીલે ત્યાં સુધી જિનાગમ-પ્રવચન–પ્રભુ વચનરૂપી હથિયાર બરાબર પકડી રાખવાની ભલામણ કરે છે. તેમાં જરાપણુ ગફલત ન થાય, તેની સાવચેતી રાખવા સમજાવે છે. કેમકે–તેમાં એ મને જીતવાના પ્રબળ ઉપાયો બતાવેલા છે. આગળના માર્ગની આંટીઘૂંટીમાંથી સીધે માર્ગદર્શક નકશે પણ તેમાં કરે છે. કયા કયા ગામેથી કેવા કેવા બહાદુર સેમિયા અને વળાવીયારૂપી ગુરુને સાથ લે? તેની માહિતી પણ તેમાં આપેલી છે. એમ સૂત્ર અનુસાર શુદ્ધ ચારિત્રમાં સ્થિર રહેવાને સારભૂત ઉપદેશ આપે છે. તેના ઉપર દઢ વિશ્વાસ રાખીને શત્રુ મલેની લાલચમાં પડયા વિના આગળને
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૧૧
આગળ વધવા પ્રયાસ કરવાની ભલામણને સ્વીકારી ગફલતમાં ન પડતાં સાવચેત થઈ આગળ વધતે જોવામાં આવે છે.
" દય ૧૫ મું: સાવચેતીપૂર્વક દિવ્ય શાસ્ત્રી અને ઉપગ કરવામાં ચાલાક શત્રુને જોઈને પેલા મલ્લો હતાશ થતા દેખાય છે. તેઓ મરડીને પિતપોતાને સ્થાને પાછા ફરતા દેખાય છે. તેઓએ ઘેરેલા કર્મોની ઝંઝીરે તુટવા જેવી થઈ જાય છે. કુખ્યા કુચા થઈ ગયેલા દેરડાના નબળા બંધને જેવા કર્મોના બંધ થઈ જાય છે.
બસ, હવે સતત પરિશ્રમથી આગળ દોડવા ઝુંબેશ ચલાવે છે. આંખમાં ગુરુ પ્રવચનનું દિવ્ય અંજન આંજે છે. તત્ત્વ પ્રીતિનું નિર્મળ શીતળ પાણી પીઈને તાજેમા થાય છે. પરમાત્તનું ભાતું સાથે બાંધેલું છે. જગદીશની તિથી સામે પરમનિધાન પ્રગટ દેખાય છે. આનંદ આનંદમાં ગરકાવ છે. હૃદયના દિવ્ય ચક્ષુથી મહેલમાં બિરાજમાન મેરુ પર્વત સમાન મહિમાવાળા પરમાત્માના દેદાર દેખાવા લાગે છે, સાથે ગુરુ ગમને મદદમાં રાખીને પરમાત્માની સામે એ દેડે છે, એવો દેડે છે, કે ઠેઠ ટુકડે જઈ પહોંચે છે અને પરમાત્માને પિતાના સાચા પ્રેમની ખાત્રી આપે છે. છતાં પરમાત્મા સામે જોતા નથી. પાસે ખેંચી લેતા નથી. એટલે વિનવે છે, કે –
અહે! આટલે સુધી આવે છતાં પણ પરમાત્મા હજુ મને બોલાવતા યેનથી. માત્રદયનજ આપે છે. તે, હજુ મારામાં
Page #355
--------------------------------------------------------------------------
________________
ર
ખામી લાગે છે. હું તેા પરમાત્મા તરફના પ્રેમને લીધે ગાંડા ઘેલા થઈને ભેટવા દોડું છું. પરંતુ, હજી બન્દેયની પ્રીતિ જામતી નથી, તેમની પ્રોતિ વિના મારી એક તરફી પ્રીતિથી શું ? હજી મારામાં ખામી છે. પરમાત્મા નીરાગી: અને દૂરહિત છે. ત્યારે હજી મારામાં મોહના ઝાળાં બાજેલા છે. તેા હવે શું થાય ? ઠીક છે. આટલે સુધી આવ્યા છું. તેથી પણ મને ધન્ય છે.” ત્યાંથી પાછા ન ફરતાં છેવટે નિર્ણય કરે છે, કે− કાંઈ નહી. આજે ભલે આપ મને ન આલાવા, પરંતુ આપના ચરણુ કમળ આગળ ભ્રમરાની પેઠે લીન થઈને બેઠા છુ. તમે ઘનનામી છે; એટલે તમારું બિરુદ પાળવા પણ મારી સ ંભાળ લેવી પડશે.” એવી આશાથી સેવામાં લીન થાય છે. અને પરમાત્માની નજીક જઇ પહેાંચવાની અણી ઉપર આવવા લાગે છે, એમ અપ્રમત્ત ભાવના સર્વવિરતિ સાધુપણામાં કેટલાક ભવા પસાર થાય છે.
અંક ૪ :
દશ્ય ૧૬ મુઃ
હવે પરમાત્માના રાજ મહેલ સામેજ છે. કેમકે તેની નજીક જ આવી પહોંચ્યા છે. તેના ઉપર ચડવાની તૈયારી કરે છે. તેવામાં, તેના ઉપર ચડવાની એ નિસરણીએ સામેજ દેખાય છે. બસ, ધ ધ્યાનઃ અને શલ ધ્યાન:ના ઢોડા પકડીને-સામર્થ્ય ચાગના ટેકા લઇને એક નિસરણી ઉપર ચડવા લાગે છે. પરંતુ ભૂલથી કે ઉતાવળથ : કે નિમ્ ળતાથી
:
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૧૩
ગુરુની વાત ધ્યાનમાં ન રહી, એટલે સરળ અને નજીકની નિસરણ ઉપરથી ચડવાની શરૂઆત કરે છે.
જેમ જેમ ચડે છે, તેમ તેમ અનહદ આનંદ મળે છે. ધર્માનુણોનેના ત્યાગરૂપ ધર્મસન્યાસ કરે છે. વિષય, કષાય, નેકષાય, વિગેરે દબાઈ જાય છે. આત્મામાં ઠંડક થાય છે. આનંદની લહરીઓ ઉઠે છે. તરંગો શાંત થાય છે. નિર્વિકલ્પનામાં પ્રવેશે છે. સ્વ–પરને ભેદ ભૂલાવા માંડે છે. આ પષક અને શેષકને ભેદ ભૂલાઈ જાય છે. સડેડાટ સીડી ઉપર ચડયે જાય છે. આનંદઃ શાંતિઃ સમભાવ: શમભાવ, વિગેરે સાત્વિક ભાવને આનંદ અનુભવાય છે. “એ...૫૨માત્માની પાસે પહોંચે ! એ પહેંચે.” એ ભાસ થાય છે. અને એ ધ્વનિ સંભળાય છે. “બસ, હવે હું પ૨માત્મા પાસે આ આવી પહો !” એમ આનંદ વિહવળ થઈને કૃતકૃત્યતા અનુભવે છે. પિતાની જાતને ધન્ય માને છે. અને પિતાની ધન્ય જાતને પિત પ્રણામ કરે છે. શાંતિના સમુદ્રમાં સ્નાન કરે છે.
દશ્ય ૧૭ મું: અરે! પણ આ શું? ત્યાંથી ઠેઠ ઉપર જઈને કડડભૂસ કરતે નીચે પટકાય છે. આ સીડી ઉપર ચડવામાં પતે ભૂલ કરી હતી, તેની તેને સમજ પડી, કે-“આ સીડીનું આખુયે ચણતરકામ સાવ કાચું છે. અંદર પિલાણે છે. સીડીને કેરી ખાનારા ભમરા અને ભૂણો બહાર દેખાતા નહેતા, છતાં, અંદર તો હતા જ, આ સીડી ઉપર જે ચડે,
૨૧
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૧૪ તે પડયા વિના રહેજ નહી. સીડી ઠગવા લાગી કે “કડડભૂસ” નીચે ભાઈસાહેબ ગબડયા.
અરે! પરમાત્મા! પાછો આપને હવે કયારે ભેટીશ?
આપશ્રી શી રીતે ચડ્યા હતા? કાતિલ શત્રુઓથી આપ કેમ બચ્ચા હતા? મને બચાવે, બચાવે.” એમ ચીસ પાડતા નીચે ગબડે છે.
મને બચાવે, હું મુંજાઉં છું. સીડી નીચે છુપાયેલા માહ મલે લેક માન્યતા અનુસાર કુંથું જેટલા બારીક મારા મન મારફત મને પટકી નાંખ્યો. મને તેનું આશ્ચર્ય નથી, પરંતુ, આપની હજુરમાં, આપના મહેલમાં આવતાં જ, મારી આ દશા થાય, તે ખૂબ અસહ્યા છે. આપના સાનિધ્યમાં મને પછાડી નાંખ્ય, રે ! પછાડી નાંખ્યું ! મનથી છેતરાયા. કાતિલ મનને હું ઓળખી જ ન શકો. મારા મનમાં કકિ હતું, કે-એ બિચારું નપુસક લિંગી મને પુરુષને શું કરી શકનાર છે? પરંતુ મારા જેવા કંઈક મરદને ધક્કે ચડાવે તેવું એ છે, તેની હવે મને ખાત્રી થઈ. તમે તેને શી રીતે હરાવ્યું ? મને વિશ્વાસ બેસતો નથી. મારું મન જીતાડી આપે, તે વાત ખરી માનું, તો હે પરમાત્મા! હું ભૂલ્યા. હવે, મને સીધે માર્ગ મળે, તેવી કૃપા કરે.” આમ વલવલતે, વધુમાં વધુ પાંચવાર ગબડતે ગબડતે નીચે પડતું નજરે પડે છે.'
- દૃશ્ય ૧૮ મું
સ્વ-સમય સ્થિતિઃ ફરીથી ફરતે ફરતે મહેલ સુધી આવી પહોંચે. ગુરુગમ મજબુત રીતે હાથમાં પકડ્યો. હવે પ્રથમની ઉપશમ
Page #358
--------------------------------------------------------------------------
________________
પ
શ્રેણિ નામની સીડી પાસે ગયા વિનાજ ખીજી યશ્રેણિ નામની સીડી ઉપર થઈને ઉપર ચઢવા માંડયેા. તે એકદમ પરમાત્માના રાજમહેલના ઝરામાના કઠેડા સુધી જઇ પહોંચ્ચા. ઓરડામાં પ્રવેશ કરવાનું જ હવે બાકી છે.
૧ કુટુંબ, કબીàા, માલ મિલ્કત, માન-પાન, રંગ-રાગ અહીં સુધી આવતામાં છુટી ગયા હતા.
૨ વસ્ત્ર, અહંકાર, માજ-શેાખ પણ છુટી ગયા હતા. ૩ દેહનું મમત્વ, ધર્મ-પંથનું મમત્વ પણ છુટી ગયું હતું. ૪ ટુવઃ ગુરુધ : પાંત્માઃ તરફનું પણ મમત્વ છૂટી ગયું હતું. ૫ પેાતાના આત્માના જ્ઞાન: ક્રેશન: ચારિત્ર વિગેરે અનંત ગુણા તરફની મમતા પણ છુટી જઈ નિવિકલ્પ થા પ્રાપ્ત થઈ ગઈ હતી.
૬ પેાતાના આત્મા પણ પાતાને સવગુણામય અભેદ રૂપે-એક રૂપે ભાસવા લાગ્યા. અલક્ષ્ય આત્મા લશ્ક ચવા લાગ્યા.
છ રાજમહેલના મુખ્ય ઓરડામાંથી પરમાત્મભાવની પ્રભાના પ્રાતિજ જ્ઞાન-અનુભવ જ્ઞાન-અરુણાદયના પ્રકાશનાં કિરણેા પેાતાની તરફ દોડી આવતા જણાવા લાગ્યા. કેમ જાણ્ય પાતેજ પોતાને પરમાત્મા રૂપ મનતા જોવા લાગ્યા.
૮ આત્માનની અપૂર્વ લહેરીએ આવવા લાગી
હું સ્વ-સમય-સ્વામ-કૂચની સર્વ શેાભા સર્વ ભભક ખીલી ઉઠી. સ્વમાં સ્વસ્થિરતાઃ નિષ્પક પતાઃ પ્રાપ્ત થવા લાગી.
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૧૬
૧૦ સિંહુલાવ-પરમાત્મભાવ પ્રગટ થવાની તૈયારી થઈ રહી. ૧૧ મહ તા ક્યારના નાશી જઇ ચૂમ્યા હતા. પરંતુ તેના મિત્રો જ્ઞાનાવરણીયાદિ પણ હવે ગાંસડા પાટા બાંધવા
લાગ્યા હતા.
૧૨ સ્વામદ્રવ્ય શિવાય સર્વે પર ભાસવા લાગ્યા હતા. દેવઃ ગુરુ: ધર્મ: પણ ૫૨ ભાસવા લાગ્યા. માની નિમિત્તોથી જાગતા પાતાના દર્શન: જ્ઞાનઃ ચારિત્ર: અને તેના નિમિત્તો પણ પર ભાસવા લાગ્યા. તે સવ પર રૂપે પ્રત્યક્ષ થવા લાગ્યા. પર સમય નિવૃત્તિઃ અને સ્વ સમય સ્થિરતા મેાટા પાયા પર થવા લાગી.
અંક ૫ મા
દૃશ્ય ૧૯ મુ
વારંવાર દુઃખ આપનારા ૧૮ દાષારૂપી પ્રતિમલ્લે એક પછી એક રીસાઈને ગભરાઈને, હતાશ થઈ ને, જેમ જેમ તક મળી ગઈ, તેમ તેમ નાશી છુટવા હતા છતાં, -સજ્ઞતા, દાનવિઘ્ન, લાભવિઘ્ન, ભાગવિઘ્ન, ઉપભાગવિઘ્ન તથા વિવિઘ્ન, ઈત્યાદિ સાતેક પ્રતિમલ્લા હજી પાછા પાછળ ઠેઠ સુધી ચાલ્યા આવતા હતા. તેઓ પણ પાછા વળી ગયા. તેમેને જણાયું કે- હવે પરમાત્મા મહારાજા પાસે પહેાંચવાની તૈયારીમાં આપણા શત્રુ છે, એટલે હવે આપણ કાંઇ ચાલે તેમ નથી.” એમ ખાત્રી થતાં તેઓ પણ પાછા વળી ગયા.
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૭. અને એકદમ ધસીને પરમાત્યના રાજમહેલના મુખ્ય એરડામાં જયાં પ્રવેશ કર્યો, કે જીવને દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા, અને પિતેજ પિતાને પરમાત્મા સ્વરૂપે જોઈ શકે. “પિતેજ પરમાત્મા સવરૂપ છે” એમ સમજાયું.
લકા-લોકના ત્રણ કાળના સર્વ દ્રવ્યઃ સવ પર્યાયઃ એકી સાથે ભાણી ઉઠયા. કાંઈપણ બાકી રહ્યું નહીં.
અનંત જ્ઞાનઃ અનંત દર્શનઃ અનંત ચારિત્ર અનંત વીર્ય: વિગેરે અનંત પુણેને પ્રકાશ ઝગઝગી ઉઠશે.
દશ્ય ૨૦ મું: આત્માની એક્ષ-ચોગ્યતા થતા હતા, તેજ હવે ગેસ બની ગયા. સ્વયં ધ્યાન રૂપ નિખર્કપરૂપ બની ગયા.
એ રાજય મહેલની ઉપરજ વિધ્ય અગાશીમાં સિદ્ધ પરમાત્માઓ બિરાજમાન હતા. તે સ્થાન ચિ: અખંડ અક્ષયઃ અચલ અરોગ અને ત: અળ્યાબાધઃ અપુનરાવૃત્તઃ હતું. તેના ઉપર ચડવાનું બાકી હતું. હજુ મુસાફરી અધુરી હતી. પૂરપૂરા આનંદના સ્થાનમાં પહોંચવાની તાલાવેલી હતી. પરમ નિર્મળ સમાધિની સીડી ઉપર ચડવાની શરૂઆત કરવા માંડી. આત્મામાં તે પ્રકારની લાયકાત હતી જ. માત્ર પુરુષાર્થને અમૂક અચૂક હપ્ત હજુ બાકી હતે. નિત્યઃ પરિણામીઃ આત્મદ્રવ્ય શિવાય સંસાઃ માક્ષઃ બંધઃ ઘટી શકે જ નહીં. એકાંત નિત્ય, એકાંત અનિત્ય, એકાંત બદ્ધ, એકાંતમુક્ત, આત્મામાં સંસાર: કે મેક્ષ ઘટી શકેજ નહીં. ” આ સત્ય પ્રત્યક્ષ થઈ ચૂક્યું હતું.
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૧૮ - દશ્ય ૨૧ મું:
જનશાસનની સ્થાપના તીર્થકર નામ કમની મદદથી જગતના છના કલ્યાણ માટે દિવ્ય સમવસરણમાં બીરાજી, અષ્ટપ્રાતિહાર્યયુક્ત થઈ ચેત્રીશ અતિશયો અને પાંત્રીશ વાણીના ગુણોથી યુક્ત થઈ –મહાન શાસનની સ્થાપના કરવા માંડી.
દેવે, દાન આવે છે, સમવસરણ રચાય છે. બાર પર્ષદાઓ આવે છે. ચિત્ય વૃક્ષ નીચે સિંહાસન ઉપર પરમાત્મા બિરાજે છે. ઉપદેશ વાણી વિસ્તરે છે. ગણધરની સ્થાપના થાય છે. ત્રિપદી સંભળાવાય છે. દ્વાદશાંગીની રચના થાય છે. વાસક્ષેપ નાંખી અનુજ્ઞા અપાય છે. ચતુર્વિધ સંઘની સ્થાપના થાય છે. શાસન દેવ દેવીની સ્થાપના થાય છે.
પ્રભુ દેવઈ દામાં પધારે છે. પ્રથમ ગણધરભગવંત દેશના આપે છે. પર્ષદાઓ પાછી જાય છે. પ્રભુ ધમ ચક્રની પાછળ પાછળ નવ સુવર્ણકમલ ઉપર પગ સ્થાપીને ધર્મ રાજ્યની સ્થાપના કરે છે. આ દશ્યમાં અનેક ભવ્ય દશા નજરે પડે છે.
કઈ પણ મત, પંથ, દર્શન, વિજ્ઞાન, વિશ્વજ્ઞાન, તત્વજ્ઞાન, મર્યાદા, સર્વકાળ-સર્વક્ષેત્રના જીને ઉપયોગી વિવિધ માર્ગ દર્શન, મહાધ્યાન, મહાયોગ પ્રક્રિયા, ક્રિયાઅવંચક, મહા સાધનાના ઉપાયે, વગેરેથી ભરપૂર અંગ પ્રત્યંગે સહિત-શાસન તથા તેનું માર્ગદર્શક પ્રવચનરૂપી કલ્પવૃક્ષની જગતમાં સ્થાપના કરી, અનંત અને પિતાને રાજમહેલે આવવા માટે સગવડથી ભરપૂર આરો અપાવવા માંડે.
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૧૯ : સંસારરૂપી અગાધ અને ભયંકર સમુદ્રમાં સર્વ સામગ્રીથી ભરપૂર મહાધર્મ વહાણું તૈયાર કરીને તરતું મૂહુર્યો. સમકિતના ઓવારા સાથે તીર્થકર દેવ અને ગુરુ આજ્ઞાના દરડાએથી નગરી રાખ્યું.
મક્ષબંદરના મુસાફરે તેમાં બેસીને યથેચ્છ મુસાફરી કરી જુદા જુદા બંદરે ઉતરતા જાય, માલ ભરતા જાય, ને છેવટે મોક્ષ બંદરે પહોંચી જાય, તેવું અપ્રતિહત અપશભવનીય શાસન વહાણ તૈયાર કરી આપ્યું.
દશ્ય ૨૨ મું
પરમ-વીતરાગ-દશા તેની સાથે સાથે વીતરાગ દશા પૂરતી ખીલી ઊઠી, –પરનો ભેદ રહ્યો નહીં, મેહ રહ્યો નહીં મુક્તિ સાથેની પ્રીતિ બંધાઈ ગઈ. પૂણે વીતરાગતા પ્રાપ્ત થવાના દરેક લક્ષણે જણાઈ ગયા. ગત્ જોઈ શકે તેવા ખીલી ઊઠયા. | , પાછા ફરવાનું જ નહીં સોટચનું સોનું ચમકી ઉઠયું. રાજીમતીજીએ પરીક્ષા કરી લીધી, અને પોતે પણ શ્રી નેમિનાથજીની પહેલાં વીતરાગ થઈ મોક્ષે પોંચી ગયા.
ધ્યાતાએ ધ્યેયની પહેલાં જ સિદ્ધ પરમાત્મા થઈ ફલાવંચક ચોગ સાધી લીધે. મેક્ષ પ્રાપ્ત કરવામાં ગુરુ કે શિષ્ય વીતરાગ કે સરાગઃ પતિ કે પત્નીઃ પિતા કે પુત્ર વચ્ચેને કઈ કમ ટકી શકતું નથી
દશ્ય ૨૩ મું
સવજ્ઞતા આત્મારૂપી પારસમણિની સહજ અચિન્ય જ્ઞાન શકિત જ એવી છે, કે જે–
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૨૦
પિતે પિતાને પણ શેયર તરીકે બનાવીને તેનું જ્ઞાન કરે છે. કેમકે આત્મામાં જ્ઞાનશક્તિ ન હોય, તે તે આત્મા પોતે પણ પોતાને ન જ જાણી શકે. પોતાના આત્માના જ્ઞાન શિવાયના બીજા પોતાના આત્માના ગુણને પણ શેય તરીકે બનાવી તેનું પણ જ્ઞાન આત્મા કરી શકે છે. પિતાના આત્મા શિવાયના બીજા આત્માઓ, તેના સર્વ ગુણે, તેના જ્ઞાનગુણ-વિગેરે ને શેય બનાવી તેનું પણ જ્ઞાન આત્મા કરી શકે છે. પિતાના કે બીજા આત્મા આ શિવાયના જડ પદાર્થો, અને તેના ગુણે, સવભાવે, તેને પણ સેય બનાવી આત્મા તેનું જ્ઞાન કરી શકે છે એ સર્વ પદાર્થોના માત્ર વર્તમાનકાળના સેને જય બનાવી જાણી શકે છે, એમ નથી. પરંતુ ત્રણેય કાળના સેને જાણી શકવાની શક્તિ ધરાવે છે. પિતાના આત્માના સર્વ દ્રવ્ય ક્ષેત્ર: કાળ: ભાવ ને રેય તરીકે પોતાની જ્ઞાનશક્તિથી જાણે છે. સાથે સાથે અન્ય જે જે દ્રવ્ય ક્ષેત્ર: કાળ અને ભાડના અભાવ સ્વરૂપ પિતાને આત્મા છે. તે સર્વને પણ ય તરીકે બનાવીને તે જ્ઞાનશક્તિથી જાણે છે. એટલે કે–પોતાના સ્વદ્રવ્ય: ક્ષેત્ર કાળઃ ભાવ:રૂપ પિતાનું ભાવાત્મક અગુરુલઘુપર્યાયની સાથે જ જોડાયેલા પર દ્રવ્યઃ ક્ષેત્ર: કાળ: ભાવ: ના અભાવરૂપ પોતાના જે
૭.
Page #364
--------------------------------------------------------------------------
________________
૩ર?
અભાવાત્મક અગુરુલઘુ પર્યાને પણ તે જ જ્ઞાનશક્તિથી શેયરૂપ બનાવીને તે જ એક જ સમયે પણ જાણી શકે છે. અને પ્રતિક્ષણે પણ જાણી શકે છે. સામાન્ય નાનું પ્રત્યક્ષ ઉપરથી વિશેષ પ્રક્ષય જ્ઞાન કરી શકે છે.
આવી વિલક્ષણ-અકલપ્સ- ચમત્કારિક સર્વજ્ઞતા આત્મા પામે છે. આ સર્વજ્ઞતાશક્તિ આત્મામાં ન હોય તે વિવિધ પ્રકારનું અગમ્ય પદાર્થોનું આત્માને જ્ઞાન થાય છે, તે ન થતું હેત. આ સર્વજ્ઞ આત્મા સકળ છ, સકળ આત્મા અને સકળ પદાર્થોના ત્રણ કાળના સકળ પચાની ઉથલપાથલનું નાટક પ્રત્યક્ષ સદા જુવે છે.
અંક ૬ રે દશ્ય ૨૪ મું
મહાવીરતાઃ જરૂર જણાય તે સમુદ્રઘાત કરી બાકીના ચારમાંના ત્રણ કમના ઘણા અંશે દૂર કરી,
છેવટે, પદ્માસન વાળીને આત્મા બેસી જાય છે. મન વચન કાયાની પ્રવૃત્તિ બંધ કરી દે છે. શરીર: મનઃ અને વચનના અણુએ અણુથી આત્મા તદન છુટવા લાગે છે. શરીરની સ્થૂલ તે શું? પરંતુ સૂરમમાં સૂક્ષ્મ પણ તમામ પ્રવૃત્તિ બંધ પડવા લાગે છે. નસ નસમાંથી આત્મા છુટ
Page #365
--------------------------------------------------------------------------
________________
૩રર
પડવા લાગે છે. શુકુલ ધ્યાનને ચે પાયો શરૂ થાય છે. આત્મામાંથી તમામ-શેડા-ઘણ રહેલા છે, તે પણ સર્વે કમ્ ભાગવા માંડે છે. તદન કર્મોરહિતઃ ચેષ્ટાહિન: સ્થિર આત્મા બની જાય છે.
આત્માના દરેકે દરેક પ્રદેશોમાંથી સહેજ પણ ફરક વાનું બંધ થાય છે. આત્મા એકદમ પત્થર જે સ્થિર બની જાય છે. અનંત વીર્યમય બની જાય છે. અનાદિકાલથી ભગવેલે સંસારભાવ ફરીથી ચૂંટી ન પડે, માટે તેને દૂર રાખવા માટે અનંત વીય સદા જાગ્રત રહે છે. જે તે જાગ્રતીમાં જરાક પણ ખામી આવે, તે સંસાર ભાવ ચૅટયા વિના રહે જ નહીં. પણ તેમ કદી બનતું નથી. જો કે શક્તિ કમે કમે ખીલી છે, છતાં હવે સંપૂર્ણ પ્રાપ્ત થએલી હોવાથી સદા જાગ્રત બળ સદાને માટે સંસાર અવસ્થાને દૂર રાખે છે. પાસે આવી શકે જ નહીં. તે રીતે અનંત વીયે વાપરવું પડે છે. સંપૂર્ણ મહાવીરતા પ્રગટ થાય છે. એકદમ જેમ ધનુષ્યમાંથી બાણ છુટે, તેમ શરીરમાંથી છુટીને આત્મા સિદ્ધશિલા ઉ૫૨ તેજ સ્થાને ઉપરના ભાગમાં અનંત આત્મ જતિની ન્યાતિમાં જ્યોતિ સ્વરૂપ પિતે પણ ભળી જાય છે.
**
RE:
ક
Page #366
--------------------------------------------------------------------------
________________
ભરત-વાયઃ
આલંબન સાધન જે ત્યાગે, પર-પરિણતિને ભાગે. રે અક્ષય-દશન-જ્ઞાન-વૈરાગ્યે
આનંદ-ધન-પ્રભુ જાગે. રે વીરજીને ચરણે લાગુ, વીરપણું તે માગુ. રે મિથ્યા માહ તિમિર ભય લાગ્યું. જિત નગારું વાગ્યું. રે [વિશ્વભરમાં દિવ્ય વાદ્યો વાગે છે. ]
અનાદિ કાળની પર-પણિતિ ભાગી જાય છે. અનેક આલબના લઇ તેને ભગાડવાના ઉપાયે લીધા હતા, તે સઘળા કામ ચલાઉ હતા, તે અથા છુટી જાય છે.
સ્વ-પરમાનદમાં આત્મા લીન થાય છે. જિત-નગરાં ગાજી ઉઠે છે. મંગળ ગીત ગવાય છે. આના જેવા જગતમાં કન્યા મહાત્સવ હાઈ શકે?
વિશ્વભરમાં ચેતના સ્ફુરતી ભાસે છે. ત્યાં ગયા પછી આત્મા જડ બની જતા નથી. પણ મહાચેતનરૂપે સદા જાગ્રત હે છે. એક ક્ષણુ પણ અનંતકાળ સુધીમાં એ જાગતી ઢીલી થતી નથી. નહીતરતો પાછી પર-પરિણતિ કયાં? ચાંટી મેસે. દનઃ જ્ઞાનઃ ચારિત્ર: તપઃ વીયઃ વિગેરે અનંત ગુણા ઝળકી ઉઠે છે. માટે આનંદઘન રૂપ પ્રભુ સદા જાગતા જ
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૨૪
રહે છે. કેઈ પણ એવી ક્ષણ નથી. કોઈ પણ કાળે એવી ક્ષણ નથી આવતી, કે જેમાં એ જાગ્રતી જરા પણ ઢીલી થાય, આ જાગતા પ્રભુ સિદ્ધ સ્વરૂપે જગતને મંગળભૂત: શરણભૂતઃ પરમાત્મા રૂપે સુખ શાંતિ આપનાર તરીકે અગમ્ય રીતે ઉપકાર કરનાર તરીકેઃ સદા જાગતા રહે છે.
આનંદ-ઘન–પ્રભુ જાગે. રે"
ઉપસંહાર. શ્રી આનંદઘનજી મહારાજાએ મીઠી મધુ સારી અને પ્રાસાદિ: ગુજરાતી ભાષામાં આ ચોવીશી રચીને અવધિ કરી છે.
જૈન દર્શનને માન્ય આત્મ વિકાસની સંપૂર્ણ પદ્ધતિ અતિ સંક્ષેપમાં છતાં અતિ ભવ્ય સ્વરૂપમાં જરૂરીઆત પૂરતું લક્ષ્મ ખેંચે તેવી રીતે વર્ણવી બતાવી છે.
તેને અમે દશ્યના રૂપમાં અતિ સંક્ષેપથી ઉપર નિર્દેશ કરી બતાવ્યો છે તે સંક્ષેપમાં એટલાજ માટે બતાવ્યું છે કે એકએક દૃશ્યમાં જીવ સંપૂર્ણ રીતે કેવી ભૂમિકા ભજવે છે? તે અને તેની સાથે દરેકેદરેક દશ્યમાં કયા કયા સ્વરૂપ ના અન્ય પાત્રો જોડાય છે? તથા તે સર્વે અનુકુળ કે પ્રતિ કુળરૂપે પોતપોતાની ભૂમિકા કેવી રીતે ભજવે છે ? તેના વિશાળ ચિત્રો આપવા જતાં એક મટે ગ્રંથ થઈ આવે.
તે લાલચ જવા દઈ સામાન્ય સમજથી વાચક મહા
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૨૫
શ આ ચોવીશીમા ભાવોની કાંઈક ઝાંખી કરી શકે, તેવા સ્વરૂપમાં દરેક ભૂમિકાના દરને સામાન્ય ચિતાર આપવામાં આવેલ છે.
એટલે કે વર્તમાન ચોવીશીના એકે એક પરમાત્માનું સ્તવન કરવાનું નિમિત્ત લઈને, શ્રી આનંદઘનજી મહારાજાએ આત્મ વિકાસની તે તે ભૂમિકાનો ચિતાર આપણું સામે રજુ કરીને ભારે વિશ્વપકાર કરે છે.
માત્ર સામાન્ય નિર્દેશ હોવાથી કોઈ શબ્દ કે વિષએ આગળ પાછળ લખાયા હોય, તે ઉપરથી અવ્યવ સ્થિત માની લઈને કેઈ મહાશય ટીકા ટીપ્પણ કરવા ઉપર ન ઉતરી પડે, તેવી વિજ્ઞપ્તિ છે.
તેને વ્યવસ્થિત નાટકના રૂપમાં કેઈ ગેહવવા ઈછે, તો તેમ કરી શકે છે. કેમકે-જાદા જુદા જિજ્ઞાસુઓને ઉદ્દેશીને સાહિત્યની રચના અને વિવિધ પ્રકાર સંભવે છે. અને તે પ્રયાસ આદરણય તથા યશનીય ૫ણ છે. વિશેષ જિજ્ઞાસુ મહાનુભાવેએ ઉપમિતિભવ પ્રપંચો તથા વિરાગ્ય કલ્પલતા વિગેરે ગ્રંથનું પરિશીલન કરવું.
Page #369
--------------------------------------------------------------------------
________________
શ્રી ગૌતમ સ્વામિને નમ: - શ્રી આનંદઘન ચોવીશી સ્તવન ૧ લું.
ગાથા-૨ જી. ૧ પ્રીત સગાઈ-પ્રીતિ માટે સગાઈ. ૨. નિરુપાધિ – પાધિક=આદ્ય સાપનેની અપેક્ષા નહિં રાખતી–બાહ્ય સાધનની અપેક્ષા રાખતી.
ગાથા ૪ થી ૩ તનતાપદેહદાહ, વાસના જન્ય શારીરિક ઉગ્યા. સ્તવન ૨ જી
ગાથા ૨ ૧ ચરમ-છેલ્લી [ અર્થાન્તર - સ્તવન ૪ થું
ગાથા ૪ થી ૧ ઘાતિ ડુંગર=ધાતિ, કર્મ રૂપી ડુંગર [ અર્થાન્તર ! ૨ સેંણુ સહ-ગને અપભ્રંશસ્તવન ૬ ઠું- ૧ યુજ્જન કર આયુંછ કરણ–તે કરણ કરીને પર
માત્મા પરમ પદને પામ્યા, ને એ રીતે જીવાત્માને
પરમાત્મા વચ્ચે અંતર પડ્યું. સ્તવન ૧૧ મું.
ગાથા ૬ ૧ લબાસી વચન માત્ર બેલનાર [અર્થાતર ] [ ધાતુ
ઉપરથી બનેલું–
' Sી
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૭
સ્તવન ૧૨ મું.
ગાથા–૧ લી ૧ ઘનનામી=મજબૂત નામવાલા-જેનું નામ કોઈપી
ન શકે, એવા નામવાળા [અર્થાતર ] ૨ પરનામી-નામી નામનાવાળા–ખ્યાત, પ્રસિદ્ધ, પર
ઉત્કૃષ્ટ પનામી. ઉત્કૃષ્ટ નામનાવાળા– [અથત૨] સ્તવન ૧૩ મું
ગાથા ૧ લી ૧. બેટ = ખે– અતિ ઈત ખેટ - આકાશ ચારી –ચંચલ. અસ્થિર-કન પાળનાર. વ્યુત્પત્તિ પ્રમાણે નીકળતે અર્થ
ગાથા ૬ ડી. થિઃ શરાજ-મિરની છાયા.
મe d૦ ગા. ૧૨ સ્તવન ૧૪ મું -
ગાથા ૩ છે, ૧. ન લાજે.ક્રિયાપદ રાખીને અર્થ ઘટાવ. લાજતા નથી
ગાથા ૫ મી ૨ છાર = છે – ચુનાનું પ્લાસ્તર તે અતિશે લીસું હોવાથી તેના ઉપર કરેલું લીંપણ ટકતું નથી.
[ અથૉતર ] સ્તવન ૧૭ {
ગાથા ૨ જી ૧ સાપખાયે-સાપકરડે = મારવાડમાં કરડવા અર્થમાં
ખાય એ શબપ્રયોગ હજુ પણ પ્રચલિત છે. સાપ કરડે એમાં એના મોંમાં કાંઈ આવતું નથી.
[ અર્થાતર ]
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૨૮
સ્તવન ૨૧ મું
બે હાથ–
ગ ને સાંખ્ય. સૌગત ને મીમાંસક ચાર્વાક
મતક
જૈન
આ પ્રમાણે છએય દર્શનની અંગમાં વહેચણ કરી છે. તેમાં તાત્વિક દૃષ્ટિએ યોગ અને સાંખ્યને પગ-ચરણ કહ્યા છે પગ ઉપર ઊભા રહેવાય છે, ઉક્ત બન્નેય દર્શનેની વિચારણા – જેટલી વાસ્તવિક છે, તેના ઉપર જ દર્શને સ્થિર રહે છે. એ વિચારણાને જે દૂર કરીએ, તે દશને પગ વગરના-પંગુ બની જાય મીમાંસક અને સૌગત સંચાલન-પ્રવૃત્તિ ઉપર વધુ પડતે ભાર આપનારા છે. એને હાથની ઉપમા બંધ બેસતી છે.
પેટને પ્રવૃત્તિ કે પરિણામની કાંઈ પડી નથી. પણ દરેક અવયવને ઊંચા નીચા કરી મૂકવાનું કાર્ય તે કરે છે, ચાવીક દર્શનની એ સ્થિતિ છે.
ઉત્તમાંગ તરીકે જૈન દર્શન છે. એ પક્ષપાત તરીકે નહિં, પણ વાસ્તવિકપણે લાગે એવું છે. સ્તવન રર મું.
ગાથા ૧૦ મી. ૧ લક્ષણ સેત-લક્ષણે શ્વેત. અર્થાત્ ઉજજવળ લક્ષણવાળા.
[ અર્થતર]
Page #372
--------------------------------------------------------------------------
________________
ટાઇટલ
૧૩
૧૫
16
૨૦
મલમ
.
સ
..
"
મૃ
શ
..
99
૨૨
ર
સીટી
}
ઉપર રૂ
r..
૧૬
૪
८
૧૧
૧૦
૧૫
૧૫
૧
શુદ્ધિ પત્રક
અશુદ્ધ
સક્ષિપ્ત વિવેચના
પ્રમાદા
ગ
* ક્રિયે
..
સમતિ
છતાં તે
અખિ
વલા
કેવળ જ્ઞાનને
સભવનાથ
રાયક ભૂમિકારૂપ અભય : પ્રાથમિક
શુદ્ધ
સક્ષિસ પ્રમાદા નાનની વિવેચના
ત
પ્રમાદા
સંગ
કહીયે
તાચા રે
ભવ પરિણતિ
તથા ભવ્યત્વ
ભવ સ્થિતિ
શાય
નિજમન
..
સમતિ
સભવનાથ
-રાયક
પ્રાથમિક ભૂમિકારૂપ
અ-ક્ષયઃ
ત્યારે સમ્યક્ત્વ થાય. ત્યારે પાંચમી દષ્ટિમાં
સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે
તથા તથા—અવ—પરિણતિ
તથાભવ્યત્વ તથાભવસ્થિતિ
છતાં તે સાધક
ખા
વિરલા
વળ જ્ઞાનિના
સામ
નિજગત
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૩૦
• = = = =
પૂર્વીન રસ ૫ ચન્દ્રપ્રભુ સમકિત સમ્યગૂ પુદ્ગલ જીવનનું કાળાની પછી ધામિક ચારી સંજીવની
પૂર્વના રસ–રૂ૫ ચદ્રપ્રભ-પ્રભુ સમકિત સમ્યગુ પાગલ જીવનું ૫છી ધાર્મિક ચારિ સંજીવની
ચાર
= =
વની ચાર ન્યાય
વની ન્યાય ધુર, સેવાની દ્રવ્યથી પરંતુ તે જુદું જુદું
2 દ - ૬૪ ૦ ૦ = 2 - -
અત પડે છે હે પ્રબ વાસ ભરપૂર ખુબ બતાવેલ રિણતિરૂપે
સેવા કરવાની દ્રવ્યનિશપાથી પરંતુ તે સૂર્ય અને ચન્દ્રના પ્રકાશનું જુદું જુદુ અમૃત ખડા થાય છે. હે પ્રભે! શાસ્ત્ર ભરપૂર ખૂબ બતાવેલ સ્થિતિરૂપે
Page #374
--------------------------------------------------------------------------
________________
૪
..
2 = = = 8
૪૯
૧૦
99
૧૩
૫૪
૫૫
}
કર
.v
૧૧
૨૩
૧૦
૧
૧૪
h
૧૮
૨૩
૧
૧૧
"
'
..
૧૦
૨૦
}
૧૪
તેલ
પુરુષને
સર
અનુકુળતા
પરવાના
ક્રિશ
પૂ
""
શાસ્ત્રોની
મના
પાવાન
મિઠાઇ
સમુ િમ
પ્રાતભાસ
વિષ્ણુ
વસે
વીણુ
પુરવામાં
અત
પણ પામ્યા ગણાય
શ્રી
પૂજાની
તા
પુરુષના
સવર
અનુકૂળતા
પાન
હૃષિકેશ
પુલ
શાસ્ત્રોની
સૂચના
પાન
મીઠાઈ
સમૂમિ
પ્રતિભાસ
વિષ
સેવ
વિણ
પૂરવામાં
ભૂત
માટે
પામ્યા ગણાય. એટલે
–અન ત ઢાળે મળેલા
સદ્ગુરુના યેાગના
લાભ ઉઠાવવામાં
તત્પર રહેવું.
શ્રી
પુના
Page #375
--------------------------------------------------------------------------
________________
૪
૪
}પ
..
{C
39
to
.
.
હ
or
be
29ATURN
૩૩.
૧૬
»
૧૮.
૧૫
૭
૭.
પ્રતિપત્તિપૂજા=વિજતોપનુંપજના | પુષ્પા-મીષस्तोत्र - प्रतिपत्ति-पूजानां यथोत्तरं प्राधान्यम् । देशविरतौचतु-विधा, सरागसर्वविरतौ तु स्तोत्र - प्रतिपत्ति-रूपे द्वे उप शान्त- मोहीदौ पूजा - कारके प्रतिपत्तिः । ललितविस्तज्ञ ઉત્તરાધ્યાન સૂત્રના ૨૫મા સમ્યક્ત્વ પરાક્રમ નામના અધ્યયનમાં (અથ થી) ચાર પ્રકારની પૂજા બતાવી હોવાનું ટબાકાર જ્ઞાનસાગર મહારાજ જણાવે છે.
Re
.
te
૧૨
૧૫
•
33
પ
૩પ
ઉત્તમ સામગ્રી
કુલ
યોગી
સ્વયં પાલન
હર પ્રકાર
સંગ`
લેાકત્તર
ત્રણ ભુવનની
સમજવા
મગલી
ધૂપ
પ
ઉત્તમ પ્રકારની ધર્મ
સામગ્રી
ઉગ્રતા
વ
મુખી
અનુવા
ફૂલ ભાગી
સયમ પાલન
દરેક પ્રકારે
સંગને
લાકાત્તર
ત્રણ ભુવનની ઋદ્ધિનું
સમર્પણુ કરવાથી પણ
ન્યુનતા જાય તેવા,
સમજવાથી
માંગલિક
મ
સવ
ખૂબી
તાલાવેલી
જાન
Page #376
--------------------------------------------------------------------------
________________
૮૩
to
te
૧
કર
*
૧૦૧
૧૦૩
૧૦×
૧૦૪
૧૦૫
૧૦૬
૧૦૭
૧૧૫
૧૧૫
૧૧}
"
૧૨૦
૧ર૧
ર૪
૧૨૩
૧૨
૧૩૨
૧૩૩
ne
↓
.
૪
૨૦
૧૦
૧૯
૧૪,
૧૩
B
૧૧
પર
383
સામ
સમૃદ્ધ
પુદ્દગલ
યુકે
*
તીથ દેવ
સત
રજ
૧૨ ગુ
સા
અનેકતા
નાગરિક
જુઠા
પ
નયત
અપ્રમત
ક્ષી માહિલી
લેથી
સમરસ
માતા
માન
હાવાયો
નિર્દેલી
સત્વિક
ન કારવું હિના
ધ્યાનમાં
અધ્યાત્મ
સલ
*
તીથ કરદેવ
સમ્યક્ત્વ
રજક
૧૨ માગુ
સયેાગ
કાંત
નારકાદિક
જાડા
જાય
નિયત
અપ્રમત્ત
ક્ષીણ માહીના
શ્લેષથી
મમ રહસ્ય
માતા
માનસ
હાવાથી
નિ"ભી
સાત્ત્વિક
નકારવું
શિ
Page #377
--------------------------------------------------------------------------
________________
૧૩૫ ૧૦૮
ગણે લજ-જલ અમીત વિસ્તાર
--
રસ ગર ભવજલ અમિત વિસ્તર
૪૦
છે
૧૪૩
૨૦-૨૧
શારીરિક
એમ પ્રભુ-સુખ કુયુ જિન મનડુ કિમતિ ન બાજે ? હે ! કંથ જિન
શરીરાદિ એમ “પ્રભુ મુખ મનડું કિમ હિ ન બાજે? હે ! કુંથુંજિન | મનડું કિમહિન બાઝે ?
૧૫
કિમહુ
કિમતિ
૧૫૧
૧૫૨ ૧૫૪ ૧૫૭
ભદાય ઉપાય ભલામણ પરમાણુઓ વૈભાવિસ્વ મુખ્યતાઓ આપેક્ષા નિશ્ચયથી નયથી શ્રેણિ
ભાગ્ય ઉપયોગ ભલામણ પરમાણુઓ વૈભાવિકસ્યા મુખ્યતાએ અપેક્ષા નિશ્ચયનયથી
જન શાસનને
૧૬૨ ૧૬૪ ૧૬૯ ૧૭૧
તે છે, જેન શાસનને
અને
Page #378
--------------------------------------------------------------------------
________________
ઉજાગર
નગર વસાવી
દુરસાલી
(હસ્તલિખિત પત્રમાં પાઠ છે. રબામાં ઘુરસાલી-રીસાલી અર્થ લખ્યો છે.) દઇનકારની પારમાર્થિક આવી જાય છે,
૧૮૦
દર્શન કરવાની પરમાર્થિક આવી જાય છે.
૧૮૮ ૧૯૧
૨૧
૧
- ૨૬ - ૨ - - ૨ : ૮ + ૮ -
અનંત ગણ
અનત ગુણો મિમાંસક
મીમાંસક લાગતું
લગતું ગાયોમાં
ધ્યેયમાં અગો
અંગે ખ્યાન
ખાન વર્ષાદા તેહ છે ન ચાલે છે. તે શું ચાલે નજેર
૨૧૬
૫
પદા
લગ
શત્રુજય
શત્રુંજય
૨૪૬
કૃષ્ણાદિક
૨૪
મુહિક ઉત્કૃષ્ટ વય નિવેશે. ઉત્કૃષ્ટિ ક્રિયા નયા ઈત્યાદિ ગાથાને દેશ યોગ ક્રિયા સ્થાને
નવિ પેસે રે દ્રવ્ય તણી પુરવતાને લેશે. મલ તિ
Page #379
--------------------------------------------------------------------------
________________
ર૪
૨૫૮
ર
૩૩૬
તે
વીર્યંન્તરાધિક
ન ખેસે રૂ.
(અર્થઃ આત્મા જ્યારે ઉત્કૃષ્ટ એટલે શુદ્ધ ક્રિયા નથી દેશથી ક્રિયા અવ ચક ચાગમાં પ્રવેશે છે,
ત્યારે મન-વચન અનેકાયાના ચાંગાની ક્રિયા તેમાં પેસતી નથી. અને દૃષ્ય જે આત્મા
દ્રવ્ય, તે ધ્રુવ હાવાથી મૂળ શક્તિ લેશ
માત્ર પણ ખસતી નથી.)
(આ પ્રમાણે હસ્ત લિખિત પ્રતિના પાર્ટ
ગય
પ્રમાણેના
થાય છે. )
વીર્યાન્તરાયાદિક
Page #380
--------------------------------------------------------------------------
________________ (IIIIIIIIIIIIIIt[LI[1][31/12/i111!Itih[li/lધોપમા1/12/hi/ TET) 5 ડિત પ્રભુદાસ બેચરદાસ સંપાદિત અન્ય પુસ્તકો. વિગેરે વિગેરે ૪૯પસૂત્ર સુઆધિકા સક્ષેપ સિદ્ધહેમરહયવૃત્તિ મહેનશ્રાસંગ્રહ દૂકયા ગુણ પર્યાયહાસ પ્રાકૃત ધ્યાથરણું અનેકાંતવાદપ્રવેશ પ્રાકૃત પ્રશિક્ષા તcવાર્થ સૂત્ર હમિર્જાતે સૂત્ર હિલા મંજરી જીવનવિશ્વાસ વિચાર IIIIIIII / II/I/II/IT / HTET II TIRUITTIT I'? IELTR