________________
- ૧૪ [પરંપર-પરંપરા, એક પછી એક, અનુભવજ્ઞાન. અધોઅંધ.-આંધળાની પાછળ આંધળે. પુલાય-પળે, ચાલે, જાય. આગમ-શાસ્ત્ર. ચરણ-પગ ધરણુ-ધરવાનું ઠામ-ઠેકાણું]
૨ કઈ પણ પ્રસિદ્ધ પ્રથમના મુખ્ય પુરુષની પછી આવેલા તેના અનુયાયીઓ રૂપ પાછળના પુરુષો હોય, તેના અનુભવને આધારે માર્ગની શોધ કરવા જઈએ, તો “એક આંધળાની પાછળ બીજો આંધળો ચાલ્યો જતો હોય. એના જેવું પણ થાય. તેથી, એ સર્વે પણ જે ભૂલાવામાં પડ્યા પડ્યા ચાલ્યા આવતા હોય, તો સાચો માર્ગ શી રીતે મળી શકે ? ન પણ મળે.
'अंधो अंधं पहं नित्ता पुरमद्धा न गच्छइ ।'
અર્થ:–આંધળાને રસ્તે ચાલતે આંધળા શહેરમાં પહોંચી શકે નહીં.
૩ દુનિયાનાં બધાં આગમ એટલે કે શાસ્ત્રો એકઠાં કરીને જે તેની મદદથી વસ્તુની-માર્ગની શોધ કરવા માંડીએ, તો ત્યાં તો પગ મૂકવાની જગ્યા મળે તેમ નથી. કેમકે–શાસ્ત્રની અનેકવિધ ગહન તથા કડક આજ્ઞાઓના વિસ્તારમાં, “કયાં પગ મૂકવો ? કઈ વાત પકડીને આગળ ચાલવું ? તેની જ મુશ્કેલી પડે તેમ છે.
અબુધ જીવને શાસ્ત્રો સમજવાં જ ઘણા મુકેલ છે. અને શાસ્ત્રજ્ઞને એકલા શાસ્ત્રોથી જ માર્ગ મળી જેવોયે મુશ્કેલ છે. શાસ્ત્ર ઉપરાંત બીજા સાધનની જરૂર પડે છે. ૩