________________
૯
પ્રીતિ ખંધાય છે, કે-જે એક વખત ખંધાયા પછી તે અનંતકાળ સુધી ટકે છે. ક્ષાયિક સમકિત ઉત્પન્ન થવાથી જે પ્રીતિ આંધવામાં આવે છે, તે ખરેખરી પૂરી પ્રીતિ અંધાય છે. ક્ષાયિક સક્તિ ઉત્પન્ન થયા પછી અને ત કાળ સુધી તે જતું જ નથી. કેમકે-સાદિ-સાંતઃ અનાદિ સાંત: અનાદિ અનંતઃ અને સાદિ અનતઃ એ ચાર ભાંગામાંથી સાદિ અનંત: ભાંગે તે સમકિત હાય છે. તેથી તેમની સાથેની પ્રીતિ પણ સાદિ અનંત ભાંગે હાય છે.
આ સ્થિતિમાં-દુનિયામાં જે પ્રેમ સગાઇએ થાય છે, પતિ પાછળ સતી થવાય છે, પતિ માટે મેટામાં મેટા તપ કરવામાં આવે છે. તે બધું ક્ષણિક છે, તેમજ કાયાકષ્ટરૂપ પણ છે. પારમાર્થિક નથી.
વળી, લીલાધારી અલખ પરમાત્મા સાથેની પ્રીતિ પણ બહુ વખાણવા લાયક નથી. કેમકે-તેથી એ જાતના પરમાત્મા નિર્દોષ પતિ નથી કરતા.
માટે, નિર્દોષમાં નિર્દોષ પરમાત્મા પતિ શ્રી ઋષભદેવ જિનેશ્વર છે, અને તેમની અનન્ય ભાવે પ્રસન્નતા મેળવવામાં જ-દુન્યવી ક્ષણિક આનંદ કરતાં અનંતગુણા આનંદના ઘન રૂપી-મેાક્ષરૂપ-પરમ સુખ મેળવવાની-ચાવી રહેલી છે.
શુલપાક્ષિક જીવને પ્રથમ પ્રીતિ થાય છે-પછી ભક્તિ ઉપજે છે, પછી શાસ્ત્રોક્ત વચન પ્રમાણે ધાર્મિક જીવન જીવવાની ભૂમિકા પ્રાપ્ત થાય છે. અને છેવટે, અસગ અનુષ્ઠાન પ્રાપ્ત કરી તે જીવ મેાક્ષમાં જાય છે.