SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ [મુગ્ધ-ભેળા, અણસમજુ. સુગમ-સરળ, સહેલી. આદરે-કરે. અગમ-અગમ્ય, ગૂઢ રહસ્યવાળી, ન સમજાય તેવી, ગંભીર. અનુપ-અનુપમ, સુંદર, કદાચિત્ - કઈક દિવસ. આનંદઘનરસ-રૂપ –હે આનંદથી ભરેલા રસ રૂપ! જિનેશ્વર દેવ ભેળા અણસમજુ માણસે “પ્રભુની સેવા કરવી તે તો તદ્દન સહેલી છે. એમ માનીને તે કરવા લાગી ગયા હોય છે. પરંતુ, પ્રભુની ખરી સેવા તો અગમ્ય-ગૂઢ રહસ્યવાળી અને અનુપમ–સુંદર છે. તે “હે આનંદથી ભરપુર રસરૂપ ! જિનેશ્વર દેવ ! આપ આ સેવકની (આપની ખરી સેવા કરવાની) યાચના કોઈક દિવસ તો પૂરી કરશે જ. ૬ ભાવાર્થ –આ સ્તવનમાં આત્માને વિકાસ કેવા અનુ કમથી થાય છે? તેની ટુંકામાં સૂચના મળે છે, જગતમાં અનાદિ કાળથી અનંતકાળ સુધી અનંત આત્માઓ વિદ્યમાન હોય છે. તેમાં કોઈ કાળે એકને યે ઘટાડે થતું નથી કે વધારે થતું નથી, અનંત પુદ્ગલ પરાવર્તન ભૂતકાળમાં...આઠમાં શ્રી ચંદ્રપ્રભુ સ્વામિના સ્તવનમાં બતાવ્યા પ્રમાણે સૂમનિગદ વિગેરેમાં પસાર કરીને જે આત્મા મોક્ષમાં જવાને હેય, તે જીવ જ્યારે પિતાના છેલ્લા પુગલ પરાવર્તનમાં આવે, ત્યારે તેને ધર્મ અને ધર્મના અંગો તરફ પ્રીતિ થવા લાગે છે, તે સમયથી તે શુલપાક્ષિક જીવ કહેવાય છે. અરધું પુદગલ પરાવર્તન સંસાર બાકી રહે ત્યારે તેને સમતિ-સમ્યગુદર્શન-ભલી – સ્થિરા નામની ઉત્તમ પાંચમી દષ્ટિ પ્રાપ્ત થાય છે.
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy