SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ ભવ્ય જીવને છેલ્લા એટલે ચરમ પુદ્ગલ પરાવર્તનમાં પ્રવેશતાં જ શરૂઆતમાં પહેલી મિત્રાદષ્ટિમાં અભય–અદ્વેષ અને અખેદ પ્રાપ્ત થાય છે તે જીવનનું નામ આદિધાર્મિક પણ કહેવાય છે. તે સ્થિતિના જીવમાંના જે જે દેવઃ ગુરુ અને ધર્મ ગણાતા હોય તે સર્વ પ્રકારમાંથી જેની તરફ જેના મનનું આકર્ષણ થાય, તેની તે જીવ ઉપાસના કરવા લાગે છે, અને તે જીવને માટે કાળાંતરે પછી પ્રાથમિક ભૂમિકામાં એ ઉચિત પણ છે. એમ કરતાં કરતાં તેનું મન જ પરીક્ષા કરીને શુદ્ધ દેવ; શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મની સેવા કરવા તરફ દોરાય છે. આથી તેનું મન એ સિવાયના બીજા સર્વ પ્રકારના દેવ, ગુરુ, ધર્મ તરફ વળતું નથી. જે કદાચ કેઈનું વળે તો તેના સમ્યગદર્શનમાં એટલે દોષ ગણાય છે. આવા દોષે ટાળીને સભ્ય દર્શનનું રક્ષણ કરવાનું હોય છે. સમકિત પામતાં પહેલાં આદિ-ધાર્મિક અપુનબંધક અને... માર્ગાનુસારી પણ અનુક્રમે બને છે. આદિ-ધામિક જીવ ચારીસંજીવની ન્યાયથી સર્વ પ્રકારના ગણાતા દેવ ગુરુ ધર્મમાંથી કેઈપણની સેવા કરે તે તેને માટે તે ગુણરૂપ થાય છે. ચારી સંજીવની ન્યાયની કથા એક બ્રાહ્મણીએ કોઈ ભેગીએ વશ કરવા આપેલી બુટ્ટી પિતાના પતિને ખવડાવી. પતિ બળદ થઈ છે અને પત્નીને પરવશ પડે બાઈ મનમાં ઘણી દુઃખી થઈ; પરંતુ પતિને ફરીથી પુરુષ બનાવવાનો ઉપાય છે બિચારી જાણતી નહોતી.
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy