________________
૨૬
એક વખત તે ખાઇ પેાતાના બળદરૂપી પતિને એક વડ નીચે ચરાવતી હતી, તેવામાં ત્યાંથી આકાશ માર્ગે એક વિદ્યાધર ચુગલ પસાર થતું હતું, વિદ્યાધરીએ બાઇનું દુઃખ દૂર કરવા બળદમાંથી પુરુષ થવાનો ઉપાય પાતાના પતિને પૂછ્યા, વિદ્યાધરે જણાવ્યુ` કે, આ વડ નીચે સંજીવની બુટ્ટી છે. તે બળદના ખાવામાં આવે તે તે તરત પુરુષ થઇ જાય. ” એટલું કહેતાં કહેતાં વિમાન આગળ
*
ચાલ્યું ગયું.
માઇએ વિચાર કર્યો કે- સજીવની તા અહીં છે, પણ હું તેને ઓળખતી નથી. તેા વડ નીચેનું તમામ પ્રકારનું ઘાસ કાપીને બળદને નાખું” તેણે તેમ કર્યું. તે ચારી-ચાર-ઘાસ સાથે સજીવિની બુટ્ટી પણ તેને નાંખવામાં આવી. તે ખાવાથી તે અળદ પાછા પુરુષ થઈ ગયેા.
33
અનાદિકાળથી દેવ: ગુરુઃ ધર્મને ન પામેલા આદિપ્રાથમિક-ધાર્મિ ક માટે જિનેશ્વરદેવ તથા સવ દેવની પૂજા ભકિત કરવામાં દોષ નથી. આમ કરતાં કરતાં તેને જિનેશ્વર દેવ રૂપી સંજીવની બુટ્ટી હાથ લાગી જાય, ને તેનું કામ થઈ જાય
શુદ્ધ દેવઃ ગુરુઃ ધર્મઃ પ્રાપ્ત થયા પછી સર્વ દેવની પૂજા કરવાની નથી હેાતી. તેવા જીવને આ ચારી સંજીવની ન્યાય લાગુ કરવાનું શ્રી હરિભદ્રસૂરીશ્વરજી વિગેરે કાઇ પણ જૈનાચાર્યોએ કહેલું નથી. આજે કેટલાક સ ધમ સમન્વયની વિદેશી પ્રચારકેાની ખેાટી ધુનમાં આવીને આ ન્યાય જૈને માટે પણ લાગુ કરવાની ખેાટી રીતે ભલા મણ કરે છે. તે ખરાખર ન્યાયસર નથી.
સ્તવનમાં સંભવદેવ, ધુર અને સર્વે એ ત્રણ શબ્દો ખમ્બે અર્થમાં વાપરેલા જણાય છે.