________________
મુળભેદ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, આયુષ્ય, મેહનીય, નામ, ગેત્ર અને અંતરાય કમ, એ કર્મના આઠ મૂળભેદ છે. ઉત્તરભેદએના અનુક્રમે ૧, ૯, ૨, ૪, ૨૮, ૧૦૩, ૨, ૫, એમ કુલ ૧૫૮ ઉત્તર ભેદ છે. ઘાતકર્મ=આત્માના મૂળગુણેને ઘાત કરે, તે ઘાતી કર્મ. અઘાતી કર્મ=આત્માના ઉત્તર ગુણેને ઘાત કરે, તે અઘાતી કર્મ. બંધ=આત્મા અને કામણ વર્ગણ-ના બનેલા-નવા કર્મોને-દૂધ અને પાણીની માફક લોઢાને ગોળ અને અગ્નિની માફક તેલ અને તેલની માફક-સંબંધ. ઉદયકર્મનાં ફળ ભેગવવાં, તે ઉદય. ઉદીરણ=ઉદયમાં આવવાને વખત પાયા પહેલાં પ્રયત્ન વિશેષ-કરણ વિશેષે કરી, ખેંચીને કર્મોને ઉદયમાં લાવવા તે ઉદીરણું. સત્તા=બંધ સમયથી માંડીને કર્મ ઉદયમાં આવી જાય, ત્યાં સુધીના વખત સુધી કમનું પિતાના સ્વરૂપે આત્મા સાથે વિદ્યમાન રહેવું, તે સત્તા. વિચ્છેદ=જેમ જેમ ઉપર ઉપરના ઉચ્ચ ગુણ સ્થાનકે જવ ચડતે જાય, તેમ તેમ બંધ, ઉદય, ઉદીરણા અને સત્તામાંથી કમેને વિચ્છેદ થાય છે, તે.
જેમ સોનું અને માટી જોડીને સંબંધ અનાદિ કાળથી છે, જેમ પ્રકૃતિ અને પુરુષને સંબંધ અનાદિ કાળથી છે સાંખેની માન્યતા], તેમ આત્મા અને કર્મોને સંબંધ પણ અનાદિ કાળથી છે.