________________
ર૭
રાખી છે, ને મોક્ષ પ્રાપ્ત કરેલ છે. હું પણ કાર્યકાર્યને વિચાર કર્યા વિના માત્ર અનન્ય ભાવે આપને ભજવા ઈચ્છું છું, તો કૃપા કરીને સ્તવનકાર કે સ્તવનાકાર કહે છે, કેમને પણ છે પ્રભો! આનંદઘન-પદ-રાજ–મોક્ષનું રાજ્ય આપશો.
જે નેમિનાથજીને મન વચન કાયાથી પિતાના ભરતાર માનીને પોતાના નવેય રસના ધારક પોષકઃ અને તેની પરાકાષ્ઠાએ પહોંચાડનાર હૈયાના હાર તરીકે માન્યા હતા. તેને જ પિતાના આત્મ વિકાસમાં માત્ર નિમિત્ત તરીકે સ્વીકારીને શ્રી રામતીજી જેમ નેમિનાથ પ્રભુની પહેલાં જ મોક્ષ પામ્યા, તેમ મને પણ કૃપા કરીને મોક્ષ આપજો. ૧૭ | ભાવાર્થ_શ્રી નેમિનાથ પ્રભુના જીવન રૂપી આકાશમાં રાજીમતી રૂપી વિજળી ખૂબ ચમકે છે. આઠ ભવ સુધીને તેમની સાથેને પત્ની તરીકેનો સંબંધ અને એક મહા પવિત્ર સમર્થ આર્ય સ્ત્રી તરીકેની તેની બાદાશ્વેતર લાયકાત: જોતાં, તેના આત્માની પણ ભવ્યતા ઘણું જ વિશાળ છે, તેની પવિત્રતા અને સામર્થ્ય પણ અગાધ છે. આઠ ભવની પ્રીતિ છેલ્લા ભાવમાં પણ ખૂબ સરસ નભાવવામાં આવે છે, અને તે ઠેઠ સુધી પણ તે જુદીજ રીતે. તેમના જ હાથે દીક્ષા લેવાં છતાં તેમનાથીયે પહેલાં મોક્ષમાં ચાલ્યા જવા સુધીની તૈયારી કરવામાં તેમના આત્માના અગાધ-સામની તૈયારી જણાઈ આવે છે. એટલે એ સુંદર પરિણામને દષ્ટિ સામે રાખીને ભકતના–તેમાં એક વખતની પત્ની-પ્રેમિકાનારીના