________________
હતી, એટલે કેવળજ્ઞાની ભગવંતના અભાવમાં સ્વકાળના વર્તમાન ગીતાને પરિચય પણ થતું નથી હોતું. ત્યાં સુધી માત્ર પિતાની આધ્યાત્મિક જિજ્ઞાસાના બળે જ તે આત્મા જીવતે રહે છે, આનંદમાં–ભાવનામાં ટકી રહે છે. શુક્લ પક્ષ પણ કાળલબ્ધિઃ ગીતાર્થને યોગર મળે તે પંથ મળી શકે છે. પરંતુ પંથ મળ પણ સાવ સહેલું નથી. કાળલબ્ધિ પાકી ન હોય ત્યાં સુધી પુરુષ પરંપરા, શાસ્ત્રાભ્યાસ, તર્કવાદ, ઉપદેશકને ઉપદેશ અને કેવળજ્ઞાનને ઉપદેશ વિગેરે પણ માર્ગ મેળવવામાં જોઈએ તેવાં સહાયક થઈ શકતા નથી.
વાસના શબ્દનો અર્થ ક્ષપશમ થાય છે. ૧ અધિયુતિ ૨ વાસના ૩ સ્મૃતિ-એ ત્રણ ધારણાના ભેદ છે. ત્યાં વાસના શબ્દને ક્ષપશમ અર્થ કરેલો છે.
કેવળ જ્ઞાનીઓના અભાવમાં ગીતાર્થ પુરુષ જ માર્ગ મેળવી આપવામાં આધાર રૂપ બને છે. કેમકે–સર્વજ્ઞ તીર્થંકર પ્રભુની પરંપરામાં ગુરુકમે ચાલ્યા આવતા ગુરુકુળ વાસમાં, આર્યદેશઃ આર્ય પ્રજા અને ઉત્તમ કુળજાતિમાં સદા ચારી અને વિશિષ્ટ જ્ઞાનશક્તિધારી પુરુષ હોય, તે તેમાંથી ખેંચાઈને આવે છે. અને તેમાંથી પણ જે ઉંચામાં ઉંચી લાયકાત ધરાવતા હોય છે, તેઓ આચાર્યાદિક સંઘમાન્ય ઉંચા પદ ઉપર આવી શકે છે.
વળી, એક જીવ કરતાં બીજા કેઈ જીવમાં જ્ઞાન વધારે હોય છે. તેના કરતાં ત્રીજા કેઈમાં વધારે હોય છે.