SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ આ આખું સ્તવન: કેવળ નિશ્ચય નયનેજ પારમાર્થિક માનનારાઓએ ખાસ ધ્યાનપૂર્વક વાંચવા જેવું છે, અને હેય છે. અંતિમપુદગલ પરાવર્તનમાં જીવ પ્રવેશ કરે ત્યારથી પણ તેને ધમ કહ્યો છે. પહેલું ગુણ સ્થાનક છતાં પહેલી દૃષ્ટિએ યોગની દષ્ટિ કહી છે. માર્ગાનુસારીને પણ અપેક્ષાએ ધમ કહ્યો છે સમકીતીને પણ અપેક્ષાએ ધમી કહ્યો છે, એ જ પ્રમાણે દેશ વિરતિધરને સર્વવિરતિધરને અપ્રમત્ત સર્વવિરતિધરને, શ્રેણિ આરુઢને, અહીને, ક્ષીણ મહીને, કેવળીને, અગીને શેલેશી કરણગતને અને છેવટે સિદ્ધ ભગવંતને જ જે જે અપેક્ષાએ ધમ કહ્યા છે, તે તે અપેક્ષાએ તેનો પૂર્વની અવસ્થાવાળા છ ધમાં નથી, પણ અધમ છે. એમ અર્થાત કહેવામાં હરત નથી. એજ પ્રમાણે–શાસ્ત્રકાર ભગવંતે એકજ વિચાર જુદી જુદી અનેક શૈલિ અને અનેક પરિભાષાએથી એની એ વસ્તુ સમજાવે છે. કેમકે–ભિન્ન ભિન્ન રુચિ અને લાયકાતવાળા શ્રોતાઓને ઉદ્દેશીને જુદી જુદી ઉપદેશ શૈલી અને પરિભાષા મારફત રજુઆત કરવામાં આવે છે, અને તેમ હોવું જોઈએ, એ સ્વાભાવિક છે. આનું નામ નયવાદ છે તેને અનુસરીને–આત્માને વિકાસમ-૧૪ ગુણ સ્થાનક છ લેશ્યાઃ અશુભભાવઃ શુભભાવઃ શુદ્ધભાવઃ વિગેરે અનેક શૈલિથી સમજાવેલ છે, તે અશુભ. શુભ અને શુહા ને વિચાર જૈન શાસ્ત્રોમાં ચોક્કસ આવે છે. પરંતુ, શાસ્ત્રકાર મહારાજાઓને આશય સમજવા વિના હાલમાં આ એક અપૂર્ણ સ્વરૂપમાં વિચાર પ્રવાહ કેટલાક જેનામાં ચાલુ થયે છે. શાસ્ત્રકાર મહારાજાઓનો આશય એ છે, કે-અનાદિકાળથી ભવાંતર પસાર કરતા કરતો જે જીવ અશુભ ભાવમાંથી નીકળીને શુભભાવમાં આવેલ છે. તેને શાસ્ત્રકાર મહારાજાએ સમજાવે છે,
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy