________________
૨૮ કહેવા માં હરકત નથી જણાતી. અને ચોથા ગુણસ્થાનકની પ્રાપ્તિની ખાત્રી હોય તે તેને સામાન્ય રીતે ભાવ નિક્ષેપે નિશ્ચય સમકિત કહી શકાય.
તેવીજ રીતે જૈનેતર ધર્મ પાળતી કુલ-જાતિમાં જન્મેલા કોઈ જીવને પૂર્વભવના કોઈ સં જેને લીધે શુદ્ધ દેવ, ગુરુ, ધર્મની સેવાની મનેત્તિ ખેંચાતી હોય તે, તેને દ્રવ્ય નિક્ષેપે વ્યવહાર સમકિત કહેવામાં હરકત નથી જણાતી, ચોથા ગુણઠાણાની પ્રાપ્તિની પૂરી ખાત્રી થઈ શકતી હેય, તો તેને સામાન્ય રીતે દ્રવ્યથી નિશ્ચય સમ્યક્ત્વ કહી શકાય. આમ સમજાય છે.
શ્રી અભિનન્દન-જિન સ્તવન. સમ્યગ્ દર્શનની પ્રાપ્તિની અતિ દુર્લભતા:
[ભલી દષ્ટિ જ્યારે ખીલે છે, એટલે કે સમ્યગદર્શન જીવને થાય છે. ત્યારે તેને જૈન દર્શનની અથવા વીતરાગ દેવના સાચા દર્શનની પ્રાપ્તિ થાય છે. પરંતુ એ થતાં પહેલાંની મુશ્કેલીઓ અને તાલાવેલી આ સ્તવનમાંથી જાણવા મળે છે. ] (રાગ-ધનાશ્રી સિંધુડા, આજ નિહેજેરે દીસે નાહલે-એ દેશી) અભિનન્દન-જિન ! દરિસણતરસિય,
દરિસણ દુર્લભ દેવ ! મત-મત-ભેદે રે જે જઈ પછિયે.
સહુ થાપે “અહમેવ અભિ. ૧