SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ર મળવાને બદલે ચાર ગતિમાં રખડવું પડે છે. એટલે કે – માયાઃ મિથ્યાત્વઃ તથા નિયાણા ને વિષ ગરલ: અને અનુષ્ઠાન રૂપ ક્રિયા કરવાથી તેઓને પણ રખડવું પડે છે. સંસારમાં ભમવા રૂપ વિપરીત ફળ મળે છે. વિશેષે-સવદર્શનમાં પણ જૈન શાસનના મૂળ પ્રવાહની બાજુમાં જુદા જુદા ગચ્છ જોવામાં આવે છે, કેટલાક વિદ્વાનો તે વળી સ્વતંત્ર રીતે તત્ત્વની વ્યવસ્થાઓ જાહેર કરે છે, કેટ લાક તે ધર્મના ન્હાના નીચે પેટ ભરવાના તથા બીજા માજશેખ પૂરા કરવાના પિતાના અંગત કામમાં પડી જાય છે, આ બધી મેહે ઉભી કરેલી મુશ્કેલીઓ છે. કળિ કાળમાં-પાંચમા આરામાં તે વળી મેહની વધુ પ્રબળ અસર છે. વ્યવહાર ધર્મ પણ ખોટ નથી. શાસ્ત્રાજ્ઞા મુજબ તે પણ સાચા છે. પણ શાઆજ્ઞાથી વિરુદ્ધ આચરવામાં આવે, તે તે મોક્ષના માગથી દુર લઈ જઈને ઉલટાનો સંસાર તરફ લઈ જાય છે. માટે પિતાની મતિ લડાવીને ઉભા કરેલા ખોટા વ્યવહારથી-માત્ર બાહ્ય વ્યવહારથી દેવગુરુ ધર્મની શુદ્ધિ સાચા વ્યવહાર વિના શુદ્ધ આરાધના: અથવા આરાધના જન્ય સમકિતઃ વિગેરે ગુણે ટકી શકે નહીં. આ રીતના આચાર વિનાની અન્ય કોઈ પણ ક્રિયા કે પ્રવૃત્તિ બરાબર સફળ ન થાય. એ સ્વાભાવિક છે. આ ઉપરથી ચારિત્રના સાચા ખપી જીએ ઉસૂત્ર પ્રરૂપણાથી બચી શુદ્ધ પ્રરૂપણ કરવી, અને આગમની આજ્ઞા અનુસાર ચારિત્ર-વચનાનુષ્ઠાન પાવું-અને તેજ પુરુષ શુદ્ધ ચારિત્રપાત્ર ગણાય. ઉપર જણાવ્યા તે બધાં વિદને છે. તેથી ચેતવું. માટે
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy