SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ વ્યવહારે લખ દેહિલે. કાંઈ ન આવે હાથે. રે શુદ-નય-થાપના સેવતાં, નવિ રહે દુવિધા સાથ. રે ધ. [ દેહિ દુર્લભ, મુશ્કેલ શુદ્ધ-નય–થાપના સેવતાંનિશ્ચયથી નયથી નક્કી કરેલ રીતે આગળ વધવા પ્રયત્ન કરતાં. દુવિધા વિધ્ય, દ્વિત, બેપણું સાથ-સંબંધ] જોકે કેવળ વ્યવહારથી જ લક્ષ્ય–આત્મા–સાધઘણે જ દુર્લભ છે. તેથી કાંઇ પણ તત્ત્વ–આત્મ વિકાસની તીવ્ર પ્રગતિરૂપ મહા ફળ હાથમાં આવતું નથી. પરંતુ શુદ્ધ નય-નિશ્ચય નયની સ્થાપના પૂર્વક લક્ષ્ય કરેલ–સિદ્ધ કરેલ આત્માની તે પ્રમાણે સેવા કરવાથી લેશ પણ દૈતનો સાથ–પરનો સંબંધ. રહેતો નથી-આત્મા શુદ્ધ અદ્વૈત બની જાય છે. આત્માનો વિકાસ ક્રમિક થાય છે. અનાદિ નિગોદમાંથી વ્યવહાર રાશિમાં અને ત્યાંથી ચરમાવતમાં અને ત્યાંથી સમકિત દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમત્ત ભાવ વિગેરે ભાવ પામે છે, ત્યાં સુધી નિશ્ચયને લક્ષ્યમાં રાખીને વ્યવહાર ધર્મોની મદદથી તેનો વિકાસ થાય છે. પરંતુ, અપ્રમત્ત ભાવ પામ્યા પછી શ્રણિ ઉપર ચડતો જીવ જ્યારે શુદ્ધ સમયને અનુભવ કરે છે, ત્યારે તે અત બની જાય છે. તે વખતે પ્રથમ કરતાં અનંત ગુણી નિજેરા
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy