________________
આ કડીમાં શ્રી આનંદઘનજી મહારાજશ્રીએ કવિ તરીકે બહુજ સુંદર કલ્પના કરીને કાવ્ય-ચમત્કારથી ભરપૂર ઉત્તમ પ્રકારની કવિતાને સુંદર નમૂને પૂરો પાડે છે. કમળ, કમલા; પામર, પંકજ; નિમળ, સમળ, સ્થિરપદ, અસ્થિરપદ-વિગેરે ની પસંદગી પણ બહુજ રસ ઉમેરે છે.
મુજ મન તુજ પદ-પંકજે રે
લીને ગુણ-મકરંદ. રંક ગણે મંદર-ધરા રે
ઈન્દ્રઃ ચંદ્ર: નાગેન્દ્ર વિ. દી. ૩ [ પદ-પંકજે ચરણ કમળમાં. લીને આસકત. ગુણુ-મકરંદ ગુણરૂપી, સુગંધી, પરાગ. રંક રાંકડા, મંદા=શેરુપર્વત. ધરા પૃથ્વી, નાગુંસવનપતિના ઈન્દ્ર, ધરણેન્દ્ર. ]
આવા તમારાં ચરણરૂપી કમળમાં ગુણરૂપી મકરન્દપુષ્પને રસ–પીવા માટે મારા મનરૂપી ભમરો લીન– તલ્લીન–આસકત થઇ ગયો છે. તેથી કરીને તમારાં ચરણ મળવાથી મારું મન મેરુ પર્વતઃ પૃથ્વી અથવા મેરુ પર્વતની સુવર્ણમય પૃથ્વીઃ ઈન્દ્રઃ ચંદ્ર અને ધરણેન્દ્ર દેવને પણ પિતાની આગળ એક રાંદડા જેવા-તુચ્છ માને છે. હે પ્રભો ! આવો તમારા ચરણનો મહિમા છે. ૩