________________
૩૧૦
પાછલે બારણેથી આ માર્ગમાંથી નીકળી જાય છે. કેઈ કઈ તે શાસ્ત્રના જુઠા અર્થ કરીને બારી-બારામાંથી નીકળીને ભાગી છુટે છે. આમ અનેક પ્રકારની હેરાન ગતિએથી ભાગી છુટે છે. કદાચ, એ બહારના કિલ્લાની બહાર પણ કોઈ કઈ તે ભયના માર્યા ભાગીને નીકળી આવે છે. બેલવામાં સમજવામાં અનેક ભૂલે કરે છે. કેઈ કઈ તે એવા લાગે છે, કે-માર્ગ પણ કી જઈને પાછા કેડીના માર્ગોમાં આવી જાય છે. અને કેટલાક તે કંઈક કાળ સુધી ગાઢ જંગલમાં અટવાઈ જાય છે. છતાં, તેઓના મનમાંથી એકવાર જે સુંદર દશ્ય જોયું છે, તેની ઝંખના જતી નથી. ઉંડે ઉંડે, તેની ઝંખના તે રહ્યા કરે છે, તેથી પાછા ત્યાંને ત્યાં આવી લાગે છે. આખરે રસ્તામાં આનંદઘનજી મહારાજ મળે છે. તેની આગળ પેતાની સ્થિતિનું રોતાં રેતાં વર્ણન કરતા દેખાય છે. આનંદઘનજી મહારાજ તેને સ્વસામાન ખીલે ત્યાં સુધી જિનાગમ-પ્રવચન–પ્રભુ વચનરૂપી હથિયાર બરાબર પકડી રાખવાની ભલામણ કરે છે. તેમાં જરાપણુ ગફલત ન થાય, તેની સાવચેતી રાખવા સમજાવે છે. કેમકે–તેમાં એ મને જીતવાના પ્રબળ ઉપાયો બતાવેલા છે. આગળના માર્ગની આંટીઘૂંટીમાંથી સીધે માર્ગદર્શક નકશે પણ તેમાં કરે છે. કયા કયા ગામેથી કેવા કેવા બહાદુર સેમિયા અને વળાવીયારૂપી ગુરુને સાથ લે? તેની માહિતી પણ તેમાં આપેલી છે. એમ સૂત્ર અનુસાર શુદ્ધ ચારિત્રમાં સ્થિર રહેવાને સારભૂત ઉપદેશ આપે છે. તેના ઉપર દઢ વિશ્વાસ રાખીને શત્રુ મલેની લાલચમાં પડયા વિના આગળને