SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ વાતને ખુલાસે સ્તવનકાર મહાત્માએ ૧૪ મા ભાગવાનના સ્તવનમાં– અને સમ્યક્ ચારિત્રની જ્યોતિ જાગતી હોવાથી અનેક કર્મોની ઉદીરણ, સંક્રમ, અપવર્તન, ઉપશમના વિગેરે તીવ્ર સ્વરૂપમાં થતા હેવાથી તથા સ્થિતિ અને રસમાં પણ અનેક પ્રકારના પરિવર્તન થતા હોવાથી સકામ નિર્જરા પણ ચાલુજ હોય છે. આ જ પ્રમાણે પહેલે ગુણઠાણે પણ આ પાંચેય વસ્તુઓ ચાલુ હોય છે. ' * પરંતુ ફરક માત્ર એટલો જ છે, કે–વત્તા ઓછા પણાને હેય છે. ૧૦ મે સકામ નિર્જરા વધુ, ત્યારે પહેલે પાપ બંધ વધુ આથી કરીને–ગુણ સ્થાનક તથા કર્મ બંધન વિગેરેના અને અધ્યયસાયોની તરત મતાનું સુક્ષ્મજ્ઞાન જેણે ન પ્રાપ્ત કર્યું હેય, તેવા બાલ જીવોની સમજ માટે અશુભ: શુભ અને શુદ્ધ એ સંક્ષેપમાં પરિભાષા નકકી કરો. તેથી પહેલા ત્રણ ગુણસ્થાનકમાં અશુભની મુખ્યતા. ત્યાં પણ શુભ અને શુદ્ધ હોય જ છે. - ચેથાથી પાંચમા સુધી કે સાતમા સુધી શુભની મુખ્યતા. પરંતુ તે વખતે પણ અશુભ અને શુદ્ધ હેય જ છે. “ ૮માથી ૧૪મા સુધી શુધની મુખ્યતાઃ તેમાં પણ છે મા સુધી શુભ અને અશુભ પણ હેય છે ઉપરના ગુણઠાણે પણ અંશતઃ શુભ હોય છે. * આ રીતે-ગૌણ મુખ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી પહેલે ગુણઠાણે અંશતઃ શુદ્ધભાવ સંભવે છે, પરંતું, તે અપ હેવાથી, તેની ગણતરી બાનમાં લીધી નથી. તેજ પ્રકારે ૧૦મે પણ અશુભ હોય છે. પણ તે અલ્પ હોવાથી તેની ગણતરી ધ્યાનમાં લીધી નથી.
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy