________________
૭૩ નાશ. ગુણભાવે ગૌણ રીતે, ગર્ભિત રીતે. ૨-જ્ઞાનાદિક ભાવ ગુણોની અપેક્ષાએ. પ્રેરકવિણતિકપ્રેરણા વગરની સહજ પ્રવૃત્તિ. મતિ-બુદ્ધિમાં. ન=ન આવે, આવે નહીં.]
ઉપરના પ્રશ્નના જવાબ રૂપે-ત્રીજી રીતે એજ ત્રિભંગી ઘટાવી બતાવે છે
૨. (૧) કર્મરૂપી અનાદિ કાળનો મળ જીવને સેટેલો છે, તેને નાશ થવાથી ઉત્પન્ન થયેલી સંસારના ભયથી બચાવવાની અભયદાનની વૃત્તિઃ તે પોતાના આત્માની ભાવ કરૂણું પરમાત્મામાં હોય છે.
(૨) ત્યારે, મળને ક્ષય કરવાની વૃત્તિ-તીક્ષણતા પણ ગૌણભાવે તેમાં સમાયેલી છે. અથવા ગુણ પ્રાપ્ત કરવાની ઉગ્રતા લાવેલી રૂપી તીક્ષ્ણતા હોય છે.
(૩) અને એ બન્નેય કામ કોઈ પણ જાતના પ્રેરકભાવ વિના સિદ્ધ સાધકદશામાં સહેજ રીતે થવા દેવાથી, ઉદાસીનતા પણ તેમાં સાબિત થાય છે.
એ રીતે વિચારતાં, વિચારમાં બુદ્ધિમાં કોઈ પણ જાતને પરસ્પર વિરોધ આવે તેમ નથી. શકિતઃ વ્યકિત: ત્રિભુવન-પ્રભુતા;
નિર્ગથતા સંગે રે, યોગી ભેગી વકતા મૌની: . અનુપયોગી ઉપયોગે રે. શીતલ. ૫