SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ સંકર દેષ તે કહેવાય છે, કે–જુદા જુદા પદાર્થોનાં જુદા જુદા લક્ષણ-તેને ઓળખવાની નિશાનીઓ–હેાય છે. તે નિશાનીઓ–લક્ષણે-તે જુદા જુદા પદાર્થો સિવાય કોઈ બીજી વસ્તુમાં ભેગા જોવામાં આવે, તો તે સંકર દેષ ગણાય છે. આત્માનું લક્ષણ અને પુલનું લક્ષણ, એ બન્નેયના જુદા જુદા લક્ષણ કર્યા પછી કેઈ ત્રીજા પદાર્થમાં બન્નેયના એ લક્ષણ ઘટતાં દેખાય, તો તે લક્ષણ સંકર દુષવાળા ગણાય છે. કેમકે–એ લક્ષણથી એ પદાર્થને બેમાંથી કયા સ્વરૂપે ઓળખવો ? તેને ગોટાળો થાય છે. એ જ પ્રમાણે ચેતન આનંદમય છે. જડ આનંદ રહિત છે. સુખનું કારણ ચેતનાદિ ગુણ છે. દુઃખનું કારણ જડનો સંબંધ છે. જે જડ અને ચેતનને જુદા જુદા માનવામાં ન આવે, તે સુખ અને દુઃખનું ખરું કારણ કોણ છે ? તેની સ્પષ્ટતા થતી નથી. તેથી સુખી થવા ઇચ્છનારે શું કરવું? તે માટે કોઈ સ્પષ્ટ ઉપાય બતાવી શકાશે નહીં. માટે ગોટાળ-સંકર દોષ આવશે. ૩ એક કહે, “નિત્ય જ આતમ તત્ત.” આતમ-દરિશણ—લીને. કૃત-વિનાશ અકૃતા-ડcગમ દૂષણ નવિ દેખે મતિ-હીણે. શ્રી મુ. ૪ [ નિત્ય કાયમી, ફેરફાર વગરનું, નાશ વગરનું. આતમ-દરિશણુલીને=આત્મ દર્શનમાં લીન, બ્રહ્મતત્વદર્શનમાં–વેરાતમાં લીન, તે દર્શનના અભ્યાસી, કૃત
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy