________________
કરણી–પ્રભુની પૂજા જે ભવિક જીવ કરશે, તે આનંદ-ધન -પદ-મોક્ષપદની, ધરણી–પૃથવી–સિદ્ધ શિલા પ્રાપ્ત કરશે. ૮
ભાવાર્થ—અહીં સુધીના સ્તવનેમાં મોટે ભાગે, પ્રીતિધારી, આદિ ધાર્મિક, માર્ગાનુસારી, સમકિતધારી તથા દેશવિરતિ શ્રાવકને લગતી વિચારણા સુધી આવી પહોંચે છે. આમાંથી આ સ્તવનમાં સર્વ જેને કરવાની ઉત્તરાધ્યયન સૂત્રમાં કેવળજ્ઞાની ભગવંતે કહેલી ચાર પ્રકારની પૂજા બતાવવામાં આવી છે. તેમાંની અંગ અને અપૂજા દેશ વિરતિ શ્રાવક સુધીના જીવને જ મુખ્યપણે કરવાની છે.
બાકીની બે સર્વવિરતિને યે ખાસ કરવાની છે. એકંદર શ્રાવકને પણ ચારેય પ્રકારની પૂજાને સંભવ છે, અહીં મુનિવેશ ન ધારણ કરેલ હોય તેવા ગૃહસ્થલિંગમાં રહેલા સમ્યકત્વ મૂળ બાર વતાદિક ધારણ કરેલા જૈન ગૃહસ્થને શ્રાવક માનીએ તે તેને પ્રતિપત્તિ પૂજા પણ સંભવે.
આ પૂજાઓને બે ઠેકાણે સુખદાયક: શુભ કરણઃ કહી છે, અને તેનું ફળ એક ઠેકાણે શુભ ગતિ પણ બતાવેલ છે. એટલા ઉપરથી પૂજા કેવળ “શુભ કારણ એટલે માત્ર પુણ્ય બંધાવનારી શુભ આશ્રવ રૂ૫ કિયા છે.” આમ ન સમજવું. અલબત્ત, એકંદર બાળ જીવે માટે તે શુભ કરણરૂપ ઘણે અંશે છે. પરંતુ એમ એકાંત નથી. કેમકે તેનું પરંપરાએ મુક્તિરૂપે ફળ આ સ્તવનમાં જ બતાવ્યું છે, અને છેલ્લી ગાથામાં તેનું પુનરાવર્તન પણ બતાવ્યું છે. “સિદ્ધશિલા પ્રાપ્ત કરશે,” એમ કહી પણ કહ્યું છે, તેથી જિન-પૂજા સંવરરૂપ અને નિર્જરારૂપ કિયા