________________
રાગ-આશાવરી “મારું મન મોહ્યું રે શ્રી વિમળાચળે રે.”—એ દેશી] પંથડો નિહાળું રે બીજા જિન તણો રે
- અજિત અજિત-ગુણ-ધામ.. જે તે જીત્યા રે, તેણે હું જીતિ. રે
“પુષ" કિયું મુજ નામ? પંથડે ૧ [ પંથડે-માર્ગ. નિહાળું જોઉં, શેવું, બળું. અજિત-અજિતનાથ પ્રભુ. અજિત-ન જીતાયેલા. ધામ–સ્થાન, છતિ-જીતાઈ ગયો છું. કિસ્યું-શી રીતે? મુજ-મારું. ]
કોઈથી ન જીતી શકાય એવા-અજિત–ગુણના ભંડાર બીજા તીર્થંકર શ્રી અજિતનાથ ભગવાનને માર્ગ હું ખોળી રહ્યો છું. પરંતુ, હે અજિતનાથ પ્રભે ! આપ નામે તેમ ગુણે પણ અજિત છે. હું તો, તમે જેને જીત્યા છે, તેનાથી જીતાઈ ગયો છું, તેથી મારું “પુરુષ” નામ શી રીતે ટકી શકે? છતાઈ ગયો છે, માટે હું પુરુષ શાને ? પુરુષ તો હારે નહીં. પુરુષ તો વિજયી થાય. હું તો કષાયો વિગેરેથી હારી ગયો છું. ત્યારે આપ તો વિજયી થયા છે. માટે હવે, અજિત થવા માટેનો તો આપનો એ પંથ-રસ્તો હું ખળું છું. ૧
પ્રભુનું નામ અજિતનાથ છે. તે તેમના અજિત એવા ગુણોને લીધે શ્લેષથી સાર્થક કરી બતાવ્યું છે. ચર્મ-નયણ કરિ મારગ જેવતાં. રે
ભૂલ્યો સયલ-સંસાર.