SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ - દશ્ય ૨૧ મું: જનશાસનની સ્થાપના તીર્થકર નામ કમની મદદથી જગતના છના કલ્યાણ માટે દિવ્ય સમવસરણમાં બીરાજી, અષ્ટપ્રાતિહાર્યયુક્ત થઈ ચેત્રીશ અતિશયો અને પાંત્રીશ વાણીના ગુણોથી યુક્ત થઈ –મહાન શાસનની સ્થાપના કરવા માંડી. દેવે, દાન આવે છે, સમવસરણ રચાય છે. બાર પર્ષદાઓ આવે છે. ચિત્ય વૃક્ષ નીચે સિંહાસન ઉપર પરમાત્મા બિરાજે છે. ઉપદેશ વાણી વિસ્તરે છે. ગણધરની સ્થાપના થાય છે. ત્રિપદી સંભળાવાય છે. દ્વાદશાંગીની રચના થાય છે. વાસક્ષેપ નાંખી અનુજ્ઞા અપાય છે. ચતુર્વિધ સંઘની સ્થાપના થાય છે. શાસન દેવ દેવીની સ્થાપના થાય છે. પ્રભુ દેવઈ દામાં પધારે છે. પ્રથમ ગણધરભગવંત દેશના આપે છે. પર્ષદાઓ પાછી જાય છે. પ્રભુ ધમ ચક્રની પાછળ પાછળ નવ સુવર્ણકમલ ઉપર પગ સ્થાપીને ધર્મ રાજ્યની સ્થાપના કરે છે. આ દશ્યમાં અનેક ભવ્ય દશા નજરે પડે છે. કઈ પણ મત, પંથ, દર્શન, વિજ્ઞાન, વિશ્વજ્ઞાન, તત્વજ્ઞાન, મર્યાદા, સર્વકાળ-સર્વક્ષેત્રના જીને ઉપયોગી વિવિધ માર્ગ દર્શન, મહાધ્યાન, મહાયોગ પ્રક્રિયા, ક્રિયાઅવંચક, મહા સાધનાના ઉપાયે, વગેરેથી ભરપૂર અંગ પ્રત્યંગે સહિત-શાસન તથા તેનું માર્ગદર્શક પ્રવચનરૂપી કલ્પવૃક્ષની જગતમાં સ્થાપના કરી, અનંત અને પિતાને રાજમહેલે આવવા માટે સગવડથી ભરપૂર આરો અપાવવા માંડે.
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy