________________
૧૯૮
અક્ષર-ન્યાસ–ધરા આરાધક
આરાધે ધરી સંગે. રે ષડૂ ૫
[ જૈન જૈનદર્શન. ઉત્તમ-અંગ=માથું, અંતરંગ= અંદરનું. બહિરંગ બહારનું, અક્ષર-ન્યાસ ધરા=અક્ષરોની સ્થાપના ધારણ કરનારા. આરાધક=આરાધના-ભકિત કરનારા ]
પ્રસિદ્ધ જૈન દર્શન તે શ્રી જિનેશ્વર પ્રભુનું બહારથી અને અંદરથી ઉત્તમાંગ છે. એટલે કે બહારથી મસ્તક છે. અને અંદરથી ઉત્તમ શ્રેષ્ઠ અંગ છે. એ દર્શનને સંગ કરીને આરાધક એવા અક્ષર ન્યાસ ધરા-શરીરના જુદા જુદા અંગો ઉપર અક્ષરના ન્યાસ કરીને ધ્યાન કરનારા ચૌદ પૂર્વધર અને ગણધર ભગવત જેવા ગી પુરુષો એ મહા યાનની સાધના કરી શકે છે. એ મહાધ્યાન જૈન દર્શન વિના ક્યાંય નથી. ૫
જૈન દર્શન વિના-ચૌદ પૂર્વેના જ્ઞાન વિના-એ મહા તત્વનું જ્ઞાન જગતમાં સંભવિત નથી, અને ધ્યાન એટલે આત્માની ધ્રુવતા સંભવિત નથી. કેમકે–એ વાત બીજા કે પણ ઠેકાણે નથી. માટે, તે જેમ બહારથી બુદ્ધિગ્રાહ્યા વિશાળ તથા જ્ઞાનમય દર્શન છે. તેમજ અંદરથી તેના બાળ
જીવથી માંડીને પરમ યોગી સુધીના આચારો-અનુષ્કાનેવિગેરે આત્મ વિકાસના સંખ્યાતીત ઉપાયના ખજાના રૂપ એ દર્શન છે. તેથી તેના સંબંધથી મહાઆરાધકે મહા ધ્યાન કરી શકે છે.