SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પૂરાવા એજ કે—બાકીના સ્તવનામાં અન્ય અન્ય વિષયનું પ્રતિપાદન કરવામાં આવેલુ છે, તે છે. શ્રી ઉપાધ્યાયજી મહારાજ જેવાને તેમના તરફ માન હાય, અને એવા સમર્થ જ્ઞાની પ્રત્યે શ્રી અાનંદઘનજી મહારાજની વાત્સલ્યતા હોય, એ બન્નેય સંભવિત છે, છતાં, ઉપાધ્યાયજી મહારાજની અષ્ટપદી શ્રી આનંદ. ઘનજી મહારાજની સ્તુતિ રૂપે હાય, એમ હજી મારું મન કબુલ કરતું નથી. પરંતુ, આત્મા રૂપ આનંદઘનનાજ કાઈ આધ્યાત્મિક સ્વરૂપનું જ તેમાં વર્ણન મને ભાસે છે. પછી શÀષથી કદાચ આન ઘનજી મહારાજની સ્તુતિ હોય, તે કાણુ જાણે. પણ મને હજી એ ભાસ થતા નથી. મારી સમજની પણ ભૂલ હાય પરંતુ સ્તુતિનું સ્વરૂપ એ શાસ ઉસન્ન કરતું નથી. છતાં જ્ઞાની પરમાત્મા જાણું. શ્રી આનન્દધન ચાવીશી— ગુજરાતી ભાષાનું ભાષા દષ્ટિથી પણ એક અણુમેલ રત્ન છે. ગુજરાતી ભાષામાં આધ્યાત્મિક તત્ત્વવિવેચક ઉત્તમ ગ્રન્થ રત્ન છે. કાવ્યસાહિત્યની દૃષ્ટિથી પણ એક આહ્લાદક વસ્તુ છે. સંગીતના રણુકારથી ગુ ંજતા સંગીતના ઉત્તમ નમૂના રૂપ પણ છે. કલકત્તામાંના થોડા નિવાસ દરમીયાન ભાઈ કનૈયાલાલજી વેદના પરિચય પછી આ ચેાવીશીનું મનન કરવા તરફ મારું લક્ષ્ય વધુ ગયું. કેમકે-તે પાતે હમેશાં માત્રુજીના બગીચામાં પ્રભુની પૂજા વખતે કાયમ ઘણેભાગે આ ચાવીશીના સ્તવના તન્મય થઈને ખેલે છે.
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy