________________
ફ્રી માં જમા [૧] આમુખ
નમસ્કારમંત્રનું નિરૂપણ કરનારે, નમસ્કારમંત્રને વિસ્તૃત પરિચય આપનારે, નમસ્કારમંત્રની અનેકવિધ વિશેષતાઓને પ્રકાશમાં લાવનાર તથા નમસ્કારમંત્રની સિદ્ધિને સમુચિત વિધિ દર્શાવનારે જે મનનીય ગ્રંથ, તે “નમસ્કારમંત્રસિદ્ધિ અથવા નમરકારમંત્ર વડે સિદ્ધિ એટલે મુક્તિ કે મોક્ષ પ્રાપ્ત કરવાની શાસ્ત્રોક્ત રીતિને પદ્ધતિસર રજૂ કરનારે સર્વોપરી સુંદર ગ્રંથ, તે “નમસ્કારમંત્રસિદ્ધિ -અથવા નમસ્કારમંત્રના યથાવિધ આરાધન દ્વારા પ્રાપ્ત થતી અનેક પ્રકારની સિદ્ધિઓનું વ્યવસ્થિત વર્ણન કરનારે અતિ ઉપયોગી ગ્રંથ, તે “નમસ્કારમંત્રસિદ્ધિ
જૈન સંઘમાં નમસ્કારમંત્રનું જે સ્થાન છે, તેને લક્ષ્યમાં લેતાં આવા ગ્રંથની આવશ્યક્તા કઈ પણું સંઘ-સમાજહિતૈષી સુજ્ઞજનને લાગ્યા વિના નહિ રહે, એમ અમારું માનવું છે. અમને પિતાને આવા ગ્રંથની આવશ્યક્તા આથી