________________
સંમરણવિધિ
૧૮૫
૯ના આંક પર પહોંચતાં સ્મરણની સંખ્યા ૧૦૮ થાય છે.
આ ગણુના અક્ષરશુદ્ધિ, ક્રિયાશુદ્ધિ તથા ભાવશુદ્ધિપૂર્વક કરવી જોઈએ અને મનને તેના અર્થમાં જોડાયેલું રાખવું જોઈએ. વળી આ ગણના કરતી વખતે બે હાથ જોડેલા અને મસ્તક કંઈક નમેલું રાખવું જોઈએ. તે વખતે અન્ય કઈ વિચાર મનમાં દાખલ થવું ન જોઈએ. આ રીતે ઓછામાં ઓછું છે કે ૮ વાર સ્મરણ કરવું જોઈએ.
પછી રાત્રે શયન કરતાં સુધીમાં જ્યારે પણ સમય મળે અને સમરણ કરવું હોય ત્યારે આ પ્રમાણે જ કરવાને
ખ્યાલ રાખવે. ધર્મજાગરિકાનું સ્વરૂપ
પ્રાતઃકાલમાં નમસ્કારમંત્રનું સ્મરણ પૂરું થાય કે તરત ધર્મજાગરિકા કરવી જોઈએ. ધર્મજાગરિકા એટલે ધર્મસંબંધી વિચારની જાગૃતિ. તેનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું
कि मे कडं किश्चमकिच्च सेस ? किं सकणिज्जं न समायरम्मि ? कि मे परो पासइ ? किं च अप्पा, किं वाहं खलियन विवज्जयामि ॥
* નમસ્કાર-સ્વાધ્યાય ભાગ પહેલે. પૂ. પ૨૪ પરનાં ચિત્રોમાં આ પ્રકારે ગણુના બતાવેલી છે.