________________
નમક-માહાન્ય
શ્રીસિદ્ધસેનાચાર્યવિરચિત શ્રીનમસ્કારમાહાભ્ય
સંક્ષિસભાવાનુવાદ
પ્રથમ પ્રકાશ, જે ત્રણ જગતના ગુરુ છે, જગતના કામિત પૂરણ માટે જે કલ્પવૃક્ષ સમાન છે અને જે મુક્તિરૂપી મહિલાને જ ઇચ્છનારા છે, તે શ્રી રૂષભદેવ-સ્વામિને નમસ્કાર થાઓ. ૧. જે તપ અને જ્ઞાનરૂપી ભાવધનથી કુબેરભંડારી જેવા છે, જેમના ચરણમાં દેવેન્દ્રો પણ પ્રણામ કરે છે અને જે સિદ્ધસેન (ગ્રંથકર્તા)ના અનુપમ નાથ છે, તે શ્રી શાન્તિનાથ સ્વામિને નમસ્કાર થાઓ. ૨. શ્રી મુનિસુવ્રતસ્વામિને, શ્રીઅનન્તનાથ સ્વામિને, શ્રીઅરિષ્ટનેમિપ્રભુને, શ્રીમાન પાથનાથસ્વામિને, શ્રીમહાવીરસ્વામિને અને ત્રણે કાળના સર્વ અરિહન્ત પરમાત્માને નમસ્કાર થાઓ. ૩. ધર્મનિષ્ઠ આત્માઓને માતાની જેમ સહાય કરનારી અચસ્તા, અખિકા, બ્રાહી (સરસ્વતી), પદ્માવતી અને અંગિરા વગેરે દેવીઓ અને પુરુષાર્થની પરંપરાને આપે. ૪. જે માતાની જેમ પુણ્યરૂપી શરીરને ઉત્પન્ન કરે છે, પાલનપોષણ કરે છે, પવિત્ર રાખે છે અને જીવરૂપી હસને વિશ્રામ લેવા માટે કમલની શોભાને ધારણ કરે છે, તે પંચપરમેષ્ઠિનમસ્કૃતિ હમેશાં જયવંતી રહે. ૫. જન્મ અને મરણ આપવાવાળો હોવાથી કડવો એવો પણ આ સંસાર મારે મન કડવો નથી પણ માનનીય છે, કારણ કે એ સંસારના આશ્રયથી જ મને જૈનશાસનની પ્રાપ્તિ થઈ છે, અર્થાત જે સંસારમાં જૈનશાસનની પ્રાપ્તિ ન થઈ હોય તે જ કડવો છે, પણ બીજો નહિ. ૬. શ્રી જેન–શાસનરૂપી મનુષ્યક્ષેત્રને