________________
૨૭૪
નમસ્કારમંત્રસિદ્ધિ જ્યાં ઉપશમ હોય, ત્યાં કે કે ? જ્યાં વિવેક હોય, ત્યાં વ્યાયેહ કે? અને જ્યાં સંવર હોય, ત્યાં પ્રતિકાર કે?
એ ભયંકર ઉપદ્રવ અઢી દિવસ સુધી ચાલ્યું અને તેમનું સમસ્ત શરીર ચાળણી જેવું થઈ ગયું, તે યે તેઓ પિતાનું ધર્મધ્યાન ચૂક્યા નહિ. પરિણામે તેઓ આરાધના કરી મૃત્યુ બાદ દેવકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા.
માનવજીવનમાં ક્યારે કેવું પરિવર્તન થાય છે, તે આ પરથી સમજી શકાશે. જેના પરિણામે અતિ રુદ્ર હતાં અને જેણે હજી થોડા વખત પહેલાં જ એક શ્રીમંતના ઘર પર જબ્બર ધાડ પાડી હતી તથા તેની પુત્રીનું મસ્તક તલવારના એક જ ઝાટકે ઉડાવી દીધું હતું, તેનાં પરિણામે એક તપસ્વી મુનિને જોતાં જ પલટાઈ ગયાં. આ મુનિ ચારણુલબ્ધિવાળા હતા, એટલે તેમણે ઘણી ઉગ્ર તપશ્ચર્યા કરી હશે એ નિશ્ચિત છે. વળી તેઓ અહીં ધ્યાનમગ્ન અનીને વિશ્વમૈત્રીનાં, તેમ જ શુદ્ધ દયામય ધર્મના જાર આંદોલને ફેલાવતા હશે, તેથી જ ચિલાતીપુત્રના હૃદય પર અસર થઈ અને તેને ધર્મનું સ્વરૂપ પૂછવાનું મન થયું.
આ જ વખતે મુનિના મન પર ભાવી ચિત્રનું પ્રતિબિંબ પડી ગયું હશે, એટલે જ તેમણે ઉપશમ, વિવેક અને સંવરની ત્રિપદી આપી આકાશગમન કર્યું.
ચિલાતીપુત્રે આ શબ્દો કદી સાંભળ્યા ન હતા, પછી તેને અર્થ જાણવાની તે વાત જ કયાં રહી? પણ મુનિના