________________
સાધનાસમયની વિશિષ્ટ ચર્યા
૨૯૩ કે મનને ઢીલું–પિચું ન રાખતાં મક્કમ બનાવીને કામ લેવાની જરૂર છે.
આ મંત્રજપ હું યથાવિધિ પૂરો કરી શકીશ કે નહિ?” એવી શંકા કરવી નહિ. તેના બદલે “આ મંત્રજપ હું અવશ્ય યથાવિધિ કરી શકીશ” એવી આત્મશ્રદ્ધા રાખવી. દરેક સલતાનું મૂળ આત્મશ્રદ્ધા (Self-confidence)માં જ રહેલું છે, એ વાત કદી ભૂલવી નહિ. આ બાબતમાં પૂર્વ અને પશ્ચિમના વિચાર એકમત છે, તેમજ મને વિજ્ઞાન પણ તેને પૂર્ણ સંમતિ આપે છે.
“આ મંત્રજપનું ફળ મળશે કે નહિ? હજી સુધી તેનું કઈ પણ પરિણામ કેમ દેખાતું નથી ? આવા વિચારોને સાધકે કદી પણ સ્થાન આપવું નહિ. તેને શાસ્ત્રીય પરિભાષામાં
વિચિકિત્સા' નામને મોટો દેષ ગણવામાં આવે છે. જે કાર્ય વિધિસર થયું હોય, તેનું ફળ એગ્ય સમયે જરૂર મળે છે, એવી આંતરિક શ્રદ્ધા રાખવી અને સાધનાક્રમને આનંદથી અનુસરે.
એક પ્રવાસીએ મુંબઈથી અમદાવાદની રેલવે–ટીકીટ ખરીદી હોય અને તે અમદાવાદ જતી કઈ પણ ગાડીમાં બેઠે હેાય તે “હું અમદાવાદ પહોંચીશ કે નહિ? હજી સુધી અમદાવાદ કેમ ન આવ્યું?' વગેરે વિચાર કરે છે ખરે? તેને ખાતરી છે કે આ રેલવે મને અમદાવાદ લઈ જવાની, એટલે એ બાબતમાં તે નિશ્ચિત રહે છે અને રસ્તામાં