________________
જપવિધિ
૨૩૨ ત્રણે પ્રકાર છેઃ (૧) ભાષ્ય અથવા વાચિક, (૨) ઉપાંશુ અને (૩) માનસ. તેમાં બીજો સાંભળી શકે એ પ્રમાણે મંત્રને ઉચાર કરે, એ ભાષ્ય કે વાચિક જપ કહેવાય છે, બીજે સાંભળી ન શકે એ રીતે મંત્રનું રટણ કરવું, એ ઉપાંશુજપ કહેવાય છે અને જે માત્ર મનની વૃત્તિથી સ્વસંવેદનરૂપે અપાય છે, તે માનસજપ કહેવાય છે. તેમાં ભાગ્યે કરતાં ઉપાંશુનું ફલ ઘણું વધારે છે અને ઉપાંશુ કરતાં માનસનું ફલ ઘણું વધારે છે.
આ પરથી એમ સમજવાનું કે મંત્રસિદ્ધિ માટે ભાષ્ય જપ કરે ઈષ્ટ નથી, બાકીના બે જપ કરવા ઈષ્ટ છે.
યંત્રવ્યાકરણ”માં કહ્યું છે કે “મથને ગુપ્ત આષ્યને વિિિતિ મન્ના-જે મંત્રવિદો વડે ગુપ્તપણે બેલાય, તે અંગે જાણવા? વળી મંત્રદાતા ગુરુ શિષ્યને મંત્રદાન ગુપ્તપણે જ કરે છે, તે પરથી મંત્રની ગેપનીયતા સિદ્ધ છે, એટલે મંત્રજપ મોટેથી બોલીને કરે એગ્ય નથી.
મંત્રજપ એકાંતમાં થાય તે વિક્ષેપ થવાનો સંભવ રહેતું નથી.
મંત્રજપ કરતી વખતે નિદ્રાની કોઈ અસર હશે તે કા ખાવાનું શરૂ થશે અને બધું કામ બગડી જશે. જે નિદ્રા બહુ ઓછી લેવાઈ હોય તે નિદ્રા આવે છે, અથવા ભારે ખેરાક લેવા હોય તે નિદ્રા આવે છે, અથવા પ્રમાણથી કઈક વધારે ખવાયું હોય તે પણ નિદ્રા આવે છે, તેથી આ બાબતમાં સાવધ રહેવું.