________________
૪૦
નમસ્કાર ત્રસિદ્ધિ
(૪) સ્વાધ્યાય—મત્રનો વિધિપૂર્વક જપ કરવા. (૫) ચેાગ—મત્રદેવતાનું–મંત્રનું ધ્યાન ધરવું.
અહીં પણ જપુ પછી તરત જ ધ્યાનના નિર્દેશ થયેલા છે અને તે છેવટના અંગ તરીકે થયેલા છે, એ વાત સાધકોએ લક્ષ્યમાં રાખવાની છે.
જે મત્રસાધનાને મત્રયેાગ તરીકે ઓળખે છે અને તેને મુક્તિનું સાધન માને છે, તેમણે તેનાં સેાળ મંગા આ પ્રમાણે માનેલાં છે :
(૧) ભક્તિ, (ર) શુદ્ધિ, (૩) આસન, (૪) પંચાંગ— સેવન, (૫) આચાર, (૬) ધારણા, (૭) દિવ્યદેશસેવન, (૮) પ્રાણક્રિયા, (૯) મુદ્રા, (૧૯) તપણુ, (૧૧) હવન, (૧૨) અલિ, (૧૩) યાગ, (૧૪) જપ, (૧૫) ધ્યાન અને (૧૬) સમાધિ. અહીં પણ જપ પછી તરત જ ન્યાસના નિર્દેશ થયેલા છે અને તેની ગણના ઉત્કૃષ્ટ અંગમાં કરેલી છે, તેથી ધ્યાન એ મંત્રસાધનાનું એક અનિવાય અંગ છે, એમાં કઈ સશય નથી.
અહીં કોઈ એમ કહેતુ હાય કે ‘જ્યારે જપથી મંત્રસિદ્ધિ અવશ્ય થાય છે, ત્યારે ધ્યાન સુધી પહોંચવાની આવશ્યકતા શી ?’ તેના ઉત્તર એ છે કે • જપથી મત્રસિદ્ધિ અવશ્ય થાય છે, પણ તે માટે ચિત્તશુદ્ધિ તથા એકાગ્રતાની જરૂર છે અને તે ધ્યાનથી જ પ્રાપ્ત થઈ શકે છે, તેથી ધ્યાન સુધી પહોંચવાની આવસ્યકતા છે.’