________________
[૨૬]
ધ્યાનવિધિ
હવે નમસ્કારમંત્રને ધ્યાનવિધિ દર્શાવીશું. આ વિધિ પ્રમાણે નિત્ય-નિયમિત નમસ્કારમંત્રનું ધ્યાન ધરવાથી મંત્રાર્થ અને મંત્રમૈતન્યની પ્રાપ્તિ થાય છે અને તે સિદ્ધિને સત્વર સમીપે લઈ આવે છે.
આસન, પ્રાણાયામ વગેરેની જેમ ધ્યાન પણ અભ્યાસથી જ સિદ્ધ થાય છે. આને અર્થ એમ સમજવાને કે સ્થાન ધરવાની શરૂઆત કરીએ કે ધ્યાન યથાર્થ પણે થાય એમ બનતાં નથી, પણ ખંતપૂર્વક અભ્યાસ ચાલુ રાખીએ તે ધીમે ધીમે તેમાં સુધારે થાય છે અને છેવટે તે યથાર્થ પણે થઈ શકે છે.
આપણે નિશાળે બેઠા, ત્યારે એકડે કે ઘૂંટાતું હતું? પણ તેને અભ્યાસ ચાલુ રાખે, એટલે તેમાં મરોડ આ અને તે સારી રીતે લખવા શક્તિમાન થયા. ધ્યાનની બાબતમાં પણ આમ જ સમજવું. ધ્યાનના સમય
નમસકારમંત્રનું ધ્યાન ધરવા માટે પ્રાતઃકાલ અને સંસ્થાને