________________
નમસ્કારમંત્રસિદ્ધિ मुकरं मलधारित्वं, सुकरं दुस्तपं तपः । सुकरोऽक्षनिरोधश्व, दुष्करं चित्तरोधनम् ॥
શરીરવિભૂષાને ત્યાગ કરીને મેલા રહેવું, તે સહેલું છે. અન્નજળનો ત્યાગરૂપ તપ કરવું, એ સહેલું છે અને ઈન્દ્રિયેને નિગ્રહ કરે, એ પણ સહેલો છે, પણ મનની વૃત્તિઓને જ્યાં ત્યાં રખડતી રેવી, એ કામ ઘણું દુષ્કર છે.”
શ્રી હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં નિરંકુશપણે ભટક્તા મનની રાક્ષસ સાથે સરખામણી કરી છે અને તે જગતના જીને સંસારરૂપી મેટા ખાડામાં ધકેલી દે છે, એમ જણાવ્યું છે. મહાત્મા આનંદઘનજીએ પણ કુંથુનાથ ભગવાનના સ્તવનમાં મનને દુરારાધ્ય કહ્યું છે અને તેની વિચિત્રતાનું અસરકારક શબ્દોમાં વર્ણન કર્યું છે. પરંતુ આ પરથી કઈ એમ સમજી લે કે “મનને જિતી શકાય એવું નથી, અર્થાત તેનું અન્યાન્ય વિષમાં જે પરિભ્રમણ થઈ રહ્યું છે, તે અટકાવી શકાય તેવું નથી અને પરિસ્થિતિ આવી હોવાથી મંત્રજપ પણ યથાર્થ થઈ શકે એમ નથી, માટે મંત્રજપથી સયું!” તે આ સમજણ ઘણી ભૂલભરેલી છે
શાસકારોએ મનની દુર્જયતાનું જે વર્ણન કર્યું છે, તે લેકેને ભડકાવવા માટે કર્યું નથી, પણ આ કાર્ય કદિન હોવાથી તેને માટે વધારે પુરુષાર્થ કર જોઈએ, એમ સૂચવવાને કર્યું છે. વળી અન્યત્ર તેમણે એ પણ કહ્યું જ