________________
નમસ્કારમંત્રસિદ્ધિ કથાનું શ્રવણ કરે. આવતી કાલથી આપણે ત્યાં એક વિદ્વાન શાસ્ત્રી દ્વારા ધર્મકથા વંચાય તે હું પ્રબંધ કરીશ.” અને ધનપાલે તે મુજબ પ્રબંધ કર્યો.
બીજા દિવસે શાસ્ત્રીજી એક પિથી લઈને તેમના ઘેર આવ્યા અને એક ઊંચા આસન પર બેઠક જમાવી ને વાંચવાની શરૂઆત કરી. તેમાં તેમણે પહેલું વાક્ય વાંચ્યું કે “મી સવાર-ભીષ્મ બેલ્યા. તે વખતે કથા સાંભળવા બેઠેલી ડેશીનું ધ્યાન ખડકીમાં ઊભેલા કૂતરા તરફ ગયું, એટલે “હડ–હડ” કરતા ઊભા થયા અને લાકડી વડે તેને ફટકાર્યો. પછી લાકડી ઠેકાણે મૂકીને કથા સાંભળવા બેઠા.
શાસ્ત્રીજીએ ફરી વાગ્યું કે “મીડમ વાર” પરંતુ તેમનું આ વાક્ય પૂરું થયું, ત્યાં ડોશીની નજર રહા તરફ પડી. ત્યાં એક બીલાડી ધીમા પગલે દૂધની તપેલી ભણી જઈ રહી હતી, એટલે ડેશી “છી–છી” કરતી ઊભી થઈ અને રસોડામાં બધું આઘુંપાછું કરીને કથા સાંભળવા બેઠી.
હવે શાસ્ત્રીજીએ ફરીને શરૂઆત કરી કે “મી સવાર” એટલામાં ડોશીનું સ્થાન પાસેની ગમાણ પર પડ્યું. ત્યાં વાછડે છૂટી ગયે હતો, તેથી છૂ-છૂ' કરતા ઊભા થયા અને વાછડાને ઠેકાણે બચ્ચે. ત્યાંથી આવીને ફરી કથા સાંભળવા બેઠા, એટલે શાસ્ત્રીજીએ કહ્યું કે “રીમ જલાર” પણ ડેશીને કંઈ ચેન ન હતું. તેનું મન અહીં-તહીં ભમ્યા જ કરતું હતું. આ વખતે તેની નજર છાપા ભણું ગઈ