________________
૨૧૬
નમસ્કારમંત્રસિદ્ધિ
ધારણ સંગે સિવાય એ સ્થાન બદલવું નહિ, કારણ કે સ્થાન પરત્વે પણ કેટલુંક વાતાવરણ તૈયાર થાય છે અને તેને આપણું મન સાથે અવશ્ય સંબંધ રહે છે.
અમે વર્ષોથી અમારા એરડામાં એક નિયત સ્થાને બેસી નાનકડા મેજ પર લખીએ છીએ. ત્યાં જે વિચારધારાને પ્રવાહ વહે છે, તે સ્થાન બદલતાં વહેતે નથી, એ અનુભવ અમે અનેક વાર કરે છે. વળી મંત્રજપ માટે પણ અમે જે સ્થાન નકકી કરેલું છે, તે અસાધારણ સંગે વિના બદલતા નથી. આથી મંત્રજપ ઘણું સારી રીતે થાય છે. આ વસ્તુ કેટલાકને પ્રારંભમાં નહિ સમજાય, પણ અનુભવે જરૂર સમજાશે. તાત્પર્ય કે મંત્રજપ માટે સ્થાન નિયત કર્યા પછી બને ત્યાં સુધી તેની બદલી કરવી નહિ.
જે સ્થાનમાં બેસીને મંત્રજપ કરવો હોય ત્યાં તીર્થકર ભગવતેનાં, તીર્થોનાં તથા નમસ્કારમંત્રનાં ચિત્રે લટકાવેલાં હેય તે ઈચ્છવાયેગ્ય છે. ત્યાં મંત્રદાતા ગુરુનું ચિત્ર પણ મૂકી શકાય. વળી એ સ્થાનને જ બે કે ત્રણ વાર વાળીને સાફ કરવું જોઈએ તથા ત્યાં સવારસાંજ ધૂપ-દીપ આદિ કરવા જોઈએ. આથી મન પર ઘણું સુંદર અસર થશે અને મંત્રજપ બહુ સારી રીતે થઈ શકશે જપને સમય:
નમકારમંત્રનો જપ કરવા માટે ત્રણ સંધ્યા સમય ઉત્તમ મનાય છે. સંસ્થા એટલે સૂર્યોદય પહેલાની તથા પછીની એક ઘડી, મધ્યાહ પહેલાંની તથા પછીની એક ઘડી