________________
નમસ્કારમંત્રને ચિંતનીય વિષય (૨૮) તે અદ્દભુત હોય છે. (૨૯) તે અત્યંત વિલંબરહિત બેલાતી હોય છે. (૩૦) તે વસ્તુઓને વિવિધ રીતે વર્ણવનારી હોય છે. (૩૧) તે બીજા વચનની અપેક્ષાએ વિશેષતા સ્થાપિત કરનારી
- હાય છે. (૩૨) તે સર્વપ્રધાન હોય છે. (૩૩) તે વર્ણ, પદ અને વાક્યના વિવાળી હોય છે. (૩૪) તે કહેવાને ઈચ્છેલા વિષયને સારી રીતે સિદ્ધ કરનારી
હોય છે. (૩૫) તે અનાયાસે ઉત્પન્ન થનારી હોય છે.
“ગુણે પાંત્રીશ વાણુએ ગાજે છે આદિ વચને ને , મમ આના પરથી સમજી શકાશે.
સિદ્ધ ભગવંતના આઠ ગુણે સિદ્ધ પરમાત્માના આઠ ગુણે નીચે પ્રમાણે ચિંતવવા. જોઈએ: (૧) અનંતજ્ઞાન -જ્ઞાનાવરણીય કર્મને સર્વથા ક્ષય થતાં
આ ગુણ પ્રકટ થાય છે. તેનાથી લેકાલેકના સમસ્ત
ભાવે જાણી શકાય છે. (૨) અનંતદર્શન-દર્શનાવરણીય કર્મને સર્વથા ક્ષય .
થતાં આ ગુણ પ્રકટ થાય છે. તેનાથી સમસ્ત લેકાલેકને
જોઈ શકાય છે. (૩) અવ્યાબાધ દશા-વેદનીય કર્મને સર્વથા ક્ષય
થવાથી આ ગુણ પ્રકટ થાય છે. તેનાથી સિદ્ધ ભગવંતને.