________________
૧૪૨
નમસકારમંત્રસિદ્ધિ પ્રસિદ્ધ-બુદ્ધ-પારંગત થયા, તે સઘળાએ પુરુષાર્થનું જ આલંબન લીધું હતું અને પુરુષાર્થને જ પિતાને જીવનમંત્ર બનાવ્યે હતું, એટલે એ વાત નિશ્ચિત છે કે પુરુષાર્થ એ જ -અક્ષય-અનંત–અપરિમિત સુખનું સાચું સાધન છે.
ચડવું યા પડવું, એ મનુષ્યના પિતાના હાથની વાત છે. જે મનુષ્ય ગમાર બનીને ગફલતમાં રહે છે, તેઓ
અધઃપતનના અંધારા કૂવામાં ગબડી પડે છે અને જેઓ -શાણપણ બતાવીને નિરંતર પુરુષાર્થને અનુસરે છે, તેઓ - મુક્તિસુખના મિનારાપર ચડી જાય છે. આ પરિસ્થિતિને
ખ્યાલ કરીને સાધકે આ પાંચેય સિદ્ધાંતને બરાબર અનુસરવાનું છે અને એ રીતે સિદ્ધિ તરફ આગળ વધવાનું છે.*
અમે સંકલ્પ સિદ્ધિ ગ્રંથમાં લખેલાં “ઈચ્છા અને પ્રયત્ન તથા -પુરુષાર્થની બલિહારી” એ બે પ્રકરણે જિજ્ઞાસુઓએ જરૂર જોવાં.