________________
સાધકે યોગ્યતા કેળવવી ઘટે.
૧૪૫
નમસ્કારમંત્રની સાધના કરનારમાં કેવા ગુણે હેવા જોઈએ? તેનું સુંદર વર્ણન શ્રાવકવર્ય શ્રી નમિદાસે “પંચ. પરમેષ્ટિધ્યાનમાલા માં કરેલું છે. તેઓ કહે છે:
શાંત દાંત ગુણવંત, સંતનસેવાકારી, વારિત-વિષય-ક્યાય, જ્ઞાન-દર્શન-સુવિચારી
સ્યાદાદરસ-રગ, હંસપરિ શમરસ ઝીલે; શુભ પરિણામ નિમિત્ત, અશુભ સવિકમને
છીલે. તાદશ નર પરમેષ્ટિપદ-સાધનનાં કારણુ લહે; શાહ શામજી સુતરત્ન, નમિદાસ ઈણ પરે કહે,
(૧) શાંત એટલે શાંત સ્વભાવવાળો, સ્વસ્થ મનવાળે. વધારે સ્પષ્ટ કહીએ તે જેના મુખ પર ક્રોધ, રેષ કે ગુસાની લાગણી ન હોય તે. વાતવાતમાં ચીડાઈ જનાર કે ગુસ્સો કરનાર કેઈ પણ મંત્રસાધના યથાર્થ રીતે કરી શક્ત નથી. ક્ષણમાં અષ્ટ અને ક્ષણમાં તુષ્ટ એ સ્વભાવ વ્યવહારમાં પણ નિંદાયેલે છે, તે મંત્રસાધના જેવા એક વિશિષ્ટ કાર્યમાં શી રીતે ચાલી શકે? સંત કબીરદાસ કહે છે કે
દયા ગરીબી બંદગી, સમતા શીલ સ્વભાવ એતાં લક્ષણ સાધકે, કહે કબીર સદ્ભાવ.
કબીર સદ્ભાવથી કહે છે કે સાચા સાધકમાં દયા, નમ્રતા, પ્રાર્થના, સમતા અને શાંત સ્વભાવ એટલાં લક્ષણે અવશ્ય લેવાં જોઈએ.”
(૨) દત એટલે ઈન્દ્રિયોને જિતનારે, ઈન્દ્રિયેના. ન. સિ–૧૦