________________
૧૬૦
નમસ્કારમંત્રસિદ્ધિ નીચું જોયું, પણ શ્રીપાદલિપ્તાચાર્યે કહ્યું કે “હું તારી વિરલ શક્તિથી પ્રસન્ન થયો છું. તે પગ ધેવાનું પાણી સુંધીને તથા ચાખીને ૧૦૭ કિનાં નામ શોધી કાઢયાં, આ જેવી તેવી વાત નથી. પરંતુ તેમાં એક જ દ્રવ્ય ખૂટે છે, એટલે આકાશગમનની જોઈએ તેવી સિદ્ધિ થઈ નહિ?
નાગાર્જુને કહ્યું “કૃપા કરીને એ ખૂટતાં દ્રવ્યનું નામ આપે તે હું આપને ઉપકાર જીવનભર ભૂલીશ નહિ”
શ્રી પાદલિપ્તાચાર્યે કહ્યું: “તેમાં માત્ર ચોખાનું ધોવાણું ખૂટે છે. તે ઉમેરવાથી પાલેપ સિદ્ધ થશે.”
નાગાર્જુને તેમ કર્યું તે પાઇલેપ સિદ્ધ થયા અને તેના આધારે તે આકાશમાં દૂર સુધી ગમન કરવા લાગ્યું. તેણે ગુરુને અતિ આભાર માન્ય અને તેમની યાદગીરીમાં શ્રી શત્રુજ્યગિરિરાજની તળેટીમાં પાદલિપ્તપુરનામનું શહેર વસાવ્યું, જે આજે પાલીતાણું નામથી વિખ્યાત છે.
તાત્પર્ય કે વિધિનું પાલન બરાબર થવું જોઈએ. તેમાં કંઈ પણ કસર રાખીએ કે શિથિલતા દાખવીએ તે ઈષ્ટસિદ્ધિ થાય નહિ.
વિધિતત્પરતા એ મંત્રસાધકનું મેટું લક્ષણ મનાયું છે, એટલે તેણે મંત્રસાધનાને વિધિ જાણવા માટે, તેમજ તેનું પાલન કરવા માટે તત્પર રહેવું જોઈએ.
“અમે પરિશ્રમ–પુરુષાર્થ તે ઘણે કર્યો, પણ કંઈ ફળ દેખાયું નહિં આવી ફરિયાદ કરનારે સહુથી પહેલાં એ તપાસ