________________
.
[ ૧૮ ] સ્મરણનું મહત્ત્વ
જેમ ભક્તિમાર્ગમાં ભગવન્નામરમરણને મહિમા ઘણે છે, તેમ મંત્રસાધનામાં મંત્રપદસ્મરણને મહિમા ઘણું છે. અન્ય શબ્દોમાં કહીએ તે મંત્રસાધનાની શરૂઆત જ
સ્મરણથી થાય છે અને તે સિદ્ધિ માટેની મજબૂત ભૂમિકા પૂરી પાડે છે, એટલે પ્રસ્તુત પ્રકરણમાં તે સંબંધી કેટલીક વિચારણા કરવામાં આવી છે.
સ્મરણ શબ્દ સ્મૃતિને ભાવ સૂચવે છે. વધારે સ્પષ્ટ કહેતાં જે વસ્તુને ઈન્દ્રિય તથા મન વડે એક વાર ગ્રહણ કરી હોય અને મતિજ્ઞાનના બળે અવધારી લીધી હોય, તેને મનરૂપી પડદા પર તાજી કરવી, તેને સ્મરણ કહેવામાં આવે છે. આ રીતે આપણે ગૃહિત-અવધારિત અસંખ્ય વસ્તુઓનું રમરણ કરી શકીએ છીએ અને તે મનુષ્ય તરીકેની આપણું વિશેષતા છે.
અહીં સ્મરણ શબ્દથી નમસ્કારમંત્રને યાદ કરે,