________________
સ્મરણનું મહત્ત્વ
૧૬૯
એટલે કે તેના પાઠ એલી જવા, ભણી જવા કે ગણી જવા એમ સમજવાનુ છે. આ ક્રિયા માત્ર મનથી પણ થઈ શકે. તેમાં પ્રથમ પ્રકારનું એટલે માનસિક ક્રિયાનું મહત્ત્વ વધારે છે.
'
નમસ્કારમંત્રનું સ્મરણ શા માટે કરવુ જોઈએ ?’ તેના ઉત્તર આપતાં જૈન મહર્ષિ આએ જે ટંકશાળી વચના ઉચ્ચાર્યાં છે, તે પ્રથમ સાંભળી લઈએ, એટલે આપણુ કામ ઘણું સરલ ખની જશે.
उट्टमहोतिरयम्मिय जिणनवकारो पहाणओ नवरं । नरसुरसिवसुक्खाणं कारणं इत्थ भुवणम्मि || तेण इमो निच्चं चिय पढिज्ज सुत्तुट्टिएहि अणवरयं । होइ चिय दुहदलणो सुहजणणो भविय लोयस्स |
ઊર્ધ્વલાક એટલે સ્વ, અધેાલાક એટલે પાતાલ અને તિગ્ લેાક એટલે મનુષ્ય લેાક. આ ત્રણેય લેાકમાં જિનનમસ્કાર એટલે પરમેષ્ઠિનમસ્કારમંત્ર તેના અચિત્ય પ્રભાવ અને ત્રિકાલ મહિમાને લીધે શ્રેષ્ઠ છે અને તે આ ભુવનમાં એટલે આ જગતમાં નરસુખ એટલે મનુષ્યભવ વડે પ્રાપ્ત થતાં સુખ, સુરસુખ એટલે દેવતાના ભવ વર્ડ પ્રાપ્ત થતાં સુખ અને શિવસુખ એટલે મેક્ષપ્રાપ્તિને લીધે પ્રાપ્ત થતાં સુખનું પરમ કારણ છે. તેથી આ નમસ્કાર મત્રને સૂતાં એટલે નિદ્રાધીન થતાં પહેલાં અને ઊઠતાં એટલે નિદ્રાના ત્યાગ કરીને જાગ્રત થતાં અનવરત એટલે