________________
૧૩ર
નમસ્કારમંત્રસિદ્ધિ આ સિવાય બીજાં પણ નાનાં તીર્થો છે. તેમાંનું કઈ પણ તીર્થ મંત્રસાધના માટે પસંદ કરી શકાય.
જિનમંદિર, વનપ્રદેશ, નદીને કિનારે અને પદ્યસવરની. પાળ વગેરે પણ મંત્રસાધના માટે ઉત્તમ મનાયેલ છે. જિનમંદિર સામાન્ય રીતે અતિ સ્વચ્છ અને પવિત્ર છે, પરંતુ જે જિનમંદિર વિશાળ હોય અને તેના એક ભાગમાં બેઠક જમાવી શકાય તેમ હોય તેની પસંદગી કરવી એગ્ય છે. વળી તે એકાંતમાં આવેલું હોય તે વધારે પસંદ કરવા રોગ્ય છે, કારણ કે ત્યાં શાતિ સારા પ્રમાણમાં જળવાઈ રહે છે.
વનપ્રદેશ તેની સ્વાભાવિક રમણીયતા તથા શાંત વાતાવરણને લીધે પસંદ કરવા ગ્ય છે. “વનમાં જતાં ધ્યાનસ્થ. મુનિ જેવામાં આવ્યા” વગેરે શાસ્ત્રીય ઉલ્લેખે એમ બતાવે. છે કે પૂર્વકાલે મંત્રસાધના માટે વનપ્રદેશને ખાસ પસંદગી. અપાતી. આજે મંત્રસાધના માટે કેઈ વનપ્રદેશ પસંદ કરો હિય તે ત્યાં નાનકડો આશ્રમ, પર્ણકુટિ કે સાદું એવું ઘર. હેવું જોઈએ તથા નજીકમાં જલાશયની વ્યવસ્થા જોઈએ. તે જ સાધના સારી રીતે કરી શકાય. રહેવાના સ્થાનના અભાવે. વનપ્રદેશમાં લાંબો વખત રહી શકાય નહિ. આજે હરદ્વાર નજીક આવેલા રાષિકેશ વગેરે સ્થાનમાં આ પ્રકારની વ્યવસ્થા છે, તેથી જ અનેક ગસાધકે તથા મંત્રારાધકેએ ત્યાં સ્થિરતા કરેલી છે.
નદીને કિનારે એટલા માટે પસંદ કરવા ગ્ય છે. કે ત્યાં મોટા ભાગે વૃક્ષમુજે કે હરિયાળાં ખેતરે હોય છે,
જાવું રાઈ
વી રીતે થઈ શકાય