________________
૧૭o
નમસકારમંત્રસિદ્ધિ
કનકાચલ (સુવર્ણગિરિ), શ્રી ચિત્રકૂટ આદિ તીર્થો છે. ત્યાં રહેલા શ્રી ઋષભ વગેરે જિનેશ્વરે તમારું કલ્યાણ કરે.”
પ્રાતકાલીન પ્રતિક્રમણ વખતે સકલતીર્થને વંદના કરવામાં આવે છે, તે વખતે નીચેનાં પ બેલવામાં આવે છેઃ
સમેતશિખર વંદુ જિન વીશ, અષ્ટાપદ વંદું વીશ, વિમલાચલ ને ગઢ ગિરનાર; આબુ ઉપર જિનવર જુહાર. શંખેશ્વર કેસરિયે સાર, તારગે શ્રી અજિત જુહાર. અંતરિક વકાણે પાસ, જીરાવલે ને થંભણુ પાસ, ગામનગર પુર પાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણગેહ, વિહરમાણુ વંદુ જિન વીશ, સિદ્ધ અનંત નમું નિશદિશ.
અહીં એ પણ જણાવી દઈએ કે કાલબળે કેટલાંક તીર્થો નષ્ટ થયાં છે, તો કેટલાંક નવાં તીર્થો અસ્તિત્વમાં આવ્યાં છે, પણ તીર્થોની પરંપરા બરાબર જળવાઈ રહી છે. આ તીર્થ નિર્માણ કરવામાં તથા તેનું સંરક્ષણ કરવામાં જૈન સંઘે અબજો રૂપિયા ખર્ચા છે અને બીજો ભાગ પણ ઘણે આવે છે. જેણે પિતાના જીવનમાં આ પવિત્ર તીર્થોની એક વાર પણું યાત્રા કરી નથી, તેનું જીવન સફળ શી રીતે કહેવાય? પૂજ્યપૂજા, યા, દાન, વગેરેની જેમ તીર્થયાત્રા પણ માનવજીવનનું એક મધુર ફળ છે, એ ભૂલવાનું નથી.
અહીં એ પણ જણાવી દઈએ કે તીર્થસ્થાને એ સહેલ કરવાનું કે મોજમજાહ કરવાનું સ્થાન નથી, પણ વ્રતનિયમ ઉચ્ચરવાનું, તપશ્ચર્યા કરવાનું તથા મંત્રસાધના કે