________________
૧૧૪
નમસ્કારમંત્રસિદ્ધિ તેમની સાથે એ પ્રકારનું વર્તન કર્યું, તે મંત્રસાધના નિષ્ફળ જવાની, એટલું જ નહિ પણ ભવિષ્યમાં દુર્ગતિની પ્રાપ્તિ થવાની.
જે મનુષ્ય મંત્રને દિવ્ય શક્તિથી વિભૂષિત એક પવિત્ર વસ્તુ માનવાને બદલે માત્ર જડ અક્ષરેને સમૂહ માને છે અને એ રીતે તેના અચિંત્ય પ્રભાવ વગેરેની ઉપેક્ષા કરે છે, તેમની અવસ્થા પણ આવી જ થવાની.
તે જ રીતે જેઓ દેવપ્રતિમાને દેવત્વને સાક્ષાત્કાર કરાવનારી એક મંગલમય પ્રશસ્ત વસ્તુ માનવાને બદલે પથરનું પૂતળું માની તેને ઉપહાસ કરે છે કે તેના પ્રત્યે આદર ધરાવતો નથી, તેમને માટે નરક સિવાય અન્ય કોઈ ગતિ નથી.
તાત્પર્ય કે નમસ્કારમંત્ર સાક્ષાત્ દેવતારૂપ છે, એમ માનીને તેના ઉપકાર-મહાઉપકારને વિચાર કર જોઈએ.
નમસ્કાર મંત્રને બીજો મહા ઉપકાર એ છે કે તે આપણું ગતિ સુધારે છે, એટલે કે તે આપણને નરક અથવા તિર્યંચગતિમાં જવા દેતું નથી. “નવલાખ જપતાં નરક નિવારે” વગેરે શબ્દો તેના પ્રમાણરૂપ છે.
દુર્ગતિમાં કેટલું દુઃખ છે? તે સુજ્ઞ પાઠકેએ સ્વયં વિચારી લેવું. અમે તો અહીં સંક્ષેપમાં એટલું જ કહીશું કે નરક એ અકખ્ય દુઃખેને ભંડાર છે અને તિર્યંચાવસ્થા પણ વિવિધ પ્રકારનાં દુખેથી ભરેલી છે. તેનું નિવારણ કરવું, એ કંઈ જે તેવો ઉપકાર નથી. એક માણસને બાર