________________
નમસ્કારમંત્રનું નિયત્વ
સ્થાપનાર હોય છે, તેથી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને પણ અનાદિ માનવા જ પડે. જે આમાંનું કેઈ ન હોય તે ધર્મતીથની સ્થાપના થાય શી રીતે? અને ધર્મતીથની. સ્થાપના ન થાય તે તેમને તીર્થકર કહેવાય શી રીતે?
વિશેષમાં એ પણ વિચારવું ઘટે છે કે જ્યાં સાધુસાધ્વીને વિશાલ સમુદાય હેય, ત્યાં આચાર્ય અને ઉપાધ્યાયહાય કે નહિ? જો આચાર્ય ન હોય તો ગ૭ની સારસંભાળ થાય નહિ, પરિણામે અવ્યવસ્થા જન્મ અને બધું ટાળામાં પડે. તે જ રીતે ઉપાધ્યાય ન હોય તે સાધુઓને દ્વાદશાંગી તેમજ અન્ય સૂત્રસિદ્ધાંતનું શિક્ષણ કેણ આપે ? અહીં અમને સ્પષ્ટ કહેવા દે કે શમણુસમુદાયમાં આચાર્ય અને ઉપાધ્યાયની. વ્યવસ્થા અતિ પ્રાચીન કાળથી ચાલી આવે છે, એટલે તેને. પણ અનાદિ માનવા જ રહ્યા.
તાત્પર્ય કે જૈન ધર્મને અનાદિ માનતાં પંચપરમેષિને અનાદિ માનવા જ પડે અને પંચપરમેષિને અનાદિ માનીએ, એટલે તેમને નમસ્કાર કરવાની ક્રિયાને પણ અનાદિ માનવી. જ પડે. જે એવી કિયા ન હોય તે અહંદુભક્તિ, સિદ્ધભક્તિ, આચાર્યભક્તિ, ઉપાધ્યાયભક્તિ અને સાધુભક્તિ આદિ તીર્થ– કરનામકર્મ બંધાવનારાં સ્થાને શી રીતે સંભવે? આ સ્થાનેને ઓછા કે વત્તા પ્રમાણમાં સ્પર્યા વિના કોઈ આત્મા તીર્થકરનામકર્મ બાંધતે નથી, એટલે પંચપરમેષિની ભક્તિ રૂપ નમરકારમંત્રને પણું અનાદિકાલીન માન જ પડે. તાત્પર્ય કે યુક્તિ વડે પણ નમસ્કારમંત્રનું નિત્યત્વ સિદ્ધ છે.